GN_23-05-2022.
GN_24-05-2022.
[5/21, 8:57 PM] Ragini Shukla.MeM.NOG.Bombay: NOG SS No – 0050
વિષય – ભાગ્ય- અહોભાગ્ય
……………………………….. શ્વાસે શ્વાસે સ્મરણ કરું છું..!
એ મારું ભાગ્ય છે ..!
એને હું જીવતું રાખું છું..! જીવતાં જીવતાં એક ઘડી અડધી ઘડી સ્મરણ કરું પ્રભુનું..!
ભૂતકાળનાં હિસાબ છેકી નાખું..!
ક્યાંક સમયનું પૂર આવશેને વા ‘વંટોળ ભાગ્ય બદલાશે..! પ્રભુસ્મરણનાં મોજાની વચ્ચે તરી જાશું..!
હદ અનહદની સરહદ ભૂલી જઈશું..!
પ્રભુ તું કરજે કૃપાએ એવી.! એ મારી પરીક્ષા છે ને તારી પણ..?
મારા ભાગ્યને તું થકી બદલીશ..!
ઝંખના વગરની હું..!
તરસ તારીને હૃદય ધર્મથી સાર્થક કરીશ..!
જ્યારે ભાંગી પડું ત્યારે..! તારું ચક્ર ફેરવી દે છે..!
મારાં ખભા પર એક પ્રેમાળ સ્પર્શ કરી દેજો..!
ભાગ્યને બદલવા માટે..!
ઘણાં પ્રશ્નો પૂછવા મારે..!
હે પ્રભુ તને..!!
દેજે પૂછવાની પરવાનગી..!
વચન વાયદામાં બાંધું તને..!
ને બાંધવાની પરવાનગી દેજે..!
મારાં ભાગ્યને ..!
તેથી હું ભાગ્યશાળી બનું..! તારાં થકી હો કે પ્રભુ..!
રાગીની શુક્લ” રાગ”
[5/22, 11:45 AM] Jyotindra Maheta.MeM.NOG: NG/022
વિષય: ભાગ્ય-અહોભાગ્ય
પ્રકાર: ગદ્ય
શીર્ષક: સાચું સુખ
મોટી ફાંદવાળા સેવંતિલાલ શેઠે છગનના ઘરમાં પ્રવેશ કર્યો એવો જ છગન તેમની સામે આવીને ઊભો રહી ગયો અને સ્વાગત કરતાં કહ્યું, “આવો આવો શેઠ, અહોભાગ્ય મારાં કે તમે મારા આંગણે આવ્યા!” અને મનોમન કહ્યું, ‘જમવાના ટાઈમે આવ્યા છે અને ઘરનું અડધું અનાજ ઝાપટી જશે.’
સેવંતિલાલે છગન સામે જોયું અને કહ્યું, “આજે તો તને લાભ દેવો હતો એટલે તારા ઘરે આવ્યો છું. ભોજન તૈયાર છે? સમાચાર મળી ગયા હતા ને?”
છગને ચહેરા ઉપર નકલી સ્મિત ચડાવીને માથું હલાવ્યું અને તેમને આસન ગ્રહણ કરવા ઈશારો કર્યો. સેવંતિલાલ બેસી ગયા એટલે છગનભાર્યા સ્મિતા થાળી પીરસી ગઈ. છગનથી વિરુદ્ધ સ્મિતાના વદન ઉપર હ્રદયથી આવકારો જણાઈ આવતો હતો. તે જોઈને સેવંતિલાલની ભૂખ ઊઘડી અને તે ભોજન ઉપર ત્રાટક્યા. પુરીનો લોટ બે વાર બાંધવો પડ્યો, પણ સ્મિતાના સ્મિતમાં કોઈ ફરક ન પડ્યો.
તેમના ગયા પછી છગન બબડવા લાગ્યો, “જ્યારે પણ આવે છે, મહિનાનું અડધું રાશન પતાવી દે છે, એમ નહીં કે કોઈ રસોઈઓ બંધાવી લઈએ.”
સ્મિતાએ કહ્યું, “હવે એ એકલા રહે છે એટલે એવું રહેવાનું. છોકરાંઓ વિદેશમાં સ્થાયી થઈ ગયા છે. માણસ ઘરે બેસીને એકલો કેટલું ખાય!”
સેવંતિલાલ ગામના સૌથી ધનિક વ્યક્તિ, પણ સૌથી કંજૂસ. તેમની પત્નીના નિધન પછી તે એકલા પડી ગયા. તેથી રોજ સવારે કોઈકના ઘરે સમાચાર મોકલાવી દે કે બપોરે જમવા આવીશ. મોટાભાગનાં લોકોની મુસીબતમાં તેમણે ટેકો કરેલો એટલે કોઈ ના ન કહી શકતું. તે કોઈકના ઘરે સાવ ઓછું જમતા તો કોઈકના ઘરે એકદમ પેટ ભરીને. તેની પાછળ શું રહસ્ય હતું તે કોઈ સમજી ન શક્યું.
એક દિવસ નવ પરિવારને સેવંતિલાલના ઘરેથી કહેણ આવ્યું. મરણપથારીએ પડેલા સેવંતિલાલે બધાંને કહ્યું, “મેં આખી જિંદગી કંજૂસી કરીને પૈસા ભેગા કરવામાં ગુજારી, પણ પત્ની પરલોક સિધાવી અને છોકરાંઓ વિદેશ જતાં રહ્યાં ત્યારે જાણ્યું કે સાચી મૂડી તો પ્રેમ છે જે હું ભેગી જ ન કરી શક્યો. હું મારી સંપત્તિના દસ હિસ્સા કરું છું અને નવ તમારા પરિવારોમાં આપું છું અને દસમો હિસ્સો સદાવ્રત ચલાવવા માટે જેને દીકરી સમી સ્મિતા ચલાવશે. તે માતા અન્નપૂર્ણાનો અવતાર છે. હું ભાગ્યશાળી છું કે મને તેના હાથે બનાવેલા ભોજનને માણવાનો મોકો મળ્યો. સાચું સુખ પૈસામાં નહીં, પરિવારમાં છે.”
જ્યોતિન્દ્ર દિનેશચંદ્ર મહેતા, પાલઘર
NOG ss – 0063
વિષય – ભાગ્ય-અહોભાગ્ય
વિભાગ – ગદ્ય
પ્રકાર – લઘુકથા
શીર્ષક – ‘એ ગલી!’
કૉલેજ જાવાના રસ્તામાં આવતાં અત્યાધુનિક બંગલાઓ અને શોરૂમ વચ્ચે પડતો એક સાંકડો ખાંચો વિશાલને કંઇક વિચિત્ર અનુભુતિ કરાવતો. એક દિવસ હિંમત કરી એ અંદર ગયો. ત્યાંની ગંદકી જોઈ એ હચમચી ગયો. એને ઉબકો આવી ગયો. એ દોડીને બહાર આવી ગયો.
ઓહ, આટલી સુંદરતાની પાછળ આવી ગંદકી! કીડામંકોડાની જેમ ખદબદતા આટલાં બધાં બાળકો કોનાં હશે? કેમકે, કોઇનું માબાપ તો ત્યાં દેખાતું જ નહોતું!
અનેક વિચારો પછી એ ફરી એકવાર એ ગલીમાં પ્રવેશ્યો.
આશ્ચર્ય! બધાંય બાળકો, લગભગ વીસપચ્ચીસ હશે. એક કતારમાં ઊભાં રહી કસરત કરતાં હતાં. એક જીર્ણશીર્ણ વૃધ્ધ, એ બધાને બોખા મોઢે કમાંડ આપતાં હતાં.
‘હું અહીં, આ નાલીમાં જ કોઈકને મળ્યો હતો. એણે મને બચાવ્યો. જન્મદાતાની તમામ ફરજો નીભાવી, દુનિયામાં જીવવા યોગ્ય બનાવ્યો. મારાં અહોભાગ્યે મને જીવનદાતા મળ્યો હતો. હવે, એ ફરજ આ બાળકો માટે હું નિભાવું છું. એટલો ખમતીધર નથી કે, આ લોકોને અધધ સગવડતા આપી શકું. પરંતુ હા,આગલી હરોળની ઝાકઝમાળનાં પરિણામોને જીવતદાન આપી સમાજમાં જીવવાના યોગ્ય સંસ્કાર આપી મને બચાવનારનુ ઋણ અદા કરું છું.’ વૃદ્ધની વાત સાંભળી વિશાલ એનાં પગમાં પડી ગયો.
કૉલેજ અને ત્રીસ વર્ષની કારકિર્દીમાં આજે પહેલીવાર વિશાલે વૈશાલીને એક સમારંભમાં આવવાનો વિશેષ આગ્રહ કર્યો.
વૈશાલીએ આશ્ચર્યથી પૂછ્યું, ‘આપણે અનેક કાર્યક્રમોમાં જાઈએ છીએ, એવું તો શું વિશેષ છે? તમારું વર્તન કેમ કંઈક જુદું લાગે છે?’
વિશાલ અચકાતા બોલ્યો,’વૈશાલી, આજે હું તને મારાં એક એવાં પરિવારને મળવા લઈ જાઉં છું કે જેનું મહત્વ મને મારાં આ પરિવાર એટલેકે તારાં અને વિશાખ જેટલું જ છે.
હું ફક્ત સો રૂપિયા કમાતો હતો, ત્યારથી લઈ આજ સુધી મેં મારી કમાણીનો વીસ ટકા હિસ્સો તારી જાણ બહાર એ પરિવારને પાંખો આપવામાં વાપર્યો છે.’
સાડાસાતસો માણસોએ એક સાથે તાળીઓના ગડગડાટથી વિશાલપપ્પાનું સ્વાગત કર્યું.
ગાડીમાં પાછાં ફરતી વખતે વૈશાલી ચોધાર આંસુએ રડતાં રડતાં, ‘વિશાલ, તું કેટલો ભાગ્યશાળી કે, તને ભગવાને કોઈકની ભૂલ કે મજબુરીને નવજીવન આપવાનો નિમિત્ત બનાવ્યો.’
✍️ – રીટા ભાયાણી.
GN_22-05-2022.