[9/7, 3:04 PM] Jaykant Ghelaani.MeM.NOG: NOG સાહિત્ય સરિતા પરિવાર
NOG NO.S.S.0059
વિષય: શબ્દ :”પૂર્ણાહુતિ”.
પ્રકાર: ગદ્ય-લેખ.
શીર્ષક: ” એક સિક્કો બાજુ બે”.
શબ્દૉ:૨૭૭.
©️જયકાન્ત ઘેલાણી પ્યારે”.
આ સૃષ્ટિના સર્જનથી,સંહાર સૂધી, માનવજીવન સાથે *પ્રારંભ* અને *પૂર્ણાહુતિ* બે શબ્દો વણ લખ્યાં જોડાયેલા રહેછે અને રહેશે, અને
પ્રારંભ અને પૂર્ણાહુતિ એક જાતનું
ચક્રછે, જે સતત ચાલતુ
રહેવાથી જ આ માનવજીવન અને વિશ્ર્વની તમામ પ્રવૃતિઓ ઘમ ઘમતી અને મઘ મઘતી રહેછે.
આમ જોઈએ તો પ્રારંભ અને પૂર્ણાહુતિ મા પૂર્ણાહુતિ* એ નવીપ્રવૃતિ ની જન્મદાતાછે .
જન્મ પ્રારભછે તો
મૃત્યુ પૂર્ણાહુતિ !
પ્રારંભ અને પૂર્ણાહુતિ એટલે પ્યારે’, એક સિક્કાની બે બાજૂઓ !
વિશ્ર્વમાં જે કોઈ કાર્યનો પ્રારંભ થાય, તે કાર્યની પૂર્ણાહુતિ અવશ્ય
થાયજ, હાં પૂર્ણાહુતિ નો આધાર
સમય,સંજોગ અને તે કાર્યના મહત્વને આધીન રહેછે.
ખેતરમા વાવણી સમયે વવાતું બીજ, પ્રારંભછે ,તો ખેતરમાંથી તૈયાર કરી,ઘરે લવાતો પાક કાર્યની પૂર્ણાહુતિ જ છે.
લગ્ન પ્રસંગનો પ્રારંભ,મંડપ મૃર્હત થી તો પૂર્ણાહુતિ !, જાનને અપાતી વિદાય- શીખ આપવાની પ્રણાલી, એ લગ્ન પ્રસંગની પૂર્ણાહુતિ!
CWG= કોમન વેલ્થ ગેઈમ હોયકે
વિશ્ર્વસ્તરે રમાતી ઓલમ્પિક ગેઈમ ! આવી રમતોનો પ્રારંભ જોરદાર તો પૂર્ણાહુતિ પણ વધુ
જોરદાર !
સત્યનારાયણની કથા હોય કે
ભાગવત સપ્તાહનૂ વિશાળ
આયોજન ! પૂર્ણાહુતિ તો અવશ્ય રહેવાનીજ !.
પ્યારે’ પૂર્ણાહુતિમા જ નવા પ્રારંભ નૂ બીજ રહેલુ હોયછે.
પ્રારંભ અને પૂર્ણાહુતિ એ બે
માનવ જીવનનાં અવિભાજ્ય
અંગછે, પ્રારંભ અને પૂર્ણાહુતિ
નવ જીવનનું પેયછે .
ચાલો પ્રારંભ ની જેમજ દરેક
પૂર્ણાહુતિ ને પણ ઉમંગભેર વધાવીએ .
[9/7, 5:44 PM] Ramila Makvaana.MeM.: NOG SS No: 120
પ્રકાર : પદ્ય (અછાંદસ)
શીર્ષક : પ્રારંભ – પૂર્ણાહુતી
વિષય : પૂર્ણાહુતી
*પ્રારંભ – પૂર્ણાહુતી*
રામના રાજ્યાભિષેકની તૈયારીમાં આયુ વિઘન કર્યો વનમાં પ્રારંભ,
દશરથ રામ વિયોગે મરાયા તત્કાલ દિકરા વગર કરવી પડી પૂર્ણાહુતી.
રામ-સીતાને લક્ષ્મણ ચૌદવરસ વનવાસની વાટે જવા કર્યો પ્રારંભ,
અયોધ્યા નગરી સૂમસામ થઈ ગઈ છતાં પણ કરવી પડી પૂર્ણાહુતી.
રામને સરિયુ નદી પાર કરાવી કેવટે ચરણ પખાળી વનને માર્ગે કર્યો પ્રારંભ
ભરત સેના લઈ રામને વિનવી ચરણ પાદુકા થી કરવી પડી પૂર્ણાહુતી.
પ્રભુને વનના વનફળ આરોગી દિવસો વિતાવવા જંગલમાં કર્યો પ્રારંભ,
માયાવી સોનામૃગ મારીચને બાણ વાગતા જ કરવી પડી પૂર્ણાહુતી.
હે સીતે બૂમ પડતાં લક્ષ્મણે દોટ મૂકી ભૈયા પાસ જવા કર્યો પ્રારંભ,
સાધુ વેશે આવીલંકાપતી રાવણે સીતાના હરણથી કરવી પડી પૂર્ણાહુતી.
જટાયુ કહે રાવણ માતાનું હરણ કરી ગયો સાંભળી શોધનો કર્યો પ્રારંભ,
જટાયુને મોક્ષ આપી સીતાની શોધમાં રામજીએ કરવી પડી પૂર્ણાહુતી.
પંપાસરોવરની પાળે શબરીના એંઠા બોર ખાઈને તત્કાલ કર્યો પ્રારંભ,
શબરીની ઝૂંપડીએ રામ-લક્ષ્મણના પાવન પગલે કરવી પડી પૂર્ણાહુતી.
હનુમાનજી-જાંબુવન અને અંગદને સાથમાં લઈને રામે કર્યો પ્રારંભ,
લંકામાં જવા સમુદ્રપાર કરવા રામસેતુ બનાવી કરવી પડી પૂર્ણાહુતી.
સીતામાતાની શોધમાં હનુમાનજીએ અંગઠી વિશ્વાસે કર્યો પ્રારંભ,
હનુમાને રામના દૂત થઈ લંકામાં લગાવી લ્હાય કરવી પડી પૂર્ણાહુતી,
રામ-રાવણના યુદ્ધની તૈયારી કરીને વિભીષણે કરાયો યુધ્ધનો પ્રારંભ,
લક્ષ્મણ કહે રામને ભૈયા વિભીષણ સાથે કેમ કરવી પડી પૂર્ણાહુતી.
જયશ્રીરામ ના નાદ સાથે વાનરસેનાએ લંકામાં યુધ્ધનો કર્યો પ્રારંભ,
મેઘનાદે આક્રોશથી કર્યો લલકાર પછી પસ્તાઈને કરવી પડી પૂર્ણાહુતી.
યુધ્ધનો આદેશ વાનરસેના નાયક હનુમાનજીએ આપી કર્યો પ્રારંભ,
ભરતને મૂર્છાઆવી હનુમાનજી જડીબુટ્ટી લાવ્યાને કરવી પડી પૂર્ણાહુતી.
મંદોદરી સમજાવે રાવણને સીતાજી સોંપી યુધ્ધનો ન કરાવશો પ્રારંભ,
અહંકારી રાવણના વિરોધમાં ભાઈ વિભીષણને કરવી પડી પૂર્ણાહુતી.
રામ-રાવણ યુધ્ધમાં સામસામે મંત્રોચ્ચારથી બાણનો થયો પ્રારંભ,
અંતે પલમાં લંકા ખોઈ રાવણનો થયો વિનાશ કરવી પડી પૂર્ણાહુતી.
રાવણે રામના હાથે મરવા સીતાનું હરણ કરી યુધ્ધનો કરાવ્યો પ્રારંભ,
ગર્વ કરી રાવણ હાર્યો વિભીષણે રાજ મેળવી કરવી પડી પૂર્ણાહુતી.
નામ : રમીલાબેન ડી મકવાણા *રમા*
સ્થળ : લાડુલા તા ભાભર જિ બનાસકાંઠા
તારીખ : ૦૭-૦૯-૨૦૨૨
[9/7, 7:38 PM] Bhavana R.MeM: NOG SS NO- 111
વિષય: પૂર્ણાહુતિ
વિભાગ: ગદ્ય/લેખ
શીર્ષક: શિક્ષાયજ્ઞ – પૂર્ણ આહુતિ
શબ્દસંખ્યા: ૩૫૦
પૂર્ણાહુતિ એટલે સમાપ્તિ. જીવનકાળ દરમ્યાન હાથ ધરેલ કોઈપણ કાર્યારંભ પછી તે સંપન્ન થાય તે પૂર્ણ સ્વરૂપ એટલે પૂર્ણાહુતિ. માનવજીવનનું પણ કાંઈક એવું જ છે ને! જીવન પણ આપણને મળેલો એક અવસર તો છે! જીવનની પૂર્ણાહુતિ એટલે અંતિમ વિદાયવેળાએ એક ઉત્સવ જેવું જીવન જીવી જવાય , એવું લક્ષ્ય હોવું જોઈએ.
આજે વાત કરવી છે મુંબઈના એક જાજરમાન, નિરાભિમાની, મિતભાષી, શિક્ષણક્ષેત્રે સમર્પિત વ્યક્તિત્વ ધરાવનાર શ્રી.બાલકૃષ્ણ હરગોવિંદ આચાર્યની , જેમણે આજીવન શૈક્ષણિક, સામાજિક સેવાને પ્રાધાન્ય આપ્યું. ગ્રેજ્યુએટ થયા બાદ પોતાનો પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યો. સાથે સન ૧૯૩૭ માં સ્થાપિત પરિવાર સંચાલિત ‘ માટુંગા પ્રિમીયર સ્કૂલ ‘ પણ સંભાળતા હતાં. એક કપરા સમયે શાળાને જરૂર પડતાં પૂરો સમય શાળાને ફાળવી કસોટી પાર પાડી. જીવનમાં શિક્ષણ ભેખ ધારણ કરી માનો શિક્ષણયજ્ઞ શરૂ કર્યો. શાળા તેમજ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ, જરૂરતમંદોને સહાય એ તેમનો જીવનમંત્ર હતો. સામાજિક કાર્યો, શિક્ષણ વિકાસનાં પગલાં લેવામાં સદા અગ્રેસર રહેતાં. આજીવન પ્રસિદ્ધિથી દૂર રહ્યાં . વિદ્યાર્થીઓને તેમની ભૂલો પ્રેમથી સમજાવી સુધરાવતાં. તેમની સામાજિક સેવાને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે તેમને SEM બનાવ્યાં હતાં. મુંબઈ મહાનગર પાલિકા દ્વારા શાળા પાસેનાં ચોકને ‘બાલાભાઈ આચાર્ય ચોક’ નામકરણ કરી તેમનું ગૌરવ વધાર્યું તે સાથે એ સન્માનથી અમ સર્વેની છાતી ગજ ગજ ફૂલે છે.
તેઓએ પરિવાર સમક્ષ દેહદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી.પરિવારનો ખચકાટ દૂર કરતાં કહ્યું કે મારાં શરીરની રાખથી તમને શું મળશે? મારા દેહદાનથી મૅડિકલ શાખાનાં વિદ્યાર્થીઓને શીખવા મળશે. મુંબઈ સ્થિત લોકમાન્ય ટિળક સાયન હૉસ્પિટલમાં દેહદાન માટે નામ રજિસ્ટર કરાવ્યું. ટાઈપ-૨ ડાયાબિટીસ, અંગૂઠામાં ગેંગરીન સાથે શારીરિક તકલીફો શરૂ થઈ. ૧૮ સપ્ટેમ્બર, ૧૯૯૪ તેમના ૬૦ માં જન્મદિન અને અનંત ચતુર્દશીનાં દિવસે ટૂંકી માંદગી બાદ પંચમહાભૂતમાં વિલિન થઈ ગયાં. શિક્ષણયજ્ઞની પૂર્ણાહુતિ એ દેહદાન કરી અંતમાં પણ વિદ્યાદાન કરતાં ગયાં. સમાજ અને શિક્ષણક્ષેત્રને ઉત્તમ મિત્ર, માર્ગદર્શકની ખોટ પડી.
* શ્રદ્ધાંજલિ*
ભાઈ,આજે તમે બહુ યાદ આવો છો,
નથી વિસરાતી વસમી વિદાયની ક્ષણ,
જન્મદિને જ ગણપતિ સંગે,
ચાલી નીકળ્યાં અનંતવાટે !
ભાઈ, આજે તમે બહુ યાદ આવો છો.
મૃત્યુથી શેનો ડર ?’ હિંમત બંધાવી,
સમજાવી ગયાં જીવનનો સાર.
ભાઈ, આજે તમે બહુ યાદ આવો છો.
આજે દીકરીઓ જ નહીં, સર્વે મિત્રો,
જુઓ, યાદ કરેછે નતમસ્તક 🙏🏻🙏🏻
વિદ્યાર્થીવૃંદ,શિક્ષકવૃંદ આપને,
શત્ શત્ નમન! કરી કહેછે,
સર, દેહદાન કરીને, અંતમાં ,પણ વિદ્યાદાન કરતાં ગયાં ‘🙏🏻
ભાઈ,તમે બહુ યાદ આવો છો !
✍️ ભાવના આચાર્ય દેસાઈ ‘ભાવુ’
૦૭/૦૯/૨૦૨૨
[9/7, 10:37 PM] Jagdish Ranodara.MeM Shankheshwar: ગ્રુપ માં કોઈપણ વિષય ની રચના મુકવા માટે નીચે મુજબ ફોર્મેટ મા જ રચના મૂકો…
NOG SS No:
પ્રકાર : ગદ્ય
શીર્ષક : છેલ્લી ઘડી
વિષય : પૂર્ણાહુતી
*છેલ્લી ઘડી*
કોઈ પણ કાર્યની શરૂઆત હોય અને એ કાર્યની સમાપ્તી પણ ચોક્કસ હોય જ છે. જેમ જન્મ અને મરણ એક સિક્કાની બે બાજુઓ છે. તેવી રીતે અનેક બાબતોમાં લાભાલાભ રહેવાના જ.
ઉદાહરણ થી સ્પષ્ટતા કરીએ તો કોઈ પણ ઉમેદવાર ચૂંટણીજંગમાં ઝંપલાવે ત્યારે તેની આશા જીતની હોય છે, પણ જ્યારે તે હારી જાય છે ત્યારે તેની બાજી પલટાઈ જાય છે. કોઈ વિદ્યાર્થી સતત વાંચ્યા જ કરે છે, પણ તે પરીક્ષા નાં પરિણામ પછી તે બેચેન બની જતો હોય છે. મહેનત કરેલી ક્યારેય ફોગટ જતી જ નથી. જે બાળકને પરીક્ષા નાં પરિણામથી નારાજગી પ્રવર્તતી હતી તે જ બાળક આગળ જતા મોટો અમલદાર થાય છે. એવા કેટલાય ઉદાહરણો છે કે અમુક વિષયમાં નહીં, પરંતુ ધોરણમાં નાપાસ થયેલો વિદ્યાર્થી સનદી અધિકારી સુધી પહોંચી શકે છે તેનું કારણ એની ધગશ અને મહેનત છે. એટલે ક્યારેક જીવનમાં દુઃખના ઓળા ઉતરી આવે તો કદાપી નાશીપાસ થવું નહીં. કોઈ અજાણ્યા રસ્તે જતા હોઈએ અને અધવચ્ચે જાળા – ઝાંખરા કે ઝાડીઓનુ ઝૂંડ આવે તો આપણે રસ્તો છોડી દેતા નથી, તેમ આગળ ચાલવાનું ચાલુ રાખવાથી મંઝિલ સુધી પહોંચતા આશાન થઈ જાય છે.એટલે દરેકના જીવનમાં *ચડતી – પડતી, _તડકો – છાંયડો, સુખ-દુઃખ, ગરીબ – તવંગર* જેવા અનેક વિટંબણાઓ થી આપણા સૌનું જીવન ઘેરાયેલું છે.
આપણને પુરેપુરી ખબર હોવા છતાં એકબીજા પ્રત્યે નો ભાવ કેવો રાખીએ છીએ તે સૌ એ આપણા હ્રદય પર હાથ મૂકીને સત્ય સ્વિકારવુ જોઈએ. ઘણા લોકો દિવસ દરમ્યાન એકબીજાની આઘી – પાછી એટલે કે ઈર્ષ્યાની પડોજણમાં રચ્યા – પચ્યા રહીને ફલાણા ને આજે જાળમાં ફસાવવો છે. આવા કારસા રચતા હોય છે. જે કોઈ લપસીને ઊંડી ખાઈમાં પડ્યો હશે તો પણ તે +નિકળી શકશે, પરંતુ અદેખાઈ માં પડ્યો હશે તે કદાપી બહાર નિકળી શકશે નહીં. જ્યારે સામે બીજી વ્યક્તિ દિવસ દરમ્યાન સારું જ વિચારતા હોય છે. ફલાણા ભાઈનો દિકરો સારું ભણ્યો છે, તો તે જલ્દી સારા ધંધે લાગી જાય. આવતાં – જતાં ને હકારાત્મક સલાહ આપતા હોય છે. સગા વ્હાલા માં કે પરિવાર – પડોશી ના હંમેશા હિતચિંતક બનીએ તેવી અપેક્ષા સેવું છુ.
*ભલો ન ચૂકે એનું ભલપણ જીવનમાં,*
*ભૂંડો ન ચૂકે એની બદ દાનત જીવનમાં.*
કુદરતે હાથ -પગ, હૈયું અને મગજ ભેટમાં આપ્યું છે, તો કુદરતનો આભાર માનીને જીવનમાં સારા કામ કરીએ. એક દિવસ આપણા જીવનની પણ પૂર્ણાહુતી થવાની છે એટલે જેટલો સમય મળે એટલો સમય બીજાને મદદરૂપ થઈએ. આવો મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે તેનો સદુપયોગ કરીએ. લોકો પણ આપણા ગયા પછી આપણા વિચારોની પ્રેરણા લઈ જીવનમાં ઉતારે તેવા શુભ વિચારો લોકોને આપીએ.
કબીર સાહેબ ની પંક્તિઓ અહીં મૂકીને આપ સૌને હકારાત્મક વિચારો પ્રસ્થાપિત કરવાની આશા સેવું છુ.
*ઘડી હુઈ ઘડિયાળ મેં, હુવા પરાયા સબ માલ;*
*નંગા આયા નંગા જાના ઈતનો રખીએ ખ્યાલ.*
*જબ તૂમ આયો જગત મેં, જગ હસે તૂમ રોય;*
*ઐસી કરણી કર ચલો, તૂમ હસો જગ રોય.*
*કયા લે કર તું આયા જગ મેં, કયા લે કર તું જાયેગા;*
*મૂઠી બાંધકર આયા જગ મેં,હાથ પછાડે જાયેગા.*
આ જગતમાં સજીવ – નિર્જીવ તમામ નું સર્જન – વિસર્જન થતું રહે છે. આપણા સૌના માટે છેલ્લી ઘડી આવવાની જ છે, પરંતુ તેથી સૌ કોઈએ કોઈ પણ પ્રકારનું ટેન્શન રાખ્યા વગર ટેસ થી જીવન જીવીએ તેવી સૌને શુભેચ્છાઓ…
નામ : ડૉ જગદીશ કે રણોદરા (બંધવ)
સ્થળ : વીસાવડી-વરણોસરી-શંખેશ્વર-વાહેદપુરા.
તારીખ : ૭-૯-૨૦૨૨.
[9/8, 4:30 PM] Ratibhai Vaayada.NOG.MEM..Bombay Puja Kanani.Mithapur: *N.O .G. S.S. No. 0102*.
નામ:- *રતીલાલ વાયડા*
વિષય:-. *પૂર્ણાહુતિ.*
પ્રકાર:-. *ગદ્ય લેખ*.
શીર્ષક:- *શ્રી ગણેશ પૂર્ણાહુતિ* *સમારંભ*.
તારીખ:- ૮/૯/૨૦૨૨. ગુરૂવાર.
રચના:-
રિદ્ધિ, સિદ્ધિ ,સુખ ,સંપત્તિ , સમૃદ્ધિ અને શાંતિના દાતા એવા ભગવાન શ્રી ગણેશ ની સ્થાપના ભાદરવા સુદ ચોથના દિવસે સંપૂર્ણ ભારતમાં થઈ ગઈ . આજે તો ભારતમાં દરેક ઠેકાણે ભગવાન શ્રી ગણપતિનું પૂજન કરવામાં આવે છે. આ પૂજનની તારીખ૯/૯/૨૦૨૨ના રોજ શુક્રવારના દિવસે અનંત ચતુર્દસીના દિવસે પૂર્ણાહુતિ થશે.
કેટલાક લોકો દોઢ દિવસ બે દિવસ ત્રણ દિવસ આમ જુદા જુદા દિવસોમાં ગણપતિનું વિસર્જન કે પૂર્ણાહુતિ કરતા હોતા હોય છે .જેવી જેની શ્રદ્ધા. કેટલાક લોકો છેક અનંત ચતુર્દશી સુધી ભગવાનને પોતાના ઘરે રાખે છે.
ખાસ તો ગણપતિ ઉત્સવ મહારાષ્ટ્રમાં સૌથી વધારે પ્રમાણમાં ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્રની અંદર માટુંગા, કિંગ સર્કલ ,ચોપાટી, દાદર, મધ્ય મુંબઈ,તેમજ તમામ પરાઓની અંદર ગણપતિના જુદા જુદા પંડાલો રાખવામાં આવે છે . આ પંડાલોને વિશેષ રીતે ખૂબ શણગારવામાં આવેલા આવતા હોય છે. દરેક સોસાયટીમાં પણ ગણપતિની સ્થાપના કરવામાં આવે છે અને આસપાસના લોકો તેમાં ઉત્સાહથીભાગ લે છે. અનેક પ્રકારની હરીફાઈ અને કાર્યક્રમો રાખવામાં આવે છે.રોજ લાખો લોકો ભગવાન શ્રી ગણપતિના દર્શન માટે આવતા હોય છે . લાલબાગના ગણપતિ એ વિશેષ જાણીતા છે . આમ ગણપતિનું પૂજન લોકો શ્રદ્ધા અને ભક્તિથી કરતા હોતા હોય છે. આખું મુંબઈ જાણે ગણપતિ મય બની ગયું હોય તેવું લાગે છે .ચારે તરફ ગણપતિના પંડાલો. ખૂબ મોટી મૂર્તિઓ પંડાલોના જુદા જુદા શણગાર જુદાજુદા પ્રકારના ગણપતિ, બેન્ડવાજા , ફટાકડા અને ધૂન,ભજન ની રમઝટ એટલું જ નહીં પરંતુ ઘરે-ઘરે પણ ગણપતિની સ્થાપના અને સંપૂર્ણ શ્રદ્ધાથી લોકો માનપાન સાથે ભગવાન ગણપતિનું પોતાની રીતે યથા યોગ્ય સ્વાગત કરતા હોય છે .
છેલ્લા અઢી એક વર્ષથી આ કોરોનાને કારણે ગણપતિનું ઉત્સવ મનાવી શકાયો ન હતો તેને કારણે આ વર્ષે વિશેષ ઉત્સાહ જોવા મળે છે. ગણપતિનું પૂજન એ લોકોને માટે એક આનંદનો વિષય બની રહે છે.
આ દિવસો દરમિયાન સગા સંબંધીઓ, મિત્રો, ગણપતિના પૂજન વખતે ભેગા મળે છે. દૂર દૂરથી લોકો એકબીજાને હળવા મળવા માટે આવે છે. ખાય પીએ છે અને આનંદ કરે છે.
ગણપતિનું વિસર્જન કરવા કે પૂર્ણાહુતિને દિવસે ખાસ તળાવ, દરિયા કિનારે તેમજ જ્યાં તળાવની સગવડ ન હોય ત્યાં મોટા ખાડાઓની વ્યવસ્થા કરેલી હોતી હોય છે. હજારો લોકો ધામધૂમતી ગણપતિના વિસર્જનમાં ભાગ લેતા હોય છે. આ સમયે દુર્ઘટના ન બને તે માટે સરકાર તરફથી પણ વિશેષ તકેદારીઓ રાખવામાં આવે છે. ચારે બાજુ લોકોની ભીડ જોવા મળે છે . લોકો આનંદ ઉત્સાહથી ગણપતિ વિસર્જન કે પૂર્ણાહુતિ કરીને આવતે વર્ષે ગણપતિ વહેલા પધારજો તેવી પ્રાર્થના સાથે ગણપતિની મૂર્તિનું વિસર્જન કરે છે.
દેશમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ રહે તેવી ભગવાન શ્રીગણપતિ પાસે પ્રાર્થના કરે છે.
લેખક:- રતીલાલ વાયડા
નવી મુંબઈ.૮/૯/૨૦૨૨.ગુરૂવાર.
.

[9/8, 10:58 PM] Muktida Oza.MeM: Nog-106
NOGSS-106
NOGSS ‘સાહિત્ય સરિતા-ગ્રુપ’
વિષય:- “પૂર્ણાહુતિ”!!!
શીર્ષક:-“ગુણાતીત-અનંત -અવિચળ”!
પ્રકાર:-ગદ્ય
શબ્દ:-300
*********
સદ્ગુણોની પૂર્ણાહુતિ ન જ થાય. ગણપતિ એટલે સદ્ગુણ. અને
આહુતિ એટલે હોમવું.પધરાવવું.!
યજ્ઞમાં આપણે ‘સમિધ’ પધરાવીએ. ઘી/તલ/જવ..હોમીએ. આ યજ્ઞમાં વિવિધ પદાર્થો અને વસ્તુઓ હોમવાની પ્રક્રિયાને “આહુતિ” કહેવાય. આહુતિ એટલે અગ્નિની જ્વાળા દ્વારા બ્રહ્માંડમાં સુગંધ ફેલાવવી..
આપણી જિંદગીનાં જુદાં જુદાં કાર્ય-જ્યારે પૂર્ણ કરીએ તેને પૂર્ણાહુતિ કહીએ!! પણ ..
સારાં કાર્ય,સારા વિચાર સારું વર્તન એનો અંત તો ન જ હોય. એ તો સતત ચાલ્યા જ કરે. ખુશી,આનંદ,પ્રેમ,સદ્ભાવના– અનંત છે. તે હરકણ/હરક્ષણ-અવિરત વહ્યા જ કરે.તેને પૂર્ણ તો કરી જ ન શકાય.
શક્ય છે, તાપમાન બદલાવી શકાય! એમ કહેવાય છે કે- સતત દસ દિવસ સુધી મહાભારત લખતા રહેવાથી ગણેશજીના શરીરનું તાપમાન વધી ગયું ! અને શ્રી વેદવ્યાસજી ગણેશજીને નજીકના તળાવે લઈ ગયા,ત્યાં પાણીમાં ડૂબકી મરાવી ઠંડા કર્યા.તે દિવસ ‘અનંત ચતુર્દશી દિવસ કહેવાય છે!
આપણે “ગણપતિ”ના ખાસ દસ દિવસ ઊજવીએ છીએ!
**આ તહેવાર સાર્વજનિક રૂપે ઉજવવા માટે લોકમાન્ય તિલકે શરુઆત કરાવી.
ત્યારે વિસર્જનની વાત નહોતી.આપણા દરેકનાં *ઘરોમાં ગણપતિબાપાનું નામ અને સ્થાન કાયમી છે. બાપાની મૂર્તિને તિલક કરી, ફુલ ચઢાવી દીવો પ્રગટાવવો જોઈએ,એવું દરેકને વારસામાં એ સંસ્કાર
મળ્યા છે..બાકી જેવી જેની શ્રધ્ધા અને ભક્તિ..
જેને આપણે રિદ્ધિ સિદ્ધિના દાતા કહીએ છીએ, સત્કાર્યોની શરૂઆતમાં સ્થાપન કરીએ છીએ,સર્વે દેવોમાં પ્રથમ પૂજન કરીએ છીએ,જેની સ્થાપના વિના યજ્ઞ -યાગ અધૂરા કહેવાય ! શ્રીગણપતિનું વિસર્જન કે પૂર્ણાહુતિ કહી શકાય?
ફક્ત મૂર્તિ બિરાજમાન છે!! એમના સ્થૂળ રૂપનું વિસર્જન-પૂર્ણાહુતિ છે. બાકી આપણા સંસ્કારમાં, હ્રદયમાં એમનું સ્થાન અવિચળ છે. જેનું ક્યારેય વિસર્જન પૂર્ણાહુતિ થતી નથી.
લોકો વિસર્જન વખતે કરતા તાયફા,જેમકે દારુ પીને નાચવું, ફિલ્મી ગીતો ગાવા, વ્યાજબી નથી.
એ માત્ર ને માત્ર દેખાડો છે.
.ગણપતિના અંગેઅંગ હકારાત્મક પ્રતિક છે.એની જીણી આંખ,મોટી સૂંઢ,સૂપડાં જેવા કાન,થાંભલા જેવા પગ,ટૂંકી પૂછ! દરેક અંગ આપણને ઘણું બધું શીખવે છે.
પૂર્ણાહુતિ કરવી હોય તો, –નકારાત્મકતા-
ખરાબઆદતો,કુરિવાજો,
કામ,ક્રોધ,લોભ,મદ,મોહ,
ઇર્ષ્યાની પૂર્ણાહુતિ કરીએ.
ગજાનન ગણરાય! સંપૂર્ણ સદ્ગુણી રિદ્ધિ/સિદ્ધિના દાયકની પૂર્ણાહુતિ શક્ય નથી.
મુક્તિદા કુમાર
‘રુપલી’
મુંબઈ-મહારાષ્ટ્ર
8/09/’22.
[9/9, 7:02 AM] Varshaben Desai.MEM.Baroda: NOG. SS. No. 0097
વિષયઃ પૂર્ણાહુતિ
પ્રકારઃ ગદ્ય
શીર્ષકઃ આહુતિ
આપણો સંકલ્પ પૂર્ણ થાય ત્યારે આપણે હોમ-હવન, પૂજા કરીએ.ભૂદેવો પૂજા કરાવે. હોમ-હવન થાય અને અંતે એ હવન કાર્ય સંપન્ન થાય. ત્યારે નાળિયર હોમવામાં આવે અને એ વિધિને પૂર્ણાહુતિ કહેવાય. એટલે જુદી જુદી આહુતિ આપ્યા પછી છેલ્લે પૂર્ણાહુતિ થાય.
બાળક જન્મે ત્યારબાદ, માતાપિતાએ સંયુકતરીતે
બાળકોનો ઉછેર, કાળજી અને માવજતની જવાબદારી નિભાવવાની હોય છે. પોતાના સંતાનોનું ઘડતર કરીને
યોગય ઘાટ આપવાનો હોય છે.એમ કરવા માટે માતપિતાએ પોતાના મોજ શોખ અને સમયનો ભોગ આપવો પડે છે. ત્યારે જ એ પોતાના બાળકનું સંતોષકારક ઘડતર કરી શકે.
મૃત્યુ એ જીવનની પૂર્ણાહુતિ છે. જીવન પર્યંત
આપેલ આહૂતિઓનું ફળ જીંદગીના પાછલા વરસોમાં અચૂક મળે જ છે. સંતાનો યથાયોગ્ય સંભાળ લે જ છે.
માતા પિતાએ પોતાની ફરજ બજાવવાની હોય છે.
સંતાનો પાસે અપેક્ષા વગર. બાળકોનું પૃથ્વી પર અવતરવું એ એમની ઇચ્છા મુજબ નથી કે આકસ્મિક પણ નથી.ક્ષણિક સુખ અને આનંદના પરિણામરુપ બાળકનો જન્મ થાય છે. એ દરેક માતાપિતાએ યાદ રાખવું જોઈએ.
વર્ષાબેન દેસાઈ
એડવોકેટ
વડોદરા-સિડની
તા.૯/૯/૨૨
[9/9, 7:07 AM] Pravina Kadakiya.MeM NOG Houston: NOG S S N ૦૦૮૯
વિષય પૂર્ણાહુતિ
શીર્ષક સ્વાહા
પ્રવિણા કડકિઆ
—————-
હિંદુ સંસ્કૃતિ અનુસાર પૂજા , લગ્ન વિધિ યા ભાગવત સપ્તાહ પારાયણનો
પ્રારંભ ખૂબ ધામધૂમથી થાય છે. તેની પૂર્ણાહુતિ ઓમ સ્વાહા બોલી જલ અને તલ પ્રજ્વલિત અગ્નિ માં હોમાય છે. ભક્ત જન અને શ્રોતા ગણ સમજી જાય કે હવે પ્રસાદ લઈ ઘર ભેગા થવાનું .
માનવાના જીવનમાં આવું હમેશાં બનતું આવ્યું છે. શુભ કાર્યનો પ્રારંભ કરે અને જયારે પૂર્ણાહુતિ નજદીક આવે ત્યારે આનંદ વિભોર થાય છે. કાર્ય સફળ થયાનો ગૌરવ અનુભવે છે.
આરંભે શૂરા વ્યક્તિ જો ધીરજ ગુમાવે તો પૂર્ણાહુતિ ની મોજ માણી શકતા નથી . તેથી કહેવાય છે , કાર્ય સરળ શરુ કરો જેથી પૂર્ણાહુતિ નો આનંદ પ્રાપ્ત કરી શકો. એ આનંદ જીવનને ધબકતું બનાવશે.
નાનું બાળક જયારે ચાલતા શીખે છે ત્યારે અગણિત વાર પડે છે. કુંકુમ પ્રયત્ન છોડતું નથી. જયારે ચાલતા આવડે ત્યારે તેના મુખ પર આનંદ નિહાળજો. કેવું ટપ ટપ દોડે છે. પડવાનો ભય લાગતો નથી.
વાર્ષિક પરીક્ષા પૂરી થાય પછી વિદ્યાર્થી ના મુખ પર આનંદનો સાગર ઉછાળતો દેખાય છે. એ વર્ષની પૂર્ણાહુતિ ના માનમાં મજા કરવા નીકળી પડે છે. પરિણામની ચિંતામાં સમય બરબાદ નથી કરતો.
જ્યારે પૂર્ણાહુતિનું પરિણામ ધાર્યું આવે ત્યારે મહેનત સફળ થયાનો ઉમંગ મુખ પર તરવરે છે.
શિક્ષકનો આભાર માને છે. માતા અને પિતાએ બધી સગવડના આપી તેની નોંધ રાખે છે. તેમનો સાથ અને સહકાર જીવનભર યાદ રાખે છે.
આજે જીવનમાં પદ અને પ્રતિષ્ઠા નો જશ તેમને આપે છે. કરેલી મહેનતનું ફળ। પ્રાપ્ત થયું તેનો સંતોષ માણે છે.
મનના વિચાર વ્યક્ત કર્યા ચાલો પૂર્ણાહુતિ નો સમય આવી પહોંચ્યો છે.
[9/9, 4:19 PM] A Nishant Mother.MeM.NOG: NOG SS 0092
પ્રકાર:- પદ્ય
વિષય:-પૂર્ણાહુતિ
શિર્ષક:- સંકલ્પની પરિપૂર્ણતા
સંકલ્પ હતો તુજ પૂજાનો,
આજ એ પૂરો થયો.
મનના આંગણે તારા આગમનનો,
અનેરો અવસર આજે પૂરો થયો.
ઉંબરના સાથિયા ને તોરણ,
તારા આવવાથી શોભી રહયાં હતા.
તારા જવાથી એના રંગમાંથી ઉડી ભીનાશ,
જે સ્વાગતનું પ્રતિક બની રહયાં હતા.
ધૂપ-દીપ ને અબીલ-કુમકુમથી મ્હેંકતું ઘર,
તારા બિરાજવાથી સદાય ખુશીથી ચહેકતું ઘર.
મંદિર સમી થતી જેમાં થતી અનુભૂતિ,
તારા જવાથી એક ખાલી ઓરડો બની ગયો.
દર્શને તારા આવતા સગાં- સ્નેહી,
દિન -રાત ઉભરાતા માનવ મહેરામણ અહીં.
થતી સ્તુતિ, આરતી ને વિવિધ પ્રાર્થના- પૂજા,
મંત્રોચ્ચાર ને શંખઘ્વની હજુંય સંભળાઈ રહ્યો.
વિવિધ વ્યંજનોથી થાળ પીરસાતા,
મુખવાસ ને પાનબીડા ધરાવાતા.
ભરાતી ગંગાજળની ઝારીઓ,
થાળ ગાઈને ગણેશજીને જમવા તેડાવાતા.
આવ્યો આ દિવસ વિસર્જનનો,
સમજાવવા અર્થ ક્ષણભંગુરતાનો.
લડાવો લાડ ભલે લાખો,
સમય આવ્યે સહુને મળી જાય છે પાંખો.
રડતી રાખીને સ્વજનો ને ભક્તોની આંખો,
દેવ ચાલી જતા પોતાને સ્થાન ને સાખો.
અંતરમાં છબી કોતરવી પડે છે,
રોજે- રોજ હવે એમના દર્શન કયાં જડે છે?
વિદાયમાં ઉચ્ચારાતા મંત્રોચ્ચારો,
આશીર્વચન ને પ્રાર્થનાઓના ઉદગારો.
ફરી મળવાના કોલ લેવાયા,
ભૂલચૂક માટે ક્ષમાયાચનાના પાઠ કરાયા.
જળમાં તારું વિસર્જન કરી,
સંકલ્પ પૂરો કરાયો.
આજે આંખોમાંથીય વહેતા જળમાંય,
શ્રદ્ધાનો ભાવ ઉમેરાયો.
આ પૂર્ણાહુતિ નહિ પણ શુભારંભ છે,
જીવન તારી કૃપાથી હવે મહાયજ્ઞ છે.
આહુતિ દેવાશે એમાં સર્વ દુષણોની,
પ્રકાશસે એમાં લાલિમા સતકર્મોના ભૂષણોની.
-અલકા નવિનચંદ્ર મહેતા
૦૯ / ૦૯ / ૨૨
ગાંધીનગર.
[9/9, 5:32 PM] Babu Sangada.પત્રકાર: NOG 109
શિર્ષક :-વિસર્જન /બાબુ સંગાડા”મહેક”
પ્રકાર :પધ
કેવી શ્રધ્ધા ?
નવ નવ દિવસ ડૂંબી જાય લોક,
ભક્તિના રંગમાં.
સાંજ સવાર આરતીઓ થાય,
અખંડ જયોત સળગાવી.
કયાંક ફળિયું,કયાંક ગામ,
કયાંક શહેર તો કયાંક ઘર
આખુ યે ડૂબી રહ્યું.
દસમે દિવસ મશ્કરી થાય,
હે ઇશ્વર !
આ કેવી ભક્તિ ?
વળાવે ;ડૂબાવે ન બણે તો,
છાતી પર ચડી દબાવે,
રોજ તને પૂજે એનું શું?
કે પછી તેજ આહવાન કર્યું છે?
સમજાતું નથી તારી શ્રધ્ધાનું.
ચારેબાજું બાંધે,
વરઘોડો કાઢે,
તેય પાછો જો ઢોલ નગારા સાથે,
આ શ્રધ્ધા ?
વિશ્વાસ કે પછી આનંદ
એતો તને ખબર.
માણસ જાણે હો
તારું સ્થાન કયાં છે?
[9/9, 5:56 PM] meghna.MeM: NOG SS NO : 0117
વિષય : પૂર્ણાહુતિ
‘ આયખું ‘
હોસ્પિટલના એક નાનકડા એવા રૂમમાં સવજીભાઈ પોતાના અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા.સાવ નાનો એવો રૂમ હતો. એક ખાટલામાં સવજીભાઈને સુવડાવ્યા હતા. આજુબાજુમાં તેમની પત્ની અને દીકરા-વહુ તેમની સેવામાં ખડેપગે હતા.હોસ્પિટલના રૂમનું વાતાવરણ ખૂબ જ ગંભીર હતું. સૌ પોતપોતાની રીતે ભગવાનનું નામ લઈ રહ્યા હતા. ક્યારે શું બનશે તેની કોઈને ખબર ન હતી.સવજીભાઈના પત્ની રમાબહેન જાપ કરતા હતા. તો તેના દીકરા અને વહુ પણ માથેને માથે સેવામાં હાજર હતા.ડોક્ટરોએ હાથ ઊંચા કરી દીધા હતા.ને કહી દીધું હતું કે,”આ કેસ હવે અમારા હાથમાંથી નથી.ભગવાનની ઈચ્છા પ્રમાણે થશે.”
એવામાં સવજીભાઈની મનોદશા કેવી હશે ?સવજી ભાઈ પોતાના અંત સમયે શું વિચારતા હશે ? સવજીભાઈ મનમાં ને મનમાં વિચારી રહયા હતા કે,હે પ્રભુ!આ મારા જીવનની પૂર્ણાહુતિનો સમય છે.પ્રભુ તારો જેટલો આભાર માનું એટલો ઓછો છે કે,મારી આવી દયનીય હાલતમાં પણ મારો પરિવાર મારી સાથે છે. કેવા પુણ્ય કર્યા હશે કે,આવા દીકરા અને વહુ મળ્યા છે. બાકી તો આ દુનિયામાં એવા કેટલાય માતા-પિતા હશે જેના દીકરાઓ અંત સમયે મળવા પણ નથી આવતા. તારો ખુબ-ખુબ આભારી છું. બસ એક ફરિયાદ છે તમારાથી કે તમે ક્યારેય મને આર્થિક સુખ ન આપ્યું.આવી ગરીબી દેખાડી. ન હું ક્યારેય મારા દીકરાઓને કોઈ સગવડતા આપી શક્યો કે,ન મારી પત્નીને ક્યારેય અમારા પોતાના ઘરમાં રહેવા લઈ ગયો.આખી ઝીંદગી ભાડાની નાનકડી ખોલીમાં વિતાવી નાખી.પણ મારા ગયા પછી મારા આ પરિવારને ક્યારેય દુઃખી ન કરતા.એમના જીવનમાં કોઈ અગવડતા ન આવે તેનું ખાસ ધ્યાન રાખજો. આખા જીવનમાં મે ઘણી ભૂલો કરી છે. ઘણી વાર આ બધા મારા લોકોને કંઇક કહી દીધું હશે.ક્યારેક ન કરવાનું કામ કર્યું હશે. અને ક્યારેક ન બોલવાનું બોલ્યો હોઈશ.એ બધાનો પછતાવો આજે ભારે હૈયે મારી સાથે લઈને આવીશ.આર્થિક સગવડતા ભલે ન મળી પણ આ પરિવારનું સુખ મળ્યું છે,એ તો નસીબદાર હોવાની નિશાની છે. મે ભલે આખી ઝીંદગી પગારદાર નોકર બનીને કાઢી પણ મારા દીકરાને ક્યારેય કોઈનું વેઠવું ન પડે એનું ધ્યાન રાખજે.મે ભલે આખી ઝીંદગી દુઃખમાં વિતાવી પણ મારા દીકરાઓ પર એ દુઃખનો પડછાયો પણ ન પડે. અને મારી રમાની પણ આ જાતી ઝીંદગી સુધારી દેજો. એને હવે પારકા કામ કરવા ન જવુ પડે એટલી મદદ કરજે ભગવાન.
( અને બસ ત્યારે જ બેભાન પડેલા સવજીભાઇ ની આંખો એક વાર ખુલીને બંધ થઈ ગઈ.અને આત્માએ મોક્ષની વાટ પકડી.)
– મેઘના કામદાર
( અમદાવાદ )
[9/11, 10:22 AM] Vibhitiben Desai: NOGSS/0044
વિષય:- પૂર્ણિહુતિ
પ્રકાર:- પદ્ય
શીર્ષક:- લાડલીના લગ્ન
શબ્દો:- ૨૧૨
સાહિત્ય સરિતા માટે
શબ્દ:- પૂર્ણાહુતિ
શીર્ષક:- લાડલીનાં લગ્ન
રૂડાં ઢોલક વાગે , રૂડી શરણાઈ વાગે કે આજ મારી લાડલીનાં લગ્ન લેવાય.
રૂડો માણેકસ્તંભ રોપાય, રૂડો મંડપ બંધાય કે આજ મારી લાડલીનાં લગ્ન લેવાય.
રૂડાં ગણેશ સ્થાપન થાય, રૂડું સેવમૂહર્ત થાય કે આજ મારી લાડલીનાં લગ્ન લેવાય.
રૂડું મીંઢળ બંધાય,રૂડી પોંસ ભરાય કે આજ મારી લાડલીનાં લગ્ન લેવાય.
રૂડાં મોસાળિયા આવે રૂડું મોસાળું લાવે કે આજ મારી લાડલીનાં લગ્ન લેવાય.
રૂડી શાંતેક થાય, રૂડું નાળિયેર હોમાય કે આજ મારી લાડલીનાં લગ્ન લેવાય.
રૂડું નાળિયેર હોમાય, વિધીની પૂર્ણાહુતિ થાય કે આજ મારી લાડલીનાં લગ્ન લેવાય.
વ્હાલા દાદા દાદી આવે પ્રેમે આશિષ આપે કે આજ મારી લાડલીનાં લગ્ન લેવાય.
વ્હાલા નાના નાની આવે પ્રેમે આશિષ આપે કે આજ મારી લાડલીનાં લગ્ન લેવાય.
વ્હાલા કાકા કાકી આવે રૂડાં કુટુંબ જમાડે કે આજ મારી લાડલીનાં લગ્ન લેવાય.
વ્હાલા મામા મામી આવે રૂડું પાનેતર લાવે કે આજ મારી લાડલીનાં લગ્ન લેવાય.
વ્હાલા ફોઈ ફુવાજી આવે રૂડો વાનો રે લેય કે આજ મારી લાડલીનાં લગ્ન લેવાય.
વ્હાલા માસી માસાજી આવે પ્રેમે આશિષ આપે કે આજ મારી લાડલીનાં લગ્ન લેવાય.
વ્હાલા બેન બનેવી આવે રૂડાં ગીતો ગવડાવે કે આજ મારી લાડલીનાં લગ્ન લેવાય.
જાણીતું મૈત્રી મંડળ આવે ગીતોની રમઝટ બોલાવે કે આજ મારી લાડલીનાં લગ્ન લેવાય.
લાડલીની વિદાય થાય માવતરની આંખડી રૂવે કે મારી લાડલીનાં લગ્ન થયાં
© વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
[9/11, 11:43 AM] Puja Alka Kanani.Kutchh.Kananips.MeM.NOG: NOG SS નંબર-0042
પ્રકાર-ગદ્ય (વાર્તા)
વિષય -પૂર્ણાહુતિ
શીર્ષક -પૂર્વગ્રહની પૂર્ણાહુતિ
શબ્દ -૨૮૦
“સ્નેહા,બેગ ભરી લે અને ચાલ મારી સાથે.” અભયે ગુસ્સા સાથે સાગર સામે જોઈને કહ્યું.
“અભયભાઈ,શું થયું!આમ અચાનક સ્નેહાને તમારી સાથે લઈ જવાની વાત કેમ કરો છો?”
“કાલે,પ્રસંગ પૂરો થયે. તમારા પરિવારજનોના ગયા પછી તમે જે રીતે સ્નેહા સાથે વાત કરી રહ્યા હતા તે મેં સાંભળી. વર્ષમાં બે-પાંચ વાર આવતા તમારા પરિવારજનોએ સ્નેહા વિરુદ્ધ તમારા કાનમાં ઝેર રેડ્યું છે. તમારા મનમાં સ્નેહા પ્રત્યે પૂર્વગ્રહ બંધાઈ ગયો છે કે સ્નેહાને તમારા પરિવારજનો ગમતા નથી. તમારા પરિવારજનો તમારા સારા, માઠા પ્રસંગમાં હાજરી આપવાના બદલે જાણે મારી બહેનને જજ કરવા આવતાં હોય એવું મને લાગે છે. પરણીને સાસરે જતી દરેક સ્ત્રીને પતિના પરિવારમાં માન-સન્માન મળે તેવી અપેક્ષા જરૂર હોય છે પણ જ્યાં પતિ જ માન-સન્માન ન આપી શકે. જ્યાં પતિ,પત્નીની સચ્ચાઈ માટે પરિવારજનો સામે સ્ટેન્ડ ન લઈ શકે એ દુનિયા સામે ખાક લડી શકે? લગ્નના આટલા વર્ષે પતિ જ પોતાની પત્નીને ઓળખી ન શકે તો પરિવારજનો પાસેથી અપેક્ષા રાખી શકાય? તમારા પ્રેમના સહારે સ્નેહા, એ સાબિત કરવા નીકળી હતી કે લોહીનાં સંબંધ કરતાં લાગણીનાં સંબંધો વધારે ચડિયાતા હોય પણ કદાચ એની ધારણા ખોટી પડી હોય એવું મને લાગી રહ્યું છે. મમ્મી પપ્પાની વિરૂદ્ધ જઈ સ્નેહા એ તમારી સાથે લગ્ન કર્યા અમે દુઃખી ન થઈએ એટલે એ અમને કશી ફરિયાદ નથી કરતી પણ એનો અર્થ એ નથી કે તેનું પિયરમાં કોઈ નથી. હવે તમે કહો આવું બધું જોઈ સાંભળી હું મારી બહેનને મારા ઘરે લઈ જાઉં કે નહીં.?
અભયની વાત સાંભળી સાગરની આંખો સામે પોતે અને પોતાના પરિવારે સ્નેહાને કરેલો અન્યાય ચલચિત્રની માફક ફરી વળ્યો. સાચું સમજાતા પોતાનાં જીવનની નૈયાને ડૂબતી બચાવવા સાગરે પૂર્વગ્રહને પૂર્ણાહુતિ આપી. અભય અને સ્નેહાની માફી માંગી પ્રેમના પ્રકરણનો ફરી પ્રારંભ કર્યો.
પૂજા(અલકા)કાનાણી
[9/11, 3:17 PM] Jayshree Patel. Sahityakar: *NOG SS NO: 004*
*વિષય*ઃ પૂર્ણાહુતિ*
*પ્રકારઃ ગદ્ય*
*શબ્દોઃ*૩૪૯*
*શીર્ષકઃ જ્વાલા*
ઘરમાં નવચંડીનો યજ્ઞ ચાલતો હતો. શુભ્રા પોતાનાં શયનખંડમાં બેઠી હતી, ત્યાં જ તેનો પુત્ર સોમિન તેને બોલાવા આવ્યો . તે બહાર આવી તો કપુર ને અગરબત્તીની સુવાસ તેની નાશિકા દ્વારા ફેફસા પર ટકોરા મારવા લાગી. તેને સખત ખાંસી ઉપડી. તે છતાંય
આજનું યુધ્ધ લઢવા તૈયાર હતી. ખાંસી ખાંસીને તે લાલઘૂમ થઈ ગઈ હતી. બોલી પણ નહોતી શકતી. તેની સાસુ ને નણંદ બન્નેએ મોં મચકોડ્યાં. સાસુ બોલ્યા કે જરાય સહન શક્તિ નથી ને નણંદ બોલી કે ટોલરેશનનો પૂર્ણ અભાવ !
રજત જાણતો હતો કે શુભ્રાને સખત એલર્જી છે, છતાં આજે તે જીદે ચઢ્યો હતો. મહારાજે પણ કહ્યું કે
થોડીવાર પછી આવવું હતું બેટા. પાંચ વર્ષે પણ તેના અંગત લોકો સમજતા નથી એ દુઃખે તેની આંખમાં આંસુ
આવ્યા.સોમિન પૂછતો હતો,” મમ્મા કેમ રડે છે?”
તેણે ઉત્તર આપ્યો ,” બેટા આ ધૂમાડાથી આંખોમાં પાણી આવ્યું છે રડતી નથી.” આ ચાર વર્ષના બાળકને
શું સમજાવે?
જેવું નાળિયેર હોમાયું કે હવનની પૂર્ણાહુતિ થઈ તે સીધી પોતાના શયનખંડ તરફ દોડી.પથારીમાં પડી પડી ફફક ફફક કરી રડી રહી. તે જ સમયે સરલ તેનો દિયર
ત્યાંથી પસાર થતો હતો, તેણે આ જોયું. બન્ને હમ ઉમ્ર હતા તેથી કે કોઈ લાગણીથી તે શુભ્રાને માન આપતો.
તેણે આવી શુભ્રાને પાછળથી ઊંચી કરી નજીક ખેંચી અને પોતાની પાસે ખેંચી લીધી.એક હૂંફની જ્વાલા ભડકી
અને બન્ને જણાં સમર્પણની ભાવનામાં ડૂબી ગયાં.
બહાર ,અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરં, રામનારાયણં જાનકી વલ્લભમ ગવાતું હતું ને અંદર એક પ્રેમની ને હુંફની ભૂખ સંતોષાતી હતી. ભાન આવતા શુભ્રા મર્યાદા સાચવી ઊભી થઈ ગઈ. ભૂલ થતાં બચી ગઈ પણ તેના મને નક્કી કરી દીધું કે આ પ્રેમ હીન સંબંધોની પૂર્ણાહુતિ કરે જ છૂટકો છે. તેણે બેગ ભરી ને શયનખંડનાં ઉંબરાને ઓળંગી બહાર પ્રસાદની વહેંચણી થતી હતી ત્યાં આવી જાહેર કર્યું કે હોમાયેલા નાળિયેરની જેમ હવે
તેનાંથી નહિ જિવાય આ ઘરમાં માટે હું ઘર ત્યજી જાઉં છું. મારાં પુત્રને નથી લઈ જતી ન કસ્ટડી માટે દાવો કરીશ. મારાંમાં રહેલી જ્વાલાથી એનું જીવન જાણે અજાણે નહિ બગાડું. તે સડસડાટ ચાલી નીકળી.
રજતને શુભ્રાએ કરેલી આજીજી યાદ આવી, તેની માતા ને બેનની જીદ યાદ આવી , તે ખૂબ પશ્ચાતાપ કરવા લાગ્યો.નવચંડી કરવા જતા પત્નીનું ચંડી રૂપ ને તેના તનમનની જ્વાળાથી તે દાઝી ગયો.જ્યાં પ્રેમ નહિ સંબંધો
મહત્વના તેણે જોયાં.
*જયશ્રી પટેલ*
*૧૧/૯/૨૨*
[9/11, 3:48 PM] Maya Desai.Bombay.MeM.NOG: *NOG SS No.0081*
*વિષય: પૂર્ણાહુતિ*
*પ્રકાર : પદ્ય*
*શીર્ષક: ઈશનું સખ્ય*
મન ચકડોળે ચઢી જાય,જોઈ શબનમ,
કળા કેવી કુદરતની, જળનું આ અનોખું રૂપ!
કદી વર્ષા,કદી ફોરાં ,કદી અનરાધાર,
મન માનવનું પણ પામે આમ જ સ્નેહધાર .
જન્મે બાળ,પામે પ્રેમ, સ્વજન કે અવરનો,
આયખાની આ નિસરણીએ ચઢતો જાય મલપતો.
પામ્યો પ્રેમ આપવો, એ પણ નિયતિ,
મા તાત,ભાર્યા,નાથ, ચાહે સ્નેહ સંતતિ.
આયખાની મજધારે, હંફાવે જ્યારે ફરજ,
રણમાં ત્યારે બળબળતી હોય જાણે બપોર.
હાંફતા આવે યાદ ઈશની, શક્તિદાતા આપો શાતા,
સુખે નવ સમર્યા, સમરું આજે, ઉગારો વિધાતા.
આવ્યો અંત ઢૂંકડો, તોય જીવ માયામાં ગૂંચવાય,
પૂર્ણાહુતિ જો ચાહો ભવ્ય , સદા ઈશનું રાખો સખ્ય!
#©️માયા દેસાઈ
મુંબઈ ભારત.
[9/11, 5:40 PM] Dr.Rekha Kachoria.MeM.NOG: NOGSS NO. -0034
વિષય : પૂર્ણાહૂતિ
વિભાગ : ગદ્ય ( વાર્તા )
શબ્દો : 283
શીર્ષક: સંકલ્પ
હાથમાં દાંતરડું લઈને ગુસ્સામાં જ જીવલી બોલી,” આજની પૂર્ણાહૂતિ તો મારે હાથે જ થશે. આ યજ્ઞમાં નારિયેળ તો હું જ હોમીશ.” અને એક જ ઘાએ યજ્ઞકુંડ પાસે ઉભેલાં કાળુને એણે નપુંસક બનાવી દીધો!
જીવલીનું રૌદ્ર સ્વરૂપ જોઈ બે ઘડી મંડપમાં સન્નાટો વ્યાપી ગયો. શું થયું, એ સમજમાં આવ્યું ત્યારે હાહાકાર વર્તાઈ રહ્યો. તરત જ કાળુને દવાખાને દાખલ કરવામાં આવ્યો.કરશનમુખીએ જીવલીને પોલીસને હવાલે કરી. પરંતુ તેનાં મોં પર અફસોસનો છાંટોય નહોતો. એણે જે કર્યું એનાથી ગામની દરેક વહુ દીકરીને અભય મળ્યું હતું.
વાત જાણે એમ હતી કે, કરશન મુખીનો વંઠેલ દીકરો કાળુ બાપાનાં પૈસે લહેર કરતો અને આખા ગામમાં હરાયા ઢોરની માફક રખડતો. દુનિયા આખીની બદીઓ એમાં હતી. હમણાંનો શહેર જઈ આવ્યો પછી તો ગામની વહુ-દીકરીઓની છેડતી કરવાનો એક પણ મોકો ચૂકતો નહીં. રક્ષક જ્યારે ભક્ષક બને તો ફરિયાદ પણ કોને કરવી!
પરંતુ, ગઈકાલે તો એણે મર્યાદાની બધી હદ વટાવી દીધી. સૂરજ બરોબર માથે ચડ્યો હતો એ વેળાએ ખેતરોમાં ખાસ કોઈ હતું નહીં.સૌ કોઈ જમી પરવારીને છાંયો ગોતીને આડે પડખે થયાં હતાં. એ સમયે ખેતરનાં કામથી પરવારેલી જીવલી કૂવા બાજુ આડશ ગોઠવી ન્હાવા બેઠી’તી.ત્યાં દારૂ પીધેલો કાળુ નીકળ્યો અને જીવલીનું જોબન જોઈને ગાંડોતૂર થ્યો. બળજબરીથી તે જીવલીને બાજુની ઝાડીઓમાં તાણી ગયો.એનાં મોંમાં ડૂચો મારીને એણે એની આબરૂ લૂંટી.
કાળજું કઠણ કરીને લથડિયાં ખાતી તે માંડ-માંડ ઘરે પહોંચી.તેનાં અંગેઅંગમાં કળતર થતું હતું. એ આખી રાત જીવલી ગુસ્સામાં તડફડી. એકઘડી તો થયું કે, કૂવો પૂરી લે.પણ તેનો માંહ્યલો પોકારી ઉઠ્યો,”તું મા કાળીનો અવતાર છો, તું આત્મહત્યા કરીશ તો કાલે બીજી જીવલીનું શિયળ લૂંટાશે.રોજ-રોજ આમ થશે!” મનમાં એક સંકલ્પ કરીને નવી પ્રભાતે તે ઊઠી.
આજે મુખીનાં ઘરે યજ્ઞ હતો. આખાં ગામને નોતરું હતુ. પાપ કરનારાઓ પુણ્ય કમાઈ રહ્યાં હતાં! રણચંડીની જેમ તે આવી અને એક જ ઝાટકે એનો સંકલ્પ પૂરો કર્યો.
–ડૉ. રેખા શાહ
[9/11, 5:50 PM] Ragini Shukla.MeM.NOG.Bombay: NOG SS NO – 0050
વિષય- પૂણાર્હુતિ
પ્રકાર – પદ્ય મૌલિક
………………………………..
એક નજર કરીએ એટલે સ્થિતયંતરો થાય..!
પૂર્ણાહતી સાથે હતાશા દર્શાવે છે..!
સવારી ચાલી શબ્દોની નાવ લઈને…!
મારાં, તારાં , આપણાં રસ્તાઓ છેદી ભેદીને..!
માત્ર ખેવના હાથમાં છે..!
પાંખ હોય તો ઉડાઈ દૂર વાદળો મહીં…!
શ્વાસ મહીં મધ્યે મોહરી વસંત..!
જીવનની પરિકાષ્ઠા કહો કે પૂર્ણાહુતિ..!
પડખાં ફરી રહેલાં હૃદય પર હજીએ શબ્દો તણિ પુર્ણાહુત નોંધ લે છે..!
ઉચ્ચેરા વાદળની આંખે છે ધરા પર…!
ઈશ્વરને પ્રશ્નાત્મક સંભાળવી દે છે…!
મર્કટ આ મનડું તો આમતેમ ભટકે..!
ધરતી કેરી ઉષ્મા વરાળ થાય આભેને ,
પાછી આવે જળ બનીને પૂર્ણાહુતિ થાય..!
પણ આરંભાય અને પૂર્ણાહુતિ શાણપણમાં..!. થાય ભલે પ્રલય આગ થકી..! પણ દ્વેશ કે અનુભવ્યો વિનાશ શું કારણ બને ..!
મારી ધ્વની ની વાત કરતાં થાશે પુર્ણાહુતી..!
વર્ષોના ઇન્તજાર પછી વિચારોની પરિપકવતા, ભાષાનો વૈભવ, કવિતાની તિરોધાત્મકતા અને લાઘવની સંવેદના..!
માનવ જીવનની વાસ્તવિકતા છે..!
ઘડતર, પકવતા ,પ્રગતિ ,
વિકાસ એ કાંઈ પુર્ણાહુતિ નથી..!
જ્ઞાન સત્રની કદી પૂર્ણાહુતિ થાતી જ નથી..!
રાગીની શુક્લ” રાગ”
મુંબઈ.
[9/12, 1:35 PM] Bharat Sanghaani.MEM (Kaushik Shah): NOG:SS:NO:0101
વિષય: શ્રાદ્ધ પક્ષ માતૃ પિતૃ પૂર્વજ તર્પણ.
પ્રકાર : ગદ્ય લેખ
શબ્દ : ૨૦૨.
શીર્ષક: શ્રાદ્ધનો મહિમા
શ્રાદ્ધ એટલે શ્રદ્ધાપૂર્વક પિતૃઓનું ઋણ ચૂકવવાનો અવસર. આદિકાળથી અત્યાર સુધી તેનો મહિમા જળવાઈ રહ્યો છે તે જ દર્શાવે છે કે કળિયુગમાંય શ્રાદ્ધવિધિમાં લોકોમાં શ્રદ્ધા જળવાઈ રહી છે.
ગરૂડપુરાણમાં ગરુડ અને ભગવાન વિષ્ણુ વચ્ચે શ્રાદ્ધના સંવાદનો ઉલ્લેખ છે.
જે સમયાનુસાર શ્રધ્ધાથી પિતૃઓનું શ્રાદ્ધ કરે છે તેમના કુળમાં કોઈ દુઃખી થતું નથી.
એક કથા મુજબ સૌથી પહેલું શ્રાદ્ધ મહાભારતકાળમાં મહાઋષિ દત્તાત્રેય ના પુત્ર નિમીએ કર્યાનો દાખલો છે. તો એથીયે પહેલાં દશરથજીના અવસાન બાદ વનવાસ દરમિયાન ભગવાન રામે કંદમૂળથી પિતૃ શ્રાદ્ધ કર્યું હતું.
આમ શ્રદ્ધા સાથે ધર્મ કથાઓ જોડાયેલી છે.
કાગડાઓને પિતૃઓના દૂત ગણવામાં આવે છે તેથી તેમને વાસ નાખવામાં આવે છે. તેઓ તેનો સ્વીકાર કરે છે. બીજું કે કાગડા ક્યારેય એકલા ખાતા નથી ક્યારેય એકબીજા સાથે લડતાં ઝઘડતાં નથી. અને ખાવા ટાણે કા..કા.. કરીને પુરા પરિવારને બોલાવે છે. ભગવાન શ્રીરામના દર્શન કરવા ઋષિરાજે કાગભૂશંડજીનુ રૂપ ધારણ કર્યું હતું.
પુરુષોના શ્રાદ્ધ માટે ભારતમાં ગયાજી અને પ્રભાસપાટણ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. જ્યારે માતૃશ્રાદ્ધ માટે સિદ્ધપુર શ્રેષ્ઠ માનવામાં આવે છે.
જોકે શ્રાદ્ધવિષે એક એવી માન્યતા છે કે શ્રાદ્ધ હંમેશા ઘરમાં કરવું જોયયે , ઉપરાંત શ્રાદ્ધ મધ્યાહનકાળે કરવું જોયયે.
માનવમાત્ર પર પાંચ ઋણ હોઈ છે. દેવઋણ, માતૃઋણ, પિતૃઋણ, મનુષ્યઋણ, ઋષિઋણ તે બધાં ઋણમાંથી માનવે મુક્ત થવું જોયયે.
અઢારે પુરાણમાં પિતૃ પૂજન, તર્પણ અને સમર્પણનો મહિમા બતાવવામાં આવ્યો છે.
–ભરત સાંગાણી
[9/12, 4:16 PM] Sweta Talati.MeM.NoG: NG 0078
પ્રકાર – પદ્ય (અછાંદસ કાવ્ય)
વિષય – શ્રાદ્ધ
શીર્ષક – *ક્યાં છો પપ્પા?*
આવ્યો આ *શ્રાદ્ધનો* મહિનો..
પિતૃઓ, વડીલો એમની વાતો અને-
એમની સાથે ગાળેલા દિવસો,
કંઈ યાદ આવ્યા વગર રહે?
અને એમાંય પિતા- પુત્રીનો સંબંધ એટલે –
મૂક – મર્યાદાસભર છલકાતું હ્રદય.
મૌન છતાં ઘૂઘવતા દરિયાના ભરોસે સફર કરતી દરિયાની વ્હાલી એક નાવડી.
અરે! આ મન છે ને…વિચિત્ર છે;
એનું કઈ ઠેકાણું નહીં એ ગમે ત્યારે,
ગમે એ વિચારો કરે.
મને પણ આજે થોડા ઘણા અંશે…..પેલા..
રાજકુમાર સિદ્ધાર્થ જેવો જ વિચાર આવ્યો.
કે “ખરું છે આ કાળચક્ર?”
જન્મ થાય પછી ધીમે ધીમે મોટા થઈએ,
યુવાન થઈએ પછી વૃદ્ધ પછી મૃત્યુ…..
અને પછી?!
મોક્ષ, સ્વર્ગ – નર્ક કે પુનર્જન્મ!
અને એ માણસનો કે પછી?
કોઈ ઋણાનુબંધથી ફરી મળીએ પણ,
આત્મા અને સંબંધ બંનેએ
નવો દેહ ધરી લીધો હોય;
અને એને ગયા જન્મની આપણી સાથેની કોઈ એટલે કોઈ જ વાત યાદ જ હોય..
અને ઋણાનુબંધ પતી ગયો તો?…. શું?
આજે મન કેટલા અઘરા પ્રશ્નો પૂછે છે?
ધારો કે રસ્તામાં કોઈ વીસ વર્ષનો યુવાન
મને મળે,
જેને હું ઓળખતી પણ ન હોઉં,
અને એ પણ મને ન ઓળખતો હોય!
છતાં એ વીસ વર્ષ પહેલા મૃત્યુ પામેલા,
મારા પિતા હોઈ શકે?
– શ્વેતા તલાટી
[9/12, 4:22 PM] Jaykant Ghelaani.MeM.NOG: NOG સાહિત્ય સરિતા પરિવાર ન
NOG NO S.S.0059
વિષય ,શબ્દ:શ્રાદ્ધ પક્ષ.
પ્રકાર:ગદ્ય-લેખ.
શીર્ષક:*શ્રધ્ધા યા અંધશ્રધ્ધા*
શબ્દો: ૩૦૫.
©️જયકાન્ત ઘેલાણી – “પ્યારે”.
*શ્રાધ્ધ* ,શબ્દ શ્રધ્ધાને ઉજાગર કરેછે તો *શ્રધ્ધા* ,*શ્રાધ્ધ* ને
બળવાન બનાવેછે, સમજોને એક
બીજાના પૂરકછે, એક – બીજા વગર બન્ને અધૂરા !
બંનેનું સાથે રહેવુંજ હમેશા ઊચીત !
*શ્રાધ્ધ* એટલે આપણાં પૂર્વજનો, જે આપણને છોડી, મોતે કે કમોતે, જે તે તિથીએ મૃત્યુ પામ્યાછે, તેમને હિન્દુ તીથી મુજબ દર વર્ષે ભાદરવા મહિનાના છેલ્લા પંદર દિવસ એટલે કે વદ ના પખવાડિયામા જે તે તિથીએ પંદર દિવસમા યાદ કરી તેમને તર્પણ કરવું, સમજોને, પૂર્વજોના ઋણ ચૂકવવાનો *નમ્ર પ્રયાસ*!
જે તે તિથીએ મિષ્ટ ભોજન અથવા સાદુ ભોજન અન્યને ખવરાવવુ અથવા દાન કરવુ.
મૃત આત્માની, અતૃપ્તિ ને સંતુષ્ટ કરવા જરૂરી યોગદાન આપવુ. બ્રામણોને ખૂશ કરવા.
કાગવાસ નાખવી , જેથી પૂર્વજોના શૂભ આશિષ મળતા રહેછે એ માન્યતાછે.
મૃત સ્વજનોની યાદ તાજી કરી, આજની આપણી અર્વાચીન પેઢીને, પૂર્વજોની પ્રાચીન પેઢીથી માહિતગાર કરવા.
જો કે આજની યૂવાન પેઢીમા, *શ્રાધ્ધ* ની આ માન્યતામા દિવસે દિવસે,ઓટ આવતી જાયછે અને આ યૂવાનપેઢી, આજના વિજ્ઞાનના યૂગમા આને અંધશ્રધ્ધા ગણેછે, અને આ શ્રાધ્ધની માન્યતાને અમાન્ય રાખેછે.
એટલેજ,પ્યારે’ લખેછે કે
*શ્રધ્ધા* અને *શ્રાધ્ધ* એક બીજાના પૂરકછે, *પોતાની માન્યતા* મૂજબ દરેક તેને અનુસરેછે અને અનુસરી શકેછે.
*શ્રધ્ધા* અને *અંધશ્રધ્ધા*
એક બીજાના વિરોધી છે ,
છતાં આજના આ વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં પણ બન્ને નું અસ્તિત્વ, સમગ્ર વિશ્ર્વમાં સમયને આધીન, ઓછે વધતે અંશે દરેક પ્રદેશમા અલગ અલગ સ્વરૂપે છવાયેલુ જોવા મળેજછે .
માનવ જીવનમા શ્રધ્ધા યાને વિશ્ર્વાસ- ભરોંસો જરૂરી જ છે, પરંતુ, જીવનમા અંધશ્રધ્ધા તો નહીજ હોવી જોઈએ.
પ્યારે *માન્યતા* અપની અપની પ્યારે *શ્રધ્ધા* અપની,અપની ! સૌને મૂબારક !
*પ્યારે* ‘અંધશ્રદ્ધા થી તો દૂરજ રહેવું વધુ ઉચીત.
[9/12, 9:40 PM] Ramila Makvaana.MeM.: NOG : SS : NO : 0120
વિષય : શ્રાદ્ધ પક્ષ માતૃ-પિતૃ તર્પણ.
પ્રકાર : પદ્ય (અછાંદસ)
શબ્દ : ૮૨
શિર્ષક : શ્રાદ્ધ
ભાદરવો વરસે ભરપૂર,
નદીએ આવે પાણીના પૂર.
ભાદરવામાં થાય ઉકળાટ,
ગણેશજીનો હોય ચળકાટ.
ભાદરવે મોટા મેળા ભરાય,
માનવ મહેરામણ ઉભરાય.
રામદેવપીરના આવે નોરતા,
નોમના નેજાને દસમની દેગ.
સોળ શ્રાદ્ધ પક્ષના દિવસો,
પૂર્વજોને કાગવાસ નાખતા.
રામે વનમાં વનફળથી કર્યું તર્પણ,
પિતૃ તર્પણ કરી કર્યું સમર્પણ.
પાવન થઈએ માતૃ-પિતૃ તર્પણ કરીને,
અગણિત છે ઉપકારો પુરા કરીને.
ધોમધખતા તાપમાં થતા બિમાર,
ઠેર-ઠેર મચ્છરોની ભર માર.
પાણીમાં રહેતી ભાદરવાની ભેંસ,
સ્વચ્છને સ્વસ્થ થતી કાળી મેંસ.
રમા કહે ધર્મમાં સમાયુ વિજ્ઞાન,
સમજ કેળવી મેળવીએ જ્ઞાન.
રમીલાબેન ડી મકવાણા *રમા*
લાડુલા તા ભાભર જિ બનાસકાંઠા
તારીખ : ૧૨-૯-૨૨
[9/13, 1:29 PM] Mina Mangroliya.MeM.NOG: ન્યુઝ ઓફ ગાંધીનગર
NOG SS: 0032
વિષય: માતાપિતા શ્રાધ્ધ
પ્રકાર : પદ્ય
શીર્ષક: તર્પણ
શ્રાદ્ધ તિથિએ અર્પણ દિલથી કરીએ તર્પણ,
આજ અમાસના દિવસે. પિતૃશ્રાધમાં ભળ્યું માતૃશ્રાધ.
હરિદ્વાર ગંગાને કાંઠે શ્રધ્ધાથી કર્યુ ગંગાસ્નાન,
માતૃપિતૃને અંજલી આપી ખરા દિલથી કર્યુ તર્પણ.
દશે દિશાથી લાગણી ભાવના, દયા, ક્ષમા તર્પણ,
તમારાં સ્મરણોમાં વહેતા,ભાવ તણા ઝરણાં.
સ્મરણ તમારું પ્રતિક્ષણ આ જીવન રણ,
યાદોનું શરણ જીવન મરણ..
વહે ભાવ સ્નેહનું ઝરણું અકારણ યાદોનું શરણું ,
તમે તો થયા શ્રીજી હરિને શરણ ,પગદંડીએ અંકિત તમારું મરણ.
મુખ પરનું સ્મિત,અમારા હ્રદયમાં અંકિત,
તમારાં સ્નેહનું નજરાણું નિરાળું.
એ જ પ્રાર્થનાને એ જ ભજન,
વાગોળતા રહીશું બસ અવિરત.
મીના માંગરોલીયા મીનુ
અમદાવાદ
13/9/2021
[9/13, 3:33 PM] meghna.MeM: NOG SS NO: 0117
વિષય : શ્રાદ્ધ પક્ષ, માતૃ-પિતૃ તર્પણ
‘શ્રાદ્ધનું સત્ય ‘
નાનકડો રવી બારી પાસે બેસીને કંઇક વિચારી રહ્યો હતો.એ એટલો તલ્લીન હતો કે,એના દાદી એની બાજુમાં આવીને બેસી ગયા તો,પણ એને ખબર ન પડી.તેના દાદીએ તેને પૂછ્યું,
” રવી,ક્યાં આટલો ખોવાયો છે?શું જુવે છે બારીની બહાર ?”
” દાદી,આ સામેવાળા અંકલ અગાસીએ કંઇક મુકવા ગયા.મે એમને આવું કરતા પહેલા ક્યારેય નથી જોયા!અને ઘરે વધી પડ્યું હોઇ તો ગાયને ખવડાવી દેવાયને. આમ અગાસી ઉપર થોડું મુકવા જવાય ?”
( દાદી હસી પડે છે.)
“જો બેટા,એ અંકલ છે ને એ,શ્રાદ્ધની વિધિ કરવા માટે અગાસીએ ગયા છે. આપણે પણ ૨ દિવસ પછી આવી જ રીતે કરીશું.”
“શ્રાદ્ધ ?એટલે ?”
“સાંભળ..તારા પપ્પાના દાદા કે આપણા બીજા વડીલોને કે,જે હવે આપણી વચ્ચે નથી તેને આપણાં પિતૃ કહેવાય;અને આપણે શ્રદ્ધાથી આપણા પિતૃઓ માટે જે કરીએ એને શ્રાદ્ધ કહેવાય.શ્રાદ્ધની પરંપરા સૌપ્રથમ બ્રહ્માજીએ શુરૂ કરી હતી.મૃત્યુલોકમાં સૌથી પહેલું શ્રાદ્ધ નીમી રાજા દ્વારા કરવામાં આવ્યું હતું.ભાદરવા મહિનામાં પિતૃઓ માટે આ શ્રાદ્ધ કરવામાં આવે છે.આપણને જે કંઈ પણ મળ્યું છે,એ આપણાં પિતૃઓ તરફથી જ મળ્યું છે. અને એમનું ઋણ ઉતારવા દરેક ઘરમાં શ્રાદ્ધ કરવામાં આવે છે.આ સમયમાં કાગડાને કાગવાસ નાખવાનો ખુબ મહિમા છે.અને ભાદરવા મહિનામાં જ કાગડી ઈંડા મૂકવાની તૈયારીમાં હોય છે.તેને પૂરતું અન્ન મળી રહે અને તે તૃપ્ત થાય તે માટે પણ આ વ્યવસ્થા બનાવવામાં આવી છે.અને શ્રાદ્ધના દિવસમાં ખીર કે દૂધપાક એટલે પણ ખાવામાં આવે છે કે, આયુર્વેદ પ્રમાણે ભાદરવામાં મહિનામાં દૂધનું સેવન કરવું એ આપણાં માટે ખુબ સારું છે.તેનાથી એસિડિટી જેવા રોગનો નાશ થાય છે.ભગવાન શ્રીરામ એ પણ તેમના પિતા મહારાજા દશરથનું શ્રાદ્ધ પુષ્કરમાં કર્યું હતું.શ્રાદ્ધના દિવસોને આપણાં પિતૃ તરફથી આશીર્વાદ મેળવવાનો અનેરો અવસર માનવામાં આવે છે.આ દિવસોમાં ગાયના દૂધમાંથી ખીર કે દૂધપાક બનાવાય છે.સરસ પકવાન અને વ્યંજનો બનાવાય છે.ગરીબોને દાન પુણ્ય કરવામાં આવે છે તથા બ્રાહ્મણોને દક્ષિણા અપાય છે.અને બને તેટલા સારા કાર્યો કરવામાં આવે છે.”
“હવે સમજ આવ્યું કે, સામેવાળા અંકલ કેમ અગાસી પર જતા હતા ?”
“હા. આપણે પણ આ શ્રાદ્ધ કરીશું ને ?”
“હા. કરવાનું જ હોઇ ને ?”
“યસ…મને તો ખીર ખાવાની મજા પડશે.”
( દાદી હસતા-હસતા રવિના માથા પર હાથ ફેરવે છે.)
બે દિવસ પછી રવી સવારમાં વહેલો ઊઠી જાય છે;અને દાદીએ જણાવ્યું હતું,એ પ્રમાણે તેના પપ્પા સાથે બધી જ વિધિ કરે છે. અને કાગવાસ નાખવા પણ જાય છે.
– મેઘના કામદાર
(અમદાવાદ)
[9/13, 4:32 PM] Arti Merchant.MeM.NOG: NOG ss no.0007
વિષય : શ્રાદ્ધ પક્ષ,માતૃ પિતૃ તર્પણ
પ્રકાર : ગદ્ય
શીર્ષક: આનંદી
આનંદી…નામ પ્રમાણે જ ગુણ.સદાય હસતી અને ખુશ રહેતી આનંદી એક મધ્યમ વર્ગીય પરિવારમાં એનાં મમ્મી પપ્પા એક નાનો ભાઈ અને દાદા દાદી સાથે રહેતી હતી.પપ્પાનો નાનકડો જનરલ સ્ટોર હતો.નાજુક નમણી ઢીંગલી જેવી આનંદી એનાં પપ્પાની પરી હતી.એ જે માંગે તે મળતું અને જો પપ્પા ક્યારેક ના પાડે તો જીદ કરીને ધાર્યું કરાવી લેતી.હસતાં રમતાં જીવન ચાલી રહ્યું હતું.પરંતુ કૉરોના મહામારીમાં આનંદીના પહેલાં પપ્પા અને પછી મમ્મી સપડાઈ.મમ્મી તો બચી ગઈ પરંતુ કૉરોનાએ પપ્પાનો જીવ લીધો.કહેવાય છે ને કે પિતાનું છત્ર ગુમાવનાર માટે તો જાણે આખું આકાશ જ ગુમાય જાય.અચાનક આવી પડેલી આપત્તિને લીધે અઢાર વર્ષની અલ્લડ,તોફાની મુગ્ધા આનંદી અચાનક એક શાંત,સમજદાર છોકરી બની ગઈ.પતિને ગુમાવ્યાના આઘાતને જેમતેમ સંકોરતી મમ્મીને સાંત્વના આપી એની પડખે ઊભા રહીને માના આંસુઓને પોતાની હથેળીમાં ઝીલી લીધાં. પોતાનાં પપ્પાની દુકાનને સંભાળી લીધી,બાકી રહેલી ઉઘરાણીના પૈસા ઉઘરાવ્યા, બિમાર દાદાને યોગ્ય સારવાર અપાવી,નાના ભાઈને યોગ્ય માર્ગદર્શન આપી કૉલેજમાં એડમિશન અપાવ્યું અને પોતે પણ સી.એ. ફાઈનલ સુધી પહોંચી ગયેલી આનંદીએ એક પિતાએ નિભાવવાની બધી જવાબદારીઓને પોતાને નાજુક ખભા પર ઉપાડી પિતાને ખરાં અર્થમાં
પિતૃતર્પણ આપ્યું છે.
સત્ય ઘટના પર આધારીત
લેખિકા : આરતી અઢીયા મરચંટ
મુંબઈ: કાંદિવલી
ભારત
[9/13, 6:11 PM] Jagdish Ranodara.MeM Shankheshwar: NOG – સાહિત્ય સરિતા
NSS No -119
વિષય : શ્રાદ્ધ માતૃ-પિતૃ તર્પણ
પ્રકાર : ગદ્ય
શિર્ષક : શ્રાદ્ધ
શબ્દો : ૨૯૫
*શ્રાદ્ધ*
શ્રાદ્ધએ ભાદરવા માસની પૂનમના દિવસે સાંજથી ભાદરવા અમાસ સુધીના દિવસો એટલે શ્રાદ્ધ પક્ષના સોળ દિવસો ગણાય છે.
સોળ શ્રાદ્ધ, નવ નવરાત્રી- દસ દશેરા અને વીસે દિવાળી આ અમારા ગામડાના ભાભાઓની ગણતરીનું આગવા ગણિતનું સંશોધન ગણી શકાય.
શ્રાદ્ધમાં વડવાઓને તર્પણ કરવાનો અવસર છે. તર્પણ વડવાઓને પહોંચે છે કે નહીં તે મને ખબર નથી, પરંતુ કાગવાસ કરવાથી કાગડાઓ એકઠા થઈ જાય છે એટલે એમની પાસેથી સંગઠન શક્તિનાં દર્શન થાય છે. કાગડાઓની આખી જમાત એકઠી થઈ જાય છે અને એકબીજાને મિષ્ટાન-મેવાની મિજબાની મળે છે .
મા-બાપ જ્યારે ઘરના કે બહારના કામ કરતા હોય ત્યાં સુધી સારા લાગે, પણ જ્યારે વૃધ્ધ અને અશક્ત થઈ જાય પછી ઘરમાં જોવા ગમતા નથી. પેલી કહેવત અનુસાર *ગરજ સરી અને વૈદ વેરી* પછી અવનવા બહાના બતાવી હડધૂત કરતા હોય, પોતાના દિકરાની વહુ અને દિકરો જેમ-તેમ બોલે, તેમના છોકરા પણ વાતવાતમાં ઉતારી પાડે છતાં પણ હસતા મૂખે લાચારીથી બધું સહન કરતા હોય છે. આવા બનાવો દરેકના ઘરમાં બનતા હશે. મા-બાપને રહેવા,જમવા અને બેસવા-સૂવા ના વારા કરીને મોટી સેવા કરતા હોય તેવો બાહ્ય આડંબર કરતા હોય છે.
બહુ શિક્ષિત અને ભદ્ર ગણાતા લોકોના માવતરોને વૃધ્ધાશ્રમમાં મૂકીને સંતોષનો એહસાસ કરતા હોય છે. વૃધ્ધાશ્રમો ઘટવાને બદલે વધતા જાય છે.જે આજની યુવા પેઢીને માટે કલંક સમાન છે.
કોઈ કવિએ સાચું જ કહ્યું છે કે
વૃધ્ધાશ્રમમાં દિવસો વિતાવ્યા,
એના નેવે કેમ કરીને મારે જાવું…!
બટકુ રોટલો ભારે પડ્યો,
હવે મારે કાગડો થઈ કેમ ખાવું…!
મા-બાપ મૃત્યું પામે પછી બારમું-તેરમું કરે અને વૈતરણી પાર કરાવવા ભૂ દેવોને દાન-દક્ષિણા આપી મોટો અભેજગન આદરે. એક વર્ષ પછી શ્રાદ્ધ કરીને તર્પણ કર્યાનો જશ મેળવે.
*જાગતા નર સેવો* ગોરખનાથના ભજનનો સાક્ષાત્કાર કરીએ અને થાય તો મા-બાપને ટાણાસર હસતામૂખડે હેતથી જમાડીએ.તેમની આંતરડીને ઠારવાનો પ્રયત્ન કરીએ.
દુનિયામાં સાચું શ્રાદ્ધ અને માતા-પિતાનું તર્પણ એટલે મા-બાપની હયાતીમાં કરેલી સેવા છે. આપણા મા-બાપે તમારા પર અનેકવાર છણકા-ભણકા કર્યા હશે છતાં , પણ તમે તેમને જીવતેજીવ ભલીભાતથી સાચવો એ જ સાચું શ્રાદ્ધ પર્વ ઉજવ્યું ગણાશે.
ડૉ જગદીશ કે રણોદરા (બંધવ)
વીસાવડી-વરણોસરી-શંખેશ્વર-વાહેદપુરા
[9/14, 7:56 AM] Anjana Gandhi.MeM.NOG: N.O.G. SS. NO. 0026.
વિષય – તર્પણ.
વિભાગ – પદ્ય ( મૌલિક રચના)
શીર્ષક – સાચું શ્રાધ્ધ.
શ્રાધ્ધ પક્ષે પિતૃનું તર્પણ કરે.
ભાવ પુષ્પો એ પછી અર્પણ કરે.
જીવતે જીવ ભૂખ ભાંગી ના કદી,
ને મરણની બાદ આકર્ષણ ધરે!
મુખવટો ઓઢીને ફરતાં જે બધાં,
ક્યાં કોઈ એક ચહેરો સાચો કળે?
એક ટંકના હોય વલખાં જીવને,
શ્રાધ્ધ પક્ષે ખીરની વાટી ધરે!
કાગ પણ એથી રિસાયો લાગતો,
ચાંચ ભૂલેથીય ભાણે ના ભરે!
ઠારશે જે આંતડી મા- બાપની,
પીડ ભવભવની એ સહુએ હરે!
જીવતે સંતોષ – શાતા આપતાં,
નાથ જગનો એ જ તર્પણને ગ્રહે!
✍️ અંજના ગાંધી ” મૌનુ”
વડોદરા
( હાલ અમેરિકા)
[9/14, 1:21 PM] Bijal Jagad….Sahityakar.. ઘાટકોપર: NOG : SS No : 100
વિષય : તર્પણ
વિભાગ : ગદ્ય
શીર્ષક : *શ્રાદ્ધ અને શ્રધ્ધા – તર્પણ અને તારણ*
શ્રધ્ધા થી યાદ કરવું એ પણ શ્રાદ્ધ છે!
મહાભારત અનુસાર, શ્રાદ્ધનો પ્રથમ ઉપદેશ મહાન તપસ્વી અત્રિ મુનિ ( બ્રહ્મા ના પુત્ર) દ્વારા રાજા નિમિને ( મિથિલા પતિ) આપવામાં આવ્યો હતો. આમ, સૌ પ્રથમ રાજા નિમિએ શ્રાદ્ધની શરૂઆત કરી.પિતરો માટે શ્રદ્ધાથી કરવામાં આવેલ મુક્તિ કર્મને શ્રાદ્ધ કહે છે અને તૃપ કરવાની ક્રિયા દેવતાઓ, ઋષિઓ કે પિતરોને ચોખા કે તલ મિશ્વિત જળ અર્પણ કરવાની ર્કિયા ને તર્પણ કહેવાય છે. જે તર્પણ કરવુ જ પિંડદાન કરવુ છે.
શાસ્ત્રો અનુસાર, મનુષ્ય માટે ત્રણ ઋણ છે, પ્રથમ દેવતાઓનું ઋણ છે, બીજું ઋષિનું અને ત્રીજું પિતાનું ઋણ છે.
શ્રાધ, જેને પિતૃ પક્ષ કહેવાય છે, તે સપ્ટેમ્બરમાં 16 દિવસના સમયગાળામાં આવે છે જ્યારે હિંદુઓ તેમના પૂર્વજોને પ્રાર્થના અને ભોજન આપીને યાદ કરે છે. એવું માનવામાં આવે છે કે શ્રાદ્ધ દરમિયાન કરવામાં આવતી કેટલીક ધાર્મિક વિધિઓ પૂર્વજોની આત્માઓને પ્રસન્ન કરે છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે.
જ્યારે કોઈ વ્યક્તિના મૃત્યુની તિથિ પર શ્રાદ્ધ કરવામાં આવે છે, ત્યારે તે દિવસે આપવામાં આવતું ભોજન તે વ્યક્તિના સૂક્ષ્મ શરીરને આખા વર્ષ માટે પોષણ આપે છે.
આથી, જ્યારે સમયાંતરે શ્રાદ્ધ નિયમિત રીતે કરવામાં આવે છે, તેમની અતુપ્ત ઇચ્છાઓ ઓછી થાય છે અને તેઓના આત્મા ને બીજા પરિમાણમાં જવા ગતી પ્રાપ્ત થાય છે.તેવી જ રીતે, શાસ્ત્રો દ્વારા નિર્ધારિત નિયમો અનુસાર, જ્યાં સુધી આપણે જીવિત છીએ, આપણા પિતૃઓ પ્રત્યે કૃતજ્ઞતાના પ્રતીક તરીકે, આપણે દર વર્ષે તેમનું શ્રાદ્ધ કરવું જોઈએ.
વારાણસીમાં શ્રાદ્ધ વર્ષમાં બે વાર કરવાનું સૂચવે છે. તે સિવાય વારાણસીમાં શ્રાદ્ધ કરવાનો શ્રેષ્ઠ સમય અમાવસ્યા, વ્યતિપાત, સંક્રાતિ વગેરે સમયમાં પણ કરી શકાય. જેને પવિત્ર માનવામાં આવે છે. દર વર્ષે શ્રાદ્ધ કરવાના બે પ્રસંગો છે:
1) પુણ્ય તિથિ અથવા મૃત્યુની તારીખ અનુસાર
2) પિતૃપક્ષઃ પૂર્વજોનું પખવાડિયું ભાદ્રપદ શુક્લ પૂર્ણિમાથી શરૂ થાય છે અને તે જ મહિનાની અમાવસ્યા સુધી ચાલે છે. શુક્લ પક્ષ પિતરોની રાત્રિ છે. મનુસ્મૃતિમાં લખ્યું છે તેમ પિતરોનો એક દિવસ/રાત મનુષ્યના એક મહિના બરાબર છે. એક મહિનાના બે ભાગ અથવા પક્ષ છે. કૃષ્ણ પક્ષને કામકાજનો દિવસ કહેવાય છે અને શુક્લ પક્ષ પિતરોની ઊંઘની રાત્રિ છે.
આ સમયગાળો જે અશુભ માનવામાં આવે છે, લોકો શ્રાદ્ધ, તપ વિધિ કરે છે અને પિંડ દાન આપે છે. પિંડ દાન એ મૃત આત્માઓ માટેના ખોરાક સિવાય બીજું કંઈ નથી, અને તેમાં રાંધેલા ચોખા અને કાળા તલનો સમાવેશ થાય છે. પરંતુ શ્રાદ્ધ અને તર્પણ વિધિ વખતે કાળા તલ શા માટે વપરાય છે? એવું માનવામાં આવે છે કે કાળા તલમાં વાતાવરણમાં અને શરીરની અંદર રહેલી નકારાત્મક શક્તિઓને શોષવાની શક્તિઓ હોય છે.મૃત વ્યક્તિના નામ અને ગોત્રની મદદથી પિંડ દાનના પ્રસાદને તેના લગતા સંબંધિત જીવ એને સ્વીકારે છે.
પુરાણોમાં તર્પણને છ ભાગોમાં વિભક્ત કરવામાં આવે છે. 1. દેવ તર્પણ, 2. ઋષિ-તર્પણ, 3. દિવ્ય માનવ તર્પણ, 4. દિવ્ય પિતૃ તર્પણ, 4. યમ-તર્મણ, 6. મનુષ્ય-પિતૃ-તર્પણ.
ભગવદ ગીતાના અનુસાર દિવંગત આત્માઓની આત્માઓ મુક્તિની રાહમાં હોય છે, કારણ કે તેઓ ભૌતિક શરીરમાં ન હોવાથી તેઓ મુક્તિ માટે જરૂરી પગલાં લઈ શકતા નથી.તેઓ આધ્યાત્મિક સ્થિતિમાં હોવાથી તેઓ તેમના વંશજોને સપના, આઘાતજનક ઘટનાઓ, રોગો વગેરે દ્વારા સંકેતો મોકલે છે. પૂર્વજોની આત્માને મુક્ત કરવા માટે વંશજો દ્વારા સાવચેતીપૂર્વક વિશ્લેષણ કરવું જરૂરી છે.પિતૃપક્ષ / શ્રાદ્ધ એ વંશ પ્રત્યે કૃતજ્ઞતા અને આદર વ્યક્ત કરવાનો યોગ્ય સમય છે. સમય રહેતા શ્રધ્ધા રાખી તર્પણ કરી લેવું જરૂરી બને છે.©
~ *બીજલ જગડ*
મુંબઈ ઘાટકોપર
[9/15, 12:51 PM] Maya Desai.Bombay.MeM.NOG: *NOG SS No.0081*
*વિષય : શ્રાદ્ધ*
*પ્રકાર: પદ્ય*
*શીર્ષક: વ્યથા પિતૃની!*
જીવતાં નવ પીરસ્યું, હવે શાને ભરે થાળ,
એ માટે કાગડા, કૂતરાંની જુઓ શા માટે રાહ?
તબિયત નહોતી સારી, ત્યારે દીધી ન કદી ગોળી,
ભાવતી તવ હવે શા કામની છે આ પૂરણપોળી ?
અકારણ સતત ચીડ,લાગતો તાત અળખામણો,
ડોસો કેટલું જીવશે એનો લાગતો રોજ અડસટ્ટો !
કદી ભૂલમાં માંગ્યા ઢોકળા પાત્રા,
એનાં ભોગવ્યાં ટોણાં ‘જીભને કેટલાં ચટકા’.
પ્રેમ સૂકાયો,સ્નેહ વરાળ બની ગયો,
ન ધર્યો ધ્રૂજતાં હાથને આવો જડ તનય ક્યાંથી થયો?
મોત ન આવ્યું ,ખૂટી તમ ધીરજ,
મારી મરજી વિના મારાં ઘરનાં થયાં ભાગ અલગ.
જીવતાં માંગી ખાવા પૂરી સંગ શ્રીખંડ,
બબડાટ, મજાક એટલાં થયાં જાણે આવ્યો ભૂકંપ.
વાનપ્રસ્થ એટલે શું ખાવું પીવું બંધ?
સંતાનો સંગ રહેવું ત્યારે પામવા પ્રેમ અનંત.
મનઃ શાંતિ માટે ઘર છોડી થયાં વેગળા,
ન બે બોલ પ્રેમ, ધૈર્ય કે માફીનાં, હવે આ મિષ્ટાન્ન ગળશે એ કડવાં ઘૂંટડા?
આશા તમ સૌને જીવતાં હૈયે ચાંપવાની,
નવ થઈ પૂરી, હવે બસ ફોટામાંથી નીરખવાની.
આ શ્રાદ્ધ તો શ્રદ્ધાની પરિપૂર્તિ ,
નવ કર્યું જે જીવતાં, હવે શું કામ દેખાદેખી!
પિતૃ તો સ્મરણ ગત સ્વજનોનું, પ્રેમ નીતરતું,
તેનો ન કોઈ દોષ, નવ શ્રાપ કે દુઃખ કે પીડા.
#©️ માયા દેસાઈ
મુંબઈ ભારત.
[9/15, 2:27 PM] Nikhil Kinariwala.MeM: *NOG SS No* : *0110*
*પ્રકાર : ગદ્ય- *મૌલિક લેખ*
*વિષય* : *શ્રાદ્ધ પક્ષ, માતૃ પિતૃ પૂર્વજ તર્પણ*
*શબ્દો* : *૩૨૯*
*શીર્ષક* : *’પિતૃ શ્રાદ્ધ અને તેનું ધાર્મિક મહત્વ’*
*લેખકનું નામ* : *નિખિલ કિનારીવાળા (અમદાવાદ)*
શ્રાદ્ધ પક્ષ એટલે ભાદરવાના શુક્લ પક્ષની પૂર્ણિમાથી લઈને ભાદરવા વદ અમાસ સુધીનું વિશિષ્ટ મહિમા ધરાવતું માતૃ-પિતૃ તર્પણનું વિશેષ પર્વ. આ દિવસો દરમિયાન મૃતક પૂર્વજોને તેમની મૃત્યુતિથિ અનુસાર શ્રદ્ધાપૂર્વક યાદ કરીને ક્ષમાભાવથી તર્પણ કરાય છે. પુરાણો અનુસાર શ્રાદ્ધ પક્ષમાં શ્રદ્ધાપૂર્વક કરેલી તર્પણ વિધિથી મૃત પિતૃઓના આત્માને તૃપ્તિ મળે છે અને વંશજોને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
શ્રદ્ધાથી ઉજવાતું પર્વ એટલે શ્રાદ્ધ. શ્રાદ્ધ પક્ષમાં મૃત પૂર્વજોને યાદ કરીને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવે છે. બે હાથ જોડીને તેમની કોઈપણ અતૃપ્ત ઈચ્છાઓને તર્પણ વિધિ દ્વારા તૃપ્ત કરવા વિનંતી કરવામાં આવે છે અને ક્ષમા માગવામાં આવે છે. પિતૃઓના આત્માને શાંતિ અને મોક્ષ પ્રાપ્ત થાય તે માટે પ્રાર્થના કરવામાં આવે છે. સામાન્ય રીતે મૃતક પિતૃની મૃત્યુ તિથિ અનુસાર શ્રાદ્ધ પક્ષમાં તે તિથિએ શ્રાદ્ધની વિધિ કરવામાં આવે છે. જેમની મૃત્યુતિથિની જાણ ન હોય અને એવા બીજા અજાણ કિસ્સાઓમાં લાગતા વળગતા પૂર્વજોનું શ્રાદ્ધ ભાદરવા વદ અમાસના દિવસે સર્વ પિતૃ શ્રાદ્ધ તરીકે કરવામાં આવે છે અને સર્વ પિતૃઓના આત્માના મોક્ષની અને કલ્યાણની કામના કરવામાં આવે છે.
શ્રાદ્ધમાં અનેક પ્રકારના મિષ્ટાન અને ભાવતા ભોજન બનાવી પિતૃઓને અર્પણ કરવામાં આવે છે. શ્રાદ્ધના દિવસે ચોક્કસ મહુર્તમાં કાગડાને સ્વાદિષ્ટ ભોજનનો કાગવાસ મૂકવામાં આવે છે. શાસ્ત્રોમાં કાગડાને દેવપુત્ર માનવામાં આવે છે. રામાયણના ત્રેતાયુગના કાળમાં દેવોના રાજા ઇન્દ્રના પુત્ર જયંતે એક કાગડાનું સ્વરૂપ લઈને માતા સીતા પાસે આવી તેમને ઘાયલ કરતાં ભગવાન શ્રીરામના બાણથી કાગડા જયંતની એક આંખ ફૂટી ગઈ. જયંતે માફી માંગતા ભગવાન શ્રીરામના આશીર્વાદ મેળવ્યા કે શ્રાદ્ધ પક્ષમાં તેમને અર્પણ કરવામાં આવેલ ભોજન પિતૃઓ સુધી પહોંચશે. આથી શ્રાદ્ધ પક્ષમાં મૃત પિતૃઓને અર્પણ કરવામાં આવેલ ભાવતા ભોજનનું વહન કાગડા કરે છે તેવું માનવામાં આવે છે. એક માન્યતા એવી પણ છે કે કાગડાઓનું સરેરાશ આયુષ્ય આશરે ૨૦૦ વર્ષ જેટલું હોય છે. તેથી માનવામાં આવે છે કે કાગડા આપણા મૃતક પિતૃઓના સમયમાં હયાત હતા જેથી કાગડાને અર્પણ કરેલ ભોજન પિતૃઓ સુધી પહોંચે છે અને તેઓ તૃપ્ત થાય છે.
આમ શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને કરેલ તર્પણ દ્વારા પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ઘરમાં ધન-ધાન્ય અને સુખ શાંતિનો વાસ થાય છે. કુટુંબમાં સંતતિનું સુખ પ્રાપ્ત થાય છે. સાથે જ મૃત પિતૃઓના આત્માને મોક્ષની ગતિ પ્રાપ્ત થાય છે.
નિખિલ કિનારીવાળા, અમદાવાદ
૧૫ સપ્ટેમ્બર ૨૦૨૨
[9/15, 2:30 PM] Prafulla Prasanna: NGO સાહિત્ય સરિતા (૧)
NG no. — 39
વિષય — તર્પણ
પ્રકાર – ગદ્ય — લેખ
શીર્ષક — મોક્ષ કર્મ
શબ્દો – ૩૫૦
તારીખ — ૧૪-૯-૨૨
શ્રાદ્ધની કાગવાસ પરંપરા પર્યાવરણ સાથે જોડાયેલી છે. કાગડો પ્રકૃતિનો પહેરેદાર છે. ઇકો સિસ્ટમને સપોર્ટર પક્ષી છે. શ્રાવણ મહિનો કાગડાની સંવનન ઋતુ છે. ભાદરવામાં જન્મતાં કાગડાના બચ્ચાને શ્રાધ્ધકર્મ દ્વારા પૌષ્ટિક ખોરાક મળી રહે છે.
ભાદરવા સુદ પૂનમથી ભાદરવા વદ અમાસ સુધીનાં સોળ દિવસોને શ્રાધ્ધપક્ષ માનવામાં આવે છે.
પિતૃઓ માટે શ્રદ્ધાથી કરવામાં આવતાં મુક્તિકર્મને શ્રાદ્ધ કહે છે અને એમને તૃપ્ત કરવાની વિધીને તર્પણ કહે છે. પિતૃઓને ઉદ્દેશીને કરવામાં આવેલું કોઈ પણ કાર્ય શ્રાદ્ધ જ છે.
શ્રાદ્ધ વિધિ પુત્ર, નાનો ભાઈ, ભાણેજ, ભત્રીજો, દોહીત્ર, ત્રીજી પેઢી સુધીનું કોઈ પણ સ્વજન કરી શકે છે. મહાભારત અનુસાર મિત્ર પણ મિત્રનું શ્રાદ્ધ કરી શકે છે.
શ્રાધ્ધનાં દિવસોમાં મૃત્યુ પામેલા આત્માઓને ભાવતી વસ્તુઓ બનાવીને ગાય, કૂતરા અને કાગડાઓને ખવડાવવામાં આવે છે. હિન્દૂ ધર્મમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. એટલે ગૌગ્રાસનું દાન કરવામાં આવે છે. આ દિવસોમાં દરેક વ્યક્તિ ધન-ધાન્ય, વસ્ત્ર કે સોના-ચાંદીનું દાન કરીને પુણ્ય કમાવાની મનસા સેવે છે. કાગડાને ભાગ્યશાળી માનવામાં આવે છે. એ યમરાજનો સંદેશવાહક ગણાય છે. એટલે એમના દ્વારા વ્યંજનો આપણાં મૃત્યુ પામેલાં આત્માઓ સુધી પહોંચે છે એવી હિન્દુઓની ધાર્મિક માન્યતા છે. મૃતાત્માઓને ભાવતાં વ્યંજનોનો ધાબે કાગવાસ નાંખવામાં આવે છે. કાગડાઓ યમરાજના પુત્ર શનિદેવના વાહક મનાય છે. વળી એવી પણ ધાર્મિક માન્યતા છે કે જ્યાં સુધી પૃથ્વી ઉપર યમરાજની હયાતી હશે ત્યાં સુધી પૃથ્વી પરથી કોઈ કાગડાનો નાશ કરી શકશે નહીં. આમ પિતૃઓના આત્માની શાંતિ અને તેમનાં મોક્ષ માટે ગૌગ્રાસ અને કાગવાસ નાંખવામાં આવે છે.
ભાદરવા સુદ પૂનમ, વદ પાંચમ, વદ અગિયારસ, બારસ અને અમાસ, શ્રાધ્ધપક્ષનાં આ પાંચ દિવસ પિતૃઓનું શ્રાદ્ધ કરીને, એમનાં આત્માને તૃપ્ત કરીને તર્પણ કરવામાં આવે છે. પિતૃપક્ષનાં આ દિવસો દરમ્યાન શ્રાદ્ધ કરીને પિતૃદોષથી મુક્તિ મેળવાય છે એવી ધાર્મિક માન્યતા છે.
અકાળે મૃત્યુ પામેલ વ્યક્તિનું શ્રાદ્ધ પૂનમના દિવસે, સૌભાગ્યવતી સ્ત્રીનાં મૃત્યુનું શ્રાદ્ધ નવમીનાં દિવસે કરવામાં આવે છે. એને માતૃનવમી પણ કહેવાય છે. સંન્યાસ લીધેલ સાધુ સંત વ્યક્તિનું કે આ દિવસે મરણ પામેલ વ્યક્તિનું શ્રાદ્ધ અગિયારસે કરવામાં આવે છે.
શ્રાધ્ધકર્મ દેવી દેવતાઓને પ્રસન્ન કરીને કરવામાં આવતું હોવાથી શ્રાદ્ધ કરનારને પણ તીર્થયાત્રા કરતાં પણ વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે. પ્રસન્ન થયેલાં દેવી દેવતાઓ શ્રાધ્ધકર્મીને સંતતિ અને સંપત્તિનું વરદાન આપે છે. એનાથી સુખ-શાંતિની પ્રાપ્તિ થાય છે.
શ્રાદ્ધ અગત્સ્ય મુનિની પૂજા કરીને પૂરી શ્રદ્ધા અને ભાવનાથી કરવું જોઈએ.
પ્રફુલ્લા “પ્રસન્ના”
અમદાવાદ
[9/15, 5:07 PM] Ratibhai Vaayada.NOG.MEM..Bombay Puja Kanani.Mithapur: .
*N.O.G. S .S. No. 0102*.
નામ:- *રતીલાલ વાયડા*
વિષય:-*શ્રાધ પક્ષ, માતૃ પિતૃ શ્રાદ્ધ, પૂર્વજ તર્પણ*.
પ્રકાર:-. ગદ્ય લેખ.
શીર્ષક:- *શ્રાદ્ધ તર્પણનું મહત્વ*.
તારીખ:- ૧૫/૯/૨૦૨૨. ગુરૂવાર.
*રચના*:-
માનવ નો જન્મ થાય ત્યાર પછી તેના જીવન દરમિયાન માતા-પિતા દેવ ઋષિ અને મનુષ્ય તેમજ અન્યનું ઋણ તેના ઉપર હોય છે.
આ બધા જ પ્રકારના ઋણ ચૂકવવાનો વખત તે ભાદરવા વદ એકમથી એટલે કે તા૧૦/૯/૨૦૨૨થી ૨૫/૯/૨૦૨૨ રવિવારનઅમાવસ્યાના દિવસે આ શ્રાદ્ધ પક્ષ પૂરો થાય છે.
શ્રાદ્ધ પક્ષમાં આપણા પિતૃઓની જે તિથિ હોય તે દિવસે ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતું કાર્ય તેને શ્રાદ્ધ કહી શકાય. આ દિવસે આપણે શ્રાદ્ધ તર્પણ કરી ,બ્રાહ્મણો અને નિયાળા , તેમજ ગરીબ લોકોને જમાડીએ છીએ . દાન , દક્ષિણા વસ્ત્રો વગેરે યથા યોગ્ય આપી અને આપણે કાગવાસ નાખી અને પિતૃ ઋણ અદા કરીએ છીએ.
શ્રાદ્ધ ઘરમાં કરવામાં આવે છે ,તેમજ આપણા શાસ્ત્રોમાં પીંડારા, સોમનાથ પાસે સરસ્વતી નદીના કિનારે, પ્રભાસ પાટણમાં બિંદુ સરોવરમાં માતૃ શ્રાદ્ધ થાય છે, ગયામાં પિતૃ શ્રાદ્ધ થાય છે. આ ઉપરાંત ચારધામ અને સાતપુરીમાં તેમજ ગંગા ,જમના, સરસ્વતી, અને પવિત્ર નદીઓમાં પણ શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે. તેનાથી પિતૃ તર્પણ કરી અને શ્રાદ્ધ કરવાથી ઘણું પુણ્ય મળે છે. પિતૃઓનો મોક્ષ થાય છે.બદ્રીનાથમાં બ્રહ્મ કાપલિક શ્રાદ્ધ કરવામાં આવે છે તેથી આપણા તમામ પિતૃઓનું મોક્ષ થઈ જાય છે.
જમતી વખતે જમવામાં વાળ આવવા ,ઘરમાં દુર્ગંધ મારવી, પિતૃઓનું સ્વપ્નામાં દર્શન, નોકરી ન મળવી ,ઘરમાં વારંવાર ઝઘડા થવા ,ઘરમાં શાંતિ નહોવી, સંતતિ ન હોવી ,લાંબા ગાળ સુધી લગ્ન ન થવા,લાંબા સમય સુધી માંદગીમાં પીડાવું. આ બધા જ પ્રકારના દુઃખો એ પિતૃદોષને કારણે આવતા હોય છે તેવું શાસ્ત્રો માને છે.આ બધા દોષોમાંથી મુક્ત થવા માટે શ્રાદ્ધ અને તર્પણ કરવું જરૂરી છે.
પિતૃ શ્રાદ્ધ અને તર્પણ કરવાથી પિતૃ તરફથી આપણે ધન ,ધાન્ય ,સુખ ,સમૃદ્ધિ ,આરોગ્ય, સંતાન વગેરેની પ્રાપ્તિ થતી હોય છે ,માટે આપણે આપણા પિતૃઓને ખુશ રાખવા માટે તેનું શ્રાદ્ધ અને તર્પણ જરૂર કરવું જોઈએ.
બ્રાહ્મણોને મીષ્ઠાન ભોજન ,ખાસ કરીને દૂધની વાનગી અને યોગ્ય દક્ષિણા અને વસ્ત્રદાન આપવું. ધાર્મિક કથાઓ સાંભળવી, કથાઓ કરવી, મંત્ર ,તંત્ર જાપ કરવા, વડ અને પીપળાને પાણી દેવું મૂંગા પ્રાણીઓ તરફ દયા રાખી તેને ખાવા પીવાનું આપો વગેરે પણ શ્રાદ્ધ કર્મોનો જ એક પ્રકાર કહી શકાય. આ પ્રકારનું દાન પુણ્ય એ પિતૃઓને તૃપ્ત કરે છે અને તેઓ આપણા તરફ રાજી રહે છે.
જે માતા પિતા દ્વારા આપણો જન્મ થયો છે, પાલનપોષણ થયું છે,. જેવોએ જીવન જીવવા માટે યોગ્ય બનાવવા માટે તેઓએ ખૂબ ભોગ આપેલો છે, તેવા પિતૃઓને શ્રાદ્ધના દિવસે યાદ કરી અને તેના તરફ ઋણ અદા કરીએ એ જ શ્રાદ્ધ પક્ષનો વિશેષ મહિમા છે.
*લેખક:-. રતીલાલ વાયડા*
નવી મુંબઈ.૧૫/૯/૨૦૨૨. ગુરૂવાર.
[9/16, 12:59 AM] Jayshree Patel. Sahityakar: *NOG SS NO:004*
*વિષયઃ શ્રાદ્ધ પૂર્વજ તર્પણ*
*પ્રકારઃ પદ્ય*મુક્ત પંચિકા*
*શબ્દોઃ૧૩૬*
*શીર્ષકઃ શ્રદ્ધા*
શ્રાદ્ધની *શ્રદ્ધા*
માનવ મહીં
અટલ વિશ્વાસનું,
હોવું મનમાં,
કેવું તર્પણ!
કાગને વાસ
ગાયને ભોજ
નકામનું મૂગું તે,
પ્રાણી નિશ્તેજ
કેવું ભટકે!
મને માનવ
ડરે ફફડે
પૂર્વજો મૃત્યું પછી
નડે સમજ
કેવું કારણ?
માનવતાની
સતામણીએ
અરે! તે ભરે કર્મે,
પાપ પુન્યે તે
કેવું રે કલ્પે!
કર્મ તે કરે
સાચા ખોટા ને,
દોષ દે પૂર્વજોને,
ભલા તે દીધું
કેવું દરદ!
સાચું પૂન્ય રે
દે દાન સદ્
પૂર્વજોની ઇચ્છાનું,
જમે ભૂખ્યાઓ
કેવું સ્વાદિષ્ટ!
બીજુ દાન રે
તું કરે ગુપ્ત
કર બન્ને અજાણ,
વિદ્યા તે દાન
કેવું મહાન!
અર્પણ કર
તર્પણ કર
પૂર્વજોની પાછળ
જીવ સંતોષી
કેવું પ્રેમાળ!
*જયશ્રી પટેલ*
*૧૫/૯/૨૨*
[9/16, 2:04 AM] Nayana.MeM.NOG Patel: nog.ss.73
નામ..નયના પટેલ.
વિષય. શ્રાદ્ધ પક્ષ. માતૃ પિતૃ શ્રાદ્ધ. પૂર્વજ,તર્પણ.
પ્રકાર..ગદ્ય. લેખ.
શીર્ષક..સાચું તર્પણ..
મજૂરી કરીને પેટિયું રળતા ગંગાબાના બેય દીકરાઓ અને વહુઓ આજે માને કહે માં શેઠ મરીગયા એટલે શેઠાણીએ એમની પાછળ બહુ પૈસા ખર્ચ કર્યા એમનું તર્પણ કરવામાં, “માએ કહયું બેટા” તમે બે ટાઈમ રોટલા ખવડાવો છો,મારી સેવા કરો છો એજ મારા માટે જીવતા જીવ તર્પણજ છે..દીકરાઓ જે મા બાપ જીવતે જીવ પોતાના બાળકને નથી નડતા એ શું માર્યા પછી નડતા હોય!
નયના પટેલ.નૈન.
[9/16, 2:37 AM] Pravina Kadakiya.MeM NOG Houston: NOG S S N 0089
વિષય શ્રાદ્ધ
ગદ્ય
પ્રવિણા કડકિઆ
————-
શ્રદ્ધા થી કરવામાં આવેલી પિતૃઓની યાદમાં પૂજા તે શ્રાદ્ધ . જેમાં પ્રેમની માત્રા છલોછલ ઉભરાતી હોય છે. તેમનું ઋણ મરતા દમ સુધી યાદ રહે. તેમના પ્રેમની વર્ષામાં વિતાવેલું બાળપણ નજર સમક્ષ તાદૃશ થાય .
ભાદરવા માસ ની પૂર્ણિમાથી , અમાસ સુધીના ૧૬ દિવસ શ્રાદ્ધનું પર્વ મનાવવાનાં આવે છે.
મારા મિત્ર બજારમાંથી ક્રિયા પત્ર , શાક પાન અને ઘી તેલ ખરીદતા હતા . મને મળ્યા, પૂછ્યું કેમ આટલું બધું, કહે “ મારી માતાનું બારમું કરું છું. જમવા જરુર પધારશો”.
“ અરે ગઈકાલે તમારા મા મંદિરમાં મળ્યા હતા”.
“ હા, તેના મર્યા પછી કરું તો તે કયાં જોવા આવવાની? જીવતા કરું તો જુએ તો ખરી”.
માતા , પિતા , પતિ યા પત્ની જીવતાં સુખ , પ્રેમ , આદર આપો. મૃત્યુ પછી તેમની યાદની જ્યોતિ “શ્રાદ્ધ કરી” સદા પ્રજ્વલિત રાખો.
જયાં પક્ષ હશે તમને આશિષ વરસાવશે. તમારી પ્રગતિ જોઈ પુલકિત થઈ ઊઠશે.
❤️🙏🌹❤️🙏🌹❤️🙏🌹
**********************************
www.janfariyadnews.com News channel links are as under.
Rivanta by Pramukh Omkar Press Conference Gandhinagar,Gujarat @Janfariyadnews 📰
BRTS ની સવારી કેટલી સલામત? અમદાવાદ મેમનગર Ahemdabad @Janfariyadnews 📰 16 September 2022
NOG સાહિત્ય સરિતા ગ્રુપ🌹વિષય: શ્રાધ પક્ષ સાહિત્યિક રચનાઓ @Janfariyadnews 📰 16 September 2022
(સી.એમ સુરક્ષા કરમીનું પત્રકાર/તંત્રી સાથે અછાજતુ વર્તન..ચોથી જાગીર ને ફોટા લેવા ઉપર પ્રતિબંધ..સી.એમ મીડિયાને સ્પીચ ના આપી..ગોરધન ઝડફિયા જી એ પત્રકારો ને માહિતગાર કર્યા…)પ્રદીપ રાવલ ખાસ અહેવાલ.
કમલમ ખાતે મોદીજીના જન્મ દિવસે પ્રદર્શની ખુલ્લી મૂકતા પૂર્વ મંત્રી ગોરધન ઝડફિયા જી.
कोईभी जाती या कॉम का भविष्य बच्चे के माता पिता के संस्कार पर निर्भर करता हे
बीआरटीएस की सवारी कितनी सलामत हे?
રીવાન્ટા પ્રમુખ ઓમકાર ગ્રુપ નું સંયુક્ત સાહસ