NOG સાહિત્ય સરિતા ગ્રુપ ની ૩૪ રચનાઓ:
[૧) NOG SS NO – 0037
વિભાગ – પદ્ય.
શીર્ષક – ગણેશ સ્થાપના.
આવી રૂડી ભાદરવી ચોથ,
સૌ સાથે મળીને ઉજવીએ ગણેશોત્સવ રે…
મારે ઘરે બેસાડયાં ગણેશ રે …
સૌ લોક દર્શને આવજો.
શિવ શક્તિનો વ્હાલો આવ્યો,
સૌ લોક આરતીમાં આવજો.
બુંદીના બનાવ્યાં રૂડાં મોદક રે…
સૌ લોક પ્રસાદ આરોગજો.
આસોપાલવના બાંધ્યાં તોરણ,
સૌ લોક ગુણગાન ગાજો.
વિઘ્નહરી વરદાન આપશે,
સૌ લોક ભાવથી પૂજન કરીએ.
રિદ્ધિસિદ્ધિ સાથે બિરાજ્યાં ગણેશ રે…
સૌ લોક દર્શને આવજો…
હેમલતા ટી. દિવેચા ” હેમ ”
[9/7, 11:06 AM] minaxi raval: NOG સાહિત્ય સરિતા
NOG SS No -119
પ્રકાર : ગદ્ય
શબ્દ : સંયોગ – વિયોગ
શિર્ષક : સંયોગ – વિયોગ.
અંગ્રેજોનું રાજ ચાલતું હતું, ત્યારે દેશમાં અનેક રજવાડાઓની આણ વર્તાતી હતી. ઘણા નાના રજવાડાઓ પણ હતા. અંદરોઅંદર એકબીજા ને પરાસ્ત કરવાના મનસુબા રચાતા. રજવાડાઓમાં કસુંબા – અમલ પાણી ઘોરાતા અને મિજબાની માણતા. જી, હજુરિયા રાજાનો દૂરપયોગ કરી તકનો લાભ ખાટતા હતા. રાજાઓનાં ગામડાઓમાં ખેડૂતોનું શોષણ કરતા અને ગરીબ પ્રજાને રંજાડવામા કોઈ મણા રાખતા નહીં.
આવી રીતે કોઈ શૂરવીરથી સહનશીલતા ની હદ વટાવી જતાં તેઓ રાજની સામે અથવા અંગ્રેજ સરકાર સામે બહારવટે ચડતા.
જે બહારવટે ચડતા તે મેઈન માણસ અને તેમની ટીમ હોય. જેઓ અગાઉથી જાસા ચિઠ્ઠી લખીને ગામમાં બહારવટીયા આવશે. એવી ગામમાં જાસા ચિઠ્ઠી મોકલતા અને વાગતે ઢોલે ગામમાં સુખી સંપન્ન અને રાજના વિશ્વાસુ ઓ ના ઘરમાં થી દાગીના અને રોકડ પૈસા નું ઉઘાડી જાહેરમાં લૂંટ ચલાવતા. કોઈ રાજના માણસો પણ કંઈ બોલે નહીં. રાજા સુધી વાત પહોંચે તો ધિંગાણું થતું અને બહારવટીયા મરણીયા થઈને સામે લડતા હોય છે.
બહારવટીયા ની ટીમના મુખ્ય માણસ આખી ટીમને બહારવટીયા ની આચારસંહિતા સમજાવી ગામમાં પ્રવેશતાં હોય છે. જેમકે કોઈ ગરીબ માણસને ત્યાં કદી લૂંટ કરવી નહીં અને નાની એટલી બહેનો અને મોટા એ મા સમાન ગણવાના અને તેમની સામે કોઈ કૂળી નજર નાખશે તેને બંદુકના ભડાકે ઠાર મારીશ, આવી કડક આચારસંહિતા અમલી બનાવવામાં આવે છે. સૌ એ મર્યાદાનું પાલન પણ કરતા હોય છે.
અંગ્રેજો સામે બહારવટે ચડેલા બહારવટીયા પણ અંગ્રેજો સાથે પુરી તાકાત થી લડતા હતા. ચારિત્ર્ય નિર્માણ નાં અનેક બહારવટીયાના ઉદાહરણો સામેલ છે. દિકરી એકલી ખેતરમાં ઢોર ચરાવતી હોય કે કામ કરતી હોય તો પણ એને ડર નથી હોતો કેમકે તેને મનમાં એવું હોય કે અહીં જોગીદાસ જેવાના બહારવટું હોય પછી શાની બીક કે ભય હોઈ શકે…! આ બહારવટીયા નાં પ્રમાણિકતા નું પ્રમાણ હોય છે.
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ બહારવટે ન્હોતા ચડ્યા, પરંતું મારી ઝાંસી અંગ્રેજો ને નહીં સોંપું એવી ખુમારી થી અંગ્રેજો સામે લડ્યા હતા અને જીવતે જીવ ઝાંસી ન્હોતી સોંપી.
આવા સંયોગ કે વિયોગમાં હંમેશા વફાદાર રહે એનાં નામ અમર રહે છે.
આઝાદી મેળવવા અનેક શહિદોની શહાદત ની ખુમારી અને દેશદાઝ તેમના બલીદાન ની દેન છે. આજે પણ શહીદોને વારંવાર યાદ કરીને તેમને આપેલ બલીદાન ની આહુતી આઝાદીનો અમર વારસો છે. આજે પણ દેશના સૈનિકો તેમના જીવના જોખમે મા ભોમ ની રક્ષા કરે છે અને સમય આવે સામી છાતીએ ઝઝૂમીને પોતાનાં દેશ માટે બલિદાન આપવા પીછેહઠ કરતા નથી. તેવા સૈનિકવીરો ને સલામ છે. રક્ષા કરે તે દેશ વાસીઓ માટે સંયોગ છે, જ્યારે બલિદાન આપે એ એમના પરિવારજનો માટે વિયોગ છે.
સરદાર વલ્લભભાઈ પટેલે રાજવાડા ને અખંડ ભારતના નિર્માણમાં ભેળવવા ભાવનગર રાજના રાજવી મહારાવ શ્રી કૃષ્ણ કુમારસિંહજી એ પ્રથમ રાજ્ય અખંડ ભારતના નિર્માણમાં તમામ જાગીર સોંપી દીધી તેમનાં નામ અમર રહે. રાજપાટ ભોગવવા એ સંયોગ કહેવાય,પણ રાજપાટ છોડવા એ વિયોગ ગણાય. કોઈ રાજવીએ આનાકાની કરી નહીં એ તમામ રાજવીઓની દીર્ઘદ્રષ્ટી ના કારણે અખંડ ભારતનું નિર્માણ થયું. આઝાદી ને ૭૫ વર્ષમાં આદર્શ લોકશાહી નાં દર્શન ભારતભરમાં સંવિધાન રચીને કરવામાં આવેલ છે. જે આઝાદીના અમૃત ફળ મળ્યા એ સંયોગ ગણાય જ્યારે અનેક રાજાઓ રાજપાટ અહીં છોડીને વિદેશમાં જતા રહ્યા તે વિયોગ ગણાય.
સંયોગ અને વિયોગ એક સિક્કાની બે બાજુઓ છે.
(ભારત માતા કી જય)
ડૉ જગદીશ કે રણોદરા (બંધવ)
વીસાવડી-વરણોસરી-શંખેશ્વર-વાહેદપુરા.
[9/7, 11:06 AM] minaxi raval: NOG.SS .NO.0026.
વિષય – સંયોગ – વિયોગ.
વિભાગ – પદ્ય ( ગઝલ)
શીર્ષક – ભાસ આવે.
સંયોગની જ સાથે વિયોગ ખાસ આવે.
મુશ્કિલ ભરેલું જીવન, બંન્ને પ્રવાસ આવે.
મળવું અહીં સરાસર, નક્કી ભલે નસીબે,
લાખો ખુશીની પળ એ, લઈને ઉદાસ આવે.
જીવન જો એક રણ છે,તો શ્વાસ ઝાંઝવા છે,
ડુબી તું જાશે એમાં, એવીય પ્યાસ આવે.
વાવીશ ના કદીયે તું બાગ લાગણીનો,
કચડી જશે આ દુનિયા, કુંણું એ ઘાસ આવે!
સંયોગથી મળેલું, વિયોગ ઝૂંટવી લે,
સૌ સ્વાર્થનાં સગાં છે,ચેતી જા ભાસ આવે!
✍️ અંજના ગાંધી ” મૌનુ”
વડોદરા
( હાલ અમેરિકા)
[9/7, 11:06 AM] minaxi raval: NOGSS/0044
વિભાગ:- પદ્ય
શીર્ષક:- આદરમાન
આવો ગણેશજી બેસો ગણેશજી તમને આદરમાન છે,
અમ સૌનું રક્ષણ કરવાનાં તમને ઝાઝેરાં કામ છે .
આવો રિધ્ધિ સિધ્ધિ બેસો રિધ્ધિ સિધ્ધિ તમને આદરમાન છે,
અમ સૌનું કલ્યાણ કરવાનાં તમને ઝાઝેરાં કામ છે.
આવો મહાદેવજી બેસો મહાદેવજી તમને આદરમાન છે, અમ સૌનો સહારો બનવાનાં તમને ઝાઝેરાં કામ છે.
આવો ઉમિયાજી બેસો ઉમિયાજી તમને આદરમાન છે
અમ સૌને આશિષ આપવાનાં તમને ઝાઝેરાં કામ છે.
©વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
[9/7, 11:06 AM] minaxi raval: NOG સાહિત્ય સરિતા પરિવાર
NOG NO. S.S. 0059
વિષય શબ્દ:*”સંયોગ-વિયોગ”*
પ્રકાર: ગદ્ય- લેખ.
શીર્ષક:” ખરી અગ્નિ પરિક્ષા”.
શબ્દ સંખ્યા:૨૭૦.
જયકાન્ત ઘેલાણી- *”પ્યારે”.*
*સંયોગ અને વિયોગ, ફકત ત્રણજ અક્ષરના બન્ને શબ્દો ,તેમા પણ બંન્ને શબ્દમા, *યોગ* સામાન્ય !
છતાં *સં* અને * *વિ* વચ્ચેનો કેટલો વિરોધાભાષ !
*સ* સકારાત્મક તો
*વિ* વિરોધાભાસી !
આજછે ગૂજરાતીભાષાનો
*વૈભવ*!.
પ્યારે”, કોઈ વિવેચકે લખ્યૂછે કે માનવજીવન મળવું અતિશય , અતિશય
*દુર્લભ*!,
દરેક માનવી જીવનમાં,છાસવારે આવતા *સંયોગ* અને *વિયોગ* ના કષ્ટદાયક પડાવો તો પાર કરવાનાજ ?
આજછે,માનવ જીવનની
અકલ્પનિય આગવી ખરી અગ્નિપરિક્ષા !
સકારાત્મક *સંયોગ* માનવજીવનમાં સૂખના ટકોરા પાડે ત્યાંજ,*વિયોગ* શબ્દનો *વિ*વિરોધાભાષ સર્જવા, દરવાજે,પોતાના દસ્તક કરવાં
હાજરા હજૂર !
હાં, આ બધુ કર્માધિનછે,
પરંતુ આવેલા કર્મ ની આ પરિક્ષામા પાસ થવું એટલે ?
પ્યારે”,ધોર અંધારામા પ્રકાશ ની શોધ !
*સંયોગ* *વિયોગ* ની પરીક્ષા
માનવજીવનમાં અનિવાર્ય!
આ પરિક્ષા માં પાસ થવાં માટે
માનસિક હિમત સાથે,
*પડશે તેવાં દેવાશે*, ની આગવી તૈયારી વિશેષ જરૂરી બની રહેછે, આ તૈયારી સાથે રણમેદાનમાં ઉતરેલો કાળાં
માથાનો માનવી,*
*સંયોગ* *વિયોગ* ને જરૂર *પરાસ્ત* કરી વિજેતાનો તાજ પહેરવા હક્કદાર બનેછે,
જગતનો તેજ સફળ સૂકાની બની રહેછે અને તેજ બને છે.
આજે સમસ્ત વિશ્ર્વની સામે
*સંયોગ* અને *વિયોગ* નું
જીવતુ જાગતું ઉદાહરણ એટલે
સમસ્ત વિશ્ર્વમા પ્રથમ ક્રમાંકે ઉભેલા આપણાં વડાપ્રધાન
*શ્રી નરેન્દ્રભાઈ મોદી*.
*પ્યારે*,*એક સિંહ જંગલને ભારી!* .
ચાલો યૂવાનો,હિમ્મત સાથે લડવા
ને,પ્યારે’પરિસ્થિતિ સામે જીતવા
[9/7, 11:06 AM] minaxi raval: NOG સાહિત્ય સરિતા
NG. NO. — 39
વિષય – સંયોગ વિયોગ
પ્રકાર — પદ્ય, અછાંદસ
શીર્ષક — યોગાનુયોગ
રચના —
સંયોગનું હોવું જો હોય નસીબ પાધરું,
નસીબ પાધરું કરી નાંખે સઘળું સીધું,
પાડું પાસા આડેધડ, પડી જાય સીધાં,
નસીબની કેવી એ ઉપહાર લીલા!
પડે વીજળી માથે તોય બચી જાય માનવ!
મધદરિયે તોફાન તોય તરી જાય માનવ!
ક્ષમાભાવ હોય મનમાં તો થાય પાપનો ક્ષય!
યોગાનુયોગ હોય યોગ, રચાય સંયોગ!
સંયોગ ના હોય સીધાં આવી જાય વિયોગ!
વીજળી જેમ ત્રાટકી નાશ પામેં સઘળું,
પળમાં મિલન,પળમાં આવી જાય જુદાઈ!
કરુણતાં કિસ્મતની લાવે વિદાય વસમી!
પ્રફુલ્લા “પ્રસન્ના”
[9/7, 11:06 AM] minaxi raval: N.O.G. S.S. No 0102.
નામ:- રતીલાલ વાયડા
વિષય. :-. સંયોગ વિયોગ.
પ્રકાર. :- વાર્તા.( ગદ્યવિભાગ.)
શીર્ષક :-. ” તૂટ્યો તાર.”
રચના:-
પ્રકાશ અને અને આશાની જુગલ જોડી હતી. તેઓ ૧૨ વર્ષ થયા ખૂબ જ સુંદર દાંપત્ય જીવન જીવતા હતા. તેને એક પુત્ર અને પુત્રી હતા.
પ્રકાશ બાપદાદાનો ધંધો સંભાળતો હતો .આવક સારી હતી. સુખી પરિવાર હતો. તેઓ દર વર્ષે જુદા જુદા સ્થળોની યાત્રા અને મુલાકાત કરતા.
ચારધામ ,સાત પુરી ,અને અનેક સૌંદર્યના સ્થળોએ તેમજ પર્યટનના સ્થળે તેઓએ મુલાકાત લીધી હતી.
ખૂબ જ આનંદપૂર્વક જીવન જીવતા એટલું જ નહીં પણ બીજા લોકો તેને જ્યારે જોતા ત્યારે તેઓને આ બંનેના જીવનની ઈર્ષા થતી હતી. એકબીજાના પડછાયાની જેમ જિંદગી જીવતા હતા.તેઓનું સગા સંબંધીઓનું અને મિત્ર મંડળનું મોટું વર્તુળ હતું અને તેઓ વારંવાર મળતા ખાતા પિતા અને આનંદ કરતા હતા.
તેવામાં એક દિવસ આશાને ઓચિંતો હૃદય રોગનો હુમલો આવ્યો અને તેનું તાત્કાલિક મૃત્યુ થયું.
પ્રકાશ તેના બાળકો અને તેના કુટુંબીજનો ઉપર આ એક વજ્ર આઘાત હતો . પ્રકાશના જીવનનોએક તાર ઓચિંતો તૂટી ગયો . કોઈપણ જાતની બીમારી ન હોવા છતાં ખૂબ જ તંદુરસ્ત આશાને આ ઓચિંતો આ હુમલો કૈલાશધામ પહોંચાડી ગયો.
પ્રકાશને હવે વિયોગનો સામનો કરવાનો , ઘણી નાની ઉંમર ,બે બાળકો ની જવાબદારી , માતા પિતાની જવાબદારી ,આ બધાથી તે ભાંગી પડ્યો હતો.
આશાના મૃત્યુથી તેના જીવનમાં કરુણા વ્યાપી ગઈ તેને ક્યાંય ગમતું નથી . ૨૪ કલાક આશાની મગજમાં છબી ઊભી થતી હતી . તેની એક એક વસ્તુ જોઈ અને તે વિહર થી ઝુરતો હતો. ઘર ખાવા ધાતુ હતું.
તેને ખાવું પીવું હળવું ફરવું હરામ થઈ ગયું. કોઈ ધંધામાં પણ રસ નહીં ન રહ્યો હતો. બાળકોની ચિંતા તેને સતાવી રહી હતી અને આશાનો જીવનમાં ખાલીપો તેને અસહ્ય થઈ પડ્યો હતો.
કુદરતે તેને ક્રૂર તમાચો માર્યો હતો. તે પોતે મનમાં પસ્તાતો હતો કે મેં કોઈ દિવસે કોઈનું બુરું કર્યું નથી છતાં મારા તરફ આવો કુદરતનો કોપ શા માટે ?
આમ એક સુખી જોડું સંયોગ માંથી વિયોગમાં પલટાઈ ગયું. કેવો છે કુદરતનો કાનૂંન? પહેલાં હસાવે આવે પછી રડાવે.
લેખક:- રતીલાલ વાયડા
નવીમુંબઈ૩/૯/૨૦૨૨.શનિવાર.
[9/7, 11:06 AM] minaxi raval: NOG S S N 0089
પ્રવિણા
વિષય સંયોગ વિયોગ
ગદ્ય
———
સંયોગ અને વિયોગ જોડિયા ભાઈ છે. જેમને કોઈ પણ જાતના વાઢકાપથી અલગ ન કરી શકાય. સંયોગ થયોને ખુશીના માર્યા પાગલ થયા. ત્યારે વિચાર ન આવ્યો વિયોગ રુમઝુમ કરતો આવી રહ્યો છે.
સંયોગ હોય કે વિયોગ દરેક જણે સંયમ ધરવો આવશ્યક છે. ખૂબ અઘરું છે પણ પ્રયત્ન દ્વારા એ ગુણ કેળવવો આવશ્યક છે.
સાસરે ગયેલી દીકરી પિયર આવી , પતિ અને પ્રેમાળ સાસરિયાનો વિયોગ થયો કિંચિત્ પિયરમાં માતા, પિતા અને ભાઈ બહેન સાથે સંયોગ શક્ય બન્યો.આનંદનો અવધિ લહેરાયો . પાછા સાસરે જતી વખતે વિયોગ ચોક્કસ છે.
તેમજ પતિ અને સાસર્યા સાથે સંયોગ સાંપડશે.
ભરતી પછી ઓટ, દિવસ પછી રામી, સવાર પછી સાંજ આ કુદરતનો વણથંભયો નિયમ છે. એનાં મિનિ
મેખને થવાનો સંભવ નથી.
પતિ સાથે વર્ષો વિતાવેલ રમીલાને અકસ્માતમાં ગુમાવેલ પતિનો જીવનભરનો વિયોગ સાંપડ્યો! જયાં સંયોગના કોઈ એંધાણ ન હતા.
જીવન રથના પાયા સંયોગ અને વિયોગની ધરી પર બેફિકર થઈ ફરે છે. તેને સ્વીકાર ખુલ્લા દિલે કરવો. નિરાશાવાદી ન બનવું. પરિસ્થિતિને અનુકૂલ થઈ મંજિલ પર આગળ વધતા રહેવું .
જે સમય અને સંજોગને અવગણે છે એ પોતે દુખી થાય છે. પરિવારમાં અસંતોષની લાગણી ફેલાવે છે.
હસતા ચહેરે। સંયોગ હોય કે વિયોગનો સામનો કરો . ઉમંગ અને જીવન જીવવાની જીજીવિષા ટકાવી રાખો .
[9/7, 11:06 AM] minaxi raval: NOG SS. NO. 0097
વિષયઃ સંજોગ-વિજોગ
પ્રકારઃ ગદ્ય
શીર્ષકઃ વ્યક્તિત્વ
શકુ અને મોના બે એવી સખીઓ જાણે એક સિક્કાની બે બાજુ. બે બાજુ ખરી પરંતુ પરિવારથી માંડીને બધું જ સરખું. શકુના પપા બેંકમાં નોકરી કરે અને મોનાના પપા
સરકારી કર્મચારી. એટલે આર્થિક સ્થિતિ પણ સરખી.
બંનેની કોલેજ પુરી થઈ.
લગ્ન કરીને જુદા જુદા શહેરમાં સ્થાયી થયા. બંનેને સાસુ સસરા અને એક દીકરો એક દીકરીની જવાબદારી.બધું જ સરખું . ફક્ત વિચારોમાં થોડો ફેર. શકુ સંજોગોને આધીન અને મોના સંજોગોને અતિક્રમીને ચાલવામાં માને. સંજોગોને આધીન ન જ થવું એ મોનાનું સૂત્ર.
પરિવારની જવાબદારી સાથે પોતે પણ નાની નાની પ્રવૃત્તિ કરીને પ્રવાહ સાથે વહેતી રહી. આગળ અભ્યાસ કરીને કોલેજની પ્રોફેસર બની ગઈ.
એક દિવસ મોલમાં બંને સખીઓ ભેગી થઈ ગઈ. લગ્ન પછી બંને પહેલી વાર મળતા હતા.શકુ ચહેરાથી ઓળખી શકાય.બાકી શરીર અકાળે વૃદ્ધ થયું હતું. મોના તો જાણે ૫૫ વરસે પણ તરવરતી યુવાન.
કોફી પીતા પીતા વાતે વળગ્યા. શકુ સંજોગોના રોદડા રડવા બેઠી.મોનાએ જણાવ્યુંઃએના સાસુ છેલ્લા પાંચ વરસથી લકવાને કારણે પથારીવશ છે. અને સસરાને આંખની તકલીફ હોય ખાસ બહાર જઈ શકતા નથી. શકુને નવાઈ લાગી. “તું આ બધું કેવીરીતે સંભાળે છે”મોનાએ કહયુંઃ તને તો ખબર છે. હું સંજોગોની ગુલામ નથી બનતી પણ એને જ મારી તાકાત બનાવી દઉં છું. આ જગ્યાએ પહોંચતા મુશ્કેલી ખુબ જ પડી. પરંતુ હું દ્રઢપણે માનું કે”જુદું અસ્તિત્વ છે તો જુદું વ્યક્તિત્વ પણ હોવું જ જોઈએ”એટલે મનમાંથી સંજોગો અને મુશ્કેલીના વિચારને ધકેલીને આગળ વધી રહીછું.
વર્ષાબેન દેસાઈ
એડવોકેટ
વડોદરા-સિડની
[9/7, 11:06 AM] minaxi raval: *NOG SS NO: 004*
*વિષયઃ સંયોગ – વિયોગ*
*પ્રકારઃ પદ્ય*
*શબ્દોઃ૧૧૫*
*શીર્ષકઃ સહજ*
કરું *સંયોગ*
મન *સહજ*
સ્વીકારે આતમને
અજવાળે જે
સદ્ ભાવના!
કરું સંયોગ
તન *સહજ*
સ્વીકારે ઈશ્વરને
વાળે સત્યનાં
સાચા પથકે.
કરું સંયોગ
ધન *સહજ*
સ્વીકારે જરૂરતે
અર્પે દાનમાં
સદ્ મારગે.
કરું સંયોગ
સર્વે *સહજ*
ન વચન તૂટે તે
ન વળે મળે
*વિયોગે* સર્વે.
*જયશ્રી પટેલ*
૪/૯/૨૨
[9/7, 11:06 AM] minaxi raval: NOG-SS No.116
વિષય- સંયોગ-વિયોગ
વિભાગ-પદ્ય/મુક્ત પંચિકા
શીર્ષક- ચાહત
સંયોગ હતો
આપણે મળ્યાં
એકબીજાને ચાહ્યાં
અહો સુંદર
પળો હતી એ!
ચાહત હતી
અજાણી હૈયે
કેવી અહો ભાવના
મનગમતી
અદ્ભૂત એ!
ચાહવું સહ્યું
પણ વિયોગે
સંયોગ- વિયોગ એ,
વિશ્વનો ક્રમ,
મંજૂર મને!
🖋️ રીટા આચાર્ય જોષી
0૪/૦૯/૨૦૨૨
[9/7, 11:06 AM] minaxi raval: NOG SS NO – 0050
વિષય – સંયોગ – વિયોગ
વિભાગ – પદ્ય મૌલિક
શીષૅક – તારો વિયોગ.
……………………………….. મને આપો તરુ પ્રણય પાછો..! પરોઢે આવેલાં સપનાં સમ આવ્યા પીવું તમે…! મધ્યકાલીન પ્રકૃતિ રાગ છે..!
વિયોગ છે અને ઝૂરાપો પણ છે..!
અગ્નિ શિખાઓ પ્રસરશે ધરતી પર ..!
ને તારો વિયોગ શ્વાસમાં ડંકો ભરે છે..!
શી ખબર કે આ કાળોતરો ડંખશે મને..!
સૂર્યના તાપ ઝીલી ઝીલી થાકી હવે ..!
આ વિયોગ જેવો નાટકનો અંત નથી..!
શું જિંદગીનો પડદો પાડી શકાશે..?
આજ તો પ્રિયજનનો વિયોગ છે ..!
પીયુ તારો વિરહ છે..!
વિરહમાં ઝૂરવાની આલેખના માટે શબ્દો ના હોય ..!
વિહરીણી સ્ત્રી માટે તો વિયોગ જ કાળી રાત છે…!
વિયોગ ભાવ બળવત્તર બનતો જાય છે .!
ઈષ્યૉના દાહક અગ્નિની જેમ રોમે રોમ જલાવે છે..!
પ્રણયનાં સૂર હ્રદયથી વહ્યાં હતાં..!
વહી ગયેલો સમય પાછો ના આવે…!
આવા વિયોગ ઘાવ કેમ કરીને જીરવાશે ..?
હવે તો પીધાં વ્યથાના ઘૂંટડા કેવાં..?
એ પીડા ભીંજવે મને…!
દુઃખિયા નાં દર્દો દેખીને રડે મન..!
આ કલમને કાગળ જીદેના ચડશો..!
નહીંતર શબ્દોનાં ખેલ ખેલાશે..!
હૈયે શોર મચી જાશે ..!
રાગીની શુક્લ “રાગ”
મુંબઈ, કાંદિવલી.
[9/7, 11:06 AM] minaxi raval: NOG SS NO – 0050
શબ્દ – દુંદાળા દેવ.
પ્રકાર – પદ્ય મૌલિક
તા – ૪/૯/૨૦૨૨.
………………………………..
વિઘ્નહર્તા મંગલકારી વિનાયક આવો તમે આનંદ કરાવો..!
હે ગજાનન રિધ્ધિ સિધ્ધિ સાથે પધારો ઘર ભંડાર ભરો…!
યશ વૈભવ ગુણોના દાતા તમારી પ્રથમ પૂજા કરીએ…! જગની વિપદા હરો રિધ્ધિ સિદ્ધિના દાતા…!
આવો ગજાનંદ પ્યારા..!
હાથ જોડીને વંદન કરીએ અમે ભક્તો સૌ …!
હો એકદંત શક્તિનાં દાતા માથે હાથ રાખજો સદા…! સિદ્ધિ અપાવો વિનાયક કષ્ટ હરો હમારા..!
આઠે પ્રહર કૃપા બરસાવો ..!
હે મારાં ગનુભૈયા…!
મન હ્રદયથી તમને વર્યા રાખજો અમારી લાજ…! “રાગ “કરે વિનંતી સદાય તમને ..!
હે કૈલાસ પતિના પુત્ર ,
પાર્વતીના લાલ..!
સદાય વિઘ્ન હરજો..!
કરે પૂજા તમારી એની કીર્તિ સદાય રહે..!
ગનુભૈયા નામ તમારું લેતાં સંકટ હરાય..!
અષ્ટવિનાયક તમારું ભૂષક સવારી..!
ચમકાવો મારું ભાગ્ય ભરીદો ખુશીયા..!
ભીડ પડે તો દોડતાં આવજો મારા ગનુ ભૈયા..!
વિઘ્નહર્તા મંગલકારી વિનાયક આવો તમે આનંદ કરાવો..!
રાગીની શુક્લ “રાગ”
મુંબઈ, કાંદિવલી
[9/7, 11:06 AM] minaxi raval: NOGSS NO. : 0034
વિષય : સંયોગ-વિયોગ
પ્રકાર : ગદ્ય ( વાર્તા)
શીર્ષક : અનનોન નંબર ( અજાણ્યો નંબર)
ઝંખનાને આજે કેમેય કરીને ઊંઘ નહોતી આવતી. મોબાઈલ મચેડીને થાકી ગઈ પરંતુ આજે નીંદર વેરણ થઈ હતી. તેનાં હૈયામાં અજીબ બેચેની થઈ રહી હતી. ચોમાસાની મેઘલી રાતમાં દામિનીનાં ચમકારાથી એ વધુ ચમકી જતી હતી. ત્યાં તો એનો મોબાઈલ રણક્યો. આટલી રાત્રે કોણ હશે? સ્ક્રીન પર અનનોન નંબર જોઈને તેણે ફોન કટ કરી નાંખ્યો. ત્યાં તો વોટ્સએપ કોલની રીંગ વાગી. પ્લસ સાઈનવાળો નંબર તો ફોરેનનો હોય, એ ફોન લેવો કે ન લેવો વિચારતી હતી, ત્યાં રીંગ બંધ થઈ ગઈ. તેણે રાહતનો શ્વાસ લીધો અને રસોડામાં પાણી પીવા ગઈ.
આવીને જોયું તો મોબાઈલમાં મેસેજ ઝબક્યો- “હેલો.. આઈ એમ સોરી.પ્લીઝ રિસીવ ધ કોલ. આઈ વોન્ટ ટુ ટૉક વીથ યુ. પ્લીઝ…પ્લીઝ.”
તેણે ડીપીનો ફોટો જોયો. એકવાર નહીં અનેકવાર જોયો. આ ઋતુમાં પણ તે પરસેવે રેબઝેબ થઈ ગઈ. તેનું મન માનવા તૈયાર નહોતું કે, ખરેખર તે મારી સાથે વાત કરવા માંગે છે? હવે અમારી વચ્ચે બચ્યું શું છે? છેલ્લાં ત્રણ વર્ષથી હું એનાં વિયોગમાં ઝૂરું છું. આ કેવો પ્રેમ? કંઈ પણ કહ્યા વિના એ રાતોરાત ગાયબ થઈ ગયો અને આજે અચાનક પ્રગટ્યો. આ કોઈ સંયોગ છે કે પછી એની નવી ચાલ?
તે હજુ તેનાં વિશે વિચારતી હતી ત્યાં તો ફરીથી ફોનની રીંગ વાગી.તેણે ફોન રિસીવ કર્યો. એકાદ ક્ષણ તો બેમાંથી કોઈ કાંઈ જ બોલી ન શક્યું.ત્યાં સામે છેડે સોરીનો અવાજ આવ્યો. આટલાં વર્ષો પછી તેણે એનાં પતિ સોહમનો અવાજ સાંભળ્યો.સોહમ જ બોલતો રહ્યો ,તે ચૂપચાપ અશ્રુ વહાવી રહી હતી. ખરેખર, તેની હિંમતને દાદ દેવી પડે કે, બેવફાઈ કર્યા પછી સોરી કહે છે.એનાં ગયા પછી મારું શું થશે?એ વિચાર્યું નહીં અને ભાગી ગયો અન્ય સાથે!
છેલ્લે તે એટલું જ બોલી, “હવે આપણો સંબંધ અહીં જ પૂરો થાય છે.” મનમાં ને મનમાં તે ગણગણી,
“શીશા હો યા દિલ હો, આખિર તૂટ જાતા હૈ..”
–ડૉ. રેખા શાહ
[9/7, 11:06 AM] minaxi raval: *NOG SS NO.0081*
*વિષય : સંયોગ-વિયોગ*
*શીર્ષક : પાન લીલાં પીળાં*
*પ્રકાર: પદ્ય*
લીલું પાન, પીળું પાન, સૂકું પાન,
એ તો વાત સંયોગની,પાનનો કવ થાય વિયોગ.
જન્મે છોડ પર એક નાજુક અંકુર થઈ,
સંયોગે પહોંચી જાય ટોચે કે રહે આડશે.
કદીક ઝૂલે વાયરે, કદી ઠુંઠવાય ઠંડીમાં,
વરસાદે ભીંજાય સૌ સાથે પર્ણો એક તરુવરનાં.
લીલાં સૌ સાથે,પણ પીળાં સંયોગે થાય,
પાનખરે પણ વિયોગ સૌનો સાથે નવ થાય.
નાનું સરીખું જીવન હસી ખુશીથી સાથે માણીએ,
સંયોગે સાથે પણ વિયોગે નવ કરૂણ થઈ રોઈએ.
ઈશકૃપાને ધરણી ભેગાં થઈ સૌ વધાવીએ,
વિયોગ સાથીઓનો નિયતિ માની અપનાવીએ.
#©️ માયા દેસાઈ
મુંબઈ ભારત.
[9/7, 11:06 AM] minaxi raval: NOG.SS. No 0098
વિષય:- સંયોગ
પ્રકાર:- ગદ્ય
શીર્ષક:- આશીર્વાદ
વિષય સંયોગ મળ્યો છે તો મિત્રો તમને મારા જીવનની હકીકતની જાણ કરાવવા માગું છું .અમારી સોસાયટીમાં અમારા ઘરની બાજુમાં નવા પડોશી રહેવા આવ્યા હતા .એમનો ટ્રાન્સપોર્ટનો ધંધો હતો એક દિવસ કાકાના ઘરે નવી ટ્રક ઉભી હતી , સવારનો સમય હતો એ લોકો પૂજાની તૈયારી કરતા હતા અને સંયોગથી હું મંદિરથી પાછી ઘરે આવી રહી હતી. મેં કાકાને “જય શ્રી કૃષ્ણ” કર્યું.
કાકાએ મને બોલાવી અને કહ્યું,” બેટા તું ખોટું ના લગાડે તો તને કશું કહું !”
મેં કહ્યું ,”હા કાકા બોલો શું થયું? મેં કહ્યું,નવી ટ્રક લીધી છે મીઠાઈ ખવડાવી પડશે .”
કાકા એ કહ્યું,”હા ચોક્કસ બેટા પણ પહેલા તું આવ ને આ ટ્રકને હલ્દી કંકુ લગાવીને પૂજા કર .”!
મેં કાકા ને પૂછ્યું,”હૂં કરું? “
કાકા એ કહ્યું,”હા બેટા બ્રાહ્મણના હાથથી પૂજાનો લાભ લેવો છે.”
મેં ટ્રકની પૂજા કરી અને પછી કાકા એ મને મીઠાઈ ખવડાવી.
મેં કહ્યું,” દર મહિને પૂજા કરવા આવીશ તમારે કહેવું ના પડે કાકા .“
કાકા હસવા લાગ્યા .”બેટા દર મહિને ટ્રક ખરીદું ત્યારે તું આવશે ને… ?
હું પણ હસવા લાગી અને કહ્યું ,” હા હા આવીશ.”અને હસતાં હસતાં ઘરે આવી ગઈ ,પણ મિત્રો આ જીવનની હકીકત છે કે કાકાના ઘરે ટ્રકોની લાઈન લાગી ગઈ અને હવે તો એમનું જીવન સ્તર બહુ જ ઊંચું થઈ ગયું છે ,પણ આજની તારીખમાં પણ એમને ત્યાં ટ્રક ટેમ્પા ઓફિસ બંગલો જે પણ નવી વસ્તુ આવે છે કાકા મને જરૂરથી યાદ કરે છે .
તો મિત્રો આ તો માત્ર એક સંયોગ જ હતો કે એ લોકો પૂજાની તૈયારી કરતા હતા અને હું સામેથી આવી રહી હતી ,પણ જે પણ હોય કાકાનું સ્તર દિવસે ને દિવસે ઊંચું થતું જાય છે અને મને આશીર્વાદની ઝડી લગાવી દે છે. આ સંયોગ છે કે મને કાકાના આશીર્વાદ બેઠાં બેઠાં મળે છે હું મારી જાતને બહુ ખુશ નસીબ માનું છું.
✍️
લીના શર્મા
હાલોલ..
[9/7, 11:06 AM] minaxi raval: NOG.Ss.No.73
વિષય.સંયોગ.
પ્રકાર. ગદ્ય.
શીર્ષક.સંયોગતો જો.
સંયોગતો જોવો જે જોઈએ છે એ મળતું નથી જે નથી જોઈતું એ મળે છે,જે મળે છે એમાં સંતોષ નથી,
સંજોગો એવા આવ્યા કે ધાર્યું ક્યારેય થતું નથી અને થાય છે જ્યારે ત્યારે એ ઉમર નીકળી ગઈ હોય છે જેનો આનદ રહેતો નથી બસ સંતોષ મળે છે કે મળ્યું,પણ ત્યાં સુધી તો ઘણું બધું ગુમાવી દીધું હોય છે,સંજોગો અને પરિસ્થિતિ ને આધીન થઈ જીવવામાં ક્યારેય પોતાના માટે જીવવાનું વિચાર્યું જ નહીં અને અત્યારે જ્યારે પોતાના માટે જીવવાનું વિચાર્યું ત્યારે સમય અને સંયોગ બધું જતું રહ્યું,હોવી બાકી રહ્યું ખાલી ઈશ્વર તરફથી મળેલું બોનસ આયુષ્ય, તો હવે દરેક સારા સંયોગ માં ફેરવી બાકી રહેલી બધી જિંદગીનો આનંદ ઉઠાવીએ, અને એક એક પળને જીવએ પોતાના માટે..
જ્યારે આપણે પૂર્ણ મકકમથી આપણાં માટે જીવવાનું વિચારીશું ત્યારે સમય અને સંજોગો બધું આપણું હશે….
નયના પેટલ.નૈન.
વડોદરા.
[9/7, 11:06 AM] minaxi raval: Nog SS.no-106
NOG-સાહિત્ય સરિતા-ગ્રુપ
વિષય;- શિક્ષક દિવસ
શીર્ષક: હું શિક્ષક
*****
મને આ દુનિયામાં લાવી
મને દુનિયા જોતાં શીખવી
મને હાથ પકડી હાલતાં શીખવ્યું– દોડતાં ખાતાં પીતાં!!! પગભર થાતાં
“મા” મારી મોટી શિક્ષક !!
મને ખભે બેસાડી.. લાફો મારી.. સંસ્કારોના પથ પર ચાલી
જિંદગીને જેવી છે તેવી, મહાલી માણી મુશ્કરાતાં શીખવી
મારા પિતા મારા શિક્ષક!!!
હા! કાળાં પાટિયે સફેદી લાવી,
મારી ભૂલે સોટી મારી..
સમસમ કરતી સુંદરતા જીવનમાં લાવી
વિદ્યા ધનને વિકસાવી
એજ શિક્ષક—મારા શિક્ષક
એવા શિક્ષક
વંદન તમને..
મા-પિતા-શિક્ષક
તમોને શતશત વંદન
:-મુક્તિદા કુમાર
‘મનચલી’
[9/7, 11:06 AM] minaxi raval: Nog ss:-0038
શીર્ષક :- શિક્ષક
વિભાગ :-પદ્ય
જ્ઞાન અને પવિત્રતાનો ભંડાર છે,
જીવનનો ઘડનાર એક શિક્ષક છે.
ઘરમાં જ્ઞાન સીંચે માતાપિતા સન્સકારનું,
સન્સકારને જીવતા શીખવનાર શિક્ષક છે.
હોય ભલે કોરી પાટી જીવનરૂપી સ્લેટની,
એમાં અવનવા રંગ ભરનાર શિક્ષક છે.
બાળ મન આમ તેમ ફરીને બેસે ઠેકાણે,
એ આદરયુક્ત ખૂણો આદર્શ શિક્ષક છે.
અપૂર્ણ ને પૂર્ણ કરવાની આવડત ભરી છે,
શબ્દો થકી જ્ઞાન વધારનાર એ શિક્ષક છે.
જેના જ્ઞાન થકી મહેકી ઉઠે જીવનપથ અહીં,
એવા જીવનના મૂલ્યો શીખવનાર શિક્ષક છે.
✍️શીલાપટેલ “આકાંક્ષા”
[9/7, 11:06 AM] minaxi raval: NOG ss no.- 0007
વિષય : શિક્ષક દિન
મને શિક્ષકદિનની ઊજવણી સાંભળીને આશ્ચર્ય થાય કે જેમના થકી આપણે ગોવિંદને ઓળખ્યા,જેમના થકી આપણે જીવનના મૂલ્યો જાણી શક્યા,જેમના થકી આપણને જીવનના દરેક સમીકરણો ઊકેલતાં આવડ્યા એ શિક્ષકો માટે માત્ર એકજ દિવસની ઊજવણી પૂરતી છે? અરે! એમનો ઉત્સવ તો ૩૬૫ દિવસ ઊજવવો જોઈએ.કારણ એમના દ્વારા અપાયેલા જ્ઞાનને લીધે આજે આપણું અસ્તિત્વ છે.એક શિક્ષક પાસેજ એવી કળા છે જે માટીને કંચનમાં બદલી શકે.કથીરને સોનામાં ફેરવી શકે.આપણા જીવન માટે આપણે આપણા માતાપિતાના ઋણી હોઈએ છીએ.પરંતુ એક સારા વ્યક્તિત્વ માટે આપણે આપણા શિક્ષકના ઋણી છીએ.કહેવાય છેને કે સમય અને શિક્ષક બંને શીખવાડે છે.પરંતુ બંને વચ્ચે માત્ર એટલોજ તફાવત છે કે શિક્ષક શીખવાડીને પછી પરીક્ષા લે છે.જ્યારે સમય પરીક્ષા લઈને પછી શીખવાડે છે.
પુસ્તકમાંની બારાખડી તો કોઈ પણ શીખવાડી શકે.પરંતુ એ બારાખડીના અક્ષરોને જોડી શબ્દો અને વાક્યો બનાવતાં તો શિક્ષકોજ શીખવી શકે.એ શબ્દોનો વાક્યોનો અર્થ એક શિક્ષકજ સમજાવી શકે.શિક્ષકો ઉત્તમ ફેસરીડર હોય છે.ક્લાસમાં ૭૦-૭૫ વિદ્યાર્થીઓ હોય , એમાંથી કયા વિદ્યાર્થીમાં કયો ગુણ છે અને કયો અવગુણ છે એ તરતજ પારખી જાય છે.જેમ હીરાઓને બજારમાં મૂકતાં પહેલાં એની તારવણી એટલે કે એસોર્ટેડ કરવામાં આવે તેમ શિક્ષકોની દ્રષ્ટી પળભરમાં વિદ્યાર્થીઓની તારવણી કરી લેતી હોય છે.અને એ પ્રમાણે જે તે વિદ્યાર્થીઓને એની કાબેલિયત અનુસાર તરાશતા હોય છે.એ સિવાય પણ પૃથ્વીથી સૂરજ વચ્ચેનું અંતર કેટલું છે એ તો શિક્ષક શીખવાડે,પરંતુ સાથે સાથે બેન્ચીસ પર બાજુમાં બેઠેલા નબળા વિદ્યાર્થીથી અંતર ન રાખવું એ પણ આ શિક્ષક શીખવાડે.ઈતિહાસના પાત્રોની ઓળખ પુસ્તકમાંના સિલેબસ પ્રમાણે કરાવે પરંતુ ઈતિહાસ કેમ રચવો એનું જ્ઞાન પણ આપે.દુનિયાની ભૂગોળ તો શિક્ષક શીખવાડેજ પરંતુ આપણા શરીરની ભૂગોળ કેવી રીતે માપસર રાખવી એ પણ એક યોગ શિક્ષકજ શીખવે.આપણું હ્રદય શરીરનું લોહી કેવી રીતે શુધ્ધ કરે છે એતો શિક્ષક શીખવાડે પરંતુ એજ હ્રદયથી આપણો આત્મા, આપણું જીવન કેવી રીતે શુધ્ધ રાખવું એ પણ શીખવાડે.ગણિતના સમીકરણો ઊકેલતાં શીખવતાં શીખવતાં જીવનના સમીકરણો કેવી રીતે ઊકેલવા એનું જ્ઞાન પણ આપણને શિક્ષકો પાસેથીજ મળે છે.વિદ્યા વિનયથી શોભે છે.આ કહેવતમાંથી વિનયની સમજ પણ આપણને આ શિક્ષકોજ આપે છે.આ રીત આપણું આખું જીવન આ શિક્ષકો સાથે જોડાયેલું છે માટેજ શિક્ષક દિન માત્ર એક દિવસ નહીં પરંતુ રોજજ ઊજવાવો જોઈએ.©️
લેખિકા : આરતી મરચંટ
મુંબઈ : કાંદિવલી.
🙏🏻અસ્તુ🙏🏻
[9/7, 11:06 AM] minaxi raval: NOG SS NO:004
*સાક્ષર*
મને સાક્ષર કરવા
ઘણો તમારો સંઘર્ષ.
નમન એવા સર્વે શિક્ષકગણને.
ડગલે પગલે ઠોકર ખાતા
સંભાળી મુજ ડોર !
નમન એવા સર્વે શિક્ષકગણને.
આજ મુજ હૈયે હર્ષ
કાર્ય મુજ હસ્તકે કરું હું.
આપનું બની શિક્ષિકા !
નમન એવા સર્વે શિક્ષકગણને.
કરીશ હું સહુને સાક્ષર
દઇશ વિદ્યા દાન ..!
વચન સર્વ શિક્ષકગણને.
જયશ્રી.પટેલ
૫\૯\૨૨
[9/7, 11:06 AM] minaxi raval: NOG સાહિત્ય સરિતા
NOG No – 119
પ્રકાર : પદ્ય
વિષય : શિક્ષક
શિર્ષક : શિક્ષક થયો.
*શિક્ષક થયો*
સત્યાવીસ માર્ચ ને ઓગણીસો પંચાસી એ હું શિક્ષક થયો,
વરણોસરી ગામને પોતાનું બનાવી ત્યાં રહીને શિક્ષક થયો.
ઈતર પ્રવૃતિઓ ને અનેક મૂલ્યના પાઠો સતત શિખવતો રહ્યો,
શાળાને જિલ્લા અને રાજ્ય સુધી નામ ગુંજતું કરી શિક્ષક થયો.
વરણોસરી ગામને પોતીકું બનાવી બધા સાથે હળીમળીને રહ્યો,
ગામલોકોનાં હ્રદયમાં સ્થાન લઈને બાળકોનાં દિલ જીતી શિક્ષક થયો.
કલા-સાહિત્યને સાંસ્કૃતિક મૂલ્યોના અભિનયો શિખવતા,
પાઠ્યપુસ્તકો સિવાય નું ઈતર સમજાવવા શિક્ષક થયો.
અવનવા સંશોધનો કરાવીને નવીનીકરણ શિખવતા,
બાળકને મધ્યમાં રાખીને અધ્યયન કરાવવા શિક્ષક થયો.
હેમખેમ છત્રીસ વર્ષ-સાત માસને ચાર દિવસ સેવા બજાવી,
સ્વાર્થ સાથે પરમાર્થ ની ગણતરીથી નિષ્ઠા પૂર્વક શિક્ષક થયો.
નિષ્ઠા-પ્રમાણિકતા પૂર્વક ફરજ નિભાવી વય નિવૃતી લીધી,
વીસાવડીથી વરણોસરી-શંખેશ્વરને વાહેદપુરામાં શિક્ષક થયો.
શૈક્ષણિક ઉપરાંત લોકભાગીદારી ને સહયોગ આપતાં,
જગદીશ બંધવ બોલે લોકહૈયામાં સ્થાન લેવા શિક્ષક થયો.
(👏🏼જય શિક્ષક👏🏼)
ડૉ જગદીશ કે રણોદરા(બંધવ)
વીસાવડી વરણોસરી શંખેશ્વર વાહેદપુરા
[9/7, 11:06 AM] minaxi raval: NG 0078
પ્રકાર – પદ્ય
શીર્ષક – *ખરો શિક્ષક*.
ઉબડખાબડ જીવન રસ્તો બન્યો મારો ખરો શિક્ષક;
અનુભવ છો કટુ પણ એ જ ઘડનારો ખરો શિક્ષક.
પ્રથમ ક્ષણથી શરૂ થઈ અંત તક રોજે મળે સૌને;
જીવનનો કોઈ નરસો પાઠ પણ સારો, ખરો શિક્ષક.
શીખવશે માત પા પા પગલી, કરશે લાડ પણ જ્યારે;
પડ્યો લાફો એ હાથે જે ‘દિ એ પ્યારો ખરો શિક્ષક.
પડી ઊભા થતાં એ શીખવાડે, રાહ દોરે, પણ;
જરૂરત જ્યાં પિતા લડશે બની તારો ખરો શિક્ષક.
નિભાવે દોસ્ત યારી, આવશે તકલીફમાં, કિન્તુ;
જો “શ્વેતા” કોઈ ઘા દેશે એ પરબારો, ખરો શિક્ષક.
– શ્વેતા તલાટી
[9/7, 11:06 AM] minaxi raval: NOG ss no – 0063
વિષય – પૂર્ણાહુતિ
શીર્ષક – ‘મત કર ગુમાન તું મનવા..’
આજે ગણપતિ વિર્સજનના પ્રસંગે, હું પણ ટોળાના ભાગરૂપે દરિયાકિનારે ખૂણો શોધી ઊભી હતી.
એક બાળક એનાં પપ્પાનો હાથ પકડી વિર્સજન માટે જતાં યુવાનોને નિહાળી રહ્યો હતો. બહુજ સામાન્ય ઘટના છે. પરંતુ, એ સાથે સાથે રડતો હતો. પગ પછાડીને ગણપતિબાપાને ના લઈ જવા માટે વિનવતો હતો. એકનોએક પ્રશ્ન વારંવાર દોહરાવતો હતો, ‘ પપ્પા, આપણે તો આટલાં દિવસ ભગવાનની સેવાપૂજા કરી અને હવે સાવ આવી રીતે એને પાણીમાં નાખી દેવાનાં? આવી રીતે વિર્સજીત કરી દેવાનાં? કેમ?’
બાળકનાં પપ્પા એને અતિ ક્ષુલ્લક, અષ્ટંપષ્ટંમ જવાબો આપી મૌન કરવામાં રત હતાં.
મેં એમની નજીક જઈ વિનંતી કરી, ‘ જો તમને વાંધો ના હોય તો, હું બાળકનું કુતૂહલ દૂર કરવાની કોશિષ કરું? આમેય પૂર્ણાહુતિનો તમાશો તો પૂર્ણતાના આરે છે.’
બાળકને મેં મૂર્તિનું સર્જન માત્ર માટીમાંથી જ કેમ કરાય છે? એની પાછળ ક્ષણભંગુરતાનો જે સંદેશ છુપાયેલો છે. ભગવાનનાં એકએક અંગના આકાર, કદ વગેરેની પાછળ છુપાયેલું તથ્ય સમજાવ્યું. અંતે જેનો આરંભ છે, એનો અંત નિશ્ચિત છે. એટલેકે, ગમેતેટલી પૂજા અર્ચના કરી હોય, ગમે તેટલાં માનસમ્માન મળ્યાં હોય, વિશેષ હોદ્દો મળ્યો હોય પરંતુ…
દરેક દિવસની જેમ રાત છે. એમ દરેક સર્જનનો વિનાશ નક્કી જ છે.
પ્રભુ, આપણને ખુદ નિમિત્ત બની, દર વર્ષે એકનોએક સંદેશો વારંવાર દોહરાવે છે.
મત કર ગુમાન તું મનવા…
કાળનું ચક્ર કોઈનું સગું નથી. એ એની ગતિમાં અવિરત ફરતું રહે છે. સમય આવ્યે સિકંદરની ચિઠ્ઠી પણ બીચ રસ્તે ફાટી જાય છે.’
બાળક થોડુંઘણું સમજ્યું. એણે બહુજ નિર્દોષભાવે મને કહ્યું,’ આન્ટી, હવે હું ક્યારેય ફસ્ટ આવીશને, તોપણ મારાં મિત્રો આગળ બડાઈ નહીં હાંકુ, કેમકે બની શકે પછીની પરિક્ષામાં હું એટલું સારું પરિણામ ના પણ લાવી શકું.’
બહું સહજતાથી, નિર્દોષતાથી ખૂબજ સરળ વાત કરી, એ મને આવજો કરી એનાં પપ્પાનો હાથ પકડી હાલ્યો ગયો.
મારું મન ચકડોળે ચડ્યું.
તાજેતરમાં જ બનેલી બે ઘટનાઓ.. એક, રાત્રે અઢી વાગ્યે પાંઉભાજીની લારીએ કામ કરી પાછાં ફરતાં, વતનથી દૂર, બે મજબૂર યુવાનોનો ભોગ રોડ એક્સિડન્ટમાં લેવાયો. છાપાંના ખૂણાની કોલમમાં એને સ્થાન મળ્યું. ઓછું ભણેલાં, મજુરી કરવા મજબૂર એ બન્નેનો, એનાં કુટુંબીઓનો શું વાંક હતો?
બીજાં, અડસઠ લાખની ગાડીમાં, દરેક પ્રકારની સુખસગવડતા અને સુરક્ષા, એંસી હજાર કરોડની સંપતિના માલિક..
અને.. અંત!
એક પાસે કદાચ અડસઠસો રૂપિયા નહોતાં જ્યારે બીજાં…
શું દરેકની પૂર્ણાહુતિ રસ્તો ઈશ્વરાધિન જ છે ને?
તો.. તો.. પછી આ…ટલા કુડકપટ અને કાવાદાવા શાને?
✍️ – રીટા ભાયાણી.
[૨૫) : NOG SS.No.0098
હું આજે શિક્ષક દિવસના અવસરે મારા જીવનમાં આવેલા તમામ સન્માનિત ગુરુજનો નો શીશ નમાવીને નમન કરું છું જેમની બદોલત આજે મારી પહેચાન બની રહી છે…. એના સિવાય એમને પણ પ્રણામ કરું છું જેમના થી મૈં વ્યક્તિગત જીવનમાં અને સાહિત્ય રચનાઓ ના વિષય મા ઘણું શીખ્યું છે… અને શીખી રહી છું. રાષ્ટ્ર નિર્માણ માં સમર્પિત બધા શિક્ષકો ગુરુજનો ને શિક્ષક દિવસની હાર્દિક શુભકામના.
બધા ગુરુજનો આશીર્વાદ હંમેશા બન્યો રહે . 🙏
✍️
લીના શર્મા
હાલોલ.
[૨૬) *NOGSS NO-* 0088
*વિષય-* શિક્ષકદિન વિશેષ..
*પ્રકાર-* પદ્ય
*શીર્ષક-* છું માસ્તર
*નામ-* ડૉ. મનીષા વ્યાસ
છું શિક્ષક, કરું માનવીય ગુણનું સદા ઘડતર..
ભણી ગણીને બને પગભર કરું એવું ચણતર..
બને વિશ્વમાનવી એવી ખેવના તરબતર…
ચઢે સફળતાની સીડી દિનપ્રતિદિન ઉત્તરોત્તર..
જીવનના સંગ્રામમાં ન રહે સંગ્રામ કે નડતર..
માના સ્તરે રહી હૂંફે ચઢાવું શિક્ષણનું અસ્તર..
કેળવી ચારિત્ર ને વળી ભણાવું સઘળાં શાસ્તર..
અને તેથી જ લોકમુખે રમતું રહે નામ માસ્તર..
ડૉ. મનીષા વ્યાસ
અમદાવાદ
(૨૭) : NOG SS No: 001
પ્રકાર : ગદ્ય
શીર્ષક : શિક્ષક દિન
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન:
ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ પાંચમી સપ્ટેમ્બર 1888ના રોજ તમિલનાડુના તીરૂતાનીમાં થયો હતો. તેમને તત્વજ્ઞાન વિષયમાં પી.એચ.ડી.ની પદવી મેળવી હતી. તેઓ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ રહી ચૂક્યા હતા. ડૉ. રાધાકૃષ્ણન એક મહાન ફિલોસોફર અને શિક્ષક હતા. શિક્ષક પદથી રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચનાર તેઓ પ્રથમ વ્યક્તિ હતા. તેમણે એકવાર કહ્યું હતું કે – “હું પહેલા શિક્ષક છું,અને પછી રાષ્ટ્રપ્રમુખ છું .” ૧૯૫૨માં તેમની વરણી ભારતના રાષ્ટ્રપતિ તરીકે કરવામાં આવી હતી.ડો. રાધાકૃષ્ણનને તેમના સેવાકાર્ય માટે કેટલાક બ્રિટિશ અને ભારતીય ઇન્કલાબ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૫૪માં તેમને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૭૫માં ઓક્સફર્ડ યુનિર્વિસટીએ તેમને ટેમ્પલટન એવોર્ડથી નવાજ્યા હતા. ઈનામમાં મળેલી બધી જ રકમ તેમણે યુનિર્વિસટીને દાનમાં આપી દીધી હતી.
જ્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે ઉત્સાહ બતાવવામાં આવ્યો હતો.તેમનો જન્મદિવસ ઉજવવા તેમની આગળ રજૂઆત કરી હતી. જોકે રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઊજવવાનું સૂચન કર્યું હતું. બસ, ત્યારથી તેમનો જન્મદિવસ ભારતમાં શિક્ષક દિન તરીકે ઊજવવામાં આવે છે.
શિક્ષક દિનની ઉજવણીનું મહત્વ :
આપણી શાળા કૉલેજોમાં શિક્ષક દિનની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવે છે. બાળકો શિક્ષકનું મહત્વ સમજે અને આદર કરતા થાય એ આશયથી આ દિવસે બાળકો ખુદ શિક્ષક બનીને કામ કરે એવી રીતે ઊજવવમાં આવે છે. આ દિવસે ઉત્સાહી બાળકો શિક્ષકની ભૂમિકા નિભાવે છે.સવારની પ્રાર્થના સભાથી લઈને આખા દિવસની શાળાની જવાબદારી બાળકો જ સંભાળે છે. વર્ગખંડમાં કાર્ય કરવામાં કેટલી મુશ્કેલીઓ પડે છે એનાથી વાકેફ થાય છે. જ્યારે એક વિદ્યાર્થી તરીકે પોતે પોતાના શિક્ષકની સૂચના નથી માનતા કે વર્ગખંડમાં શાંતિ નથી જાળવતા ત્યારે કોઈ શિક્ષકની મનોદશા કેવી હોય છે એનો જાતે અનુભવ મેળવે છે. આખો દિવસ શિક્ષક તરીકે કામગીરી કર્યા બાદ આ બાળકો પોતાના સહાધ્યાયીઓને વર્ગખંડમાં પડેલી મુશ્કેલીઓ અને આનંદની પળો વિશે જણાવે છે. શિક્ષક બન્યાનો ગર્વ અનુભવવાની સાથે સાથે તેઓ બીજા બાળકોને શિક્ષકોનો આદર કરવાની સલાહ પણ આપતા જાય છે. આ ઉપરાંત શાળાઓમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો અને ગુરુવંદના કાર્યક્રમો પણ કરવામાં આવે છે. શિક્ષણ વિભાગ દ્વારા તાલુકા કક્ષાએ , જિલ્લા કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર નું સન્માન પણ કરવામાં આવે છે..
સંચાલક : પ્રદીપ રાવલ
(૨૮) N.O.G. S.S.. No. 0102.
નામ :- રતીલાલ વાયડા
વિષય:- શિક્ષક દિન.
પ્રકાર:-. ગદ્ય લેખ.
શીર્ષક:- શિક્ષક દિન.
તારીખ:-. ૫/૯/૨૦૨૨. સોમવાર.
રચના:-
આજ તારીખ:-. ૫/૯/૨૦૨૨. સોમવારના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે.
પ્રાચીન પરંપરા પ્રમાણે તો ગુરુપૂર્ણિમાના દિવસે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. આમ છતાં પણ આપણા રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદ માં આજના દિવસે તેમના જન્મ દિવસને અનુલક્ષીને શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે . તેઓ એક મહાન શિક્ષક હતા અને તેને આજે યાદ કરીએ.
જગતમાં જ્ઞાન મેળવવાની અનેક રીતો છે પરંતુ કેટલાક શાસ્ત્રો એવા છે કે જેમાં ગુરુ વિના જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી અને ગુરુની અનિવાર્યતા આજે પણ એ જ પ્રકારની રહી છે.
ગુરુ આપણા જ્ઞાનના દ્વાર ખોલે છે અને પ્રકાશ તરફ લાવે છે.માનવીમાં રહેલી આંતરિક શક્તિને બહાર લાવી અને તેને ઉજાગર કરવામાં શિક્ષકનો બહુ મોટો ફાળો છે. માટે જ તેનો જેટલો આભાર માનીએ તેટલું ઓછું કહી શકાય.
શિક્ષક જ્ઞાની હોવો જોઈએ. તેને પોતાના વિષયનું તલસ્પર્શી તેને જ્ઞાન હોવું જોઈએ. તે વિદ્યાર્થીને ઓળખતો હોવો જોઈએ વિદ્યાર્થીના માનસને ઓળખ્યા વિના શિક્ષણ આપી શકાતું નથી એટલું જ નહીં પરંતુ વિદ્યાર્થીમાં રહેલી જે શક્તિઓ છે તેને બહાર લાવવા માટેની જુદી જુદી પ્રયુક્તિનો ઉપયોગ કરી તેને યોગ્ય બનાવવામાં મહેનત કરે છે .જેમ એક હીરા ઘસુ હીરાને જુદા જુદા પાષાઓથી ઘસે છે તેમ શિક્ષક પણ વિદ્યાર્થીઓનો હીરા ઘશું છે એમ કહીએ તો પણ કંઈ ખોટું નથી.
આજના પવિત્ર દિવસે ન્યુઝ ઓફ ગાંધીનગર અને સાહિત્ય સરિતાના તમામ શિક્ષકો તેમજ લેખકોને અને વાંચકોને શિક્ષક દિનની ઘણી બધી શુભેચ્છાઓ.
લેખક:- રતીલાલ વાયડા
નવીમુંબઈ૫/૯/૨૦૨૨.સોમવાર.
[૨૯) NOG SS NO – 0050
ગુરુ /શિક્ષક.
……………………………….. ગુરુની મહિમા શું કહું…? સાચા ગુરુ થકી મળે જીવન..! એનાથી મળે જ્ઞાનની ધારા ..!
મન જીવનને સંસારની વાતો..!
જ્ઞાનની ધારા, જ્ઞાનનો સંસાર સાગર..!
ગુરુ આપણને મંદિર સુધી પહોંચાડે..!
ગુરુ પોતે સ્વય દીપક બની જાય આપણાં માટે..!
અનમોલ રત્ન મારાં ગુરુ ..!
નૈયા પાર ઉતારે …!
માતા પિતા આપણાં પ્રથમ ગુરુ કહેવાય છે..!
એક માતા 100 શિક્ષકની ગરજ સારે…!
ગુરુ આપણને અક્ષર જ્ઞાન આપે ..!
જીવનનાં હર ડગલે પગલે રાહ બતાવે…!
ખાલી કોરી પાર્ટી લઈ શાળાએ ગયાં..!
ને હાથ પકડીને એકડો શીખવાડ્યો મારાં ગુરુએ..!
એવું જ્ઞાન આપ્યું મુંજ જીવનમાં…!
કેવાં નાદાન કુમળાં પાન જેવાં..!
ટકોરા મારી મારીને ઘડ્યાં અમને..!
લખતાં, વાંચતાં, રમતાં શીખવાડ્યું..!
હર પરીક્ષા માં ઉત્તમ નિવળ્યા..!
ને પાક્કા બનાવ્યાં ગુરુએ..!
શિસ્તને સંસ્કારથી ઘડી દીધાં..!
જીવનનાં મૂલ્યો સહજ શીખવાડ્યા..!
એ ગુરુને શત શત..!
રાગીની શુક્લ “રાગ”
મુંબઈ, કાંદિવલી
(૩૦): NOG SS No. 0098
વિષય:- શિક્ષક દિવસ
ગુરુ ગોવિંદ દોનો ખડે કાં કે લાગુ પાયે
બલીહારી ગુરુ આપને ગોવિંદદીઓ બતાયે
આ દોહામાં કબીરદાસજી કહે છે કે ગુરુજ આપણને ગોવિંદ અર્થાત ભગવાન સુધી પહોંચાડવાનો માર્ગ બતાવે છે અર્થાત ગુરુ મહાન છે માટે ગુરુનો વંદન સર્વપ્રથમ કરવો જોઈએ ગુરુનો દરજ્જો સૌથી ઉપર હોય છે
આમ કહેવાય છે કે બાળકોના જીવનમાં પહેલી ગુરુ એમની માં હોય છે જે સંસારથી અવગત કરાવે છે અને બીજો સ્થાન શિક્ષકનો હોય છે જે સાંસારિક બોધ કરાવે છે શિક્ષકથી સંબંધ બૌદ્ધિક અને આંશિક હોય છે.
ભારત વર્ષમાં ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી એક મહાન શિક્ષક હતા જેમને જીવનના 40 વર્ષ અધ્યાપન કાર્યને આપ્યા તે વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષકોના યોગદાન અને ભૂમિકાના મહત્વ માટે જાણીતા છે
સર્વપલ્લી રાધાકૃષ્ણ ના જન્મદિવસને શિક્ષક દિવસના રૂપમાં મનાવીએ છીએ
1962 માં પહેલી વખત પાંચ સિતમ્બરના રોજ શિક્ષક દિવસ ઉજવાયો ત્યારથી આજ સુધી પાંચ સિતમ્બર ના દિવસે શિક્ષક દિવસ ઉજવાય છે.
દોહા .
પંડિત યદી પડી ગુની હુએ ગુરુ વિના મિલેન જ્ઞાન જ્ઞાન વિના નહીં મુક્તિ હૈ સત શબ્દ પરમાન.
કબીરદાસજી કહે છે કે મોટા મોટા વ વ વિદ્વાનો શાસ્ત્રોને વાંચીને પોતાની જ્ઞાની સમજે છે પરંતુ ગુરુના વિના જ્ઞાન નથી મળતો અને જ્ઞાનના વિના મુક્તિ નથી મળતી.
જ્ઞાન ઓર મુક્તિ ના માર્ગ ને પ્રશસ્ત કરે છે શિક્ષક.
રાષ્ટ્ર નિર્માણમાં સમર્પિત બધા શિક્ષકો ગુરુજનો ને શિક્ષક દિવસની હાર્દિક શુભકામના.
✍️
લીના શર્મા. હાલોલ
(૩૧) NOG SS NO.0081
વિષય : શિક્ષક દિન
પ્રકાર: ગદ્ય
શીર્ષક: ગુરુ અને શિક્ષક
*_Guru Vs Teacher…_
:::::::::::::::ગુરુ અને શિક્ષક ::::::::::
એક શિક્ષક આપણને પરિપક્વતા તરફ લઈ જાય છે.
એક ગુરુ આપણને નિર્દોષતા તરફ લઈ જાય છે.
એક શિક્ષક આપણાં વિકાસની જવાબદારી લે છે.
એક ગુરુ આપણને વિકાસ માટે જવાબદાર બનાવે છે.
એક શિક્ષક ભૂલ માટે છડીથી શિક્ષા કરે છે.
એક ગુરુ એની કરૂણાથી ભૂલ સમજાવે છે.
એક શિક્ષક આપણાં પ્રશ્નોના જવાબ આપે છે.
એક ગુરુ આપણાં જવાબને પડકારે છે.
એક શિક્ષક આપણને જ્ઞાન આપે છે.
એક ગુરુ આપણને શાણપણ આપે છે.
એક શિક્ષક આપણને ગૂંચવણમાંથી બહાર આવવા મદદ કરે છે.
એક ગુરુ એ ગૂંચવણનો નાશ કરે છે.
એક શિક્ષક આપણને વિશ્વફલક પર વિહરતા શીખવે છે.
એક ગુરુ વિશ્વફલક પર આપણું સ્થાન બનાવતાં શીખવે છે.
એક શિક્ષક વિશ્વમાં સારો દેખાવ કરવા તૈયાર કરે છે.
એક ગુરુ આંતરમનમાં સારો દેખાવ કરવા તૈયાર કરે છે.
એક શિક્ષક આપણાં માર્ગદર્શક છે.
એક ગુરુ રસ્તો ચીંધનારા છે.
#©️ માયા દેસાઈ
મુંબઈ ભારત.
એક શિક્ષક આપણને સૂચના આપે છે.
એક ગુરુ આપણને ઘડે છે.
એક શિક્ષક આપણાં મનની ધાર કાઢે છે.
એક ગુરુ આપણું મન ખોલે છે.
એક શિક્ષક આપણાં મન સુધી પહોંચે છે.
એક ગુરુ આપણાં આત્મા સુધી પહોંચે છે.
.
એક શિક્ષક આંગળી પકડી માર્ગ બતાવે છે.
એક ગુરુ ઉદાહરણ આપી માર્ગ બતાવે છે.
એક શિક્ષકનું કામ પૂરું થાય ત્યારે આપણે ઉત્સવ મનાવીએ છીએ.
એક ગુરુનું કામ પૂરું થાય ત્યારે આયખું ઉત્સવ બની જાય.
#©️ માયા દેસાઈ, મુંબઈ
(૩૨) NOG. SS .NO.0026
વિષય – શિક્ષક
વિભાગ – પદ્ય ( ગઝલ)
શીર્ષક – સમજણને વિકસાવે શિક્ષક.
જ્ઞાનનાં બીજને વાવે શિક્ષક.
સમજણને વિકસાવે શિક્ષક.
સાચું, ખોટું બાળ ક્યાં જાણે?
પ્રેમથી એ પરખાવે શિક્ષક.
મહેનત કરતાં જંગ જીતાશે,
એવુંયે સમજાવે શિક્ષક.
કૂંપળ ઉગતાં છોડ બને છે,
માળી થઈ સહલાવે શિક્ષક.
જ્ઞાનથી ઉજ્વળ થાતું જીવન,
એવી જ્યોત જલાવે શિક્ષક.
✍️ અંજના ગાંધી ” મૌનુ”
વડોદરા
( હાલ અમેરિકા)
(૩૩) NOG SS No:121
પ્રકાર : મુક્તક
શીર્ષક;
વિષય : શિક્ષક
છંદ – લગાગાગા ×4
તું ચાહે ત્યાં મને ઈશ્વર, ભલે લાખો જનમ આપે,
કે ચાહે તો અસંખ્ય યાતનાઓમાં મને નાખે.
કૃપા બસ એટલી ચાહું, મળે કોઈ સબળ શિક્ષક,
તરાશી ઘાટ દે ઉન્નત અને આતમ પ્રભુ સ્થાપે.
✍️હાર્દિક રાવલ (હાર્દ)
(૩૪) NOG- સાહિત્ય સરિતા
NOG No. 120
પ્રકાર : પદ્ય
શિર્ષક : શિક્ષક નો તહેવાર
વિષય : શિક્ષક
*શિક્ષકોનો તહેવાર*
શિક્ષકોનો આજે આવ્યો રૂડો તહેવાર,
હોંશે-હોંશે ઉજવીએ રૂડો તહેવાર…
શિક્ષક દિવસનો આવ્યો રૂડો અવસર,
શિક્ષક બનવાનો આવ્યો રૂડો અવસર…
જીવનમુલ્યોનાં પાઠશિખવવા તૈયાર થઈએ,
જીવનઘડતરનું ભણતરભણી તૈયાર થઈએ…
વાંચનનો વહેવાર રાખીએ આપણાં જીવનમાં,
નિત નવું-નવું શિખવા નો સૌ કરીએ વિચાર…
રમીલાબેન ડી મકવાણા *રમા*
***************”””””***************
www.janfariyadnews.com (you tube chenal સમાચારો ની સપ્તાહ ની લીંક )
નોંધ: આપની આસપાસ બનતી સામાજિક રાજકીય કે કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ ના સમાચારો કે વીડિયો લીંક અમોને નિર્ભય રીતે whatsapp ઉપર મોકલી આપજો યોગ્ય પ્રસિધ્ધિ અમારી ન્યુઝ ચેનલ માં તેમજ અખબારમાં તેમજ ન્યુઝ પોર્ટલમાં આપવામાં આવશે. તંત્રી : પ્રદીપ રાવલ (9824653073)
નોધ : નિર્ભય,પ્રમાણિક પત્રકારો તમામ જિલ્લા તાલુકા માંથી આવકારવામાં આવશે..