[5/20, 10:00 PM] Bhavana R.MeM: NOG SS NO.111
વિષય: ભાગ્ય- અહોભાગ્ય
વિભાગ: ગદ્ય
શીર્ષક: આપણે જ આપણાં ભાગ્ય વિધાતા
ભાગ્ય એટલે સામાન્ય રીતે જીવનમાં જે સારી,નરસી ઘટના બને તેને પોતાના ભાગ્યમાં તે જ હતું, તેમ સ્વીકારી લેવામાં આવે છે. ભાગ્ય અને અહોભાગ્ય વચ્ચે પાતળી રેખા છે.જેને સમજવા પારખુ દ્રષ્ટિ હોવી જરૂરી છે.
એક પ્રશ્ન થાય કે શું હથેળીની રેખાઓ આપણું ભાગ્ય બનાવે છે જેને લઈને આપણે જન્મ્યાં છીએ? કે આપણે શ્રદ્ધા સાથે જે મહેનત કરીએ અને હાંસિલ કરીએ તે આપણું સાચું ભાગ્ય છે! જીવન એટલે વિચારીએ તો ઘટનાઓની ગૂંથણી જ છે.કયારેક આપણને આનંદ થાય અને ક્યારેક મન કચવાય ,તેમ ઘટમાળ ચાલતી જ રહે છે. માનવ મન ખરેખર તો મરકટ જેવું છે.પોતાને ગમતું કે ઈચ્છેલું થાય એટલે વાહ, મારા કેવાં સારાં ભાગ્ય કે આમ થયું! તેમાં પણ ખૂબજ ઈચ્છેલું કે બધાં વખાણે તેવું કાંઈક બને તો અહોભાગ્ય!
જીવનનાં દરેક તબક્કે આપણાં ભાગ્ય કે અહોભાગ્યને લગતું પ્રાધાન્ય જૂદું જૂદું હોયછે. વિદ્યાર્થીજીવનમાં સારા ગુણાંક સાથે ઉતીર્ણ થવું, યુવાનીમાં સારું ઘર, કારકિર્દી, મનપસંદ સાથી મળવો, સુંદર બાળકો હોવાં, સારાં પ્રસંગો પાર પાડવા, તે બધાં ભાગ્યશાળી ગણાય છે.જૂજ ઘટનાઓ ન એવી ઉત્તમ પણ હોય.મોટાભાગની સારી ઘટનાઓ, મનપસંદ ચીજો કે પ્રસંગો ખુશી આપી જાય અને સાથે જીવન સરળતાથી પસાર થાય તે અહોભાગ્ય.
મારા મતે તો જીવનમાં ચડાવ-ઉતાર સાથે સમાધાન કરી વ્યક્તિત્વનું ઘડતર જ અગત્યનું છે . તે જ ભાગ્ય અને ઉત્તરોત્તર તેમાં વિકાસ તે અહોભાગ્ય છે. જીવનમાં પ્રેમાળ વાતાવરણ, વ્યવહાર, સંસ્કાર, સફળતા અને આત્મવિશ્વાસ સાથે ગૌરવપૂર્વક જીવવું એ જ અહોભાગ્ય ગણાય. માલ -મિલકત, મોભો એ ભાગ્ય છે પણ સુખ- શાંતિ, આત્મવિશ્વાસ, નિષ્ઠા, આત્મસંતોષ, આદર , શાખ હોવી એ આપણાં અહોભાગ્ય છે.
મિત્રો , તમે આ સાથે સંમત છો ને! જીવનમાં આપણને જે પ્રાપ્ત થાય તેને પ્રભુપ્રસાદી , કર્મનાં ફળ માની એનો માનપૂર્વક સ્વીકાર કરવો અને સહજતાથી જીવન જીવવાનો આનંદ ઉઠાવવો એને જ આપણાં ભાગ્ય- અહોભાગ્ય ગણી શકાય.
✍️ ભાવના આચાર્ય દેસાઈ ‘ભાવુ’
૨૦/૦૫/૨૦૨૨
[5/20, 11:32 PM] Maya Desai.Bombay.MeM.NOG: NOG SS NO.0081
પ્રકાર : પદ્ય
વિષય : ભાગ્ય , અહોભાગ્ય
શીર્ષક :ભાગ્ય છે બળવાન
ભાગ્ય છે બળવાન તેથી ભારત દેશે જન્મ્યા,
જે દેશનાં બળુકા છે સંસ્કાર એ વાત ન મિથ્યા.
ભાગ્ય રેખાએ આપ્યો સાથ તેથી હું ભારતીય,
એની કદર તવ થાય જ્યારે થાઉં પરદેશે પ્રવાસી.
હજારો વર્ષોથી થતાં અહીં હવન ,જપ,તપ,
એ તપોબળે કરી અહીંની ધરા ઝળહળ.
ભાગ્યે જ મળ્યાં અનેરા સ્વજનો, સ્નેહી સૌ,
એકમેકને સૌએ લીધાં સાચવી, રહે પ્રેમ વહેતો નિરંતર.
મિત્રો સ્નેહીઓ એક એકથી ચડિયાતા,
ભાગ્યે જ દીધાં આ સમસ્ત પ્રેમથી ઉભરાતાં.
ભાગ્યને વંદુ ,ઈશનો પાડ માનું, આપ્યું સકળ સુખ,
અહોભાગ્ય માનું તનયાઓએ પતિ સંગ દીપાવ્યું ઘડપણ.
#©️ માયા દેસાઈ
મુંબઈ ભારત.
[5/21, 7:41 AM] Vibhitiben Desai: NOGSS/0044
વિષય:- ભાગ્ય અહોભાગ્ય
પ્રકાર:- ગદ્ય
શબ્દો:- ૨૦૭
શીર્ષક:- વિધાતાના લેખ
નામ:- વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
એવું કહેવાય કે, બાળક જન્મે એનાં છઠ્ઠે દિવસે વિધાતા ભાગ્યના લેખ લખે. શું લખ્યું એ માત્ર વિધાતા જ જાણે.
જેમ માવતર નિજના સંતાનનું સારું જ ઈચ્છે એમ વિધાતા પણ બધાનું સારું જ ઈચ્છે ને! છતાં પણ કોઈને રહેવા મહેલ, જમવા પકવાન અને કોઈને રહેવા ફૂટપાથ પણ નહીં, ભૂખ્યા પણ સુવું પડે આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે કહેવાય કે જેવાં જેનાં ભાગ્ય.
કર્મ કર્યા પછી પણ ઈચ્છીત ફળ ન મળે તો કહેવાય ભાગ્યમાં નહીં હોય. ખરેખર તો ભાગ્યની સાથે પુરુષાર્થ પણ હોવો જોઈએ, એટલે જ ભાગ્યના ભરોસે બેસી ન રહેતાં પુરુષાર્થ કરવો જરૂરી. વિધાતાએ ભાગ્યમાં,પુરુષાર્થ કરશો તો જ ભાગ્ય ફળશે એવું લખ્યું હોય અને આપણે ભાગ્યમાં હશે તો મળશે કરીને હાથ પગ જોડીને બેસી રહીએ તો ભાગ્ય ક્યાંથી ફળે!
જિંદગીમાં એટલે જ પુરુષાર્થનું મહત્વ વધારે છે. પુરુષાર્થ કરવા છતાં પણ સફળતા ન મળે તો કહેવાય ભાગ્યમાં ન હોય, પરંતુ આપણે એવું નથી વિચારતા કે બની શકે મહેનત ઓછી પડી હોય , વધારે
મહેનતની જરૂર છે. કદાચ આપણાં પ્રયત્નો સાચી દિશામાં ન હોય.
આપણે એવું પણ વિચારી શકીએ કે, આપણી ધારણા કરતાં વિધાતાએ આપણાં માટે વધારે સારું વિચારેલું હશે, આનાથી પણ ઉત્તમ ફળ ભાગ્યમાં હશે, તો ચાલો, સાચી દિશામાં વધારે મહેનત કરીએ. ભાગ્યને દોષ દેતા બેસી રહેવાનો શો અર્થ?.
©વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
[5/21, 5:32 PM] Pradip: NOG SS No : 0001
પ્રકાર : ગદ્ય
વિષય : ભાગ્ય – અહોભાગ્ય
શિર્ષક : દીકરો ભાગ્ય – દીકરી અહોભાગ્ય
આપણે સૌ જાણીએ છીએ કે ઘરની પુત્રવધુ ને પહેલા ખોળે દીકરો અવતરે તો એ સમગ્ર પરિવાર માટે જાણે અહોભાગ્ય છે, અને દીકરી અવતરી હોય તો ભાગ્યમાં લખ્યું હતું ને આવ્યું એમ કહેવાય છે ! ભગવાને પુત્રો અને પુત્રીઓને એક જેવા જ બનાવ્યા છે. છતાં પણ ઘરમાં પુત્રનો જન્મ થાય તો જાણે વાતાવરણ તહેવારનું બની જાય છે, અને જો પુત્રીના જન્મ ની ખબર મળે તો જાણે આખા ઘરવાળા પર વીજળી પડી હોય એવું વાતાવરણ છવાઇ જાય છે .
કહેવા ખાતર આપણે પુત્રીઓને ઘરની લક્ષ્મી માનીએ છીએ, અને ઘરના બધા શુભ કામ એના હાથે જ કરાવીએ છીએ . છતાં પણ આપણા વિચારમાં એટલો મોટો ફરક કેમ આવી જાય છે, એવું કેમ નથી સમજતા કે દીકરીને જન્મ દેનારી માતા પણ કોઈની તો પુત્રી જ છે . એ પણ તેનાં માતાપિતાની લાડલી જ હશે . પોતાના ઘરસંસારને છોડીને પતિનો ઘર સંસાર માંડી ને એના પરિવારને સ્વર્ગ બનાવવા એ ઘરમાં આવે છે . અને એ પરિવારને સ્વર્ગ સમાન બનાવી સૌને એક તાંતણે જોડીને રાખે છે . તો શું એ આ પરિવારનું અહોભાગ્ય ના કહેવાય ?..દીકરી દૂધપીતી,દીકરીને વધારે ભણાવવી નહીં,ઘરની બહાર બહુ ના કઢાય..ઘરના કામ, મહેણા – ટોણા,
આજના સમયમાં ભણેલો-ગણેલો સમાજ હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક તેમની મનોદશા કે એક વિચારધારા એવી જ છે કે એમનો વંશ ફક્ત એમનો પુત્ર ચલાવી શકે છે . આપણે વૃદ્ધ થઈશું ત્યારે ઘર-પરિવારની જવાબદારી મિલકત ની જવાબદારી માત્ર પુત્ર જ સંભાળી શકે છે અને આ વિચારધારાને અનુસરીને જીવનાર માતા-પિતા પહેલા ખોળે દીકરો અવતરવા બદલ પોતાનું અહોભાગ્ય માને છે. પણ આગળ જતા ખરેખર એ માતા-પિતા ભાગ્યશાળી બની શકે છે ? મોટે ભાગે ના !
જ્યારે પુત્રીઓને પરાયું ધન ગણતા હોવા છતાં પણ જીવનના તપતા તડકામાં પણ માતા-પિતા માટે ઠંડા ચાંદની જેમ એમના સુખ-દુઃખમાં સાથ નીભાવતી રહે છે.પોતાના ગૃહસ્થ જીવનમાં કેટલો પણ તણાવ કેમ ન હોય ? પરંતુ માતા-પિતાને પોતાની દરેક ચિંતાથી દૂર રાખીને એક મજબૂત ઢાલ બનીને દરેક પરિસ્થિતિ, પરેશાનીને પોતાના મધુર સ્મિત અને શાંત વ્યવહારથી સહન કરી લે છે . કેટલાક લોકોનું માનવું છે કે પુત્ર તો ઘરનો ચિરાગ હોય છે ત્યારે એવા લોકોની માનસિકતા પર દયા આવે છે તેમને સમજાવીને કહેવું પડે છે પુત્ર તો ફક્ત એક જ ઘરનો ચિરાગ હોય છે. જ્યારે પુત્રી હોય તો બે ઘરને રોશન કરે છે. ભગવાન પણ પુત્રીઓની ભેટ એમને જ આપે છે જેમના ઉપર એમની અસીમ કૃપા હોય છે. ધાર્મિક ગ્રંથોમાં પણ લખેલું છે કે જે ઘરમાં નારીની પૂજા થાય છે દેવતાઓનો પણ ત્યાં વાસ હોય છે.
માટે જ એક વાત છેલ્લે કહેવી જરૂરી લાગે છે કે દીકરો ભાગ્ય થી મળે છે, પણ દીકરીનો જન્મ એતો અહોભાગ્ય લઈને આવે છે .એ હંમેશા માતા-પિતા માટે પણ એક અહોભાગ્ય બનીને રહે છે. કેમકે દીકરી બે કુળને તારે છે .એવું અહોભાગ્ય કોનાં નસીબમાં હોય ??
સંચાલક : પ્રદીપ રાવલ