[
[8/10, 11:09 AM] Sweta Talati.MeM.NoG: NG 0078
પ્રકાર – પદ્ય (અલગ અલગ છંદમાં શેર)
શીર્ષક – *ઈચ્છાઓનું મહાયુદ્ધ.*
સંત બોલ્યા – “છે શ્વેત વસ્રો તોય;
કોઈ ઈચ્છા અમારી ના ઊંઘી.”
ખેલ પકડાપકડીનો રમતાં બધાં;
એ જ ઈચ્છાઓ પછી હંફાવશે.
વાયુમંડળમાં હવા ને મનમાં શું?
કંઈક ઈચ્છાઓ સતત ફરતી રહી.
એટલી રિબાઈ ‘શ્વેતા’ માંહ્ય કે;
ઈચ્છાઓ એ નામથી પણ ભાગશે.
ભેટી પડી એકદમ તો મોતે પૂછ્યું, શું?
ધીરજ, સહનશક્તિ કે ઈચ્છા ખૂટી ગઈ?
માથું ઊંચકતી’તી બહું, તેથી જ ગળું;
ઈચ્છાઓનું ટૂંપાવીને બેઠી છું.
સૌની અપૂર્ણ પૂરી એ કરતો રહ્યો, અને;
ઈચ્છા અધૂરી લઈને એ તારો ખરી ગયો.
ખૂબ રીબાઈ રીબાઈને મરે કોઈ વખત ;
શ્વાસને ઈચ્છા ઘણી વેળા ઘણી ઓછી પડે.
ના સમયનું કે ન દુનિયાનું રહે છે ભાન કંઈ;
એમ પાછી કંઈક ઈચ્છાઓ ફરી હરખાવ ને.
રહી ‘શ્વેતા’ની અંદર રક્ત બાળે, પોતે પણ પીડાય, પણ છોડે?
છે, ઈચ્છાય બેસબબ ખૂની છે મુશ્કેલી તો પડવાની.
રહે અજવાળું આખા ઘરમાં એ ઈચ્છા લઈ અંદર;
સતત સળગ્યા કરે ફાનસ કથા એની કહું, સાંભળ.
સતત મ્હોં ખુલ્લું ને ખાયે ડકારો પણ કરે ના તોય;
કદી ઈચ્છાઓ અગિયારસ, કથા એની કહું, સાંભળ.
છે જ સૌના પગમાં સાંકળ, પાંજરું પણ છે જ, છે ને?
કંઈ વખત ઈચ્છા છતાં બંધન બધાં સૌ તોડશે નહીં.
એ બાળહઠ માફક ચડે જિદ્દે અને માને જ નહિ ;
કોઈ ક્ષણિક ઈચ્છા કદી ક્ષણભર સમજતી યે નથી
ખર્યો છે પાંપણનો વાળ ઊંધી હથેળી પર એ મૂકુું ને ત્યારે;
બધી જ ઈચ્છાઓ બંધ આંખે તરત ટપોટપ ખરે તો કેવું?
ટપકતું રક્ત ને પીડા બાણશૈયા પર અઢારે દિ’તો કેવું થાય?
એ ઇચ્છામૃત્યુની ઈચ્છા પિતામહ ભીષ્મથી રોજે લડી હશે?
– શ્વેતા તલાટી
[8/10, 12:59 PM] A Nishant Mother.MeM.NOG: NOG SS 0092
પ્રકાર:- પદ્ય
વિષય:- મનોકામના
શિર્ષક:- પતંગિયું મનોકામનાનું
ક્યાં મનોકામના કદી સ્થિર રહે છે?
પતંગિયા સમી એ નિત ઉડાઉડ કરે છે.
મનમાંજ ઉગીને આથમતી રહે છે,
સતત મારા મનને પજવતી રહે છે.
સમય સાથે એ બદલાતી રહે છે,
ઉંમર પ્રમાણે લલચાવતી રહે છે.
ક્યારેક ધરાતલ પર મળી જાય છે ને,
ક્યારેક ઊંચા આકાશે મહાલતી રહે છે.
વિચારોના વિકાસ સાથેજ એણે જન્મ લીધો,
કદીક સ્વયંસ્ફૂરીત તો ક્દીક અન્યથી પ્રેરાતી રહે છે.
આસપાસના વાતાવરણમાંથી કદીક એ ફૂટે,
તો ક્દીક આંખોમાં ઊંઘની જેમ ઘેરાતી રહે છે.
ભરીને મનની છાબમાં રાખવાની કોશિષ કરું ત્યાં,
આશાઓના છેદમાંથી વેરાતી રહે છે.
દબાવી રાખું જો અંતરતમે તો,
સમય આવ્યે એ ઉભરાતી રહે છે.
ના કોઈનીય એ પરિચિત, બહાર આવે એ કવચિત,
આવી ગઈ બહાર તો જંગલની આગ જેમ ફેલાતી રહે છે.
વસવું ગમે એને મારા હૈયે ને આંખે,
હોઠ પર જો આવી ગઈ તો એ નજરાતી રહે છે
શું નામ આપું એને?મનોકામના, એષણા કે સપનાં?
જુદા- જુદા અર્થ ધરી મનને મુંઝવતી રહે છે.
નાનું એને કદીય કંઈજ ગમતું નથી,
મોટાની પાછળ અવિરત ભાગતી રહે છે.
ક્દીક સવાર થઈ જાય જો મન પર,
ખાવા-પીવાને અને પહેરવા-ઓઢવાનેય બગાડતી રહે છે.
છવાઈ જાય જ્યારે એનું ઝનૂન અસ્તિત્વ પર,
રઢિયાળી રાતોમાંય એ જગાડતી રહે છે.
સાકાર થાય છે એ જ્યારે હકીકતમાં,
સાતમા આસમાને ઉડાડતી રહે છે.
તૂટે છે કદીક જ્યારે એ હૃદયમાં જ ત્યારે,
આજીવન આ હૃદયને બાળતી રહે છે.
છે એવી ચંચળ કે ફરી જીવી ઉઠે,
તન- મન- ધનને મારા સતત દોડાવતી રહે છે.
ના હોય એ તો જીવનનો શું અર્થ?
એની કિંમત પળે- પળે બતાવતી રહે છે.
-અલકા નવિનચંદ્ર મહેતા
ગાંધીનગર
૧૦/૦૮/૨૨.
[8/10, 4:10 PM] Babu Sangada.પત્રકાર: NOG:-109
શિર્ષક:-મનોકામના /બાબુ સંગાડા”મહેક”
પ્રકાર:-પધ
(અછાંદશ)
માણસ જુવો ,
કેવો બની ગયો?
કાલ તો સમય નો’તો,
આજ ઢોલક ,સિતાર લઈ બેસી ગયો,
મંદિરના ઓટલે,
જયાં રોજ પુજારી બેસતો.
સડસડાટ દોડતો,
કયારેક ઉડતો,
આજ પ્રેમ જાગ્યો,
નક્કી સ્વાર્થ ઉબર્યો હશે,
નહી તો ના બેસે.
આને નુકશાન થયુ હશે,
કાતો કૈક લૂટાયું હશે,
કાતો કૈક આવતું હશે,
એટલે તો ટીલા ટપકા કરી,
આખો ભભૂતિ લાગાવી શંકર બની,
મનોકામના પૂર્ણ કરવા જો ખરો,
આબરું નેવે મૂકી દીધી.
રોજ આબરું શરમ આવતી,
ધરતીંગ કરતો માણસ,
ભગવાનના નામ પર ઊતરી ગયો,
અઘોર તપસ્વીના રૂપે.
[8/11, 10:20 AM] R S. Vyas.MEM: NOG SS 0112
પ્રકાર : પદ્ય
વિષય : મનોકામના
શીર્ષક : પ્રભુ આટલુ આપજે
છે મનોકામના એટલી, સુખ શાંતિ આપજે,
વધી જાય ગતિ દોડની, તો લગામ રાખજે.
ચાલુ નિતીના પંથે, અનિતી આવે તો રોકજે,
હાથ ટૂંકો થાય દાન પૂણ્યમાં, તો પણ તું ટોકજે
કરી ન શકુ સારુ કોઇનુ,તો બુરાઇથી તો રોકજે,
કામ ધંધો અને કર્મ પણ, નેક હોય એજ આપજે.
દર્દ સહી હમદર્દી બનુ, પરોપકારી બનાવજે
પ્રભુ ભજન નિત્ય કરુ, એવા સદ્દગુણ આપજે
સતા, સંપત્તિ ઓછીને, સંસ્કૃતિ વધુ આપજે
‘રાજ ‘નુ જીવન નિરાળુ બને,એવી કૃપા રાખજે
રાજેશભાઇ એસ વ્યાસ “રાજ”
ધ્રુવનગર,,,,, મોરબી
[8/11, 12:21 PM] Muktida Oza.MeM: Nogss-106.
NOG-સાહિત્ય સરિતા-ગ્રુપ
વિષય:-મનોકામના
શીર્ષક:-“ઓરતાનો થેલો”
પ્રકાર :-પદ્ય
——————x—-
આ લો !!
મેં,થેલામાં રાખ્યા છે જિંદગીના ઓરતા..!!
ને થેલામાં
શમણાંઓ સારાં.
ખભ્ભે ઊપાડીને ભાગતો’તો
ત્યાં જ.
અટક્યાં અરમાન ચિંતાના.
લો બોલો..!
થેલામાં નાંખી,
ખભ્ભે ઊપાડી,
શમણાં’ને જિંદગીનાઓરતા. દોડતો દોડતો હું!
થેલામાં રાખ્યા’તા ઓરતા..
ને ઓરતાથી ગૂંથી મનોકામના…
મુક્તિદા કુમાર
‘મનચલી’
*
[8/11, 11:56 PM] Maya Desai.Bombay.MeM.NOG: *NOG SS NO.0081*
*પ્રકાર:પદ્ય*
*વિષય: મનોકામના*
*શીર્ષક : અનાવિલ મન*
મન એ તો સાગર જેવું, કદીયે નવ ધરાય,
સરિતા હોય છલકતી, ઉભરાતી તોય એમાં સમાય.
મનની કામના અસીમ, ચાહે સૌ સુખ સદા,
કોઈ ચાહે ધન,દોલત કોઈનું મન ચાહે હૂંફ,માયા.
મન કોઈનું ઉડવા ચાહે, કરવા મથે આભ પોતીકું,
કોઈ નવ ચાહે આ સૌ નશ્વર,ચાહે જણસ ઈશ શરણની.
મનની કામના અપાર, એક જણની અનેક એ તો,
સ્વ સાથે પર નું વિચારે, વતન માટે અર્પે પ્રાણ એ સૌ.
મનને ચકાસતાં રહીએ,કામના એની રહે કામ રહિત,
ચાહે નવ એ કદી બૂરું, મનથી રહે એ સદા અનાવિલ.
અનાવિલ= સ્વચ્છ
#©️ માયા દેસાઈ
મુંબઈ ભારત.
[8/12, 1:33 AM] Pravina Kadakiya.MeM NOG Houston: NOG SSN 0089
વિષય મનોકામના
શીર્ષક ઉડાન
ગદ્ય
—
મન શરીરનું કોઈ અંગ નથી. તેનું સામ્રાજ્ય અત્ર તત્ર સર્વત્ર છે. તેમાં શંકાને સ્થાન નથી.
મનને પાંખ નથી પણ ઉડી શકે છે. તેને આંખ નથી પણ નિહાળે છે. એ મન કામના કરવામાં પણ પાવરધું છે.
મન, કામના ફળીભૂત કરવા તનતોડ પ્રયત્ન પણ કરે છે. મન કામના ન કરે તો નવાઈ લાગે. મનના અતલ ઊંડાણમાંથી માનવ કુબેરનો ખજાનો મેળવવા સમર્થ છે.
બાળપણમાં ડોકટર બનવાની કામના સેવી હતી. ઉંમર સાથે તીવ્રતા તેજ બની. સંજોગોને કારણે ન બની શકી તો સમજૂતી કરી.
સંસારમાં રહી બંને બાળકો દ્વારા એ કામના હકીકતમાં પરિણમી.
આપણે સહુ જાણીએ છીએ મન ચંચળ છે. બીજું પાસુ નિરખીએ તો મન મક્કમ પણ છે. આ જગે કશું અશક્ય નથી. બસ અવિરત પ્રયાસ જારી રહેવા જોઈએ. મનને નાથવાનો પ્રયત્ન સતત
ચાલુ રહે તે જરુરી છે.
૨૦ વર્ષ પહેલાં કૃષ્ણ ભગવાન પર ચાર રાસ લખ્યા હતાં. મનેકામના હતી તેને કોઈ સારા ગાયક પાસે ગવડાવી લય બદ્ધ કરાવવા.આજે એ કામના હકીકત બની.
મિત્રો મન અને કામના સિક્કાની બે બાજુ છે. સિક્કાની બાજુ ફેરવતા સમય જરુર લાગે , ફરે ત્યારે આખું દ્રશ્ય આહ્લાદક બની જાય.
મનને આધિન ન થવું. મનને નાથવું . જુઓ જીવનમાં મેઘધનુના રંગ નિખારશે. મનોકામના પર વિજય એ જીવન જીવવા જેવું બનાવે છે. એક જીવન જીવવાનું છે, ભરપૂર જીવો .
[8/12, 9:23 AM] Mina Mangroliya.MeM.NOG: NOG.SS.NO:- 0032
વિષય:- મનોકામના
શીર્ષક:- *રાધાની ખુશી*
“તારો હાથ અને હું
મારો સાથ અને તું
સદા બહાર”
રાધા આજ ખૂબજ ખુશ હતી એની *મનોકામના* પૂરી થતી દેખાતી હતી…
નાના ગામડામાં ભણેલી દીકરી ગોરેવાન
સુશીલ અને મહેનતુ.સારા ઘરનું માંગું
આવ્યુ હતું રાધા માટે. આજે જાણે
સોનાનો સૂરજ ઉગ્યો હતો.મનમાં ફૂલી
સમાતી નહોતી.
અમદાવાદથી રવિકુમાર પટેલ જેની
PSI માં જોબ હતી. એક મેળાવડામાં
રાધાને જોઈ હતી ત્યારથી એના મગજ પર છવાયેલી હતી.તપાસ કરતાં જાણવાં મળ્યુ કે નાના એવા ગામની દિકરી છે .પણ સંસ્કારી અને ગુણીયલ છે.
અચાનક મુલાકાત ગોઠવાઈ અને એકબીજા ને
ગમી ગયું. સગાઈનો દિવસ નકકી થયો અને
એ દિવસ આવી પહોંચ્યો. જે દિવસની રાધા
મીટ માંડીને બેઠી હતી. શુભમુહર્તનો સમય થયો
અને રવિકુમારે, રાધાના મેંદીવાળા હાથની આંગળી એ સગાઇની વીંટી પહેરાવી.
રાધા એ રાતે જાણે વિચારોમાં સૂઈ ના શકી
ક્યારેય મોટા શહેરમાં વહુ બની જવાનું થશે
એવું સપને પણ વિચાર્યું નહોતુ.આજ પણ જાણે સપનું લાગતુ હતું કે રવિ એ એની આંગળીમાં વીંટી પહેરાવી છે કે પછી….?
રાધા મનમાને મનમાં ગણગણી ઉઠી.
“તારો એ હાથ માંગું છું…
જિંદગીભરનો સાથ માંગું છુ.
સપનામાં સંગાથ માંગું છુ…
આજની ઘડી એ તારો સંવાદ માંગું છુ.”
મીના માંગરોલીયા. મીનુ
અમદાવાદ
10/8 /2022
[8/12, 4:35 PM] meghna.MeM: NOG SS NO : 117
વિષય : મનોકામના
‘ ઈચ્છાઓની દફનવિધિ ‘
સાંજના છ વાગ્યાનો સમય હતો.અમદાવાદના ભીડભાડ વાળા રસ્તાઓ અને ટ્રાફિકથી બચીને સંજના બગીચા માં આંટો મારવા આવી.તે થોડી વાર આંટો મારીને થાક ખાવા ત્યાંના બાંકડે જઈને બેઠી.અને કંઇક વિચારોમાં ખોવાઈ ગઈ.એટલી તલ્લીન થઈ ગઈ કે,સાત ક્યાં વાગી ગયા તેની તેને ખબર જ ન રહી.ત્યાં બગીચામાં રોજ આવતા ભદ્રાબાએ સંજનાને જોઈ.તેને આટલી વિચારમગ્ન જોઈને તેની પાસે ગયા અને બોલ્યા,
“બેટા,ક્યાં આટલી ખોવાઈ છે ? ક્યારની સામે બેઠી બેઠી તને જોઈ રહી છું.આટલું તો શું વિચારે છે ?”
“તમે ? હું તો તમને નથી ઓળખતી.”
“હું ભદ્રા. અહી રોજ સાંજે ચાલવા આવું છું.તને આજે જ જોઈ.અને આટલી વિચારમગ્ન હતી એટલે પૂછવાનું મન થયું.કંઈ પરેશાની હોઇ તો જણાવી શકે છે.”
“હમ;બેસો.”
“શું થયું ?”
“સમજાતું નથી કે શું કરું ?સાસુ – સસરાની,બાળકોની, પતિની, ઓફીસ માં બોસ ની, દરેક ની મારા પ્રત્યે ઇચ્છાઓ કંઇક અલગ અલગ જ છે.બધા ઈચ્છે છે કે હું દરેકની ઈચ્છા પુરી કરું.બને એટલો બધો જ પ્રયત્ન કરું છું પણ, કોઈકની ને કોઈકની ઈચ્છા અધૂરું રહી જ જાય છે.અને અંતે તેમના દિલ દુભાવી બેસુ છું.દરેકની ઈચ્છા પૂરી કરવામાંને કરવામાં દિવસ ક્યાં પસાર થઈ જાય છે એની ખબર જ નથી રહેતી.અને મારી ઈચ્છાઓને પુરી કરવાનો તો દૂર દૂર સુધી કોઈ અવકાશ જ નથી રહેતો.”
(ભદ્રા બા હસી પડે છે.)
“આનું નામ જ સંસાર છે.દરેકની ઇચ્છાઓ અને મનોકામના પુરી કરવામાં જ આપણી સ્ત્રીઓની ઝીંદગી પસાર થઈ જાય છે.પોતાની ઈચ્છાઓને તો એ હર એક દિન દફન કરતી આવી છે.ક્યારેક પોતાને ભાવતું બનાવવું હોઈ,અને ઘરના કોઈએ બીજી વસ્તુ બનાવવા કહ્યું તો પોતાની ભાવતી વસ્તુની ઈચ્છાને ભૂલીને એમનું ભાવતું બનાવશે. ક્યારેક પોતાને સહેલી સાથે જવાનું હોઈ અને અચાનક કોઈક મહેમાન આવી જાય તો જવાનું કેન્સલ. પરિવાર અને સંબંધોને સાચવવા ન ગમતું કામ પણ કરવું પડે છે.અને એમાં આપણી ઈચ્છાઓ તો વરસાદના પાણીની માફક હૃદયના ભુગર્ભ માં સમાઈ જતી હોઈ છે.આ કોઈ એક સ્ત્રીની નહિ પરંતુ દરેક સ્ત્રીની હકીકત છે.”
“હું પણ સમજી શકું છું. પણ ક્યારેક આ બધામાંથી મુક્ત થવા માંગુ છું.”
“હા, મે પણ ઝીંદગીના ૬૫ વર્ષ આવી જ રીતે બધાની ઈચ્છાઓને પુરી કરવામાં વિતાવ્યા છે.પોતાની ઈચ્છા અને મનોકામના માટે એક ક્ષણ નો પણ સમય નથી કાઢ્યો.અને હવે રોજ અહીંયા શાંતિનો શ્વાસ લેવા આવું છું.”
(બંને એકબીજાની સામે જોઇને હસી પડે છે.)
– મેઘના કામદાર
અમદાવાદ.
[8/12, 4:52 PM] Nikhil Kinariwala.MeM: *NOG SS No* : *0110*
*પ્રકાર : ગદ્ય- *લઘુ વાર્તા*
*વિષય* : *મનોકામના*
*શબ્દો* : *૩૪૬*
*શીર્ષક* : *’રાંકનું રતન’*
*લેખકનું નામ* : *નિખિલ કિનારીવાળા (અમદાવાદ)*
રૂડો, ગામમાં મોચીનું કામ કરતો અને પોતાના કુટુંબનો નિર્વાહ ચલાવતો. રૂડો અને તેની પત્ની ભલી બંને સંતોષી જીવ. નાનકડા ગામમાં પોતાના કામમાંથી તેનું ગુજરાન ચાલી જતું. દેવનો દીધેલો એકનો એક દીકરો હરિ, શાળાએથી પાછો આવતાં જ પિતાને તેમના કામમાં મદદ કરવા જોડાઈ જતો. હરિ ભણવામાં ખૂબ તેજસ્વી હતો. નમ્ર અને વિવેકી પણ એટલો જ. ગામના લોકો હરિને ખૂબ પ્રેમ કરતા.
રૂડો અને ભલી વિચારતાં કે ભગવાને આટલો હોનહાર દીકરો આપ્યો છે, તેનું ભવિષ્ય બનાવવા માટે આપણે શું કરશું? આપણે તો આ બુટ જોડાથી આગળ દુનિયા જોઈ નથી. માતા-પિતા તરીકે તેમના મનમાં એક જ મનોકામના હતી કે હરિ મોટો થઈને ખૂબ મોટો અધિકારી બને, ખૂબ નામના મેળવે અને આ ગામનું ઉત્થાન કરે. તેના નામ પર પોતે ગર્વ કરી શકે.
શાળાના શિક્ષણ પછી પૈસાની તંગી હોવાથી ગામ લોકોએ મદદ કરીને હરિને શહેરની કોલેજમાં ભણવા મોકલ્યો. શિક્ષણમાં અવ્વલ નંબરે રહી સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા આઈ.એ.એસના પદ ઉપર નિમણૂંક મેળવી. આ સમાચાર સાંભળી રૂડો અને ભલી તો હર્ષના માર્યા ઘેલા થઈ ગયા. હરિ જ્યારે ગામમાં આવ્યો ત્યારે ગામલોકોએ એનું ઢોલ નગારા સાથે સ્વાગત અને બહુમાન કર્યું. રૂડા અને ભલી માટે આ બધું જાણે દિવાસ્વપ્ન હતું.
હરિ સૌપ્રથમ આવીને રૂડા અને ભલીને ભેટીને પગે લાગ્યો અને કહ્યું ‘બસ હવે તમારા સુખના દિવસો શરૂ. મને શહેરમાં ખૂબ મોટો બંગલો રહેવા માટે મળ્યો છે. હવે તમે બંને મારી સાથે ત્યાં રહેશો.’ રૂડા અને ભલીએ શહેરમાં આવવા ઘણી આનાકાની કરી કહ્યું ‘અમે ગામડાના મોચી માણસ. અમને વાત કરતા ન આવડે અને તું મોટો સાહેબ. તારી આજુબાજુ કેટલાય ભણેલા ગણેલા માણસો હોય. અમારી હાજરીથી તારી આબરૂ લજવાય. અમે અહીં ગામડામાં જ ઠીક છીએ.’ હરિએ એક જ જવાબ આપ્યો ‘મારા માતા-પિતા મારા પહેલા ભગવાન છે. તમે મને ઉછેર્યો, મને સંસ્કાર આપ્યા. હવે એ સંસ્કારને દિપાવવાનો સમય મારો છે. તમારે બંનેએ મારી સાથે જ રહેવાનું છે.’
જોતજોતામાં હરિ તેની તેજસ્વિતા,વિવેક અને નમ્રતાને કારણે લોકોમાં અને સરકારી માળખામાં ખૂબ પ્રિય થઈ ગયો. તેના ગામની તો તેણે કાયાપલટ કરી દીધી. શાળા, રસ્તાઓ, હોસ્પિટલ અને એવી કંઈક કેટલીય પ્રાથમિક સવલતો ગામમાં ઊભી થઈ ગઈ. ગામના લોકો હરિના કામથી ખુબ ખુશ હતા. રૂડો અને ભલી તો બે હાથ જોડીને પોતાની મનોકામના આટલી સારી રીતે પૂર્ણ કરવા માટે ઈશ્વરનો સદૈવ આભાર માની રહ્યા.
નિખિલ કિનારીવાળા, અમદાવાદ
૧૨ ઓગસ્ટ