src=”http://janfariyadnews.com/wp-content/uploads/2021/09/Screenshot_20210724-223731_1.png” alt=”” width=”720″ height=”432″ class=”alignnone size-full wp-image-6798″ />
ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની પાંચ રચનાઓ
વિષય :.” શ્રાદ્ધ પક્ષ.માતૃ,પિતૃ શ્રાદ્ધ મહત્વ” વિષયક રચનાઓ(૧૨-૯-૨૦૨૧)દિવસ – ૧
Jan fariyad & News of Gandhinagar daily
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
website : www.janfariyadnews.com
What’s up calling No : 9824653073
Email : prdpraval42@gmail.com
Email : prdpraval@yahoo.co.uk
YouTube : janfariyadnews
News portal : janfariyadnews
Twitter : @prdpraval
*********************************************
NOG SS: 0089
શીર્ષક : “ શ્રાદ્ધ “
પ્રકાર : ગદ્ય
રેખા શુકલ – અમેરિકા
હિંદુ ધર્મના લોકોમાં શ્રદ્ધાથી પિતૃઓને જે અંજલિ આપવામાં આવે છે, તેને શ્રાદ્ધ કહેવાય છે. વિક્રમ સંવત નાં ભાદરવા સુદ પુનમે થી આ પર્વની શરૂઆત થાય છે. જે ભાદરવા વદ અમાસ સુધી ચાલે છે. શ્રાદ્ધ નાં સોળ દિવસનાં સમુહને શ્રાદ્ધપક્ષ તેમજ પિતૃતર્પણનાં દિવસો કહેવાય છે.
અંગ્રેજીમાંથી અનુવાદિત-પિતુ પક્ષ હિંદુ કેલેન્ડરમાં 16 – ચંદ્ર દિવસનો સમયગાળો છે જ્યારે હિન્દુઓ તેમના પૂર્વજને ખાસ કરીને અન્નકૂટ દ્વારા શ્રદ્ધાંજલિ આપે છે. આ સમયગાળાને પિત્રી પક્ષ/પિતર-પક્ષ, પિત્રી પોળખો, સોરઠ શ્રાદ્ધ, કાનગટ, જીતીયા, મહાલય પક્ષ અને અપરા પક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે.
શ્રદ્ધા ( સંસ્કૃત : श्राद्ध ) એક સંસ્કૃત શબ્દ છે જેનો શાબ્દિક અર્થ થાય છે કંઈપણ અથવા કોઈપણ કાર્ય જે તેમાં સંપૂર્ણ નિષ્ઠા અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે કરવામાં આવે છે. ( Āraddhā ). માં હિન્દૂ ધર્મ છે, તે કર્મકાંડ છે કે પગાર શ્રદ્ધાંજલિ એક પ્રદર્શન કરે છે એક માતાનો ‘ પૂર્વજો ‘ (સંસ્કૃત: Pitṛs ), ખાસ કરીને એક મૃત માતા-પિતા છે. [1]સૈદ્ધાંતિક રીતે, લોકો તેમના માતાપિતા અને પૂર્વજો પ્રત્યે દિલથી કૃતજ્તા અને આભાર વ્યક્ત કરવાનો એક માર્ગ છે, તેમને તેઓ જે છે તે બનવામાં મદદ કરવા અને તેમની શાંતિ માટે પ્રાર્થના કરવા માટે. તેને “સ્મરણનો દિવસ” તરીકે પણ વિચારી શકાય છે. તે પિતા અને માતા બંને માટે અલગથી કરવામાં આવે છે, તેમની સંબંધિત ‘તિથી’ પર – હિન્દુ કેલેન્ડર મુજબ મૃત્યુ વર્ષગાંઠ . એકંદરે દરમિયાન – પૈતૃક અને માતૃત્વ બાજુ બંને – ઉપરાંત તે ‘pitr’ સમગ્ર સમુદાય માટે કરવામાં આવે છે Pitru પક્ષ અથવા Shraaddha પક્ષ (પૂર્વજો પખવાડિયામાં), જમણી પહેલાં શરદ નવરાત્રી શરદ.
કાગવાસ નાંખી પિતૃઓના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. સંતાનો યાદ કરી આવનારી અડચણથી રક્ષા માટે પ્રાર્થના કરે છે. સર્વે પિત્રુનું શ્રાદ્ધ ખીર બનાવી બ્રાહ્મણ ને જમાડી દક્ષિણા દેવાય છે. મંદિરમાં સીધુ આપવામાં આવે છે.
અસ્તુ . — રેખા શુકલ. અમેરિકા
**†*****************************
NOG SS: 0032
વિષય: માતૃપિતૃ શ્રાધ્ધ
પ્રકાર : પદ્ય
શીર્ષક: *તર્પણ*
શ્રાદ્ધ તિથિએ અર્પણ દિલથી કરીએ તર્પણ
આજ અમાસના દિવસે પિતૃશ્રાધમાં ભળ્યું માતૃશ્રાધ.
હરિદ્વાર ગંગાને કાંઠે શ્રધ્ધાથી કર્યુ ગંગાસ્નાન
માતૃપિતૃને અંજલી આપી ખરા દિલથી કર્યુ તર્પણ.
દશે દિશાથી લાગણી ભાવના, દયા, ક્ષમા તર્પણ,
તમારાં સ્મરણોમાં વહેતા,ભાવ તણા ઝરણાં.
સ્મરણ તમારું પ્રતિક્ષણ આ જીવન રણ,
યાદોનું શરણ જીવન મરણ..
વહે ભાવ સ્નેહનું ઝરણું અકારણ યાદોનું શરણું ,
તમે તો થયા શ્રીજી હરિને શરણ ,પગદંડીએ અંકિત તમારું મરણ.
મુખ પરનું સ્મિત,અમારા હ્રદયમાં અંકિત,
તમારાં સ્નેહનું નજરાણું નિરાળું.
એ જ પ્રાર્થનાને એ જ ભજન,
વાગોળતા રહીશું બસ અવિરત.
મીના માંગરોલીયા મીનુ
અમદાવાદ
9/9/2021
********************************
NOG SS NO – 0026
વિષય – શ્રાદ્ધ.
શીર્ષક – તો શું થાય?
વિભાગ – પદ્ય ( લઘુકાવ્ય)
આપણે,
જીવતાં મા – બાપને,
હાંસિયામાં ધકેલી દઈએ,
મરણ પછી,
શ્રાધ્ધ કરીએ
તો શું થાય?
શું શ્રાદ્ધ એમને પહોંચી જાય?
પણ,
સાથે – સાથે,
પશ્ચ્યાતાપનાં આંસુ પણ એમાં ભળી જાય,
તો,
આટલું તો જરૂર થાય,
એમનાં સુધી શ્રાદ્ધ પહોંચી જાય!
અંજના ગાંધી “મૌનુ”
વડોદરા
********************************
NOG SS No :- 0038
વિષય :- શ્રાધ્ધ
વિભાગ :- માઈક્રોફિક્સન
શીર્ષક :-શ્રાધ્ધ
પતિના અવસાન પછી રોજ ભગવાન પાસે કગરીને
મોત માંગતા બા આજે દીકરા અને વહુને એના પિતાના
શ્રાધ્ધમાં આખું ગામ જમાડતા જોઈ પોતાની આંખમાંથી
વહેતા આંસુ ને રોકી શકતા નથી.
✍️શીલાપટેલ “આકાંક્ષા”
********************************
NOG SS No : 0001
પ્રકાર : ગદ્ય
શિર્ષક : શ્રાદ્ધ પક્ષ
પિતૃ શ્રાદ્ધ. (પ્રથમ રચના)
આપણા પિતા એટલે આપણા જન્મદાતા ,આ ધરતી પર જીવન જીવવાનો અધિકાર આપનાર આપણા પ્રથમ દેવ,
આપણા જન્મથી જ આપણું દરેક પ્રકારે ધ્યાન રાખે, પોતાની લાગણીઓ હૃદયમાં ધરબી દઈ બાળકની લાગણીને
જરાય ઠેશ ના પહોંચે એ ખ્યાલ રાખે….એ પિતા ,પોતે પોતાના માટે કાઈપણ ખરીદતા સો વાર વિચાર કરે અને
સંતાન માગે તો તરત લાવી આપે, પોતે તૂટેલા બુટ ચપ્પલે કે ઉઘાડા પગે ચાલી નીકળે પણ સંતાનને સારામાં સારા
પગરખાં અપાવે ,પોતે બહાર હોટલમાં જાય -ખાય નહિ પણ સંતાનોને લઇ જાય એ પિતા જેમની કિંમત સંતાન
સમજે નહિ અને ઘણીવાર પિતાની લાગણીઓને ઠેશ પહોંચાડે અને પિતા એ કડવા ઘૂંટ ગળી જાય , એ બધી વાતનો
ખ્યાલ સંતાનને પછી આવે.એટલે એમને મૃત્યુ બાદ માફી માગી ,જાણતા અજાણતા એમના આત્માને દુઃખ લાગ્યું હોય
તો ક્ષમા કરવા અને આત્માની શાંતિ આપી મોક્ષ માર્ગે ઈશ્વર લઇ જાય એ માટે શ્રદ્ધા પૂર્વક કરાય છે શ્રાદ્ધ
આ શ્રાદ્ધનો સૌથી પહેલો ઉપદેશ મહર્ષિ નીમીને મહા તપસ્વી અત્રી મુનિને આપ્યો હતો.આમ શ્રાદ્ધની સૌથી
પહેલી શરૂઆત મહર્ષિ નિમીએ કરી હતી.વિષ્ણુના અવતાર શ્રી રામ અને શ્રી કૃષ્ણ એ પણ પિતૃના શ્રાદ્ધ કર્યા
હતા.રામાયણમાં પણ પિતૃઓના શ્રાદ્ધનું વર્ણન છે જ. આમ પિતૃઓના આત્મા ની શાંતિ અર્થે કે ઈશ્વર એમને
મોક્ષ આપે એ પ્રાર્થના કરવામાં આવે છે. અથવા એ જ આત્મા આગળના જન્મને ભૂલી નવો જન્મ સરળતાથી
નવી શૈલીમાં લઇ શકે એ પ્રાર્થનાનું સ્વરૂપ હશે શ્રાદ્ધ જે કરવું જોઈએ કોઈએ પણ પૂર્ણ શ્રદ્ધાથી.કારણ કે શ્રાદ્ધ
એ પિતૃ ઋણમાંથી મુક્ત થવાની પૂજા અર્ચના છે.
સંચાલક : પ્રદીપ રાવલ
********************************
NOG SS No : 0001
પ્રકાર : ગદ્ય
શીર્ષક : શ્રાદ્ધ પક્ષ
માતૃ શ્રાદ્ધ (બીજી રચના)
અર્પણ , તર્પણ અને સમર્પણ એટલે માતૃ શ્રાદ્ધ , આ જગતનો કોઈ પણ જીવ ગમે તેટલું તર્પણ કરે તોય માતાના
ઋણમાંથી મુક્ત થઇ શકવા જ નહીં.આમ જોવા જાવ તો શ્રાદ્ધ શબ્દ શ્રદ્ધા ઉપરથી બનેલો છે.મહામુનિ કપિલદેવે
પોતાની માતા દેવહુતિનું સાંખ્ય જ્ઞાનનો ઉપદેશ આપી જીવનમુક્તિ અપાવી હતી ત્યારથી આ માતૃશ્રાદ્ધનો મહિમા
થયો છે. માં ના ઉપકારો તો કોઈપણ હિસાબે ભૂલી શકાય જ નહિ. માં જન્મ આપે છે એ જ ઉપકાર કેમ ભુલાય?
અનેક પીડાઓ સહન કરી એક જીવને પોતાના ઉદરમાં ઉછેરી આ ધરતી પર લાવે છે , એક જીવમાંથી બીજો જીવ
જન્મ લે એ જ ઈશ્વરની મોટી કૃપા છે. માતૃત્વ ધારણ કર્યા પછી માં બાળકને જન્મ આપે એટલે એને પહેલો સંતોષ
માતા બનવાનો થાય છે. પછી તો બાળક જ એની દુનિયા બની જાય છે. આ દુનિયામાં એને પોતાના બાળકથી
વિશેષ કાંઈ નથી હોતું.
માતૃ શ્રાદ્ધ કરવા માટે શ્રેષ્ઠ સ્થળ છે..બિંદુ સરોવર કેમ બન્યું એ પણ જાણવા જેવું છે કર્દમઋષિ અને દેવહુતિની
કઠોર તપશ્ચર્યા જોઈને ભગવાન નારાયણે પ્રસન્ન થઈ વરદાનમાં માતા દેવહુતિના કુખે જન્મ લીધો જે ભગવાન
નારાયણનો પાંચમો અવતાર’ કપિલાવતાર’ કહેવાયો કપિલ ભગવાને નાની ઉંમરમાં માતા દેવહુતિને સાંખ્યશાસ્ત્રનો
ઉપદેશ આપી માતાનો ઉધ્ધાર કર્યો. ભગવાન કપિલના ઉપદેશથી કૃતાર્થ થયેલી માતા દેવહુતિની આંખોમાં હર્ષના
અશ્રુ ઉભરાયાં. જે નીચે ટપકતાં ત્યાં સરોવર બન્યું. જે હર્ષબિંન્દુ સરોવર કહેવાયું અને કાળક્રમે એ બિંદુ સરોવર
તરીકે ઓળખાયું આમ માતાએ કરેલા આપણા પરના અગણિત ઉપકારો કે જેનું કોઈ મૂલ્ય નથી , અમૂલ્ય છે ,
એ માતાને આપણે અનેક ઈચ્છા ના હોવા છતાં દુઃખ પહોંચાડ્યું હોય , આપણને એવો ખ્યાલ પણ ના હોય કે
આપણા કર્મ કે વચનથી માના હૃદયને ઠેશ પહોંચી અને એ આંસુઓનો કડવો ઘૂંટ કોઈને ખબર પડે એમ ગળી
ગઈ છે. એટલે સંપૂર્ણપણે અર્પણ ,તર્પણ અને સમર્પણનો યજ્ઞ એટલે માતૃ શ્રાદ્ધ .
સંચાલક : પ્રદીપ રાવલ