ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની પાંચ રચનાઓ
વિષય :.” શ્રાદ્ધ પક્ષ.માતૃ,પિતૃ શ્રાદ્ધ મહત્વ” વિષયક રચનાઓ(૧૩-૯-૨૦૨૧)દિવસ – ૨
Jan fariyad & News of Gandhinagar daily
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
website : www.janfariyadnews.com
What’s up calling No : 9824653073
Email : prdpraval42@gmail.com
Email : prdpraval@yahoo.co.uk
YouTube : janfariyadnews
News portal : janfariyadnews
Twitter : @prdpraval
*************†***************************
NOG SS No-0091
શબ્દ : શ્રાદ્ધ
પ્રકાર: પદ્ય
શીર્ષક: માબાપની વેદના
જીવતાં અમને જાણ્યા નહીં, મર્યા પછી વધાવ્યાં.
વૃદ્ધાશ્રમમાં મોકલી અમને, એકલવાયા બનાવ્યાં.
રાખ્યાં’તા અમે દિલમાં જેને, પારકા ગણી તરછોડ્યાં.
જમીન-જાયદાદ હડપી લઈને, નિસાસા નખાવ્યાં.
ઇચ્છાઓ અમારી મારીને, અમને ખૂબ રડાવ્યા.
બટકું રોટલા માટે અમને ખુબ છે તરસાવ્યાં.
મર્યા પછી શું શ્રાધ્ધ કરો છો? કાગડા શું બોલાવ્યાં.
અમને ભૂખ્યાં રાખીને, દુનિયાને શું જમાડ્યાં?
ખોટાં આંસુ સારીને, ખોટાં પ્રેમ દેખાડ્યાં.
પૂજા પાઠ કરવા, બ્રાહ્મણ ને બોલાવ્યા.
કુંડળી ને જન્માક્ષરના ખાના રે ખોલાવ્યા.
ઘરની શાંતિ માટેના ઉકેલ બધાં પુછાયા.
ભગવાન રૂપી મા-બાપને, હડસેલીને કાઢ્યા.
ક્યાંથી મળે શાંતિ ગુંચવણમાં અટવાયા
યાદ રાખજો વ્હાલા દીકરા, અમે નથી પછતાતા.
દુનિયાનાં આ દસ્તુરને, પહેલેથી જ જાણતાં.
મોટાં મને માફ કરીને, આશીર્વાદ ખૂબ આપતાં.
વારો તમારો પણ આવશે, એ વાત ન વિસરતાં.
જિજ્ઞાસા યુ જોષી
“ શુક”
********************************
NOG SS NO: 0040
વિષય: શ્રાધ્ધ પક્ષ
વિભાગ: પદ્ય
શીર્ષક: શ્રાધ્ધ
ભાદરવી પૂનમે પ્રારંભાય
શ્રાધ્ધ પક્ષનો મહિમા ખૂબ ગણાય
પિતૃતર્પણ નો મોટો મહિમાય
કાગવાસ ને જળ અર્પાય
તૃપ્ત પિતૃઓ સૌ થાય
ભાવ થકી બ્રહ્મ ભોજન કરાવાય
કુટુંબીજનો ખૂબ સુખીયા થાય
પિતૃ સઘળા જો રાજી બહુ થાય.
✍️ વૈશાલી મહેતા.
********************************
NOG SS N0 : 0079 વિષય : શ્રાદ્ધ શીર્ષકઃ શ્રાદ્ધ ની મહત્વતા પ્રકાર : ગદ્ય પ્રવિણા કડકિઆ.હ્યુસ્ટન
ભાદરવા માસની પૂનમથી અમાસ સુધી શ્રાધ્ધના દિવસો છે.
શ્રધ્ધાથી વિરહીજનોની યાદમાં ફૂલ સમર્પિત.
તેમની યાદ સદા પ્રેરણાનો સ્રોત બની જીવનમાં વહેતો રહે.
પ્રણામ
આમ તો વિરહીજનોની યાદ સતત આવતી હોય છે. તેમના
વિયોગથી ખાલી પડેલી જગ્યા ક્યારેય પણ પૂરાશે તેવી ખોટી
આશા રાખવી નકામી છે. હા, એ યાદ સાથે જીવન જીવવાની
કળા વરી છે. કહેવાય છે ૮૪ લાખ જન્મના ફેરા ફર્યા પછી આ
પાવન મનુષ્ય અવતાર મળે છે. એમાં સત્ય કેટલું છે, તેનો
અંદાઝ નથી.
જન્મ આપનાર માતા અને પિતા કોને ખબર ક્યાં હશે ?
એ પ્રિતમ, જે તેના પિતા અને માતાનો દુલારો દીકરો
હતો, ક્યાં છે ? જુવાનીમાં પ્રેમે નવાજી, દિલના દ્વાર
ખટખટાવ્યા હતા. જેણે આ સુંદર સંસારને કિલકિલાટ
ભર્યું બનાવ્યું હતું, એ પ્રિતમ ક્યાં છે ? જેના આગમનથી
દિલ ધડકતું હતું. જેની નિશાનીઓ ચારે કોર ફેલાઈ સંસાર
રૂપી બાગને મગમઘતો બનાવી રહી છે. ક્યાં છે ? ક્યાં છે ?
ક્યાં છે ?
નથી કોઈ ઉત્તર ! આ પ્રશ્ન હમેશા અનઉત્તર રહેવાનો !
શ્રદ્ધા પૂર્વક, શ્રાદ્ધના દિવસોમાં યાદ કરજો
જેમના પર તમને શ્રદ્ધા હતી.
જેને તમે દિલથી ચાહ્યા હતાં.
માતા, પિતા, સાસુમા, સસરાજી અને પ્રિતમ.
(બીજા કોઈ પણ હોય તો !)
શ્રાદ્ધના દિવસોમાં સહુને પ્રણામ, પ્યાર અને
મીઠી મીઠી યાદ.
ઈશ્વર તેમને જ્યાં પણ હોય ત્યાં ક્ષેમકુશળ રાખે.
શ્રાદ્ધના દિવસો આવે અને જે વ્યક્ક્તિ આપણા
જીવનમાંથી વિદાય થઈ હોય તેની યાદ સતાવે. એવું
નથી કે તે દિવસે જ આવું બને. જીવનમાં પ્રિય પાત્રોની
જુદાઈ સહેવી સહેલી નથી. તે સાથે એ પણ સત્ય છે કે,
જે રસ્તે તેઓ ગયા તે રસ્તા પર આપણી કૂચ જારી છે.
તેમની યાદમાં કોઈ સારું વર્તન, કોઈની આંતરડી ઠારવી,
કોઈને સહાય કરી શકીએ તો તેમની યાદ કરી સાર્થક લાગશે
તેમાં કોઈ પુણ્ય કમાવાની આશા રાખતા હો તો તે ઠગારી છે
માત્ર સ્નેહ પૂર્વક તેનું સ્મરણ કરવું. તેને સંદેશો પહોંચાડવો કે
“અમે તમને ભૂલ્યા નથી ” .
શ્રદ્ધા સાથે કરેલું શ્રાદ્ધ જરૂરથી વિયોગીઓને શાતા આપશે.
શ્રાદ્ધ કાંઈ ગોર મહારજને બોલાવીને જ થાય એવું નથી. પ્રેમથી
એ વ્યક્તિને યાદ કરો. તમે હજુ તેને ચાહો છો એ સંદેશો પહોંચાડો.
તેમની વિયોગથી ખાલી પડેલી જગ્યા યાદોથી ભરાયેલી છે
તેનો અહેસાસ કરાવો. કોઈની આંતરડી ઠારો. અન્ન યા
પૈસાની સહાયથી.
બાકી શ્રાદ્ધના દિવસોમાં કાગવાસ નાખીને પુણ્ય કમાવું
નથી. હા, બની શકે તો કોઈ જરૂરત મંદની આંતરડી
ઠારી શકીએ તો તેના અંતરની દુઆ મળે ખરી. સ્વાર્થ
માટે નહી પણ તેને જે સંતોષ થયો અને એને ખુશીનું
પ્રદાન થાય. બાકી આવા સારા કાર્ય કરવા માટે કોઈ
ચોઘડિયા કે દિવસની જરૂરત હોતી નથી. તેને માટે
તો ૨૪/૭નો સમય અનુકૂળ છે.
આજનો વિજ્ઞાનિક યુગનો માનવ ઠોસ સબૂતમાં
માને છે. યાદ હશે ગુરૂનાનક્ની વાત ! પાણીમાં
ઉભા રહીને ખોબે ખોબે પોતાના ખેતરમાં પાણી
પહોંચાડતા હતાં. જ્યારે શ્રાદ્ધના દિવસોમાં હિંદુઓ
પોતાના પિતૃઓને સ્વર્ગમાં પિંડ આપતાં હતાં. હસી
મજાકમાં કહ્યું,’ જો તમે આપો છો એ તર્પણ
સ્વર્ગ સુધી પહોંચતું હોય તો મારું ખેતર તો
માત્ર અડધો ગાઉ દૂર છે !’
શ્રાદ્ધના ૧૬ દિવસ દરમ્યાન વિખૂટાં પડેલાની યાદ ખૂબ સતાવશે. સહુને અંતરથી પ્રણામ. વંદન….
*******************************
NOG:SS:NO:0101
વિષય: શ્રાદ્ધ પક્ષ
પ્રકાર : ગદ્ય
શીર્ષક: શ્રાદ્ધનો મહિમા
શ્રાદ્ધ એટલે શ્રદ્ધાપૂર્વક પિતૃઓનું ઋણ ચૂકવવાનો અવસર. આદિકાળથી અત્યાર સુધી તેનો મહિમા જળવાઈ રહ્યો છે તે જ દર્શાવે છે કે કળિયુગમાંય શ્રાદ્ધવિધિમાં લોકોમાં શ્રદ્ધા જળવાઈ રહી છે.
ગરૂડપુરાણમાં ગરુડ અને ભગવાન વિષ્ણુ વચ્ચે શ્રાદ્ધના સંવાદનો ઉલ્લેખ છે.
જે સમયાનુસાર શ્રધ્ધાથી પિતૃઓનું શ્રાદ્ધ કરે છે તેમના કુળમાં કોઈ દુઃખી થતું નથી.
એક કથા મુજબ સૌથી પહેલું શ્રાદ્ધ મહાભારતકાળમાં મહાઋષિ દત્તાત્રેય ના પુત્ર નિમીએ કર્યાનો દાખલો છે. તો એથીયે પહેલાં દશરથજીના અવસાન બાદ વનવાસ દરમિયાન ભગવાન રામે કંદમૂળથી પિતૃ શ્રાદ્ધ કર્યું હતું.
આમ શ્રદ્ધા સાથે ધર્મ કથાઓ જોડાયેલી છે.
કાગડાઓને પિતૃઓના દૂત ગણવામાં આવે છે તેથી તેમને વાસ નાખવામાં આવે છે. તેઓ તેનો સ્વીકાર કરે છે. બીજું કે કાગડા ક્યારેય એકલા ખાતા નથી ક્યારેય એકબીજા સાથે લડતાં ઝઘડતાં નથી. અને ખાવા ટાણે કા..કા.. કરીને પુરા પરિવારને બોલાવે છે. ભગવાન શ્રીરામના દર્શન કરવા ઋષિરાજે કાગભૂશંડજીનુ રૂપ ધારણ કર્યું હતું.
પુરુષોના શ્રાદ્ધ માટે ભારતમાં ગયાજી અને પ્રભાસપાટણ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. જ્યારે માતૃશ્રાદ્ધ માટે સિદ્ધપુર શ્રેષ્ઠ માનવામાં આવે છે.
જોકે શ્રાદ્ધવિષે એક એવી માન્યતા છે કે શ્રાદ્ધ હંમેશા ઘરમાં કરવું જોયયે , ઉપરાંત શ્રાદ્ધ મધ્યાહનકાળે કરવું જોયયે.
માનવમાત્ર પર પાંચ ઋણ હોઈ છે. દેવઋણ, માતૃઋણ, પિતૃઋણ, મનુષ્યઋણ, ઋષિઋણ તે બધાં ઋણમાંથી માનવે મુક્ત થવું જોયયે.
અઢારે પુરાણમાં પિતૃ પૂજન, તર્પણ અને સમર્પણનો મહિમા બતાવવામાં આવ્યો છે.
–ભરત સાંગાણી
********************************
NOG SS No 0092
પ્રકાર:-પદ્ય
શીર્ષક:- પિતાનું શ્રાદ્ધ
‘જોતી હતી પપ્પાને દાદાનું શ્રાદ્ધ કરતા,
એ દિવસ મારો આવશે એની કલ્પના ન્હોતી.
ખૂબ પ્રેમપૂર્ણ,ચોકસાઈથી બા અને મમ્મિનું રસોઈ બનાવવું,
એની પાછળ દર્દથી નીતરતા દિલોની કલ્પનાય ન્હોતી.
ફોઈ-ફુવા અને ભાણીયાઓને નોતરું દેવાતું,
દીકરીને ખુશ રાખવાથી બાપ જયાં હોય ત્યાં મલકાય એની કલ્પના ન્હોતી.
પપ્પાનું એ સજળ આંખે શ્રદ્ધાથી કાગવાસ નાંખવું,
પિતાના મોત પર પોલીસ ખાતાની તાલીમમાંથી મોડા પહોંચ્યાંનો કારમો ડંખ હશે એની કલ્પના નહોતી.
દાદાજીના ફોટાને રોજ ઘરે આવતા-જતા નમસ્કાર કરતા,
શ્રાદ્ધના દિવસે એમાં પુરાતી એમની હાજરીની કલ્પના ન્હોતી.
આધુનિક પેઢીને મન
આ ક્રિયાઓ અંધવિશ્વાસ છે,
વિજ્ઞાન,ધર્મ અને લાગણી જગતના આ તાદાત્મ્યની કલ્પના ન્હોતી.
શ્રદ્ધા મારા પપ્પાની પોતાના પિતાને માટે કે એમના આશિષ સદાય સાથે છે,
દર વર્ષે એ પુખ્ત આ રીતે થતી જતી એની કલ્પના ન્હોતી.
અલકા મહેતા
ગાંધીનગર
૧૧/૦૯/૨૧.