ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૫ ગધ,૧ પદ્ય, રચના
વિષય : ” કથની – કરણી “‘ ” સુખ : દુઃખ ” વિષયક રચનાઓ. . દિવસ – ૬
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
Email : prdpraval42@gmail.com
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
NOG SS No : 0022
વિષય : કથની- કરણી સુખ , દુઃખ
વિભાગ : ગદ્ય
પ્રકાર : વાર્તા
શીર્ષક : કથન અને શ્રવણ
લેખક : જ્યોતિન્દ્ર દિનેશચંદ્ર મહેતા, પાલઘર
“તમે તો સાવ પોચા છો. તમે એનું સાંભળી કેમ લો છો. મિત્ર છે એટલે તમને કંઈ પણ કહી જાય!” વિમલાએ પોતાના પતિ સૂરજને ગુસ્સામાં કહ્યું.
સૂરજના ચહેરા ઉપર દર્દની રેખાઓ ઉપસી આવી. તેને વિમલાના કવેણ કઠતાં, પણ તેમાં ક્યાંક સત્ય છુપાયું છે એ વાત તે સારી રીતે જાણતો હતો. પણ સામે જવાબ આપી દેવો એ તેના સ્વભાવમાં ન હતું. તે હંમેશાં તોળીને બોલતો, શબ્દો કેવા જખમ આપી શકે છે એ વાત તે સારી રીતે જાણતો હતો.
તે પિતાના કડક અનુશાસનમાં મોટો થયો હોવાનો તેને ક્યાંક ફાયદો પણ થયો હતો અને ક્યાંક ગેરફાયદો પણ થયો હતો. તેનાં લગ્ન વિમલા સાથે થયાં હતાં જે મૂળભૂત રીતે વિદ્રોહી સ્વભાવની હતી. તેને કોઈ એક શબ્દ કહે તો સામે બે શબ્દ પરખાવી દેતી.
મધ્યમવર્ગીય સૂરજે પોતાના મિત્ર શૈલેષ સાથે ભાગીદારીમાં શરૂ કરેલો વ્યવસાય પાંચ વર્ષ પછી પણ બરાબર ન ચાલ્યો એટલે તે છોડી નોકરી કરવાનું નક્કી કર્યું.
શ્રીમંત પરિવારનું સંતાન શૈલેષ માટે વ્યવસાય ફક્ત પ્રતિષ્ઠાનો વિષય હોવાથી તે ઉશ્કેરાઈ ગયો અને સૂરજને કહ્યું,”હવે આટલાં વર્ષ ધંધો કર્યા પછી તને કોણ નોકરી આપશે? તારી મારા વગર કોઈ લાયકાત નથી.”
સૂરજે તેને કોઈ પ્રતિભાવ ન આપ્યો એટલે વિમલા તેના ઉપર વરસી પડી.
ચોથે દિવસે જ સૂરજને એક કંપનીમાં નોકરી મળી ગઈ અને આ ખુશખબરી વિમલાને આપી અને શૈલેષને ફોન કરીને સમાચાર આપ્યા.
પછી વિમલાને કહ્યું, “કથન અને શ્રવણનો નિયમ છે. તને ખબર છે, ઈશ્વરે આપણને કાન બે પણ મોઢું એક જ કેમ આપ્યું છે? બોલવું ઓછું અને સાંભળવું વધારે. મારો નિયમ છે કે બોલીને નહીં, કરીને દેખાડવું. શૈલેષની વાત સાંભળીને મેં નક્કી કર્યું હતું કે દસ દિવસની અંદર નોકરી શોધીને દેખાડીશ. શબ્દો બહુ ઊંડા ઘા કરતાં હોય છે, તેથી સંભાળીને બોલવું.”
તેની વાત સાભળીને વિમલા બોલી, “તે તમે ફક્ત નોકરી મળી એટલું જ કેમ કહ્યું? કહેવું હતું ને કે તારા સિવાય પણ મારી લાયકાત છે.”
સૂરજે ડોકું ધુણાવ્યું અને મનોમન કહ્યું, “આ નહીં સુધરે.”
જ્યોતિન્દ્ર દિનેશચંદ્ર મહેતા, પાલઘર
*******************************
NOG SS No: 0103
વિષય-સુખ- દુ:ખ
વિભાગ- લેખ
શબ્દ-૩૪૫
શીર્ષક- સુખ મારો મિત્ર
ભગવાન તથાગતે સંસારમાં અસુખ લાગવાથી સુખની તલાશમાં સંન્યાસ લીધો હતો. બાર વર્ષ બાદ જ્ઞાનની પ્રાપ્તિ સાથે પરિભ્રમણ કરતા પાછા કપિલવસ્તુમાં .તેઓ જ્ઞાનનાં પ્રચાર અર્થે આવ્યા હતા. પોતાના સંસારી જીવનની પત્ની યશોધરા આગળ ભિક્ષા અર્થે આવતા યશોધરાએ ભિક્ષા આપી માત્ર એટલું જ પૂછ્યું: “રાજમહેલનાં વૈભવી સુખમાં તમને શું અસુખ લાગ્યું કે તમે તેને છોડીને ચાલ્યા ગયા”.?
ભગવાન તથાગતે સસ્મિત જવાબ આપ્યો: “સુખ હતું , પણ મનમાં અશાંતિ હતી.મારા ભીતર જ સુખ છે તે જ્ઞાનની પ્રાપ્તિ મને સંસાર છોડ્યા બાદ થઇ”.
સુખ- દુ:ખ તો જીવનની ઘટમાળ છે. સ્વર્ગમાં માત્ર સુખ, નર્કમાં માત્ર દુ:ખ, પણ પૃથ્વી પર એક આશ્ચર્ય છે કે પ્રત્યેક જીવ તેનાં કર્મ અનુસાર સુખ-દુ;ખનો અનુભવ કરે છે.
સુખ પછી આવતું દુ:ખ આપણે સ્વીકારી નથી શકતાં , અને દુખ પછી આવતાં સુખની અનુભૂતિ અમૂલ્ય થઇ જાઇ છે.
સુખ હોવા છતા ,પણ આપણી વધારે અપેક્ષાને ,કારણે આપણે અસંતોષમાં જીવીએ છીએ, અને એ અસંતોષ એટલે દુ:ખ જે ચિંતા કરાવે છે. આખરમાં ચિંતાએ ચિતા સમાન છે.
જન્મની સાથે જ માતા દ્વારા દુગ્ધપાન કરાવનાર પરમેશ્વર પર શ્રધ્ધા રાખવી જરૂરી છે. દુ:ખમાં તેની કરેલી પ્રાર્થના જ આપણે માટે જાદુની ઝપકી બની શાંતિ પ્રદાન કરે છે.
સુખ દુ:ખ તો જીવનમાં આવન -જાવન કરે છે. તે ક્ષણિક હોય છે. નક્કર સુખ તો આપણી ભીતર જ છે. નક્કર સુખ એટલે સ્થિતપ્રજ્ઞ રહી સુખ-દુ:ખને સમભાવથી જોવા.
સંસારનાં બાહ્યસુખની સંવેદના સુખની અનુભૂતિ કરાવે છે. આ માનવીનું અજ્ઞાન છે. જ્ઞાની અને સાધક હંમેશા સુખને ભીતરમાં અનુભવે છે. નરસિંહ મહેતા , મીરા જેવા સંતોએ ભીતરમાં રહેલાં સુખને માણીને ઇશ્વરની પ્રાપ્તિ કરી હતી.
ભગવદ્દ ગીતાની વાણી … સૌથી પહેલા તો કર્મ પ્રમાણે આપણું પ્રારબ્ધ બંને છે, ત્યારબાદ આપણને શરીર પ્રાપ્તિ થતાં મનુષ્ય જીવન મળે છે. માનવ જીવનને આસુરી તત્વથી દૂર રાખી સત્સંગમાં રહી સાત્વિક ગુણોમાં રાખવું જરૂરી છે.આ જ્ઞાનરૂપી ક્રિયા જ આપણને સુખ આપી મોક્ષ તરફ પ્રયાણ કરાવે છે. સુખને મિત્ર બનાવતાં વિવેકની સજાગતા જાગ્રત થાય છે.
જમાના અનુસાર સંગીતની આ ધૂનને યાદ રાખવી ….
“યે જીવન હૈ, ઇસ જીવનકા, યે હી હૈ રંગરૂપ,
થોડે ગમ હૈ, થોડી ખુશિયા, ઈન
યે હી હૈ રંગરૂપ,
યે જીવન હૈ….”
નિલમ દોશી
મુંબઇ
********************************
NOG. SS. NO. 0098
प्रकार:- गद्य
विषय:- कथनी-करनी
शीर्षक:- दोहरापन
संसार में दोहरे मापदंड से जीवन व्यतीत करते इंसान आपको बिना खोज के यूं ही मिल जाएंगे। मेरी भी मुलाकात हुई थी ऐसे ही सज्जन पुरुष मिश्रा जी से। जो हमारे दूर के रिश्ते में चाचा जी हैं।
मैं कुछ दिनों के लिए मिश्रा जी
(चाचाजी) के घर गयी थी।
मिश्रा जी (चाचाजी) दोपहर को खाना खाने घर आए तो खाना बनने में थोड़ा वक्त था। उन्होंने गुस्से में (चाचाजी) को डांटना शुरू किया, तुम दिनभर करती क्या हो? समय पर खाना नहीं बनता तुमसे? मोबाईल पर सहेलियों से गप्पे मारने में व्यस्त होंगी।
थोड़ी ही देर में मेज पर भोजन की थाली आ चुकी थी। चाचाजी जल्दी जल्दी खाना खाने लगे।इसी बीच कामवाली (बाई ) को भरे थैलों के साथ बाहर जाते देखा। वो कुछ पूछें उससे पहले ही चाचीजी ने बताना शुरू किया कि कामवाली (बाई) के बेटा बहू
गांव गये थे ।बहू को कोरोना हो गया है । गांव से आने में समय लग जाएगा ऐसा बाई बोल रही थी , और बहुत परेशान थी तो मिश्रा जी मैंने महीने भर का राशन देकर मदद कर दी। इतना सुनते ही चाचीजी और आगबबूला हो गये। मैं रात-दिन महेनत करके कमाता हूं, और तुम मेरी पसीने की कमाई को यूं ही लुटा दो । बहुत दानवीर बन रही हो। और भी ना जाने क्या क्या अनाप-शनाप गुस्से में बोले जा रहे थे।
इतने में दरवाजे की घंटी बजी। दरवाजे खोला तो सामने सोसायटी के कमिटी मेंबर्स हाथ में रसीद बुक लिए
खड़े थे। अंदर आए ।बैठे और कहने लगे , मिश्रा जी सोसायटी में विशाल बगीचे बनाने हैं। बच्चों के लिए झूले व बैठने के लिए बैंच १०,१२ लगवानी है।
सबसे पहले हम आपके घर ही आए हैं। कितने की रसीद बना दें? ऐसा कहकर रसीद बुक निकाल कर सब मिश्रा जी की और देखने लगे।
मिश्रा जी ने कहा आप ये रसीद काटने का चक्कर छोड़िए और जल्दी से जल्दी इस कार्य का शुभारंभ करें।
इसकी कार्य की जितनी भी लागत आएगी वो मेरी ओर से।इतना कहते ही चाचीजी उन्हें मुस्कुराते हुए लगातार देखे जा रहीं थीं।
उन सबके जाने के बाद मिश्रा जी(चाचा जी) भी नजरें झुकाए चुपचाप चले गए।
दोस्तों , उस दिन मिश्रा जी (चाचाजी) के व्यवहार ने कथनी-करनी दोनों रूपों को दिखाया।
✍️
लीना शर्मा।
हालोल।
********************************
*NOG SS No : 0019*
*વિષય.. સુખ…દુઃખ*
*શીર્ષક… સમભાવ*
*પ્રકાર..ગદ્ય*
રમિલાબહેન આજે ખૂબ ખૂશ હતાં. અને એમની ખુશી વ્યાજબી હતી.ખૂબ સંઘર્ષ કરી બંને બાળકો.. વિધિ અને મિલાપને ભણાવી ગણાવી પગભર કર્યાં હતાં. મિલાપ ચાર વર્ષ નો થયો ત્યાં જ એનાં પપ્પાને એટેક આવતાં દુનિયા છોડી ચાલ્યાં ગયાં. રમિલાબહેન પર તમામ જવાબદારી આવી પડી.સાસુ,સસરા પણ કાળક્રમે સાથ છોડી ગયાં. સુખ દુઃખ સમભાવે રાખી રમિલાબહેન ગૃહ ઉદ્યોગ ચલાવી પરિવારનું ભરણપોષણ કરતાં હતાં. બાળકોને કોઈ જાતની કમી આવવા ન દીધી,અને સંઘર્ષ સાથે ઝઝૂમી રહ્યાં હતાં. આજે મિલાપને સારી કંપનીમાં નોકરી મળી હતી. એમનાં સ્વપ્ન સાકાર થવાનાં હતાં. એમણે સંસારના સુખ દુઃખ સમભાવ રાખી જીવન જીવી જાણ્યું.
કલ્પનાબેન ત્રિવેદી સુરેન્દ્રનગર
*******************************
NOG SS No : 0055
વિષય : સુખ દુઃખ
વિભાગ : ગદ્ય
(વાર્તા )
શીર્ષક : સુખ દુઃખ
મહેશ રોજ કંપનીએ જ કેનટીનમા ખાઈ લેતો, સંગીતા સાથે લગ્ન બાદ પણ આ જ ક્રમ ચાલુ રહ્યો,વર્ષો પછી સંગીતાને જ્યારે સારા દિવસો રહ્યા ત્યારે પણ , એ જ જાણે સુખ.. ….
આજે ખબર નહિ કેમ? પણ તેને આ બધું કેમ યાદ આવ્યું હતું? સંગીતાની અતિશય મુશ્કેલ પ્રસૂતિ, પુત્રીનો જન્મ અને ત્યારબાદ પાંચ જ દિવસમાં સંગીતા આ દુનિયા છોડી ચૂકી હતી, જાણે દુઃખ ક્રૂરતાની પરાકાષ્ઠાથી બદલો લઈ રહ્યું હતું….
તેના સસરા ખૂબ ભલો માણસ.. દીકરીની અંતિમ યાદ રૂપે દીકરીની દીકરીને સાચવી લીધી, આજે જ્યારે પોતાની યુવાન થયેલી દીકરી તેને લગ્ન પહેલાં મળવા આવી , ઘરે જ રસોઈ બનાવી અને પ્રેમથી બાપને જમાડ્યો,
મહેશની આંખમાંથી સ્નેહની સરવાણી વહેવા લાગી, દીકરી પોતાના બાપ દ્વારા થયેલા આ પાવન અભિષેકથી પરિતૃપ્ત થઈ તો આજે મહેશને આજે સાચુકલો ઓડકાર આવ્યો…….
તે વિચારી રહ્યો… દીકરીના બાપ હોવા જેવું બીજું કોઈ સુખ ખરૂ ????
જીવનભરનું દુઃખ આપી ગયેલી સંગીતા આજે સૌથી મોટા સુખનું કારણ હતી ..તેની મૃત જીવનસંગિની જાણે મૌન આશિષ વરસાવી રહી હતી .
શ્રદ્ધા ભટ્ટ..વાપી
********************************
NOG SS No : 0015
વિષય:- સુખ – દુઃખ
વિભાગ:- પદ્ય
પ્રકાર:- હાઈકુમાળા
જગત શોધે,
સુખનું સરનામું
ક્યાંય ન મળે.
જીવન ગાથા
સુખ-દુઃખ સંગાથે
ગવાતી રહે.
ભીતર મળે,
જીવન કેરું સુખ
શાંત પળોમાં.
દુઃખનું દર્દ,
સુખ આવી ભુલાવે
જગ આખાને.
સુખ ને દુઃખ
સિક્કાની છે બે બાજુ,
યાદ રાખજો.
મેહુલ ત્રિવેદી
(ઘાયલ મેઘ)
ખેરાળી