[8/27, 11:30 PM] Jayshree Patel. Sahityakar: *NOG SS NO:004*
*વિષયઃ અવાજ ને પડછાયો*
*પ્રકારઃ ગદ્ય*
*શીર્ષકઃ ઉપહાસ*
*શબ્દોઃ૨૯૯*
*ઉપહાસ*😌
સમુદ્રના ઘૂઘવતા અવાજ સાથેનાં એ મોજાં પણ તે વૃઘ્ઘાને કાંઈજ અસર નહોતા કરી રહ્યાં ,તે તેનાં કામમાં મગ્ન હતાં. આગળ ચાલતાં પાછળનાં પગલાં ભૂસી રહ્યાં હતાં. જાણે કોઈભારે યાદો ડંખી રહી હોય ને તેને ભૂલવાનો આ મિથ્યા પ્રયાસ હતો.કંઈક પૂછું તે પહેલાં વાંકાવળી પાછા કંઇક શોધી રહ્યાં હોય તેવો અસહ્ય રઘવાટ હતો.
પાસે જઈ પૂછવું હતું પણ પ્રતિક્રિયાનો ડર હતો,મારાં મનોમંથનનો એ કોઈ હિસ્સો ન હોય. હું શામાટે અહીં આવી હતી? ઘરેથીતો નીકળી હતી હૃદય પર પડેલા અવગણનાનાં ઉઝરડા વિસરવા ને ક્યાંક પાછા ઘા પરના પોપડા ઉખેડી એ લાલ રક્ત મારી મશ્કરી ન કરી બેશે ,બહુ શોખ હતો તને તો..? નીકળી પડી હતી તું તો પ્રભુ જોડે હોડ કરવા !
મૂર્ખ બની હવે શું ખારાં પાણીથી ઘા રૂઝવવા છે કે પગલાં પાછળનાં પડછાયા પણ લૂછી ઉપેક્ષાને ખોતરવી છે. સ્પષ્ટ દેખાતું હતું પડછાયો કહી રહ્યો હતો સૂરજ છે ત્યાં સુધી જ છું, પછી તો અંધકારમાં શોધ્યો નહિ મળું,
પણ ના ત્યા તો એક મોજું આવ્યું ને ફરી વળ્યું પગલાં પર ને એ ખાબોચિયામાં ઉપહાસરૂપ પાણી રહ્યું . વૃઘ્ઘા એ પાણીને જોઈ ઉભી રહી, થોડીવારમાં તરત જ પાછી વળી કંઈક ગણગણતી હતી . હું સ્પષ્ટ ન સાંભળી શકી પણ કંઈક આવું જ હતું ,”કંઈક કેટલુંય બાકી છે …પાછા જવું જ રહ્યું!”ને એ ઝડપથી પાછાં વળી ગયાં ,
ઘૂઘવાતો અવાજ મોજાંને તેનાં પગલાંમાં પાણી ભરાતાં જોવા પણ ન ઉભા રહ્યાં.
અસહ્ય વેદના હતી મારાં હૈયાનાં એક ખૂણાને તૂટતા રક્તનું એ ખાબોચિયું એ પગલાંમાં ભરાતાં પાણીમાં દેખાતું હતું .સમુદ્રના ધૂંધવાટનો અવાજ આજે કાનોમાં મશ્કરી કરતાં હાસ્ય સમાન વર્તાતો હતો.જગત ખારાં પાણીની બાષ્પ જેવું ખારું ભાસતું હતું .હું પણ સમુદ્રનું પાણી પગને સ્પર્શે એ પહેલા ત્યાંથી ઝડપથી
ચાલી નીકળી જેથી પગલાની છાપ નોખી ન તરે ને પાછળ ફરું તો પડછાયો ન દેખાય ને *ઊપહાસ* નો અવાજ થતો ન ભાસે.
*જયશ્રી પટેલ*
*૨૮/૮/૨૨*
[8/28, 3:58 AM] Bharat Sanghaani.MEM (Kaushik Shah): *NOG:SS:NO.:0101*
*વિષય : અવાજ ને પડછાયો*
*પ્રકાર: ગદ્ય*
*શબ્દ : ૩૩૪*
*શીર્ષક : અંતરનાદ*
કાળમીંઢ ખંડેરોની દીવાલો અનેક રહસ્યોને પોતાનામાં સમેટી પોઢી રહી છે. એમાં જડાયેલાં અવાજના કંપનોએ અનેક કાનને સતેજ કર્યા છે, સમ્રાટો, રાજ્ય સિંહાસનોને ડોલાવ્યા, નષ્ટ કર્યા છે.
સામાન્ય માણસને હમેંશા બીજાની વાતો જાણવામાં વિશેષ રસ હોય છે.દીવાલે કાન માંડીને સાંભળનાર માણસ અન્યના ખાનગીપણાના વિશેષાધિકારનો ભંગ કરે છે. કાનરૂપી ભૌતિક જ્ઞાનેન્દ્રિયનો વ્યાપાર જાગતિક સુખ દુઃખનો પડઘો છે. પ્રપંચ સંસારી રસના માયાવી આવરણોથી આચ્છાદિત છે.
આપણે કેળવવાના છે આધ્યાત્મિક કાન. અંત:કરણની દીવાલે કાન લગાડી આત્માના અવાજને સાંભળવાનો છે. ભીતરને ધમરોળવાનું છે. માણસ પોતાની અંદરના અવાજને સાંભળશે અનુસરસે ત્યારે એને સંસાર અસાર છે તેની સમજ આવશે.
ભૌતિક કાનેન્દ્રિયથી બીજાની વાતને સાંભળવાની આતુરતા હોઈ છે આઘ્યાત્મિક કાન પોતાના અવાજને સાંભળવા ઈચ્છે છે.
અંતરનો અવાજ સત્યમ શિવમ સુંદરમ ઈશ્વરનો અવાજ છે. પરિશુદ્ધ બુદ્ધિથી થતી અંત:પ્રેરણા અંત:કરણનો નાદ છે. પ્રત્યેક દિલમાં એ નાદ ઉઠે છે. પરંતુ એ સાંભળવાની શક્તિ પ્રત્યેક વ્યક્તિ પાસે હોતી નથી. આત્મશુદ્ધિના અવિરત પ્રયાસ પછી ‘અંતરનો મંદ અને શાંત અવાજ’ સંભળાય છે. તે અવાજ કહે છે તું સાચે રસ્તે છે.
ચેતનાની સ્થિતિ બદલાય ત્યારે અચેતનને કાન ફૂટે છે. ત્યારે અંત:સ્ફુરણા પ્રગટ થતી હોય છે.
માનવજીવન અનુભવોની ઘટમાળ છે. આપણને સતત સારી કે નરસી અનુભૂતિ થતી રહેતી હોય છે.
માણસ અંત:કરણનો, આત્મિક પવિત્રતાનો અવાજ સાંભળતો બંધ થઈ જાય ત્યારે વિવેક અને નૈતિકતા નષ્ટ પામે છે.
મનુષ્યનો આધ્યાત્મિક અવાજ સતેજ થઈ જાય છે ત્યારે મારું તારું નિવૃત્ત થઈ આપણું બની જાય છે. પ્રભુનેયે આપણાપણાની ભૂખ છે.
આપણી મતિ, રતિ, કૃતિ, ગતિની ગંદકીને પ્રભુના સમર્પણમાં મેળવવાથી એ ગટર ન રહેતાં બ્રહ્માત્મક બની જાય. જીવના ગુણદોષ બ્રહ્મમય બની જાય.
પછી આપણે કહી શકીએ પ્રભુ હું તારા સુખથી સુખી છું. આ અવ્યક્ત ચેતનાના કર્ણભેદી નાદની પરાકાષ્ઠાની અવસ્થા છે. ભગવદ સુખની ઇચ્છામાં ભક્ત પોતાની સર્વ ઈચ્છાઓને ભગવદ ઇચ્છામાં સમાવી દે છે, એના અવાન્તર ફ્લશ્રુતિરૂપે , આવા માણસની ઇચ્છામાંથી મદ કે મોહને જન્મવાનો અવકાશ જ રહેતો નથી.
અવ્યક્ત ચેતનાનું અંતઃકરણ જ્યારે પ્રભુનો અવાજ સાંભળવા માંડે છે ત્યારે તેના સત્વ, રજ અને તમ પ્રભુમાં ઓગળી જાય છે. જીવ ભગવદભાવ તરંગાવલીઓનો અખંડિત આસ્વાદ માણે છે.
સૂર્યમાંથી પ્રકટ થઈને પૃથ્વી જેમ સૂર્યની આસપાસ સ્નેહવશથી પરિભ્રમણ કરે છે, તેમ ભગવદીય જીવનું ચિત્ત સદા પ્રભુની આસપાસ બાહ્યાભ્યંતર પરિભ્રમણ કરે છે.
લેખક: ભરત સાંગાણી
[8/28, 8:33 AM] Jagdish Ranodara.MeM Shankheshwar: NOG – સાહિત્ય સરિતા
નંબર – ૦૧૨૦
શબ્દ : અવાજ પડછાયો
પ્રકાર : ગદ્ય
શિર્ષક : પડછાયો
*અજવાળામાં અવતરણ મારું, હું સાથ કદીયે નવ છોડું;*
*પડછાયા તરીકે સાથે રહીને, અતૂટ બંધનનો નાતો જોડું.*
છાયો પડતો હોય એ પડછાયો. પછી ભલે તે આપણો પોતાનો હોય કે પછી બીજા કોઈ પશુ – પક્ષી કે વૃક્ષ નો પણ પડછાયો હોઈ શકે. ધરતી પર કે પછી ઘરમાંઅજવાળા પથરાય પછી પડછાયા નું અવતરણ થાય છે.
પડછાયો આપણા જીવનનો સૌથી નજીક માં અને હંમેશા સાથે રહેનાર અવિભાજ્ય અંગ ગણાય છે. જ્યારે આપણે ઊંઘી જઈએ ત્યારે પણ તે આપણી પીઠ પાછળ સંતાઈ ને રહેતો હોય છે. પડછાયો સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આપણાથી બે ઘણો મોટો દેખાય છે. મધ્યાને નાનો ઠીંગણો વામણો દેખાતો હોય છે.
કોઈ એ પડછાયા ને પૂછ્યું કે તું અજવાળા માં જ કેમ દેખાય છે…! ત્યારે પડછાયા એ હળવેકથી સરસ જવાબ આપ્યો કે હું અંધારાથી કંઈ ડરતો નથી, પણ હું અંધારા ની મર્યાદા રાખું છું. જેથી એકબીજાની ક્ષમતાનો પરિચય થાય. જો હું અંધારામાં દેખાવું તો અજવાળું રિસાઈ જાય એટલે મારે અજવાળા સાથેનો નાતો અતૂટ છે. જ્યાં અજવાળું પથરાય ત્યાં મારું અવતરણ અવશ્ય થાય જ છે.
અજવાળા થી લોકજીવન ધબકતું થયું છે, અંધારું કોઈ ને પસંદ નથી.
પડછાયા ને અવાજ હોતો નથી, પરંતું તેની હયાતી જ અવાજ કહી શકાય…!
ડૉ જગદીશ કે રણોદરા (બંધવ)
વીસાવડી વરણોસરી શંખેશ્વર વાહેદપુરા.
[8/28, 1:38 PM] Dr.Rekha Kachoria.MeM.NOG: NOGSS NO. : 0034
શબ્દ : અવાજ અને પડછાયો
પ્રકાર : ગદ્ય [ વાર્તા ]
શીર્ષક : તેરા સાથ હૈ તો…
મનાલી દરિયા કિનારે ક્યારની સૂનમૂન બેઠી હતી.આથમતાં સૂરજને જોઈને તેની આંખો અશ્રુથી છલકાઈ ગઈ.શું પોતે પણ આમ આથમી જશે?ક્યાં સુધી તે પોતાની જાતને સમાજનાં ભૂખ્યા વરુઓથી બચાવી શકશે?ક્યારેક કોઈ સ્પર્શ કર્યા વિના પણ સ્ત્રીની આબરૂ સાથે ચેડાં કરતાં હોય છે.જોકે આજે તો સાહેબે બધી હદ પાર કરી દીધી હતી. ક્યાં સુધી તે સહન કરે?તેથી નોકરીને તેનાં મોં પર મારીને ગુસ્સામાં તેણી બહાર નીકળી ગઈ.
પહેલાં તે આવી નહોતી.તેને પણ સુખી પરિવાર હતો. તે,તેનો પતિ અને પરી જેવી સુંદર દીકરી.ખુશહાલ જીંદગી જીવતાં હતાં,પરંતુ ઈશ્વરને આ સુખી માળાની જાણે ઈર્ષા ન થઈ હોય એમ ક્રૂરતાથી એને વીંખી નાંખ્યો! એક ગોઝારા અકસ્માતમાં તેનો પતિ અને દીકરી મૃત્યુ પામ્યા. તે અભાગણી ઘરે હતી તેથી બચી ગઈ. પ્રેમલગ્ન કરેલાં તેથી ન પિયરનો આશરો હતો ન સાસરીનો ઓટલો!
પોતાનાં અસ્તિત્વને તેણે કાચબાની જેમ સંકોરી લીધું.આ મતલબી દુનિયામાં એકલી સ્ત્રીને જીવનનિર્વાહ કરવું કઠિન હતું.તેની સાથે કામ કરતો નિખિલ તેને ખૂબ મદદરૂપ થતો. સાચા મિત્રની જેમ,પડછાયો બનીને રહેતો.
આજે તે સાહેબની કેબિનમાંથી કાળકા સ્વરૂપે બહાર નીકળી, એને જોતાં જ નિખિલને મામલો સમજતાં વાર ન લાગી.તે તરત એની પાછળ દોડ્યો.
અવનિ પર અંધકારનાં ઓળાં ઉતરી રહ્યાં હતાં.મનાલીને ઘરે જવાની કોઈ ઉતાવળ નહોતી.ત્યાં વળી કોણ એની રાહ જોતું’તું! પરંતુ જો એણે પાછળ નજર કરી હોત તો નિખિલ રક્ષાકવચ બનીને ત્યાં ઉભો હતો.
અચાનક ત્યાં કેટલાંક આવારા તત્વો મનાલીને એકલી જોઈને લાળ ટપકાવતાં એની તરફ આવતાં હતાં, પણ તેનું ધ્યાન નહોતું. નિખિલ તરત જ દોડીને આવ્યો અને મનાલીને કહ્યું, ” ચાલ જલ્દી, અહીંથી ઉભી થા.” અચાનક નિખિલને જોઈને તે ચોંકી ગઈ.
પરિસ્થિતિ સમજતાં તેને વાર ન લાગી તે પણ આજ્ઞાંકિત બાળકની જેમ ઝડપથી ઊભી થઈ અને તેની સાથે ચાલવા લાગી.
ઘરે આવીને નિખિલે મનાલીને પ્રપોઝ કર્યું અને કહ્યું કે, “હું હંમેશા તારો પડછાયો બનીને તારી રક્ષા કરીશ.” તે તેનાં પ્રેમથી જીતાઈ ચૂકી હતી,ઈન્કારનો તો સવાલ જ નહોતો!
તેનાં મનમાં જ ગાયું કે,” તેરા સાથ હૈ તો મુઝે ક્યા કમી હૈ…
[8/28, 5:20 PM] Ragini Shukla.MeM.NOG.Bombay: NOG SS NO – 0050
વિષય – અવાજ અને પડછાયો
શીષૅક – પડછાયો મારી સંગ
……………………………….
પ્રકાશ જ્યારે અપારદર્શક વસ્તુ પર પડે ત્યારે,
પડછાયો ત્યાં જીવંત થાય છે…!
કદી પડછાયો કપાતો નથીને, કદી ખૂટતો નથી, કોઈને છોડતો નથી..!
ને ભૂસાતો પણ નથીને તૂટતો નથી..!
કોઈનો પડછાયો બની ક્યાં સુધી જીવીશું હું…!
અંધકાર થતાં ગાયબ થઈ જાય છે..!
સાચો સંગાથ તુંજ સંગ..!
તારાં વિના હું પણ પૂછું
ક્યાં દેખાય છે મને પણ..! મારાથી આગળને સાથે જ ચાલેછે…!
મારો ચહેરો મારો જ પડછાયો…!
હું જાન છું તો પડછાયો મારી આત્મા છે..!
મારો સાથી સથવારો કેવો કે સમી સાંજ થતાં ભાગમભાગી કરે..!
હું તો મારો જ પરમ મિત્ર..!
જન્મથી મરણ સુધી ખરી મિત્રતા રાખું…!
કરેલાં કર્મનાં ફળ રુપી રહે પડછાયો..!
આંખ સગીના કોઈ જોઈ શકે એવી અકળિત કાયા..!
આ ધરતી પર સર્જાય હળવે ઝાકળનાં ઝૂલતાં તૃળે સળવળે પડછાયો..!
તારાં જ તેજ મહી થી જીવન મળ્યું…!
ભલેને ભમું આગળ પાછળ પણ તારાં ચરણમાં જ રહું..! જ્યાં ઊભી રહું ત્યાં જ પથરાઈ જાઉં..!
મારાં કરતાં મારો પડછાયો વધુ નીડર છે…!
ઊંચે આકાશે ઉંડુ ત્યારે પડછાયો ગુમાવી બેસે પોતાનું અસ્તિત્વ…!
ને પડછાયો મારી સોડમાં આવીને નિરાંતે સુઈ જાય છે…!.
મરી જઈશ પછી પડછાયા નું શું થશે..?
રાગીની શુક્લ “રાગ”
મુંબઈ
[8/28, 5:46 PM] Neha Bagghariya.MeM.NOG: NOG no. 0064
વિષય : અવાજ
શીર્ષક : વેદના
તારી આંખોના અંગાર
વીંધી નાંખે છે મને.
એનાં દ્વારા પૂછવામાં આવતાં
સવાલો,
વ્યથિત કરી જાય છે મનને.
કરાયેલ શ્રૃંગાર પાછળ
છૂપાયેલી વેદના;
આંખનાં રસ્તે બહાર
આવતાં આવતાં,
મનમાં જ દફન થઈ જતી
દેખાય છે મને.
સંબંધોને પાલવની ગાંઠે બાંધી
સાચવવાની,
મથામણ વર્તાય છે મને.
ખોખલાં રિવાજોમાંથી
ઊગરી આવવાની તારી કોશિશ,
સમજાય છે મને.
પૌરુષ પ્રાધન્ય સમાજમાં
સ્થાન સ્થાપિત કરવાં મથી રહેલો,
અવાજ સંભળાય છે મને.
હું અબળા નહીં પણ અંબા છું,
એ જોમ તારી આંખોના અંગારમાં
સ્પષ્ટપણે વર્તાય છે મને!
નેહા બગથરીયા
[8/28, 6:44 PM] Pradip Raval: NOG SS No: 001
પ્રકાર : ગદ્ય
વિષય : અવાજ અને પડછાયો
શીર્ષક : પડછાયો
આજે હું ૫૬ વર્ષનો થયો…ક્યારેક વિમાસણ માં હોઉ,દ્વિધા અનુભવતો હોય,કોઈ આરો દૂર દૂર સુધી નજરે ના જડતો હોય અને આમ તેમ ફાંફાં મારું અને એવામાં પણ જો ધોમ ધખતા સૂરજ ની કોઈક છાયા માં ઊભો હોઉ અને નજર ઉપર જોતા પછી જ્યારે નીચે પડે અને તું મને દેખાય અને એક આભાસ રૂપી અંતર માં અવાજ આવે કે હું છું ને…..આ પડછાયો પ્રત્યેક જીવ ને તેના અવાજ રૂપી આંતરિક આભાસ નો અનુભવ કરાવે છે..રહી વાત પોતાની સૂઝ.બુઝ સમજણ થી તેને સમજવાની….ક્યારેક એ અનુભવી સમજ કોઈક સમજદાર ના જીવન નો ઊગતો સૂર્ય બની જાય તો કોઈક ના જીવન નો આથમતો ડૂબતો સૂરજ પણ બની જાય છે….અનેક દાખલાઓ જીવન સંધ્યાએ અભ્યાસ કરતા આજે પણ નજરે પડે છે અને જ્યારે તેમની સાથે સંવાદ કરવા બેસીએ ત્યારે આવા અનેક અવાજ અને પડછાયા રૂપી દૃષ્ટાંત જડે છે….આશા છે કે જીવન માં કોઈને પડછાયા રૂપી પણ મદદ માં આવીએ તો જીવન સાર્થક અને કોઈક નો અવાજ બની ન પણ કઈક કરી છૂટીએ તો જીવન સાર્થક બની જાય…બસ એજ આ વિષય ની અભ્યર્થના સર્જકો પાસે હતી…
પ્રદીપ રાવલ .સંચાલક
[8/28, 8:20 PM] Hardik Raval.Mem: NOGSS NO. : 121
શબ્દ : પડછાયો
પ્રકાર : પદ્ય – ગઝલ
ગઝલ
છંદ :જદીદ
બંધારણ : ગાલગાગા-3
શોધ ઈશ હૈયે ને, ઊંડું ખાત કર તું,
એના પડછાયાને પણ સાક્ષાત કર તું.
ના સમય આવે, શુકન જોઈ કદી પણ,
જોમ રાખી ક્ષણને પણ સોગાત કર તું.
વેર દુશ્મન પણ મિટાવે કાતિલ અહીં,
છોડ સોદાબાજ, સીધી વાત કર તું.
હોય કાળા નાગ શો ઝેરી જમાનો,
તો શું ડર છે? થા મદારી, માત કર તું.
ના સુણે કોઈ કદી દુઃખ હાર્દ, તો શું?
સાક્ષ થઈ બસ, જાતને બાકાત કર તું.
– હાર્દિક રાવલ ( હાર્દ) મહેસાણા
[8/29, 9:23 AM] Pradip Raval: અવાજ અને પડછાયો” સુંદર રચનાઓ નિયમિત સાહિત્યિક ગ્રુપના સર્જકો પ્રાપ્ત થઈ..સૌની કલમ ને અભિનંદન…નવો વિષય
” સંયોગ – વિયોગ ”
આપની રચના રવિવાર ૩/૯/૨૦૨૨ સાંજે છ વાગ્યા સુધી ગ્રુપ માં મૂકી સહકાર આપશો….NOG સાહિત્ય સરિતા ગ્રુપ પ્રથમ એક દિવસીય સાહિત્યિક પાઠશાળા સવારે ૯ થી સાંજે ૬ સુધી સાહિત્યિક પરિચય,રચના પઠન,ગાન,. સર્જકો ને સાહિત્યિક સમજ , સર્જક વિશેષ ઉપલબ્ધિ માન સન્માન,વ્યવસ્થાપક કમિટી રૂપરેખા મંજૂર વૈવિધ્ય સફર…) ગ્રુપ ના સભ્ય તરીકે આપના સૂચનો સંચાલક, એડમિન ટીમ મોકલી આપવા વિનંતી..(સલાહ સૂચનો સારી બાબતો ની ગુપ્તતા જાળવવા માં આવશે..સંચાલક : પ્રદીપ રાવલ
[8/29, 10:34 AM] Sweta Talati.MeM.NoG: હાલમાં અમેરિકા ગયેલી પુત્રીના વિરહમાં લખાયેલી ગઝલ –
NG 0078
પ્રકાર – પદ્ય (ગઝલ)
વિષય – પુત્રી વિરહ
હજી પણ પીરસીને એકદમ કેવો દઈ દઉંં સાદ!
તને સહેજેય હું ભૂલું જ ક્યાં છું, કે કરું લે યાદ!
થશે સૌ સ્વપ્ન તારાં પૂર્ણ, મળશે શ્રેય આબાદ;
કવચ કુંડળ બની માબાપના સાથે છે આશીર્વાદ.
પ્રતીક્ષાની ઘડીઓ ખાસ્સી લંબાઈ ગઈ કારણ;
અમેરિકા હવે ગઈ દીકરી નહિ કાંઈ અમદાવાદ.
સવારે ઊઠતાંવેંત જ ને રાત્રે સૂતાં પહેલાં રોજ;
નજરનું ઓરડે તારા થતું”તું ડોકિયું એકાદ.
ઊગે છે સૂર્ય, ચાંદો, તારલા લાગે છતાં એવું;
દિવસમાં સહેજ અંધારું ને રાત્રે ચાંદની થઈ બાદ.
ગયું ચોમાસું ને તડકો પડે થોડો ઘણો તો પણ;
મને તો ધૂંધળું લાગે બધું, ને લાગે, છે વરસાદ.
યશોદા – દેવકી મા પુત્ર કે પુત્રી વિરહ સરખો!
છે ઘર- ગોકુળ સૂનું ‘શ્વેતા’ કરે કોને કશી ફરિયાદ?
– શ્વેતા તલાટી
[8/29, 10:46 AM] R S. Vyas.MEM: NOG SS 0112
પ્રકાર : પદ્ય
વિષય : વિરહ
શીર્ષક : નિજ બાળ વિરહ
જન્મ્યો પણ જાણ્યો નહી, દેવકી એ નિજ સુત,
કેવી હશે વિરહ વેદના, કે જમ્યો ત્રિભુવન ખૂદ
અંગેથી અળગો કીધો, રડતો છોડ્યો નિજ બાળ,
કેવી કરમ હીન હુ માવડી, ખોયા સાત સાત સંતાન
અંધકારમાં ઉજાસ થયો, પામી શકી ન પ્રકાશ,
અટુલી ઉભી એકલી, ઓશિયાળી દેવકી માંત
કોપ વેઠ્યો કંસ તણો , સહ્યા અપાર દુઃખ,
જન્મ્યો કુખે જાયો છતા, હજુ એકલતાનુ દુઃખ
વાસુદેવ હાલ્યા હોંશથી, જુએ લીલા નિજ બાળ,
યમુનાજી હરખી રહ્યા, પાર કરી રહ્યા જગ્ગનાથ
રચના,,,,
રાજેશભાઇ એસ વ્યાસ ” રાજ ”
ધ્રુવનગર,,,, મોરબી
[8/29, 3:07 PM] Hardik Raval.Mem: NOGSS NO. : 121
શબ્દ : સંયોગ-વિયોગ
પ્રકાર : પદ્ય –
મીઠા સ્મરણનો એ રોજ રાતે શ્વાસ ચાખે છે,
ને પછી વ્યથા તણો દીર્ઘ ઉચ્છવાસ નાખે છે.
કોઈ રીતે રોજ એક સુંદર સપનાની લાશ કાઢે છે,
ને જુઓ! આ વિયોગ કેવો ખેલ ઝકાસ રાખે છે!
મિલન ને વિરહમાં એક સામ્ય સદા દીઠું કે બેઉ,
તરકીબથી પ્રિયને નયનની સતત પાસ રાખે છે.
હવા પણ જુઓ, સ્પર્શી કોઈની સુવાસ આપે છે,
ને પછી, અધર સ્મરણોની ભીની ખારાશ ચાખે છે!
ખુલાસો કરું હવે કે કેમ બધાને પાછા વાળ્યા’તા?
હૈયું કોઈના કાજે અલાયદું, આખું અવકાશ રાખે છે.
ભૂલથી પણ નજરે ચડી જાય અરીસો, હવે જો,
પ્રતિબિંબ પૂનમ ને જાત જાણે અમાસ ઝાંખે છે!
કોઈક શોધે મુકામ એનું નવું, હવે ઠહેરવાનું ‘હાર્દ’,
આ ઉદાસી પણ હવે, મારી આસપાસ ભાખે છે!
– હાર્દિક રાવલ ( હાર્દ ) – મહેસાણા
[8/30, 2:15 AM] Ghanshyam Nayak.MeM.NOG �ાઈ: NOG સાહિત્ય સરિતા
NOG ૦૦૧૩
વિષય: સંયોગ વિયોગ
પ્રકાર: ગદ્ય
શીર્ષક:
સંયોગ અને વિયોગ
જીવનના બે પાસા છે
જેવી રીતે
દિવસ રાત,
સુખ દુઃખ
પૂનમ અમાસ.
પણ આ બધા ક્યારે આવે છે અને ક્યારે જતા રહે છે
એની ખબર પડતી નથી.
મારા એક મિત્રને અને
એમના ધર્મપત્ની બંનેને
કોરોના થયો અને બંને ને
ત્રણ દિવસના અંતરે
હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
એમની બે દીકરીઓ ને
ખબર આપવામાં આવી એટલે બંને દીકરીઓ યુએસએ થી અહિયાં પપ્પા મમ્મીનું ધ્યાન રાખવા આવી ગઈ.
સંજોગ કહો કે સંયોગ કહો
જેવા એ આવ્યા કે એમને
સમાચાર મળ્યા,તમારા
પપ્પા મમ્મીને નેગેટીવ કોરોના છે તો આવી ને
બિલ ભરીને એમને લઇ જાઓ.
બંને આ સંયોગના સંગમથી
ખુશ થઈ ગયા અને એમને
લેવા તરત જ હોસ્પિટલ
પહોંચી ગયા.
એક દીકરી મમ્મી પાસે ગઈ
અને બીજી દીકરી એના પપ્પા પાસે. પછી બંને
દીકરી ઓ બિલ ભરવા
કાઉન્ટર પર ગયા.
મમ્મીનું બિલ પહેલા ભરાઈ
ગયું એટલે મોટી દીકરી
મમ્મી પાસે જઈને દવાનું
બધું ડોક્ટર પાસે સમજીને
બહાર પોતાની ગાડીમાં મમ્મીને બેસાડીને પપ્પા અને બહેનની રાહ જોવા લાગી.
અહિયાં બીજી દીકરીને થોડી વાર થઈ પણ એ પણ
બિલ ભરી ને વોર્ડમાં પપ્પાના ખાટલા પાસે જતી
હતી તો ત્યાં એણે બે ડોક્ટર
અને ત્રણ નર્સને જોઈ.
ડોક્ટર એના પપ્પાને છાતી
પર્ મસાજ કરતાતા. એણે
પૂછ્યું અચાનક શું થયું મારા
પપ્પાને ?
ડોક્ટરે કહ્યુ He has seviour attack and he is no more.
દીકરી બિચારી દોડતી દોડતી એને મોટી બેન પાસે
ગઈ અને એણે એને બધું
કહ્યું. બંને દીકરીઓ ત્યાં જ
ફસકાઈ પડી અને બંને
ખુબ મોટેથી રડવા લાગી
અને અચાનક આવી પડેલા
આ ખબરથી અને પપ્પાના
વિયોગથી બંને બિચારી
ભાંગી પડી. માંડ માંડ એકબીજાને સહારો આપી
મમ્મી પાસે આવી અને
ખબર આપ્યા તો મમ્મી
કોમા માં સરી ગઈ.
થોડા વખત પછી મને ખબર પડી કે બંને જણા
મમ્મીની સારવાર કરવા
એને યુએસએ લઈ ગયા છે.
આ એક સાચી બીના
સંયોગ અને વિયોગની
મુંબઈમાં બનેલી ઘટના છે.
ઘનશ્યામ વ્યાસ
“શ્યામ”
[8/30, 8:22 AM] Mina Mangroliya.MeM.NOG: સાહિત્ય સરિતા
NOG.SS .0032
વિષય:-સંયોગ વિયોગ
વિભાગ :- પદ્ય
શીર્ષક:- *વિરહ*
નથી જોયો આજ સૂરજ ને અસ્ત થતો,
કે નથી જોઈ એ વિરહમાં રંગાયેલી સંધ્યાને.
આજ એકલતામાં છુપાયેલી હું અને એની યાદો,
એકાંતને વહાલું કરી આજ મનને મનાવ્યું.
બસ યાદોને મારામાં કંડારી એકલી બેઠી.
વાતો કરતી કરતી રાતની રાહ જોતી બેઠી.
છેટું પડી ગયું ઘણું જાણે સાતસમંદર પાર,
બધુ સમેટીને જાણે નિશ્ચિત એ મને છોડી ગયો.
લાગણી અને માયાનાં બંધન ક્યાં ગયા આજ,
મનમાં દબાવી વિરહનો મારી સામે ઊભો ઢગલો.
બેસી ગઈ એ ઢગલાબંધ વિરહની ઘડીઓમાં,
આંખનાં અશ્રુ દડ દડ સરી ગયાં એ ઘડીએ.
મીના માંગરોલીયા મીનુ
અમદાવાદ
30/8/2022
[8/30, 2:34 PM] Ramila Makvaana.MeM.: *************************************
NOG – સાહિત્ય સરિતા
NOG SS NO -120
વિષય – સંયોગ – વિયોગ
પ્રકાર – પદ્ય
શિર્ષક – દાદીમા નો સંયોગ
*દાદીમા નો સંયોગ*
નાનપણથી મને મળ્યો મારા દાદીમા નો સંયોગ,
લાડેકોડે ઉછેરી સંસ્કાર સિંચ્યા દાદીમાનો સંયોગ.
પારણીયે હાલરડું ગાતા મળ્યો દાદીમા નો સંયોગ,
દાદા-દાદી વહાલથી રમાડતા દાદીમા નો સંયોગ.
ભગરી ભેંસનું શેરકઢુ દૂધ પાતા દાદીમા નો સંયોગ,
રમીલા લાડકડી દિકરી કહેતા દાદીમા નો સંયોગ.
મારા દાદીમા ની વિદાય મારા જીવનનો વિયોગ,
દુઃખના મારે માથે ઝાડ ઉગ્યા દાદીમા નો વિયોગ.
કોઠાસૂઝ થી કામ લેતા મારા દાદીમા નો સંયોગ,
મારા વિરહની વેદના સમજતા દાદીમા નો વિયોગ.
*રમા* ભવોભવ મળે મારા દાદી માનીમા નો સંયોગ,
હે વ્હાલા જુદેરો ન કરતા મારા દાદીમા નો સંયોગ.
રમીલાબેન ડી મકવાણા *રમા*
લાડુલા તા ભાભર જિ બનાસકાંઠા
[8/30, 8:04 PM] meghna.MeM: NOG SS NO : 0117
વિષય : સંયોગ – વિયોગ
‘ *અવસર* ‘
મહેતા પરિવાર આજે ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો.કારણકે,પરિવારની નવ- નવ મહિનાની આતુરતાના અંતે વિશ્વાને પ્રસુતિ માટે હોસ્પિટલ લઈ જવાઈ હતી.દરેક જણના ચહેરા પર એક અલગ જ ખુશી વર્તાઈ રહી હતી.ઘરના સૌ લોકો નાનકડા મહેમાનને મળવા માટે આતુર હતા,અને વિશ્વા તો જાણે ખુશી થી પાગલ થઈ ગઈ હતી. બાળકને મળવા અધીરી થઈ રહી હતી.નવ-નવ મહિનાથી તે જેની રાહ જોઈ રહી હતી આજે તે એને મળવાનું હતું.
વિશ્વાને ઓપરેશન રૂમમાં લઈ જવાઈ.પરિવારજનોને નાનકડા બાળને મળવાની તાલાવેલી હતી. થોડી વાર બાદ અંદર રૂમ માંથી બાળકના રડવાનો અવાજ આવ્યો.સૌ એકદમ ખુશ-ખુશ હતા.દીકરો હશે કે દીકરી એની અટકળો લગાવતા હતા.અને એટલો ખુશીનો માહોલ હતો જાણે કે દિવાળી.
થોડા સમય બાદ વિશ્વાને હોશ આવ્યો.તેને તેના બાળકને હાથમાં લીધું.જેને તે ક્યારેય મળી નથી,છતાંય તેના માટે આટલો સ્નેહ હતો, જેના આગમનની વાત થી જ એ માતાના ચહેરા પર અલગ જ લાલી આવી જતી હતી, જેને એક વાર સ્પર્શ કરવા એ નવ મહિના થી રાહ જોઈ રહી હતી, જેને એક વાર કપાળ પર ચુમવા એ માતા એ આટલી વેદના અને કષ્ટ સહન કર્યા હતા,જેને એક વાર નિહાળવા એ માતાની આંખો તરસી રહી હતી,આખરે એ સમય આવી ગયો.એ માતા અને બાળકના સંયોગ નો સમય આવ્યો.વિશ્વા તો જાણે નિઃશબ્દ હતી. બાળકના એ નાના-નાના હાથને ચૂમી રહી હતી. અને બાળકને બસ નિખાલસતાથી જોઈ રહી હતી.ચહેરા પર સ્મિત હતું અને આંખો માં આંસુ.એક અવર્ણનીય પલ હતી.
અને અચાનક બાળકની આંખો બંધ થઈ ગઈ.તેના ધીમે-ધીમે હાલતાચાલતા હાથ પગ બંધ થઈ ગયા. વિશ્વાને કંઇક અજુગતું લાગ્યું;તેને કંઇક આભાસ થયો. એટલે એને તરત જ ડોક્ટરને બોલાવ્યા.ડોક્ટરે બાળક ની નાડી તપાસી અને કહ્યું કે,
“વિશ્વા, આ બાળક આટલી જ પળ તારી સાથે વિતાવવાની લખાવીને આવ્યું હશે.”
“માત્ર પાંચ મિનિટ ? મારો અને મારા બાળક નો સંયોગ માત્ર આટલો જ ?”
(વિશ્વાને માથે તો જાણે આભ તુટી પડ્યું.તે ન પોતાના જન્મેલા બાળકને જોઇને ખુશ થઈ થઈ શકતી હતી,કે ન તો સત્યને સ્વીકારી પોક મૂકીને રડી શકતી હતી. કેવી હશે એ કરૂણ ક્ષણ ? જેમાં સંયોગ અને વિયોગનો સમન્વય હતો.!
કેવી મનોદશા હશે વિશ્વાની, જે બાળકને ચૂમવા અને તેને રમાડવા તરસી રહી હતી,તો બીજી તરફ એ બાળક સાથે વધુ લાગણી ન બંધાય તેના માટે પ્રયત્ન કરી રહી હતી.
પાંચ મિનિટનો સંયોગ અને આજીવનનો વિયોગ !શું વિશ્વા સહન કરી શકશે ?)
– મેઘના કામદાર
(અમદાવાદ)
[8/31, 6:51 AM] Babu Sangada.પત્રકાર: NOG :-109
શિર્શક:-સંયોગ /બાબુ સંગા઼ડા”મહેક”
પ્રકાર:-પધ
ડૂંગરો ભેટી રહ્યા,
ઝૂંકી મારી ખાંખ વચ્ચે,
વાદળ મધ્યસ્તિમાં પડયા,
મનોહર …અતિમનોહર,
દ્રશ્ય ક્ષિતિજ બાવળી બની પી રહી.
હમણા સહરો ઓઢીં પડી’તી ધરા,
કોઈ બિચારી અબળા સ્ત્રી જેવી.
આંખો આંસૂ હતા,
ભડભડ હૈયું બળતું હતું,
નખ વૈશાખી ઉઝરડાયા આખે દેહ હતા.
અચાનક છલકી ગયું,
આનંદનું મોજું,
પુલંક્તિ વમળો દોડવા લાગી,
સમાચાર જાણી,
કોઈ પગલા આવી રહ્યા છે,
મોજિલા,
આંખોમાં નશો,વસંતનું ગીત,
વર્ષોની આગ,
જોમ કેટલું ?જુવો ?
જાણે યૌધ્ધો યુંધ્ધમેદાન તરફ ચાલ્યો.
[8/31, 1:26 PM] Nikhil Kinariwala.MeM: *NOG SS No* : *0110*
*પ્રકાર : ગદ્ય- *મૌલિક લેખ*
*વિષય* : *સંયોગ-વિયોગ*
*શબ્દો* : *૩૪૮*
*શીર્ષક* : ‘રામાયણ અને વિયોગ પ્રસંગો’*
*લેખકનું નામ* : *નિખિલ કિનારીવાળા (અમદાવાદ)*
જીવનમાં કેટલાય એવા સંયોગના સર્જન થાય છે જ્યારે ચાહે ન ચાહે વિયોગની પરિસ્થિતિ સર્જાય છે. વિયોગ કોઈને પસંદ હોતો નથી ખાસ કરીને આપણા પોતીકા અને હૃદયની નજીક રહેલી વ્યક્તિઓનો વિયોગ અસહ્ય અને પીડાદાયક હોય છે. કારણ ગમે તે હોય સુખદ હોય કે દુઃખદ હોય, ટૂંકા ગાળાનો હોય કે કાયમી, પરંતુ વિયોગ મનને અસર કરી જનાર હોય છે.
આપણે આપણા મહાગ્રંથ રામાયણમાંથી અમુક પ્રસંગો જોઈશું જેમાં સંયોગ અને વિયોગની પરિસ્થિતિઓનું અને તેમાં સંકળાયેલા પાત્રોની મનોસ્થિતિનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં દર્શાવેલ વિરહના પ્રસંગો, લાગણી અને સંવેદનાઓની આપ-લે અને તેમાંથી ઉત્પન્ન થતી વિકટ પરિસ્થિતિઓમાં વ્યક્તિનું આદર્શ આચરણ કેવું હોવું જોઈએ તેનું નિદર્શન કરેલું છે જે આજના યુગમાં પણ માર્ગદર્શક છે.
એક પ્રસંગમાં પિતા રાજા દશરથ દ્વારા પુત્ર શ્રીરામને અપાતા ૧૪ વર્ષના વનવાસના આદેશનો છે. એક પિતા માટે વ્હાલસોયા પુત્રને રાજસિંહાસનને બદલે વનમાં જવાનો આદેશ કરવો કેટલો કઠિન હોય છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. રાજા દશરથના મનમાં ઉપસ્થિત થતી વિડંબણા અને પોતાના રઘુકુળની રીત મુજબ ‘પ્રાણ જાય પર વચન ન જાય’ મુજબ પોતાના હૃદય પર પથ્થર મૂકીને પુત્ર શ્રીરામને વનમાં જવાનો આદેશ આપે છે. અને પુત્ર તરીકે શ્રી રામની નિષ્ઠા તો જુઓ. પિતાના બોલ ઉપર કોઈ સંશય નહીં. પિતાના વચનનું માન રાખવા ક્ષણવારમાં રાજગાદીનો ત્યાગ કરીને વન માટે પ્રયાણ કરવાનું નક્કી કરે છે. બીજી તરફ પુત્રવિયોગની આકરી પરિસ્થિતિ સહન ન થતાં પિતા રાજા દશરથ પોતાનો પ્રાણ ત્યાગે છે. આ વિયોગની પરિસ્થિતિમાં પણ પિતા અને પુત્ર બંને પાત્રો પોતાની મર્યાદા ત્યાગતા નથી અને પોતાના ધર્મનું પાલન કરે છે.
બીજા પ્રસંગમાં શ્રીરામ જ્યારે વનવાસ માટે પ્રયાણ કરે છે ત્યારે જેને રાજગાદી અપાવવા માટે માતા કૈકૈયીએ પતિ રાજા દશરથ ઉપર વચનપાલનનું દબાણ કરીને પુત્ર શ્રીરામને રાજગાદી છોડીને વનમાં મોકલવા માટેનો આદેશ કરાવ્યો હતો તેવા શ્રીરામના નાનાભાઈ ભરતે પોતે પણ મોટાભાઈ શ્રીરામના વિયોગમાં રાજગાદીનો ત્યાગ કરી રાજગાદી ઉપર શ્રીરામની ચરણપાદુકાને સ્થાપિત કરીને એક ઉત્કૃષ્ટ ભાતૃપ્રેમનું ઉદાહરણ પ્રસ્તુત કર્યું. સંયોગ અને વિયોગની આ પરિસ્થિતિઓમાં નિષ્ઠા, દ્રઢતા અને સ્થિરતાથી શ્રીરામ અને ભરત બંને ભાઈઓએ પોતપોતાના ધર્મનું પાલન કર્યું.
શ્રીરામના વનવાસ દરમિયાન સીતાજીનું રાવણ છળપૂર્વક હરણ કરીને લંકામાં લઈ ગયો. ખૂબ લાંબા સમય સુધી સીતાજીને અશોકવાટિકામાં કેદ રાખ્યા. શ્રીરામ તથા સીતાજીનો વિયોગ અને રાવણની સીતાજી પ્રત્યેની મેલી મંછા શ્રીરામને રાવણ સાથે મહાધર્મયુદ્ધ કરવા તરફ દોરી ગયું.
નિખિલ કિનારીવાળા, અમદાવાદ
૩૧ ઓગસ્ટ ૨૦૨૨
[8/31, 6:33 PM] Nayana.MeM.NOG Patel: શ્રી ગણેશાય નમઃ.
મિત્રો આપણે દરવર્ષે ગણપતિજીને ધામધૂમથી આપણે ત્યાં પધરામણી કરાવીએ અને એનું વિસર્જન પણ કરાવીએ ,એ દરમ્યાન માં આપણને ઈશ્વર આપણે ઘરે આવ્યા છે એવો ભાવ થાય છે ,અને વિસર્જન વખતે ઈશ્વર આપણા ઘરેથી જતા રહેશે એનું દુઃખ પણ થાય છે,,,
મિત્રો તમે ક્યારેય એવું વિચાર્યું છે ઈશ્વર એમની શરીર રચનાથી કેટલું બધું આપણને કહી જાય છે આપણે કેટલું બધું શીખવાનું છે,ગણેશજી એમના મોટા પેટ થકી દરેક વાતને પેટમાં રાખવાનું કહે છે,કોઈની વાત કોઈને કરવી નહીં,એમની જીણી આંખો આપણને દરેક જીણી વાત જોવાનું શીખવે છે,એમના મોટા કાન આપણ ને દરેક વાત સ્પષ્ટ સાંભળવાનું કહે છે,જેટલું જરુરી છે એટલુંજ ગ્રહણ કરો બીજું મોટા કાનમાંથી કાઢી નાંખો,એમની લાંબી સુઢ આપણને જેટલી આપણી પહોંચ હોય એટલુંજ કરવું ,એમની ચાર ભુજા એ શીખવે છે બે હાથે કામ કરો બીજા બે હાથે ઈશ્વર આપે છે,એમનું મોટું શરીર એ શીખવે છે કે દરેક મોટું શરીર,સુંદરજ હોય છે, મસ્ત રહો ખુશ રહો,એમા પણ ઈશ્વરનો વાસ હોય છે,ભગવાન દર વર્ષે આવે છે દરવર્ષે શીખવે છે કે પોતાની મસ્તી માં જીવો મસ્તરહો,
બધુજ ઈશ્વર પર છોડો ઇશ્વરમય રહો,સદા આનંદિત રહો,ગણેશ ઉસત્વ એટલે ભક્તિ મસ્તીને આનંદ નો ઉસત્વ, આવો આપણે દરેક સાથે મળી ને આ દસ દિવસ ઈશ્વરની સમીપ રહી તેનો આનંદ માણીએ..
નયના પટેલ..વડોદરા..
મારી સ્વરચિત રચના….
[8/31, 7:17 PM] Maya Desai.Bombay.MeM.NOG: NOG SS No.0081
વિષય: ગણેશ ચતુર્થી
પ્રકાર: પદ્ય
મૂષક વાહન મોરયા, વિઘ્નવિનાશક હે ગણરાય,
મોદક પ્રિય હેરંબ પ્રભુ, પ્રેમે લાગું પાય.
દૃષ્ટિ એવી આપો, તમને નીરખીએ ઉરની માંહ્ય,
સમજી વિચારી બોલીએ, પેટમાં વાત સમાય.
મતિ આપ જેવી મળે, સમર્પણ ભાવ સદાય,
માનીએ સર્વસ્વ એમને, માત-પિતા પૂજાય.
#માયા દેસાઈ
મુંબઈ
[ NOG SS 0092
પ્રકાર:- પદ્ય
શિર્ષક:- શરણું સાચું વિનાયકનું
શ્રીચરણ પડયા મમ ગૃહે,
દૂર થયા સર્વ વિઘ્નો.
રિદ્ધિ- સિદ્ધિ સહ આગમન ભલું,
શુભ- લાભથી ઉમટયા ઉમંગો.
કનકની મેં તો થાળી લીધી,
ઉતારી આરતી વધાવ્યા મોતીડે.
ચોક મેં પુરાવ્યા અબીલ- ગુલાલે,
ઓવારણાં લીધા શત- શત દિવડે.
મોદક, લાડુચુરમા ધરાવ્યા,
ગંગાના જળની ઝારી ભરી પ્રેમથી.
પાન, સોપારી ને એલચી ધરાવ્યા,
મુખવાસ કરવા ભાવથી.
સ્ત્રોત, સ્તુતિ ને અથર્વશીર્ષથી રીજાવ્યા,
ભજનો ને પદો ગાયા હૈયાના તાલે.
મનના સિતારે ભક્તિના તાર છેડયા,
અહર્નિશ જાપ કર્યા મનની માળે.
આશિષ દીધા પરિવાર સહ,
પામ્યા સહું સુખ, સમૃદ્ધિને સફળતા.
ગણેશજીની આરાધના ખૂબ વ્હાલી,
રાહ પ્રગતિનો આપી દઈદે જીવનને પરમ શાતા.
-અલકા નવિનચંદ્ર મહેતા
ગાંધીનગગર
[8/31, 8:55 PM] Vibhitiben Desai: NOGSS/0044
વિષય:- સંયોગ વિયોગ
પ્રકાર:- પદ્ય
શીર્ષક :- મિલન
શબ્દ:- ૨૮
થયો સંયોગ,
પાંગર્યો ગર્ભ,
દીકરી છે જણાતાં-
થયો વિયોગ
જન્મ પહેલાં.
થયો સંયોગ!
થયું મિલન-
બન્યાં જીવનસાથી.
માભોમ કાજે
થયો વિયોગ!
©વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
[9/1, 5:20 PM] A Nishant Mother.MeM.NOG: NOG SS 0092
પ્રકાર:- પદ્ય
શિર્ષક :- વિયોગની વ્યથા
દૂર થવું એકમેકથી એ જ શું વિયોગ છે?
પાસે રહીને પણ દૂર હૃદયો, આ કેવો સંયોગ છે!
સામીપ્યમાંય આંસુ સારતી એકલતા,
જોને કેવો આ દારુણ રોગ છે.
મેં તો ભીંજાવી એના નામમાં જ જાતને,
આ પણ તો આઘ્યાત્મિકતાનો એક જોગ છે.
હું પળેપળ એની નજીક સરકતી ને એ થતો દૂર,
આ એકતરફી પ્રેમ ખરેખર એક રોગ છે.
મેળવે છે કુદરત જ્યારે બે યુવાન હૃદયને,
પૃથ્વી પર સ્વર્ગ રચાયાનો સંજોગ છે.
હૃદયને તોડીને જ્યારે એક થાય નિષ્ઠુર,
ખરેખર અરમાનોનો લેવાય ભોગ છે.
રાત- દિન આંસુ નીતરતી આંખો ને,
હૃદયમાંથી ઉઠતા નિ:શ્વાસો એ પ્રેમીજનોનો રોગ છે.
વીતેલી પળોના સંસ્મરણો વાગોળીને કવચિત આવતું અધરો પરનું હાસ્ય,
એ ધોધમાર વર્ષામાં મેઘધનુષનો સંયોગ છે.
સાવ લગોલગ બેઠેલા જીવો ખેંચાઈ રહયાં છે વિરુધ્ધ દિશામાં,
મરી રહયાં છે પ્રેમને વફાદારી આ કેવો જોગાનુજોગ છે.
દૂર રહીને કોઈ બની જાય છે શ્વાસ પ્રાણ,
માત્ર કહેવાનો જ વિયોગ છે.
-અલકા નવિનચંદ્ર મહેતા
ગાંધીનગર.
૦૧ /૦૯ / ૨૨.
—————————;-;;;;–
News channel Link —-
*गुजरात:-डायमंड सिटी सूरत में आम आदमी पार्टी और भाजपा के कार्यकर्ताओं के बीच में बड़ा हंगामा हुआ,रिपोर्ट-प्रदीप रावल,गुजरात,गांधीनगर*
*वाराणसी की आवाज न्यूज चैनल उत्तर प्रदेश के सभी जनपदों के साथ मध्यप्रदेश, गुजरात, गोवा, पंजाब, पश्चिम बंगाल, झारखंड, नई दिल्ली से एक साथ प्रसारित*
*गुजरात गांधीनगर से प्रदीप रावल की रिपोर्ट*
*ગુજરાત:- ગાંધીનગર સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત સોમાણી સંસ્થાના વિદ્યાર્થીઓ નેશનલ સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2022ના પ્રથમ વિજેતા જાહેર થયા અને પ્રથમ નંબર લાવીને એક લાખનું રોકડ ઈનામ મેળવ્યું.*
*ગુજરાતના:- ગાંધીનગરના સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત સોમાણી સંસ્થાના વિદ્યાર્થીઓને નેશનલ સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2022 ના પ્રથમ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા અને પ્રથમ નંબર મેળવીને એક લાખનું રોકડ ઈનામ જીત્યું હતું -*
*વારાણસી કી આવાઝ ન્યૂઝ ચેનલ મધ્યપ્રદેશ, ગુજરાત, ગોવા, પંજાબ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, નવી દિલ્હી સહિત ઉત્તર પ્રદેશના તમામ જિલ્લાઓમાંથી એક સાથે પ્રસારિત થાય છે*
*ગુજરાત ગાંધીનગરથી પ્રદીપ રાવલનો અહેવાલ*
આપની આસપાસ બનતી ઘટનાઓ ના સમાચાર વિડિયો અમોને નિર્ભય રીતે પ્રસિદ્ધ કરવા 9824653073 ઉપર આપ અમોને વોટસ એપ આપના નામ અને નંબર સાથે કરી શકો છો.
તંત્રી : પ્રદીપ રાવલ