અણહીલપુર પાટણ નો આજે 1279 મો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે. સરકારી તંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. વિક્રમ સંવત 802 મહાસુદ સાતમના દિવસે અહિલ નામના ભરવાડ ના નામે પાટણ નગરીને અણહીલપુર નામ આપવામાં આવ્યું હતું જે રાજા વનરાજસિંહ ચાવડા ના યુગ મા થયું હતું. ત્યારબાદ વિક્રમ સંવત 998 ચા સુધી ચાવડા વંશજો રાજ કરતા અને ત્યારબાદ 1300 સુધી સોલંકી યુગ રાજવી પરિવારો અહી રાજ કરતા..મૂળરાજ સોલંકી ના યુગ માં પાટણ મા ઘણી અહિતિહાસિક્તા અસ્તિત્વ મા આવી હતી.આ અહીતિહસિક નગરી માં બાદીપુર ગામ ઇજિપ્ત ના રાજાનો છેલ્લો ખજાનો ડાટાયેલ છે તેવું હાલના પાટણ ના અમુક ઠાકોર પરિવાર માંથી જાણવા મળ્યું છે..છેલ્લે સિદ્ધરાજ જયસિંહ નામના રાજવી વંશજ કાળની સ્થાપત્ય અહિતિહસિક્તાં આજે પણ ઘણી અહિતિહસિક્તા જૂની ઈમારત,મંદિરો,સતી રાણકદેવી ની ડેરી,સહસ્ત્રલિંગ તળાવ,દામોદર કૂવો,સિંધવાઈ માતાની વાડી,હિંગલાજ માતા નું મંદિર,જૂની કાલકા,નવી કાલકા માટેના રાજવી દેવી દેવતાઓના મંદિર, ખાન સરોવર,ભદ્ર નો કિલ્લો,ત્રણ દરવાજા અને પાટણ ના પટોળા તે પાટણ નગરી ની જોવાલાયક સ્થળો માં સરકાર ના હેરિટેજ દ્વારા સ્થાન આપવામાં આવ્યું છે.છેલ્લા રાજવી દ્વારા ઉત્તર પ્રદેશ થી 1000 બ્રાહ્મણો ને બોલાવી સૌથી મોટો યજ્ઞ અહી કરવામાં આવ્યો હતો ત્યારથી પાટણ અને તેની આજુબાજુ સિદ્ધપુર અને અનેક ગામો માં આ બ્રાહ્મણો વસી જતાં આજે પણ પાટણવાડિયા ઔદિચ્ય સહસ્ત્ર તળ જ્ઞાતિ ના બ્રાહ્મણો સમગ્ર ઉત્તર ગુજરાત માં વસે છે તેવી રીતે અહી સોલંકી યુગ થી ઠાકોર જ્ઞાતિ ની પણ સૌથી મોટી વસ્તી આજે રાજકીય વોટ બેંક પ્રમને જોવા મળે છે..આમ અનેક જ્ઞાતિઓ થી પાટણ આજે જિલ્લો બની ને વિકાસ કર્યો છે..હવે તો પાટણ ની આજુ બાજુ ત્રણ ચાર કિલોમીટર સુધી મોટા શહેરો ની જેમ આધુનિક ફ્લેટ અને ટેનામેન્ટ ની અસંખ્ય સોસાયટીઓ અસ્તિત્વમાં આવી છે જેમાં માટે ભાગે પાટણ ના વખણાય એવા પાડા, વાડા પોળ ના પરિવારો ના વંશજો એ સ્થાન લીધું છે.
પાટણ ની પ્રભુતા,પાટણ નો નાથ,”સતી જશમાં ઓડણ ” શબ્દથી અનેક કવિ સાહિત્યકારો અને ગુજરાતી ફિલ્મ ના ચલચિત્રો પણ પાટણ ની અહિતિહસિકતા થી વર્ણવામાં આવ્યા છે..પાટણ ના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા આજે પણ કર્મકાંડ ના શ્રેષ્ઠીઓ દ્વારા કથા.પાઠ.પૂજન.હોમ.હવન ભારત ના અહિતીહસિક સ્થાનો માં યજમાનો દ્વારા કરાવાય છે..પાટણ ના જાલેશ્વર,લાલેશ્વર મહાદેવ પણ જગ પ્રસિદ્ધ છે જ્યા અહિતિહસીક વર્શ માં એક વાર બ્રાહ્મણો દ્વારા આખી રાત ભવાઈ ઉજવાય છે જે જોવા ક્યા ક્યા વસેલા બ્રાહ્મણ પરિવારો જળેશ્વર મહાદેવ ખાતે જોવા આવે છે. છાયા શાસ્ત્રી,વિદ્વાન શાસ્ત્રીઓ અને કિલાચંદ દેવચંદ જેવી મોટી પેઢીઓ પણ આ પાટણ ની પેઢીઓ પણ આ પાટણ ની પ્રભુતામાં સમાવેલી છે..દેરાણી જેઠાણી ની વાવ,ભમ્મરીઓ કુવો,અડી કડી ની વાવ,નવઘણ નો કૂવો જેવી જગપ્રસિદ્ધ જગ્યાઓ આજે પણ પાટણ મા જોવા મળે છે અને જગ પ્રસિદ્ધ છે.. પાટણ મા જૈન દેરાસરો રૂપી પંચાસરા પણ આજે અસ્તિત્વ મા છે અને વાર્ષિક વણિક કુટુંબો દ્વારા મોટા વરઘોડા નીકળતા જોવા મળે છે…પાટણ ની એક મુખ્ય સમાજિક ખાસિયત જોઈએ તો તમામ જ્ઞાતિ ના લોકો લગ્ન સીઝન માં આખાએ ગામ માં વરઘોડા નિકાળવાનો વાનો રિવાજ છે .આ ઉપરાંત પાટણ ના જુદા જુદા આપેલા નામો મુજબ બારેય દરવાજા થી નીકળી મુખ્ય હિંગલા ચાચર ચોક સુધી લાવી ખૂબ ઘોડાઓ,ઘોડીઓ ઉપર અવનવા તરકીબો થી ડાન્સ કરાવવામાં આવે છે જેથી પાટણ ની લગ્નો ની બગી ગાડીઓ અને બેન્ડ વાઝા વાળા આજે પણ જગ વિખ્યાત છે.પાટણ નો સોની વાડો પણ એટલો જ પ્રખ્યાત છે જ્યા પાટણ ના કીમતી પટોડા લેવા ઉદ્યોગપતિ અને સિનેમા જગત ના લોકો આજે પણ ઓર્ડર આપી બનાવડાવી લઈ જાય છે જેની લાખો માં કિંમત થાય છે કેમકે તે સોના.ચાંદી ના તાર માંથી બનાવવામાં આવે છે..અનેક ફિલ્મી હિન્દી,ગુજરાત ની હસ્તીઓ પાટણ ની અહિતિહસિક્ સ્થળો ઉપર શૂટિંગ કરીને ચલચિત્રો ની પુષ્કળ કમાણી કરેલ છે..આજે પણ પાટણ ની રાણકી વાવ અને સહસ્ત્રલિંગ તળાવ ને વિશ્વ હેરિટેજ માં સ્થાન અપાતા દેશ વિદેશી લોકો સહેલાણીઓ પાટણ આવતા જોવા મળે છે..ગુજરાત સરકાર દ્વારા આજે પણ પાટણ નો અભિભૂત વિકાસ થતો જોવા મળી રહ્યો છે..પાકિસ્તાન બોર્ડર નું કાકોશી અને સમી બોર્ડર પણ પાટણ નજીક હોવાથી કેન્દ્ર સરકાર ના ખાતાઓ દ્વારા પણ પાટણ જિલ્લાને મહત્વનો જિલ્લો ગણવામાં આવે છે અને તમામ સરકારી કચેરીઓ અહી જોવા મળે છે.આરોગ્ય વિભાગ દ્વારા ધારપુર મોટો હોસ્પિટલ પણ બનાવવામાં આવી છે. જેથી પાટણ ની ચોફેર ચાર માર્ગીય રસ્તાઓ,સરસ્વતી(કુંવરિકા)નદી અને રેલમાર્ગ ની સુવિધાઓ નો પણ વિકાસ થયો છે .આ પાટણ ના ન્યાયતંત્ર ના ન્યાયાધીશો અને કાયદાશાસ્ત્રી આજે પણ અનેક શહેરો મા પ્રેક્ટિસ કરતા જોવા મળે છે..પાટણ તબીબી ક્ષેત્રે અને શિક્ષણ ક્ષેત્રે પણ પીછે હઠ કરી નથી, પાટણ ની જૂની શાળા,કોલેજ અને હેમચંદ્રાચાર્યનું યુનિવર્સિટી તરીકે નો દરજ્જો પણ અનેક નામના મેળવી છે..આ પાટણ મા અનેક ચમત્કારિક પંચમુખી અખાડા ના સાધુ સંતો તેમજ જૈન મુનિ સાધ્વીઓ આજે પણ જગ વિખ્યાત છે અને વાર તહેવારે પાટણ ના દેશ વિદેશ માં વસતા લોકો તેમના જ્ઞાતિના ખાસ તહેવારે અહી જોવા મળે છે….આમ પાટણ તમામ ક્ષેત્રે વિકસિત આજે પણ જોવા મળે છે..ક્યારેક “પાટણ ની પ્રભુતા” પાટણ નો નાથ,પાટણ ના પટોળા અને સિદ્ધરાજ જયસિંહ જેવા રાજવી વંશ માં થઈ ગયેલ સતી પ્રથા,જેવી અહીતિહસિક્ વાતો સાહિત્ય મા વાંચવા મળે ત્યારે પાટણ ની એક મુલાકાત જરૂર લેજો….હું ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક તંત્રી/માલિક ખુદ પાટણ નો વતની છું અને અમારા કુટુંબ ના અનેક લોકો આજે પણ પાટણ અન પાટણ જિલ્લાના ગામોમાં વસે છે અને ખેતીવાડી સાથે અનેક વ્યવસાય માં સંકળાયેલા છે જેથી અમો પણ વરસ માં ચાર પાંચ વાર વાર તહેવારે પાટણ જતા ખૂબ ગર્વ અનુભવીએ છીએ…..આ ઉપરાંત અનેક સાહિત્યકારો એ પાટણ ના જૂના ચાવડા,સોલંકી યુગ ના અનેક ઇતિહાસ વિશે અનેક સાહિત્ય પીરસ્યું છે જેના ઇતિહાસ આજે પણ લાયબ્રેરી અને પાટણ વિષયક વેબસાઈટ સોશિયલ મીડિયામાં જોવા મળે છે….
વધુમાં અન્ય સોશિયલ મીડિયામાં પણ સમાચારો આવ્યા છે
જેને આજનો વર્તમાન યુગ સોલંકી શાસનનો સુર્વણ યુગ ગણે છે, તે વિસરાતો પૈકી અનેક પ્રાચીન સ્મારકો અને મંદિરો આજે પણ અડીખમ ઉભા છે. જેમાં તે સમય દરમિયાન ભીમદેવ પહેલાના મૃત્યુ બાદ તેઓની યાદમાં પત્ની રાણી ઉદયમતીએ રાણીની વાવ બંધાવી હતી. જેમાં સાત માળની વાવ ૬૪ મીટર લંબાઈ, ૨૦ મીટર પહોળાઈ અને 27 મીટર ઊંડાઈની બનાવવામાં આવી છે. જે વાવમાં રેતિયા પથ્થર પર કોતરણી કરી બેનમુન કલાકૃતિ તેમજ થાંભલાઓથી સજ્જ અકલ્પનીય વાવ બનાવવામાં આવી હતી. જે આજે વિશ્વ વિરાસતમાં સ્થાન પામી છે. ત્યારે આવા પ્રાચીન ઇતિહાસ ધરાવતા પાટણનો આજે સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવશે.
પાટણના જુના બાદીપુર ગામની સીમામાં ઇજિપ્તના રાજાએ પોતાનો ખજાનો ભૂગર્ભમાં દાટ્યો હોવાનો દાવો થઇ રહ્યો છે. ભેમોસણ ગામના રહેવાસી અને પાટણના વેપારી સોવનજી જીવણજી ઠાકોર અને નટુજી ઠાકોરના અનુસાર તેમના માયા પરિવારના પૂર્વજો ઇજીપ્તમાં રહેતા હતા. ત્યાંના રાજવીઓનાં ખજાનાનું રક્ષણ કરતા હતા. જ્યારે ઇજિપ્ત શાસન તબક્કાવાર નાશ પામવા લાગ્યું ત્યારે રાજાએ માયા રક્ષકોને ખજાનો અને તેની ચાવી સોંપી દીધી હતી. જે ખજાનો જુના બાદીપુરની જગ્યામાં તેમની જમીનમાં ભૂગર્ભમાં સંતાડેલા હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. આ ઉપરાંત આ ખજાનાની ચાવી તેમની પાસે હોવાનો દાવો પણ ઠાકોર પરિવાર કરી રહ્યો છે. (Courtesy Zee news. પ્રેમલ ત્રિવેદી. પાટણ)
તંત્રી : પ્રદીપ રાવલ(મૂળ વતન અણહિલપુર પાટણ)
અહીં કોઈપણ રાગદ્વેષ વિના સમાચારો પ્રાપ્ત થઈ પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક કોઈપણ સમાચારો કે ફોટાઓ લાગે તો તંત્રીનો સંપર્ક કરીને અહીંયાથી તેવા સમાચાર ફોટાઓ ખરાઈ કરીને દૂર કરવામાં આવશે.