14 મે વિશ્વ માતૃ દિવસ નિમિત્તે માતૃ વંદના સપ્તાહ ઉજવણી આજે ચોથો દિવસ 13/5/2023 કુલ 51 થી વધારે સર્જકો ની પદ્ય.ગદ્ય રચના પ્રસ્તુત કરતા આનંદ અનુભવીએ છીએ3.સર્જકાઓ ને અનેક શુભકામનાઓ…
14 મે,2023 ” વિશ્વ માતૃ દિવસ ”
સુજ્ઞ વાચકો,
વિશ્વ માતૃ દિવસે વિશ્વ ની હયાત અને સ્વર્ગે સિધાવેલ માતાઓ ને નત મસ્તક વંદન…..
જન ફરિયાદ દેશ વિદેશ સાપ્તાહિક 1996થી દેશ વિદેશના સમાચારો સાથે સાહિત્યિક સર્જકોની રચનાઓ ભારતીય સંસ્કૃતિ પરંપરાઓ અને વાર તહેવારે પ્રસિદ્ધ કરતું આવ્યું છે જેને ધ્યાનમાં લઈને કર્તવ્યના ભાગરૂપે વિશ્વ માતૃ દિવસે દેશ વિદેશના 250 થી વધારે સાહિત્યિક સર્જકોની રચનાઓ ની આ ઈ બુક અમો બહાર પાડી રહ્યા છીએ જે સૌ સાહિત્યિક સર્જકને માતૃ ઋણ અદા કરવાનો એક સુંદર અવસર મળશે અને વાચકો માટે પ્રેરણાદાયી સ્તોત્ર બની રહેશે..સાહિત્ય સંગીત નું વિશ્વ આયોજક કૌશિક શાહ,રાજુલ શાહ નું અમારા અખબારો માં સહયોગી સાહિત્યિક સર્જક પ્રસિદ્ધિ સહયોગી તરીકે, અવિરત આલેખન ને પ્રોત્સાહિત કરનારા સર્જકો નો આ માતૃ વંદના નો ગદ્ય.પદ્ય રચનાઓ નો ધોધ આ અમારી પ્રસિદ્ધ થઈ રહેલ બુક માં માતૃત્વ નો તરવરાટ ઊભો કરશે અને તમામ લેખકો માં એક નવો જોમ અને જુસ્સો આવી નવીન માતૃત્વ લેખમાળા બની રહેશે..દેશ વિદેશ ના નામી સર્જકો એ પોતાની કૃતિ અહી રજૂ કરી છે.. જેમાંના કેટલાક સર્જકો પોતાની વિડિયો રચના પણ અમોને અમારી યુ.ટ્યુબ ચેનલ ઉપર પ્રસારિત કરવા મોકલી છે..સૌ માતૃ પ્રેમી કર્તવ્ય નિષ્ઠ સર્જકો ને માતૃ કલમ માં પોતાના વિચારો ની સહી પૂરી સુંદર રચનાઓ આપવા બદલ સો સો સલામ….
NOG સાહિત્ય સરિતા ( ગાંધીનગર)
ગ્રુપ: આયોજક : પ્રદીપ રાવલ,મીનાક્ષી રાવલ
સાહિત્ય સંગીત નું વિશ્વ.(અમેરિકા)
ગ્રુપ : આયોજક : કૌશિક શાહ,રાજુલ શાહ
***************************************
ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક (૨૦૧૪)
જન ફરિયાદ દેશ વિદેશ સાપ્તાહિક(૧૯૯૬)
તંત્રી : પ્રદીપ રાવલ
મેનેજીંગ તંત્રી : મીનાક્ષી રાવલ
નિવાસી તંત્રી( અમેરિકા: કૌશિક શાહ
નિવાસી તંત્રી( ઓસ્ટ્રેલિયા : વૈભવી જોષી)
નિવાસી તંત્રી (કેનેડા)સુરેશ જાની
ઇન્ટરનેશનલ પ્રમોટર (નિવાસી તંત્રી યુ.કે : પૂજા રાવલ
(Janfariyadnews.com (ન્યૂઝ પોર્ટલ & યુ ટ્યુબ સોશિયલ મીડિયા ન્યૂઝ ચેનલ)
www. janfariyadnews.com
Regd.office,published : Guj.Govt Press Block : 677/2 ,GH Type, Sector – 8,Gandhinagar.Pincode : 382007(Gujarat.INDIA)
Email : prdpraval42@gmail.com
Email : prdpraval@yahoo.co.uk
Contact : +91 9824653073,9537656922
******************************************
GN_202-13-5-23 Colour
13052023 List for 40 Padhay Rachana
13052023 List for 10 Gdhay Rachana
ઉપર મુજબ ની લીંક ડાઉનલોડ કરીને પીડીએફ માં ઓપન કરીને આપ આજની 50 સર્જકો ના ફોટા.નામ સાથે ની રચનાઓ વાંચી શકશો..
******************************************
13/05/2023 – List for 10 Gdhay Rachana
1) ડૉ. રેખા શાહ (મોરબી)
“હતો હું સૂતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો?
મને દુઃખી દેખી, દુઃખી કોણ થાતું,
મહા હેતવાળી દયાળી જ મા તું.”
– દલપતરામ
‘મા’ આ એક શબ્દમાં સમગ્ર વિશ્વ સમાઈ જાય. મા, માતા, જનની, આઈ, અમ્મી, મોમ…કોઈ પણ બોલીમાં બોલીએ પણ મા એટલે પ્રેમ, કરુણા, મમતા, વાત્સલ્ય….. જેનો કોઈ પર્યાય નથી. તેથી જ તો કહ્યું છે,
“ઈશ્વર દરેક વખતે દરેક જગ્યાએ નથી પહોંચી શકતો એટલે એણે માતાનું સર્જન કર્યું.”
બાળપણમાં એક દૂધવાળી ભરવાડણની વાર્તા આવતી. તે જ્યારે દૂધ વેચીને પાછી ફરી ત્યારે નગરમાં પ્રવેશવાનો દ્વાર બંધ થઈ જાય છે. એણે દ્વારપાલને ઘણી વિનંતી કરી છતાંય એણે કહ્યું, “હુકમ એટલે હુકમ.” અને દરવાજો ન ખોલ્યો. ત્યારે તે, પોતાનાં નાનાં બાળ માટે જીવની પરવા કર્યા વિના જંગલનાં મારગે ઘરે પહોંચી ગઈ! તેથી જ તો કહ્યું છે ને, “મા તે મા, બીજાં બધાં વનવગડાના વા.”
મા પોતાનાં સંતાન માટે સમગ્ર વિશ્વ સામે લડી શકે છે.
યુગ કોઈ પણ હોય માવડીનાં પ્રેમની ધારા ગંગાના પ્રવાહની જેમ સતત વહેતી રહે છે. આધુનિક યુગમાં દરેક મોમ સુપરમોમ છે. સંતાનોની સાથે તે પણ દરેક દોડમાં સામેલ છે. પોતાનાં વહાલસોયા દુનિયાની દોડમાં પાછળ રહી ન જાય એ માટે તે પણ સમયના ઘોડા પર સવાર જ રહે છે.
ભારતીય સંસ્કૃતિમાં બાળકોને ગળથૂથીમાં અને હાલરડાંમાં પણ વીરરસ પાવામાં આવતો હોય છે. આપણાં બાળક સિંહનાં મોંનાં દાંત ગણે એ કોની કેળવણી?માની જ ને!
આપણે તો નદીને, ગાયને પણ માતા સ્વરૂપે પૂજનારા દેશનાં વારસ છીએ.
મનુષ્યમાં જ નહીં પ્રાણીજગતમાં પણ મા તેમનાં બચ્ચાંઓનું ખૂબ જ ધ્યાન રાખે છે. ગાયને જ્યારે વાછરડું જન્મે છે ત્યારે તે ખૂબ જ ચીકણા પ્રવાહીથી લપેટાયેલું હોય છે. પરંતુ મા-ગાય પોતાની જીભ વડે ચાટીને તેને એકદમ સ્વચ્છ કરે છે. એવી જ રીતે કૂતરી એનાં તાજાં જન્મેલા ગલૂડિયાં પાસે કોઈને પણ ફરકવા નથી દેતી. દરેક માદા મા પોતાનાં નવજાત શિશુનું ખૂબ જ ધ્યાન રાખે છે.
અહીં એક વાત કહેવાનું મન થાય છે; આપણે જેટલો આદર, પ્રેમ માના સ્થાનને આપીએ છીએ એટલું મહત્વ શું માને આપીએ છીએ? એક સ્ત્રી જ્યારે મા બને છે ત્યારે બીજીવાર એનો જન્મ થાય છે. એ બાળક માટે બધું જ કરી છૂટે છે,છતાંય એનાં સ્થાન-માનમાં કંઈ ફેરફાર થતો નથી
કવિ બોટાદકરે સાચું જ ગાયું છે, “જનનીની જોડ સખી નહીં જડે રે લોલ…”
ડૉ. રેખા શાહ (મોરબી)
2) સુધા પુરોહીત (અમદાવાદ)
“મા”
યાદેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમોનમ:
શાસ્ત્રો,ઋષિઓ, દેવો જેનાં ગુણ ગાતા થાકતાં નથી તે માતા મંદિરની હોય કે જન્મ દેનારી, હંમેશા પૂજનીય છે, વંદનીય છે. જે પોષણ કરે તે મા.(૧) જન્મ દેનારી મા (૨) ધરતીમાતા (૩)લોકમાતા નદી (૪)ગાય માતા (૫)પ્રકૃતિ માતા.. આ બધી માતાઓ વાર તહેવારે પૂજાય છે.
કવિઓ પણ માતાનાં ગુણલાં ગાતા ધરાતા નથી.
મીઠાં મધુર, મીઠાં મેહુલા રે લોલ, એથી મીઠી છે મોરી માત રે જનની ની જોડ સખી નહીં મળે રે લોલ
કવિ બોટાદકર
હતો હું સૂતો પારણે, પુત્ર નાનો રડું તો, રાખતું કોણ છાનો
મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું ? મહા હેતવાળી દયાળી જ મા તું..
કવિ દલપતરામ
શાસ્ત્રો કહે છે, ‘જો બાળક દરિદ્ર થાય તો તેનાં નસીબનો વાંક, બુદ્ધિહીન થાય તો પિતાનો વાંક, પણ બાળક સંસ્કાર હીન થશે તો માતાનો વાંક ગણાશે .’
એટલે જ તો સો શિક્ષક બરાબર એક માતા કહેવાય છે.નાનપણમાં વાર્તા સાંભળી હતી. એક બાળક નિશાળેથી પેન્સિલ ચોરી આવે છે. માતા તેને ચોરી કરતાં અટકાવતી નથી ને આ બાળક અઠંગ ચોર બંને છે. આ રીતે બાળકનાં ઘડતરમાં માતાનો અગત્યનો ફાળો છે.શિવાજી મહારાજ, અબ્દુલ કલામ, આજનાં આપણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી. દરેકમાં માતાનાં સંસ્કારનું સિંચન દેખાય છે. અરે ભગવાને પણ વિચાર્યું કે તેનાથી બધી જગ્યાએ નહી પહોંચાય એટલે જ માતાનું સર્જન કર્યું. ‘ગોળવિના મોળો કંસાર ,મા વિના સૂનો સંસાર ‘ માનું મહત્વ સમજાવી જાય છે.બાળક પહેલાં ‘મા’ શબ્દ જ બોલતાં શીખે છે, એટલે જ આપણી બોલચાલની ભાષાને આપણે માતૃભાષા કહીએ છીએ. એમ કહેવાય છે કે, ‘ઘોડીએ ચડનાર બાપ મરજો પણ દળણાં દળનાર મા કોઈની ના મરશો’. આ બધું માનું મહત્વ સમજાવે છે.
નિ: સ્વાર્થ પ્રેમ એટલે મા.’ મા એ મા બીજા વગડાનાં વા’દુખમાં મા જ સાંભરે ઠોકર વાગે એટલે ‘ઓ મા’ નો ઉદ્ગાર જ નીકળે છે.
જન્મ દેનારી માને જો સાચવી હશે તો મંદિરની માની પૂજા કરવાની જરૂર નહીં પડે. એનાં આશીર્વાદ આપોઆપ મળી જશે.’જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી’ એવી જનેતા તો આપણાં
લોહીનાં બૂંદબૂંદમાં સમાયેલી છે. એનું ઋણ ક્યારેય, કોઈ ચૂકવી શકવા સમર્થ નથી. શબ્દો ઓછાં પડે ,કલમ ટૂંકી પડે.
આજનાં માતૃદિન નિમિત્તે તને યાદ કરવું પૂરતું નથી. સદાય સ્મૃતિમાં સમાયેલી જ છો. એક ભાવાંજલિ આપીને કોટીકોટી વંદન કરૂં છું, મા તને પ્રણામ .
•* માતૃદેવો ભવ•*
સુધા પુરોહીત (અમદાવાદ)
3) પ્રકાશ એમ સોલંકી (પાટણ)
મા કહેતાં જ હૈયે ટાઢક થાય એ મમતાળી મા ,ઈશ્વર પણ થાક્યો સજૅન કરી ત્યારે એણે ધરતી પર મોકલી મા શું.
કવિ કાગ કહે છે..
મોઢે બોલું મા , સાચેય નાનક સાંભળે;
મોટપની મજા , મને કડવી લાગે કાગડા !
ભગવત તો ભજતાં , માહેશ્વર આવી મળે ;
મળે ન એક જ મા ,કોઈ ઉપાયે કાગડા !
– કહે છે કે જો મોઢે કાલું બોલું ને માનું નામ લેવું તો મને એ નાનપણ સાંભરે છે. આ જગતમાં મોટો થયો એની મજા પણ મને કડવી લાગે છે . એટલે જ કહેવાય, ‘મા તે મા બીજા બધાં વગડાના વા .’ હું ભણતો ત્યારે એક પાઠમાં વાક્ય આવતું કે ઘોડે ચડેલ બાપ મર જો ,પણ મા ના મરજો . માનાં ગુણ તો આ જગતમાં વિધાતા પણ નથી ગાઈ શકતા ,એની કલમ ને એનાં પાનાં પણ ઓછાં પડે .
જગતનો નાથને પણ માની મમતા પામવા માના ઉદરમાં આવી માનવ થવું પડ્યું ,એને અવતાર લેવો પડ્યો . ભલે જગત માટે એ કૃષ્ણ થઈ પૂજાતો કે ઈશ્વર કહેવાતો પણ જશોદા માટે તો એ જ કાનો .
એટલે જ કહેવાનું મન થાય કે.. .
જગતના તાપ જ્યાં શમી જાય ,જગતનો નાથ મમતા પામવા , જન્મ લેતો એનાં ઉદરમાં, એવી જનની જગતમાં જે ઈશ્વર જગત તણો.
એટલે કહેવાનું મન થાય..
આખી ધરતી કાગળ કરું, ને કરું લખવા કલમ બધી વનરાઈ, સાત સમુદ્રની શાહી કરું, મા તારાં ગુણ લખ્યાં ન જાય!
મા તારાં ગુણ લખતાં તો વિધાતા પણ અટકી જાય . એવાં શબ્દો પણ નથી એટલે કહેવાનું મન થાય કે આ દેહમાં વહેતાં રક્તપ્રવાહનું એક એક બૂંદ પણ તારું ઋણી છે. ભલે ઘણાં જન્મ લઉં તો પણ એ ઋણ ચૂકવી નહીં શકું .
એવી છે તું જગતતણી એ ઈશ્વરને પણ તારે ખોળે આવવા સ્વર્ગ છોડી આવવું પડે . એવી જગતની જનેતા છે તું મા .
મા, તારાં વિના જગત લાગે સૂનકાર ,
તું જ છે આ જગત તણો ધબકાર.
એટલે કહેવાય છે કે જનનીની જોડ સખી નહીં મળે રે લોલ .
તારાં માટે એક દિવસ નહીં પણ અનેક જન્મો ને દરેક દિવસ તારો જ છે. એવા તારાં જગતમાં ઉપકાર છે મા.
પ્રકાશ એમ સોલંકી (પાટણ)
4) નયના ઠકકર”(પ્યાસી”(વડોદરા)
*પ્રેમનું અસલી સરનામું-મા.*
*પ્રભુની પ્રતિનિધિ-મા* મા!માતા!માડી!માવડી! જનની!જનેતા!
મા શબ્દ નહીં શબ્દતીર્થ છે.મા શબ્દમાં મહાકાવ્ય છુપાયેલું છે.શબ્દકોશમાં માનો શબ્દાર્થ મળશે પણ માનો ભાવાર્થ તો હ્રદયમાં મળશે.મા કોરો શબ્દ નથી,
એક અનુભૂતિ છે.કોઈ સમર્થ કવિ,લેખક,ચિંતક પણ માને શબ્દોમાં સમાવી શકતો નથી.ઈશ્વરે પોતાની પ્રતિનિધિ તરીકે માનું સર્જન કર્યુ.ઈશ્વરને પણ જન્મ લેવા માની જરૂર પડે
છે.વેદમંત્રોમાં *માતૃદેવો ભવઃ* પ્રથમ લખાયું છે.
માની કુખમાં નવ માસ રહ્યા પછી જેનો જન્મ
થાય તે *મા-નવ!* *Mother* માંથી માનાં નામનો M કાઢી નાંખો તો બીજા બધાં *Other.*
નિરપેક્ષ,નિઃસ્વાર્થ પ્રેમદાતા મા જન્મદાત્રી,પોષણદાત્રી
સંસ્કારદાત્રી છે.મમતામૂર્તિ કરુણામૂર્તિ,વાત્સલ્યમૂર્તિ,
ત્યાગમૂર્તિ,સેવામૂર્તિ માતા સમર્પણની વિરલ સંહિતા!
એનું બલિદાન તો જુઓ!પ્રસવની પીડા પોતે વેઠી બાળકને જન્મ આપે છતાં સંતાનનાં નામ પાછળ પિતાનું નામ લખાવે છે. દેહમાંથી દેહ આપે અને
લોહીમાંથી દૂધ બનાવે તે મા!સંતાનનાં ઉછેરમાં પોતાના સમગ્ર અસ્તિત્વને ભુલાવી દે છે.
મમતાનું ખાતર,હૂંફની હવા લાગણીનાં પિયુષ,સ્નેહનાં સૂર્યપ્રકાશ દ્વારા ત્યાગની ભૂમિ પર સંતાનનાં જીવન પરિમલને મહેંકાવનાર માળીને સ્વેચ્છાઓનું ભાન ક્યાં હોય છે?
આદર્શ શિક્ષિકા,જીવન માર્ગદર્શિકા,શિશુસંસ્કાર પ્રહરી,વાત્સલ્યની વીરડી,
ત્યાગની તપોભૂમિ,પ્રેમનું સાકાર સ્વરૂપ,લાગણીનો સ્વયં પર્યાય,ક્ષમાભાવની સૂરત,સહનશીલતાની મૂરત,કરૂણાનો મહાસાગર અને મમતાનો મહેરામણ!
મા એટલે શિયાળામાં હૂંફ આપતું સ્વેટર,ઉનાળામાં ઠંડક આપતું એરકન્ડિશન, ચોમાસામાં રક્ષણ આપતો રેઈનકોટ,દુઃખનું ફિલ્ટર, સુખનું પોસ્ટર,અંધકારમાં ઉજાસ,મુંઝવણમાં માર્ગ,
સમસ્યામાં સમાધાન, જીવન સંગ્રામમાં ઢાલ,
જીવનપથનો માઈલસ્ટોન, હરતીફરતી યુનિવર્સિટી!
નારીનો ત્યાગ,ગાંધીજીની સેવા,મહાવીરની અહિંસા,
બુદ્ધની કરૂણા,ઈસુનો પ્રેમ, આનો સમન્વય એટલે મા! નારીનું વંદનીય સ્વરૂપ છે.
માનાં ઉપદેશ આગળ જગતનાં જ્ઞાનભંડાર પણ નકામા છે.માનો ખોળામાં ઈન્દ્રાસનનું સુખ લાગે છે.
માથા પર ફરતો માનો હાથ
જાણે કુબેરનો વૈભવ!
માનો દેહ નહોય ત્યારે તેનું વહાલ હવાના કણકણમાં વિખેરાઈને આલિંગન આપે છે.માનાં દૂધની કિંમત રૂપિયામાં અંકાતી નથી,માનાં આંસુની ગણત્રી કોમ્પ્યુટરમાં થતી નથી.તેથીજ કહેવાય છે,
ઈશ્વર પણ માનું ૠણ ચુકવવા અસમર્થ છે. સદીઓ,સંસ્કૃતિ,સમાજ બદલાય પરંતુ માનું સ્થાન,
ભૂમિકા બદલાતી નથી. માનો મહામૂલો સંબંધ વયની સાથે વધતો,ઘટતો કે મરતો નથી.
“બધી ઉપાધિ લાગશે ટળવા માનો હાથ મસ્તકે લાગશે ફરવા.”
સ્નેહવારિથી ભરેલી માની આંખોમાં ખારા પાણી ના આવે એટલુંજ કરી શકાય તોય થાય ૠણસ્વીકાર! “મા જબ નહીં હોતી તો દુઆ દેનેવાલા કોઈ નહીં હોતા ઔર બાપ જબ નહીં હોતા તો હૌંસલા દેનેવાલા કોઈ નહીં હોતા.”
મા માટે હું શું લખું?માએ મને લખી છે.એટલું જરૂર કહીશ-આ જગતમાં સાચા પ્રેમ અને હૂંફનું અસલી સરનામું એટલે મા!પ્રભુની પ્રતિનિધિ મા!
નયના ઠકકર”(પ્યાસી”(વડોદરા)
5)
સુરત પાસે સાયણ જન્મભૂમિ, કઠોર ધર્મભૂમિ ને દમણ કર્મભૂમિનો ત્રિવેણી સંગમ નુું જીવન. “માંડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો” , હા, મારી માતા ની પ્રભાત સૂરજદાદા ની સંગતે. મૂલ્યવાન જીવન જન્મ આપી મારા માટે મારી મા બહુમૂલ્ય. નાની નાની વાત, બાબત ને વળાંક આપી ફરી સમજાવે તે અણમોલ છે મારા માટે.
બાળપણ માં હું આગળ ઝૂકી ને અર્થાત્ ખૂંધી ચાલતી હતી ત્યારે પાછળ પીઠ પર ઢીક ઝીંકી ને કહેતી સીધી ચાલ… આજે ટટ્ટાર ચાલું છું. એક સાથે અનેક કામ કેવી રીતે કરાય તે સૂઝ આપનાર માતાને શ્વસી રહી છું. મારી સખી, મારી સલાહકાર, માર્ગદર્શન આપનાર પથદર્શક.
મનની વાત કહ્યા વિના સમજાવી શકું તે મારી સખા. મારા હૂંફ ની સાગર ‘ મા ‘. મારું પીઠબળ, મનોબળ એટલે ” મા “. કહેવાય કે, ૧૦૦ શિક્ષક બરાબર ૧ માતા. પરંતું મારા બાળમંદિર ના શિક્ષિકા મારી માતા જ હતાં. ૧૦૦ શિક્ષક ની ગરજ ૧ માતા સારતા હો ત્યારે માતા અને શિક્ષક ની બેવડી ભૂમિકા મારા જીવનમાં મેઘધનુષ ના રંગ સમાન છે.
ગર્ભ ને નાડી સાથે ને જોડતી ક્રિયા. નારી ની જીવન યાત્રા નું અણમોલ વરદાન માતા. જાણે ઇશ્વરીય પ્રસાદ. ઘર ને વર જોડવાની તક. ઉંબર થી ઉમરા સુધી, પારણાં થી પાનેતર સુધી ની જીવન શૈલી નું નજરાણું “મા”. કૂણાં કૂણાં સોણલાં ને જાણે સાગર ના છીપ મોતી સમાન સાચવણી.
બાળ ઉછેર ની બારાખડી માં ગીત, સંગીત, વાર્તા, કહેવત, ઉખાણાં, ફટાણાં થી સજ્જ કરી દે. ઇતિહાસ બાહ્ય જગત નો, પણ, ભૂગોળ ઘર ની. અર્થશાસ્ત્ર મુખ પર, વ્યવહાર ને ડોશીમા નું વૈદ્ય હાથવગુ રાખતી માતા ને નિહાળવાની લિજ્જત છે. પરીક્ષા સમયે નર્વસ થઈ જતી ત્યારે સાહસિક વાત નો પાનો ચઢાવે.
નસીબદાર હુ, ઇશ્વર ની સદૈવ ઋણી રહીશ કે, દમણ નિવાસી માતા પ્રભા એ અંગત જીવન ના ૫૫ થી વધુ વર્ષ સેવાકીય પ્રવૃત્તિમાં ગાળતાં બાળકોને સામાજિક સન્માન આપ્યું. સરકાર દ્વારા પદ્મ શ્રી એવોર્ડ ૨૦૨૨ નો પ્રાપ્ત કર્યો. ૯૨ માં વર્ષે સન્માન પામી, ૯૩ માં વર્ષે કોઈ ની પણ સેવા લેવી ન પડે તેવું જીવન આટોપી લીધું.
જીવી શકું તમ સમી,
ખુદ્દારી, ખુમારી ને ખંતથી.
પ્રેરણાદાયી ચક્ષુદાતા મમ્મી ખાના ખજાના માં માહીર. આજે હુ માતા છું ત્યારે મારી દીકરી ને ઉત્તમ આપવાની કોશિશ કરી મમ્મી ને સ્મરણાંજલિ માં સમાવું છું.
કિરણ સખી (અમદાવાદ)
6) સુધા પુરોહિત (અમદાવાદ)
નિબંધ શીર્ષકઃ મા
યાદેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમોનમ:
શાસ્ત્રો,ઋષિઓ, દેવો જેનાં ગુણ ગાતા થાકતાં નથી.તે માતા મંદિરની હોય કે જન્મ દેનારી હંમેશા પૂજનીય છે, વંદનીય છે.જે પોષણ કરે તે મા.(૧) જન્મદેનારી મા (૨) ધરતીમાતા (૩)લોકમાતા નદી
(૪)ગાય માતા (૫)પ્રકૃતિ માતા આ બધી માતાઓ વારતહેવારે પૂજાય છે.
કવિઓ પણ માતાનાં ગુણલા ગાતાં ધરાતાં નથી.
મીઠાં મધુર, મીઠાં મેહુલા રે લોલ, એથી મીઠી છે મોરી માત રે જનની ની જોડ સખી નહીં મળે રે લોલ
કવિ બોટાદકર
હતો હું સૂતો પારણે, પુત્ર નાનો રડું તો, રાખતું કોણ છાનો
મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું ? મહાહેતવાળી દયાળી જ મા તું
કવિ દલપતરામ
શાસ્ત્રો કહે છે” જો બાળક દરિદ્ર થાય તો તેનાં નસીબનો વાંક, બુધ્ધિહીન થાય તો પિતાનો વાંક, પણ બાળક સંસ્કાર હીન થશે તો માતાનો વાંક ગણાશે “ એટલે જ તો સો શિક્ષક બરાબર એક માતા કહેવાય છે.
નાનપણમાં એક વાર્તા સાંભળી હતી. એક બાળક નિશાળેથી પેન્સિલ ચોરી આવે છે. માતા તેને ચોરી કરતાં અટકાવતી નથી ને આ બાળક અઠંગ ચોર બંને છે. આ રીતે બાળકનાં ઘડતરમાં માતાનો અગત્યનો ફાળો છે.શિવાજી મહારાજ, અબ્દુલકલામ, આજનાં આપણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી. દરેકમાં માતાનાં સંસ્કારનું સિંચન દેખાય છે. અરે ભગવાને પણ વિચાર્યું કે તેનાથી બધી જગ્યાએ નહીં પહોંચાય એટલે જ માતાનું સર્જન કર્યું. ‘ગોળવિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર ‘ માનું મહત્વ સમજાવી જાય છે.બાળક પહેલાં ‘મા’ શબ્દ જ બોલતાં શીખે છે એટલે જ આપણી બોલચાલની ભાષાને આપણે માતૃભાષા કહીએ છીએ. કહેવાય છે કે ઘોડીએ ચડનાર બાપ મરજો પણ દળણાં દળનાર મા કોઈની ના મરશો.. આ બધું મા નું મહત્વ સમજાવે છે.
નિ: સ્વાર્થ પ્રેમ એટલે મા.’મા એ મા બીજાં બધાં વગડાનાં વા !’ દુઃખમાં મા જ સાંભરે ઠોકર વાગે એટલે “ઓ મા” નો ઉદ્ગાર જ નીકળે છે.
જન્મ દેનારી માને જો સાચવી હશે તો મંદિરની માની પૂજા કરવાની જરૂર નહીં પડે. એનાં આશીર્વાદ આપોઆપ મળી જશે.’જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગદાપિ ગરિયસિ ,’એવી જનેતા તો આપણાં લોહીનાં બુંદબુંદમાં સમાયેલી છે. એ ઋણ ક્યારેય, કોઈ ચૂકવી શકવાં સમર્થ નથી. શબ્દો ઓછા પડે કલમ ટૂંકી પડે.
આજનાં માતૃદિન નિમિત્તે તને યાદ કરવું પૂરતું નથી. સદાય સ્મૃતિમાં સમાયેલી જ છો.આ એક ભાવાંજલિ આપીને કોટીકોટી વંદન કરૂં છું, મા તને પ્રણામ.
•* માતૃદેવો ભવ•*
સુધા પુરોહિત (અમદાવાદ)
7) ખ્યાતિ પંડ્યા દવે. (ભુજ-કચ્છ)
“જનનીની જોડ સખી નહીં જડે રે લોલ”
આ પંક્તિમાં કવિશ્રી બોટાદકરે ખરેખર સુંદર લખ્યું છે, મા એ એવું વ્યક્તિત્વ છે જેની સરખામણી બીજા કોઈ સાથે કરવી અશક્ય છે. ધરતી પર જન્મ લેવા માટે ભગવાનને પણ માતાના ગર્ભમાં રહેવાની ફરજ પડી હતી.
“મળી નહીં હરને મા તેથી પરમેશ્વર પશુ થયો,
જાયો જસોદા નંદ કેરો કૃષ્ણ કહેવાયો”
મા એ વાત્સલ્યમૂર્તિ છે,
બાળકને જન્મના નવ મહિના પહેલાથી જ ઓળખનાર એકમાત્ર વ્યકિત તે મા છે.
મા પોતે ભણેલી, અભણ, ધનિક કે ગરીબ હોય પોતાના સંતાનોને શ્રેષ્ઠ આપવા માટે પ્રયત્નશીલ હોય છે. સંતાન કોઈ ખોડ ખાંપણવાળું કે અપંગ હોય તો પણ ‘મા’નો પ્રેમ તેના સંતાનો માટે એકસમાન છે. મા પોતાના નવજાત શિશુના રડવાથી સમજી જાય છે કે, બાળક ને શું જોઈએ છે. પોતાના સંતાનોના હસતા ચેહરા જોઈ મા પોતાની તકલીફો ભૂલી જાય છે.
શિવાજી, મોદીજી જેવા મહાન વ્યકિતત્વના જીવન ઘડતરમાં તેમની માતાનો ફાળો છે.
આ સૃષ્ટિમા ‘મા’નું સ્થાન અનેરું છે. પશુ-પક્ષીઓમાં પણ માતૃપ્રેમ અપાર જોવા મળે છે.
“આખો સમુદ્ર નાનો લાગે જયારે ‘મ’ અક્ષરને કાનો લાગે”
આમ, મા વિષે સુંદર કૃતિઓ-કવિતાઓ લખાઈ છે, માત્ર ગુજરાતી ભાષામાં જ નહીં પરંતુ વિશ્વની દરેક ભાષામા. ભારતીય સંસ્કૃતિમાં તો ‘માતૃદેવો ભવ:’ કહેવામાં આવ્યું છે.
આજ હું મા વિષય પર વાત કરું છુ ત્યારે વર્તમાન સંજોગો મુજબ મારા મનમાં પ્રશ્ન ઉદ્દભવે છે કે, મા બાળકને સારી વ્યકિત બનાવે છે તેને ઉચ્ચ શિક્ષણ અપાવે છે તો શું માતા બાળક ના મનની વાત સમજી ન શકે ? અત્યારે મોટાભાગની માતાઓ એમ ઈચ્છે કે, તેનું સંતાન લોકોને મોભાદાર લાગે તેવું જીવન જીવે. આમ, તે અજાણતાં જ પોતાના બાળકને આડંબર ભરી જીવનશૈલી જીવતા શીખવાડે છે, શું આ યોગ્ય છે ? બાળક ઉચ્ચ સ્થાને જ રહે, તે માટે અનેક વર્ગો કરાવે છે, એ જોયા વગર કે તેનાં બાળકને શેમાં રુચી છે, આમ કરવા જતા ક્યારેક બાળકો માનસિક તણાવના ભોગ બની જાય છે. પરિણામે અમુક નબળા મનના આત્મહત્યા કરવાનું પગલું ભરી લે છે તો કોઈ ગેરમાર્ગે દોરવાઈ જતા હોય છે. અત્યારના સમયમાં દરેક માતાએ આ વિષે વિચારવું જોઈએ, જેથી મા પોતાની મમતા અને સૂઝ દ્વારા ગેરમાર્ગે જતા સંતાનોને રોકી શકે. કહેવાય છે કે….
‘મા એટલેકે દુનિયાભરનાં દુઃખોને જમાં કરતી એકમાત્ર બેંક’
ખ્યાતિ પંડ્યા દવે. (ભુજ-કચ્છ)
8) કેતન મંજુલાબેન પટેલ(અમદાવાદ)
” મા ” તારા ગુણલા શું ગાઉં !
તું તો દેવોને પણ દુર્લભ છે.
સમસ્ત સંસારમાં જીવોનું અસ્તિત્વ હજારો વર્ષોથી પ્રવર્તમાન છે. આ બધા જ જીવોનો ઉદ્દભવ માતાના ઉદરમાં થયેલો છે. માતા માટે સંસારમાં લેખકો , કવિઓએ ખૂબ ગુણલા ગાયા છે. પરંતુ , એમનું લેખન કૌશલ્ય પણ એની મમતાને કાગળ પર પુરે પૂરી ના ઉતારી શકે. સમસ્ત દુનિયામાં જીવોમાં બે ભાગ પડે છે એક નર અને બીજો માદા, દરેક જીવો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા મથામણ કરે છે આ અસ્તિત્વની લડાઈમાં સૌથી મોટો રોલ કોઈ હોય તો એ માતાનો છે.
સંસારમાં નજર કરીએ ત્યારે પક્ષીઓ , પ્રાણીઓ , જીવજંતુઓ દરેકની ઉત્પતિ અને જીવનનો આધાર માતા બને છે. માતાની મમતાનો સ્નેહ કેવો હોય ! એ મે ફળિયાની રખડતી એક માદા શ્વાનમાં જોયું, સાવ ભૂખી રહી પોતના શરીરની ચિંતા કર્યાં વગર કોઈ પણ સ્વાર્થ વગર એ એના ગલૂડિયાંને કેવા સાચવે છે ! આવો જ બીજો સ્નેહ મે પક્ષીઓમાં જોયો. હું અમદાવાદ રહું છું. અઠવાડિયે એકવાર ગામડે આવવાનું થાય. મારા ઘર આગળ બોરસલ્લીનું ઘટાદાર વૃક્ષ છે. જેમાં હોલાનો માળો હતો. વધારે પવનને કારણે માળો વિખાઈને બે નાના બચ્યા નીચે પડ્યા હતા. મારી નજર ત્યાં પડી ત્યારે મારો જીવ એ તરફ દોડ્યો. મે જોયુ તો હોલી દૂર લાચાર નિ સહાય થઈ ત્યાં ઉપર જ બેઠી હતી. નીચે આવે અને ઉપર જાય. મે માળો સરખો કર્યો . એક બચ્યું જીવતું હતું મે માળામાં મૂક્યું. એક કલાક પછી જોયું તો એ ત્યાં એના બચ્યા જોડે જ બેઠી હતી. ના ખાવાની ચિંતા કે ના કોઈ સ્વાર્થ ! આ છે માતાની મમતા !
જ્યારે રાત પડી ત્યારે મારા બેડરૂમમાં પત્નીએ એ. સી ચાલુ કર્યું. હવે અહી બહુ દિવસે આવેલા. એકદમ જબરજસ્ત અવાજ થયો મને બોલાવ્યો અમે બારણું ખોલી જોયું તો કબૂતર દ્વારા એ.સી ના કોમ્પ્રેસર ની જાળી તોડી અંદર બચ્યા મૂક્યા હતા. પંખો ચાલુ થયો ત્યારે એ પંખાની હડફેટે કબુતરી આવી ગયેલી. મને ચિંતા થઈ! પણ ત્યાં લોહીના ડાઘ હતા નહિ. મે રાહતનો શ્વાસ લીધો. બીજા દિવસે પવન ખૂબ હતો ત્યાં એ.સી. નો પંખો એ પવનથી ફરતો હતો. અંદર રહેલી માતા એની ચાંચ દ્વારા એ પંખાના પાંખીયાને રોકતી હતી. કેવું મમત્વ !
આપણે હંમેશા જ્યારે વાત કરતા હોઈએ ત્યારે મનુષ્યની માતાઓના ગુણલા ગાતા હોઈએ છીએ પણ , સંસારમાં જંગલમાં , રણમાં, દરિયામાં, રહેનાર દરેક માતા એના સંતાન માટે અનેકો કષ્ટ ઉઠાવી પોતાની જાતને નીચોવી દઈને એના સંતાનનું જતન કરે છે. આ તબક્કે સંસારની તમામ માતાઓને વંદન.
કેતન મંજુલાબેન પટેલ(અમદાવાદ)
9) ઉષા પંડ્યા (રાજકોટ)
સંતાનોના સુખ માટે જગત સામે લડતી..
હર દુઃખ સહન કરીને સંતાનો માટે જીવતી
વિશ્વાસ કરો નિસ્વાર્થ પ્રેમની જળોહર
ઈશ્વરની હરોહર એ માના ચરણોમાં નમે સર..
માં એ માનવ જીવનનું અમૂલ્ય પાત્ર છે. વિશાળ દિલ અને વિરાટ ક્ષમાભાવ. સંબંધ કોઈ પણ ભલે હોય પણ માંની તુલનામાં ના આવે. દિવસ ઉગે ત્યારથી રાત સુધી પોતાના સંતાનોની કાળજી રાખતી. તેને હુંફ, આશ્વાસન, સાંત્વના, હિંમત આપતો સાથે રહેતો અવાજ એ માં. સંતાનોને મોટા કરવામાં પોતાના સુખોનો, શોખનો અને ખુશીઓનો કેટકેટલો ત્યાગ કર્યો હશે. દુઃખો વેઠીને પણ સંતાનોની ખુશી જોઈ હશે. વળતરની કોઈ જ અપેક્ષા રાખ્યા વગર સંતાનોને આગળ વધાર્યા હશે. માંના અગાઢ પ્રેમમાં પરમેશ્વર સમાયો. માંના હાલરડામાં સ્નેહના નીતરતા હેત સમાણા. શિવાજીને જીજાબાઈ એ ઝુલાવ્યા પારણીયામાં. એ જ માતા જેણે પેટમાં શુરવીરતાના પાઠ શીખવ્યા. જેને આપણે આજે પણ યાદ કરીએ છીએ. ધરતીનો ખોળો, થાક્યાનો વિસામો અને તડકા પછીનો છાંયો એટલે માં. જેના ખોળામાં માથું મૂકીએ અને જેનો બેટા કહીને માથા પર હાથ ફરે એટલે જીવનના સઘળા દુઃખો થાક ઉતરી જાય અને સુખ, શાંતિ મળે. તેના આશીર્વાદથી જીવનમાં ઘટતું બધું મળી જાય. એક સમય હતો આંસુ આવતા ને માં યાદ આવતી. આજે માં યાદ આવે છે ને આંખમાં આંસુ આવે છે. એ જ તો દયા વાળી, હેત વાળી અને કરુણામયી આપણી માં. અસ્તિત્વને ઘડનાર સંસ્કારોને રોપનાર એ માં. એક માં યશોદા જેણે જગતમાં દાખલો બેસાડ્યો કે જન્મ નથી આપ્યો છતાં પાલનપોષણ કરીને જીવન આપ્યું. એ પુત્ર કૃષ્ણના મુખમાં માતાએ અખિલ બ્રહ્માંડના દર્શન કર્યા. એ અમીદ્રષ્ટિ એક માં માજ હોય શકે. એ વિશ્વ દર્શન માતાના પ્રેમમાં જ બન્યો હોય. માંની મમતા કાજે જગતના બધા સુખો અને પ્રેમ ઓછા પડે. જેને સહારે ચાલતા બોલતા થયા. જેણે આપણને જ્ન્મ આપીને જીવન આપ્યું. અસ્તિત્વની ઓળખ આપી. દુઃખ સહન કરીને દુનિયામાં લઈ આવી એ માનું ઋણ આ જન્મમાં ક્યારેય ન ચૂકવી શકાય. જેને કહેવા માટે શબ્દો ઓછા પડે. જેના પ્રેમ ચૂકવવા માટે હૃદયના ભાવ ઘટે. એ માંની લાગણીની અખંડ વહેતી ધારાને કોઈ રોકી ન શકે. જેની હયાતી ભગવાનની સાક્ષી અને લાગણીની જીવંત જ્યોત. એની ગેરહાજરી એટલે જીવનનો ખાલીપો, સાચા પ્રેમની શુન્યતા. કહેવાય છે કે ઈશ્વર દરેક ઘરમાં ન પહોંચી શક્યો એટલે એણે માંને બનાવી. માંને સમજવાની, માનવાની કે જાણવાની ન હોય એ તો નિશ્ચિત ભગવાનની ઓળખ જ હોય..
ઉષા પંડ્યા (રાજકોટ)
10) લીના શર્મા (વડોદરા)
” મા”
મિત્રો “મા” (મમ્મી) વિષય પર કંઈક પણ લખવું એ ઓછું જ કહેવાય અને સાચું કહું તો મને એ ન્યાયસંગત પણ નથી લાગતું.
મને યાદ છે કે બાળપણમાં ફક્ત આના કારણે જ સ્કૂલમાં મોડે સુધી ઊભી રહી હોઉં કે બહાર વરસાદ પડતો હોય ને પલળતાં પલળતાં જ ઘરે પહોંચી જતી . ત્યારે વરસાદમાં પલળીને આવવાનો મતલબ કે ઘરે અજમાવાળા ગરમ સરસિયાનાં તેલનું માલિશ. એ પણ ગમે ત્યારે નહીં , પલળીને આવો ત્યારે જ .મસ્તીમાં ભીંજાઈએ તો પણ વઢ ફટકારની સાથે સરસિયાના તેલનું માલિશ તો હાજર જ હોય.
પછી જ્યારે માનું ઘર છૂટ્યું તો ધીમે-ધીમે વરસાદમાં પલળવાનું ઓછું થતાં થતાં બંધ જ થઈ ગયું . એવું નથી કે જિંદગીમાં લોકો જ નથી આવ્યાં પણ એ કોઈનાં મગજમાં ક્યારેય નથી આવ્યું કે વરસાદમાં પલળેલાનાં પગનાં તળિયા પર ગરમ સરસવનું તેલનું માલિશ કરી દેવાય. ક્યારેય પણ નહીં !
બાળપણમાં ખાવાનું મનપસંદ ના હોય તો મા દસ વસ્તુઓ આપતી. “સારું બેટા , ચાલ ઘી ગોળ સાથે ખાઈ લે .ચાલ , તારાં માટે આલુ પરોઠા બનાવી દઉં છું. શાક નાપસંદ હોય તો કેવી રીતે ખવડાવી દેવું ,એની ટ્રીક મારી “મા”( મમ્મી) પાસે હતી. ફક્ત મારી જ નહીં મિત્રો , બધાંની મમ્મી પાસે આવી ટ્રીક હોય જ . મા નખરાં સહેતી હતી અને અમે પણ બહુ જ લાડ લડાવતાં હતાં.
એવી સેંકડો ચીજો હતી જે મા (મમ્મી) હંમેશા કરતી હતી . એમનાં દૂર થયા બાદ કોઈએ કર્યું નથી .કોઈએ કદી વાળમાં તેલ નાંખ્યું નથી.મા હતી ત્યારે એમની પાસે ભલે એક જ દિવસ માટે જતી તો પણ વાળમાં તેલ તો જરૂરથી નાખી દેતી.
મારી જિંદગીમાં મા ફક્ત એક જ હતી. ફરીથી કોઈ મા નથી આવી. અલબત્ત મોટી થઈને હું જરૂર મા બની ગઈ. છોકરીઓ તો થઈ જ જાય છે ને મા જાતે જ.
પ્રેમી, પતિ ક્યારે નાનો બાળક બની જાય છે ,ક્યારે એનાં પર પ્રેમથી વધારે દુલાર વરસાવવા લાગે છે ખબર જ નથી પડતી. એમના માથામાં તેલ લાગી જાય છે ,એવી પરવાહ પણ થવા લાગે છે કે એમની મનપસંદ વાનગી બનાવીને ખવડાવવી , એમના નખરાં પણ વેઠવા લાગી જવાય છે.
છોકરાંઓની જિંદગીમાં કેટલી મા આવે છે ! બહેન પણ મા થઈ જાય છે, પત્ની તો હોય જ છે , દીકરીઓ પણ એક ઉંમર પછી વૃદ્ધ પિતાની મા બની જાય છે.
હા , પણ છોકરીઓ પાસે ફક્ત એક જ મા છે . મોટાં થયાં બાદ એમને ભાગ્યે જ મા મળે છે જે એમનાં લાડ ,દુલાર , નખરાં ઉઠાવી લે .
છોકરીઓને જિંદગીમાં ફક્ત એક જ વખત મા મળે છે , જેમ મને મળી હતી. મારી વ્હાલી(મમ્મી) મા
લીના શર્મા (વડોદરા)
******************************************
13/05/2023 – List for 40 Padhay Rachana
1) મમતા પટેલ (ભરૂચ)
કેટલો કોમળ છે માં હાથ તારો હળવો એનો
સ્પર્શ થાય,હું ફૂલની જેમ ખીલી જાઉં છું…
ડર જ્યારે,હાવી થાય ત્યારે,ખભા પર,હાથ
પડતાજ મારા,હામ ભરીને,ઊભી થાઉ છું ….
તારા સુંદર મુખડા ઉપર સ્મિત રેલાતા
જોઈ,હૈયામાં હું પણ, હેતથી હરખાઉ છું …..
તારા ખોળામાંથી વહે, પ્રેમ અવિરત ધારા
માં ઊંડી ડૂબકી મારી હું તરબોળ થાઉં છું……
તારા થકી આવ્યો જીવ આ ધરા પર લઈને
જીવન એ ઉપકાર માત્રથી જીવી જાઉં છું..
મમતા પટેલ (ભરૂચ)
2) અલ્લારખા મલેક ” અર્ક ” (કલોલવી)
મા “
એક અક્ષરમાં સમાયા છે અઢી અક્ષર જુઓ
‘મા’ તમારા નામમાં છે ‘પ્રેમ’ ની ઝરમર જુઓ !
હોય જીવનમાં ગમે તેવી ભલે કડવાશ પણ
યાદ માની આવતાં એ થાય છે સક્કર જુઓ
જિંદગીનો હો ખડક સમ પથ ભલે પથરાળ પણ
માની મમતા થાય સાબિત મીઠડો નિર્ઝર જુઓ
માતની મીઠી નજરથી થાય છે જીવન શરૂ
હોય અદનો માનવી કે હોય પેગંબર જુઓ
પ્રેમનાં ઝરણા ભલે પામો બધે સંસારમાં
આંખમાં છલકાય માની પ્રેમનો સાગર જુઓ
અલ્લારખા મલેક ” અર્ક ” (કલોલવી)
3) આજીત માલિવાલ (બનાસકાઠા)
મમતાતણી મુરતીને લાગણીઓની ખૂબ સૂરતી એ મારી મા હતી…..
વીતેલી વસંતને પાનખરનો રંગ સાચવીને વહાલ કરનાર મા હતી..
હું ગોળ ગોળ ફેરવુને ચગડોળે ચડાવુ તો ગુસ્સે ન થનારી મા હતી
પાલવના છેડે રૂપિયો એક મારા માટે સંભાળીને રાખનાર મા હતી..
કાલુ કાલુ બબડીને બેટા કહીને માથે હાથ ફેરવનારી મા હતી…..
જિંદગી ની “યાદ ”
આજીત માલિવાલ (બનાસકાઠા)
4)
માની ગરિમા
દુનિયાનો સહુથી સ્નેહપૂર્ણ સંબંધ મા તારો,
નાળથી જોડાય ને નાડી તૂટે ત્યાં સુધી સથવારો.
જીવનના ગમેતેવા ઊંચ- નીચમાંય ના છોડે,
સદાય ઉર્જાભર્યુ હૈયું રાખી બાળકો માટે દોડે.
દુનિયાનું સહુથી મોટું વિશ્વ વિદ્યાલય તું,
સંસ્કાર ને શુભતાનો સ્ત્રોત સદા તારી સાથે.
તારું શિક્ષણ ભલે ઓછું હોય કે વધારે,
બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે તુંય મથે પિતાની સાથે.
પેટે પાટા બાંધી તું કોડ બાળકોના પૂરા કરે,
ગમેતેવી સ્થિતિમાંય ન હારે, મનમાં જોશ સ્ફૂરે.
આંસુ છુપાવી પોતાના વજ્ર બાળકોને બનાવે,
આદર્શ બાળકોનો મા તુ જ, તારા વિના કોઈ એ ન આવે.
પોતાની કુનેહથી બાળકોના તન- મનને ઘડતી,
પહોંચી વળે બધે, મા ક્યાંય પાછી નથી પડતી.
મા, સખી કે દેવી જેવા કેટકેટલાં રૂપમાં તું રાજે છે,
તારા શૌર્યના ડંકા તો દુનિયા આખીમાં ગાજે છે.
દૂર જો હોય બાળક તો એનું ક્ષેમકુશળ તને સાંપડે છે,
તારું હૃદય કોઈપણ જોડાણ કરતાં ગાઢ રીતે બાળક સાથે જોડે છે.
હોઠે સદાય તારા બાળકો માટે બસ આશિષ રહે છે,
ભાગ્યનેય તું પલટાવી શકે એવું વેદોય કહે છે.
કોઈપણ વ્યક્તિના પરિચયમાં માનો પડછાંયો દેખાય છે,
નામ પાછળ ભલે હો બાપનું, છાપ તો માની કેળવણીથી જ ઉભી થાય છે.
પૃથ્વી પર જો હોય સ્વર્ગ ઉતારવાની ખેવના,
માની ગરિમા જાળવો, કરો માતૃશક્તિની નામના.
અલકા નવિનચંદ્ર મહેતા (ગાંધીનગર)
4) મિત્તલ પટેલ ” પરિભાષા” (અમદાવાદ)
જીવનનો મર્મ અને કર્મ
સમજાવતી સ્નેહની રસધારા
એટલે માતા…
“હું છું ને તારી સાથે” એ અશાબ્દિક રીતે
કાયમી સથવારો એટલે માતા.
ઘરના ઉંબરે “તોરણ” બની….
મકાનને ઘર બનાવતી
અમૃતધારા એટલે માતા.
જેના સાડલે વ્હાલપની કૂંપળો ફૂટે….
અને હયાતીમાં જીવનનો ઉત્સવ ભાસે
તે કાયમી “હૂંફનો સથવારો” એટલે માતા.
મિત્તલ પટેલ ” પરિભાષા” (અમદાવાદ)
5) ઘનશ્યામ વ્યાસ “શ્યામ” (મુબાઈ)
“મા”
મા આવે ને માહોલ બદલાય,
માને આકાશ જેટલું ચાહી શકાય.
મા ના ખભે માથું મુકાય મા ના ખોળે સૂઈ શકાય.
આપણા હોઠ એની છાતી એ ગંધાય
તો યે મા તારી તોલે થોડું અવાય ?
માનું ધાવણ સંતાન માટે ગીતા,ઉપનિષદ કહેવાય.
નવ માસ મા વેઠે ભાર ભગવાન નો આભાર
શેને મનાય ? બાળક જેને જોઈ રીઝે
હૃદયના વંદન મા તને જ અપાય.
મા ને નથી નામ,ઉંમર તો યે મા ને સાક્ષર કહેવાય.
એક પલડે મા બીજે પલડે ભગવાન
તો યે મા નું પલડું નમતું દેખાય.
અડસઠ તીરથ ફર્યો તો યે મા નો પાલવ જ ફળ્યો,
મા ના વહ્યા રક્ત,લોહી આંસુ તો યે મને બચાવ્યો.
મા મારી વિધાતા એનાથી પામ્યો હું શાતા.
ઘનશ્યામ વ્યાસ “શ્યામ” (મુબાઈ)
6) નિકી શાહ (સુરત)
માં…. તે કેવી?
મારી માં જેવી, કે મ્હારા જેવી કે આ દુનિયા ની દરેક માં જેવી…
આમ તો બીકણ સસલી,
પણ સમય આવે સિંહ જેવી .
સતત લાગણીઓનો ધોધ વહેવડાવતી….
પોતાનું અસ્તિત્વ ગુમાવી,
સદાય બીજા માટે જીવતી…
બધું સમજવા છતાં પોતાને મૂરખમા ખપાવવાની સમજદારી રાખતી.
સહન શીલતા ની મૂર્તિ માં….
તારા વિશે શું લખું… કેમ લખાય?
કદાચ ઈશ્વર ને કહું બે શબ્દ લખ તો તેની કલમ પણ નાની પડે….
પ્રભુ…આમ તો તું ત્રણ જગત નો નાથ,
પણ એનાં વિના તો તું પણ અનાથ …
સદાય નિસ્વાર્થ પ્રેમ ની ગંગા વહાવતી,
પ્રભુ એના પ્રેમ આગળ ક્યારેક તને પણ હંફાવતી…
સમુદ્ર થી વિશાળ હૃદય ધરાવતી…
ક્ષમા નો આખો જે દરિયો
જેનાંથી તારું અસ્તિત્વ…
જેનાંથી વજૂદ તારું …
તે માં નો શું વર્ષ માં એક જ દી હોય ?
નિકી શાહ (સુરત)
7) વિનાયકરાવ મોરે “ભારતીય”(ભાવનગર)
તબિયત મારી કથળી અને નિંદર તારી બગડી,
દર્દમાં મુજનો સહારો બની પીડા હરિ સઘળી.
મારી હર એક મુશ્કેલીમાં બની તું સહારો મારો,
મારાં હરએક મુશ્કિલ કામમાં મળ્યો સહકાર તારો.
કેમ લખુ વખાણ તુજના, વાગોળે કેમ કલમ મારી,
લખુ જો ઉપકાર તારો તો પૂછે કલમ ઓકાત મારી.
તનથી થાકી તું અંતરમનથી ના થાકી ક્યારેય,
તારા દ્રઢ સંકલ્પથી ઘરે ના આવી આફત ક્યારેય.
તારા એ જ સિદ્ધાંતથી હું બધું શીખ્યો આજ,
અને ધન્ય થયો મારી માવડી બની તારો બાળ.
વિનાયકરાવ મોરે “ભારતીય”(ભાવનગર)
8) મનુભાઈ “અવધુત” (અમેરિકા)
મને શું જોઈએ તેની મને નથી ખબર,આંખો મીંચીને પડ્યો હોઉં આડો ને ક્યારેક મન બુલેટ ટ્રેન ઝડપે ક્યાંક પહોંચી ગઈ હોય.
શૈશવના શમણાં ક્યારેક તાજી સ્ટ્રોબેરીના જ્યુસની જેમ ગળચુ છું.
મારી બાની પછેડીના કટકેથી સોયદોરે સાધેલી ચંપલોની પાછળ નાનકડો મનુ માણકી બાની આંગળી પકડી ખેતરના શેઢે ડગુમગુ ચાલતો દેખાય છે.
થયો સહેજ મોટો તો ભેંસોને હવાડે પાણી પાવા લઇ જતાં આવડી ગયું તું.
પછી તો માથું ઓલ્યા પક્ષીઓ બીવડાવવા ઉભા કરેલા ચાડિયાની ચોગરદમ હલે તેમ છતાં નાની શી ઘાસની ઝુડી માથે મૂકીને ખેતરથી ઘેર જતાં શીખી ગયો.
હા ! શૈશવ સાવ ભોળું હતું ને વધારે તો બા ભોળી હતી,હવે તો મોટા થઈને આંટી ઘાટી વાળા જીવનમાં ચોગરદમ પાકા ઘંટ ખયાલો વચ્ચે નિસ્પૃહ રહી ઝાકળની ઉપર જેમ પાણીનું બિંદુ પાંદડાને ન પલાળે તેમ જીવતાં આવડી ગયું છે .
હજીયે મને શું જોઈએ તેની મને નથી ખબર.
મનુભાઈ “અવધુત” (અમેરિકા)
9) દક્ષા રંજન (અમદાવાદ)
પ્રેમ બ્રેમ જેવું જો કાંઈ હોય તો બતાવજો,
કોઈને પણ જો સાચું હોય, તો બતાવજો.
દરેક પોતાની પીડાનો પોટલો લઈને ચાલે છે,
કોઈનું ભારણ હળવું હોય તો બતાવજો.
વહેતી રહે છે અનરાધાર આંખો કાયમ,
કોઈ પાંપણ જો કોરી હોય તો બતાવજો.
એ જીતે છે, જે હારની બીક નથી રાખતા,
કાયમ કોઈ અવ્વલ આવ્યું હોય તો બતાવજો.
અંગત હોય કે પારકા સૌ પરખાય જાય સમયે,
કોઈ સ્વાર્થ વગર પણ ઘસાતું હોય તો બતાવજો.
દક્ષા રંજન (અમદાવાદ)
10) રેખા જોષી. (અમદાવાદ)
હૃદયનાં ખૂણે ખટકે વાત,તું આજે નથી હયાત.
મા,તારો જ અંશ તારો જ પીંડ, હું જન્મોજન્મ બનવા ચહુ…
મા..અંદર બહાર તને સીવી લીધી,ને_આ જિંદગી મેં જીવી લીધી..
તું મારી પળ પળ છો..મારું આત્મબળ છો..
મારો પથ પ્રકાશ અને,માથે આકાશ પણ તું જ.
મારું સમગ્ર અસ્તિત્વ,અને,પૂર્ણ વ્યક્તિત્વ તું જ.. મા.
આજ,તારા પાલવની સુગંધ મારા શ્વાસમાં બંધ છે…
મારો આત્માનો અવાજ અને ,મારી ખુદાની નમાજ પણ તું જ..
શિવાલયે સવારની આરતી અને,સાંજની દિવાબત્તી પણ તું છે મા…
ખબર છે તને..દીકરીમાંથી જન્મી છે,
આજ એક “મા”.
રેખા જોષી. (અમદાવાદ)
11) સુનિતા એ. પાલડીયા (સુરત)
આખી દુનિયા ટુંકી પડે જ્યારે વાત મારી મા ના પ્રેમની આવે
જેના પ્રેમને ક્યારેય પાખંડ ના નડે એ મા
દુનિયાનાં બધા દુઃખો જમા કરવાની બેન્ક એટલે મા
મા એટલે પ્રેમ ની અને ત્યાઞ ની મુરત
મા થી મોટુ કોઈ નહી, મા સમોવડ કોઈ નહી
મા એટલે મુંગા આશિઁવાદ
મા એટલે વ્હાલ નો વરસાદ
મા એટલે મીઠા જળ નો વ્હાલ ભરેલો વિરડો
મા એટલે હ્દય મંદિર કેરો દિવડો
મા એટલે મમતા નો ખજાનો
મા એટલે અમૃત ભરેલો દરીયો
મા વિશે તો જેટલુ કહુ એટલુ ઓછુ
મા ઈ મા બીજા વગડા ના વા
સુનિતા એ. પાલડીયા (સુરત)
12) રેશમા ભટ્ટ (સુરત)
મારી રગે રગમા તું છે મા,
નાહક શોધુ હું તને જગમાં,,મા,
જન્મ મને આપી ને ખુશી ને કારણે,,મા,
તું તારા માટે ના જીવી શકી શાનમા,,,મા,
તારા ઉપવને સંસ્કાર ના સિંચનથી,,,મા,
મહેંક ઉઠયું મારું જીવન,,,મા,
વળાવી મુજને સાસરે તે પથ્થર બનીને,,મા,
કાળજાના કટકા ને અળગી કરીને,,મા,
આંખો માં સમંદર જોયા છે આંસુ રુપી પૂરના,,મા,
બની જયારે “મા”હું પોતે,,,,મા
અનુભૂતિ કરી હેતના લલકારને,,,મા
હયાત નથી તું સદેહે મારી સાથે,,,મા,
અંતરના પટમા વાસ સદા તારો,,,મા,
અર્પૂ ભાવાંજલી અંતરના અશ્રુથી,,,મા,
આપજે આશિષ સદા સ્થૂળ દેહે,,,,મા
મા તુજે સલામ
રેશમા ભટ્ટ (સુરત)
13) જીજ્ઞાશા પટેલ,(સુરત)
મા અલૌકિક નામ
મારી દરેક વાતોમાં ખુશી જોતા જેના નાજુક ચહેરે
થઈ કરચલીઓ તે છે વહાલી મારી મા,
હું ઊંઘું ને જાગે તારી આંખો મારું મુખ જોઈને રોજ જેની
થાય સવાર તે છે વહાલી મારી મા,
પા પા પગલી કરતા પડતી હું ને મને રડતી જોઈ જેના
નેણ આવે ભરાઈ તે છે વહાલી મારી મા,
એક ઠેશ ના વાગવા દે મને પડુ જો હું બિમાર જે ટુચકા
કરે વારંમવાર તેછે વહાલી મારી મા,
ઘરના કામોમાં દોડતા દોડતા ઘૂંટણ છે ગયા
જેના ઘસાઈ તે છે વહાલી મારી મા,
હાથ લંબાવું છું વારો છે મારો બનું તારો સહારો
પણ, દુનિયાદારીની રીત છે ગંભીર જે જાણે તે
છે વહાલી મારી મા,
છું તારાથી દૂર છતાં મારામાં પળ પળ ધબકાર કરતુ હૃદય
ને એમાં સદાય વસતો ચહેરો તે છે વહાલી મારી મા,
જીજ્ઞાશા પટેલ,(સુરત)
14) હિમાલી પોંડા (કુવેત) “તની”
કોણે કહ્યું કે કૂકડો બોલે તો જ સવાર થાય?
તારા કંઠે ગવાતા પ્રભાતિયાં થી સવાર થાય!
કોણે કહ્યું કે સુરજ ઉગવાથી જ ઉજાસ થાય?
તારા સ્મિત ના જ ઉજાસ થી દિવસ ખીલી જાય!
કોણે કહ્યું કે ફૂલો ખીલવાથી જ સુગંધ ફેલાય?
તારા પકવાન ની સુગંધ સામે ફૂલો પણ શરમાય!
કોણે કહ્યું કે નભમાં ઘેરાતા વાદળ જ વરસે?
એક વાર ધરા પર આવીને તો જો મારી મમ્મી,
તારા વિના મારી આંખોય અનરાધાર વરસી જાય!!
હિમાલી પોંડા (કુવેત) “તની”
15)
નવીન જોશી (અમરેલી)
રાંધણિયું “મા”
ગોરમટાની દીવાલ પર હજીય તારાં આંગળાની છાપ છે,
તેથી તો રાંધણિયું એમ જ રાખીને બાકીની જગ્યામાં નવો બંગલો બન્યો.
હજી પણ ડાઇનિંગ હોલમાં ટેબલ પર નથી જમતો.
તારાં એ રાંધણિયામાં જમું છું, જ્યાં તે ફૂંકણીથી ચૂલો ફૂંકી તારાં ફેફસાં ખાલી કરી ભરી દીધો હતો ધૂમાડો.
પછી તો એ ધૂમાડો પણ તારી સાથે ધૂમાડામાં મળી ગયો.
જે ગૂંગળામણ તે અનુભવી તેનો અંશ પણ અનુભવું તો ધન્ય થઈ જાઉં તેથી રાંધણિયામાં માત્ર જાળિયું રાખ્યું છે.
પણ તારા હાથનો જાદુ રસોઈમાં ક્યાંથી આવે એ ન કહેતી ગઈ?
નવીન જોશી (અમરેલી)
16 મણિલાલ શ્રીમાળી મિલન (અમદાવાદ)
મા
ભલી ભોળી મારી સોનલ માવડી.
ઘડી ઘડી આવે તારી યાદ…. હે
મા..
જગમાં તુજ છે મહાન.
નવ નવ માસ તેં પેટ વેંઢાર્યો.
નવલી દુનિયામાં લાવનાર.. હે માઁ…
ધન ધન ઘડી મારી આજ.
નાના હતા ત્યારે સુકે સુવાડી (અમને).
પોતે ભીનામાં ભીંજાય… હે
મા..
તુજ વિના કોણ વેઠનાર…
રાત દિ’જોયા વિના વૈતરું કરતી મા..
જશ મળે ના તને કયાંય. હે મા…
તું સહનશક્તિનો ભંડાર.
દેવોનેય દુર્લભ માડી તારું મુખડું.
દેવો પણ લાગે તને પાય… હે માઁ
ધન્ય તારો સ્ત્રી અવતાર.
મણિલાલ શ્રીમાળી મિલન (અમદાવાદ)
17) જીજ્ઞા પંડ્યા જીગુ (ભુજ કચ્છ)
જન્મ આપી જેણે, જીવ રેડી જતન કર્યું,
કોટી કોટી વંદન એને, મમત્વ ન્યોછાવર કર્યું!
વિષ પીધા એણે , અમી મુંજ નામે કર્યું,
એ હાથ મસ્તકે ફરે, વહાલ અમાપ કર્યું!
આપી શિક્ષા જીવન સક્ષમ કર્યું, ભૂલોને ભૂલી ક્ષમાનું આંચલ કર્યું,
જજૂમી મોત સામે જેણે, હાથનું આલિંગન કર્યું!
આશિષ જેના અનમોલ છે, મસ્તક ચરણે કર્યું,
બેમિસાલ છે “મા” ની મમતા, નામ ઈશ્વર કર્યું!
ગંગાજળ માનવ જીવનનું, નિ:સ્વાર્થે પોષણ કર્યું,
પ્રેરણાનું ધામ એ, એટલે જ નામ “મા ” કર્યું!
જીજ્ઞા પંડ્યા જીગુ (ભુજ કચ્છ)
18) રુચિ ચાવડા“રુચિ” (દુર્ગ)
માં શું લખું તારા વિશે
મારી સામર્થતા નથી એટલી
તૂ મારી જનની મારી પ્રાણ વાયુ
મારી જીવનદાયિની, હું તારા
કાળજા નો કટકો, તારા હય્યા નો હાર
માં હું તો આજ પણ નાનકડી ને લાડકવાયી છું
તારા હેત ની હેલી મન ના ખૂણે ખૂણે વિખરાઈ છે
તારું હાથ ઝાલી ને મેં જીવન નો એક -એક ડગલું ભર્યું છે
ક્યાં શક્યતા હતી તેની, ઈશ્વર રુપે તુજ હતી સાથે
જીવન માં બધાંજ રંગ તૅજ ઉમેર્યા
તારા પાલવ ની શીતળ છાયા રાખી શીતલતા પહોંચાડી
માં છોરું કછોરું થાય છે માં તો ઘાત્રી હોય છે
સમાવી લેજે માં તુજ ગર્ભ મા જેવી રીતે સમાવી હતી
કેમ ચુકવીશ માં આ ઋણ એ મુજ ને ખબર નહીં
ફક્ત તારા ચરણોમાં મુજ હ્રદય પુષ્પ સમર્પણ કરી
વંદન કરું છું માં તુજ હ્રદયમાં સમાવી લેજે
હું તારો બાળ છું ને તું પૂજનીય માંણી મારી
રુચિ ચાવડા“રુચિ” (દુર્ગ)
19) શૈલેષ પંડ્યા“નિશેષ”(જામનગર)
સઘળે પહોંચવા જ તેં એને ઘડી હશે,
નક્કી મા એ ઈશ તારી આંખડી હશે.
કે જન્મ આપતાં પહેલાં જ દીકરી તને ,
મા કોણ જાણે કેટલાં યુદ્ધો લડી હશે ?
માનો પિતાને રોટલો જો ઘર તણો તમે,
મા એ ચૂલા તણી ખરેખર તાવડી હશે.
તોયે ન ચુકવી શકું તારું હું ઋણ મા,
મારી ત્વચાની તુજ ચરણે ચાખડી હશે.
મંદિર સુધી તું એને પણ દોરી જજે ભલા,
એ માનતામાં તારી જે મંદિર ચડી હશે.
શૈલેષ પંડ્યા“નિશેષ”(જામનગર)
20) ડો દક્ષા જોશી (રાજકોટ)
“મા”
તે અમને જન્મ આપી પૃથ્વીને સન્માનિત નથી કરી મા ?
આ ઉપવનો, વૃક્ષો, પુષ્પો, પંખીઓ તો-
તારી ભાવનાનો વિસ્તાર છે !
લય અને સૂરની અંગુલી ગ્રહી સર્વદા લઈ જતી સ્વપ્ન લોકે
કેટલાં મધુર અને રમ્ય પરીકથાના દેશો!
તારી આંતરસૂઝ ને જતનથી
અમારું જીવનવૃક્ષ બન્યું લીલુંછમ !
તારી વિધાપીઠમાં ઊછરેલ અમો નોખાં કૈંક..
તારી આંખોમાં ક્ષમા ને કરુણાના અંજન આંજ્યાં’તા..!
તારા હાથમાં અભયદાન ને કર્મશીલતાના કવચ જડ્યા’તા!
મા એક એવી ત્રશ્ર્તુ જેને
કયારેય ન આવે પાનખર!
હવાતણી લેરખીમાં આવે તારા વહાલસોયા સ્પર્શની માધુરી!
યૌવન ગયું મિત્રો ખરી પડ્યા પણ ઓહ! તારો પ્રેમ..
તારા નિર્મળ સ્નેહનું અમીઝરણું નિત ખળખળ વ્હેતું રહ્યું.
માનશાસ્ત્રનું અમૂલ્ય ઔષધ ને કાવ્યનો અખૂટ ભંડાર-
તું જ અમારા ભાઇભાંડુઓનું એકાક્ષરી મહાકાવ્ય ‘મા”!
ડો દક્ષા જોશી (રાજકોટ)
21
22): मांँ
माँ एक आशा थी नही तो निराशा ने दिए अंँधेरे,
माँ आपकी ही कमी है अब हम कैसे जिए अकेले।
माँ के बगैर तो अब मैंने तन्हाई के रंँज यहांँ झेले,
खुशियांँ सारी चली गई है गमों के लग गए मेले।
खुब चलते थे माँ के साथ मेरे स्नेह के सिल सिले,
न थे माँ को कभी मुझसे कोई शिकवे न किए गिले।
आपकी यादों के सहारे ही हर एक लम्हें बीतते रहे,
कैसा हो गया जीवन हमारा बहुत ही हुए झमेले।
माँ की यादों के सहारे ही पुरा जीवन अब गुजारे,
अब तो रोज ख्वाबों में मैंने दीदार कर लिए अकेले।
ख़ुदा की ये हुई चूक की माँ बेटे को जुदा कर दिए,
माँ तुझे ही याद करता हूंँ क्यों मुझे छोड़ दिए अकेले।।
~ हितेंद्र ब्रह्मभट्ट (अहमदाबाद)
22) હરીશ દાસાણી.(મુંબઈ)
હતો છું ને રહીશ
તારી પાસે મા. નથી રાખવી કોઈ આશ
તારી પાસે મા નથી ઊંઘતી નથી જાગતી
મારા માટે મા કહું કાનમાં હળવેથી
તારી પાસે મા તારી આંખે અવિશ્વાસની
ફરકે નહીં કોઈ છાયા કેવો અખૂટ ખજાનો છે
તારી પાસે મા મારી ભૂલો ભૂલી ગઈ તું
પણ ના ભૂલ્યા અમશરમિંદા થઈ બેસી રહેશું
તારી પાસે મા શોધક ને પોષક આ તારા સુંદર નયનો હૂંફાળા
મળે અનોખી અમૃતધારા તારી પાસે મા.
હરીશ દાસાણી.(મુંબઈ)
23) હિતેશ પટેલ”સાવન” (બારડોલી)
તું મારી મા રહી
શોધતા જડે ના , તું મારી મા રહી,
છીનવી જશે ના, તું મારી મા રહી.
મૂંઝવણ હજીયે પ્રભુને પણ પૂછવું,
ક્યાં હશે?રહે ક્યાં?તું મારી મા રહી.
જાણતો જ બાને માનીતો હું હજી,
આજ પણ મળે ના, તું મારી મા રહી.
યાદ પણ રહીને આજીવન મા વગર,
હાલ તો જપે ના, તું મારી મા રહી.
ખેલ પણ જુઓને “સાવન”તો શું કહે?
જિંદગી બક્ષે ના, તું મારી મા રહી.
હિતેશ પટેલ “સાવન” (બારડોલી)
24) કેતન ભટ્ટ* “કેતુ” (અમદાવાદ)
લાખોમાં એક જ પ્યારી તું માતા, કષ્ટો પડ્યા છે જવાથી જ તારા ,
વિનંતી કરીયે અમે બાળ તારા, ભવોભવ તું અમને મળજે ઓ માતા..
દુઃખો સહીને તે અમને ઉછેર્યા, ભૂખ્યા રહીને તે અમને જમાડ્યા,
રડીને તે અમને હસતા જ રાખ્યા. ભવોભવ તું અમને મળજે હો માતા.
દુનિયાના સુખો ઘડીભર રહે છે, પણ માનો પ્રેમ અખૂટ રહે છે,
અમે ભાગ્યશાળી છીએ બાળ તારા, ભવોભવ તું અમને મળજે ઓ માતા.
વિનંતી પ્રભુ કે બધા દુઃખ દેજે, કરજે નહીં કોઈને મા વિનાના,
કાને તું ધરજે આ કાલી ભાષા. ભવોભવ તું અમને દેજે આ માતા.
અમને ખબર છે કે તું છે દયાળુ, અમારું દુઃખ છે ક્યાંથી અજાણ્યું?,
જગમાં તું એક જ છે મોટો દાતા, ભવોભવ તું અમને દેજે આ માતા.
કેતન ભટ્ટ* “કેતુ” (અમદાવાદ)
25) મુનિ જ ભટ્ટ,. (વડોદરા)
“દેવનો દીધેલ….” હે માત ,
તું જ કહી રહી હતી સૌને અહીં, ” આતો મારો દેવ નો દીધેલ દીકરો છે”
આવું કહેતાં, તે મને ભણાવ્યો, ગણાવ્યો , ઉછેર્યો,
અને તું છાનીમાની, ચુપ ચાપ,દેવ પાસે પહોંચી ગઈ!
દેવ નો આભાર માનવામાં આમ ઉતાવળ કેમ? હે માત ,
મારે પણ ત્યાં તારી પાસે આવવું છે. મારે ફરીથી “દેવના દીધેલ” થવું છે!
તારો ખોળો ખુંદવાનો છું હું! હાલરડાં સાંભળવાનો છું હું!
” રે પંખીડા સુખથી ચણજો..” યાદ છે ને તને ?
હા, મેં ‘ઘડિયાપહાડા’ બરાબર મોંઢે કર્યા છે,હો!
‘ ચૂટકી’ ખણવાનો કોઈ મોકો નહીં આપું તને! હે માત ,
તું તારી ‘તજૅની’ ગાલ પર ગોઠવીને ,જોતી રહે મને.
ખરેખર, તું માની નહીં શકે પણ, તુ જાણે કે હું સાવ બદલાયેલો છું.
“દેવ નો દીધેલ તારો દીકરો”
નવા જન્મારામાં,” દેવ ની દીધેલ” માતા મળે તો કેવું?
તને હું બદલાયેલો લાગુ કે નહીં? પણ હજુ મારે તારો ખોળો ખુંદવો છે,
ફરીથી તારાં હાલરડાં સાંભળવા છે.
હે માત, તું જ મારી જન્મોજન્મ માતા બની રહેજે.
મુનિ જ ભટ્ટ,. (વડોદરા)
26) ડૉ.નીલેશ રાણા અમેરિકા)
મારી માનું સપનું મને આપો,
એને ગોતવાની રાહ મને આપો.
ટમટમતો દીવો ને સૂની રે ડેલી,
મા થાકેલા સપનાને બેઠી અઢેલી,
અભાગી એ પળને નિહાળવા
દાન સંજય દૃષ્ટિનું મને આપો.
અમી આશિષના હોઠો પર છલક્યા હશે,
પંખી આશાના ચહેરા પર ટહુક્યા હશે,
મારા શ્વાસો બાંધ્યા એ હવાને,
શ્વાસ દેવાનો અવસર મને આપો.
એના ખોળામાં થોડીવાર રડવું છે આજે,
મારી ખોવાતી જાતને મળવું છે આજે,
મારા શૈશવને વહાલથી વધાવે એવાં
એવાં આંગણાનો સાથ મને આપો.
ડૉ.નીલેશ રાણા અમેરિકા)
27) કિરણ ચોનકર “દિવાની (ધરમપુર)
સહુ ઔષધિમાં શ્રેષ્ઠ ઔષધિ છે ‘મા’….
સુણતી સહુને, કયારેય ન સુણાવતી સ્વ ને
વિશેષતાની જોડણી છે ‘મા’….
તાપમાં તપતી ધરતી ની જેમ એની વેદના
પણ એની તપન કયારેય ન દઝાડે
ઠંડી રાહત છે ‘મા’….
ભલે હોય એ અભણ
પણ સંસ્કાર, શિક્ષાનું વરદાન, જગનો પાયો, અમાપ આકાશનો મોભ છે ‘મા’….
કિરણ ચોનકર “દિવાની (ધરમપુર)
28) બીના એશાર (પૂના)
મમ્મી
મમ્મી મારી પેન ડ્રાઈવ…જે સારી વસ્તુઓ સંગ્રહી રાખે મારા માટે બધી જ.
મા મારી મારા માટે હાર્ડ ડીસ્ક જેનો ડેટા કોઇ દિવસ ખતમ ન થાય. ધીરજ પુર્વક સાંભળે બધી વાતો.
મા કરે ડીલીટ કરે નકામા વિચારો.અપલોડ કરે ઉમંગ ભરી વાતો.
મા મારી બેક સ્પેસ કી જ્યારે મારી ભૂલ થાય તે ભૂસીને સુધારી આપે અને આગળ વધવાનો મોકો આપે.
મા મારો સ્ક્રિન મારી તકલીફો તેના ચહેરા પર વંચાય.
મા મારું મધરબોર્ડ જે સંચાલન કરે મારા જીવનનું જેનાથી ના થાવ કોઇ દિવસ નાસીપાસ કે કોઇ દિવસ શટડાઉન. તે મારા જીવનમાં સારા વિચારો ઇનપુટ કરતી રહે છે.
મા તે મા .
બીના એશાર (પૂના)
29) સુનિતા મહાજન.’સુનિ’ મુંબઇ,
*માડી ઓ મારી માડી*
માડી ઓ મારી માડી, કેમ પકડી તે સ્વર્ગની વાટડી?
તારા વિના થઈ હું એકલડી, તું જ મારી સખી હતી મીઠડી.
માડી ઓ મારી માડી, યાદ આવે તારી મારી ગોઠડી;
હું તો તારી લાડકી છોડી, કેમ ગઈ તું મને એકલડી છોડી?
માડી ઓ મારી માડી, તું તો મારા મન મંદિરની ઘંટડી;
તારા વિના ભૂલી હું કરવી ગોઠડી, યાદમાં તારા ભીંજાય મારી આંખલડી.
માડી ઓ મારી માડી, તને લેવા તોડી મેં મારી બધી એફડી.
તને લેવા આવું હું લઈ મારી ગાડી ઓડી
આવીશને તું પાછી મારી માડી?
માડી ઓ મારી માડી, તું જ મારી વ્હાલપની વેલડી, બનાવીશને તું ફરી મારા માટે સુખડી?
કરીશને તું ફરી મારા સાથે ગોઠડી?
સુનિતા મહાજન.’સુનિ’ મુંબઇ,
30) शीर्षक- मां की ममता*
*—“—***—****”************”******”””
मां की ममता का नहीं पार,उसी ने दिया जीवन संवार।
मां के आशीर्वाद से ही होगा,सबके जीवन का उद्धार।
मां ने अपना दूध पीलाया, हमें जग में जीना सीखाया।
रात रात भर जाग जागकर,लोरी गाकर हमें सुलाया।
खुद गीली चादर पर सोई, हमको सुखे में सुलाया।
खुद भुखे रहकर उसी ने हमें पेट भरकर के खिलाया।
हमारी ख़ुशी में वो खुश थी, दुःख में हमारे रोई थी वो।
नहीं उसे कभी दुःखी करना, हमारा ही हैं भरोसा जो।
मां है गंगा,मां जमुना है,मां हैं सारी नदियों की धार।
सारी पृथ्वी की सिंचाई करती, मां की ममता हैं अपार।
धरती मां भी हमे देती है,धन धान्य, पेड़ो की बहार।
पेड़ों से ही ओक्सीजन बनती, जिससे जिंदा सारा संसार।
मां महालक्ष्मी,मां सरस्वती, मां अंबे जग में तारणहार।
जिनकी कृपा और दया दृष्टि से हो जाता सबका उद्धार।
दूध दही और घी से होता है,शरीर में शक्ति का संचार।
गौ माता के गोबर मुत्र से, होता कई रोंगो का उपचार।
मातृभूमि हमारी भारत माता, नमन करू मैं बारम्बार।
जान से भी प्यारा वतन हमारा, वंदन करे हजारों बार।
सब माता की लेकर आशिष,अपने जन्म को लेना संवार।
मां के आशीर्वाद से ही होगा,मुथा अपने जीवन का उद्धार।
*कवि छगनलाल मुथा-सान्डेराव* *मुंबई*
31) નિકી શાહ (સૂરત)
માં
શું માં ની કોઈ વ્યાખ્યા હોઈ શકે…
અગણિત ઉપકાર જેના,
એને કયા ત્રાજવામાં તોલું હું??
પ્રભુ,તારા આ સર્જન ને કોની ઉપમા આપું હું?
દેવી…. પરી….કે ખુદ ઈશ્વર તું..??
મને જ્યારથી આ દુનિયામાં લાવી
ત્યારથી ખુદ ને વિસરી તું …
આંગળી પકડી મુજ ને ચલાવતા…
ખુદ ના સપનાં વિસરી તું..
પોતાનું અસ્તિત્વ ગુમાવી ,
અમ માટે જીવતી તું …
મ્હારા સુખે સુખી તું,
ને મ્હારા દુઃખે દુઃખી તું …
હે માં… કઈ માટી ની બની છે તું…??
દેવી….પરી….કે ખુદ ઈશ્વર તું..??
નિકી શાહ (સૂરત)
32) યોગેશ ભટ્ટ (અદાવાદ)
“મા”
દર વર્ષની જેમ
આ વખતે પણ
ગુલાબી ઠંડીની શરૂઆત,
માની ગુલાબી વ્હાલની યાદ,
અહીં શહેરમાં રહીને
તન-મનમાં ફરી વળી.. !!!
હવે લાગણીઓ પણ ખેંચાઈને ફાટવા માંડી,
સૂકી ત્વચાની જેમ…!!!
આજે પણ શોધું છું
હું માની હુંફનું -“બોડી-લોશન”.
યોગેશ ભટ્ટ (અદાવાદ)
33) નેહલ ત્રિવેદી (આણંદ)
તું ‘મા’*
રહુ છું સતત તારા વિચારમાં હું ‘મા’,
ગળે છે રંગબેરંગી ટીકડા મારા માટે તું ‘મા’.
અઘરું છે તારા વગર જીવન મારું ‘મા’,
માન અપમાન સહન કરે છે મારા માટે તું ‘મા’.
પ્રસૂતાની પીડા વેઠી આપે છે જીવન તુ ‘મા’,
સદાય ઋણી રહીશ તારો હું ‘મા’.
તારા સપનાં તોડી મારા કોડ પૂરા કર્યા તે ‘મા’,
પોતે સુખમાં પાછળ રહી મને આગળ કર્યો તે ‘મા’.
યાદ છે મને જમાડિયો કોળિયો તે ‘મા’,
પાણી પી ને ઓડકાર ખાધો તે ‘મા’.
નેહલ ત્રિવેદી (આણંદ)
34) ધરતી શર્મા “ધરી”(ભુજ)
શીર્ષક-માનો પાલવ
અઢળક ‘વેદનાને’ પાલવમાં છુપાવી રાખે છે,
“મા” મારી પાલવ કેટલો મજબૂત રાખે છે.
નિશ્ચિંત થઇ જાઉં છું, જ્યારે હોઉં છું એની સાથે,
“મા” મારી પાલવમાં કેટલી હુંફ રાખે છે.
દોડતી રહે છે, લડતી રહે છે, મારા સપના માટે,
પોતાના સપનાને પાલવની કોરમા બાન્ધી રાખે છે,
“મા” મારી પાલવમાં કેટલું સમાવી જાણે છે.
હોઠને મુસ્કાનથી હંમેશા સજાવી રાખે છે,
“મા” મારી પાલવની કોર કેટલી ભીની રાખે છે.
ધરતી શર્મા “ધરી”(ભુજ)
35) હસ્મિતા વોરા.’મીતા’(અમદાવાદ)
મા તું મારી મા, જગત મારું જ મા,
તુજ વિના ક્યાં હું, કશું ધારું જ મા.
વ્હાલની વેલી ને કરુણા નિતરતી,
વજ્ર જેવી, ફૂલ દિલ તારું જ મા.
દિશ દસે સૂરજ હજારો ઝળહળે,
દિલ દુખે તારું તો, અંધારું જ મા.
ટેવ એવી, કદિ નાં સાચું બોલતી,
ક્યાં મને ભાવે, કે’ પરબારું જ મા.
આ સમય બળુકો સકંજો છે કસે,
ચિર મળી નિંદ્રા, છે જગ ખારું જ મા.
હસ્મિતા વોરા.’મીતા’(અમદાવાદ)
36) ડૉ. કનૈયાલાલ માલી “ઉત્સવ” અમદાવાદ)
માતૃત્વ પ્રેરણા
માં ‘ડી તારી યાદ બહું આવે છે તું ક્યાં હોઈશ, નથી જડતુ તારો ઢેકાનું તું ક્યાં હોઇશ,
તારા વીરહ ની વેદના મા હું જીવું છું, તારા વિરહ ની વેદના મા હું .. હું ને જ આજે ભૂલી ગયો છું.
ભણાવ્યા તે મને માણસાઇ ના પાઠ, ભણાવ્યા તે મને આધ્યાત્મ ના પાઠ, ઓળખાણ અપાવી હું કોણ છું,
એજ ઓળખાણ હું જીવું છું , કર્મ કરું છું, વિકારો થી મુક્ત રહું છું, જીવન નો ઊત્સવ માણી સદાબહાર રહું છું.. માં
માં તું બતાવી ગઈ મને મારું જીવન.. આ જીંદગી ના ફેરા મા કેમ રેહવાય કેમ જીવાય,
સત્યતા ના તે રાહ ચીધી બનાવી મારું ગુલશન જીવન, મહકાવી ગઈ ઉપવન ના હરિયાળી પુષ્પો વચ્ચે તું માં..
કાળ તે વિકરાળ નથી સમય સમય નું કામ કરે…. તે તું માં સમજાવતી ગઈ, મનુષ્ય મનુષ્ય નો દુશ્મન નથી ,દુશ્મન તો છે તારા પાચ વિકાર એ તુ જાણી લેજે.. એમ સમજાવતી ગઈ,
ધરજે તું જીવન મા ધીરજ, ‘ધીરજ મા ‘જ છે સુખ શાંતી સમૃદ્ધિ વેભવ ઉત્સવ’, નથી શાંતિ સુખ અહંકાર મા, નથી શાન્તિ પર ચીંતન મોહ માયા મા, ‘એમ તુ સમજાવતી ગઈ’
ડૉ. કનૈયાલાલ માલી “ઉત્સવ” અમદાવાદ)
37) નમ્રતા જોશી ઓઝા ‘સુરભિ’ (અમદાવાદ)
માઁ એટલે સ્નેહનો ઉછળતો ઉદધિ,
વત્સલ્યના નિર્મળ ઝરણાની પ્રતીતિ
માઁ ની સાંત્વનાનાં શબ્દો હિંમત અર્પિત કરે,
દુષ્કર જીવન પથ પર સદા પ્રેરણા ધરે
ત્યાગની મુરત અને ઈશ્વર સમ સૂરત,
તમારા ચહેરામાં જીવનની વ્યાખ્યા વાંચી લીધી
માઁ તમારા મૌનમાં અનંત કહાણી અવ્યક્ત ,
પણ વહેતા અશ્રુએ પામી લીધી મેં સર્વ
માઁ તુજ ઋણ ચૂકવવા હું નથી સમર્થ,
તમને નમન કરું સદા શત શત.
નમ્રતા જોશી ઓઝા ‘સુરભિ’ (અમદાવાદ)
38) નેહલ મયુર પટેલ (અમદાવાદ)
નથી આશ મને ઈશ્વર ના સાક્ષાત્કારની,
માઁ ઈશ્વર થી પેહલા તારા દર્શન જો થાય છે…
ચૂકવવી પડે છે કિંમત દરેક સંબંધની,
એક માત્ર તારી લાગણીઓ નિઃસ્વાર્થ છલકાય છે….
ઠોકર જો વાગે મને, ચિત્કાર તારું હૈયું કરે છે,
માઁ તારા વગર આ દુનિયા માં સાચો પ્રેમ કોણ કરે છે. …
પાનખર માં પણ વસંત નો એહસાસ થાય છે,
તારો મમતા ભર્યો હાથ જયારે મારા મસ્તક પર ફરી જાય છે. …
સમસ્ત બ્રાહ્માંડ ની ખુશીઓ મને મળી જાય છે,
માઁ જયારે “બેટા” કહી ને તું ગળે લગાવી જાય છે…..
નેહલ મયુર પટેલ (અમદાવાદ)
39) તોરલ શાહ(ગાંધીધામ)
મા મારું અસ્તિત્વ તારા થી તારો પડછાયો તારી છબી
મા મારું અસ્તિત્વ તારા થી તારું ચાલવું તારું બેસવું
તારું ઉઠવું તારું બોલવું મા મારું અસ્તિત્વ તારા થી
તારી ફાવટ તારી ચીવટ તારી સમજણ તારી આવડત
મા મારું અસ્તિત્વ તારા થી તારું રૂપ તારો અવાજ
તારો નિખાર તારો મિજાજ મા મારું અસ્તિત્વ તારા થી
આયખું તારું જીવન મારું નામ તારું પહેચાન મારી
મા મારું અસ્તિત્વ તારા થી
તોરલ શાહ(ગાંધીધામ)
40) અમૃત શ્રીમાળી (અમદાવાદ)
હે,, મા મારે હૂંફ જોઈએ બીજા ની ક્યાં જરુર છે,
મારુ જીવન જ પ્રુફ છે બીજા પ્રુફ ની ક્યાં જરુર છે.
અહર્નિશ મળે આશીષ કાશી ની ક્યાં જરુર છે,
ચાહું તમને ચિન્તા કરુ ચિત્તચોર ની ક્યાં જરુર છે.
સજાવ્યુ અમ જીવન દીપ જલાવ્યા દિલ માં,
શિખરે શોભાવ્યો મને શણગાર ની ક્યાં જરુર છે.
સફળતા અપાવી સંસારે અમ સપના કીધા પુરા,
ઈશ્વર થી ય શ્રેષ્ઠ તુ છે ઈબાદત ની ક્યાં જરુર છે.
હે મા તુ છે મારો માધવ તુ જ મારો રામ ને રાઘવ,
તવ પાલવ પ્રેમ અભિલાષી પૈસા ની ક્યાં જરુર છે.
અમૃત શ્રીમાળી (અમદાવાદ)
*****************************************
*પદ્મ શ્રી દેવેન્દ્ર પટેલના જીવન -કવન આધારિત કોફી ટેબલ બુક ”દેવેન્દ્ર પટેલ – જીવન સફર “, તથા પોલીસના સાહસની દિલધડક સત્ય કથાઓ આધારિત પુસ્તક “કર્તવ્ય ” પુસ્તકનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.*
ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપના તમામ સભ્યો તેમ જ સાહિત્ય સંગીતનો વિશ્વ અમેરિકા ગ્રુપના તમામ સભ્યો 14 મે વિશ્વ માતૃ દિવસ ની ઉજવણીના ભાગરૂપે હાલમાં જે અમારા ગ્રુપ દ્વારા માતૃ વંદના સપ્તાહની ઉજવણી થઈ રહી છે અને આજે જ્યારે તેનો ચોથો દિવસ છે ત્યારે ભાગ લેનાર સૌ સર્જકોનો અમો બંને ગ્રુપોથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવી જ માતૃ પિતૃ ઋણ અદા કરવાની અમારા ગ્રુપની સાહિત્યિક સેવા ની પ્રવૃત્તિઓ માં આપ નિરંતર ભાગ લઈ સહકાર આપશો તેવી અપેક્ષા રાખીએ છીએ..
સૌ સાહિત્યિક વડીલ સર્જકો ના પ્રત્યક્ષ.પરોક્ષ સહકાર બદલ અમો બન્ને ગ્રુપ એડમીન,મોડરેટર ટીમ સહિત સહકાર આપનાર સૌ ના અમો ઋણી રહીશું…
પ્રદીપ રવાલ.મીનાક્ષી રાવલ(NOG સાહિત્ય સરિતા)
કૌશિક શાહ.રાજુલ શાહ (સાહીત્ય સંગીતનું વિશ્વ)