તાજેતરની પરિસ્થિતિમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી ઉપર જે પ્રમાણે કોંગ્રેસના નેતાઓ અને અન્ય વિપક્ષી નેતાઓ જે રીતે બેફામ ભાષામાં શબ્દ પ્રયોગો કરી રહ્યા છે તે જોતા લાગે છે કે વિપક્ષોની પાસે કોઈ ચોક્કસ દિશા નથી કે ભારત દેશની જનતાને હાલના શાસન થી સારું શાસન આપવાની કોઈ યોજના નથી. અથવા તો પોતાના પક્ષને જાણે ખતમ કરી નાખવા માટે કોઈ સોપારી લીધી હોય તેવું પણ ક્યારેક ચર્ચા તું જોવામાં મળે છે કેમકે જે રીતે વિપક્ષી રાજકીય લોકોનો ગ્રાફ જે રીતે દિન પ્રતિદિન નીચે ઉતરતો ગયો છે તે જોતા તો એવું ચોક્કસ પણે લાગી આવે કે હવે તે લોકોને પોતાના પક્ષના બચાવ કરતા પોતાની પ્રસિદ્ધિમાં વધુ રસ હોય તેવું લાગે છે.
એવું લાગી રહ્યું છે કે વિપક્ષના ઉચ્ચ નેતાગીરી માં ગોઠવાયેલા રાજનેતાઓ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આવા બેફામ વાણી વિલાસ કરીને દેશની શાસક સરકારના સર્વોચ્ચ પદ ઉપર બિરાજમાન લોકોને એનકેન પ્રકારે બદનામ કરવાનું કાવતરું કરી દેશની છબી વિશ્વમાં બગાડી રહ્યા હોય તેવું તજજ્ઞોનું અનુમાન છે.
દેશની જનતાને શાસક સરકારો તરફથી જે કોઈ તકલીફો થતી હોય કે ફરિયાદો થતી હોય કે ન્યાયિક પ્રક્રિયામાં કોઇ ચૂક નજર આવતી હોય તો તેને યોગ્ય રીતે પોતાના રાજકીય પક્ષ દ્વારા વિરોધ પરદર્શન કરવાની જગ્યાએ આવું જ નેતાગીરીમાં ગોઠવાયેલા નેતાઓ માત્ર વાણી વિલાસ કરીને પોતાની છબી પ્રજામાં પ્રસિદ્ધ કરતા હોય તેવું આજકાલ દેખાઈ આવે છે.
ભારતના વડાપ્રધાન વિરુદ્ધ ખૂબ જ નિમ્ન સ્તરની ભાષામાં કોંગ્રેસના સર્વોચ્ચ નેતા મલ્લિકાર્જુન ખડગે વાણીવિલાસ કર્યો તે બાબતે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાર્ટીલે તેમની પ્રતિક્રિયા એક કાર્યક્રમમાં મીડિયા સમક્ષ આજે રજુ કરી હતી જે વિગતવાર પ્રેસનોટ સ્વરૂપે નીચે મુજબ છે.
સંપાદક : પ્રદીપ રાવલ
તા : ૨૭ એપ્રિલ , ગુરુવાર
પ્રેસ નોટ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા આદરણીય પ્રધાનમંત્રી અને વિશ્વ નેતા શ્રી નરેન્દ્ર મોદીજી માટે ખૂબ જ હલકા અને નિમ્ન સ્તરના શબ્દ પ્રયોગ.
———————————–
કોંગ્રેસ નેતાઓ દ્વારા પ્રધાનમંત્રીશ્રી પર કરાતી અભદ્ર ટિપ્પણીઓ સામે સમગ્ર ભારત ભરમાં ભારે જન આક્રોશ .
———————————–
ભારતીય જનતા પાર્ટી , ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી સી આર પાટીલ સાહેબ દ્વારા ઉપરોક્ત બાબતે એક પ્રેસ કોંફેરેન્સ કરવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે
આજે કર્ણાટક ખાતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા આદરણીય પ્રધાનમંત્રી અને વિશ્વ નેતા શ્રી નરેન્દ્ર મોદીજી માટે ખૂબ જ હલકા અને નિમ્ન સ્તરના શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો હતો , કે મોદી એક ઝેરી સાપ છે અને જેના ડસવાથી મૃત્યુ થાય છે.
ભૂતકાળમાં પણ કોંગ્રેસના તત્કાલીન અઘ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા શ્રી નરેન્દ્ર મોદીજી માટે મોતકા સોદાગર કહેવામાં આવ્યું હતું . રાહુલ ગાંધી દ્વારા ચોકીદાર ચોર હૈ , કોંગ્રેસના અન્ય નેતાઓ ઉદીતરાજ દ્વારા મોદી તેરી કબર ખુદેગી જેવી ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો . અલકા લાંબા દ્વારા નાલાયક શબ્દનો પ્રયોગ મોદીજી માટે કરવામાં આવ્યો હતો . બધું મળીને લગભગ ૯૧ વાર કોંગ્રેસના નેતાઓ દ્વારા અપશબ્દોનો ઉપયોગ કરી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું અપમાન કરવામાં આવ્યું છે.
વિશેષમાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા આવી હલકી કક્ષાની રાજનીતિ કરવા સામે લોકોમાં ભારે આક્રોશ છે . અને ૧૪૦ કરોડ દેશવાસીઓનો ભરોસો મોદીજી પર કાયમ છે અને મોદી હૈ તો મુનકીન હૈ તેમ તમામ દેશવાસીઓનું માનવું છે અને આગામી ચૂંટણીમાં દેશવાસીઓ કોંગ્રેસને આનો જવાબ આપશે.
ગુજરાત રાજપૂત સમાજ સર્વ સંકલન સમિતિ દ્વારા ” યુવરાજસિંહ ” પરિવાર સહિત રક્ષણ અને ન્યાયિક તપાસ માટે ગૃહ મંત્રી સાથે મુલાકાત