[10/6, 8:55 PM] Ramila Makvaana.MeM.: NOG SS
Number :120
શબ્દ : માળો
પ્રકાર : પદ્ય (અછાંદસ)
શિર્ષક : ઘર
શબ્દો : ૯૧
*ઘર*
સુકા તણખલાનુ અમારું ઘર ગણાય,
ચાંચમાં લાવી બનાવતાં એ ઘર ગણાય.
એક-એક કરીને માળો અમે ગોઠવતાં,
ટાઢ-તડકો-વરસાદનું રક્ષણ ઘર ગણાય.
બધા પંખીરાજો પોતાનાં ઘર સજાવતા,
કારીગરી વાળુ સુગરીબાઈનું ઘર ગણાય.
ઉંડા કૂવે-ઝાડવે સૌ માળા શણગારતા,
ઠંડા વાતાવરણમાં અમારા ઘર ગણાય.
માનવજાત સમજુ છતાં વિંખીનાખતા,
સમજદારો કહે માળો એમનું ઘર ગણાય.
પક્ષી-પ્રેમી પૂંઠા-માટીના માળા ટીંગાડતા,
તમારા ઘરોમાં રહેવા મળે એ ઘર ગણાય.
સમજુલોક પાણીના કૂંડા ભરીને રાખતા,
અમે સલામત એ જ અમારુ ઘર ગણાય.
ધર્મપ્રેમી ચણ નાખવા ચબૂતરો બનાવતા,
*રમા* કહે પક્ષીનો કલરવ એમનું ઘર ગણાય.
રમીલા ડી મકવાણા *રમા*
લાડુલા તા ભાભર જિ બનાસકાંઠા
[10/7, 3:23 PM] Prafulla Prasanna: NOG સાહિત્ય સરિતા (૧)
N. G. No. – 39
વિષય – માળો
પ્રકાર-પદ્ય-અછાંદસ
શબ્દો – ૯૭
શીર્ષક — મારે પણ એક ઘર હોય
માળાની જોઈએ છાયા જીવડાને, માળાની મોહ-માયા!
માથે છત ને કવચ સુરક્ષાનું, જોઈએ હૂંફાળી ઘરછાયા!
ભેગી કરી સળીઓ સ્નેહની, હુંફનું સીંચ્યું પાણી!
ગૂંથણીની ગજબ કરી કરામત, ગૂંથી પ્રેમની જાળી!
હોય પશુ, પંખી, માનવ કે જીવડો કોઈ હોય નાનો,
મોરપીંછના દોરે બાંધે રંગીન હિંડોળો હેતનો!
છુપાઈ જાય દર્દ દીવાલોમાં, જતાવે મુક્તિ દરવાજા!
હૂંફ, હેતનાં બંધાય બંધન, માળામાં સહુ મલાજા!
હોય પશુ, પંખી, માનવ કે જીવડો કોઈ હોય નાનો,
ભૂખનું દુઃખ ભૂલાવી દે, હોય એક પોતાનો માળો!
દિવસ આખો ફરી-રખડી, થાક ઉતારવા જોઈએ માળો!
ક્લબલ કરતાં કુટુંબ સંગ વસવા જોઈએ માળો.
પ્રફુલ્લા “પ્રસન્ના”
[10/7, 4:23 PM] Hemlatta Divecha.MeM: NOG SS NO – 0037
વિષય – માળો.
વિભાગ – પદ્ય.
શીર્ષક – મનનો માળો.
રચના –
મનથી બાંધ્યો માળો,
સ્નેહથી શણગાર્યો,
માતૃત્વથી મહેકાવ્યો,
પરિશ્રમથી સિંચ્યો….
કિલકિલાટથી આંગણ ગુંજ્યું,
મન મળ્યું ના મળ્યું,
પાંખ આવી, પંખી ઉડયાં,
હ્રદય દ્રવી ઉઠ્યું……
પંખી વિના માળો સૂનો થયો,
વિયોગની વેદના,
મારા કાળજા કોરી ખાય,
એક ઢળતી સાંજે……
પંખી માળે પાછા ફર્યા,
હૈયે હરખ ન માય,
મા ના શ્વાસમાં વિશ્વાસ ભળ્યો,
માતૃત્વનો વિજય થયો ‘ હેમ ‘
હેમલતા દિવેચા ” હેમ”
[10/8, 10:05 AM] Varshaben Desai.MEM.Baroda: NOG. SS. NO. 0097
વિષયઃમાળો
પ્રકારઃ ગદ્ય
શીર્ષકઃ ચકીરાણી
આજે ૬૦થીઉપરની ઉંમરના વયસ્કો ને માટે ચકારાણા અને ચકીરાણીની ખીચડી અજાણી નહીં જ હોય. ત્યારે સમાન અધિકાર માંગીને કે ઝૂંટવીને લેવાનો ન હતો એ સહજ હતો. બંને સાથે ગાણા લાવતા અને ખીચડી બનાવતા. પણ ત્યારે મનુષ્યો માટે એ બધું અજુગતું હતું એ ચોક્કસ જ છે. પરંતુ પક્ષી અને મનુષ્યો વચ્ચે એક વાત બિલકુલ સામાન્ય હતી અને તે માળો. ત્યારે મનુષ્યનો માળો સંયુક્ત કુટુંબની ભાવનાથી મહેંકતો હતો.
ત્યારે સમાનતાની ઘેલછા નહતી એટલે જ કદાચ પારિવારીક સંપ અને સંગઠનનો પમરાટ સૌ સભ્યો પામી શકતા હતા. આજે વિકાસ અને પ્રગતિની હોડમાં સંયુક્ત કુટુંબ અને ભાવના વેર વિખેર થઈ ગયા છે. આજે વિભક્ત કુટુંબ પણ નથી રહ્યા. પરિવારમાં પતિ પત્ની પણ વિચારોની ભિન્નતાને સહન નથી કરતાં અને માળો બંને ન બંને ત્યાં વિખેરાય જવાની ઘટના સામાન્ય થઈ રહી છે. બે માંથી એક સમજુ હોય તો નિભાવવા પ્રયત્ન કરે પણ દરેક વસ્તુની એક મર્યાદા હોય છે. માળાને મહેંકતો રાખવાની જવાબદારી સંયુક્ત છે.સમજુ ભોગ આપ્યા કરે અને બીજું પાત્ર હંમેશા અણ સમજુ જ રહે તો એ માળો ક્યારે ય ન જ બંને.આને માટે કંઈક અંશે આપણે વયસ્કો પણ જવાબદાર છીએ. પતિ કે પત્ની કોઈક એકના પક્ષે બેજવાબદાર ઉછેરનું આવું જ પરિણામ હોય શકે. ભવિષ્યમાં બાળકોના જીવનનો માળો કેટલો મજબૂત હશે એ માતા પિતાના ઉછેર પર આધારીત છે એવું ચોક્કસ કહી શકાય. આ મનુષ્યના માળાના ચણતર અને ગૂંથણીની વાત છે. પાંખ આવેને મા બાપથી હંમેશ માટે ઉડી જતાં અને મા બાપને ક્યારેય ન ઓળખી શકતા પક્ષીઓની વાત નથી.
વર્ષાબેન દેસાઈ
એડવોકેટ
વડોદરા-સિડની
[10/8, 10:27 AM] Jagdish Ranodara.MeM Shankheshwar: NOG સાહિત્ય સરિતા
નંબર – ૧૧૯
શબ્દ : માળો
પ્રકાર : ગદ્ય
શિર્ષક : સળી ન કરીએ.
*માનવીઓ ઘર બનાવે તે ફ્લેટ ને બંગલા,*
*પક્ષીઓ પોતાનું ઘર બનાવે એને કહે માળો;*
*પશુઓના ઘરના નામો અનેક ગણાતા હોય,*
*પશુ-પક્ષીઓના ઘર બનાવા માણસોનો ફાળો.*
માળો એટલે ઘર. સામાન્ય એક કહેવત છે કે સૌ પોતપોતાના માળામાં રહે. એટલે દરેક પશુ-પક્ષીઓને પોતાને રહેવા એક આશરો હોય એટલે કે રહેવા માટે ઘર હોય. કોઈ પણ માણસ દેશ પરદેશ કે ગમે ત્યાં કમાવા જાય ત્યારે તે પહેલા પોતાને રહેવા માટે આશરો બનાવે છે. આશરો એટલે એને રહેવાનું રહેઠાણ એજ ઘર.
અમે સૌરાષ્ટ્ર કાઠીયાવાડ માં મજૂરી કરવા જતાં ત્યારે છૂટા મેદાનમાં અમારી ઘરવખરીનો સામાન રાખતા. ત્યાં અમે વાળી ચોળીને સાફસફાઈ કરતા એ અમારું થાક્યા – પાક્યા નો વિસામો ગણાતો. કોઈ પણ માણસ, પશુ કે પક્ષીઓ પોતાને સલામત રહેવા ઘર બનાવે છે. અપવાદરૂપે કોયલબાનુઓ કદાચ પોતાનો માળો નહીં બનાવતી હોય એટલે જ કાગડાનાં માળામાં ઈંડા મૂકી આવતી હશે. એક લોકગીત પણ ગવાય છે કે *કાગડો કોયલને મારવા જાય છે જી રે…* પક્ષીઓની મહાસભામાં પણ કાગડાઓએ રજુઆત કરી હતી. માળો બનાવવામાં સુગરી ઈજનેર નથી,પણ તેની કલાકારીગરી બેનમૂન છે. સુગરીના માળાની વાનરભાઈ ને ઈર્ષ્યા આવતાં માળો વિંખી નાખેલો. એટલે કોઈને સલાહ આપવામાં પણ પોતાને નુકસાન ભોગવવું પડતું હોય છે…!
માણસ,પશુ-પક્ષીઓ દરેક પોતાના સ્વરક્ષણ માટે માળા રૂપે ઘર બનાવતા હોય છે. પોતપોતાની પરિસ્થિતિ મુજબ ઘર બનાવે છે. પક્ષીઓને માટે માણસો દ્વારા અનેક સંસ્થાઓ પણ પૂંઠાના માળા બનાવી પોતાના આંગણામાં કે ઝાડ પર માળા ટીંગાડતા હોય છે. પક્ષીઓને પીવા માટે પાણીનાં કૂંડા ભરીને રાખતા હોય છે. હમણાં ચકલી બચાવ ઝૂંબેશ ચાલે છે. ચકલીઓ નો કલરવ ઓછો સંભળાય છે. કોઈ પણ પશુકે પક્ષીઓનું જતન કરવાની જવાબદારી આપણા સૌ માણસો ની છે.
પહેલાંના સમયમાં ગિલોલ કાંકરા થી પશુઓને મારવાના બનાવો બનતા હતા, પરંતું શિક્ષણ અને સમજ આવતાં એ બધી પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ છે. જે સારી બાબત છે.
પાલતું પ્રાણીઓનાં માલિકો એમનાં રક્ષણ માટે માળા રૂપે ઘર બનાવી આપે છે, પણ પક્ષીઓએ તો જાતે એક એક તણખલા ભેળા કરીને માળો બનાવવો પડે છે. માળો એટલે ઘર એને કદાપી વિખેરવાનો પ્રયત્ન ન કરીએ. પક્ષીઓ એક એક સળી થી પોતાનો માળો એટલે કે નિવાસસ્થાન બનાવે છે, જ્યારે અમુક વિઘ્નસંતોષીઓ એક સળી કરીને માળો વિખેરવાનો પ્રયત્ન કરે છે. થાય તો આંગળી ચિંધ્યા નું પૂણ્ય કમાઈએ, નહીંતર આપણે આપણા ઘરને સાચવીએ.
“પાલતુ પશુના માલિકો જાતે માળો બનાવી આપે, જ્યારે પક્ષીઓને જાતે સ્વયં માળો બનાવવો પડે;
જીવતા જીવોને રહેઠાણ કરી દેતા સેવાભાવીઓ,
માણસો પક્ષીઓને બનાવી દે એમાં કોઈને ના નડે.”
ડૉ જગદીશ કે રણોદરા (બંધવ)
વીસાવડી-વરણોસરી-શંખેશ્વર-વાહેદપુરા
[10/8, 1:04 PM] Shila Patel.MeM.NOG: Nog ss:- 0038
વિભાગ :-પદ્ય
શીર્ષક :- ” માળો ”
—————————————————————–
મા તારા બાગમાં નાજુક કળી થઈ આવી છું,
મમતાના માંડવે હું માળો ગૂંથવા આવી છું.
ચાંપી છાતીએ વ્હાલથી તરબતર ભીંજાઈ,
તારી અમી ભરી નજરમાં રમવા આવી છું.
આંગળી ઝાલી મંડાવ્યા ડગલાં જીવનમાં,
તારું સ્વાભિમાન તારું અંશ બની આવી છું.
પાંખ આપી શીખવે આભમાં ઉડાન ભરતા,
સંસ્કારના તણખલે માળો ગૂંથવા આવી છું.
સંસ્કાર તારા દીધેલા મારી રગેરગ માં ભરી,
પારકી થઈને પરાયું પોતાનું કરવા આવી છું.
ના લજવાય ભૂલથી મોસળની આબરુ કદી,
તારા ચરણની રજ માથે ચડાવી આવી છું.
હૈયે હામ ભરી ચાલી નીકળી કપરા જીવનપંથે,
પુરી થાય “આકાંક્ષા” આશિષ લેવા આવી છું.
✍️ શીલા પટેલ “આકાંક્ષા”
[10/8, 2:42 PM] Devyani.Bombay.MeM: NOG સાહિત્ય સરિતા-૧૨૩
વિભાગ -પદ્ય
શીર્ષક- સાંભરે
શબ્દ- માળો
એક તરણું ચાંચમાં પંખી ભરે.
બાંધવા *માળો*એ મહેનત બહુ કરે.
જાય સૂરજ સાંધ્યકાળે આથમી.
ક્ષિતિજો મળવા અધીરી તરવરે.
મોરલીમાં કૃષ્ણ મારે ફૂંક જ્યાં.
પ્રેમ રાધા શ્યામનો ત્યાં પાંગરે.
ઝળહળે છે તારલા ઈચ્છા તણાં.
આશનો ઝગમગ સિતારો ના ખરે.
જો ગયા છોડી જે પોતાના હતા.
‘દિવ્ય’સંસ્મરણો જ એના સાંભરે.
દિવ્યા દેઢિયા ‘દિવ્ય’
વડાલા (મુંબઈ)

[10/8, 8:10 PM] Bhavna Mistry.Mem.-2: NOG. S. S. NO: 0099
વિષય: માળો
વિભાગ: પદ્ય
શીર્ષક: હૂંફાળો છે
એન.ઓ.જી સાહિત્ય સરિતાનો જે માળો છે,
તે સહુનાં પ્રેમ અને વિશ્વાસ થકી હૂંફાળો છે.
અહીં પરસ્પર મળ્યાનો આનંદ ને ઉત્સાહ છે,
સહુનો સાહિત્યનાં ખેડાણ તરફનો જ રાહ છે,
આધારશીલા બનેલ સંચાલકનો સિંહફાળો છે,
તે સહુનાં પ્રેમ અને વિશ્વાસ થકી હૂંફાળો છે.
કવિ ને લેખકોની કલમની રૂડી સરવાણી છે,
ભાતીગળ વિષયો, પ્રોત્સાહનની લહાણી છે,
વિશિષ્ટ સિદ્ધિઓનાં મોરપીંછ થકી રૂપાળો છે,
તે સહુનાં પ્રેમ અને વિશ્વાસ થકી હૂંફાળો છે.
લખ્યા વિના બેસી રહેવું અહીં પાલવે નહીં,
કલમ વિના હરખ કે શોક હૈયું ઠાલવે નહીં,
કંડારેલાં શબ્દોમાં કલમનો રુઆબ નિરાળો છે,
તે સહુનાં પ્રેમ અને વિશ્વાસ થકી હૂંફાળો છે.
🖋️ ભાવનાબેન મિસ્ત્રી “અભય”
વલસાડ
[10/8, 9:49 PM] Ratibhai Vaayada.NOG.MEM..Bombay Puja Kanani.Mithapur: * *N.O.G. S.S. No. 0102*
નામ:- *રતીલાલ વાયડા*
વિષય :- *માળો.*
પ્રકાર:- ગદ્ય લેખ .
શીર્ષક;- *માળો જીવન રક્ષક*.
*રચના:*-
આદીકાળથી માનવ પોતાના રક્ષણ માટે ગુફામાં રહેતો તેને માળો કહેવાય. દરેક પ્રાણી પંખી પોતાના રક્ષણાર્થ કોઈ આશરો લઈ લેતા હોય છે. પ્રાણીઓ મોટેભાગે ગુફામાં રહે પંખીઓ મોટેભાગે ઝાડ ઉપર માળા બાંધે અને આ રીતે પોતે અને પોતાના ઈંડા અને બચ્ચાને સુરક્ષિત રાખે છે.
જુદા જુદા પંખીઓ જુદી જુદી રીતે અને સુંદર માળા બનાવે છે ,જે આપણી કલ્પનાની પર છે. જેમકે સુગરીનો માળો, લક્કડખોદ ઝાડના થડમાં માળો બનાવે, દરજીડો પોતાની ચાંચથી પાંદડા સીવીને માળો બનાવે અને પોતાની જાતને સુરક્ષિત રાખે. ભમરી માટીથી માળો બનાવે. ઉધય અને સાપ રાફડા બનાવે.
પ્રાણીઓ પોતાના બચ્ચાને સુરક્ષિત રાખવા માટે દૂર જંગલમાં ઘાસના મેદાનોમાં બખોલોમાં છુપાવી રાખે છે. અન્ય પ્રકારના પ્રાણીઓ પણ પોતાની જાતને જમીનની અંદર છુપાવી દે છે.દરિયાઈ કાચબાઓ રેતી ખોદી અને તેમાં ઈંડા મૂકે છે અને સમય આવીએ ફરી પાછો ખોદી અને તેમાંથી બચ્ચા બહાર નીકળે છે.
આમ દરેક પશુ પંખીને પોતાના સંરક્ષણ માટે કુદરતે જે ક્ષમતા આપી છે તે રીતે પોતે પોતાની જાતનું માળામાં રક્ષણ કરે છે. ગમે તેવી ઋતુઓમાં પણ તેઓ માળામાં સુરક્ષિત રહે છે.
માનવીએ તો પોતાના માળાની વિશેષ સુવિધાઓ ઉત્પન્ન કરી છે ગુફાથી આગળ વધીને ઝૂંપડી તરફ આવ્યો ઝુપડી થી મકાન તરફ આવ્યો અને આજે તો ગગનચૂંભી અને સુંદર મકાનોમાં રહે અને માનવી આ રીતે પોતાનું માળામાં રક્ષણ કરે છે.
આ મકાનો આધુનિક દ્રષ્ટિએ ખૂબ જ સુરક્ષિત અને અત્યંત સાધન સગવડોરોથી ભરેલા છે. તેમાં પંખા, એ.સી. ,ટી.વી., ટેલીફોનની વ્યવસ્થા અને ખૂબ સુંદર રાચરચીલું હોયછે. માળો સુખ સુવિધા સંરક્ષણ અને શાંતિ આપે છે.
* *લેખક:- રતીલાલ વાયડા”*
નવી મુંબઈ.
૮/૨૦/૨૦૨૨. શનિવાર.
[10/9, 8:07 AM] Dr.Aniruddh Vyas.MeM.0082NOG: Nog ; ss 0082
સાહિત્ય સરિતા ,
વિષય :માળો ,
પ્રકાર : ગદ્ય ,
શિર્ષક : સબંધની સુગન્ધ ,
ઘરેલુ સમસ્યાઓ ,સાથે અનેક
દુખ દાયિ જીવન પ્રવાહ ,વચ્ચે
“વસુધેવ્ કુતુમ્બ્કમ્ “ની ઉત્તમ
માર્ગ રીતિ જીવન ની અનેકાનેક પરેશાનીને દૂર કરે છે
આધૂનિક સમયમા વ્યક્તિ મોભિ ની છત્ર છાયા નું મહત્વ
લેશ્ માત્ર જ રહ્યું છે,
દરેક કુટુમ્બ પોતાના મોભિની
શાખ, ઇજ્જત્ ,આબરુ થી
સમાજ માં પુજાતૂ હતું,
દિકરા દિકરીઓનુ વેવિશાળ તરત થઈ જાતૂ ,
હર્શોલાશ્ , આનન્દ ,કિલ્લોલ,
કિકિયારીઓ, આ બધા આનન્દ વર્ધક શબ્દો એક
ભૂતકાળમાં વપરાતા શબ્દો બની ગયા હોય તેમ લાગે છે,
“માળો ” શબ્દ પક્ષીઓ સાથે
સરખાવી એક ગૌરવ અને કૂ ટુમ્બ ની મજ્બુતાઇ તરફ વર્ણ વતો સ્તમ્બ સ્વરૂપ દર્શાવે છે ,
“માળો વિખાઇ ગયો”
એવી દૂખદ્ લાગણીઓનુ વર્ણન બતાવવા આ વાક્ય
પૂરતૂ છે,
શ્રધ્ધાનો અભાવ એ
મુક્ત વીચાર
ધારા ,અને ટૂકી દ્રષ્ટિ થી
” ઘેર ઘેર માટીના ચુલા”
જેવા અપ્રિય ઉદ્દ્ગાર નૂ નિરૂપણ થતૂ રહે છે,
સામાજીક કુટુંબ ભાવના ,
અને કુટુંબ પ્રેમ્ જે ઘરમાં હશે
તે ઘરમાં અપાર સુખ શાન્તિ
અને લક્ષ્મી નો વાસ ધન ધાન્ય
રુપે નિવાસ કરશે ,
પુત્ર પાઉત્રાદિક્ ને સંસ્કાર,
જ્ઞાન, અને સહન શક્તિ નૂ
સિચન કરવાથી અતી મૂલ્ય વાન કુટુંબ નો માળો મજ્બૂત્
ઉભો રહેશે .
ડો અનિરુદ્ધ વ્યાસ
edmonton
Canada
[10/9, 10:06 AM] Nikhil Kinariwala.MeM: *NOG SS No* : *0110*
*પ્રકાર : ગદ્ય- *નિબંધ લેખ*
*વિષય* : *માળો*
*શબ્દો* : *૩૪૫*
*શીર્ષક* :*’જીવ માત્રની સુરક્ષાનો પર્યાય-માળો’*
*લેખકનું નામ* : *નિખિલ કિનારીવાળા (અમદાવાદ)*
‘માળો’ શબ્દ સાંભળતા જ સ્વાભાવિકપણે આપણા મગજમાં વિવિધ પક્ષીઓના માળાનું સ્મરણ થાય. નાનપણથી આપણે ચકલી, કબૂતર, સુગરી, ટીટોડી જેવા કેટકેટલા નિર્દોષ પક્ષીઓના અખૂટ મહેનતે બનાવેલા માળા જોયેલાં છે. પક્ષી જ નહીં પરંતુ દરેક જીવ માત્રને જીવનમાં સલામતી જોઈએ છે. તેથી તે પોતાના અને પોતાના પરિવાર માટે એક સુરક્ષિત ઘરનું સર્જન કરે છે, જે એક પ્રકારનો માળો જ છે. આમ પક્ષી જ નહીં, પરંતુ કોઈ પણ પશુ કે માણસ માત્રને પોતાના માળા એટલે કે ઘરમાં જતાં સલામતી, અંગતપણું અને હુંફ પ્રાપ્ત થાય છે.
કોઈપણ જીવ પોતાની જરૂરિયાત અનુસાર પોતાના માળાનું સર્જન ખૂબ ચીવટપૂર્વક કરે છે, જેમાં પોતાના કુટુંબને સલામતીપૂર્વક રાખી શકે અને કાળજી લઈ શકે. બહારના વાતાવરણના ટાઢ, તાપ કે વરસાદથી તથા પોતાને નુકસાન પહોંચાડી શકનાર તત્વોથી પણ રક્ષણ મેળવી શકે. પક્ષીઓ એક એક તણખલું ભેગું કરીને અનુકૂળ જગ્યાએ સુંદર રીતે પોતાના માળાનું સર્જન કરે છે. પ્રાણીઓ પોતાને યોગ્ય ખોલ-બખોલ શોધીને પોતાનો નિવાસ બનાવે છે અને સુરક્ષાની લાગણી અનુભવે છે. કેટલાક પક્ષીઓને કલાત્મક માળા બનાવવાની કુદરતી બક્ષીશ હોય છે. સુગરીએ બનાવેલા આવા ઉપયોગમાં લેવાઇ ચૂકેલા કલાત્મક માળા આપણે ઘરસુશોભનમાં પણ કામમાં લઈએ છીએ. તણખલાઓથી બનાવેલો આ માળો એવો મજબૂત હોય છે કે તેને સ્ટ્રક્ચર અને આર્કિટેક્ચરનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય.
મનુષ્ય પણ આમાંથી બાકાત નથી, પરંતુ મનુષ્ય એ સામાજિક પ્રાણી છે તેથી તે તેના માળા અથવા ઘરની પસંદગી શાંતિ, સલામતી અને પોતાના કુટુંબની અંગત જરૂરિયાતો અનુસાર કરે છે. પોતાને રહેવા માટે ઉત્તમ થી ઉત્તમ સુખસગવડયુક્ત કલાત્મક ઘર બનાવવા માટે મહેનત કરે છે. મનુષ્યની પ્રાથમિક પસંદગીના મુદ્દાઓમાં હૂંફ, લાગણી અને સામાજિક સંબંધો ખાસ મહત્વ ધરાવે છે. ખુશીના માહોલમાં અથવા મુશ્કેલીના સમયમાં પોતે પોતાના ગમતા માનવસમૂહ સાથે જોડાયેલો રહી શકે તેવા માહોલમાં રહેવાનું તે પસંદ કરે છે.
માનવોની ભીડથી ઉભરાતું અત્યંત પ્રવૃત્તિમાં રચ્યુંપચ્યુ રહેતું એવું મુંબઈ શહેર અને તેની ચાલીઓ અને માળા, જેમાં માણસ દિવસનો થાકેલો આવીને પોતાના કુટુંબ સાથે નિરાંતનો શ્વાસ લઈને સમાઇ જતો હોય છે અને પોતાના સુખ-દુઃખના પ્રસંગો આસપાસના મિત્ર અને સંબંધીઓના સમૂહ સાથે વહેંચી શકતો હોય છે. મુંબઈની ભીડભાડવાળી જગ્યાઓમાં રહેવાની વ્યવસ્થા ધરાવતા આવા અસંખ્ય નાના માળાઓ અસ્તિત્વમાં હોય છે જ્યાં દિવસ-રાત માનવીની સંવેદનાઓ અને ઉષ્માભેર લાગણીઓની આપ લે થાય છે. આ નિવાસોની રચના અને જીવનવ્યવસ્થાને અનુલક્ષીને જ તેનું ઉપયુક્ત નામ અપાયું છે ‘માળો’
નિખિલ કિનારીવાળા, અમદાવાદ
૯ ઓક્ટોબર ૨૦૨૨
[10/10, 5:01 PM] Sweta Talati.MeM.NoG: NG 0078
પ્રકાર – પદ્ય ( અલગ અલગ છંદમાં શેર)
વિષય – સુગંધ
શીર્ષક – સુગંધ
અંધ પૂછે ‘સુગંધ આવી મસ્ત?’
કહે કે પાસે ગુલાબ છે ગુલાબ.
યાદ એની લઈ હવાના આવતાં જ!
પ્રસરી ગઈ ભીનાશ પણ સુગંધમાં.
બગીચો નથી પાસમાં, પણ સુગંધિત પવન?
હવામાં મને એમની પ્રેમ ફોરમ મળે.
સુગંધી ફૂલ સૌ ભેગા કરી રંગો બનાવું તો?
ભીના ને પારદર્શી ભાવથી રંગો બનાવું તો!
ઘણી ઉન્નતિ કરી વિજ્ઞાને પણ કહું વાત ઈશ્વરની;
પ્રથમ વરસાદી ભીની માટીની સુગંધ લાવી જો.
– શ્વેતા તલાટી
[10/10, 5:35 PM] Mohanbhai Parmar.Baroda: NOG No : 126
પ્રકાર : ગદ્ય ( ચિંતન લેખ)
વિષય : સુગંધ
લેખક: મોહનભાઈ “આનંદ ‘
================
पृथ्वी सगन्धा सरसास्तथाप:
स्पर्शी च वायु्र्ज्वलितं च तेज:
नभ: सशब्दं महता सहैव,
कुर्वन्तु सर्वे मम सुप्रभातम् ।।
ગંધયુક્ત પૃથ્વી,રસયુક્ત જળ, સ્પર્શ યુક્ત વાયુ, પ્રજ્વલિત તેજ, શબ્દ સહિત આકાશ અને મહતત્વ – સર્વે
મારા પ્રાત:કાળને મંગલમય કરો.
આ સવારની પ્રાર્થના છે.એમા પંચતત્વોના દેવોને આહ્વાન કરી પ્રભાત ને સુપ્રભાત મંગલમય બને એવી ભાવના છે,
પરિણામે દિવસ સુંદર સુગંધ યુક્ત પ્રસાર થાય. આપણો
આત્મિય ભાવનો , ઊર્મિનો સંસ્પર્શ બીજાઓ સુધી પવનદેવ પહોંચાડે છે,જેથી વાતાવરણની અસર દિવ્યતા સભર, રસાળ અને મધુરતામાં ઢળી અંતઃકરણને તુષ્ટિ અને પુષ્ટિ આપે છે
મહાન ભગવદીય પરમવૈષ્ણવોએ શ્રી યમુનાજી ના ૪૧ પછ ગાયા છે, તેમાં ચૌદમાં પદમાં કહ્યું છે:
પ્રાણ પતિ,વિહરત શ્રી યમુના કૂલે,
લુબ્ધ મકરંદ કે, ભ્રમર જ્યોં બસ ભયે;
દેખ રવિ ઉદય, માનો કમલ ફૂલે.
કરત ગુંજાર મુરલી જુ લે સાંવરો;
સુનત બ્રિજ બધૂ ,તન સૂધ છું ભૂલે,
ચતુર્ભુજ દાસ યમુને પ્રેમ- સિંધુ મેં,
લાલ ગિરિધરન વર, હરખિ ઝૂલે.
ગંધ એ પૃથ્વી તત્વનો ગુણ છે, યોગવિદ્યાના વિજ્ઞાનમાં ચતુષ્કોણ સુવર્ણ રંગવાળુ પૃથ્વી તત્વનું સ્થાન મૂલાધાર ચક્ર છે,એ ગુદા મૂળથી ઉપર બે આંગળ અને ઉપસ્થ નીચે બે આંગળ નીચે છે.એના ચાર વર્ણ છે .તત્વબીજ લં છે. ગુણ ગંધ છે, જ્ઞાનેન્દ્રિય ગંધ તન્માત્રાથી ઉત્પન્ન થવાવાળી સુંઘવાની શક્તિ નાસિકા સ્થાન છે.એનો લોક ભૂલોક છે .
તત્વબીજનુ વાહન ઐરાવત જેના ઉપર ઈન્દ્ર વિરાજમાન છે.અધિપતિ દેવતા બ્રહ્મા પોતાની શક્તિ ચતુર્ભુજ ડાકિની સાથે છે.
પ્રાકૃતિક પંચતત્વોના પંચીકરણ અને ત્રણ ગુણોના મિશ્રણ થી જીવ ઈન્દ્રિયોના વિષય અને એની તન્માત્રાઓ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધનો, અહંકાર દ્વારા દેહ અધ્યાસના કારણે
મન બુધ્ધિના માર્ગદર્શન હેઠળ, ઉપયોગ અથવા ઉપયોગ કરીને સુખી અથવા દુખી થાય છે. આ પ્રાકૃતિક સત્ય છે.
સૃષ્ટિનો રચના કરનાર પરમપિતા છે,એમની લીલા છે, આપણા આનંદ માટે સૃષ્ટિનું સર્જન કર્યું છે. આપણે તો અહોભાવ વ્યક્ત કરવાનો મોકો છે.એમની દિવ્યતા અને
દિવ્ય રસાનુભૂતિ દ્વારા દિવ્ય સુગંધનો આપણે ઉપભોગ કરીને જીવન કૃતાર્થ કરવાનું છે.
પૂજામાં પંચોપચાર, ષોડશોપચાર વગેરે હોય છે.ભગવાનને
ચંદન અથવા ઈતર સુગંધી દ્રવ્યો દ્વારા , આપણે સ્નાન વગેરે કરીને,લેપન આદિ કરી સૌભાગ્ય પ્રાપ્ત કરી ધન્યતા અનુભવીએ છીએ. મંદિરોમાં, ઘરમાં એમ કરીએ છે.
સુગંધ એ પરિપક્વતા છે, જ્યારે ફળ પાકે, ત્યારે એની સુગંધ ચારે તરફ પ્રસરી જાય છે. એ પ્રાકૃતિક ઘટના છે.
એવી રીતે વ્યક્તિના સદગુણો અને સત્કર્મથી એની સેવાની પુષ્ટિ થાય એટલે એના કર્મો મહેંકતા જાય,એની કીર્તિ અત્તરની જેમ ફેલાઈ જાય,એ જ તો પૃથ્વી તત્વનું રહસ્ય ગંધ છે.એનાથી ઉલ્ટું પણ હોઈ શકે છે, આપણને અનુભૂતિ થાય જ છે .
વ્યક્તિના શરીરમાંથી પણ સુગંધ અને દુર્ગંધ બન્ને ફેલાય છે. અમૂક મુનિ સ્નાન ઈત્યાદિ ના કરવા છતાં એમના શરીર માંથી દિવ્ય સુગંધ પ્રગટે છે. પ્રાણાયામ અભ્યાસક્રમ કરનાર ઉચ્ચ કોટિના સાધકને દિવ્ય સુગંધનો અનુભવ થાય છે. ધ્યાન કરનારને પણ એમ અંનુભવાય છે. આમ
પૃથ્વી તત્વનો વિકાસ થાય,અને દિવ્ય સુગંધ સમજાય છે.
એવી રીતે દુર્ગંધ પણ અનુભવીએ છીએ,એ કહોવાટ છે,
એ પ્રકૃતિમાં નષ્ટ થતાં પરિવર્તનશીલ નિયમોને આધારે છે.
શાશ્વત તો ચૈતન્ય છે, તત્વો પરિવર્તન શીલ છે, લાયકાત પ્રમાણે ઉપાય , ઉપભોગ કે ઉપચાર થાય છે.ઈશ્વરે આપેલી દિવ્ય ગ્રામ ઈન્દ્રિયનો સદ ઉપયોગ કરી જીવન ધન્ય બનાવવું જોઈએ.
સનાતન ધર્મની જેમ બીજા ધર્મોમાં પણ ગંધોપચાર છે.
દરગાહ પર ફૂલો અને અત્તર દ્વારા પૂજા આરાધના થાય છે
જ્ન્મ, મરણ, લગ્ન , વિશિષ્ટ ઉત્સવમાં દેશ વિદેશમાં સુગંધ નો ઉત્સવ થાય છે. એ ઉત્સાહવર્ધક અને મન બુધ્ધિને
શાંતિદાયક બની વિકાસનો માર્ગ પ્રશસ્ત કરે છે. ઈશ્વરની
રચના પર સવાલ ઉઠાવનાર ઘણા છે,પણ એની દિવ્યતાને
આચરણમાં લાવીને, જીવનમાં રસાનુભૂતિ અને સુગંધથી મહેંકતા ઘણા ઓછા છે.
મારું તો ફક્ત એક જ વિધાન છે. તમે દિવ્યમાં તરબતર
છો જ, બસ એક કળથી એ દ્વાર ખોલવાની જ વાર છે.
તમે એવા દિવ્યજ્ઞાન, દિવ્ય સુગંધિત જીવન પામવાના
અધિકાર સાથે જન્મ્યા છો પછી વંચિત કેમ છો? આ પ્રશ્ન આપણે પોતાની જાતને પુછવો જોઈએ. અને ઉત્તર પણ તમને પોતાની જાતમાંથી જ મળશે , એવી દિવ્ય વ્યવસ્થા છે. સૌનું જીવન દિવ્યતા સભર બને, સદગુણોથી મ્હેકી ઊઠે, બસ એટલી જ દિવ્ય સુગંધિત પ્રાર્થના શ્રી ચરણોમાં છે. ૐ આનંદ ૐ.
મોહનભાઈ “આનંદ”
[10/10, 6:10 PM] Ramila Makvaana.MeM.: NOG SS
Number : 120
શબ્દ : સુગંધ
પ્રકાર : પદ્ય (અછાંદસ)
શિર્ષક : પારિજાત
શબ્દો : ૯૭
*પારિજાત*
પારિજાત પવિત્રને ઔષધિય છોડની સુગંધ ફેલાય,
તેનાં ફૂલની મહેંક ચોમેર પ્રસરતાં મીઠી સુગંધ ફેલાય.
વહેલી સવારનાં ખુશનુમાં વાતાવરણમાં સુગંધ ફેલાય,
સફેદ ફૂલને કેશરી દંડી હાથમાં લેતાં જ સુગંધ ફેલાય.
શરીરનાં દુઃખાવામાં રામબાણ ઈલાજથી સુગંધ ફેલાય,
પાનનો રસ બનાવીને આરોગતા શરીરમાં સુગંધ ફેલાય.
તેનાં ફૂલને સુકવતા કેશરિયા કલરમા સુગંધ ફેલાય,
ફૂલોને હાથમાં લેતાં હથેળીમાં મખમલી સુગંધ ફેલાય.
દેવમંદિરે ફૂલો ચડાવતાં મંદિરમાં બધે સુગંધ ફેલાય,
પારિજાતએ સૌભાગ્યનો શણગાર સર્જી સુગંધ ફેલાય.
સારા કાર્યો કરવાથી માણસનાં જીવનમાં સુગંધ ફેલાય,
પારિજાત પાસેથી માનવજાત શીખે તો સુગંધ ફેલાય.
*રમા* કહે ભાગ્યશાળીને ઘેર પારિજાતની સુગંધ ફેલાય,
ઘર-ઘર આવા ફૂલછોડ વાવીએ તેથી સુગંધ ફેલાય.
રમીલા ડી મકવાણા *રમા*
લાડુલા તા ભાભર
[10/12, 8:03 AM] Ghanshyam Nayak.MeM.NOG �ાઈ: NOG ૦૦૦૧૩
પ્રકાર: પદ્ય
વિષય: સુગંધ
શીર્ષક :
શ્યામના નામની સુગંધ
ઊગતા પહોરે જો
આભેથી તારો ખરે!
શ્યામ તારું નામ
આકાશે કોણ ચીતરે?
મારા હોઠ પાસે થી
રોજ તું આશ્લેષ ભરે
તો શ્યામ તારું નામ
હોઠે કોણ ચીતરે?
આ કુંજગલીમાં રાધા
સાથે રોજ તું નીકળે
તો શ્યામ તારું નામ
કુંજની ભીંતે કોણ ચીતરે
મોરલીના મધુર નાદે
નાચતાં મોરપિચ્છ ખરે
તો શ્યામ તારું નામ
મોરપીંછે કોણ ચીતરે?
મારા અંગથી રોજ જો
સુગંધ તારી નીકળે
તો શ્યામ તારું નામ મારા અંગે કોણ ચીતરે?
ઘનશ્યામ વ્યાસ
“શ્યામ”
[10/12, 9:08 AM] Babu Sangada.પત્રકાર: NOG 109
શિર્ષક:-સુગંધ/બાબુ સંગાડા”મહેક”
પ્રકાર:-પધ
ઉભો થઈ ચાલી નીકળ ,
હદ થઈ છે.
મુસાફર બની જા ,
નહી તો લઈ લે ફકિરી.
પડાવ મળે કે ન મળે છોડ બધી ચિંતા,
ચાલ્યો જા ને ચાલ્યા કર હવે તું,
રસ્તાઓ કરશે સુગંધોનું કામ બધે.
બગીચા સજાવી બેઠા છે.
સુવાસ વાવી બેઠા છે.
ઠરતો નહીં કોઈ જગા,
અહીં વિશ્વાસ પાથરી,
એ બધા તને અટકાવી દેવા બેઠા છે.
કોઈ નોહતા પહેલા દુશ્મનો,
એ બધા ઉગી જશે તું વધ હજી
ઘરેલુંહિંસા જેવા ફાટી નીકળશે
બિલાડીના ટોપ થઈ.
ઘમરોળશે તને તારી જાતને
પછી જોજે આંધી ફરીવળશે બધે સુગંધોની.
છોડી દે નમાલા કાફલાને
એ બધા એજ કરે છે આજ લગી,
રોકી સુવાસ ઓઢી લે કોઈ વ્હેતી,
ને પોતાને નામ કરી વાહ! વાહી !કરે
ભ્રમાતો નહીં એ વાતમાં કોઈ દમ નથી,
કાલ જોજે
તારી આસપાસ ચક્રવાક હશે સુગંધોના.
[10/12, 6:21 PM] Anjana Gandhi.MeM.NOG: N.O.G.SS.NO. 0026
વિષય – સુગંધ
વિભાગ – પદ્ય ( મૌલિક રચના)
ખુશ્બૂ છોડી ફરવા લાગ્યાં.
પુષ્પો મનનું કરવા લાગ્યાં.
ક્યાં છે કિંમત ફૂલની કોઈ?
શ્વાસ વિના સૌ ખરવા લાગ્યાં.
ફૂલને સૌ જે ચૂંટી લેતાં,
બાગથી પાછાં ફરવા લાગ્યાં.
વિના સુગંધે ફૂલ નકામાં,
ઢોરાં આવી ચરવા લાગ્યાં.
ફૂલ – સુગંધનો મેળ અનોખો,
નવાં સ્વરુપે અવતરવા લાગ્યાં.
✍️ અંજના ગાંધી ” મૌનુ”
વડોદરા
[10/12, 7:06 PM] Jagdish Ranodara.MeM Shankheshwar: @ NOG સાહિત્ય સરિતા
@ નંબર : ૧૧૯
@ શબ્દ : સુગંધ
@ પ્રકાર : ગદ્ય
@ શિર્ષક : મહેંક મૂકતા જઈએ
@ શબ્દ : ૩૦૪
@મહેંક મૂકતા જાવ@
અણમોલ જીવન મળ્યું છે, તો કંઈક સારા કાર્યની મહેંક મૂકતા જઈએ. આપણુ આ અવની પર અવતરણ થયું તેની ખબર માત્રને માત્ર પરિવાર અને આડોશી-પાડોશીને અને વધુમાં મામાનાં ઘર સુધી પહોંચી હશે. જેમ-જેમ મોટા થતા જઈએ અને બધે આપણા કાર્યની મહેંક પ્રસરાતી રહે એ આપણા જીવનની પા પા પગલી ગણાય. પરિવાર,સમાજ,ગામ,તાલુકાથી વિશ્વ સુધીની સફરમાં આપણી નામના માં વધારો થતો જાય એ આપણા જીવનની સાર્થકતા ગણાય.
કબીર સાહેબની પંકિતઓ સાંભળતાની સાથે જ જીવનમાં અનાયાસે કરાતી ભૂલોનું પ્રાયશ્ચિત કરવું રહ્યું.
*જબ તૂમ આયો જગમેં,જગ હસે તૂમ રોય;*
*ઐસી કરણી કર ચલો, તૂમ હસો જગ રોય.*
જગતનાં દર્શન કરાવનાર માતા-પિતા અને ઈષ્ટ દેવની આરાધના કરતાં-કરતાં સારા કાર્યો કરતા રહીએ અને ખોટા કાર્યો થી છેટા રહીએ તો ઉપરની ઉક્તિ આપણાં જીવનને સાર્થક કરશે. આપણાથી થાય તો કોઈનું સારું કામ કરીએ, પણ કોઈની કદાપી ઈર્ષ્યા કે નિંદા કદી ન કરવી જોઈએ. થઈ શકે તો સારુ કામ કરવા પ્રેરાઈએ, પણ ખરાબ કાર્ય કરવા કદી ન પ્રેરાઈએ. જીવન એકવાર મળ્યું છે તે બીજી વખત મળવાની કોઈ ગેરંટી નથી નથી અને નથી જ, તો શા માટે કોઈ નું ખરાબ વિચારવું રહ્યું….!!!
*ઘડી હુઈ ઘડિયાળ મેં,હૂવા પરાયા માલ;*
*નંગા આના નંગા જાના,ઈતનો રખીએ ખ્યાલ.*
પહેલાંના જમાનામાં ન્યાય માટે રજવાડા સામે કે સરકાર સામે બહારવટીયા બહારવટે ચડતા હતા.તેમા બહારવટીયાની ટોળકીને મુખ્ય બહારવટીયા દ્વારા કડકમાં કડક સુચના આપવામાં આવતી હતી કે એકલી -અટુલી બહેન દિકરીઓની લાજ આપણે રાખવાની છે. ક્યાંય આપણા બહારવટાને લાંછન ન લાગે એવું પવિત્ર બહારવટું ખેલવાનું છે. એટલે જોગીદાસ,લાખોફૂલાણી,વીર રામવાળો અને વીસાવડી ગામના દાનાપગી નાં બહારવટા ન્યાય – નિતી અને પ્રમાણિકતાનાં પ્રમાણોને આજે પણ લોકો યાદ કરે છે. તે ઉપરાંત સારા રાજાઓ,નેતાઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સંતો-મહંતોને યાદ કરીને તેમણે ફેલાવેલી સુગંધની સુવાસ પ્રસરી રહી છે.
સારા કર્મો ની મહેંક એટલે કે સુવાસ ચારેકોર ફેલાવીએ એવું અનુપમ જીવન જીવીએ અને બીજાને જીવવા દઈએ.સૌ નાં જીવનમાં ચોમેર *સુગંધ* એટલે
સુ – સુખમાં
ગં – ગંગા
ધ – ધરતી માં
આપણા કરેલા સારા કાર્યોની *સુગંધ* એટલે કે સુખમાં- ગંગાના પ્રવાહની જેમ ધરતીમાં ફેલાતી રહે અને સારા કારયોની સુવાસને મહેંક મૂકતા જઈએ…!
ડૉ જગદીશ કે રણોદરા (બંધવ)
વીસાવડી-વરણોસરી-શંખેશ્વર-વાહેદપુરા
[10/13, 12:50 AM] Alpa Mehta.Rajkot: અલ્પા મહેતા “ એક અહેસાસ “
પ્રકાર – ગદ્ય
વિષય – સુગંધ
શિર્ષક – સુગંધ ને સથવારે
———————————
ફૂલોને ક્યાં ખબર છે
કે વસંત આવી ગઈ છે!
એ તો બસ મસ્તીમાં ઝૂમી રહ્યાં છે,
એને ક્યાં ખબર કે એની “સુગંધ”
ચારો ઓર લોકો માણી રહ્યાં છે.
“સુગંધ “ને સથવારે ,
માનવીની મુસાફરી મંડાઈ છે
કોઇ ખોલે આયખું ને
કોઇની સદાયને માટે મીંચાઈ છે.
જગત આખું “ચાલને જીવી લઈયે “
“ચાલને જીવી લઇયે”એ કહેતું ફરે છે,
પણ જ્યારે સમય પાકી જાય છે,
એ એની સુવાસ છોડી વહેતો થાય છે .
કરુણતા ફુલોની,
પણ કાઇ ઓછી નથી,
પાનખરની સાથે સાથ
એ પણ ખર્યા વગર રહેતાં નથી.
જે મહેકતા ફૂલો પાછળ
માનવી મદહોશ બની જાય છે
એ જ માનવી ફૂલોને પગ નીચે
કચડી ચાલ્યો જાય છે .
દોરંગી દુનિયાની દોરંગી વાતો છે.
ગળામાં મખમલી સુગંધી
ફૂલોનો હાર અને હથેળીમાં
પીસાતી કળિયોનું સુગંધી ઇતર છંટાઈ છે.
સથવારો આપે છે સુગંધ
જીવનનાં પ્રારંભથી અંત સુધી,
સ્વાર્થી માણસ કચડે છે એને ,
એના કરમાય ગયા પછી,
ફૂલો ને ક્યાં ખબર છે
માણસની ચતુરાઈ!
એ તો બસ મસ્તીમાં ઝૂમી રહ્યાં છે,
એને ક્યાં ખબર કે એની “સુગંધ”
ચારો ઓર લોકો માણી રહ્યાં છે.
[10/13, 8:47 AM] Mina Mangroliya.MeM.NOG: ✅ NOG.SS NO:-0032
સાહિત્ય સરિતા
વિષય:- સુગંધ
શીર્ષક:- *સુગંધની સંગાથે*
પુષ્પની આંગળીઓ જાલી,
તું બારમાસી છોડનું ફૂલ,
રોજ ખીલતું અને ખૂલતું.
શબ્દ શબ્દ હું ગુંથાવ છું.
પુષ્પની આંગળીઓ જાલી,
સુંગધે સુગંધે હું અટવાવું,
હું સુગંધ બની જાઉં.
શબ્દ શબ્દ હું ગુંથાવ છું.
પુષ્પની આંગળીઓ જાલી,
પુષ્પની પાંદડીઓ જાલી,
પ્રેમ પ્રીતથી હું વરી જાઉં.
શબ્દ શબ્દ હું ગુંથાવ છું.
પુષ્પની આંગળીઓ જાલી,
સાહિત્યને હું દર્પણ સમ રાખી,
પુસ્તક બની વાંચી જઉં.
શબ્દ શબ્દ હું ગુંથાવ છું.
પુષ્પની આંગળીઓ જાલી,
શબ્દ શબ્દ સુગંધ પ્રસરે,
શબ્દ શબ્દ સાથ સંગાથ.
શબ્દ શબ્દ હું ગુંથાવ છું.
પુષ્પની આંગળીઓ જાલી,
સોનામાં શબ્દ સુગંધ ભળી,
સુગંધની પાંખડીઓ થઈ બેઠા.
શબ્દ શબ્દ હું ગુંથાવ છું.
પુષ્પની આંગળીઓ જાલી,
યાદો હતી સુગંધ જેવી,
વરસાદની હેલીમાં પલળી જઉં.
શબ્દ શબ્દ હું ગુંથાવ છું.
મીના બી. માંગરોલીયા મીનુ
અમદાવાદ
13/10/2022
[10/13, 3:17 PM] Kajal.MeM: NOG SS No : 122
પ્રકાર : પદ્ય
શિર્ષક : સુગંધ થઈ મહેંકી ઉઠે
વિષય : સુગંધ
સાંભળી પરની વ્યથા, જે સહજ વરસી પડે,
એ અશ્રુ બિંદુઓ સદા સુગંધ થઈ મહેંકી ઉઠે.
પરદુઃખે સુખ આપવાની કામનાઓ થઈ પડે,
ઉરની એ આર્દ્રતા સદા સુગંધ થઈ મહેંકી ઉઠે.
પ્રાર્થનામાં જો સદા નિરપેક્ષતા વહેતી રહે,
એ શબ્દ ગંગા સદા સુગંધ થઈ મહેંકી ઉઠે.
માત કેરા નયનમાં બાળ કાજે સતત નિસરે,
એ અખૂટ અમીધારા સદા સુગંધ થઈ મહેંકી ઉઠે.
સંબંધમાં સમ બાજુ બંધાઈ જાય જો સંવેદના,
સંબંધ એ સઘળા સદા સુગંધ થઈ મહેંકી ઉઠે..
પ્રણયમાં દિલને મળી જાય સાચી ચાહતની ચમક,
અહેસાસની એ ઊર્મિઓ સદા સુગંધ થઈ મહેંકી ઉઠે.
ખોળિયું આ આજ છે ને કાલ વિલય પામી જશે,
સત્કર્મમાં વીતેલ ક્ષણો સદા સુગંધ થઈ મહેંકી ઉઠે.
ફૂલ કરમાઈને વિખરાઈ જશે છે એ નિયતિ,
અસ્તિત્વ એનું ચિરકાળ સુગંધ થઈ મહેંકી ઉઠે.
🌷કાજલ🌷
નામ : કાજલ શાહ
સ્થળ :મુંબઈ.
[10/13, 4:08 PM] A Nishant Mother.MeM.NOG: NOG SS 0092
પ્રકાર :- પદ્ય
વિષય :- સુગંધ
શિર્ષક :- સ્નેહની સુગંધનું સરનામું મારા પપ્પા !
હંમેશા ફૂલોની જ સુગંધ હોય,
એવું કંઈ જરૂરી નથી.
તમારા કેટલાંય સુખદ સ્મરણો,
અંતરને સદા મ્હેંકાવે છે પપ્પા !
બાળપણમાં જે પીઠ પર,
ઘોડો કરીને જગ જીત્યાની ખુશી મળતી.
એ જીત, એ રાજગાદી સમી પીઠ,
હજુંય સફળતાની સુગંધ રેલાવે છે પપ્પા !
પકડી નાનકડો હાથ મારો,
ઘૂંટાવતા’તા તમે જે નવા- નવા અંકો.
જીવનના ગણિતમાં એ અંકો,
પાકાં બનવાની સૌરભ ફેલાવે છે પપ્પા !
બની યુવાન રાજકુંવરી સમી ને,
હાથ સોંપ્યો હતો તમે મારો એને માંયરામાં.
જીવનની એ નૂતન સફરના સ્મરણો,
અંતરમાં ગુલાબોની સુવાસ પ્રસરાવે છે પપ્પા !
બની હું જ્યારે દિકરીમાંથી માતાને
ઘર ગૂંજ્યું નવાંગતૂકની કિલકારીઓથી.
તમારે હૈયે ઉઠેલ આનંદની ઊર્મિઓની ભીનાશ, આજેય સ્મરણ બની મનને મ્હેંકાવે છે પપ્પા !
જીવનના દરેક પડાવે તમારી હાજરી,
નીવડી સુગંધની છોળો ઉડાડનારી.
અત્તરની શીશી સમ હતું વ્યક્તિત્વ તમારું,
જરાવાર કરે શું ઝાલ્યું ને જીવન હાલ પણ એથી મ્હેંકે છે પપ્પા !
# અલકા નવિનચંદ્ર મહેતા
ગાંધીનગર
૧૩/૧૦/૨૨.
[10/13, 4:14 PM] Ratibhai Vaayada.NOG.MEM..Bombay Puja Kanani.Mithapur: . *N.O.G. S S. No. 0102*.
નામ:- *રતીલાલ વાયડા*
વિષય:- *સુગંધ*.
પ્રકાર:- ગદ્યલેખ.
શીર્ષક:-**સંતની સુગંધ**.
તારીખ ૧૩/૧૦/૨૦૨૨. ગુરૂવાર.( સંકષ્ટી.)
*રચના:*-
૧૯૫૩ માં બેટમાં એક સંત પધાર્યા. તેનું નામ પ્રેમભિક્ષુ મહારાજ હતું. તેઓ બિહારથી આવેલા હતા. ત્યાંની સ્કૂલમાં તે શિક્ષક હતા . તેણે સંસાર છોડી અને બેટમાં દાંડીવાલા હનુમાનના મંદિરમાં તેઓએ નિવાસ્થાન કર્યું. ૧૩ મહિના સુધી કાસ્ટ મૌન રાખી અને ફક્ત મગ ઉપર રહીને ભગવાન શ્રીરામ અને હનુમાનજીની ઉપાસના કરી. લોકોને **શ્રી રામ જય રામ જય જય રામ “* નો મંત્ર આપ્યો.
બેટમાં તે જુદે-જુદે ઠેકાણે ૨૪ કલાક સુધી રામ ધુન રાખતા. અમે પણ નાના હતા ત્યારે મહારાજ શ્રી ની સાથે આ રામધુનમાં જોડાતા અને પ્રેમ ભિક્ષુ મહારાજની સેવા કરતા અને તે પણ અમારી સાથે આનંદ કરતા . જ્યાં મહારાજ શ્રી જાય તેની સાથે અમારી આ બાળકોની વાનરસેના પણ સાથે જતી હતી અને ધુનમાં મગ્ન રહેતા હતા.
ત્યાર પછી તેઓએ દ્વારકામાં નિવાસ કર્યો અને આજે દ્વારકામાં જે રામધુન મંદિર છે તેની તેણે સ્થાપના કરી હતી . આજે આ રામધુન મંદિરમાં *૨૦૦૦૬૦* જેટલા દિવસોથી અખંડ રામધુન ચાલે રાખે છે. ઉત્સવો ઉજવવામાં આવે છે.
ત્યાર પછી તો જામનગર બાલા હનુમાનમાં તેમજ રાજકોટ, વેરાવળ, પોરબંદરમાં અને ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ **શ્રી રામ જય રામ જય જય રામ ** નો મંત્ર જાપ અખંડ થયા રાખે છે.
આમશ્રીપ્રેમભિક્ષુજીમહારાજે ગુજરાત અને ભારતના ઘણા બધા સ્થળોએ *”શ્રીરામ જયરામ જયજયરામ* **ના મંત્ર જાપને લોકો સુધી પહોંચાડ્યો અને તેના કાર્યની સુગંધ આજે પણ આ બધા પ્રદેશોમાં જોવા મળે છે.
હાલમાં કલયુગમાં *રામ* નામનો મંત્ર જાપ એ માનવ મુક્તિનો મહાન મંત્ર છે તેવું તેણે લોકોને સમજાવ્યું.
લેખક:- *રતીલાલ વાયડા*
નવી મુંબઈ.
૧૪/૨૦/૨૦૨૨. ગુરૂવાર .
[10/14, 1:11 AM] Jayshree Patel. Sahityakar: *NOG SS NO:004*
*વિષયઃ સુગંધ*
*પ્રકારઃ પદ્ય*
*શબ્દોઃ૧૫૭*
*શીર્ષક ઃ મહેક ફોરમ ને સુગંધ*
ફૂલો ખીલ્યાં બાગમાં ને ખર્યા ધરા પર,
તેની મહેક ચંચળ બની આકર્ષી ગઈ ,
ખીલવું ને ખરવું મનને કરી ગયું સજગ,
શું આ જ જીવન છે ઈશનું મહેકવું?
દૂરથી આવતી મીઠી ગુલાબની ફોરમ,
ખેંચી લાવી પ્રેમી ને પ્રેમિકાને સમીપ,
દિલ ખોલે તે પહેલા જ શૂળ ભોંકાયું,
બગીચો પડ્યો સૂમસામ ને રડી હવા.
ન આમંત્ર્યું નયનોએ સુગંધનું આવવું,
સ્વીકાર્યું તેણે તે કડવી હવાનું ઝહેર,
મરી ગયું મહેક ફોરમ ને સુગંધનું સ્વપ્ન!
જીવન તણાં તાણાંવાણાં આ કેમ સમજાય?
દરેક માનવી ખેંચાય વીજની ચમકથી ,
વિશાળ આકાશ પણ રડે એ ડણકથી,
ભીની માટી તણી સુગંધે હૈયે ખુશી,
ન ગમે તોયે પ્રેમની સુગંધની અતિવૃષ્ટિ!
ચાલ્યો આવે આ જ વ્યવહાર ને હેત,
મુઠ્ઠી બંધ હતી બાળની પકડી આંગળી,
સંબંધની સુગંધ ભળી બન્યું એક કુટુંબ ,
ખર્યું ગુલાબ એક ને સુગંધ ભળી માટીમાં.
કેવી સુગંધ ક્યાં ભળી ? અંત આવે,
બધું વિસરાય અને સાથ છૂટે સર્વનો.
*જયશ્રી પટેલ*
*૧૪/૧૦/૨૨*
[10/14, 3:30 AM] Pravina Kadakiya.MeM NOG Houston: S S N O G 0089
વિષય સુગંધ
પદ્ય
શીર્ષક મીઠું ગાણું
———-
સુગંધ તારું આકર્ષણ એવું
કેમ તારાથી અળગું રહેવું
આંખ મુંદી ખેંચાઈ આવું
ન મળ્યું તારું સરનામું
મળે તને સંદેશો પાઠવું
મિત્રતા કાજે હાથ લંબાવું
તારી માફક દિલ બહેલાવું
સહુના મન મંદિર મહેકાવું
વીજળી ઝબકારે ના અંજાઉં
નાના બાળની જેમ ખેંચાઉં
ભક્તિ રસનો રાસ રચાવું
ગુલાબ મોગરો તારું ઠેકાણું
કાનાને માળા કરી પહેરાવું
પ્રથમ વર્ષા ધરતીમાં જાણું
તારી પાછળ ચાલી નીકળું
ફિલ્મોની ફોરમમાં તને ભાળું
સુહાનો સાથી વાયરો જાણું
“સુગંધ” તને માણુંને પિછાણું
હરદમ ગાઉં મીઠું ગાણું
પ્રવિણા કડકિઆ
[10/14, 8:24 AM] Jaykant Ghelaani.MeM.NOG: NOG સાહિત્ય સરિતા પરિવાર.
NOG NO.S.S. 0059.
વિષય: શબ્દ- *” સુગંધ “*.
પ્રકાર:ગદ્ય- લેખ.
શિર્ષક: *શબ્દની સુગંધ*.
શબ્દૉ:૩૧૦.
©️જયકાન્ત ઘેલાણી– *પ્યારે*.
સૂવાસ,મહેંક,ફોરમ,ખૂશ્બુ વિ. શબ્દો, એકજ ‘સુગંધ’ પરિવારના અલગ અલગ શબ્દ,પણ અર્થ એકજ.
હાં સુગંધ શબ્દ નો અર્થ એ પણ થાયછે કે સારા કાર્યની વધુ
પ્રસિદ્ધિ -અનેમોદના ! અને તેમા શુભકાર્ય ની અનૂમોદના આપોઆપ જ થતી રહેછે.
જીવનમાં જે પણ સારૂ કાર્ય થાયછે તેની સુગંધ આપો આપ સમગ્ર વિશ્ર્વમાં જરૂર પ્રસરેજછે ,
તે સુગંધ પ્રસરાવવી તે દરેક સજ્જન માનવીની નૈતિક ફરજ પણ બનેછે.
શબ્દો નાના, પણ વિસ્તાર ?
સમસ્ત વિશ્ર્વમાં !.
આ વિશ્ર્વમા જન્મ ધારણ કરનાર
દરેક વ્યકિત કઈં ને કઈં સદગૂણ ધારણ કરીને જન્મેછે, પછી તેમાં સમયને આધીન અને સ્વભાવ ને આધીન જરૂર ફેરફારનો અવકાસ
સમાયેલો હોયછે.
કોઈપણ જાતનાં ખર્ચા વગર,
જે તે વ્યકિત,આદરપૂર્વક સારા શબ્દના સથવારે એટલે કે
*વાણી, વિચાર વર્તન*
ના સૂમેળથી પોતાનું જીવન સંવારેછે, તે વ્યકિત, પરિવારના સમાજના, રાષ્ટ્ર ના ,અરે પ્યારે’ તે વિશ્ર્વના લાડકવાયા બની ને જ રહેછે, અને તેનું જવલંત ઉદાહરણ એટલે આપણા વડાપ્રધાન, આદરણીય
શ્રી નરેન્દ્રભાઈ મોદી !.
જરૂર પૂરતું બોલવાનુ, અને તે પણ સારા શબ્દોના સથવારેજ ! આજછે તેની ખૂશ્બુ નો *રાજ*.
આ આવડત જેણે કેળવી તે વિશ્ર્વનો લાડકો !.
આપણાં NOG સાહિત્ય સરિતા પરિવાર ના સભ્યો ની અવનવાં વિષયો ઉપર ની વૈવિધ્યસભર કૃતિઓથી, સાહિત્ય જગતમા
એક નવી સુગંધ આપો આપ પ્રસરીજ છે. અને તેનું શ્રેય
લેખક મિત્રો અને NOG
પરિવારનેજ જાયછે.
સારા સાહિત્યની સુગંધ કાયમ મહેકતીજ રહેછે.
જયકાન્ત ઘેલાણી *પ્યારે*.
[10/14, 10:36 AM] Dr.Aniruddh Vyas.MeM.0082NOG: N O G : S S 0082
વિષય : સુગંધ
પ્રકાર : ગદ્ય
શિર્ષક : ફુલ જેવી સુન્દર દીકરી
“અનૂપા” નામ મારી દીકરીનુ
જન્મ અગાઉ મે જે મારી દીકરી ની કલ્પના મનોમન કરી હતી,
તેવી જ ચન્ચલ અને મોહક,
ખુબ જ્ ડાહી ,
જલ્દી જલ્દીથી મોટી થઇ ગઈ,
ઘર ના દરેક જ્ણ ૨૫ વર્ષ પછી
ખુશ્ ખુશાલ હતા,
પ્રથમ વરસાદ મા જેમ્ જમીન માથી સોડમ પ્રસરે તેવી રીતે
અમારા ઘર મા વાત્સ્લ્ય્ ની
સુગંધ ચારે તરફ્ અનૂભવાતી હતી,
ખુબ્ જ લાડલી અને દવાખાને
હર સમય યાદ આવે તેવી તેની
મુખાક્રુતી થી ફ્ટાફ્ટ ઘેર્ આવી જતો ,
જેવી રીતે સમય ને વહેતા વાર
નથી લાગતી તેમ બાળકોને વધતા વાર લાગતી નથી
ભણી ઘણી ને હોશીયાર થઈ ને લગન ની વાતો શરૂ થતા ખુબ જ ધર્મ કર્મ પ્રીય યુવક સાથે સગાઇ કરીને યોગ્ય્ સમયે લગ્ન કર્યા ,
પિતા પ્રત્યે ખુબ ખુબજ પ્રેમ્
અને લાગણી અને એક દીકરાની જેમજ જીવન ભર
પ્રેરણા, સલાહ્, સુચન દીલાસો
લગ્ન બાદ પણ પૂરા કર્યા,
દીકરી અને પિતા ના અતૂત
સબન્ધ એક દીકરી જ નિભાવી
જાણે,
બાપની વેદના અને પ્રેમની અનુભુતી તમને દીકરી અને પિતા ના સબન્ધમા અનુભવાય છે,
દિકરી ના પ્રેમની સુગન્ધની
સમકક્ષ દૂનીયા ની કોઇપણ
સુગન્ધ સાવ ફીક્કી લાગે છે
Dr Aniruddha vyas
Canada
[10/14, 4:31 PM] Dr. Manisha Vyas,AcharyaMeM.NOG: *NOGSS NO-* 0088
*વિષય-* સુગંધ વિશેષ..
*પ્રકાર-* પદ્ય
*શીર્ષક-* જીવનચક્રની સુગંધ
*નામ-* ડૉ. મનીષા વ્યાસ
સુગંધે તારી ખેંચાઇ આવતો જ્યાં જ્યાંથી તું નીકળે..
જાણે મનનો બગીચો સઘળો મઘમઘતો થઈ મહેંકે..
પરણી માણતાં પરિણયે સંવનન સુખ યુગલ સાનિધ્યે..
પરસ્પરના પરસેવાની ભળતી સુગંધ અખંડ દામપત્યે..
ભટુરિયાં નાનાં ભરતાં પેટ બચબચ કરી માના પયપાને..
ઊઠતી મીઠી સુવાસ માની એજ ઝભલાંના સહવાસે..
સુંગંધ તારા પરસેવાની જો તું લઈને આવે આસપાસે..
લાગે જાણે આખું ધમધમતું રસોડું લઈ પાલવે આવે..
આતુર છોરાં! દેખી આકાશ, ઊડવા દૂર પાંખો વીંઝે ..
છોડી માળે સુવાસ સ્મરણોની, વસ્યાં અનોખી ધરાએ
આવ્યાં પળીયાં, થયાં બોખાં ને વળી મોતિયા આંખે ..
ધ્રુજતા હાથે ઢળ્યો આહાર, શું ઊઠતી ગંધ આવાસે?
રહ્યાં પાછાં બેનાં બે જે ચઢેલાં જીવનચક્રના ચાકડે..
પાક્યા દેહે પડશે માટી, ઉઠશે સુવાસ અગ્નિદાહે..
✍️ડૉ. મનીષા વ્યાસ✍️
અમદાવાદ
[10/15, 3:23 PM] Vibhitiben Desai: NOGSS/0044
વિષય:- સુગંધ
પ્રકાર:- ગદ્ય (લેખ)
શબ્દ:-૨૬૦
શીર્ષક:- સુગંધની બોલબાલા.
સુગંધ શબ્દ સાંભળીએ એટલે પહેલાં તો આપણને કુદરત સર્જીત ફૂલડાંની સુગંધ નજર સામે આવે અને પછી માનવસર્જીત સુગંધ.
સુગંધને વિશાળ અર્થમાં લઈએ તો સુગંધ માત્ર ફૂલોની જ નહીં ઘણાં બધાં પ્રકારની સુગંધ વિવિધ પ્રકારે માણવાની મળે.
ગરમીથી તપેલી ધરતી પર જ્યારે પહેલી વખત વરસાદનાં અમી છાંટણા છંટાય અને ધરા-મેહનું મિલન થતાં જ ભીની માટીની મીઠી સુગંધ આપણને દુઃખ,દર્દ ભૂલાવી ખુશ કરી દે.નવજાત શિશુને માનાં હાથમાં મૂકતાં જ છલકાતાં માતૃત્વની સુગંધ. યુવક – યુવતીનાં પ્રથમ સ્પર્શમાંથી પ્રેમ અને વિશ્વાસની સુગંધ. માનવજાત માટે રચાતાં સિમેન્ટ કોંક્રિટનાં જંગલોમાં કામ કરતો પરસેવે રેબઝેબ મજૂર ઘરે પહોંચે ત્યારે એને વહાલથી વળગતાં સંતાનને એ પરસેવામાંથી પિતૃત્વની સુગંધનો અહેસાસ થાય .જ્યારે બીજાને સુગ ચઢે. કાળઝાળ ગરમીમાં પરિવાર માટે ભોજન તૈયાર કરતી ગૃહિણીની રસોઈની સુગંધ અને પરિવારને ભોજન લઈ તૃપ્ત થતાં જોઈને ગૃહિણીને મળતી સંતોષની સુગંધ.
કુદરતે રચેલી પ્રકૃતિની સુગંધ અદ્ભૂત. જંગલમાં જઈએ ત્યારે જાતજાતની વનસ્પતિની સુગંધ. કેટલીક વનસ્પતિ અને ફૂલો એની સુગંધથી જ ઓળખાય.મોગરો, ગુલાબ, ચમેલી, પારિજાત તો રાત્રે આંઠથી સાડાઆંઠ વાગ્યાની વચ્ચે ખીલતી રાતરાણીની સુગંધ તો આહલાદક, જેણે માણી હોય એ જ જાણે. વનસ્પતિમાં લીમડીની મીઠી તો લીમડાની કડવી સુગંધ જેવી અનેકાનેક સુગંધ.
પ્રજ્ઞાચક્ષુઓ સુગંધથી વનસ્પતિ, ફૂલો,રસોઈને ઓળખી શકે.
માનવજાતે જાતજાતનાં સુગંધી આર્ટીફિશ્યલ અત્તર અને પરફ્યુમ બનાવ્યાં. અમુક વ્યક્તિને કોઈ ચોકકસ પરફ્યુમ વાપરવાની ટેવ હોય ત્યારે એની સુગંધ પરથી જ એનાં આગમનની જાણ થઈ જાય.
સુગંધ શબ્દ જ દિલને પુલકિત કરી દે છે. સુગંધને માટે ગમે તે કહેવાતું હોય પરંતુ મારે મન તો અમૂલ્ય સુગંધ એટલે-
“પિતા કેરાં પરિશ્રમની સુગંધ
માતા કેરાં ધાવણની સુગંધ.”
જેની આગળ માનવે બનાવેલાં મોંઘા પરફ્યુમ અને અત્તરની સુગંધની કોઈ જ કિંમત નથી.
©️ વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
[10/15, 4:15 PM] Maya Desai.Bombay.MeM.NOG: NOG SS No.0081
*વિષય : સુગંધ*
*પ્રકાર : પદ્ય*
*શબ્દો : ૧૦૨*
*શીર્ષક : માનવ શીખ લે*
સુગંધ તો ફૂલોનો અસબાબ,એમનો રૂઆબ,
ચમન બનાવી, ફૂલો ખીલવી,માનવને અભિમાન.
સર્જન એ પ્રભુનું, પ્રભુને અર્પી ,માનવ ના થંભે,
પીસે ફૂલોને, અત્તર બનાવે, મુજ મનને એ ડંખે!
સંગત તેવી અસર, ફૂલો આ કદી નવ માનતાં,
રહે હસતાં,ભલે જાણે કરમાવાનું છે સાંજ થતાં.
વીખેરે સુગંધ અમાપ, ખીલે રહી કંટક મહીં,
શીખે ન કદી ડંખવાનું , નવ ભૂલે હસવું કદી.
સુગંધ તો આપે ઈજન ,ભ્રમર , પતંગિયાને,
પુષ્પ આપી મધુરતા મકરંદ તણી ધરી ઉરે.
માનવ શીખ લે સુગંધ વહેંચવાની, માણવાની,
ન લૂંટે,ન કચડે કોઈને ,કરે સદા લ્હાણ પ્રેમની.
સુગંધ તો પ્રાણ ઉત્સવોનો, બક્ષે તાજગી, ઉલ્લાસ ,
સુગંધ તો ઓળખ વ્યક્તિની, રૂપ રંગની પેલે પાર !
#©️ માયા દેસાઈ
મુંબઈ ભારત.
[10/15, 11:37 PM] Muktida Oza.MeM: Nog no-106
NOG-સાહિત્ય સરિતા-ગ્રુપ
પ્રકાર – પદ્ય
શબ્દ-125
******
વિષય:- “એ જ સુગંધ”
********
એક એવી સુગંધ!
જે હું ફેલાવી જવાની છું!
તે છે માનવતાની
મારી માનવતાની મહેક!
એને મેં નથી ઘસી
ચંદન કાષ્ટથી!
એને નથી ઘ્રસી
ફૂલોના આક્રંદથી..
છાણ/માટી મેળવી અકુદરતી અત્તરથી
અગરબતીમાં ધૂપસળી બની
મર્યાદિત સમય પૂરતી ધૂમ્માડામાં ફેલાઈ?
નાક સુધી પહોંચી,
સુગંધિત મર્યાદિત?
વાહ વાહ !
એવી તે કેવી હું??સુગંધ!!
એક એવી સુગંધ.
જે હું ફેલાવી જવાની છું.
તે છે માનવતાની
મારી માનવતાની મહેક!
એને મેં
નથી ઘસી ચંદન કાષ્ટથી!
એને નથી ઘ્રસી ફૂલોના આક્રંદથી..
છાણ/માટી મેળવી અકુદરતી અત્તરથી!
અગરબતીમાં ધૂપસળી બની
મર્યાદિત સમય પૂરતી? ધૂમ્માડામાં ફેલાઈ?
નાક સુધી પહોંચી,
સુગંધિત મર્યાદિત
વાહ વાહ !
વરસાદી માટીની મઘમઘતી મીઠી સુગંધ???
એવી તે કેવી હું??સુગંધ!!
મારે તો જન્મોજન્મ
એવી તો ફેલાવવી છે સુગંધ!
જાઈની,જૂઈની,ચમેલીની?ગુલાબ કે ચંપાની???!
એ જ
માત્ર એજ
માનવતાથી મહેકતી
પ્રેમપર પમરાતી..સુગંધ! મનની મનગમતી સુગંધ !
જે જનમો જન્મ વહેતી જઈશ
ફેલાતી રહીશ એવી સુગંધ!
[10/16, 7:08 AM] Nikhil Kinariwala.MeM: *NOG SS No* : *0110*
*પ્રકાર : ગદ્ય- *વિચાર લેખ*
*વિષય* : *સુગંધ*
*શબ્દો* : *૩૪૮*
*શીર્ષક* :*’સુગંધ અને મનુષ્યનું વ્યક્તિત્વ’*
*લેખકનું નામ* : *નિખિલ કિનારીવાળા (અમદાવાદ)*
મનુષ્ય પાસે પાંચ જ્ઞાનેન્દ્રિયો છે. તેમને આપણે સ્વાદ, ગંધ, સ્પર્શ, શ્રવણ અને દ્રષ્ટિના નામે જાણીએ છીએ. તેમાંની ગંધ પારખવાની શક્તિ ધરાવતી જ્ઞાનેન્દ્રિય એટલે આપણું નાક. સુગંધનો ઉલ્લેખ થતાં જ આપણી આ જ્ઞાનેન્દ્રિય સતેજ થઈ જાય છે. દુર્ગંધ અને સુગંધ એ બંને ગંધના પ્રકાર છે. દુર્ગંધ કોઈપણ મનુષ્યને ગમતી નથી. આજે આપણે સુગંધ વિશે વાત કરીશું જે મનુષ્યના મનને, દિલોદિમાગને પ્રફુલ્લિત અને તરોતાજા કરી દે છે. જ્યાં જ્યાં સુગંધ છે ત્યાં ત્યાં મનુષ્ય આકર્ષાય છે.
સુગંધ ઉત્પન્ન કરતું કુદરતી માધ્યમ છે ફૂલ અને વનસ્પતિ. ગુલાબ, મોગરો, રાતરાણી, જૂઈ જેવા અસંખ્ય ફૂલોની સુગંધ અપ્રતિમ હોય છે, જેમના સાન્નિધ્યમાં જનાર વ્યક્તિને તેની સુગંધથી તરબતર કરી દે છે. આ તેમની પ્રકૃતિ અને સ્વભાવ છે. તેમની સુગંધ અને રસનો આસ્વાદ લેવા મધમાખી અને ભમરા પણ તેની આજુબાજુ ફર્યા કરતા હોય છે. આ ફૂલોના અર્કમાંથી સુગંધિત અત્તરનું સર્જન થાય છે, જેનો ઉપયોગ આપણે વાતાવરણને મહેકાવવા માટે કરીએ છીએ. પ્રસંગોપાત સારા સમારંભોમાં વાતાવરણને ખુશનુમા બનાવવા માટે તેનો ભરપેટ ઉપયોગ થાય છે. આવી જ રીતે બીજી ઘણી વનસ્પતિ પણ પોતાના પાન દ્વારા સુગંધનો ફેલાવો કરે છે. સુખડના વૃક્ષનું લાકડું બીજું એક ઉત્તમ ઉદાહરણ છે. સુખડ વર્ષો સુધી તેની સુગંધ અકબંધ રાખે છે અને તેના સંસર્ગમાં આવતી દરેક ચીજ વસ્તુને સુગંધિત કરી દે છે. ચંદનનો લેપ પવિત્ર ગણાય છે અને પૂજામાં તેનો ઉપયોગ થાય છે.
જેમ ફૂલોની સુગંધ પોતાની તરફ આકર્ષે છે તેમ એવા મનુષ્ય પણ હોય છે જેમનું વ્યક્તિત્વ સુગંધિત હોય છે અને તે તેમના તરફ બીજી વ્યક્તિઓને આકર્ષે છે. સામાન્ય રીતે તેમના સુગંધિત અને પ્રફુલ્લિત વ્યક્તિત્વને લઈ તેમનું સાન્નિધ્ય અને સંસર્ગ બંને ગમવા અને માણવા યોગ્ય હોય છે. આ વિશિષ્ટ ગુણ ધરાવતી વ્યક્તિઓ તેમની આજુબાજુ એક વિશાળ ચાહક વર્ગનું વર્તુળ બનાવે છે. તાજગી અને મહેકના કારણે તેઓ જ્યાં પણ જાય ત્યાં તેમની આજુબાજુ એક અલગ જ પ્રકારની સુગંધિત ઓરાનું સર્જન થતું હોય છે, જે સકારાત્મક ઊર્જાનો ફેલાવો કરે છે.
આમ સુગંધ મનુષ્યના જીવનનું એક ખૂબ મહત્વનું અંગ છે. જીવનમાં આનંદિત રહેવું, સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેવું તે આપણને કુદરતે જ શીખવ્યું છે અને તેને માટે મનને પ્રફુલિત રાખવા આપણે કુદરતી સુગંધિત તત્વોનો સહારો લઈએ છીએ. માત્ર બાહ્ય નહીં, આંતરિક વ્યક્તિત્વ પણ આપણે મઘમઘતી સુગંધથી મઢી લેવું જોઈએ જેથી આપણા સંસર્ગમાં આવતા દરેકને આપણે પ્રિય થઈ પડીએ.
નિખિલ કિનારીવાળા, અમદાવાદ
૧૬ ઓક્ટોબર ૨૦૨૨
[10/16, 10:32 AM] Varshaben Desai.MEM.Baroda: NOG SS. NO. 0097
વિષયઃસુગંધ
પ્રકારઃ ગદ્ય
શીર્ષકઃ પમરાટ
મોગરાનું મહેંકવું અને મોરલાનું ચહેકવું સાથે મોસમનો ઝીણો ઝીણો વરસાદ.એ દ્રશ્ય નિહાળવાનો લહાવો મળે એટલે જાણે મારે મન તો કુબેરનો ખજાનો હાથ લાગ્યા બરાબર. આવા દ્રશ્યો વારંવાર નસીબ નથી થતા.મોગરો અને મોર બંનેની વિશેષતા એ કે બંને સૌંદર્યવાન.સાથે મોગરાની મીઠી સુંગંધ અને મોરલાના મીઠા ટહૂકા. વળી બંને પોતાના આ અદ્ભુત ખજાનાથી સાવ અજાણ.આ સર્જનહાર ની કેવી કલા છે?
સર્જનહારે મનુષ્યનું સર્જન કર્યું. બધાને સંચિત કર્મો મુજબ કુળ અને ગુણ મળ્યા.પરંતું મળેલ કુળ અને ગુણને ઉજ્જવળ અને ગુણિયલ દરેકે પોતાના કાર્ય,વાણી અને વ્યવહાર દ્વારા બનાવવાના હોય છે. દરેકે પોતે જાગૃત રહીને જીવન પર્યંત પોતાનું ઘડતર કરીને પોતાના કાર્ય ની સુવાસ ચારે કોર પ્રસરાવવાની હોય છે. આવું ઉત્તમ ઉદાહરણરુપ જીવન જીવનાર વ્યક્તિના મૃત્યુ પછી એના જીવનનો પમરાટ સર્વત્ર વ્યાપેલો અનુભવાય છે. આવી વ્યક્તિનું જીવન અને મૃત્યુ બંને અમર બની જાય છે.
વર્ષાબેન દેસાઈ
એડવોકેટ
વડોદરા-સિડની
તા.૧૬/૧૦/૨૨
[10/16, 3:35 PM] Ragini Shukla.MeM.NOG.Bombay: NOG SS NO – 0050
વિષય – સુગંધ
પ્રકાર – પદ્ય મૌલિક
તા – ૧૬/૧૦/૨૦૨૨.
……………………………….. પાસે ને પાસે તમે આવોને..!
મન મારું મહીથી ઊઠે કેવું ..?
થોડાં ફૂલોની સુગંધ જેમ ભળી જાઉં..!
ને લાગણીથી ખળખડી જાઉં..!
કહી દિલની વાતો શ્વાસથી નિકટ અબઘડી આવી જાઉં..!
આંખથી સ્વયં માં ઉતરી જાઉં..!
કોઈનાં અંધકારમય જીવનમાં પણ એક નાનકડો પ્રકાશ બનીને સુગંધ ફેલાવું..!
કોઈ હાથ લંબાવીને મદદ રૂપે દોડી જાઉં,
ને જીવન સુગંધમય બનાવી દઉં..!
દરિયા દિલનાં બની ભરવાં ખાલી પન દોડતી આવું..!
કોઈ એક દિલને શાંતા આપું..!
તો પ્રભુ મારા જીવનને ન્યાય કરે..!
એક અંતર મનથી ખુશીઓ આપું એવી આશા રાખું..!
પળેપળનો બદલાવ લાવી..! મહેકાવુ હર એક કર એવું…! દે દિલથી આશિષ મને..!
રાગીની શુક્લ “રાગ”
મુંબઈ
[10/16, 5:22 PM] meghna.MeM: NOG SS NO : 0117
વિષય: સુગંધ
‘ સુગંધ ‘
“મમ્મી, આ જો. હું શું લઈ આવ્યો”૧૫ વર્ષીય પ્રીત તેની મમ્મીને બૂમ પાડતા બોલાવે છે.
“શું લઈ આવ્યો ? કેમ આમ બૂમો પાડે છે?”
“આ જો હું બહારથી રેડી ટુ કુક સૂપ લઈ આવ્યો છું.તું એ મને અત્યારે જ બનાવી દે.”
“રસોડામાં રાખી દે.હું થોડી વારમાં બનાવી આપીશ.”
( થોડા સમય બાદ પ્રીતની મમ્મીએ તેના માટે રેડી ટુ કુક પેકેટમાંથી સૂપ બનાવવાનું ચાલુ કર્યું…)
“વાહ! મમ્મી ખુબ સરસ સુગંધ આવે છે.ચાખ્યું નથી પણ છતાંય એકદમ મસ્ત હશે. સુગંધ પરથી જ એવું લાગે છે.”
“હમમ…એકદમ સરસ સુગંધ આવે છે. જો બધાને ભાવેતો હવે આપણે આ જ લઈ આવશું.”
“અરે વાહ મમ્મી! તો તો મજા પડશે. આ રેડી ટુ કુક સુપ પી ને તો બહુ મજા પડશે. હવે તુ ઘરે ક્યારેય બનાવતી જ નહિ. આપણે દર વખતે બહારથી આ પેકેટ જ લઈ આવશું.આની એટલી સરસ સુગંધ આવે છે કે મારાથી તો રહેવાતું નથી.”
“બસ બસ..જા તારા પપ્પાને બોલાવી આવ.પછી સાથે મળીને પીએ.”
( બધા સાથે મળીને સૂપ પીવે છે. બધાએ પહેલીવાર આ સૂપ ટેસ્ટ કર્યું હતું એટલે ખુબ મજા પડી અને નક્કી કર્યું કે, હવેથી આ જ સૂપ હંમેશા લઈ આવવું.ઘરનું આના જેટલું સ્વાદિષ્ટ નથી બનતું.)
“મમ્મી એ દુકાન વાળા અંકલએ મને બીજી પણ ઘણી બધી આવી રેડી ટુ કુક વસ્તુઓ બતાવી હતી. હું એ પણ ક્યારેક લઈ આવીશ. તું મને બનાવતા શીખવાડી દેજે. પછી આમ જ ટેસ્ટી ટેસ્ટી વસ્તુઓ બનાવશું. મજા આવશે.”
“સારું એવું કરીશું બસ.”
આ ૧૫ વર્ષના બાળકને આટલી નાની ઉંમરથી જ આ રીતે બહારના રેડી ટુ કુક એવા પડિકાની ટેવ પાડવી કેટલી યોગ્ય હતી ?એ કેટલા દિવસથી બનેલા જુના અને વાસી ખોરાકની ટેવ પાડવી કોઈ હિસાબે યોગ્ય ન ગણાય. આમાં વાંક તો માં – બાપ નો જ છે ને ? એક વાર બાળક્ને આવી બહારની વસ્તુઓની ટેવ પડે એ પછી છૂટે ખરી ? એના પેકેટમાં રહેલા એ દરેક સામગ્રીને ધ્યાન થી વાંચશો તો ચોક્કસ જણાશે કે, એને આટલા સમય સુધી સાચવવા કેટલા હાનિકારક કેમિકલ વાપર્યા હોઇ છે..
જેમ સિગારેટના પેકિંગ પર ધૂમ્રપાન કરવું એ સ્વાસ્થ્ય માટે હાનીકારક છે એવું લખ્યું હોઇ છે, એવી જ રીતે આ રેડી ટુ કુક લખેલી વસ્તુઓ પર *કરીને રેડી ટુ સિક લખવાની જરૂર નથી લાગતી ?
– મેઘના કામદાર
[10/16, 5:23 PM] Dr.Rekha Kachoria.MeM.NOG: NOGSS NO. :0034
વિષય : સુગંધ
વિભાગ :ગદ્ય [વાર્તા ]
શીર્ષક : લખુમા
“લખુમા માધ્યમિક શાળા”નું આજે ઉદ્ ઘાટન હતું.પંચાયતે શાળાનાં પ્રાંગણમાં જ લખુમાનું સ્ટેચ્યુ મુકાવ્યું હતું. તેમનો હસતો ચહેરો જાણે શાળામાં સૌ બાળકોને આવકારતું ન હોય એવું લાગતું હતું.લખુમાનું અંતિમ વચન પાળવા સૌ ગ્રામજનોએ આ સમારંભમાં રંગેચંગે ભાગ લીધો હતો.
લખુમા એટલે કે લક્ષ્મી.ખૂબ ભલા.કેટકેટલી દવા અને દુઆઓ કરી છતાંય ભગવાને એમની ગોદ સૂની જ રાખી.પણ એક રાત્રે મંદિરનાં પગથિયે એમણે કોઈ બાળકનો રડવાનો અવાજ સાંભળ્યો અને એ તરફ દોડ્યાં. ત્યાં બાળક સિવાય બીજું કોઈ નહોતું. પંચની સહમતીથી એમણે એ બાળક દત્તક લઈ લીધું અને શહેરમાં આવીને વસ્યાં.તેઓ જ્યારે ગામમાં પાછાં આવ્યાં ત્યારે સૌ કોઈ તેમની મજાક ઉડાડતાં કે,આખરે તો પારકું લોહીને!
તેઓ ધારત તો શહેરમાં જ બીજું મકાન લઈને રહી શક્યા હોત, પરંતુ એમાં કલેકટર દીકરાની આબરૂનાં ધજાગરા થાય અને ગામમાં એમનું પૈતૃક મકાન તો હતું જ!તેથી જીવનની ઢળતી સંધ્યાએ ગામમાં આવીને વસ્યાં.
થોડાંક દિવસોમાં એમનાં માયાળુ સ્વભાવથી એમણે સૌ ગામવાસીઓનાં હૈયાં જીતી લીધાં.અડધી રાત્રે કોઈ એમની ડેલી ખખડાવે તો પણ મોં ન બગાડતાં.નાનાં બાળકનું ગળું પડી ગયું હોય કે બીજી કોઈ સમસ્યા હોય, કોઈને થોડાં-ઘણાં રૂપિયા ઉધાર જોતાં હોય, કોઈની સગાઈ કરવી હોય કે, સુવાવડ આવવાની હોય,ગમે તે કામ હોય મદદ કરવામાં તેઓ હંમેશાં સૌથી મોખરે હોય.એમનાં કાર્યની સુવાસ આખા ગામમાં ફેલાઈ ગઈ હતી. પોતાને તો કાળાં અક્ષર ભેંસ બરોબર હતાં પરંતુ પોતાની હૈયાસૂઝથી તે દરેક સમસ્યાને ઉકેલવાની કોશિશ કરતાં.
ગામમાં શાળા નહોતી, તેથી છોકરાંઓને ભણવા માટે બાજુનાં ગામમાં જવું પડતું. છોકરાંઓ તો જેમ-તેમ જતાં પણ છોકરીઓનું શું? લખુમાએ પંચ સમક્ષ રજૂઆત કરી. પંચની પણ ઈચ્છા હતી પરંતુ જમીનનું શું?આ વિકટ સમસ્યાઓનો અંત એમણે પોતાની જમીન દાન આપીને કર્યો. એટલું જ નહીં પરંતુ શાળાનાં પાયાથી લઈને પૂરી ઈમારત થઈ ત્યાં સુધી દરેક કામમાં તેમણે ધ્યાન આપ્યું.
ટૂંક સમયમાં જ શાળાનું ઉદઘાટન લખુમાને હસ્તે જ કરવાનું નક્કી થયું.ત્યાં અચાનક એક દિવસ લખુમાને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેમણે આ દુનિયામાંથી વિદાય લીધી,પોતાનાં સત્કર્મોની સુવાસ ફેલાવીને!
–ડૉ. રેખા શાહ
[10/16, 7:12 PM] Nayana.MeM.NOG Patel: NOG SS.73
વિષય.સુગંધ
વિભાગ..ગદ્ય
શીર્ષક..મહેક
માઈક્રોફિક્શન.
સરલા ગુસ્સામાં ગુસ્સામાં ઉપરની મેડીએ જ્યા બાપુજી રહેતા હતા ત્યાં બબળતી બબળતી ગઈ કે આજે તો તમારા બાપા ના બધા પુસ્તકો વેચી દવ
એમણે મિલકતમાં કંઈજ .મૂક્યું નથી જે કાંઈ માસ્તરની નોકરીમાં કમાયા એ બધું આ થોથા લખવામાં પૂરું કર્યું બાકી હોય તે લોકોને ધર્યું તમારી માટે શું રાખ્યું,રાજીવ ગુસ્સે થઈ બોલ્યો ખબરદાર મારા બાપુજીની એકપણ ચોપડીને અડી છે તો..ભલે એમણે મિલકત નથી કમાઈ પણ એમના વ્યક્તિત્વ ની મહેક હજુય આખા ગામમાં છે,એક શિક્ષક અને લેખક તરીકે જગતને કઈ આપવાનું હોય,એમણે એજ કર્યું એમના પુસ્તકો અને બાળકોને મફત શિક્ષણ આપી એમણે એમના મૃત્યુ ને પણ સુગંધી દાર બનાવ્યું છે,એ તને નહીં સમજાય…
નયના પટેલ.નૈંન.
[10/16, 8:18 PM] Jig a. Bombay. Andheri: NOG SS 0002
વિષય- દીવા સ્વપ્ન
શબ્દ- 127
વિભાગ – પદ્ય
શીર્ષક- મારું સમણું
મારું સમણું
આજ પરોઢિયે ઊગતાં પહોરે એક સમણું મેં દીઠું હતું …
એમાં ,
પંખીઓનો કલરવ હતો,
કોયલનો ટહુકાર હતો,
સુમનની સુંદરતા હતી,
આંખ બીડેલું નવજાત પારેવડું ટાઢમાં થરથર ધ્રુજતું હતું……
મેં એ સમણામાં દીઠું હતું…….
આજ પરોઢિયે……..
એમાં,
પ્રકૃતિનું અનુપમ સૌદર્ય હતું,
સરિતાનો ધસમસતો પ્રવાહ હતો,
ઘોડે ચઢીને કેસરી સૂરજની સવારી આવી હતી,
શુકનવંતી બારીમાં જાણે ગ્રહનક્ષત્રનું ટોળુ હતું…..
મેં એ સમણામાં દીઠું હતું….
આજ પરોઢિયે …….
એમાં
ગીતા હતી જેમાં કુરાન હતી,
મંદિરનો ઘંટનાદ હતો,
મસ્જિદની અજાન એ હતી,
કુદરતનાં ખોળે મારું મનડું પુલકિત થાતું હતું
મેં એ સમણામાં દીઠું હતું..
આજ પરોઢિયે…..
એમાં,
ફુલોની ફોરમ હતી,
મધુકરની ગુંજન હતી,
માટીની ભીની મહેક હતી,
લીલુડીધરતીનું જાણે કેવું અલૌકિક રૂપ હતું.
મેં એ સમણામાં જોયું હતું….
આજ પરોઢિયે ઊગતાં પહોરે સમણું મેં તો દીઠું હતું….
જીજ્ઞા કપુરિયા “નિયતી”
*******************************
NOG SS No: 126
પ્રકાર – પદ્ય
શિર્ષક : દિવાસ્વપ્ન
જીવન એક સાચું,દિવાસ્વપ્ન છે બસ,
અને ફળ છે પાકું ,દિવાસ્વપ્ન છે બસ.
મનન છે સદા જેનું એ કલ્પના માં,
ખરેખર છે કાચું ,દિવાસ્વપ્ન છે બસ.
થઈ નિત એ નૂતન, ઉભરતા જ ભાવો,
પછી મનમાં પાછું , દિવાસ્વપ્ન છે બસ.
પ્રગટતા જ સૂરજ, થયો છે પ્રકાશિત ,
હું પણ કાંતુ આછું ,દિવાસ્વપ્ન છે બસ.
બધી આંખમાં છે, એ રંગીન સપના,
ખરૂં છે એ ઝાઝું , દિવાસ્વપ્ન છે બસ.
સદા શોધતાં મન, ઉદાસીન રહેતું
હું આનંદ આખું ,દિવાસ્વપ્ન છે બસ.
મોહનભાઈ ” આનંદ ”
વડોદરા
*******************************
આપની આસપાસ બનતી ઘટનાઓ સમાચારોના વિડીયો ઓડિયો અમોને અમારા 9824653073 whatsapp નંબર ઉપર મોકલી આપો તેમ જ જન ફરિયાદ દેશ વિદેશ સાપ્તાહિક ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક અને જન ફરિયાદ ન્યુઝ ચેનલમાં આપની વ્યવસાયિક જાહેરાતો દિવાળી અંકમાં આપીને બોડી પ્રસિદ્ધિ મેળવો તંત્રી પ્રદીપ રાવલ જન ફરિયાદ ન્યુઝ ગાંધીનગર.
જન ફરિયાદ દેશ વિદેશ સાપ્તાહિક(૧૯૯૬)
ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક (૨૦૧૪)
Janfariyadnews .channel
www.janfariyadnews.com(E news paper portal)
Editor,owner : Pradip Raval
News channel Editor : Minaxi Raval
International Pramotor: Pooja Raval
(United Kingdom)