ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૫ ગધ, રચના
વિષય : ” કથની – કરણી “‘ ” સુખ : દુઃખ ” વિષયક રચનાઓ. . દિવસ – ૫
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
Email : prdpraval42@gmail.com
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
NOG સાહિત્ય સરિતા ગ્રુપ – ૧
NOG SS NO :- 0090
પ્રકાર: ગધ્ય
વિષય: સુખ, દુઃખ
શીર્ષક: લઘુકથા/જીવવાની જીજીવિશા /દીપક જગતાપ
…………………………………
લઘુકથા/જીવવાની જીજીવિશા /
દીપક જગતાપ
ભૂકંપના મલબામા દબાયેલો મારો જમણો પગ કણસી રહ્યો હતો . પગના હાડકાનો પથ્થરના વજનથી ભુક્કો થઈ ગયો હોય એવુ લાગતું હતું.. હાથબન્ને ફસાયા હતા . કોઈ વજનદાર વસ્તુ નીચે. હાથની આંગળીઓમાંથી લોહી ટપકી રહ્યું હતું . હું હાલી પણ નહોતો શકતો. ખુબ દુખતું હતું.એક માત્ર મારો હેમ ખેમ બચી ગયેલો જમણો પગ સારો હોવા છતાં કશા કામનો નથી રહ્યો એવુ લાગતું હતું.હું બચાવો ની બૂમો પાડું છું પણ મારો અવાજ ભૂગર્ભ માંથી બહાર જઈ શકતો નહોતો . અંદર અંધકાર છવાયો હતો આછી પાતળી તીરાડ માંથી રોશની મારાં જીવવનની અને જીવવાની જીજીવિષા બની ગઈ હતી . ભૂખ તરસ બન્ને એક બીજા સામે મો ફાડીને ઉભા હતા.હાથ પગના દર્દ નો અહેસાસ, કણસતી વેદના વચ્ચે પણ બચવાની અને જીવતા રહેવાની અમર આશાવાદ મા બધી વેદના થોડી વાર માટે ભૂલી ગયો.ઈશ્વર સ્મરણ અને મનોમન પરિવાર જનો અને મિત્રોના ચેહેરાઓ નજર સામે હવે ધીમે ધીમે ઝાંખા પાંખા થઈ રહ્યા હતા.બધું ધુંધળું દેખાઈ રહ્યું હતું . જાણે ક્લોરોફૉર્મ સૂંઘાડ્યા પછીનો શૂન્યવકાશ.
જયારે આંખ ખુલી ત્યારે હું હોસ્પીટલના બિછાને હતો. NDRF ની બચાવ ટુકડીએ મલબામાં દબાયેલા મારાંલોહી લુહાણ હાથને જોયા પછી રેસ્ક્યુ ઓપરેશન કરીને મને બહાર કાઢ્યો હતો. જયારે હું ભાનમાં આવ્યો ત્યારે મને કહેવામાં આવ્યું કે ભૂકંપના પાંચ દિવસ પછી તમે બહાર આવ્યા છો. તમેઆબાદ બચી ગયા છો.
હવે મારી નજર સામે મારાં પરિવાર જનોનો ધુંધળો ચહેરો બરાબર સ્પષ્ટ દેખાતો હતો. હું એ તરફ એ પરિચિત ચહેરાઓને જોઈ રહ્યો હતો. તો બીજી તરફ પ્લાસ્ટર કરેલા મારાં ડાબા પગ ભણી હું જોઈ રહ્યો હતો.દુઃખ કોને કહેવાય એ હું અનુભવી રહ્યો હતો.
દીપક જગતાપ…રાજપીપળા
********************************
NOG SS NO: 004
વિષય: કથની ને કરણી
પ્રકાર: લધુવાર્તા*ગદ્ય*
*શીર્ષક: મનોભાવ*
*શબ્દો:૨૩૪*
શૌર્ય વહેલો વહેલો તૈયાર થઈ નીચે આવ્યો. તેને આજે પિતાજી સાથે દફ્તર પહોંચવાનું હતું.બા તો જોતાં રહી ગયાં. કંઈ પણ બોલ્યા નહિ પણ મરક્યાં.જાણે આજે દિવસ જ અનેરો ઉગ્યો.પિતાજી ટેબલ પર આવ્યાં તો તેણે નાસ્તો પતાવી દીધો હતો. તે મનમાં વિચારતો હતો,” પિતાજીની મહેચ્છા પૂરી કરી દઉં, તો જ હું સાચો.”
પિતાજી તેના આ કથની ને કરણીમાં ભાવને સમજતાં હતાં.
હવે રોજ સવારે તે પિતાજી સાથે દફ્તર જવા લાગ્યો, મિત્રોને ટાળવા લાગ્યો. બધાંને આશ્ચર્ય થયું, કારણ મળતું નહોતું.રોમા પણ અકળાતી કે શૌર્ય કેમ બદલાય ગયો. પાર્ટી જલસા બધાંના બંધ થઈ ગયાં. શૌર્યને હતું કે પિતાજી તેનાંથી પ્રભાવીત થઈ જશે, પણ તેમનો કોઈ પ્રતિભાવ ન મળતો.થોડા દિવસ તો ખૂબ જ ઉત્સાહમાં ગયા. બા ને પણ તે પૂછતો,” પિતાજીએ મારા માટે કંઈ કહ્યું?.”
બાનાં ઉત્તરથી નિરાશ થતો, હવે તે સમજી ગયો કે આખી જિંદગી ઘાંચીના બળદની જેમ તે જોતરાય ગયો, કોઈ છૂટકો જ નથી.તે જણાવા દેતો નહિ કે તેણે પિતાજીની ને મુનીમકાકાની વાત સાંભળી હતી. પિતાજી જાણતાં હતાં કે તે કેમ દફ્તરમાં આવતો થયો છે!તેથી સત્ય જાણવાને કારણે પ્રતિભાવ આપતા નહોતા.શૌર્ય
પણ ઉત્સાહથી જવાનું છોડતો નથી કારણ તેના મનોભાવ તે જાહેર કરે તો કદાચ બધું ગુમાવવાનું રહે!
તેની કથનીમાં દિવસે દિવસે જવાબદારીની કરણી વધતી ગઈ. હવે તેને સમજદારી ને પૈસાની કિંમત સમજાતી ગઈ. પિતાજીએ તેના જન્મદિવસે સુંદર કાર ભેટ રૂપે આપી ત્યારે તે ખરેખર આનંદ પામ્યો કે તેની કરણી જ રંગ લાવી.
જયશ્રી પટેલ.વડોદરા
********************************
NGO. સાહિત્ય સરિતા (૧)
NOG SS No. — 39
વિષય – સુખ-દુઃખ
પ્રકાર – લેખ
શીર્ષક — અનુભૂતિ
શબ્દો — ૩૫૦
“મનસે હારે હાર હૈ, મનસે જીતે જીત.”
કોઈ પણ સમય, સંજોગો કે ઘટનાંને મનથી સ્વીકારશો તો એ સુખ છે અને દુઃખદ્ માનશો તો એ દુઃખ છે.
અનેક જગ્યાઓએ છુપાયેલું છે સુખ. અનેક સંબંધોમાં, ઘટનાઓમાં, વસ્તુઓમાં, ભીતર અને બહાર પણ ઠેર ઠેર વેરાયેલું છે સુખ. એને સાંભળવા માટે કાન, જોવા માટે દ્રષ્ટિ અને અનુભવવા માટે સુંદર મન જોઈએ. મનસા જોઈએ અને આત્મા ઓળઘોળ હોવો જોઈએ!
કર્મનાં સિદ્ધાંતને અનુસરીને, સમય અને સંજોગો પ્રમાણે આપણા નસીબે જે મળે એનો આનંદથી સ્વીકાર કરીએ, એને માણીએ, એને પામીએ તો એ સુખ છે. ઈશ્વર આપણને જે આપવામાં રાજી હોય એ જ આપણું સુખ. જન્મની જેમ મરણ પણ સુખ છે કારણકે એ શાશ્વત છે.
ગર્ભધારણ અને જન્મની અનુભતીથી માંડીને મૃત્યુપર્યંત બનતી દરેક ઘટનામાં વ્યક્તિ મનથી ઈચ્છે તો સુખ અનુભવી શકે. પરદુઃખભંજન અને પરોપકારી વ્યક્તિ દુઃખ સામે આંખ આડા કાન કરીને બીજાને વધુમાં વધુ મદદ કરવામાં સુખ અનુભવે છે.
એ પણ હકીકત છે કે દરેકનું સુખ અલગ અલગ છે.
સુખ-દુઃખ જિંદગીના સિક્કાની બે બાજુ છે. ક્યારે સિક્કો પલટાશે અને બાજી બદલાશે એ એક રહસ્ય છે.
સુખ માત્ર સાધનોમાં જ નથી. કારણકે વસ્તુઓ સગવડ આપે છે પણ સુખ નથી આપતી. એસી. રૂમમાં સો મણ રૂની તળાઈમાં માણસ ઊંઘ માટે તરફડીયાં મારતો હોય છે!
જ્યાં સ્નેહ, સંતોષ, સમતા, સહનશીલતા ને સમર્પણ છે ત્યાં બધે જ સુખ છે. સુખ દેખાતું નથી કારણકે એ ભીતર છે, એક એહસાસ છે, એક સુંદર અનુભૂતિ છે જે મનને ખૂબ શાતા અને શાંતિ આપે છે!
“રહી નિર્મોહી શાંતિથી રહે એ સુખ મોટું છે.”……..બાલાશંકર કંથારિયા
સુખનું સરનામું મેળવવાની શરત એક જ છે કે જીવનમાં જે તકલીફો, આપત્તિઓ, અકસ્માતો, મુશ્કેલીઓ, બિમારીઓ, વસ્તુ કે પૈસાની અછત દ્વારા જે કોઈ દુઃખ મળે એને સાથે લઈને ચાલો તો એ દુઃખોનો રસ્તો ખૂટતો જશે અને સુખનો રસ્તો ખુલ્લો થતો જશે. એમ ચાલતાં ચાલતાં સુખનું સરનામું પણ મળી જશે.
એકલું સુખ કે એકલું દુઃખ કોઈનાય જીવનમાં હોતું નથી. હા, એનું પ્રમાણ વધારે ઓછું હોય. દુઃખનાં સ્વીકારમાં પણ સુખ છુપાયેલું છે.
પરહિત માટે કાર્યો કરીને, પરમાનંદ આપીને નિજાનંદ પામવો એનાં જેવું કોઈ મોટું સુખ નથી.
દુઃખ એ જીવનની પરિક્ષા છે.શાંતિથી એનો સામનો કરીશું તો પરિણામરૂપે સુખ આવશે જ.
પ્રફુલ્લા “પ્રસન્ના”
************†******************
NOG SS NO.0081
વિષય : સુખ દુઃખ
પ્રકાર : ગદ્ય /લેખ
શીર્ષક : દુર્લભ હિ સદા સુખમ્!
શબ્દો :૩૪૯
સુખદુઃખ મનમાં ન આણીએ ,ઘટ સાથે રે ઘડિયા;
ટાળ્યા તે કોઇનાં નવ ટળે ,રઘુનાથના ઘડિયા!
આ સુંદર ભજન સાંભળતાં જ રઘુનાથની અપાર શક્તિનાં દર્શન થઈ જાય.એ ચાહે ત્યારે પાંદડું હલે અને એ ચાહે ત્યારે મેરુ ચળે.મનોચિકિત્સકોના મતે ઘટના નિહાળવા તમારી પોતાની દૃષ્ટિ હોવી જોઈએ.સુખ
દુઃખનાં અવિરત ચક્રમાં સુખ ટકતું નથી એમ દુઃખ પણ કાયમી નથી.ભગવાન જેવા ભગવાનને પણ કર્મ પ્રમાણે દુઃખ ભોગવવા જ પડ્યાં હતાં.
કુરુક્ષેત્રમાં યુદ્ધ પૂરું થયા બાદ પાંડવો સાથે શ્રી કૃષ્ણ શોકમગ્ન,સતી ગાંધારીને મળવા ગયાં ત્યારે પુત્ર વિયોગમાં વ્યથિત, આંખે પટ્ટી હોવા છતાં તેમની નજરે યુધિષ્ઠિરનાં નખ કાળાં પાડી દીધાં. શ્રી કૃષ્ણ વિના પાંડવો આવી જીત મેળવી જ ન શક્યાં હોત તેથી ગાંધારીનો શ્રીકૃષ્ણ સામે ખૂબ આક્રોશ હતો. તેમણે કહ્યું,”હે મધુસુદન, તમારી પાસે અપાર શક્તિ હતી, તમારી પાસે સામર્થ્ય હતું આ યુદ્ધ બચાવવાનું, છતાંય તમે મારા વંશનો આ યુદ્ધમાં નાશ કર્યો છે.જાણીજોઈને કરેલી આ કત્લનું તમે જરૂર પરિણામ ભોગવશો.આખી જિંદગી પતિ સાથે આંધળી થઈને રહી છું, એ તપોબળથી તમને શાપ આપું છું કે તમારો આખો પરિવાર માંહે માંહે લડીને નાશ પામશે.યાદવ કુળની સ્ત્રીઓ પણ ભરતવંશની સ્ત્રીઓની જેમ લાશો પર આક્રંદ કરશે અને તમે! તમે એક અનાથની જેમ સૌથી આઘાં જઈ વને વને ભટકશો. શ્રાપિત ની જેમ મૃત્યુ પામશો.”
આવો ભયંકર શ્રાપ સાંભળી પાંડવો પણ હતપ્રભ થઈ ગયાં પણ કૃષ્ણ જેનું નામ, તેમણે હળવાં સ્મિત સાથે
કહ્યું,” હે મા ગાંધારી, તમારા શાપ પ્રમાણે યાદવોનો સંહાર થશે.જેનો નિમિત્ત હું થઈશ કારણકે યાદવોને દેવ દાનવ કે માણસ ના મારી શકે તેમણે આપસમાં જ લડીને મરવું રહ્યું.”
આ સાંભળી ગાંધારી અને પાંડવો ક્ષુબ્ધ થઈ ગયાં. શ્રીકૃષ્ણે ગાંધારીને કહ્યું,”દુઃખ ન કરો,યાદ કરો યુદ્ધનાં દિવસો! જ્યારે દુર્યોધન પગે લાગવા આવતો અને કલ્યાણનાં આશિષ માંગતો ત્યારે તમે હંમેશા કહેતાં,”યતો ધર્મસ્તતો જય:” ધર્મનો જય થજો!”
આમ કહી શ્રી કૃષ્ણ નિર્વિકાર ઊભાં રહ્યાં. જગતના નાથને પણ આમ સુખ અને દુઃખનો અનુભવ થાય છે જે તેમણે ભોગવ્યાં છે ,તો આપણે તો સામાન્ય માણસો! સુખ દુઃખની અનુભૂતિ ભલે સમાન ન હોય પણ સ્વીકાર સહજ હોય એ વાંચ્છનીય. દરેક ધર્મ પુસ્તકનો આ જ નિચોડ છે ,જે કહે છે દુર્લભ હિ સદા સુખમ્! અર્થાત્ સદા સર્વદા સુખ મળે એ અશક્ય છે.સુખને માણ્યાં બાદ દુઃખને જીવનનાં અભિન્ન અંગ તરીકે સ્વીકાર કરવો એ જીવનયાત્રાનો મંગલ પડાવ છે.
# માયા દેસાઈ ..મુંબઈ ભારત.
********************†***********
NOG SS NO: 0032
વિષય: સુખ દુઃખ
પ્રકાર: લધુવાર્તા*ગદ્ય*
*શીર્ષક: *વિધીના લેખ*
શબ્દો:- 208
સુખ અને દુઃખ બંને જોડિયા ભાઈ,
સુખ આવેતો દુઃખની કિમંત સમજાય.
દુઃખ આવેતો સુખની કિંમત સમજાય,
અરમાનો ભાંગીને ભૂકો થઈ ગયાં…
કાળ ભરખી ગયો મારા વ્હાલા પુત્ર અને
પુત્રવધુને …ભગવાન તારા દરબારમાં આવો
ન્યાય….? જીવી ડોશીનાં જીવનમાં સુખ જ ક્યાં હતુ .
જ્યા સુખનો સૂરજ ઉગે ત્યાં,
અંધકારનાં ઓળા ઉતરી આવ્યા જ હોય.
જીવી ડોશી નાનપણથી દુઃખાણાં.
રવજીને ઉછેરીને મોટો કર્યો. પેટે પાટા બાંધી ભણાવ્યો, ગણાવ્યો સારી નોકરી માટે રવજીને ઉચ્ચ કક્ષાનું ભણાવી નોકરીએ લગાડ્યો. સારા ઘરની દીકરીનું માગું આવ્યું. વાજતે ગાજતે લગ્ન લીધા.જીવી તો ખુશ થતી હતી. એક વિધવાની એના માથે મોહર લાગી હતી એટલે દીકરાની જાનમાં પણ નાં જોડાઈ. સારા કામમાં એની હાજરી પણ એને ખૂંચતી હતી માટે..
આજ દીકરો વહુ પરણીને ઘેર આવવાનાં હતાં.જીવી ડોશી કાગના ડોળે રાહ જોઈ રહ્યાં હતાં.કે આવતાની સાથે જ વહુ દીકરાનાં પોખણાં કરું પણ આ શું?
અધધધધધધધ….. મારા બાપલિયાને કોણ ભરખી ગયું ?…સુહાગણની ચુંદડી લોહીલુહાણ થઈ ગઈ. સપ્તપદીનાં સાત ફેરા કાચા પડ્યાં.કેર વર્તાઇ ગયો.વિધીનાં લેખ.વિધીની વક્રતા.”કાળની કેડીએ લાગ્યું કાલચક્રનું ગ્રહણ”
જે સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ હોય,કોઈ ફેર પડતો નથી. આજ ગંજીપત્તાની બાજી ઉલટી પડી ગઈ. કંકાવટીમાંથી કંકુ ઢોળાઈ ગયું. વરમાળાનાં ફૂલ ધરતીમાં રોળાઈ ગયા.આજ રવજી મને મળ્યા પહેલાં જ રીસાઈ ગયો. મરશિયાનો શંખ ફૂંકાયો.અને જીવી ડોશીનાં આંખનાં અશ્રુ કયારેયનાં સુકાયાં….
*મીના માંગરોલીયા મીનું*
*અમદાવાદ*
10/7/2021