ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૫ પદ્ય, રચના
વિષય : ” મોક્ષ – માયા,, પ્રાણ – પ્રકૃતિ ” વિષયક રચનાઓ. દિવસ – ૧
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
Email : prdpraval42@gmail.com
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
NOG.SS.NO:004
*વિષય*** પ્રાણ અને પ્રકૃતિ* *મોક્ષ અને માયા*
*પ્રકાર :*પદ્ય(મુક્તપંચિકા)*
*શીર્ષક: આડંબર*
મનડું વિષ
તણું ભરેલ
*આડંબર* ભરેલ
જીવન તંતુ
છે મોક્ષ માયા..!
હું પણું ધરે
કાર્ય ધારણ
*આડંબર* ના છોડે
પ્રાણ -પ્રકૃતિ
જીવે મરે હું..!
હું અને તું ના
જીવન અંગ
*આડંબર* કહે જે,
પ્રાણ -પ્રકૃતિ
સંગ જ છૂટે..!
ન મોક્ષ આશ
ન માયા પાસ
*આડંબર * ધરે જે
ના પામે મુક્તિ
આડંબરથી..!
*જયશ્રી પટેલ* વડોદરા *૧૪/૭/૨૧
**********†*********************
NOG SS NO:0032
*વિષય*** પ્રાણ અને પ્રકૃતિ* *મોક્ષ અને માયા*
*પ્રકાર :*પદ્ય*
*શીર્ષક: *મોહમાયા*
વ્હારે આવો પ્રભુ પ્રેમથી,
અમારા ભાઈના દુઃખડાં
કાપો શ્રી પ્રભુ હરિ………
જીવડો સુખદુઃખમાં રહયો,
હવે વાટ બતાવો પ્રભુશ્રી હરિ.
હવે છોડાવો *મોહમાયા* જીવડાને .
પ્રભુ વલ્લભ શ્રી હરિ…
અમે હાર્યા તમે જીતશો પ્રભુ,
મજધારમાં ડૂબતી નાવડી.
પ્રભુ આવો હવે વહેલેરાં,
મોક્ષ આપો હવે જીવડાંને.
શ્રી પ્રભુ હરિ….
પ્રભુ હવે રુબરુમાં આવો,
શ્રી વલ્લભ પ્રભુ શ્રી હરિ.
મીના માંગરોલીયા મીનુ
અમદાવાદ ..14/7/2021
********************************
NOG.SS.No: 0092
પ્રકાર:- પદ્ય
શીર્ષક:-પ્રાણ અને પ્રકૃતિ
એક પ્રકૃતિ ઇશ્વરદત્ત,
જે બહારના જગતમાં દેખાય.
જળ,જંગલ,જમીન અને જાનવર રૂપે,
ઈશ્વરની ભેટ સમ તે સોહાય.
બીજી પ્રકૃતિ માનવની ભીતર,
કુટુંબ અને નિજ વાતાવરણથી ઘડાય.
ટેવો, મૂલ્યો અને
વર્તણુંક રૂપે,
માનવના વ્યક્તિત્વમાં તે દેખાય.
ક્યાંક માનવ પ્રકૃતિ જડ બની જતી,
ક્યાંક સ્થિતિ પ્રમાણે બદલાય.
માનવ પ્રકૃતિ સંભળાતી વાણીમાં,
તો ક્યાંક વિચારોમાંથી એ ડોકાય.
ક્યાંક દર્શન થતાં એના વર્તણૂકમાં,
તો ક્યાંક મૂલ્યોમાંથી એ
દ્રષ્ટિગોચર થાય.
પ્રાણ રહેતા દેહમાં
એની ઉપેક્ષા નિત કરાય,
ક્યાંક બીજા માટે તો ક્યાંક પોતાને માટે,
એને પળે-પળ સંતાપાય.
કેટલાંય તીર્થ કે હરિ દર્શન કરે,
પણ પ્રકૃતિ ના બદલાય.
સ્વ પ્રયાસોથી જ એને વિકસાવાય
કે શ્રેષ્ઠતમ બનાવાય.
સમય ઠોકરો વગાડે ભલે,
ને ભલે કાળની વાગે થપાટ,
અહમ પ્રકૃતિને ના બદલવા દે
ભલે સંબંધોની ખુવારી થાય.
ઋતુ અને સમય પરિવર્તનથી કુદરતની પ્રકૃતિ પણ બદલાય,
ને માનવ પોતાના અકડપણાં માં જ
જડ સમો રહી જાય.
ભલું એનું થાય છે જેની સમય-સંજોગો પ્રમાણે પ્રકૃતિ બદલાય, ભલેને જગમાં એમ કહેવાતું કે
‘પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય’.
અલકા મહેતા
ગાંધીનગર..૧૪/૦૭/૨૧
********************************
NOG.SS NO /0026
વિષય – મોહ – માયા.
વિભાગ – પદ્ય
ગઝલ – ગા ૧૨
માયાનું શબ દાટી દેજો રાહત થાશે.
મોહ જગે તો ઠારી દેજો રાહત થાશે.
કાંઠે બેસી તોફાનો નાં જોતાં રે’જો,
નાવ ભંવરમાં નાંખી દેજો રાહત થાશે.
કોઈ અગર જો રાહે પથ્થર નાંખે તો પણ,
અવરોધો સૌ ટાળી દેજો રાહત થાશે.
ભાષા વેદ પુરાણોની ના સમજી શકતાં,
મનથી મનને સાંધી દેજો રાહત થાશે.
સંબંધો તૂટે તો પાછા ક્યાં સંધાતા?
ભીતર ભાવો વાળી દેજો રાહત થાશે.
અંજના ગાંધી “મૌનુ”
વડોદરા
********************************
NOG.SS.No : 100
વિષય : પ્રકૃતિ
પ્રકાર : પધ
શીર્ષક : *પ્રાણ*
પ્રાણ પ્રાણમાં પરિમલ પ્રકટે,
સ્નેહ સ્નેહનાં સરોવર છલકે.
અદ્રશ્ય હ્રદયના તાર પડખે,
ભક્તિમાં પાષાણ પણ પીઘળશે.
ધીર ગભિરુ અંતર મૌન પડખે,
અદ્રષ્ટ આધીન મન રાણકશે.
નથી કોઈ કશું કયાં શોધતા જડતું,
અગમ મુસાફિર અચંબે મળશે.
બહાર અંદર પવન સ્વરૂપે ફરતો,
અજપા જાપમાં સત્ય ભળશે.
સહેજ સ્પર્શી શકું માટે મથતો,
બળી તાપમાં ખુદને મળશે.
*બીજલ જગડ*
મુંબઈ, ઘાટકોપર