(સમાચાર સંક્ષિપ્ત)
[8/19, 6:07 PM] Vinodh Megh.Surat: આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે
કલોલના નારદીપુરમાં આપશે વિકાસકાર્યોની ભેટ
તળાવ બ્યુટિફિકેશન અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં આપશે હાજરી
વસ્ત્રાપુર હવેલીએ પરિવાર સાથે કરશે દર્શન
આજે જન્માષ્ટમીનું પર્વ
રાજ્યભરમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી થશે
ઘરે-ઘરે યોજાશે નંદોત્સવ
દ્વારકા, ડાકોર, શામળાજીમાં થશે ભવ્ય ઉજવણી
ખેડામાં અકસ્માતમાં 4નાં મોત
અમદાવાદથી વડોદરા જતી કારને નડ્યો અકસ્માત
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર બની ઘટના
તમામ મૃતકો અમદાવાદ વટવા વિસ્તારના રહેવાસી
નર્મદા ડેમને લઈ રાહતના સમાચાર
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો
135.66 મીટર પર પહોંચી નર્મદા ડેમની જળસપાટી
ઉપરવાસમાંથી ઘટી પાણીની આવક
23 દરવાજા 3.25 મીટર હજુ પણ ખુલ્લા
J&K: NIAએ પાકિસ્તાનની સરહદે આવેલા 5 જિલ્લાઓમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું
દાહોદમાં હિટ એન્ડ રનની ઘટના
ડમ્પર ચાલકે બાઈક ચાલકને લીધો અડફેટે
બાઈકચાલકનું ઘટના સ્થળે જ મોત
ડમ્પર ચાલક ડમ્પર મૂકીને ફરાર
લીમખેડાના સર્કિટ હાઉસ પાસેના હાઈવે પર બની ઘટના
ઓક્ટોબરમાં યોજાશે ડિફેન્સ એકસ્પો
18 થી 22 ઓક્ટોબર વચ્ચે યોજાશે એક્સપો
PM મોદી કરશે ડિફેન્સ એક્સપોનું ઉદઘાટન
પ્રદર્શન બે દિવસ જનતા માટે ખુલ્લું મુકાશે
ગોંડલના લોકમેળામાં રાઇડમાંથી એક વ્યક્તિ નીચે પટકાતા તાત્કાલિક હોસ્પિલમાં ખસેડાયો, લોકમેળામાં વીજકરંટથી 2 યુવકોનો થયા હતા મૃત્યુ
અયોધ્યામાં છઠ્ઠા દીપોત્સવની તૈયારી શરૂ, 23 ઓક્ટોબરે યોજાશે કાર્યક્રમ
સુરતના લિંબાયતમાં પ્રેમી યુગલે કર્યો આપઘાત, એક મહિના પહેલા જ ઓરિસ્સાથી ભાગીને સુરત આવ્યા હતા, કયા કારણોસર આપઘાત કર્યો તે હજુ અકબંધ
મહેસાણાઃ ધરોઈ ડેમમાંથી 37070 ક્યુસેક પાણી છોડાયું
ધરોઈ ડેમના છ દરવાજા ખોલાયા
ડેમના 4 ગેટ 4 ફૂટ સુધી અને 2 ગેટ 5 ફૂટ સુધી ખોલાયા
ધરોઈ ડેમની જળ સપાટી 619.02 ફૂટ
ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફૂટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને જન્માષ્ટમીની શુભેચ્છા આપી
24 કલાકમાં રાજ્યના 190 તાલુકામાં વરસાદ
ઈડરમાં 2, વડાલીમાં 1.8 ઈંચ વરસાદ
પાવી જેતપુરમાં 1.7, ધાનેરામાં 1.5 ઈંચ વરસાદ
પોશીનામાં 1.4, પાલનપુરમાં 1.2 ઈંચ વરસાદ
12 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક ગંભીર અકસ્માત, અકસ્માતમાં કારની અંદર સવાર 4 લોકોના મોત, અક્સ્માતમાં 2 મહિલા, એક પુરુષ અને એક બાળકીનું ઘટનાસ્થળે જ મૃત્યુ
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો
નર્મદા ડેમની સપાટી 135.66 મીટરે
ઉપરવાસમાંથી પાણીની આવકમાં થયો ઘટાડો
ડેમમાં 258671 ક્યુસેક પાણીની આવક
ડેમના 23 દરવાજા 3.25 મીટર ખોલાયા
ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર
ડેમમાંથી 562481 ક્યુસેક પાણીની જાવક
ડેમમાં 4900.3 MCM પાણીનો સંગ્રહ
અદાણીએ PNGના ભાવમાં કર્યો ઘટાડો
PNGના ભાવમાં ~3.20નો ઘટાડો
PNGના પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબીક મીટર દીઠ ઘટાડો
PNGનો જૂનો ભાવ 54.10 રૂપિયા હતો
PNGનો નવો ભાવ 50.90 રૂપિયા થયો
અમદાવાદ: ઓડી કાર ચાલકે બાઈક ચાલકને લીધો અડફેટે
મૃતક બાઈક ચાલક વિશાલા હોટલમાં કેશિયર હતો
ઓડી કારનો નંબર GJ-01-RP-0774 હોવાનું સામે આવ્યું
એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધી
RTO પાસે મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના
અરવલ્લી: મેઘરજનો વૈડી ડેમ ઓવરફ્લો
વૈડી ડેમમાં 120 ક્યૂસેક પાણીની આવક
ડેમની આસપાસના 8થી વધુ ગામોને ચેતવણી અપાઈ
દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘરે પહોંચી CBIની ટીમ
મનીષ સિસોદિયાના ઘરે CBIની ટીમે દરોડો પાડ્યો
મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને કહ્યું- “અમે CBIનું સ્વાગત કરીએ છીએ”
ઓમકારેશ્વર ડેમમાંથી છોડાયેલ પાણીમાં ઘટાડાને કારણે સવારે 11 કલાકથી નર્મદા ડેમમાં પાણીની આવકમાં ધરખમ ઘટાડો નોંધાશે
સવારે 11 કલાકથી માત્ર 10 દરવાજા 1.5 મીટર ખોલી 1 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાશે
રિવર બેડ પાવર હાઉસના 6 વીજમથક ચાલુ કરી 45000 ક્યુસેક પાણી નદીમાં છોડાશે
ગઢડા BAPS મંદિરમાંથી પુરૂષનો મૃતદેહ મળ્યો
વહેલી સવારે શંકાસ્પદ હાલતમાં મળ્યો મૃતદેહ
BAPS સ્વામીનારાયણ મંદિરમાં પૂજારી તરીકે કરતો હતો સેવા
DYSP, LCB, SOG સહિતની ટીમો ઘટના સ્થળ
જન્માષ્ટમી: આજે સાંજે 5 વાગ્યે દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા પહોંચશે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
રાજકોટમાં જન્માષ્ટમીની શોભાયાત્રા દરમ્યાન વજુભાઈ વાળાનું વિધાનસભા ચૂંટણી અંગે મોટું નિવેદન, કહ્યું ‘ગુજરાતમાં ભાજપ માટે 182 બેઠક મેળવવી અઘરી પણ શક્ય છે, રાજ્યમાં ત્રીજો, ચોથો કે પાંચમો પક્ષ આવે છતાં આવશે તો ભાજપ જ’
દિલ્હીમાં DyCM મનીષ સિસોદિયાના ઘરે CBIની રેડ બાદ ભડકી આમ આદમી પાર્ટી, CM કેજરીવાલ થોડીવારમાં કરશે મીડિયા સાથે વાતચીત
મેંદરડા સાસણ રોડ પર અકસ્માતની ઘટના
એસ.ટી.બસના ચાલકે બાઈક ચાલકને લીધો હડફેટે
એસ.ટી. બસ રાજકોટથી ઉના તરફ જતી હતી
અકસ્માતમાં બાઈક ચાલકનું મૃત્યું
[8/19, 6:14 PM] Vinodh Megh.Surat: રાજ્ય સરકારના કર્મચારી હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય
*હવે વર્ષ ૨૦૦૬ પહેલાં ફિક્સ પગારની નોકરીમાં જોડાયેલા કર્મચારીઓની નોકરીની સેવા સળંગ ગણાશે : પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી*
નાણા વિભાગના વર્ષ ૨૦૧૭ના ઠરાવ અંતર્ગત આ કર્મચારીઓને પણ મળશે તમામ લાભો અંદાજે ૪૨ હજારથી વધુ કર્મચારીઓને લાભ થશે
પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર અધિકારી કર્મચારીઓના હિત માટે અનેક નિર્ણયો લઈ રહી છે ત્યારે આજે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં વધુ એક કર્મચારી હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ફિક્સ પગાર નીતિ અંતર્ગત નોકરી કરી રહેલા કર્મચારીઓની નોકરીની સેવાઓ સળંગ ગણવા અંગે નાણા વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૭માં ઠરાવ કરવામાં આવ્યો હતો જેમાં વર્ષ ૨૦૦૬ પહેલાં ફિક્સ પગારમાં નોકરી કરતા કર્મચારીઓને લાભ મળતો ન હતો. હવે વર્ષ ૨૦૦૬ પહેલાં ફિક્સ પગારની નોકરીમાં જોડાયેલા કર્મચારીઓની નોકરીની સેવા સળંગ ગણવા નિર્ણય લેવામાં આવ્યો છે.
મંત્રી શ્રી વાઘાણીએ ઉમેર્યું કે, રાજ્યમાં વર્ષ-૨૦૦૬ પહેલા ફિકસ પગારની નિતી અન્વયે નિમણુંક પામેલા કર્મચારીઓની ફિકસ પગારની પાંચ વર્ષની સેવા હવે સળંગ ગણવામાં આવશે. આ નિર્ણય અંતર્ગત નાણાં વિભાગના તા. ૧૮/૧/૨૦૧૭ ના ઠરાવ મુજબ દર્શાવેલ બઢતી તેમજ ઉચ્ચત્તર પગાર ધોરણ સહિતના લાભો ગણતરીમાં લેવામાં આવશે. આ નિર્ણયથી અંદાજે ૪૨,૦૦૦ થી વધુ વર્ષ-૨૦૦૬ પહેલા નિમણુક પામેલા કર્મચારીઓને લાભ થશે. હવે આ કર્મચારીઓની પણ ફિકસ પગારની પાંચ વર્ષની સેવા, બઢતી ઉચ્ચત્તર પગાર ધોરણ જેવા લાભો ગણતરીમાં લેવાશે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આ નિર્ણયથી ૫૭૬ પંચાયત સહાયક/ તલાટી, ૧,૦૧૯ રહેમ રાહે નિમણુંક પામેલા કર્મચારીઓ, ૩૩૧ સ્ટાફ નર્સ, ૨૪૦૦ લોક રક્ષક અને ૩૮,૨૮૫ શિક્ષકો મળી કુલ ૪૨,૦૩૫ કર્મચારીઓને લાભ થશે.
[8/19, 7:55 PM] Vinodh Megh.Surat: રાજપીપળા, ગોધરા, નવસારી, પોરબંદર તથા મોરબી મેડીકલ કોલેજને આ વર્ષથી ૧૦૦ મેડીકલ સીટની મંજૂરી મળી.
આજે ઠેર ઠેર કૃષ્ણ પારણાં ની ઉજવણી…કૃષ્ણ પ્રેમીઓ માં ભારે ઉત્સાહ..સમગ્ર મંદિરો માં કૃષ્ણ પારણાં ની ભવ્ય ઉજવણીઓ નો માહોલ…
NG_17-8-22
NG_18-8-22NG_19-8-22-1
[8/15, 4:25 PM] Bharat Sanghaani.MEM (Kaushik Shah): NOG:SS:NO.: 0101
વિષય: કૃષ્ણ- રાધા
પ્રકાર: પદ્ય- ગીત.
શીર્ષક: *શ્યામ રંગ*
*(રાધાષ્ટમીની વધાઈ)*
*રચના: ભરત સાંગાણી*
શ્યામ રંગ બરસાનામાં પથરાયો,
નંદરાય વૃષભાન રંગે રંગાયો.
લાડી પ્યારી મહલ બિરાજે
છૂપ છૂપ નિહાળે બાંકેબિહારી
લાલ મુખ વૃષભાની લાજે
સુખની મૂરત છે રાધા પ્યારી
આનંદમંગલ વ્રજમાં લહેરાયો
નંદરાય વૃષભાન રંગે રંગાયો.
રાધા કોટી કંદર્પ લાવણ્ય રૂપ
રસરાસ બિહારીનાં ભાગ્ય ખૂલ્યાં
નંદકુંવરમાં લપટાયું રાધારૂપ
બરસાની સંગ ગોકુલજી ઝૂલ્યા
મિલન આ જોઈ ચૌદ ભુવન હરખાયો
શ્યામ રંગ બરસાનામાં પથરાયો.
*( રચના: ભરત સાંગાણી)*
[8/15, 8:46 PM] Ghanshyam Nayak.MeM.NOG �ાઈ: Nog ૦૦૧૩
વિષય : કૃષ્ણ રાધા
પ્રકાર: અછાંદસ
શીર્ષક: હરખ
હે
કૃષ્ણ
તારી મૂર્તિ
રાધાના કાળજામાં
કેવી કોતરાઈ ગઈ.
રાધા તો હૈયું
હાથ ન રહે
એવી રીતે
હરખાઈ
ગઈ.
કૃષ્ણના મુખારવિંદની
માયા એની કેવી લાગી.
એની નજરું સાથે
નજરું મેળવતાં
બે ઘડી કેવી
શરમાઈને
છોભીલી
પડી
ગઈ.
દિવસને રાત
મનોમન કૃષ્ણને
રાધા કરે
યાદ.
કૃષ્ણના બંધનમાં
જુઓને કેવી
બંધાઈ
ગઈ.
મુરલી તણા નાદમાં
ગોપીઓ સાથે તાનમાં
મૌનના આનંદમાં
ઘૂંઘરું પહેરીને
નર્તન કરતી
ગીત ગાતી
એ જાતી.
આગળ આગળ મહાલતી
પોતાની ભક્તિની કેડી
પર કૃષ્ણ સાથેની
સેવામાં કેવી
પરોવાઈ
ગઈ.
હવે તો ચિતડાના
ચોર સાથે પાકી
પ્રીત એની
બંધાઈ
ગઈ
રાધા કૃષ્ણમય
ને ઘનશ્યામ
શ્યામમય
થઈને જ
રહ્યા.
ઘનશ્યામ વ્યાસ.
“શ્યામ”
[8/16, 11:59 AM] Mina Mangroliya.MeM.NOG: NOG. SS NO :- 0032
વિષય:-કૃષ્ણ -રાધા
શીર્ષક:- *હિંડોળો*
હિંડોળાની હળવી ઠેસે ઝૂલતાં બોલ્યા રાધાજી, પૂનમની અજવાળી રાતે રાસ રમશું કાનાજી.
યમુનાજીનાં કાંઠે વાંસળીનાં સૂરે બોલ્યા કાનાજી, ગોપ ગોપીઓ સાથે મળી રાસ રમશું રાધાજી.
મનનો મારો માણીગર છે તું બોલ્યા રાધાજી, હું અબોલડે બંધાવું,જો રમશો ગોપીઓ સાથે કાનાજી.
તું મારી રાધારાની,શામાટે રિસાવું બોલ્યા કાનાજી,ના રમું ગોપીઓ સંગ,હવે બોલો મારા રાધાજી.
મારું મન મોહ્યું છે મોરપીંછમાં બોલ્યા રાધાજી, હવે વૃંદાવનમાં આવો હળવે હળવે તમે કાનાજી.
પીળું પીતાંબર સોહે,હોંઠે મુરલી બોલ્યા રાધાજી, મારું મનડું મૂંઝાય અને હૈયું હિઝરાય કાનાજી.
હવે,રીસામણાં છોડીદો રાધારાની બોલ્યા, કાનાજી તમારાં બોલે બંધાવું, મારા મનથી ગૂંથાવું રાધાજી.
મીના માંગરોલીયા મીનુ
અમદાવાદ
16/8/2022
[8/16, 12:03 PM] R S. Vyas.MEM: NOG SS 011
પ્રકાર : પદ્ય
વિષય : જન્માષ્ટમી
શીર્ષક : લે શ્યામ તારી બંસરી
વગડામાં વરસાવે વ્હાલ,
શ્યામ તારી બંસરી,
તને ઘેલો કર્યો છે ઘનશ્યામ,
લે શ્યામ તારી બંસરી
જશોદાનો લાલ તુ ગિરીધર ગોપાલ છે,
નંદબાબાનો તુ લાડીલો લાલ છે,
ભોળા ભક્તોનો તુ ભગવાન,
લે શ્યામ તારી બંસરી
વૃંદાવન વનમાં વ્હાલો રાસ રચાવે,
માખણ ચોર ત્યાં શોર મચાવે,
તુ તો મટકીનો ફોડનાર,
લે શ્યામ તારી બંસરી
દ્વારીકા નગરીનો રાજા રણછોડ,
છતા કહેવાતો એ માખણ ચોર છે,
સારી શ્રુષ્ટિના પાલનહાર
લે શ્યામ તારી બંસરી
રચના,,,,,
રાજેશભાઇ એસ વ્યાસ ” રાજ ”
ધ્રુવનગર,,,,, મોરબી
[8/16, 12:05 PM] R S. Vyas.MEM: NOG SS 0112
પ્રકાર : પદ્ય
વિષય : જન્માષ્ટમી
શીર્ષક : લે શ્યામ તારી બંસરી
વગડામાં વરસાવે વ્હાલ,
શ્યામ તારી બંસરી,
તને ઘેલો કર્યો છે ઘનશ્યામ,
લે શ્યામ તારી બંસરી
જશોદાનો લાલ તુ ગિરીધર ગોપાલ છે,
નંદબાબાનો તુ લાડીલો લાલ છે,
ભોળા ભક્તોનો તુ ભગવાન,
લે શ્યામ તારી બંસરી
વૃંદાવન વનમાં વ્હાલો રાસ રચાવે,
માખણ ચોર ત્યાં શોર મચાવે,
તુ તો મટકીનો ફોડનાર,
લે શ્યામ તારી બંસરી
દ્વારીકા નગરીનો રાજા રણછોડ,
છતા કહેવાતો એ માખણ ચોર છે,
સારી શ્રુષ્ટિના પાલનહાર
લે શ્યામ તારી બંસરી
રચના,,,,,
રાજેશભાઇ એસ વ્યાસ ” રાજ ”
ધ્રુવનગર,,,,, મોરબી
[8/16, 1:33 PM] Ramila Makvaana.MeM.: NOG સાહિત્ય સરિતા
નંબર – 0120
શબ્દ : જન્માષ્ટમી
શિર્ષક : જન્માષ્ટમી
પ્રકાર : પદ્ય (અછાંદસ)
*જન્માષ્ટમી*
મારા વ્હાલા કાન તારી ઉજવાય જન્માષ્ટમી,
ભક્તિનો રંગ લાગી જાય ઉજવાય જન્માષ્ટમી.
ગુણલા ગાઉ દિન-રાત ઉજવાય જન્માષ્ટમી,
મોરલીનો નાદ સંભળાતા ઉજવાય જન્માષ્ટમી.
દ્વારીકાના ધણી તમારી ઉજવાય જન્માષ્ટમી,
કાળીનાગને નાથનારાની ઉજવાય જન્માષ્ટમી.
સાંદિપની ઋષિના શિષ્યની ઉજવાય જન્માષ્ટમી,
સુદામાના પરમ સખા ની ઉજવાય જન્માષ્ટમી.
કુંવરબાઈનું મામેરું પુરનારા ઉજવાય જન્માષ્ટમી,
મીરાંના ગિરધર ગોપાલની ઉજવાય જન્માષ્ટમી.
*રમા* રાધાજીના શ્યામની ઉજવાય જન્માષ્ટમી,
રુક્મણીના સ્વામીની ઉજવાય જન્માષ્ટમી.
(જય શ્રી કૃષ્ણ)
રમીલા ડી મકવાણા *રમા*
લાડુલા તા ભાભર જિ બનાસકાંઠા
[8/17, 2:43 PM] Hemlatta Divecha.MeM: NOG SS NO – 0037
વિષય – કૃષ્ણ રાધા…
શબ્દ – સ્નેહ..
પ્રકાર – પદ્ય.
શીર્ષક – સ્નેહ એક અહેસાસ.
હ્રદય પવિત્ર મહાસાગર બને ત્યારે,
ચાહતના મોજા ઉછળે,
સ્નેહની સરવાણી ફૂટે….!
રાધાની ચાહત કાનાનો સ્નેહ,
કાનાની ચાહત, રાધાનો સ્નેહ,
રાધાનો વિરહ, વૈરાગ્ય..!
કાનાનો વિરહ, બંશીનો ત્યાગ,
રાધાની વેદના, પૂર્ણ સમર્પણ,
કાનાની વેદના, સ્વધામ મિલન…!
સીતાનાં સ્નેહમાં રામે,
સાગરમાં પણ રસ્તો કર્યો,
સીતાનાં વિરહમાં,
રાજમહેલનાં સુખનો ત્યાગ…!
સ્નેહથી પથ્થર પણ પીગળે,
‘પ્રભુ ‘ પણ સ્નેહનો ભૂખ્યો,
‘ પરમાત્મા’ પણ સ્નેહથી મળે…!
અત્ર,તત્ર,સર્વત્ર, હોવા છતાં,
નિહાળી શકતાં નથી,
અનુભૂતિનો અહેસાસ..!
સંપૂર્ણ સમર્પણ ભાવ,
કવિઓની કલમ પણ,
લખી લખી થાકે નહીં…!
સંસાર જે અદ્ર્શ્ય શકિતથી,
જોડાયો છે, એજ સ્નેહ,
પવિત્ર જલધારા ‘હેમ’ તણી…!
હેમલતા દિવેચા ” હેમ ” જૂનાગઢ.
[8/17, 11:54 PM] Nayana.MeM.NOG Patel: NOG..SS.73
વિષય..કૃષ્ણ રાધા
શબ્દ.સ્નેહ
પ્રકાર..ગદ્ય.
શીર્ષક..પર્યાય..
રાધાએ કૃષ્ણને નિખાલસ પ્રેમ કર્યો જેમાં કોઈ માંગણી કે શરતો ન હતી
એતો કૃષ્ણમય હતી રાધાને કૃષ્ણ મારાજ બનીને રહે એવી કોઈ જીદ ન હતી એણે તો કૃષ્ણને પ્રેમ કર્યો હતો,
પ્રેમનો બીજો કોઈ પર્યાય ના હોય પ્રેમ એટલે પ્રેમ,કૃષ્ણને પણ ખબર હતી કે મારી બધી પત્ની પટરાણીઓ એ બધાના સ્નેહ કરતા રાધાનો પ્રેમ અલગ છે,રાધતો કૃષ્ણમય હતી એટલેજ તો કૃષ્ણને તેમના અંતિમ સમયમાં રાધા યાદ આવી એમણે રાધેને વિનંતી કરી કે તું આવ ત્યારે રાધાએ કીધુકે તમે મને છોડીને ગયા હતા,પણ હુતો આજેપણ તમારીજ છું ને કૃષ્ણનો આત્મા જતા પહેલા રાધાને મળે છે,આ છે પ્રેમની તાકાત આ છે સમર્પણની તાકાત એટલેજ રાધે કૃષ્ણ બોલાય છે,કોઈને પામી લેવાથી કાર્ય ત્યાં પૂરું થઈ જાય પણ કોઈના બની રહેવાથી જિંદગી ભર એના રહેવાય
જેમ રાધા અને કૃષ્ણ એકબીજાના બનનીને રહ્યા છે ત્યારે જગતમાં પૂજાય છે,કૃષ્ણેને રાધાને પામવી ન હતી એમને તો રાધાના બનનીને રહેવું હતું,એમણે એ કરીપણ બતાવ્યું,..
એ રાધામય બનીને રહ્યા અને રાધપણ કૃષ્ણ મય બનીને રહ્યા…રાધે કૃષ્ણ…
નયના પટેલ..નૈન.
[8/18, 1:22 AM] Anjana Gandhi.MeM.NOG: N.O.G.SS NO.0026
વિષય – રાધા – કૃષ્ણ
વિભાગ – પદ્ય
( ગરબો)
હે…ઉડતી, ઉડતી , ઉડતી, ઉડતી
આવી એક વાત,
રાધા રિસાયા, શ્યામને થઈ પંચાત..(૨)
શ્યામ મનાવે, શ્યામ મનાવે,
વીતે પૂનમની રાત..
રાધા રિસાયા શ્યામને થઈ પંચાત…
ગોપી સૌ વિનવે ને વિનવે શામળિયો,
વિનવે ગોકુળિયું ગામ..
રાધા રિસાયા શ્યામને થઈ પંચાત..
હે…ઉડતી, ઉડતી , ઉડતી, ઉડતી
આવી એક વાત..
બંસરીના તાલે નાચે નર – નારી,
રાધે મલકાયા, ગયા રીસને વિસારી,
માની ગયા, માની ગયા, માની ગયા, માની ગયા,
રાધે રમવાને સારી રાત…
રાધેજી મનાયા , વિસારીને બધી વાત..
હે.. ઉડતી, ઉડતી, ઉડતી, ઉડતી
આવી એક વાત..
રાધેજી મનાયા , રમ્યા એ સારી રાત..
(૨)
✍️ અંજના ગાંધી ” મૌનુ”
વડોદરા
( હાલ અમેરિકા)
[8/18, 1:26 PM] A Nishant Mother.MeM.NOG: NOG SS 0092
પ્રકાર:- પદ્ય
વિષય:- કૃષ્ણ અને રાધા
શિર્ષક :- કૃષ્ણનું ઠેકાણું
પેલી ઝુકેલી કદંબની ડાળ,
પૂછી રહી કૃષ્ણનું ઠેકાણું.
રાધા તે ક્યાંય જોયો નંદલાલ ને તો,
આપી દે એનું ઠેકાણું.
રાધા કહી રહી ડાળને,
આપું હું એનું ઠેકાણું.
માખણની મટકીમાં શોધો,
એનું મન ત્યાંજ છે રોકાણું.
ગાયોના ધણમાં જઈ ગોતો,
મળશે એના દર્શનનું નજરાણું
દરેક ગોપાલમાં દેખાશે,
રૂપ એનું છબીલું ને સોહામણું.
ગોવાલણોની મટકીમાં જોજો,
હસતો હશે એ છાનું- છાનું.
કાંકરી ચાળો કરવા આવશે,
એનું મસ્તીખોર રૂપ મજાનું.
જમુનાજીના નીરમાં જોજો,
પ્રતિબિંબ દેખાશે નાનું.
ગોપીઓના ચીર હરીને,
હરખાતું હશે એ મોટા ગજાનું.
બાંસૂરીના સૂરને પકડજો,
મંત્રમુગ્ધ કરનારાને જકડજો.
પશુ- પંખીને વૃક્ષો પણ ડોલે,
એ તાન રેલાવનાર મળે ના કોઈ મોલે.
અંતે જો એ ક્યાંય ન મળે તો,
મારી આંખલડીમાં જોજો.
હૃદયે મારે સદાય બિરાજે,
આવીને આંખોના દરવાજે.
દર્શન એના જલ્દી કરજો,
આંખોને હૈયામાં ભરજો.
લાંબો વિયોગ ના હું સહીશ,
પાંપણના પડદાઓ ઢાળીશ.
હૃદયે બંધ કરી દઈને જગદીશ,
સાચું સાંનિધ્ય એનું પામીશ.
રોમે-રોમે બસ એનોજ વાસ,
કૃષ્ણ રહે સદાય રાધાની પાસ.
પ્રીત કૃષ્ણની રાધા માટે ખાસ,
એ જ એનો શ્વાસ- ઉચ્છવાસ.
કણે-કણે એ વ્યાપેલ વર્તાય તોય,
રાધાની આંખોમાં સદા છબી દેખાય.
ના મળે કોઈનેય જો કૃષ્ણનું ઠેકાણું,
રાધા સમ ભાવનું ધરો નજરાણું.
ત્રિભુવનનો એ નાથ ભલેને હોય,
દોડીને આવે જો પ્રેમ રાધા સમ હોય.
-અલકા નવિનચંદ્ર મહેતા
ગાંધીનગર
૧૮ / ૦૮ / ૨૨.
[8/18, 1:50 PM] Prafulla Prasanna: NOG સાહિત્ય સરિતા(૧)
N G. No. — 39
વિષય- રાધા – કૃષ્ણ
પ્રકાર — પદ્ય –અછાંદસ
શીર્ષક — આવી જાવ માધવ
તારીખ– ૧૮ – ૮ – ૨૨
રચના —
વાંસળી છે, મોરપીંછ છે પણ કૃષ્ણ ક્યાંય નથી!
મુગુટ પહેરી કાન બને બાળ, પણ કૃષ્ણ કોઈ નથી!
આવે જન્માષ્ટમી ને સુંદર સજાવે સહુ મંદિરો!
સજીધજીને મનાવે અધ-મધરાતે કૃષ્ણજન્મ!
શ્રી કૃષ્ણનાં નામની ધૂન મચાવીએ આખી રાત!
તોય નથી જન્મતું દેવકીનું આઠમું સંતાન!
થાય ચમત્કાર ને ક્યાંકથી આવી જાય રાધેશ્યામ!
અનિષ્ટો વચ્ચે ફંગોળાતાં માનવનું ઇષ્ટ કરશે ઘનશ્યામ!
ફેરવી સુદર્શન ચક્ર પવિત્ર કરી દેશે પ્રકૃતિનાં કણ!
ત્રસ્ત જીવ માત્રને માધવ આપી દેશે સુખનું શરણ!
આવી ગઈ જન્માષ્ટમી રાહ જુએ ભક્તગણ!
ભગવાન કૃષ્ણને જોવા તડપે છે માનવજન!
આવીને ફરી સમજાવો પાપનાં હોય કેવાં ફળ!
અણસમજુ માનવને ફરી સમજાવો કર્મનો સિદ્ધાંત!
પ્રફુલ્લા “પ્રસન્ના”
અમદાવાદ
[8/18, 2:12 PM] Dr.Rekha Kachoria.MeM.NOG: NOGSS No. –0034
વિષય : રાધા-કૃષ્ણ
પ્રકાર : પદ્ય (ગીત)
શીર્ષક — રાધા ઘેલી રે…
ઘેલી રે…ઘેલી રે..ઘેલી રે….
તારી પ્રીતમાં થઈ રાધા ઘેલી રે..
તું મારો શ્યામ , ને હું તારી રાધા,
તો શીદને આમ તું, તડપાવે ઓ માધા,
ઉમટી છે દિલ મહીં પ્યારની હેલી રે,
તારી પ્રીતમાં થઈ રાધા ઘેલી રે…..
વાંસળી વગાડીને મોહિની લગાવે,
સારી-સારી રાત જોને નીંદરું ન આવે,
રહું તારી યાદોમાં હું તો ખોવાયેલી રે,
તારી પ્રીતમાં થઈ રાધા ઘેલી રે….
હથેળીમાં ત્રોફાવ્યું કાના તારું નામ,
ગોકુળિયાનો છોરો તું, બરસાના મારું ગામ,
સુગંધી વાયુ ખેલે, લટ સાથે અઠખેલી રે,
તારી પ્રીતમાં થઈ રાધા ઘેલી રે…
અરમાનોની મધમધ વેલીયું હૈયે ફૂટી રે,
તારાં જ નામની ગળથૂથી મેં તો પીધી રે,
સમરું તને રાત-દિન, સઘળી મરજાદ મેલી રે,
તારી પ્રીતમાં થઈ રાધા ઘેલી રે….
ઘેલી રે..ઘેલી રે..ઘેલી રે…
તારી પ્રીતમાં થઈ રાધા ઘેલી રે.
–ડૉ. રેખા શાહ
18/8/2022
[8/18, 3:45 PM] Jagdish Ranodara.MeM Shankheshwar: NOG સાહિત્ય સરિતા
નંબર – 0119
પ્રકાર : ગદ્ય
વિષય : જન્માષ્ટમી
શિર્ષક : “ગોકુળ આઠમ”
“ગોકુળ આઠમ”
અમારું ગામ એટલે વાટકી જેવડું વીસાવડી. ભલે વાટકી જેવડું રહ્યું પણ
*વેદોમાં વ્હાલું અમારું નાનકડું ગામ વીસાવડી,* *ઓલ્યા માંગણને વ્હાલા ગામના સૌ લોકો;*
*ભક્તિ-સત્સંગ હરિહર આશ્રમ,* *જ્યાં પુંજીરામબાપુ ન ધરતા મેઘલીગતનો ધોખો.*
સાતમ-આઠમનાં તહેવારમાં બહેનો ઢોલના તાલે કનૈયાને રિઝવવાના અને પ્રાદેશિક લઢણથી ગવાતા ગીતોની રમઝટ બોલાય છે. આજેય અમારા ગામે શિતળા સાતમ ના સાંજના સમયે બહેનો ઢોલના તાલે રાંદલમા ને વાજતે-ગાજતે ભવ્યતાથી વિસર્જન કરવામાં આવે છે. એકતાલ અને એકસાથે સૌ સંપથી સાતમ -આઠમના તહેવારો ઉજવે છે. કોઈ બહારથી હરામ હલાલી આવી ચડે તો એનું તો આવી પણ બને…!
જન્માષ્ટમી આવે તે પહેલાં એક માસ અગાઉથી દિકરીઓ તેમની શેરી મહોલ્લામાં બેસીને રાત્રે કનૈયાના ગીતોના નાદ સંભળાવતા હોય છે. જેમાં જૂનવાણી અને પ્રાદેશિકતાનાં દર્શન થાય છે.
અહીં ની ભૂમિ એટલે અફાટ રણ પ્રદેશ એટલે કે અમારા ઝીંઝુવાડા અને ખારાઘોઢા નો વિસ્તાર એટલે મીઠાના અગરો પર નિર્ભર હોવાથી કોઈ કવિએ બનાવેલા ગીતો ગાઈને આનંદ લૂંટતા હોય છે.
દા.ત. (૧) સારા પ્રતાપ છે ઓડુ અગરના, ભવની ભાંગી ભૂખ રે ગાંગડો વ્હાલો લાગે છે….
(૨) ઝંઝવાડા ને પાદર પારસ પેપળો, ઠાકોરિયા હાલારી હેડોળે હાલર હિંચકો…
આવા તો અનેક ગીતો ગાઈને ગોકુળ આઠમની ઉજવણી કરવામાં આવે છે.
આ ઉપરાંત અમે નાના ટાબરીયા હતા ત્યારે સાતમ -આઠમના તહેવાર આવવાને ઘણી વાર હોવા છતાં રોઈને – ધમાલ કરીને પણ હિંચકા બંધાવીએ અને પછી હિંચકે હિંચવાની ખુબ મજા આવતી. કોઈક ના લિંમડે કે ગાંડા બાવળે હિંડોળા બાંધીને હિંચકા ખાવાની બવ મજા આવતી. છેક અમાસ સુધી હિંડોળા બાંધીને હિંચકા ખાતા…!
આઠમના દિવસે રાત્રે કાન-ગોપી બનાવવા તળાવે ભીની માટી લાવીને બનાવવામાં આવતા. રાત્રે ભજનભાવ થી કનૈયાના નામે ગરબીઓ ગવાતી તથા ભવાઈ વેશ પણ કરવામાં આવતો. હવે આખી રાત ભજન કીર્તન ની રમઝટ બોલાય છે . રાત્રે બાર વાગે કૃષ્ણ જન્મોત્સવ ની ધૂન બોલાય છે અને વહેલી સવારે વાગતા ઢોલે તળાવમાં પધરાવીને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવાનો આનંદ લૂંટે છે.
ડૉ જગદીશ કે રણોદરા (બંધવ)
વીસાવડી-વરણોસરી-શંખેશ્વર-વાહેદપુરા.
***********************************
NOG ન્યૂઝ ચેનલ સમાચાર લિંક નીચે મુજબ છે.
(૧) નાગ પંચમી ની સાક્ષાત નાગ ની પૂજા
(૨) શેભર ગોગ્ મહારાજ પ્રસિદ્ધ મંદિર.
(૩) શ્રી કુળદેવી ખંભલાય માતાજી ત્રિરંગા શણગાર. માંડલ
રાજેન્દ્ર શુક્લ બાળ પ્રેમ
ડો.શરદ ઠાકર.(આંખમાં આંસું લાવી દે તેવું વક્તવ્ય)
[ https://youtu.be/-JH017FYdec
રતન ટાટા યોગ્ય સન્માન
કોંગ્રેસ ના દિગ્ગજ નેતાઓ ભાજપ માં લપસ્યા (part-2) @Janfariyadnews 📰18 August 2022
કોંગ્રેસ ના દિગ્ગજ નેતાઓ ભાજપ માં લપસ્યા (part-3) @Janfariyadnews 📰18 August 2022
વિવિધસભર ધાર્મિક,સામાજિક,રાજકીય બ્રેકિંગ ન્યૂઝ તેમજ દેશ વિદેશ સાહિત્યિક સર્જકો સંબંધિત વિડિયો રચના સાથે ઘણુંબધું વૈવિધ્ય માણવા www. janfariyadnews.com ચેનલ સસ્ક્રાઇબ અને લાઈક કરી ભારતીય સંસ્કૃતિ સેવન સહભાગી બનો..સંપાદક : મીનાક્ષી રાવલ (9537656922)વિડિયો રચના તેમજ વૈવિધ્ય પૂર્ણ સમાચાર વિડિયો વોટસ એપ કરી શકો છો.)