ગુજરાત રાજ્ય રાજપૂત સમાજની સંકલન સમિતિની તમામ શાખાઓ અને તેમના પ્રમુખો અને હોદ્દેદારો દ્વારા ડમીકાંડમાં યુવરાજસિંહ જાડેજા ની થયેલ ધરપકડ અને તેમના પરિવાર ઉપર અત્યારે જે કઈ રીતે દમીકાંડ બાબતે પૂછપરછ અને કાર્યવાહી કરવામાં આવે છે તે બાબતે નિષ્પક્ષ તપાસ થાય અને તટસ્થ રીતે ડમીકાંડને બહાર લાવીને ગુજરાતના ભાવી યુવાઓને ન્યાય મળે તે દિશામાં કાર્યવાહી કરવા આજે રાજપૂત સમાજના તમામ શાખાઓના પ્રમુખો અને સંકલન સમિતિના હોદ્દેદારો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળીને રજૂઆત કરી છે અને યુવરાજસિંહ જાડેજા ના પરિવારને જરૂર પડે તો રક્ષણ પણ આપવું અને સમાજને કોઈપણ રીતે ખોટી રીતે અન્યાય ન થાય અને નિષ્પક્ષ તપાસ કરીને જે કોઈ આમાં જવાબદાર લોકો હોય તેમને પણ આમાં સંડોવીને એમને પૂછપરછ કરીને ન્યાયિક તપાસ કરીને ગુજરાતના ભાવી પેઢીને ન્યાય મળે તે દિશામાં કાર્યવાહી થાય તેવી આજે ગંભીર પણે રજૂઆત કરવામાં આવી છે. જાહેર જનતામાં હાલની શાસન પ્રણાલિકા ની સામે એવી ચર્ચાઓ થતી જોવા મળે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ભ્રષ્ટાચારી અધિકારીઓ અને ભ્રષ્ટાચારી હોદ્દેદારો ઉપર આક્ષેપો હોવા છતાં તેમને બોલાઈને તેમની કોઈપણ જાતની ન્યાયિક પૂછપર જ કરવામાં આવતી નથી અને ભારતીય પ્રદેશ કાર્યાલય કમલમની ડેમેજ કંટ્રોલ ટીમ દ્વારા તેમના એને કેન પ્રકારે બચાવી લેવામાં આવે છે આ આક્ષેપો ના લીધે સામાજિક રીતે ગુજરાત રાજ્ય રાજપૂત સેના દ્વારા ગૃહ મંત્રીને આજે મળીને ગંભીર પણે રજૂઆત કરવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટી ના 27 વર્શ ના શાશન માં લગભગ મોટે ભાગે પરીક્ષાઓ ના પેપરો ફૂટ્યા છે અને એવી કોઈ ન્યાયિક તપાસ કે સીટ રચાઈ ને પ્રજાને સંતોષ થાય તેવા કોઈ પરિણામો પણ મળ્યા નથી એટલે કે રાજકીય રીતે તેનું પોટલું વાળી દેવામાં આવે છે તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.
ચોથી જાગીર સામે પણ આ ડમી કાંડ બાબતે કે બીજા કોઈપણ સરકારી ભ્રષ્ટાચાર ના આરોપો બાબતે મુખ્ય મંત્રી કે જવાબદાર વિભાગ ના મંત્રી કે કોઈ ઉચ્ચ અધિકારી એવી કોઈ ખુલાસા બંધ પ્રેસ કોંફરન્સ પણ કરતા નથી કે જેથી પત્રકારો પણ તેમની તપાસ કરીને પ્રજા સમક્ષ સાચી પ્રોસેસ થઈ રહી છે તેવું કહેવા સક્ષમ હોય…સરકારી અને રાજકીય રીતે કોઈપણ તપાસ ને મેનેજ કરી ને માત્ર સરકારી કે રાજકીય પ્રવક્તા દ્વારા આયોજનબદ્ધ રીતે મીડિયા ને બોલાવી ગોઠવણી પ્રમાણે ની પ્રેસ આપી દેવામાં આવે છે..જેથી મીડિયા માં પણ એક સરખું સરકારી બયાન વાહ વહાઈ જેવું જોવા મળે છે…વિરોધ પક્ષ ને પણ સરકારી નાકા બંધી ની જેમ કાનૂની દાયરામાં રાખી વિરોધ પ્રદર્શિત અંકુશ મા રાખી કરવા દેવામાં આવે છે…
હાલની પરિસ્થિતિ એવી છે કે મીડિયા ના પણ કોઈ તટસ્થ પત્રકારો ચેનલો કે અખબારો જો સરકાર ના કોઈ ભ્રષ્ટાચાર ની વિગતો કે કૌભાંડ બહાર લાવે તો તેમને પણ એન્કેંન પ્રકારે સરકારી રીતે દબાવી ને સરકારી લાભો થી વંચિત રાખી કાયદાકીય રીતે ભોગ બનાવી પાછા પાડવામાં આવે છે…
હકીકત માં કેટલાયે કૌભાંડો ભ્રષ્ટાચાર ના બહાર આવ્યા અને સુરત તેમજ મોરબી જેવી કેટલી જાણે માનવ સર્જિત હોનારતો હોય તેવા બનાવો બનતા પણ પ્રજા ને કોઈ સીધો ન્યાય મળ્યો હોય કે ભવિષ્ય માં આવી કોઈ ઘટના બને તો જવાબદારો સામે ન્યાયિક પગલાં લેવાના કોઈ નક્કર કાયદા બનાવ્યા હોય કે અનુસરતા હોય તેવું ક્યાંય દેખાતું નથી….કોઈપણ ઘટના ના અંતે નીચે થી ઉપર ની કોર્ટ સુધી વર્ષો બાદ બસ સરકાર ને ન્યાયિક ક્લીન ચીટ કેવી રીતે મળી દૂધે ધોયેલા જાહેર કરી પ્રસિદ્ધિ કરવી ફરી પાછા ગુનેગારો સરકાર માં ગોઠવાઈ જાય તેવું શાશન આજકાલ જોવા મળે છે…
માનવ મૃત્યુ ને કોઈ ન્યાય અપાય તેવું ક્યાંય દૂર દૂર સુધી દેખાતું નથી…..લોકશાહી માં સરમુખત્યાર શાશન નું વરવું રૂપ હાલની કેન્દ્ર અને ભાજપ ની સરકાર જન માણસ ને બતાવી રહી છે..
Comments 1