***********************************
NOG. SS. NO. 0097
વિષય ઃમનોકામના
પ્રકાર ઃ ગદ્ય
શીર્ષક ઃકિનનર
આજે સુનંદાબેન અને નિલેશભાઈની એક આંખ હસે છે.એક રડે છે.હૈયામાં ઉંમંગ પણ છે અને વિષાદ પણ છે. જો કે બંને આ પરિસ્થિતિ માટે તૈયાર અને સજાગ પણ છે જ.નીમાની ડોલી સજાવાય રહી છે. લવલી સખીઓ સાથે મસ્તીથી દીદીના વિદાયના ગીત-ગરબામાં ઘુમી રહી છે.
કિન્નરો માંડવામાં પોતાના હક્કનું દાપુ લેવા આવી પહોંચ્યા. વેવાઈઓ અને અન્ય સગા સસ્તામાં પતાવવા મથી રહ્યા.સુંનંદાબેને આગોતરા તૈયારી કરી જ હતી.
સન્માન પૂર્વક બધાને જમાડ્યા.ભરેલું કવર માસીના હાથમાં મૂકીને આશીર્વાદ મેળવીને હસતા હસતા બધાને રવાના કર્યા.
ખરેખર સુંનદાબેન હસતા હતા?ના. બળતા હૈયે હસી રહ્યા હતા.હા ચોક્કસ જ. હૈયે હોળી મોં પર દીવાળી.
સુનંદાબેન અને નિલેશભાઈએ ગાંઠ વાળી હતી. ગમે તે થાય. દીકરી લવલીને કિન્નરો ના સંઘમાં સામેલ નહીં જ કરે. પોતાના ઘરમાં પોતાની સાથે રાખી દીકરીની બધી મનોકામના પુરી કરશે.
લવલી સમજણી થઈ ચૂકી હતી. સુનંદાબેન દીકરીના મનમાં રોજ બરોજ ઉદભવતા અવનવા પ્રશ્નોનો સામનો કરી રહ્યા હતા.લવલીની ઇચ્છા ખુબ ભણવાની હતી. પરંતુ એને કયાં સામાજીક વાડાનો પરિચય હતો? સુનંદાબેને સીફતથી એને dance શીખીને કૃષ્ણમય જીવન જીવવાનો સુજાવ આપ્યો.
ભણતરનો પર્યાય મળી ગયો. લવલી ઉત્તમ dancer બની અને કૃષ્ણની મીંરા બની. ઘરને જ વૃંદાવન બનાવી દીધું. માતાપિતાએ દીકરીની મનોકામના પૂર્ણ કરી.
વર્ષાબેન દેસાઈ
એડવોકેટ
વડોદરા- ઓસટ્રેલિયા
***********************************
NGO સાહિત્ય સરિતા (૧)
N G. No. –39
વિષય – મનોકામના
પ્રકાર — લેખ
શીર્ષક –મનસાઓનો મધપુડો
શબ્દો — ૨૯૮
મનોકામનાઓ દરેકને હોય, એક-બે નહિ, અનેક હોય. એનો અંત ક્યારેય નથી આવતો. જીવનભર એ વળગેલી જ રહેવાની!
હું ટાવરમાં ત્રીજે માળ રહું છું પણ મારાં ફ્લેટની બારીમાંથી દસમે માળની છત પર લટકતાં ત્રણ મોટા મધપૂડા દેખાય છે. બધાંના કહેવા પ્રમાણે મધપૂડા હોવા એ સારા નસીબની વાત કહેવાય એ રીતે ટાવરમાં રહેતાં બધાં જ નસીબદાર ગણાય.
હું આ મધપુડાને વ્યક્તિની મનસાઓનાં ટોળા સાથે સરખાવું છું.
એમાંથી ઊડતી મધમાખીઓ ઉડી ઉડીને પાછી એ જ પુડા ઉપર બેસી જાય છે.
ઈચ્છાઓનું પણ એવું જ. એક પૂરી થાય ન થાય ત્યાં બીજી જન્મી જ હોય. એક મધમાખી ઉડે તો એની સાથે અનેક મધમાખીઓ ઊડતી હોય છે.એક ઈચ્છા એની સાથે અનેક ઈચ્છાઓને લઈને જન્મે છે.કદાચ આપણું જીવન ઈચ્છાઓનાં અવતરણ અને એની પૂર્તિ માટેજ હોય એવું લાગે છે.ક્યારેક એમ થાય કે બસ, આટલી એક મનોકામના પુરી થઈ જાય પછી મારે કંઈ જ નથી જોઈતું.પણ એવું બનતું નથી. ક્યારેક એ ઈચ્છા પૂરી નથી થતી તો ક્યારેક પુરી થયેલી ઈચ્છાઓની બીજી શાખાઓ ફૂટી જ નીકળે છે.
વારે વારે ફૂટી મધપૂડાની જેમ ફૂટી નીકળતી ઇચ્છાઓના આ ટોળાનું શું કરવું? એ પુરી ના થાય ત્યાં સુધી મધમાખીની જેમ ચટક્યા જ કરે, મનને ડંખ્યાં કરે.
કોઈ એવું હશે જેને ક્યારેય કોઈ ઈચ્છા જ ના થાય? દીક્ષા લીધા પછી વ્હોરવા નીકળતા સાધુને પણ મનમાં નહીં થતું હોય કે આજે ભાવતું શાક મળી જાય તો સારું!?
ઇચ્છાઓના પણ જુદા જુદા સ્વરૂપ હોય છે.એટલે જ મારી અને તમારી ઈચ્છા અલગ હોય છે.એક વ્યક્તિનું સુખ એ બીજી વ્યક્તિ માટે સુખ જ હોય એવું જરાય નથી.
બાળકના જન્મ્યા પહેલા જ મા- બાપના મનમાં જન્મતી ઈચ્છાઓ ગર્ભસ્થ બાળકના મનમાં રોપાઈ જાય છે અને એના જન્મની સાથે જ એ ઊગી નીકળે છે.
પણ માણસ માત્ર અધુરો રહેવા જ સર્જાયો છે. કોઈનીય દરેકે દરેક મનસા ક્યારેય પુરી થતી નથી.ત્યારે જે કાંઈ મળે છે તેનાથી જ મન મનાવવું પડે છે.
પ્રફુલ્લા “પ્રસન્ના”
********************************* NGO સાહિત્ય સરિતા
N G NO.118
વિષય મનોકામના, અભિલાષા
પ્રકાર પદ્ય
શીર્ષક : ઘટનાના રંગ
‘તારું’ મળવું એ પણ કદાચ એક ‘સંવેદના’ મઢેલી ઘટના જ હતી…!!
ઉમેરાયા હતા એમાં થોડા ‘લાગણી’ના રંગ…!!
‘અભિલાષા’ઓ વિસ્તારતા ‘વિશ્વાસ’ના રંગ..
હતી કદાચ હું પણ ‘મારા’જ કોઇક રંગથી ‘બેખબર’..!!
‘હું’ ઘૂંટાતી ગઇ…પાક્કો ‘તારો’ રંગ ચઢાવતી ગઇ..
પણ પેલી ‘ઘટના’… ખબર નહી કેમ.. વિખરાતી ગઇ.. ને બસ ધૂંધળી થઇ ગઇ…!!☘🦋🌷
-ચૈતાલી જોશી
*********************************
*NOG SS NO:004*
*વિષયઃ મનોકામના*
*પ્રકારઃ પદ્ય*
*શબ્દઃ ૧૮૯*
*શીર્ષકઃ*અધધધધ…*
આજ એક તો,
આશ જીવન
વહેતી રહે હૈયે,
અંત વગર,
મનોકામના.
જોયું વાદળ
સપ્તરંગી તે,
ત્યાં તો મેહ વરસ્યો!
વધી તલપ
મનોકામના.
એક પ્યાલીની,
મસ્ત મેદ હં,
છે ચાની ચૂસકીની
કડક મીઠી
મનોકામના.
અમૃત પર્વ
ડોલે જન ત્યાં,
હૈયે હામ ભરી છે,
ઝંડે અધધ,
મનોકામના.
માનવે લીધાં
સોગંધ મને
મેદ નહિ નસાનો,
આતો ઘેન કે,
મનોકામના.
દૂર દૂર તે,
ચાલ્યો જાય,
નાદ તેનો ગુંજતો,
હર ઘર છે,
ઝંડે લહેર.
ન.મોની હાંક
માનવ ઝૂમે,
હર ઘર ઝંડાની,
છૂટે સર્વેની
મનોકામના.
*જયશ્રી પટેલ*
*૧૪/૮/૨૨*
*************************,*
NOG.SS.No. 0098
વિષય:- મનોકામના
પ્રકાર:- ગદ્ય
શીર્ષક:- દ્રઢ સંકલ્પ
મિત્રો કહેવાય છે કે આપણું મન મક્કમ હોય અને શ્રદ્ધા હોય તો વિપરીત પરિસ્થિતિમાં પણ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે આશા મહેનત અને લક્ષ રાખવો પડે છે ખરેખર આ સત્ય છે મેં પણ કોરોનાની મહામારીમાં 200 વિધવા મહિલાઓને ઘેર ઘેર રાશનકેટ પહોંચાડવાનો સંકલ્પ લીધો હતો તે વખત એ સ્થિતિ બહુ જ કપરી અને વિપરીત હતી મારા સહ મિત્રો અને અમે બધાએ મળીને લીધેલા સંકલ્પને પૂર્ણ કરો કર્યો હતો બહુ જ મુશ્કેલીઓ આવી હતી પણ મન મક્કમ કરી મહેનતથી વિરોધ ઝીલીને અમે લક્ષ સુધી પહોંચી ગયા હતા. આવી રીતે અમારી સમાજ સેવાના લીધો (સંકલ્પ )મનોકામનાઓ પૂર્ણ થઈ હતી.
✍️
લીના શર્મા
હાલોલ!
*********************************
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳