[7/30, 1:44 PM] Jagdish Ranodara.MeM Shankheshwar: *NOG No SS* -119 સાહિત્ય સરિતા.
*પ્રકાર* : ગદ્ય
*વિષય* : દેશ – વિદેશમાં ગુજરાતીઓ નો દબદબો
*શિર્ષક* : વતનપ્રેમ
*વતન પ્રેમ*
ગુર્જરભૂમિને ગૌરવ અપાવનારા વિદેશમાં વસતા ગરવા ગુજરાતીઓને બિરદાવવા જોઈએ. જેમણે પરદેશ માં વસવાટ કર્યો હોવા છતાં વતનની વ્હાલસોયી સંસ્કૃતિ ને ભૂલતા નથી એનું મને ખુબ ગૌરવ થાય છે.
હમણાં ગાંધીનગર માં મારા દિકરાના મકાનમાલિક સાથેની બેઠકમાં એવી ચર્ચા ચાલી કે ત્યાં કેનેડામાં તમે જાવ ત્યારે બધું બદલાઈ જતું હશે ને…! ત્યારે કાકા અને કાકી બંન્ને એકસાથે બોલ્યા કે ના…
ત્યાં આપણા ગુજરાતીઓની વસ્તી સારા પ્રમાણમાં છે એટલે અહીંના જેવી વાતો, રહેણી-કરણી,ભાષા બધું અહીંનું જ…
બેન બોલ્યા કે મને તો વિદેશ જેવું લાગતું જ નથી. નવરાત્રીમાં ગરબા, સાતમ-આઠમ પર કૃષ્ણની ભક્તિમાં તરબોળ થઈ જઈએ છીએ.
ખોરાકમાં પણ આપણા જેવો સાત્વિક.
ત્યાંના સ્થાનિક લોકો એમનાં તહેવારોમાં રસ નથી લેતા એનાથી વધારે આપણા તહેવારો ઉત્સાહથી ઉજવવામાં સહભાગી થાય છે. નવરાત્રીમાં ગરબે ઘૂમવા તલપાપડ કરતા હોય છે.
વિદેશોમાં પણ ગુજરાતી ભાષા,લોકબોલી,પહેરવેશ અને ગુજરાતી ગૌરવશાળી પ્રતિષઠા વધારવામાં આપણા વિદેશોમાં વસવાટ કરનારા લોકોને શ્રેય મળે છે. *જ્યાં જ્યાં ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત* જેવા માહોલનુ સર્જન કરે છે. તેવા ગરવા ગુજરાતીઓ ના *વતનપ્રેમ* ને આવકારું છું.
ડૉ જગદીશ કે રણોદરા (બંધવ)
વીસાવડી-વરણોસરી-શંખેશ્વર-વાહેદપુરા
[7/30, 3:03 PM] Jayshree Patel. Sahityakar: *NOG SS NO:004*
*વિષય*ઃ *દેશ વિદેશમાં* *ગુજરાતીઓનો દબદબો,*
*રહેણી- કહેણી,બદલાતી સામાજિક આધુનિક પરિસ્થિતિ.*
*પ્રકારઃ*ગદ્યઃ*
*શબ્દોઃ*૩૫૦*
*શીર્ષક*માદરે વતન*
ભારતનો નાગરિક દેશ વિદેશ જઈ વસ્યો છે. વિશ્વનો કોઈ ખૂણો બાકી નથી રાખ્યો. અંગ્રેજીનો કક્કો નથી આવડતો પણ તે ઉપડી જાય છે પોતાના બાળકો સાથે. બાળકો પણ મા બાપને બોલાવે છે કારણ કે ત્યાં મશીનોથી કામ થાય છે પણ મશીન ચલાવવાનો સમય નથી તેમને. અમેરિકાથી એક બેન આવ્યાં દીકરાને પરણાવવા ને છોકરીનું ઘર જોઈ બોલ્યાં,” તમારે ત્યાં વોસિંગ મશીન નથી ? ઓહ તો તમારી દીકરી જે અંગ્રેજી સાથે બી.એ થઈ છે તે પણ મશીનો કેવી રીતે ચલાવશે ?દીકરાને સુંદર છોકરી ગમી ગઈ હતી પણ તેને ત્યાં વોશીંગ મશીન નહોતું તેથી ગુજરાતી સાડી માંથી પેન્ટ શર્ટ પહેરતી મમ્મીએ અંગ્રેજીમાં કહું તો ‘રીજેક્ટ કરી દીધી’બ. વાહ, શું દબદબો હતો તે માતૃશ્રીનો!
ગામડાં કે શહેરમાંથી ગયેલાં રમેશભાઈ કે મનુભાઈ પોતાની ભૂમિ પર આવી કહેવાય ફોરેને રીર્ટન. અહીં તેમની રહેણી કરણી ઓહ !અરે ,તમે કેટલાં ગંદામાં રહો છો!*અમારાં અમેરિકામાં કે સિંગાપોરમાં તો* અને ખરેખર ભારતની એ ગોમુત્રવાળી ધરતી તેમની નહિ… *અમારું ભારત* ક્યાં? આ રહેણી કહેણી કે કરણીને બદલાય જતાં વાર કેટલી લાગે? મનની વ્યથા ન કહી શકે. ૮૦% ભારતવાસી કદાચ અમેરિકાનાં યાત્રી બની સર્વ જગ્યાંઓ જોઈ આવ્યાં હશે ૨૦% ભારતવાસી ત્યાંનાં રહેવાશી કે ગ્રીન કાર્ડ મેળવીને પણ ન્યૂયોર્ક કે જ્યાં જે સ્ટેટ્સમાં રહેતાં હશે ત્યાંથી બીજી ભૂમિ પર ગયાં પણ હશે કે કેમ? ત્યાં ડોલર કલાકના ભાવે મળે છે ને કલાક કેમ બગાડાય? શું આ રહેણી કહેણી કે કરણીમાં ત્યાં તેઓ સુખી છે ખરાં?
સંયુક્ત કુટુંબની ભાવના ક્યાં છે? વિદેશ કે દેશમાં રહેતો યુવા વર્ગ હવે જૂના ફટિચર જેવાં મકાનો કરતાં નાના કોમ્પેક્ટ મકાનોમાં રહેતા થયાં ને તે મકાન ક્યાંતો મા બાપની બચતમાંથી ક્યાંતો બેન્કના દેવાદાર બની લીધાં હોય છે, તેથી એ મકાનની દિવાલો પણ નિશાશા નાંખતી હોય છે ને માતા પિતાના ભાગલા પાડી રહે છે, ક્યાં વૃદ્ધાશ્રમમાં મૂકી રહે છે,માતા પિતા માટે એક રૂમ ફાળવી શકતા નથી.બદલાતી જતી આ સામાજિક પ્રથામાં આધુનિક પરિસ્થિતિ ક્યારેક ડંખે છે, આમાં યુવા વર્ગનો પણ વાંક નથી. જૂની પેઢીએ નવી પેઢી પાસે રાખેલી મોટી મોટી આશાઓ જે દેશ છોડી પરદેશ જવાની ખ્વાહીશ કે હુંસાતુસી એ આ સંજોગો ઊભા કર્યા છે.
સાચું કહું તો મિત્રો,આ રગસિયા ગાડાનાં બળદ ન બનતા માદરે વતનના સાચા નાગરિક હોવું વધું સારું એવું નથી લાગતું તમને?
જયશ્રી પટેલ
૩૦/૭/૨૨
[7/30, 5:04 PM] Leena Sharma.MeM: NOG SS.No 0098
વિષય :- હરિયાળી તીજ.
શીર્ષક:- મહત્વ.
આપ સૌ બહેનોને હરિયાળી તીજની શુભકામનાઓ.
શ્રાવણ માસમાં આવતી હરિયાળી તીજ શુભકામનાઓ વધારનારી છે. હરિયાળી તીજ એ સ્ત્રીઓનો તહેવાર છે.
હરિયાળી તીજ શ્રાવણ માસના શુક્લ પક્ષની ત્રીજનાં દિવસે ઉજવવામાં આવે છે. દંતકથા અનુસાર, માતા પાર્વતીએ શિવને તેમના પતિ તરીકે મેળવવા માટે 108 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી હતી. ભગવાન શિવ પ્રસન્ન થયા અને તીજનાં દિવસે માતા પાર્વતીને પત્ની તરીકે સ્વીકાર્યા. આ જ કારણ છે કે પરિણીત મહિલાઓ હરિયાળી તીજનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. આ તહેવાર મુખ્યત્વે રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને અન્ય સ્થળોએ ઉજવવામાં આવે છે.
તીજનાં દિવસે પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે.લીલા રંગને મહત્વ આપવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર જે મહિલાઓ શિવ-ગૌરી જીની સોળ શ્રૃંગાર સાથે પૂજા કરે છે, તો તેમને ભગવાન તરફથી સૌભાગ્યનું વરદાન મળે છે. જગ્યાએ જગ્યાએ ઝૂલાઓ રાખવામાં આવે છે, મેળાઓ યોજાય છે, માતા પાર્વતીજીને ઝૂલામાં બિરાજમાન કરવામાં આવે છે અને તેમની ઝાંખીઓ બહાર કાઢવામાં આવે છે, આમ તીજનો તહેવાર વિવિધ રીતે આનંદપૂર્વક ઉજવવામાં આવે છે.
લગ્ન પછી, નવદંપતીઓ પ્રથમ સાવન પર પિયર જાય છે અને ત્યાં આ તહેવાર ઉજવે છે, પરંપરા અનુસાર, પુત્રીઓને કપડાં, ઘરેણાં, મેક-અપની વસ્તુઓ, મહેદી, ઘેબર જેવી મીઠાઈઓ આપવામાં આવે છે, જેને સિંજારા કહેવામાં આવે છે. તો મિત્રો, આ છે સાવનની હરિયાળી તીજનું મહત્વ.
લીના શર્મા.
નમસ્તે.
[7/30, 6:02 PM] Ratibhai Vaayada.NOG.MEM..Bombay Puja Kanani.Mithapur: N.O. G. S.S. No. 0102.
નામ:- રતીલાલ વાયડા
વિષય:- દેશ-વિદેશમાં વસતા ગુજરાતીઓનો દબદબો, બદલાતી સામાજિક અને આધુનિક શૈલી.
પ્રકાર:- ગદ્ય. ( લેખ.)
શીર્ષક:- વિદેશમાં વસતા ગુજરાતીઓ.
તારીખ:- ૩૦/૭/૨૦૨૨. શનિવાર.
રચના:-
આજે દુનિયાનો કોઈ દેશ એવો નહીં હોય કે જ્યાં ગુજરાતીઓ રહેતા ન હોય. ગુજરાતી લોકોએ કમાવાની દ્રષ્ટિએ વિદેશમાં વસવાટ કરેલો હોય છે. નોકરી ધંધો કે વેપાર કરે છે.
ગુજરાતમાં રહેલી દરેક કોમ દુનિયાના જુદા જુદા દેશોમાં વસવાટ કરે છે . પોતે પોતાની ધર્મ અને સંસ્કૃતિને જાળવી સંપતિ કમાય છે, કેટલાક તો એવા છે કે જે લોકો વર્ષોથી વસવાટ કરે અને પોતે જુદા જુદા ઉદ્યોગો સ્થાપિત કરેલા છે .પોતાની આગવી વિશેષતા બતાવી છે. કેટલાક રાજકીય અને સામાજીક આગેવાનો બનેલા છે .વિદેશીમાં ગુજરાતીઓનો જુદી જુદી બાબતમાં આજે ડંકો વાગે છે. દબદબો છે. નામના છે.
ગુજરાતીઓ પરદેશમાં વસ્યા છે, તેથી જે જે દેશમાં વસ્યા છે તેની સંસ્કૃતિ તેઓએ થોડી ઘણી અપનાવી લીધી છે .તેઓની જીવનશૈલીને પણ તેઓ અનુસરે છે અને છતાં એ ગુજરાતની આગવી વિશેષતા તેઓ કદી ચૂક્યાનથી.તેઓએપોતાનાદેવદેવીઓનામંદિરો બનાવ્યા છે. દિવાળી ,નવરાત્રી ,હોળી જેવા અનેક પ્રકારના ઉત્સવો પણ ઉજવે છે. આ ઉત્સવમાં વિદેશીઓ પણ ભાગ લે છે. દેશના રાષ્ટ્રીય તહેવારો પણ તેઓ ઉજવે છે.
દર વર્ષે અને ગુજરાતી કલાકારો વિદેશમાં જઈ અને પોતાની કલા દર્શાવે છે અને વિદેશીઓને મંત્રમુગ્ધ કરે છે.
જ્યારે દેશની ઉપર આફત આવે છે ત્યારે ગુજરાતીઓ મોખરે હોય છે .હાલના કોરોનાના કાળમાં કરોડ રૂપિયાની મદદ વિદેશી ગુજરાતીઓએ ભારતની અંદર કરી છે. તે પણ પ્રશંસનીય કહી શકાય.
દુનિયાના કેટલાક પ્રદેશો તો એવા છે કે ત્યાં એટલા બધા ગુજરાતીઓ રહે છે કે વિદેશને બદલે ગુજરાત હોય તેવું લાગે છે. તેઓ પોતાના પ્રદેશનાગરીબ લોકોને શિક્ષણ ,વૈદકીય સહાય જેવી ઘણી મદદ કરે છે.
લેખક:- રતીલાલ વાયડા
નવી મુંબઈ.
[7/31, 5:10 PM] Vibhitiben Desai: વિષય:- દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓનો દબદબો, બદલાતી સામાજીક અને આધુનિક શૈલી.
પ્રકાર:- ગદ્ય
શીર્ષક:- ગરબો
શબ્દો:- ૨૦૩
નામ:- વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં બને ગુજરાત. ગુજરાતી એટલો ખમીરવંતો કે જ્યાં પણ જાય જામી જાય અને પારકાને પોતાના બનાવી દેય પોતાની સંસ્કૃતિમાં ભેળવી દેય, એનો ઉત્તમ નમૂનો એટલે આપણો ગરબો.
ગુજરાતી હોય ત્યાં ગરબો ન હોય એવું બને! પરદેશની ધરતી પર ગુજરાતીઓએ ગરબા ગાયા અને એમાં ભારતીઓની સાથે સાથે ગોરાઓ પણ ઘૂમવા માંડ્યા.
કુવૈતની ધરતી પર સતત બે વર્ષ સુધી અમારાં બિલીમોરાના એક મંડળે નવરાત્રીમાં દશેરા સુધી ધૂમ મચાવી તો બીજા એક મંડળે ન્યુઝીલેન્ડમાં.
આપણાં ગરબાની પરદેશી સરકારે પણ નોંધ લેવા માંડી. ૨૦૧૯માં હું નવરાત્રી પર ઓસ્ટ્રેલિયા હતી ત્યારે જોયું કે ત્યાંની સરકારે ગરબાનું આયોજન કરેલું. ઓનલાઈન બુકીંગ કરાવવાનું બુકીંગ હોય તો જ પ્રવેશ મળે અને એ માટે કોઈ ફી નહોતી.ત્યાંના સાંઈ મંદિરમાં પણ ગરબાનું ફ્રી આયોજન અને પછી ભોજન.આ ગરબામાં ગોરાઓને ઘૂમતા જોયા.
દશેરાના દિવસે સાંઈ મંદિરમાં રાવણદહન કરેલું ત્યાર બાદ ભોજન.
નવરાત્રી પછી એક શનિવારે કેટલાક મિત્રોએ ગરબાનું આયોજન કરેલું અને ત્યારબાદ ભોજનમાં ફાફડા જલેબી હતાં બધાંએ ભેગા મળીને ખર્ચો ઉઠાવેલો.
અંહી તો આપણે દરેક તહેવાર ઉજવીએ પરંતુ આપણાં સંતાનોએ આપણી સંસ્કૃતિ પરદેશમાં પણ જાળવીને આપણાં તહેવારો ઉજવી આપણી ગરિમા જાળવી રાખી છે. એટલે જ જ્યાં વસે ગુજરાતી ત્યાં બને ગુજરાત.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
[7/31, 5:44 PM] Dr. Manisha Vyas,AcharyaMeM.NOG: *NOGSS NO-* 0088
*વિષય-* દેશ વિદેશ અને બદલાતી સામાજિક આધુનિક શૈલી..
*પ્રકાર-* ગદ્ય
*શીર્ષક-* વિદેશની વાટે વાટલડી
*નામ-* ડૉ. મનીષા વ્યાસ
રાઠોડ પ્રવીણકુમારની આ પંક્તિઓ..
*પરિચયનાં પંખી લ્યો ઉડયાં ફરડાક દૈ.. આપણે તો ખાલી રે માળા.. હૈયાની વાત હવે હૈયામાં રાખવી રે.. હોઠોને દઈ દઈએ તાળાં..*
આજની યુવાપેઢીની વિદેશગમન તરફની આંધળી દોટને પહોંચી વળવા માબાપ પોતાનું સમગ્ર જીવન બાળકોનાં શ્રેય અને કલ્યાણ માટે નીચોવી દે છે…
ક્યારેય પ્રશ્ન થાય છે.. શું યુવાનોએ દેખાદેખીમાં વિદેશ વસવાટની દોટ લગાવી છે કે બીજું કાંઈ? કારણો અનેક છે.. તેમાંનું એક આપણો દેશ ઉગતી નવીપેઢીના પ્રખર બુદ્ધિજીવી પ્રતિભાસંપન્ન વ્યક્તિઓની આગવી તકો પૂરી પાડવામાં નિષ્ફળ નિવડ્યો છે તે પણ છે..
માબાપ બાળકોની મહત્વાકાંક્ષાઓ પોસવા અને ભાવિ જીવન સુધરવા માટે પેટે પાટા બાંધી, ઉછીનાં નાણાં કે લોનો લઈ, જમીન-જાગીર ગીરવે મૂકીને પણ પોતાનાં લાડલાંને વિદેશ મોકલી રહ્યાં છે.
અહીંથી ગયેલા અનેક પ્રતિભાસંપન્ન લોકોએ વિદેશની ભૂમિમાં પણ પોતાનું આગવું કૌશલ્ય બતાવી અનેકક્ષેત્રોમાં નામના મેળવી કાઠું કાઢ્યું છે તેનું ભારતીય હોવાના નાતે મને અનહદ ગર્વ છે.
પણ શું વિદેશની ભૂમિ પર પગ મૂકનાર દરેક વ્યક્તિ એટલો જ સફળ કે નસીબદાર છે? યૌવનમાં ડગ મુકનાર તેઓની યાતના અપાર હોય છે.. સ્વજનોની દૂરી, નવીધરતી, નવાલોકો, નવી રહેણીકરણી, નવા નિયમોમાં પોતાની જાતને ઢાળી ભણવા સાથે કમાવાની વિશેષ જવાબદારી નિભાવવાની હોય છે.
અને તેમાં ક્યાંક કોઈ અઘટિત ઘટના બને ત્યારે કેવી અસહ્ય પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે આપણે અવારનવાર છાપાં કે સોશિયલ મીડિયા થકી જાણીએ છીએ. ગેરકાયદેસર વિદેશની ભૂમિ પર જતાં આખેઆખો પરિવાર બરફની જેમ થીજી ગયો સાંભળીને આપણું લોહી ઘડીભર થીજી જાય છે. એકનોએક લાડકવાયો કોઈની ગોળીનું નિશાન બને ત્યારે હૈયું રડી ઊઠે.
માબાપનો એકનોએક લાડકવાયો દીકરો અનિમેષ (નામ બદલ્યું છે) વિદેશમાં ભણવા સાથે કમાવા ગયો. બે વર્ષમાં મા-બાપનું દેવું ચૂકતે કર્યું ને ડિગ્રી પણ બે મહિનામાં હાથવેંત હતી.. માબાપને ત્યાં બોલાવી સ્થાયી થવાનો હતો. માબાપે લગ્નોત્સુક તેના માટે કન્યા પસંદ કરીને ઓનલાઇન સગાઈ પણ કરી. ત્રણ મહિના પછી તે લગ્ન કરવા આવવાનો જ હતો.. ત્યાં જ અચાનક કોઈની ગોળીનો શિકાર બન્યો. માબાપનાં જીવતરમાં અંધકાર વ્યાપી ગયો. વિદેશની વાટ.. અનિમેષ વાટડી જોવામાં ગરકાવ બની. આંગણે મરશિયાં ખૂટતાં ન હતાં..
*ભાઈ રે.. અનિમેષ તારી વાટલડી જોઈએ ભારી..*
*તારા રે.. દીવાની વાટ આમ પરદેશમાં જઈ રે બુજાણી..*
ડૉ. મનીષા વ્યાસ
અમદાવાદ
[7/31, 5:57 PM] Bhahvati Panchmatiya.MeM.NOG: NOG SS NO.60
નામ : ભગવતી પંચમતીયા ‘રોશની’
વિષય : દેશ-વિદેશમાં ગુજરાતીઓનો દબદબો,
રહેણી-કરણી બદલાતી સામાજિક આધુનિક પરિસ્થિતિ
પ્રકાર : ગદ્ય (આર્ટીકલ)
શીર્ષક : આધુનિક રહેણી કરણી.
શબ્દો: ૨૦૦
દેશ હોય કે વિદેશ દરેક જગ્યાએ ગુજરાતીઓ પોતાનું આગવું સ્થાન બનાવી જ લે છે. જેમ વેપાર ગુજરાતીઓના લોહીમાં છે તેમ જ એકબીજામાં ભળી જવાની કળા પણ ગુજરાતીઓને હસ્તગત છે.
ગુજરાતીઓની ખાસ વાત એ કે તે બીજી પ્રજા કે દેશનાં બીજાં ભાગોનાં લોકો જોડે ભળી જરૂર જાય છે પણ તેમની પોતાની અલગ છાપ સાથે! અત્યારનાં યુગમાં વિદેશ નોકરી કે ધંધા માટે જવું અને વિદેશમાં વસી જવું એ સામાન્ય બાબત થઈ ગઈ છે. પહેલાં એવું ન હતું. ત્યારે એકબીજાં સાથે સંપર્ક જાળવી રાખવાનાં સાધનો પણ ટાંચા હતાં. તેથી વિદેશ જનાર, દેશનાં લોકો જોડે બહુ સંપર્ક જાળવી શકતાં નહીં. જયારે હવે તો ટેકનોલોજીએ બધું જ એકદમ સરળ બનાવી દીધું છે.
કોઈ વાત કરવી હોય કે મેસેજ; બધું જ આંગળીનાં ટેરવે! પરદેશ વસતાં સગાં કે વ્હાલાંની યાદ આવી કે તરત જ કોલ અને વિડીયોકોલ પણ લગાવી શકાય છે એટલે આજકાલ વિદેશ જવું સરળ થઈ પડ્યું છે. આપણા દેશનાં લોકોની આર્થિક સ્થિતિ પણ પહેલાંની સરખામણીએ વધુ સદ્ધર બની છે. યુવાનો અને નવપરણિત જોડલાઓ હવે વિદેશ ફરવા જવાનું વધુ પસંદ કરે છે. હવેની યુવતીઓ પણ લગ્ન કરીને વિદેશ વસવાનાં સપનાં જુએ છે અને માતા-પિતા તેને પૂર્ણ કરવામાં મદદ પણ કરે છે. આમ, કાળક્રમે રહેણીકરણી વધુ આધુનિક થતી જાય છે તેમ કહી શકાય.
ભગવતી પંચમતીયા ‘રોશની’
[8/1, 10:19 AM] Hemlatta Divecha.MeM: NOG SS NO. 0037
વિષય – શ્રાવણ… શિવજી….
વિભાગ – પદ્ય. (ધૂન )
શીર્ષક – શ્રાવણ માસે.
નામ – હેમલતા દિવેચા ” હેમ ”
શ્રાવણ માસે, સોમનાથ ધામે,
ભાવથી ભજશો, ભોળાનાથ જાગશે,
દર્શન કરો તો બેડો પાર,
સૌ લોક દર્શને આવજો….!
શ્રાવણ માસે સોમનાથ ધામે….!
હરી અને હર જ્યાં સંગે બિરાજે,
મહાસાગર અભિષેક કરે,
બોલો ૐ હર હર મહાદેવ,
સૌ લોક દર્શને આવજો….!
શ્રાવણ માસે સોમનાથ ધામે…!
કપીલા,સરસ્વતીને હિરણ આવે,
આવી,હરી,હરના ચરણ પખાળે,
આવો અદ્ભૂત ત્રિવેણી સંગમ,
સૌ લોક દર્શને આવજો…..!
શ્રાવણ માસે સોમનાથ ધામે…!
દર્શન કરે તેનાં કષ્ટ હરી હરશે,
દેવોના દેવ,મહાદેવ,
સૌરાષ્ટ્રે પ્રથમ જ્યોતર્લિંગ,
સૌ લોક દર્શને આવજો…!
શ્રાવણ માસે સોમનાથ ધામે…!
ધરા અલૌકિક સૃષ્ટિમાં એક છે,
હરી અને હરનો કણ કણમાં વાસ છે,
ભવસાગર તરી જવાય,
સૌ લોક દર્શને આવજો…!
શ્રાવણ માસે સોમનાથ ધામે…!
હેમલતા દિવેચા ( હેમ ) જૂનાગઢ.
[8/1, 11:35 AM] Bharat Sanghaani.MEM (Kaushik Shah): NOG:SS:NO.:0101
વિષય: શ્રાવણ…..શિવજી…..
વિભાગ : ગદ્ય લેખ
શબ્દો : ૩૯૩
શીર્ષક : *શિવ મહિમ્ન સ્તોત્રની કથા અને તેનો ભાવાર્થ.*
*ભરત સાંગાણી*
શિવભક્ત પુષ્પેન્દ્ર ગંધર્વ હતો. એકવાર જ્યારે તે પૃથ્વી પર ફરતો હતો ત્યારે તેણે રાજા ચિત્રરથ દ્વારા નિર્મિત સુંદર ઉપવન જોયું.
ત્યાં રાજા રોજ આવતો અને શિવની પૂજા માટે ત્યાંથી સુંદર ફૂલો ચૂંટીને લઈ જતો. પુષ્પેન્દ્ર ગંધર્વ સુંદર ફૂલોથી આકર્ષાય રોજ ચૂંટવા લાગ્યો. રાજા બગીચામાં ફૂલો ચૂંટાયેલા જોઈ અચંબામાં પડી ગ્યો. કોણ આવું કાર્ય કરે છે?
પુષ્પેન્દ્ર પાસે અદશ્ય થવાની શક્તિ હતી તેથી તેને કોઈ જોઈ શકતું ન હતું.
રાજાએ ચોરને પકડવા તરકીબ કરી તેણે બગીચામાં ચારે બાજુ બીલી પત્રો વેરી દીધા આ વાતથી અજાણ પુષ્પેન્દ્રના ચરણો બીલીપત્રો પર પડ્યાં. તેથી શિવ ગુસ્સે થયાં અને ગંધર્વની અદશ્ય રહેવાની અલૌકિક શક્તિ છીનવી લીધી.
પુષ્પેન્દ્ર શિવનો ઉત્તમ ભક્ત હતો તેને પોતાની ભૂલ સમજાઈ. શિવની ક્ષમાયાચના કરી.ભોળા શિવે તેને ક્ષમા આપી.
તે પછી પોતાની ભૂલના પ્રયશ્ચિત રૂપે શિવની પ્રાર્થના કરવા શિવમહિમાનું તેંતાલિશ સ્તોત્ર/ શ્લોકોની રચના કરી.
શિવ મહિમ્ન સ્તોત્રનો ભાવાર્થ:
શિવનું માહત્મ્ય શબ્દો દ્વારા કરવું કઠિન છે. શિવના ગુણગાન કોણ કરી શકે. શિવ આદિને અંત રહિત પરમાત્મા છે. એમને વંદન કરું છું.
આ સ્તોત્રના વાંચન મનનથી વાણી શુદ્ધ થશે અને બુદ્ધિનો વિકાસ થશે.
બધાં વેદ અને સત્વ, રાજસ, તમસ ગુણોને આપે જ પ્રકાશિત કર્યા છે.
હે શિવ આ સૃષ્ટિના સાતે લોકના કર્તા તમે છો.
હે શિવ સત્યને પામવા જુદા જુદા માર્ગો છે. પણ અંતેતો સૌ માર્ગો તમારી તરફ લઈ જાય છે.
હે શિવ તમે ઈચ્છા રહિત અને પોતાનામાં ધ્યાન મગ્ન છો.
નિત્ય અનિત્ય સંસારની દ્વિધામાં અટવાયેલાઓ માટે આપની ભક્તિ જ ઉત્તમ છે. તે ક્યારેય વિફળ થતી નથી.
રાવણે તમારી ભક્તિને વશ થઈ તેના એક એક કરતાં દસ શિર તમારે ચરણે ધરી દીધાં હતાં.તેને આપે ઉત્તમ વરદાન આપ્યાં એ જ રાવણ જ્યારે અહંકાર યુક્ત થઈ ગયો ત્યારે તેને અંગુઠા નીચે દબાવી દીધો હતો. પછી આપની શરણાગતિમાં આવ્યો ત્યારે મુક્ત થયો.
હે શિવ! સમુદ્રમંથન વખતે તમે જ સંસારની રક્ષા માટે તમે જ કાલકુટ વિષનું પાન કર્યું. ત્યારથી તે તમારા કંઠમાં નિષ્ક્રિય થઈને રહ્યું છે.તેથી તમે નીલકંઠ કહેવાયા.
હે નટરાજ! જ્યારે તમે સંસાર કલ્યાણ માટે તાંડવ કરો છો. ત્યારે સારી સૃષ્ટિ ભયભીત થઈ જાય છે.
હે શિવ! સ્વર્ગમાંથી નીચે ઉતરતી ગંગાને આપે જટામાં ઝીલી પૃથ્વી પર આહીસ્તા મૂકી દીધી.
હે શિવ! તમે જ કર્મ અને ફલની સૃષ્ટિ બનાવી છે. આ સંસારનો સર્વ આનંદ જ આપ છો. હે શિવ તમે જ પંચ મહાભૂત તત્વો છો.
સૃષ્ટિમાં એવું કશું નથી જેમાં આપ વ્યાપ્ત ન હો. તમે ગુણોથી અતિત છો.
જે આ સ્તોત્રનો નિયમિત પાઠ કરશે તે તેના જીવન દરમ્યાન ખૂબ સુખ અને સમૃદ્ધિ ભોગવશે, અને શિવધામને પ્રાપ્ત કરશે.
*ભરત સાંગાણી*
[8/1, 5:26 PM] meghna.MeM: NOG SS NO : 117
વિષય : શિવજીનું મનુષ્યલોક માં મહત્વ
‘ શિવ, શ્રાવણ અને સ્ટેટસ..’
શ્રાવણ મહિનો બેસ્યો નથી કે, લોકો ના સ્ટેટસ મા ભગવાન શિવજી દેખાયા નથી.ભગવાન પણ વિચારતા હશે કે, મારા આટલા ભક્તો ક્યાંથી ફૂટી નીકળ્યા ? એક જમાનો હતો જ્યારે ઋષિમુનિઓ અખંડ જાપ અને તપસ્યા કરીને પ્રભુને મનાવતા અને વરદાન માંગતા.અને હવે ? લોકો સ્ટેટસ મૂકવામાં થી ઉંચા આવે તો જાપ અને તપસ્યા કરેને ? જાણે કેમ વધુ સ્ટેટસ મૂકશે તો ભગવાન ખુશ થઈને વરદાન આપવા આપશે !! લોકોએ ભગવાન ને સોશિયલ મીડિયા પર ફોલોવર્સ વધારવાનું બહાનું બનાવી દીધા છે. આ સ્ટેટસ મુકવા, મંદિરે જઈને ભગવાનના ફોટો પાડી અને તેને સ્ટેટસ માં મુકવા, happy shravan ના ફોટો અને વીડિયો એકબીજાને મોકલવા..શું આ જ છે ભગવાન ની ભક્તિ ?
જો માનો તો પ્રભુ તો આપણી અંદર માં જ રહેલા છે.એમને કોઈ ડીપી,સ્ટેટસ કે રીલ ની જરૂર નથી. એમને તો જરૂર છે માત્ર તમારા શુદ્ધ ભાવ અને શુદ્ધ મન ની.યુવાનો પોતાની ભક્તિ દેખાડે છે એ સારી બાબત છે. પણ, યુવાનો ને શ્રાવણ મહિના મા જ ભગવાન શિવ ની કેમ આરાધના થાય છે એની ખબર છે?
શ્રાવણ મહિના નું નામ શ્રવણ નક્ષત્ર પરથી પડ્યું છે.આ મહિનાની પૂનમના દિવસે ચંદ્રમા શ્રવણ નક્ષત્ર માં હોઇ છે.શ્રવણ નો અર્થ થાય છે, સાંભળવું. એટલે જ આ મહિના મા ધાર્મિક ગ્રંથો ને સાંભળવામાં આવે છે.પ્રભુ ભજન નું શ્રવણ કરવામાં આવે છે.
એક પૌરાણિક કથા પ્રમાણે એવું પણ કહેવાયું છે કે,શ્રાવણ મહિના મા જ સમુદ્રમંથન થયું હતું.જેમાંથી નીકળેલા વિષને ભગવાન શિવ એ પોતાના કંઠ માં ગ્રહણ કર્યું હતું.અને આ સમગ્રસૃષ્ટિ ને બચાવી હતી.વિષનો પ્રભાવ ઓછો કરવા બધા દેવી – દેવતાઓ એ ભગવાન શિવ પર ઠંડુ પાણી રેડ્યું હતું. અને એટલે જ શ્રાવણ મહિના માં ભગવાન શિવ નો જળાભિષેક કરવાનું મહાત્મ્ય છે.
એવું પણ કહેવાય છે કે, દક્ષ પુત્રી માતા સતી એ પોતાનું જીવન ત્યાગ કરીને હજારો વર્ષો સુધી શ્રાપિત જીવન વિતાવ્યું હતું. અને ત્યારબાદ તેમને હિમાલયરાજ ના ઘરે પાર્વતી સ્વરૂપે જન્મ લીધો.પાર્વતી એ શિવ ને પતિ સ્વરૂપે પામવા શ્રાવણ મહિના મા જ તપસ્યા કરી હતી. જેનાથી પ્રસન્ન થઈ ને ભગવાન શિવજી એ તેમની મનોકામના પુરી કરી અને માતા પાર્વતી ને તેમની પત્ની સ્વરૂપે સ્વીકાર્યા.
– મેઘના કામદાર
( અમદાવાદ )
[8/1, 10:41 PM] Bhavana R.MeM: NOG SS No. 111
વિષય: શ્રાવણના સરવૈયા
વિભાગ: ગદ્ય
શીર્ષક: શિવોહમ્ શિવોહમ્ :જીવ તે જ શિવ
રચના:
‘શિવ’ એટલે કલ્યાણકારી અને મંગલકારી. શિવ એટલે સાદગી,ભોળપણ. ભોળાનાથ શિવ જળ અભિષેક,બિલીપત્ર થી જ ખુશ થઈ જાય છે. તેમની પૂજા કરવાની રીત ખૂબજ સાદગીભરી છે. ત્રણ પાન વાળું બિલીપત્ર ત્રણ ગુણો અને ત્રિનેત્ર નું પ્રતીક છે.
શિવ અજન્મા એટલે અનાદિ અને અનંત છે. તેઓ દેવોનાં પણ દેવ એવા મહાદેવ છે. પ્રથમ ગુરુ છે.યોગી છે.તેઓ નિરાકાર પણ છે અને સાકાર પણ છે.તેઓ નિર્વિકાર છે તેથી જ ભસ્મને શરીરે ધારણ કરેછે.તેઓ કલ્યાણકારી છે તેથી જ હળાહળ વિષ પી જઈને કંઠે ધારણ કરી બધાનું કલ્યાણ ઈચ્છે છે.તેઓ ઐશ્વર્ય, જ્ઞાન, વૈરાગ્ય, શાંતિ પ્રદાન કરવાવાળા છે.
શિવ પૃથ્વીના આરંભમાં પણ હતાં.પાલનકર્તા પણ છે. સંહાર સમયે તાંડવનૃત્ય પણ કરેછે. તેમનાં તાંડવનૃત્યથી સૃષ્ટિ પણ થંભી જાય છે. આવા આ વૈરાગ્યના દેવ શિવને ભજીને આપણે એટલે કે જીવાત્મા એ પોતે જ શિવરુપ થવાનું છે કારણકે દરેક જીવાત્મા શિવનો જ અંશ છે.જે સ્વયં જ્ઞાની અને પ્રકાશમય છે. જરૂર છે તેને ઓળખી અને ‘શિવોહમ’ બનવા તરફની ગતિ કરવાની છે.
શિવનું સ્વરૂપ આપણને સૂચિત કરેછે કે તેમના મસ્તક ઉપર ધારણ કરેલી ગંગા – જે અજ્ઞાનતા નો અંત, જ્ઞાન અને શાંતિનાં ઉદયનુ પ્રતીક છે.તેમની બાંધેલી જટા- મન, શરીર અને ચેતનાનું ઐક્ય દર્શાવે છે.ગળા ઉપરનો સર્પ -અહંકાર ને કાબુમાં રાખવાનું ,નીલકંઠ -ગુસ્સા પરના કાબૂ નું, હાથમાં ધારણ કરેલું કમંડળ- શરીરમાં રહેલાં દુષ્ટ તત્વોનું નાશ કરવાનું , ત્રિશૂળ – મન, બુદ્ધિ અને અહંકારને વશમાં રાખવાનું પ્રતીક છે. શરીર પર ચોળેલી ભસ્મ દર્શાવે છે કે જગતની દરેક ચીજ, માનવશરીર પણ નાશવંત છે.શિવનુ ત્રીજું નેત્ર -જે દ્રશ્યમાન છે તેનાથી ઉપર જઈને મનરૂપી આંખથી જોવાનું સૂચવે છે. હસ્તસ્થિત ડમરુ -શરીરની દરેક ઈચ્છાશક્તિ નાં ત્યાગનું અને ધ્યાનસ્થ મુદ્રા શાંતિ-સ્વસ્થતા નું પ્રતીક છે.
શિવ માનસ પૂજા સ્તોત્ર અનુસાર શંભુ જ આત્મા છે. બુદ્ધિ પાર્વતી છે.પ્રાણ શિવગણ છે.શરીર મંદિર છે. સંપૂર્ણ વિષય ભોગની રચના શિવપૂજા છે. નિદ્રા સમાધિ છે. ચાલવું- ફરવું એ જ પરિક્રમા છે. સંપૂર્ણ શબ્દ શિવસ્તોત્ર છે. આ પ્રકારે માનવી જે જે કાર્ય કરે છે તે સર્વ શિવ આરાધના જ છે.
જે જીવાત્મા અનાદિ , અનંત અને અમર એવાં શિવનાં શરણમાં જવાનો પ્રયત્ન કરશે તો ભોળાનાથ જરૂર પોતાનાં રક્ષણ નીચે દરેક જીવાત્માને લેવાની કૃપા કરશે.
‘જય શિવ શંભો’ ‘હર હર મહાદેવ’.
✍️ ભાવના આચાર્ય દેસાઈ ‘ભાવુ’
૦૨/૦૮/૨૦૨૨
[8/2, 9:54 AM] R S. Vyas.MEM: NOG SS NO : 0112
વિષય : શ્રાવણ,,,, શિવજી
પ્રકાર : શિવ વંદના
શીર્ષક :કૃપા કરી આશિષ આપો
રાગ : શંભુ શરણે પડી,,,
શિવને વંદન કરુ, ચરણે અરજ કરુ,,,,,, શરણુ આપો,
કૃપા કરી કિરતાર આશિષ આપો,,,
હુ તો અહમ વહેમનો વાસી, કુડા કળયુગથી ગયો ત્રાસી,
અમ પર દયા કરો, થોડી રહેમ કરો,,,,, દુઃખડા કાપો,,
કૃપા કરી કિરતાર આશિષ આપો
હુ તો મિથ્યા જગતનો છુ વાસી, મોહમાયામાં થયો હુ વિલાસી.
અમ પર નજરુ કરો, દિલમાં દયા ધરો,,,,, રુદિયે રાખો,,,,
કૃપા કરી કિરતાર આશિષ આપો
હુ તો મુખેથી જપુ છુ તુજ નામો, હશે ભૂલોથી ભરેલા મારા કામો,
મિથ્યા બહુ રે મથ્યો, જગમાં બહુ રે ઘુમ્યો,,,, રાહ બતાવો,
કૃપા કરી કિરતાર આશિષ આપો.
હુ તો ભટકી રહ્યો છુ બહુ ભયમાં,
મારી મતિ ફરે છે ભ્રમણમાં
” રાજેશ ” શરણે રહે, મિથ્યા બહુ ન ભમે,,,,, માફી આપો,,,
કૃપા કરી કિરતાર આશિષ આપો
શિવને વંદન કરુ, ચરણે અરજ કરુ,,,,,,, શરણુ આપો
કૃપા કરી કિરતાર આશિષ આપો
રચિયતા,,,,,,
રાજેશભાઇ એસ વ્યાસ “રાજ ”
ધ્રુવનગર,,,,,,,, મોરબી
[8/3, 3:54 PM] A Nishant Mother.MeM.NOG: NOG SS 0092
પ્રકાર :- પદ્ય
શિર્ષક:- મહાદેવ
ગંગાની અસ્ખલિત ધારાઓને,
ધરા પર અવરોહણ કોણ કરાવી શકે તુજ વિના?
ના તુજથી કોઈ દેવ બળિયો,
ના દેવત્વ સમર્થ તુજ વિના.
દેવોમાંય તુ મહાદેવ કહેવાયે,
ત્રિલોકમાં બળિયો કોણ તુજ વિના?
તોય એક લોટા જળથીય તું રીઝે,
દીનાનાથ ના કોઈ તુજ વિના.
ના રાજમહેલ કે ના જાહોજલાલી,
સ્મશાનવાસી ને ભૂતોની ટોળી ખાલી.
છતાંય ભક્તોની ભીડ સદાયે ભાંગી,
ભોળો ભંડારી ના કોઈ તુજ વિના.
ના સ્વર્ણ અલંકાર કે રેશમી વાઘા અંગે,
ભભૂતિ ચોળે તું સર્વે પ્રસંગે.
છે સર્પ ને મુંડમાળા ગળે ધારી,
વ્યાઘ્રામ્બરધારી ના કોઈ તુજ વિના.
આંકડાના ફૂલની માળે તું રાજી,
ભાવે તને પેલી ધંતુરાની ભાજી.
હંમેશા ભક્તો પર રાજી- રાજી,
આવું નિ:સ્પૃહી ના કોઈ તુજ વિના.
નંદીની સવારી એ તું સોહાયે,
અર્ધનારેશ્વર બની તું પૂજાયે.
ગણેશ ને કાર્તિકેય વિના ના દેખાયે,
પરિવારપ્રેમી ના કોઈ તુજ વિના.
સૃષ્ટિનો તું પાલનકર્તા,
જગ કાજે કંઠે વિષ ધરતા.
ખીજે તો તાંડવ નૃત્ય કરી સંહાર કરતા,
વિધ- વિધ રૂપ ધરનાર ના કોઈ તુજ વિના.
શ્રાવણ તારાથી પૂજાયે,
ઘર- ઘર ઓમ નમઃ શિવાય રટાયે.
તારા નામથી કાળ પણ દૂર જાયે,
‘મહાકાલ’ ના કોઈ તુજ વિના.
અલકા નવિનચંદ્ર મહેતા
ગાંધીનગર
૦૩/૦૮/૨૨.
[8/3, 5:56 PM] Ratibhai Vaayada.NOG.MEM..Bombay Puja Kanani.Mithapur: N.O.G. S. S. No. 0102.
નામ:- રતીલાલ વાયડા
વિષય:- શ્રાવણના સરવૈયા.
પ્રકાર:- ગદ્ય . (લેખ.)
શીર્ષક:- શિવ મહિમા.
તારીખ:- ૩/૮/૨૦૨૨. બુધવાર.
રચના:-
ભગવાન શંકર સ્વયંભૂદેવ છે .તેની આરાધના લાખો વર્ષોથી થતી રહી છે. તે ભોળા દેવ છે અને ભક્તો ઉપર જલ્દી રીઝી જાય છે.ભક્તોને વરદાન આપે છે
શ્રાવણ મહિનામાં ભગવાન શંકરની અનેક રીતે પૂજા અર્ચના કરવામાં આવે છે .શિવ મહિમા નું વર્ણન શિવ પુરાણ કથા , શિવ મહિમ્ન સ્તોત્ર તેમજ રુદ્રી પાઠમાં કરવામાં આવેલું છે. મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવામાં આવે છે.
શિવલિંગની પૂજા કરવામાં આવે છે. તે સ્ફટિક પથ્થર, લાકડું ,લોટ ,પારો, વગેરે સ્વરૂપમાં પણ હોય છે. દરેક સ્વરૂપની પૂજા અલગ અલગ હોતી હોય છે.
તેની પંચામૃત, ફળ અને ફળના રસ દ્વારા તેમ જ ધાન્ય દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે છે. દરેકનું અલગ અલગ ફળ મળે છે .પુત્ર પ્રાપ્તિ ,સંપત્તિ, ઐશ્વર્ય, વિદ્યા ,ભૌતિક સુખ, દુઃખ દર્દનું નિવારણ વગેરે માટે અલગ અલગ પ્રકારની પૂજા શ્રાવણ મહિનામાં લોકો કરતા હોય છે.
ભારતમાં બાર જેટલા જ્યોતિર્લિંગો છે.
દરેકનું અલગ અલગ મહત્વ અને ફળ છે .ભક્તોએ આ બધા ના દર્શન કરવા અને આશીર્વાદ લેવા એ જરૂરી છે.
શ્રાવણ માસમાં ભક્તો ભગવાન શંકરની અનેક રીતે પૂજા અર્ચના કરતા હોય છે. કેટલાક ઉપવાસ કરે છે .એક ટાઈમ જમે છે. ભગવાન શંકરના દર્શન રોજ કરે છે. સોમવારે બધા શિવ મંદિરોમાં મેળો ભરાતો હતો હોય છે .આમ શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ છે.
લેખક:- રતીલાલ વાયડા
નવી મુંબઈ.
[8/3, 6:20 PM] Pravina Kadakiya.MeM NOG Houston: SSN 0089
વિષય શિવ શંભુ
શીર્ષક ભોલેનાથ
પદ્ય
——
ભલે હું ભોલેનાથ ભોળો ન માનશો
ચબરાકી સાથે ચાલુ ભક્ત સંગે ભોળો
—
જટામાં ધરું ગંગા ગળે વિંટાળું નાગ
બંને વચ્ચે સમતુલા છું હું જગનો નાથ
—
કાર્તિકેય ગણેશ મારા પ્યારા છે બાળ
જગમાં સહુ ભાવિક ભક્તોને કરું લાડ
—
ડમ ડમ ડમરુ વાગે ક્રોધે કરું તાંડવ
શિવરાત્રીએ ભક્ત સંગ ભાંગ ચડાવું
—
કપાળે ભસ્મ ઘસું હાથે ત્રિશૂળ ધરું
શરણે આવેલ કાજે હૈયે હિત ધરું
—
નામ રુપ ઝુઝવાં પામું સદા ઉમાનો સંગ
દંપતી સદા સમરો તમને ચડે ન દુજો રંગ
—
શ્રાવણે પામો શંકર કાનાના આશિષ
ભોલેનાથ મોહનની કૃપા સદા પામીશ
—
પ્રવિણા કડકિઆ
[8/4, 7:46 PM] Ramila Makvaana.MeM.: NOG સાહિત્ય સરિતા
No. 12o
વિષય: શંભુ ભોળા
પ્રકાર : પદ્ય ( અછાંદસ)
શિર્ષક : શ્રાવણ માસમાં
*શ્રાવણ માસમાં*
શંભુ પધારો મારે ઘેર શ્રાવણ માસમાં,
વાટડી હું જોવું દિન -રાત શ્રાવણ માસમાં.
બિલીપત્રો ચડાવું તમે શિર શ્રાવણ માસમાં,
કંકુ ચોખા ને દૂધળા લાવી શ્રાવણ માસમાં.
નિત સવારે ભજુ ભોળાનાથ શ્રાવણ માસમાં,
અખંડ દિપક જલતો રાખુ શ્રાવણ માસમાં.
શેષનાગ ગળે લગાડીને આવો શ્રાવણ માસમાં,
હાથમાં ડાક-ત્રિશૂળ ધરી આવો શ્રાવણ માસમાં.
વિષને પિનારા ભોળાશંભુ આવો શ્રાવણ માસમાં,
દેવોના દેવ મહાદેવ શંકર આવો શ્રાવણ માસમાં.
મા પાર્વતી ઉમા પતિ પધારોને શ્રાવણ માસમાં,
*રમા* તારા દર્શનની પ્યાસી આવો શ્રાવણ માસમાં.
રમીલાબેન ડી મકવાણા *રમા*
લાડુલા તા ભાભર જિ બનાસકાંઠા
[8/4, 11:57 PM] Ghanshyam Nayak.MeM.NOG �ાઈ: NOG સાહિત્ય સરિતા
NOG ૦૦૧૩
વિષય: શ્રાવણના સરવૈયા
પ્રકાર: અછાંદસ
શીર્ષક: ભમ ભમ ભોલે
ભમ ભમ ભોલે બાબા
તારો જ છે આધાર
સાંભળ મારી પુકાર
હે ભમ ભમ ભોલે દાતાર.
ભગીરથ કાજે ગંગાનું
કર્યું તે અવતરણ.
કેવો મહિમા તારો અપાર
હે ભમ ભમ ભોલે દાતાર.
સર્પોની માળા ગળામાં શોભે
અને હાથમાં રુદ્રાક્ષની માળ
તાંડવ નાચી ડમરુ વગાડે
તારો મહિમા અપરંપાર.
પર્વતની ઊંચી ટોચ પર
બેસીને તું ધૂણી ધખાવે.
સ્મશાનની રાખ ચોળીને
તું અલખની ધૂન જગાવે.
બદ્રીનાથ, કેદારનાથ,
અમરનાથ અને સોમનાથ
તુજ વિણ કોણ થશે નાથ
કોણ પકડશે અમારો હાથ ?
તારા ચરણોમાં મળે આધાર
બસ “શ્યામ” કરે છે પોકાર.
હે ભમ ભમ ભોલે દાતાર
તારો મહિમા અપરંપાર.
ઘનશ્યામ વ્યાસ
“શ્યામ”
[8/5, 11:15 AM] Muktida Oza.MeM: Nog no-106. સાહિત્ય સરિતા-ગ્રુપ
Nog સાહિત્ય સરિતા ગ્રુપ
પ્રકાર:-ગદ્ય
વિષય:- શ્રાવણના સરવરિયા
શીર્ષક:-એક ચપટી ભભૂત”
શબ્દ:-100
—-
શ્રાવણમાં શિવજીનો મહિમા
શિવ/પાર્વતીની વાતો થી જ શ્રાવણ ની સાધના થાય..
એકવાર દેવલોકમાં મીઠો ઝઘડો જામ્યો. માતા લક્ષ્મીજી અને માતા બ્રમ્હાણીએ માતા પાર્વતીજીને ચઢાવ્યા કે તેઓ દેવોના દેવ મહાદેવના ધર્મ પત્ની હોવા છતાં તેમના માથે ઘરેણા કે આભૂષણ નામની કોઈ ચીજ નથી તો તેની સાથે અન્યાય થઈ રહ્યો છે, ત્યારે માતા પાર્વતી તેમની વાતમાં આવી જઇને મહાદેવ પાસે ગયા અને મહાદેવને કહ્યું કે
“હે સ્વામી.. તમે દેવોના દેવ મહાદેવ અને જગતના પિતા હોય ત્યારે હું તમારી પત્ની મને આભૂષણના નામે એક પણ વસ્તુ કેમ નહીં તો હું તમારા થી નારાજ છું. મને જ્યાં સુધી આભૂષણ ઘરેણા નહીં કરાવી આપો ત્યાં સુધી હું તમારી સાથે વાત નહીં કરું.”
ત્યારે મહાદેવે જરાક હસીને માતા પાર્વતીને કહ્યું
*”હે દેવી.. આ લ્યો.. આ ચપટી ભભૂત લઈને તમે આપણા કુબેર પાસે કુબેરજી પાસે જાઓ અને તેમને કહેજો કે આ ચપટી ભભૂત ના બદલામાં જેટલા પણ ઘરેણા આભૂષણ આવે તે મને આપી દો.”*
ત્યારે માતા પાર્વતી થોડા ગુસ્સે થઈને મહાદેવ ને કહ્યું
*”હે સ્વામી.. તમારે મને આભૂષણ ન આપવા હોય તો કાંઈ નહીં પણ મને નીચા જોયા જેવું થાય તેવું મહેરબાની કરીને ના કરો.”*
ત્યારે મહાદેવ થોડા સ્મિત સાથે માતા પાર્વતીને કહ્યું *”હે દેવી.. તમે એકવાર જાવ તો ખરા.”*
ત્યારે માતા પાર્વતી થોડા ગુસ્સા સાથે કુબેરજી પાસે આવ્યા અને કહ્યું
*”હે કુબેરજી.. મહાદેવ ની આજ્ઞા છે કે આ ચપટી ભભૂત ના બદલામાં જે કંઈ પણ આભૂષણો આવે તે મને આપી દો.”*
પછી કુબેરજી એ ચપટી ભભૂત ને ત્રાજવાના એક પલડામાં મૂકી અને બીજા પલડામાં પોતાના ભંડારમાંથી એક પછી એક આભૂષણ મૂકવા લાગ્યા. કુબેરજી નો તમામ ભંડાર ખાલી થઈ ગયો પણ ત્રાજવા નું પલડું જરા સરખું પણ ના ડગ્યું.
👉 ત્યારે માતા પાર્વતીના આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા અને તરત જ દોડતા મહાદેવ પાસે આવ્યા અને મહાદેવને કહ્યું
*”હે સ્વામી.. મને ક્ષમા કરો, મને નહોતી ખબર કે આ દુનિયામાં જીવસૃષ્ટિમાં કે દેવલોકમાં જે વસ્તુ તમારી પાસે છે એ કોઈની પાસે નથી.”*
એટલે જ કહેવાયું છે કે..
*”બખાન* *ક્યા* *કરું* *મૈ* *લાખો* *કે* *ઢેર* *કા,*
*ચપટી ભભૂતમેં હૈ ખજાના કુબેરકા”…..*
[8/5, 11:51 AM] Prafulla Prasanna: N G O સાહિત્ય સરિતા (૧)
N. G. No. — 39
વિષય — શિવ શંકર
શીર્ષક — નીલકંઠ
શબ્દો — ૧૫૪
આખા બ્રહ્માંડમાં શિવ થકી શિવ થયો,
વિવિધ રસ ચાખવા અનેક જન્મો ધર્યા,
સત્ય છે એ જ શિવ, શિવ એ જ સુંદર,
ઘાટ સહુનાં જુદાં, પણ હેમનું હેમ છે.
ડમડમ ડમરું વાગે ને તાંડવઃ કરે શિવ!
નાગદેવ ભરાવી ગળે નર્તન કરે શિવ!
ડોકે ધરી રુદ્રમાળા, માથે લાંબી જટા!
ઝીલે ગંગાની ધારા, રૌદ્ર સ્વરૂપ શિવ,
અંગે ચોળી ભસ્મ, ભાલે લાબું તિલક!
પીધું પ્રેમથી વિષ ને કંઠે રંગ નીલો ભૂરો!
બિરાજે વાઘ ચર્મ પર, હાથમાં ગ્રહી ત્રિશુલ!
કૈલાશ પર જમાવ્યું અડગ આસન.
અંગે ભભૂતિ ને પયપાન કરે ભાંગનું,
રૂપ એના જૂજવાં તો ય એ અનંત,
સર્જન અને વિસર્જન શિવ એ જ અંત,
નિરંકારી ને ગુરુ, ભાવિ ને શિવ ભૂત.
કંઠે વિષ ધરી આપે જે અમૃત વળી,
દુઃખ, કષ્ટ ભક્તોના કાપે ઘડી ઘડી!
દેવ ને તત્વ શિવ, પવન ને પાણી શિવ
ભૂમિ શિવ, વૃક્ષ શિવ એક શ્રી હરિ શિવ!
ૐ શિવ, જીવ શિવ, શૂન્યમાં શબ્દ શિવ!
જળમાં શિવ, સ્થળમાં શિવ, આભ ને ધરામાં શિવ!
*પ્રફુલ્લા”પ્રસન્ના”*
અમદાવાદ
[8/5, 5:12 PM] Leena Sharma.MeM: NOG.SS.No.0098
વિષય:- શ્રાવણ ના સરવરિયા
શીર્ષક:- બાર જ્યોતિર્લિંગ ના સ્મરણ
પ્રકાર:- પદ્ય
” બાર જ્યોતિર્લિંગ ના સ્મરણ”
કાશી મધુવન થઈ જાય,
વિશ્વનાથ ધડકન થઈ જાય!
નયનો માં મહાકાળ બસે તો,
સંન્યાસી આ મન થઈ જાય!
સોમનાથના કરીએ સ્મરણ,
મલ્લિકાર્જુન તન થઈ જાય!
મમલેશ્વરના ધ્યાન કરીએ,
વૈધનાથ આંગન થઈ જાય!
ભીમાશંકરના થાય દર્શન તો,
નારેશ્વર તપોવન થઈ જાય!
ત્રયંબકેશ્વર હો નયનોમાં,
ઘુશમેશ્વર અંજન બની જાય!
રામેશ્વરમાં રામ મળે તો,
રજ કેદારનાથ બની જાય!
|| ઓમ નમઃ શિવાય||
💐 💐 🙏💐💐
✍️
લીના શર્મા
હાલોલ..
**********************************
Janfariyadnews.com ચેનલ ન્યૂઝ લિંક
[7/25, 6:16 PM] minaxi raval: https://youtu.be/B7iNHtbUOJ8
દેશના 15 માં રાષ્ટ્રપતિ પદે આદિવાસી દ્રૌપદી મુર્મુ / શપથ વિધિ @Janfariyadnews 📰 25July 2022
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવન ખાતે ટ્રાઇ સર્વિસ ગાર્ડ ઓફ ઓનર/નિરીક્ષણ @Janfariyadnews 📰
[7/25, 8:23 PM] minaxi raval: https://youtu.be/_mZgUylJ7-c
[7/27, 8:24 PM] minaxi raval: https://youtu.be/Eisf9sCfIX4
[7/30, 1:50 AM] minaxi raval: https://youtu.be/VQQrWrj0UiU
[8/3, 3:41 PM] minaxi raval: https://youtu.be/fBx7MHtuk0Y
ભાઈઓએ મળીને રામાયણની ચોપાઈને સરળ રીતે રજૂ કરી / Ramayan Chaupai @Janfariyadnews 📰5 August 2022
અમદાવાદનાં રહેવાસી જડી બા 70 વષૅની ઉંમરે પણ નોકરી કરી આત્મનિર્ભર 🙏 @Janfariyadnews 📰 6 August 22
જૂનાગઢ દીકરીના જન્મ વખતે જ પત્નીનું નિધન થતાં વાજતેગાજતે અંતિમયાત્રા કેમ નીકળી? @Janfariyadnews 📰
https://youtu.be/bHng1usTR7k