ગુજરાત રાજપા સરકારના પૂર્વ ગૃહ મંત્રી તેમજ દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી અને તેમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શૈલેષ પરીખની 320 કરોડ રૂપિયાની ઉચાપતના ચાચ્ચરી કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એસીબીએ મોડી રાત્રે તેમના નિવાસ્થાનેથી ધરપકડ કરી છે. વિપુલ ચૌધરીના પંચશીલ ફાર્મ ઉપરથી તેમને પકડી લેવામાં આવ્યા હતા અને આજરોજ તેમને એસીબી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એસીબી અને ક્રાઈમ બ્રાન્ચ છે સમગ્ર તપાસ કર્યા બાદ તેના રિપોર્ટનો અહેવાલ ગૃહ વિભાગના પોલીસ ભવન ખાતે મોકલી આપવામાં આવ્યો હતો વિપુલ ચૌધરીએ દૂધસાગર ડેરીમાં આશરે 320 કરોડના બોગસ વ્યવહારો કર્યા છે જે મામલે ફરિયાદ થઈ હતી અને આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેમને 17 boss કંપનીઓ બનાવીને 320 કરોડ રૂપિયા સીધેસીધા દૂધ સાગર ડેરીના એકાઉન્ટમાંથી બરોબર ટ્રાન્સફર કરાવ્યા હતા. આ નાણાકીય જ્યારે તેનો મામલો બહાર આવતા તેમના સીએ શૈલેષ પરીખની પણ અટકાવત કરવામાં આવી છે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કર્યા બાદ વિપુલ ચૌધરી વિરુદ્ધ એસીબી ગુનો આઇપીસી કલમ 406 409 420 465 467 468 471 102b તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની 12 13 બાય 1 13 / 2 કલમો અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.આ અંતર્ગત વિધિવત રીતે વિપુલ ચોધરી અને CA શૈલેષ પરીખ ની ધરપકડ કરીને ACB ઓફિસ લઈ જવામાં આવ્યા હતા.
૨૧ કરોડ માં સાગરદાણ કૌભાંડ માં વિપુલ ચોધરી ઝડપાયા હતા.દૂધ સાગર ડેરી માં કોઈ જવાબ દાર્ વ્યક્તિ ને પૂછ્યા વિના મહારાષ્ટ્ર માં બારોબાર સાગર દાણ મોકલવામાં આવ્યું હતું.જેના કારણે ડેરી ને ૨૨ કરોડ નું નુકશાન થયું હતું તત્કાલીન કૃષિ મંત્રી શરદ પવાર ને ખુશ કરવા આ દાણ મોકલવામાં આવ્યું હતું.તેવા આરોપ થયાં હતાં.આ સાગર દાણ કૌભાંડ માં ૧૭.ઓગસ્ટ.૨૦૧૮ ના રોજ વિપુલ ચોધરી ની સૌ પ્રથમ વાર જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા.અને ૩૦ દિવસ માં તે નુકશાનના પૈસા ડેરી માં જમાં કરાવવા ના આદેશ થયાં હતા.તે સાથે ડેરી ની ચૂંટણી લડવા સામે પ્રતિબંધ મૂકી દેવાયો હતો.પ્રતિબંધ હોવા છતાં તેમના અનુયાયીઓ ના સહારે ચૂંટણી લડી ને ચૂંટાઈ ને ડેરી ના ચેરમેન બન્યા હતા..
ખાસ વાત એ છે કે વિપુલ ચોધરી વિરુદ્ધ કોર્ટ માં કેસ ચાલતો હોવા છતાં બોગસ પાસપોર્ટ ના આધારે તેઓ વિદેશ પ્રવાસ કરી ને પાછા આવતા વિવાદ થયો હતો કેમકે દૂધ સાગર ડેરીના બોનસ પગાર કૌભાંડના આરોપી વિપુલ ચૌધરી નો પાસપોર્ટ કોર્ટમાં જમા હતો અને પાસપોર્ટ લેવા માટે વિપુલ ચૌધરીએ કોર્ટમાં અરજી કરી હતી જેમાં પોતાના દીકરાની કોલેજની કોમેન્સ્મેંટ સેરેમનીમાં ભાગ લેવા માટે અમેરિકા જવા હોવાની માંગ કરી હતી તે સમયે સરકારી વકીલ વિજય બારોટે કોર્ટ સમક્ષ ચોંકાવનારા પુરાવા રજૂ કર્યા હતા કે વિપુલ ચૌધરી બોગસ પાસપોર્ટ બનાવીને વિદેશ જઈને આવ્યા હતા. પુરાવા જોતા કોર્ટે વિપુલ ચૌધરીની અરજીને ફગાવી દીધી હતી અને તેમનો પાસપોર્ટ તેમને અમેરિકા જવા માટેની માગણી અર્થે પાછો આપ્યો ન હતો તો તે ઉપરથી સાબિત થયું કે તેઓ બીજો બોગસ પાસપોર્ટ બનાવીને વિદેશ પ્રવાસ કરીને પરત આવ્યા છે.
ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક ખાસ અહેવાલ
તંત્રી : પ્રદીપ રાવલ
9824653073
ભાજપ ના ” મોદી – શાહ ” નો નકલી સનાતની હિન્દુ ચહેરો સત્તા/પક્ષ બચાવવા ખાતર સનાતની ધર્મ.પ્રેમી જનતામાં ખુલ્લો પડ્યો..
મહાનગર પાલિકા ગાંધીનગર મેયર દરવાજો બોર્ડ તોડફોડ વિરોધપક્ષ હલ્લાબોલ….
https://youtu.be/NpPealxvtZFM
NOG સાહિત્ય સરિતા શ્રાદ્ધ પક્ષ રચનાઓ https://youtu.be/jyvojy3Y2fg
મહાત્મા મંદિર કિસાન સંઘ ના સી.એમ સામે દેખાવો.. https://youtu.be/1m0JY9mWffk