[8/6, 2:10 AM] Dr.Aniruddh Vyas.MeM.0082NOG: N O G : S S 0082,
શીર્ષક : શિવ અર્થાત શુભ એવમ્
કલ્યાણકારી,
વિષય : શ્રાવણનુ માહાત્મ્ય ,
હિંદુઓ માટે શ્રાવણ માસ એક પુણ્ય કમઁ પ્રાપ્તિ માટે દેવાધિદેવ
મહાદેવ દ્વારા “સુચિત અવધિ” એટલે શ્રાવણ માસ,
મહાદેવ મય બનીને ભક્તિ રુપી ઊર્જા ને શરીર અને મનમાં ગ઼હણ
કરી આધ્યાત્મને મેળવવા ઉચ્ચતમ માર્ગથી ગ઼હણ કરવાનીઅવધિ એટલે શ્રાવણમાસ
સમગ્ર બ઼હમાંડની યુતિ , રાશિફળ,
અવધિ,અને ચક્ર ગતિ ,આ પુણ્યમાહય દરમિયાન પ઼બળ શક્તિથી વાચકને પુણ્યકમઁ પ઼ાપત
થાય છે,
પ઼ભુમય બનીને પ઼ભુને પામવામાટે
શ્રાવણ માસ સ્વયંભુ પવિત્રછે,
ભોળા નાથને પામવા માટે, અને સૃષ્ટિના રચયિતાને ભોળાભાવે
રિઝવવા માટે શ્રાવણમાસ એક ઉત્તમ સમય અને પ્રાકૃતિક સમય છે ,
જોજન દુર બિરાજમાન ભોળા ભગવાન આપણા અંતરમનમા
પ઼વેશી ઊર્જા ઉત્પન્ન કરી દરેકમનુષ્યને આ માનવદેહના
કલ્યાણ અર્થે આ સ્થુળ શરીરને
સજીવન કરેછે,
ડોકટર અનિરૂદ્ધ વ્યાસ
કેનેડા એઙમનટન
[8/6, 10:36 AM] Jaykant Ghelaani.MeM.NOG: NOG સાહિત્ય સરિતા પરિવાર ૧
NOG NO. S.S. 0059.
વિષય:શ્રાવણના સરવૈયાં
પ્રકાર:ગધ્ય- લેખ.
શીર્ષક: *નીલકંઠ*
શબ્દો- ૩૪૭.
જયકાન્ત ઘેલાણી-‘પ્યારે’
આગમ વાણી મૂજબ, કહેવાયછે કે આ સમગ્ર સૃષ્ટીના
*સર્જન* *વિકાશ* અને *વિનાસ* સુધીની લાંબી યાત્રામા,
*બ્રહ્રમા*,ને સર્જનહાર,
*વિષ્ણુ**ને વિકાસ કરનાર અને
*મહેશ* યાને *શંકર*ને વિનાસ ની પ્રક્રિયા કરનાર *દેવ*
તરિકે ગણવામા આવેછે.
સમજોને આ ત્રિપૂટી જ,
સમયોચિત જવાબદારી સંભાળેછે,
એટલેકે *જન્મ*- *વિકાસ* અને *વિનાસ* ના કર્તા- હર્તા દેવો.
*નીલકંઠ* શબ્દ બોલનાર કે
સાંભળનારનાં મનોચક્ષુ સાથે, ચર્મચક્ષુ ખોલી નાંખે છે..જગતની સમસ્ત જીવસૃષ્ટિનાં, હરએક જીવ પ્રત્યે અનુકંપા અને કલ્યાણની ભાવના સાથે, પૃથ્વીનાં પેટાળમાંથી નીકળેલાં હળાહળ ‘વિષ’ને પોતાના જાનનાં જોખમે, ગટગટાવી જનાર, જગતના ભોળેનાથ ! *નિલકંઠ*.
‘પ્યારે’ વગર વિચાર્યે શીવશંકર નું સ્વરૂપ આંખ સામે ચમકી જ જાય ! આ દેવાધિદેવ ,મહાદેવનો માનવ તરફનો મમતાભર્યો દયાભાવ !
સ્હેજપણ અતિશયોક્તિ વગર
લખી શકાય કે ભારતમાં પૂજાતા અનેક દેવ-દેવીઓમાં શિવજીનું , અગ્રિમ અને વિશિષ્ટ સ્થાન છે, કારણ કે તે ભોળાનાં ભગવાન છે.
.તેઓ અનેક નામધારી છે,લગભગ-૧૦૮, જેવાકે-શિવ,શંકર, ભોળેનાથ,
ત્રિનેત્રધારી, ત્રિલોકનાથ, આશુતોષ,અર્ધનારીશ્વર,ઉમાપતિ,નટરાજ નીલકંઠ, મહેશ મહાદેવ સદાશીવ,ચંદ્રચૂડ,વિગેરે..
ભોળેનાથની છે રહેવામાં સાદગી, ગણાય ભોળા ને સરળ સ્વભાવી,
ભાલે ભભૂતિ ને અંગે વાઘચર્મ, માંગે પૂજામાં,પુષ્પ, બિલીપત્ર. જ્ળ, રૂદ્રાક્ષ છે તેઓને અતિ પ્યારું,
શોભે કરમાં ત્રિશૂલ ન્યારું,
સાથી,નંદી ને, કાચબો, વહાલાં વગાડે વાજિંત્ર ડમરૂ અનોખું,
મંત્રછે ‘ૐ નમ: શિવાય’અણમોલ.
અલ્પ પરિગ્રહી ને સૌનાં દિલમાં વસનારા ‘જયમહાદેવ’!
પત્ની સતી,પાર્વતી,ઊમિયા મહાકાલી, જેણે,
સમાવી ,જટામાં ગંગા’.
પુત્ર, ગણેશજી ને કાર્તિકેય,
પુત્રી, ઓખા.ટૂંકમાં ,ભોળેનાથનો સમગ્ર પરિવાર સુવિખ્યાત, પૂજનીય છે, અનંતકાળથી.
કહેવાયછે કે, દરેક મંદિરો,રાત્રે બંધ થાયછે ,પણ –
શંકર ભગવાનના મંદિરો યૂગોથી, આજના આધૂનિક *એ.ટી.એમ* ની જેમ ચોવીસ કલાક ખુલ્લા હોય છે,
આછે ભકતો પ્રત્યે તરફની અનૂપમ અનુકંપા !
અન્ય મંદિરમાં ધરેલો પ્રસાદ ભક્તજનો ખાઈ શકે છે,પણ ભોળેનાથ ને ધરેલા પ્રસાદ ઉપર
તેમનાં ગણોતિયાનો જ અધિકાર હોય છે..
ભોળેનાથ! નામ સકળ જગ પ્યારું,
‘પ્યારે’, તેથી જગમાં માનછે તારું ન્યારું.
‘હર હર મહાદેવ’નો ગૂંજે નાદ,
પ્યારે”,વિજયનો છે એ ઘંટનાદ.
[8/6, 2:06 PM] Puja Alka Kanani.Kutchh.Kananips.MeM.NOG: NOG SS નંબર 0042
વિષય – શ્રાવણ અને શિવજી
પ્રકાર- ગદ્ય
શીર્ષક -ભડકેશ્વર
શબ્દ – ૨૫૬
શ્રાવણ મહિનો એટલે શિવજીની કૃપા પ્રાપ્ત કરવાનો મહિનો. શ્રાવણ મહિના દરમિયાન શિવ-ભક્તો પોતાના શહેરની આસપાસના શિવ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવે છે. સૌરાષ્ટ્રમાં ભગવાન ભોળાનાથના અનેક મંદિર આવેલાં છે. આવું એક અતિ પૌરાણિક મંદિર એટલે ‘ભડકેશ્વર’ મહાદેવનું મંદિર. આ મંદિર દ્વારકા મંદિરથી બે કિલોમીટર દૂર દરિયા કિનારે સનસેટ પોઈન્ટની બાજુમાં આવેલું છે.
દરિયામાં સ્થિત સ્વયંભૂ શિવલિંગ ધરાવતું આ મંદિર ચારે તરફ આવેલા અરબી સમુદ્રના લીધે મનોરમ્ય લાગે છે. કહેવાય છે સમુદ્રની વચ્ચે શિવજી પોતે જાતે જ ભડકીને પ્રગટ થયા હતાં એટલે આ મંદિરનું નામ ભડકેશ્વર પડ્યું છે. પહેલા આ મંદિરમાં જવા માટે નાનકડો પૂલ હતો અને વચ્ચે રેલિંગ બનાવવામાં આવી હતી જેથી ભરતી વખતે દરિયાનું પાણી આવે તો તેને પકડી મંદિરે જઈ શકાય,પણ હાલ ગુજરાત સરકાર દ્વારા ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે. અહીં વિશ્રામાલય બનાવવામાં આવ્યા છે. તેમજ ચોપાટી પણ બનાવવામાં આવી છે,જ્યાં સાંજે નાળિયેર પાણી, પાણીપુરી,ચાટ,ગોલા,મકાઈ તેમજ ઊંટની સવારીની મજા માણી શકાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ચોપાટીની બાજુમાં સનસેટ પોઈન્ટ પરથી ડૂબતો સૂરજ જોવાનો લ્હાવો લેવા જેવો છે.
શ્રાવણ મહિનામાં અને શિવરાત્રી દરમિયાન અહીં ખૂબ ભીડ રહે છે. અહીં શ્રદ્ધાપૂર્વક માનેલી માનતા અવશ્ય પૂર્ણ થાય છે એવો લોકોનો અતૂટ વિશ્વાસ છે. સાંજે સંધ્યા-આરતી સમયે ઢોલ-નગારા સાથે સૂર રેલાવતાં દરિયાના અવાજને કારણે વાતાવરણ એકદમ પવિત્ર અને અલૌકિક બની જાય છે, વળી રત્નાકર પોતાના જળથી શિવજીને સલામી ભરતો હોય એવું દ્ર્શ્ય પ્રતિત થાય છે. તો મિત્રો જ્યારે દ્વારકા દર્શનાર્થે આવો ત્યારે આ ભડકેશ્વર મહાદેવજીના દર્શનનો લ્હાવો અચૂક લેજો. શ્રદ્ધા,શાંતિ અને પવિત્રતાનો અનુભવ કરજો.
પૂજા(અલકા)કાનાણી
[8/6, 8:07 PM] Jagdish Ranodara.MeM Shankheshwar: NOG સાહિત્ય સરિતા
Number -119
શબ્દ : શ્રાવણ ના સરેવડા
પ્રકાર : ગદ્ય
શિર્ષક : શંભુ ભોળા ને પ્રાર્થના
“શંભુ ભોળા ને પ્રાર્થના”
અત્યારે હિન્દુધર્મનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે.જેમા દાન પૂણ્ય કમાવાનો શ્રેષ્ઠ અવસર ગણાય છે. હિન્દુધર્મનો નાનામાં નાનો માણસ પણ શિવશંકર ભોળાશંભુ ના દર્શન કર્યા વગર રહી શકતો નથી. આઝાદી મળ્યા ને ૭૫ વર્ષના વહાણા વહી ગયા અને સમગ્ર દેશમાં આઝાદી નો અમૃત મહોત્સવ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દેશનો તમામ નાગરિક ગૌરવ અનુભવે છે અને ઘરઘર ત્રિરંગો લહેરાવવા આતુર છે.દેશની આન-બાન અને શાન જાળવવા ગૌરવ અનુભવે છે. એકબીજાને ખભેખભો મિલાવી રાષ્ટ્રીય પર્વની ઉજવણી ધામધૂમથી અને હોંશથી કરતો આવે છે અને આજીવન દેશની ખુમારી માટે કરતો પણ રહેશે…
ભારત એ બિનસાંપ્રદાયિક ની સાથે હિન્દુસ્તાન દેશ પણ ગણાય છે. જ્યાં અનેક દેવ -દેવતાઓ અને દેવોના દેવ મહાદેવ ની પણ પુરી આસ્થા થી પૂજા અર્ચના કરાય છે, એટલું જ નહીં પરંતુ શ્રાવણ માસમાં મહાન ગ્રંથ મહાભારત નું વંચક થાય તે ઉપરાંત બ્રાહ્મણો ને દાન દક્ષિણા અપાય છે તેમ છતાંય જ્યારે ભારતના ગામડાઓમાં શંકરનાં મંદિરમાં ગાંધીબાપુએ ગણાવેલા હરિજનોને શિવના મંદિરે જવાનો પ્રતિબંધ છે તે ભોળાનાથ મુક્ત ક્યારે કરાવશો તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે…!!!
સમુદ્રમંથન માંથી નિકળેલુ ઝેર પી ને નિલકંઠ કહેવાયા હોય તો તમારા જ ધર્મના લોકો *અપમાનનુ* ઝેર સદીઓથી પીતા આવે છે તેમને માટે મંદિર પ્રવેશ કરાવી તમારા દર્શન કરાવશો તેવી આશા છે. ભોળાનાથ ગમે તેને પ્રસન્ન થઈને મનોકામના પૂર્ણ કરો છો ત્યારે તમારા દરિદ્રનારાયણની દયા કરી તેમના દુઃખનું નિવારણ તમારા પવિત્ર શ્રાવણ માસમાં કરાવશો તેવી શંભુ ભોળા ને અંગત પ્રાર્થના છે…!!!
ડૉ જગદીશ કે રણોદરા (બંધવ)
વીસાવડી-વરણોસરી-શંખેશ્વર-વાહેદપુરા
[8/6, 10:58 PM] Vibhitiben Desai: NOGSS/0044
વિષય:- શ્રાવણના સરવૈયા
પ્રકાર:- ગદ્ય
શબ્દો:- ૨૩૪
શીર્ષક:- અમૃતેશ્વર મંદિર.
શ્રાવણ માસ એટલે હિંદુઓ માટે પવિત્ર મહિનો,મહાદેવની ભક્તિનું મહત્વ. ઠેરઠેર શિવાલયો હરહર મહાદેવના નાદથી ગુંજી ઉઠે.આ મહિનામાં ભક્તો પાંચ,સાત, કે બાર મહાદેવના દર્શન કરવા જાય.
આજે હું તમને એક ખુબ જ સરસ શિવાલયની માહિતી આપવા જઈ રહી છું.લગભગ દસેક દિવસ પર જ મેં મારી સખીઓ સાથે આ શિવાલયની મુલાકાત લીધી.
મહારાષ્ટ્રમાં નાસિક જિલ્લામાં અકોલા તાલુકાના રતનવાડી ગામમાં આવેલું અમૃતેશ્વર મંદિર.આ મંદિરમાં એકદમ શાતિ હોય છે, આજુબાજુનો વિસ્તાર સૌંદર્યથી ભરપૂર.મદિરનું સ્થાપત્ય સરસ. મંદિર સુધી જંગલમાં
થઈને જવાનું અદભૂત સૌંદર્ય.આ મંદિરને લગતી થોડી માહિતી સ્થાનિક લોકો પાસેથી મળી થોડી માહિતી ગૂગલ પાસે મેળવી છે અંહી રજૂ કરી છે.
અમૃતેશ્વર મંદિર જટિલ કોતરણી વાળું ૧૨૦૦થી વધુ વર્ષ જુનું સુંદર મંદિર છે.નવમી સદીમાં શિલાહાર વંશના શાસકો દ્વારા બનાવવામાં આવ્યું હતું.રાજા ઝાંઝ દ્વારા બાંધવામાં આવેલા બાર શિવજીનાં મંદિરોમાનું એક છે,જે પ્રવરા નદીને કિનારે આવેલું છે.
આ મંદિર ખુબ જ રમણીય સ્થળ પર આવેલું છે મંદિર પૂર્વ તરફના પ્રવેશદ્વાર સાથે નીચા પેરાપેટથી ઘેરાયેલું છે, તેની પૂર્વમાં અંતરાલા અને ગર્ભગૃહ છે.મંદિરના પૂર્વના પાછળના દરવાજા આગળ એક મંડપ છે.મંદિર પશ્ર્ચિમ તરફ છે.મંદિરમાં સ્થાપિત લિંગ વિશિષ્ટ છે, તેમાં યોનીનો સમાવેશ છે જે ખડકના પોલાણ પર મૂકેલ છે તેની ઉપર કળશ આકારમાં ત્રણ પથ્થરો એકબીજાની ઉપર રાખેલા છે.નંદી મંદિરની પાછલા દરવાજા તરફ છે. આ સિવાય અન્ય બે નંદી પણ છે.
મંદિર ઉપરના સુશોભિત શિખરો અકબંધ છે.આ મંદિરની દિવાલો ભૌમિતિક પેટર્નથી શણગારેલી છે.આ મંદિર શિન્નરના ગોંડેશ્વર મંદિર જેવું જ છે.
જિંદગીમાં એક વખત તો આ અમૃતેશ્વર મંદિરની મુલાકાત લેવી જ જોઈએ.
© વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
[8/7, 12:29 AM] Nayana.MeM.NOG Patel: NOGSS 73
વિષય..શ્રાવણના સરવૈયા
પ્રકાર.ગદ્ય
શીર્ષક.. મહાદેવ…
શ્રાવણ માસ એટલે ભક્તિ પૂજા ઉપવાસનો માસ મહાદેવના મંદિરમાં ભીડ સોમવારે ભગવાને પણ આશ્ચર્ય થાય એટલી ભીડ,આ લોકો દરરોજ ક્યાં હોય છે,દરેક વ્યક્તિ શિવમય બની જાય છે,એક મહિનો એવો ભક્તિમય બનાવે કે દરરોજ પૂજા કરે ઉપવાસ કરે મંદિરે જાય,એમની ભક્તિથી શિવજી પ્રસન્ન થઈ જવાના હોય એટલો આનંદ હોય,પણ એ બધું શ્રાવણ માસ પુરતુજ હોય,ખરેખર શિવની ભક્તિ અને શિવમય જેને બનવું છે એને કોઈ ખાસ મહિનાની જરૂર નથી પડતી,શિવમય એજ બની શકે જે દરરોજ સંસાર માં રહી થોડું થોડું ઝેર,અપમાન,અને અવગણના સહન કરીને પણ પ્રસન્ન રહેતા હોય
અને લોકોનું સારુજ ઇચ્છતા હોય,
દરેકને મદદ રૂપ થતા હોય,જે સંસાર રૂપી જીવનનું ઝેર પચાવી જાણે એ
શિવ સ્વરૂપ કાયમ માટે પૂજવા યોગ્ય થઈ જાય છે,
નયના પટેલ..
[8/7, 8:25 AM] Nikhil Kinariwala.MeM: *NOG SS No* : *0110*
*પ્રકાર : ગદ્ય- *મૌલિક લેખ*
*વિષય* : *શ્રાવણના સરવૈયા-શિવજીનું મહત્વ*
*શબ્દો* : *૩૪૦*
*શીર્ષક* : ‘શ્રાવણમાં શિવપૂજાનું મહત્વ’*
*લેખકનું નામ* : *નિખિલ કિનારીવાળા (અમદાવાદ)*
હિંદુ ધાર્મિક માન્યતાઓ પ્રમાણે શ્રાવણ માસનું શિવભક્તોમાં એક અનેરૂં મહત્વ છે. દેવપોઢી એકાદશી પછી ચાતુર્માસની શરૂઆત શ્રાવણ મહિનાથી થાય છે. શ્રાવણ મહિનામાં શિવ ઉપાસના અને શિવપૂજા પૂરી શ્રદ્ધાથી કરવામાં આવે છે. શ્રાવણ માસમાં શિવપુરાણ અને દેવીભાગવતનું પઠન અને શ્રવણ કરવામાં આવે છે. ઠેરઠેર શિવ મંદિરોમાં ભગવાન શિવની પૂજા-અર્ચના કરવામાં આવે છે. લઘુરુદ્ર, મહારુદ્ર અને અતિરુદ્રના પાઠ કરવામાં આવે છે અને રુદ્રાભિષેકની પૂજા યોજવામાં આવે છે.
શ્રાવણ મહિનાનો દરેક દિવસ ખાસ હોય છે પરંતુ શ્રાવણીયા સોમવારની એક અલગ જ મહત્તા છે. સોમવાર શિવને ખૂબ પ્રિય છે. જે ભક્તો આખા શ્રાવણ માસનું વ્રત ન કરી શકતા હોય તો તેઓ શ્રાવણ માસના પ્રત્યેક સોમવારનું વ્રત જરૂર કરે છે. એવું કહેવાય છે કે પૂરી શ્રદ્ધાથી શ્રાવણના સોમવારનું વ્રત કરવાથી આખા વર્ષની શિવપૂજાનું ફળ પ્રાપ્ત થાય છે. વળી શ્રાવણ માસમાં અસંખ્ય તહેવારોની શૃંખલા શરૂ થઈ જાય છે. જેમ કે રક્ષાબંધન, નાગ પંચમી અને જન્માષ્ટમી જેવાં તહેવારો એક વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે.
શ્રાવણ માસની એક ખાસિયત એ છે આ માસમાં નદીઓ નવા નીરથી છલકાવા લાગે છે. ભોળાનાથ શિવજીને શ્રાવણ માસ વધુ પસંદ છે કારણ કે શ્રાવણમાં વાતાવરણમાં જળ તત્વ રહેલું છે. શ્રાવણના ખાસ દિવસો ઉપર ભક્તો તીર્થસ્નાન કરે છે. ભારત દેશના પ્રમુખ તીર્થસ્થાન હરિદ્વાર, ઋષિકેશ, ગંગાસાગર, ગંગોત્રી અને કાશીમાં આ દિવસોમાં કાવડયાત્રા પણ નીકળે છે અને તેમાં નદીનું પવિત્ર જળ ભરીને શિવજીનો રુદ્રાભિષેક થાય છે. એક પૌરાણિક માન્યતા અનુસાર દેવ અને દાનવો વચ્ચે સમુદ્રમંથન પણ આ જ પવિત્ર શ્રાવણમાસમાં થયું હતું. આ સમુદ્રમંથનમાંથી ૧૪ રત્નો નીકળ્યા જેમાંનું એક હળાહળ વિષ પણ હતું જે સૃષ્ટિના હિતમાં શિવજીએ પોતાના કંઠમાં ગ્રહણ કર્યું હતું. આમ ભગવાન શિવ નીલકંઠ તરીકે ઓળખાયા. આ વિષની ઉષ્ણતાને શાંત પાડવા શિવજીએ ગંગાજી અને ચંદ્ર જે બંને સોમ તત્વ છે તેને પોતે ધારણ કર્યા. આજ કારણે શિવજીને ઠંડક પહોંચાડવાના હેતુથી ભક્તો દ્વારા શિવજી ઉપર જળ અને દૂધનો અભિષેક કરવામાં આવે છે. શિવજીને પૂજામાં બિલિપત્ર અર્પણ થાય છે.
દેવોમાં મહાદેવ સર્વ શ્રેષ્ઠ કહેવામાં આવ્યા છે. ‘ૐ નમઃ શિવાય’ એ સર્વ મંત્રોમાં શ્રેષ્ઠ મંત્ર કહેવાય છે. શિવ એ આદિ અનાદિ મૂળ તત્વ છે. એવી માન્યતા છે કે શિવજીની પૂજા વગર બીજા કોઈ પણ દેવી દેવતાઓ તેમની પૂજા સ્વીકારતા નથી. શિવપૂજાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે.
નિખિલ કિનારીવાળા, અમદાવાદ
૦૭ ઓગસ્ટ ૨૦૨૨
[8/7, 11:12 AM] Ragini Shukla.MeM.NOG.Bombay: NOG SS NO – 0050
શીર્ષક – માહાદેવનો મહિમા.
………………………………..
શ્રઘ્ઘા પૂર્વક ચાલોને આપણે ભજી લઈએ.મારો ભોળિયો માત્ર પાણી લોટો ચઢાવવાથી રાજી થઈ જાય. શિવને દેવોનાં દેવમાંથી એક દેવ કહેવાય. શિવ ભગવાન મહાદેવ જ કહેવાય. છે બીજા નામો ભોળાનાથ, શંકર ,મહેશ ,રુદ્ર, નીલકંઠ. તંત્ર સાધનામાં શિવને ભૈરવના નામથી પણ ઓળખાય છે. હિન્દુ ધર્મનાં મુખ્ય દેવતાઓમાંથી એક ભગવાન શિવ અને વેદમાં રુદ્રના નામે પણ ઓળખાય છે. શિવ મનુષ્યની ચેતનાના અંતર્યામી એટલે માનવનાં મનમાં શું ચાલે છે તે જાણી લેતાં. તેમની અર્ધાંગિની એટલે શિવશક્તિ માતા “પાર્વતી” ભગવાન શિવને બે પુત્ર કાર્તિકે અને ગણેશ, પુત્રી અશોક સુંદરી .શિવનેધ્યાનમગ્ન
જોયા છે . પણ પૂજા શિવલિંગ ને મૂર્તિ બંનેની જ કરાય છે . તેમનાં હાથમાં ડમરું, ત્રિશુલ જોવાં મળે. ભગવાન સદાશિવ પરબ્રહ્મ છે. પ્રાચીન સમયમાં વિદ્વાનોનો ઈશ્વર માનતાં.
સદાશિવ પોતાનાં શરીરથી દેવીશક્તિનું સર્જન કરેલું. ત્યારથી તેમનાં શરીરથી અળગા થવા નથી દીધાં. દેશશક્તિને પાર્વતી સ્વરૂપ મનાય છે અને પ્રભુને અર્ધનારેશ્વરનાં સ્વરૂપે તરીકે ઓળખાય છે .તેવી શક્તિ ને પ્રકૃતિ ગુણવંતી માયા બુદ્ધિ તત્વની જનની અને વિકાર રહિત માનવામાં આવે છે.
કહેવાય છે” શ્રીમદ્ દેવીમહા પુરાણ “અનુસાર ભગવાન શિવનાં પિતા માટે કથા ..!
એક વખત નારદજી પોતાનાં પિતા બ્રહ્માજીને સવાલ કર્યો..?
સૃષ્ટિનું નિર્માણ કોણે કર્યુ..? ભગવાન વિષ્ણુએ કે ભગવાન શિવે.
તમને ત્રણેયને જન્મ કોણે આપેલો..? માતા પિતા કોણ છે ત્યારે બ્રહ્માજીએ ત્રિદેવના જન્મની કથા કહી “દેવી દુર્ગા” અને શિવ સ્વરૂપ બ્રહ્માના યોગથી.”બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ” ની ઉત્પત્તિ થઈ છે. “પ્રકૃતિ સ્વરૂપ દુર્ગા માતાને બ્રહ્મ એટલે કાળ સદાશિવ પિતા છે ”
બ્રહ્માજી અને શ્રી વિષ્ણુજી વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે બ્રહ્માજીએ કહેલું હું તારો પિતા છું. કેમકે સૃષ્ટિનું સર્જન મારાથી થયું છે. ત્યારે વિષ્ણુએ કહ્યું કે હું તમારો પિતા છું મારી નાભિ કમળમાંથી ઉત્પન્ન થયો છું. સદાશિવ વિષ્ણુ અને બ્રહ્માજી વચ્ચે આવીને કહ્યું એ પુત્રો મેં તમને જગતની ઉત્પત્તિ અને સ્થિતિ જેવાં બે કાર્યો આપ્યાં છે. શંકર ને રુદ્રને બે કાર્ય સંહાર,ને તિરોગતિ આપ્યાં છે.વેદોમા બ્રહ્મ કહેવાય છે. પાંચ મુખ છે. અ, ઉ, બિંદુ, મ, તથા પાંચમાં મુખથી શબ્દ પ્રગટ થાય છે.
પાંચ અવવયોથી એકીભૂત થઈ “ઓમ” અક્ષર બન્યો. મૂળ મંત્ર કહેવાય. માટે જ શિવજીનાં મહિનામાં ઓમને મૂળ મંત્ર તરીકે પૂજાય છે. ચાલોને આપણે શિવનાં આ મંત્રને ભજી લઈએ શ્રાવણનાં મહિનામાં અને એનો મહિમા અગાધ છે ઓમ બીજ મંત્ર કહેવાય છે.
રાગીની શુક્લ “રાગ”
મુંબઈ, કાંદિવલી
[8/7, 12:25 PM] Mina Mangroliya.MeM.NOG: NOG. SS.0032
વિષય:- શ્રાવણના સરવરિયા, શિવજી.
*વિભાગ:-* પદ્ય
*શીર્ષક:- *ભોલા શંકર* (*આરતી*)
ભોલા શંકર ભગવાન,ભજુ તમને વારંવાર,
બોલો સત્યમ શિવમ સુંદરમ રે.
ડમ ડમ ડમરુ બોલે,કંઠે નિલકંઠ ઓળખાય,
બોલો સત્યમ શિવમ સુંદરમ રે.
અખિલ બહ્માંડને તારે, નિરાકાર પંચમ સૂરે,
બોલો સત્યમ શિવમ સુંદરમ રે.
બમ બમ બોલે,શિવ શિવ શંકર ડોલે,
બોલો સત્યમ શિવમ સુંદરમ રે.
ગણપતિના તાત, પાર્વતીજીના નાથ,
બોલો સત્યમ શિવમ સુંદરમ રે.
ત્રિશૂળ લીધું છે હાથ,ત્રિભુવનનાં સ્વામી,
બોલો સત્યમ શિવમ સુંદરમ રે.
ગળે સર્પોની માળા,ત્રિશૂળપૂંડ ભાલે,
બોલો સત્યમ શિવમ સુંદરમ રે.
શિવ શિવ જપતા, શરણ શિવ શંકર,
બોલો સત્યમ શિવમ સુંદરમ રે.
૧૦૮ શિવ નામથી જપે રુદ્રાક્ષના જાપ,
બોલો સત્યમ શિવમ સુંદરમ રે.
એકમુખી, દ્વિમુખી,પંચમુખી કહેવાયો,
બોલો સત્યમ શિવમ સુંદરમ રે.
કોટી કોટી પ્રણામ,મારા ભોલા શંકર નાથ,
બોલો સત્યમ શિવમ સુંદરમ રે.
મીના માંગરોલીયા મીનુ
અમદાવાદ
7/8/2022
[8/7, 4:45 PM] Jayshree Patel. Sahityakar: *NOG SS NO: 004
*વિષયઃ શ્રાવણના સરવરિયા*
*પ્રકારઃ ગદ્ય*
*શબ્દઃ૩૦૯
*શીર્ષકઃશ્રધ્ધા*
શ્રાવણ આવે એટલે ભારતમાં તહેવારોની રમઝટ શરૂ થાય. જીવનભર ભારતીય પોતાના પર્વોથી આનંદ માણતો રહ્યો છે.
દ્રુશાને શ્રાવણ આવે એટલે જન્માષ્ટમી ઉજવવી ખૂબ ગમે. નાની હતી ત્યારથી લાલાને પારણે ઝૂલાવે
અને સુંદર વાધા પોતાને હાથે બનાવે.મોટી થતાં તેમાં ગુરુ
એ તેને કંઠી પહેરાવી તેને જ્ઞાન હતું તેટલું તે ભક્તિ પૂજા કરતી રહેતી. અભ્યાસમાં પણ હોશિયાર હતી. સાથે
તેણે નક્કી કર્યુ હતું કે તે ગીતામાં પીએચડી કરશે.
વૈષ્ણવ કુટુંબની દીકરી હતી. ખૂબ જ સંસ્કારી હતી.
ભણતર પૂર્ણ થતાં જ તેમાં લગ્ન લેવાયાં. શિવાંગ સાથે.
જેવું નામ તેવો જ શિવ ભક્ત. બન્નેનાં ધાર્મિક વિચારો સરસ ,પણ ભગવંત અલગ.લગ્નને અઠવાડિયું જ બાકી
હતુંને શિવે દ્રુશા માટે એકમુખી રૂદ્રાક્ષની સુંદર સોનામાં માળા મોકલી. તુલસી સિવાય કોઈ કંઠી ન અંગિકાર
કરનારી તે હવે શું કરે?
બહુ જ વિચાર કરી તેણે તે માળા ક્ષમા માંગતા જ પાછી મોકલી. શિવાંગને ખોટું લાગ્યું. તેણે ફોન ન કર્યો.
બે દિવસ સુધી તેના ફોનની રાહ જોતી રહી. લગ્નનો દિવસ નજીક આવતો હતો. શું કરવું ના કરવું આ અસમંજસમાં તે કંઈક ખરીદવા માટે બહાર નીકળી
તેની નજર એક ફ્રેમવાળાની દુકાન પર ગઈ. બે મિનિટ ઊભી રહી ગઈ.મીરાંનાં ગળામાં તેની નજર પડી તો તે
રુદ્રાક્ષની માળા ને કર્ણ ફૂલમાં પણ !ઓહ, તે બોલી
કૃષ્ણને બાળપણથી ચાહનારી મીરાં.. પોતે શેના માટે
આ શ્રધ્ધાથી ડગી ગઈ! કેમ?
તેણે શિવાંગને ફોન કર્યો , કાંઈ જ ન બોલતા તેણે
રુદ્રાક્ષની માળા માંગી. શિવાંગે તેની માતા જોડે બે માળા મોકલી એક તુલસીની ને બીજી રુદ્રાક્ષની. તેની માતાએ જેવી સુંદર ચાંદીની ડબ્બી ખોલી તેવી દ્રુશા એ રુદ્રાક્ષની માળા હાથમાં લઈ મંદિરમાં લાલાને ચરણે ધરી પોતાનાં ગળામાં પહેરી દીધી. તેની પાંપણ પર એક મોતી ચમક્યું
જેવું નીચે પડવા ગયું કે તેની સાસુએ તર્જનીથી હાથમાં લઈ કહ્યું ,” આ જ શ્રદ્ધા લઈ બેટી તારા ઘરે આવજે
આમ શ્રાવણના સરવૈયા વહેવડાવી ન નાંખીશ.”
લગ્નને દિવસે માહયરામાં વરવધૂના ગળામાં રુદ્રાક્ષ ને તુળસીની માળામાં શ્રધ્ધા રૂપી ચમકતી હતી.વાડાઓ તૂટી ગયા હતાં એક જ ઈશ્વરની શ્રધ્ધાની જીત થઈ હતી.
જયશ્રી પટેલ
૭/૮/૨૨
[8/7, 5:13 PM] Maya Desai.Bombay.MeM.NOG: NOG SS No.0081
વિષય : શિવજી
પ્રકાર : પદ્ય
શીર્ષક :શિવ શંભુ છે તો અવની છે!
શિવજીની આપ સૌ પર બની રહે માયા,
એમની રહેમ પલટી દે કિસ્મતની કાયા.
શિવ- શક્તિની કૃપા સદૈવ રહે વરસતી,
મનચક્ષુને એનાં આશિષ આપે દૃષ્ટિ.
શિવ તો ભોળાં, ભક્તિ જ બસ ચાહે,
જીવન એમનું જપ,તપ પણ જગ કાજે.
અમૃત તો સૌ ચાહે, વખનું શું?કોણ ચાહે!
શિવજીએ જ ઉપકૃત કરી ધરા શોષી એ વખ.
નીલકંઠ બનવું શિવજીની જેમ નથી સુલભ,
ફેલાવતું અટકાવી અનિષ્ટ સૌને રાખવા ક્ષેમ.
શિવ છે સત્ય,શિવ જ સુંદર,
શિવ છે તો જીવ છે,યાદ રહે નિરંતર.
સત્ય નથી હોતું નિત સુંદર,તો ય પાલન એનું,
કરે શુભ જીવ સૃષ્ટિનું,એ જ સૂત્ર સોનાનું.
#©️માયા દેસાઈ
મુંબઈ ભારત.
[8/8, 12:14 AM] Ghanshyam Nayak.MeM.NOG �ાઈ: NOG ૦૦૧૩
વિષય: મનોકામના
પ્રકાર: પદ્ય
શીર્ષક:
” મને મનોકામના ગમે”
ક્યારેક ઢળતી સંઘ્યાએ,
એકાંત મળે તો ગમે.
કોલાહલ ભીડની કેડીએ, મૌન મળે તો ગમે.
મનગમતાંનો સાથ મળે તો ગમે, સંધ્યાના સોનેરી રંગોને નિહાળતાં , સોનેરી સપનાં જોવાં ગમે.
દરિયાકિનારે દૂર ક્ષિતિજે,આભ ધરતીનું મિલન જોઈ,એવા મુગ્ધ મિલનને યાદ કરવું ગમે.
રેતીમાં કિલ્લો ચણી હરખાતાં બાળને જોઈ,
એવાં જ બાળપણમાં ચણેલા કોઈ કિલ્લાને યાદ કરવાં ગમે.
ભીની રેતીમાં પડેલાં પગલાંઓને જોઈ, કોઇકના એ પદ્ચિન્હોને યાદ કરવાં ગમે.
શાંત પળે જળમાં ઊઠતાં તરંગોના લયને માણતાં,
ઈશ્વરની અદ્ભૂત રચનાઓને હ્રદયથી વંદન કરવું ગમે.
ઘનશ્યામ વ્યાસ.
“શ્યામ”
[8/8, 2:42 PM] Bharat Sanghaani.MEM (Kaushik Shah): NOG:SS:NO.: 0101
*વિષય: મનોકામના*
*પ્રકાર: ગદ્ય લેખ*
*શબ્દ:૨૩૦*
*શીર્ષક: બીજાનું ભલું તે આપણું ભલું
મનોકામના, મનની ઈચ્છાઓ આપણી અહંતા મમતાના તાણાવાણામાં જ વીંટળાયેલી હોઈ છે.
આપણે રાગ દ્વેષથી ભર્યા છીએ. રાગ કરતાં દ્વેષ વધુ ઉત્કટ હોઈ છે. ‘કોઈનું ભલું થાય’ એવું જલ્દી નથી કહેવાતું. “કોઈનું ખરાબ થાય” એવી મનોકામના વ્યક્ત થઇ જાય છે. ‘મરવા દો’ શબ્દને વાતવાતમાં પ્રયોજતા પ્રમાણમાં સંત હોવાનો દાવો કરતાં લોકોને સાંભળ્યા છે. તેમનામાં દ્વેષની ભાવના કેટલી ઉત્કટ હશે!
જહન્નમમાં જાય, જવા દે, મરવા દે જેવા શબ્દો વાતવાતમાં બોલનારા આપણે આપણા માટે આવા શબ્દોની ચાહના રાખીશું ખરા?
મહાવીરનું સૂત્ર છે “જે તું તારે માટે ઈચ્છે, એ બીજા માટે પણ ઇચ્છ. જે તારે માટે ન ચાહે તે બીજા માટે પણ ન ચાહ.”
આ સૌથી વિકટ કામ છે. માણસ સ્થૂલ કામનાઓ માટે જીવતો હોઈ છે.
પ્રભુ તું સૌને કઈંક આપ એમ કહેવાની કળા મહાવીર શીખવવા માગે છે.
મને કમનસીબી નથી ફાવતી, કોઈને કમનસીબી ન આપ એમ કહેવા માટે ઉદાર રહ્દય જોઈએ.
જે તમારે માટે ઈચ્છો તે બધાં માટે ઈચ્છો જે તમારા માટે ન ચાહો એ કોઈ માટે ન ચાહો એવું કરવા લાગો , એવી મનોકામના કરો તો જીવનની બધી ઝંઝટનો ઉકેલ મળી જશે.
તો માણસને કેટલી ઊંચાઇ મળી જાય?
કોઈક વીતરાગ દશાને પામેલા જ અમલમાં મૂકી શકે; ઈચ્છારહિત થવાની દિશામાં આ પગલું છે. અઘરું છે પણ અશક્ય નથી.
રક્ષાબંધનની રાખડી એ બહેનના નિર્મળ, નિર્વ્યાજ સ્નેહની રાખડી જેવી મૂલ્યવાન વસ્તુ આ દુનિયામાં બીજી કોઈ નથી. માણસ(બહેન) બીજા માણસ(ભાઈ)ની રક્ષા ઈચ્છે છે આવી મનોકામના હોઈ તો દુનિયાની બધી જ સમસ્યાઓ ટળી જાય.
*ભરત સાંગાણી*
[8/8, 10:25 PM] Anjana Gandhi.MeM.NOG: N.O.G.SS. NO-0026
વિષય – મનોકામના
વિભાગ – પદ્ય ( ગઝલ)
શીર્ષક – કહી છે કહાની.
મનોકામના સૌ ફળે ક્યાં બધાંની?
રહે કામના કોઈ થઈને સજાની.
તમે એક દીપક જલાવીને રાખો,
દિશા જોઈ લેજો છતાંયે હવાની!
અમે નૈનથી રોજ મોતી લૂટાવ્યાં,
તમે વાત માંડી રહ્યા બસ નફાની.
શમાનું રહ્યું છે ભલે રુપ મારું,
કરી ક્યાં છે પરવાહ ખુદ લ્યો કજાની!
મનોકામના પૂર્ણ થાતી, ન થાશે,
અમે “મૌનુ” રહીને કહી છે કહાની!
✍🏻 અંજના ગાંધી ” મૌનુ”
વડોદરા ( હાલ અમેરિકા)
*****************************
ચેનલ ન્યૂઝ લિંક………….
સંજયભાઈ રાવલ /Sanjay Raval at Somnath Temple/Motivational speaker@Janfariyadnews 📰 8 August 2022
મહિલા આયોગના ઉપાધ્યક્ષ સુષ્મા સિંહે નિરીક્ષક સાથે હંગામો મચાવ્યો /Uttarpradesh@Janfariyadnews 📰
ભગવાન છે કે નહિ તે જાણવા આ વિડિયો જુવો,હકીકત જાણો..*ૐ વિષ્ણવૈ નમઃ 🚩🚩.@Janfariyadnews 📰8 August 2022