ભરોસા ની ભાજપ સરકારની પ્રચંડ બહુમતી ના જોરે શું આ જયસુખ પટેલ ને યેનકેન પ્રકારે બચાવી લેવામાં ભાજપ સરકાર સફળ નીવડશે.?
NG_23-1-23 NG_24-1-23 NG_25-1-23 NG_26-1-23ઓરેવા ગ્રુપનું બ્રિજ ઉદ્ઘાટન થયું ત્યારે તમે શું કરતા હતા તેવી હાઇકોર્ટની ટકોર
ઓરેવા ગ્રુપ અને નગરપાલિકાની મિલીભગત હોય તેવું સ્પષ્ટ દેખાય છે તેવી હાઇકોર્ટની ટકોર
રાજ્યના તમામ બ્રિજો ને લઈને સર્વગ્રાહી નીતિ સાથે સરકારને હાઇકોર્ટમાં ઉપસ્થિત રહેવા ની હાઇકોર્ટની ટકોર
ભાગેડું જયસુખ પટેલે મૃતકોને વળતર આપવાના બહાને પોતાનો લૂલો બચાવો હાઇકોર્ટમાં કર્યો છતાં તેઓ સફળ રહ્યા નહીં અને રાજકીય આશરે કાયદાકીય જીતની રાહ જોઈને તેઓ આમતેમ ભટકી રહ્યા છે
મોરબી ઝુલતો પુલ હોનારત કેસમાં મોરબીની કોર્ટમાં અંતે ચાર્જશીટ રજુ કરવામા આવ્યું છે.
30 મી ઓક્ટોબરે બનેલી દુર્ઘટનામાં 10 આરોપી સામે ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું છે.
નવ આરોપી છે જેલ હવાલે કરાયા છે.
135 લોકોના મૃત્યુ થનારી હોનારત ના મુખ્ય આરોપી તરીકે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ નું નામ.
આગોતરા જમીન અરજી કરનાર જયસુખ પટેલ હાલ છે ભૂગર્ભ માં ઉતરી ગયો છે.
Renovation Firm Boss Named In 1,262 Page Chargesheet In Gujarat’s Morbi Bridge Collapse Incident
pages. Based on police investigation, Oreva managing director Jaysukh Patel is the main accused in the case. There are nine others, arrested earlier in the case, who are named in the chargesheet,” Ashok Yadav, Range IG, Rajkot told
મોરબી ઝુલતાપુલ દુર્ઘટનામાં સુવોમોટો પી.આઇ.એલ્ ગુજરાત હાઇકોર્ટમાં ચાલી જતા ફરીવાર મોરબી નગરપાલિકા અને સરકાર ને હાઇકોર્ટે જબરજસ્ત આડે હાથે લીધી.. અને જણાવ્યું કે જ્યારે તમને બ્રિજની ખરાબ હાલત લાગી તો તમે તેનો કબજો કેમ ના લીધો અને કેમ ઓરેવાને બ્રિજ ચાલુ થાય ત્યાં સુધીની રાહ જોઈ?
પબ્લિકની સલામતીની જવાબદારી નગરપાલિકાના સત્તાધીશોની અને સરકારની છે તો તમે કેમ કોઈ ગંભીર પગલા લઈને આ દુર્ઘટના ઘટે નહી તેવા પ્રયત્નો કર્યા નહીં?
આ બધું જોતા સ્પષ્ટ જણાઈ આવે છે કે ઓરેવા ગ્રુપના માલિકોને સરકારે અને નગરપાલિકાના અધિકારીઓએ ખુશામત કરીને તેમની સામે કોઈ પણ જાતના સત્તાવાર પગલાં બધું જાણતા હોવા છતાં પણ લીધા નહીં..
હાઇકોર્ટે આ કેસની અંદર ઓરેવા ગ્રુપના જવાબદાર જયસુખ પટેલને પક્ષકાર તરીકે જોડી અને તેમના તરફથી વળતરની રકમ ચૂકવવાની જે દરખાસ્ત કોર્ટમાં કરવામાં આવી તે રાજ્ય સરકારમાં જમા કરાવવાનો હુકમ પણ કોર્ટે કર્યો હતો.
સાથે સાથે કોર્ટે જયસુખ પટેલને જણાવ્યું હતું કે તમે તમારી રીતે ભલે સ્વૈચ્છિક વળતર ચૂકવવાની દરખાસ્ત કરો છો પણ આ વળતર ચૂકવો તેનો અર્થ સહેજ પણ એ નથી થતો કે તમને આ કેસમાં તમારી વિરુદ્ધ ની ક્રિમિનલ કે રેવન્યુ રાહે સહિતની કોઈપણ પ્રોસિજર ના પ્રોસિડિંગમાં લાભ મળશે.. વળતર ચૂકવી દેવા માત્ર તમને તમારી વિરુદ્ધની કાયદાકીય પ્રોસિડિંગમાં કોઈ રાહત કે લાભ મળી શકશે નહીં એ ખાસ ધ્યાનમાં રાખજો તેવી ટકોર જયસુખ પટેલને હાઇકોર્ટે કરી હતી અને નગરપાલિકાને પણ સ્પષ્ટ શબ્દોની અંદર કહ્યું હતું કે તમે પણ બ્રિજનું ઉદઘાટન જાણ કર્યા વિના જ કરવા કેમ ઓરેવા ગ્રુપને મંજૂરી આપી અને તે વખતે તમે શું કરતા હતા .?.તમારું સત્તા મંડળ એ શું પ્રજાની સલામતીના જવાબદાર તરીકે નથી? સરકારે જ્યારે તમને તમારું આવું વલણ અને રિપોર્ટ જોતા સુપર સીડ કરવાની નોટિસ આપીને પ્રોસિજર કરી રહ્યા છે તો તમે તેની સામે હવે તમારો લૂલો બચાવ કરવા શા માટે કોર્ટમાં આવ્યા છો.
આમ નગરપાલિકા અને સરકાર તરફથી હાઇકોર્ટ ની અંદર સોગંદનામાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેની સુનાવણી હવે 28મી ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે.
**************************
ગુજરાત ના તમામ બ્રિજ ની માહિતીનો રાજ્યસરકાર રિપોર્ટ રજૂ કર્યો જે નીચે મુજબ છે.
ગુજરાત રાજ્ય સરકાર તરફથી સમગ્ર રાજ્યના બ્રિજો અંગે સોગંદનામુ રજૂ કરીને કહેવામાં આવ્યું છે કે કુલ ₹1,441 બ્રિજ આવેલા છે જેમાં કોર્પોરેશનની હદમાં 160 અને નગરપાલિકા વિસ્તારમાં 180 બ્રીજ આવેલા છે રાજ્યના કુલ 63 બ્રિજ એવા જણાયા છે કે જેમાં સમારકામ અને રીપેરીંગની જરૂરિયાત જણાઈ છે જેમાં 40 બ્રિજ માઇનોર અને 23 બ્રિજમાં મોટા ફેરફાર સાથે રીપેરીંગની જરૂરિયાત છે અને 27 બ્રિજનું રીપેરીંગ કામ હાલમાં પૂર્ણ થઈ ગયું છે અને બાકીના 36 ભેજોની મરામતનું કામ ચાલુ છે આ તમામ 63 બ્રિજોની મરામત રીપેરીંગ સુરક્ષા વ્યવસ્થા અને લેવાયેલા પગલાં સાથેનું સ્ટેટસ રિપોર્ટ અને સોગંદનામુ રજૂ કરવા હાઇકોર્ટે ગુજરાત સરકારને જણાવ્યું છે.
મોરબી જેવી કોઈ પણ દુર્ઘટના ગુજરાતના બ્રિજોના સમારકામ વખતે અથવા તો સમારકામ થઈ ગયા પછી તેને ચાલુ કરતાં પહેલાં પૂર્ણ ચકાસણી કર્યા સિવાય સરકારે તેને પ્રજાના ઉપયોગોમાં મૂકવાનો નહીં અને પ્રજાની સલામતીની સંપૂર્ણ દેખરેખ રાખીને કોઈપણ ઇજારાદાર કે ઉદ્યોગપતિઓ ના થકી સંચાલન થતા કોન્ટ્રાક્ટરોને કોઈપણ રીતે મદદરૂપ થઈને આવી હોનારત બીજીવાર ન થાય તેવી હાઇકોર્ટે સરકારને ટકોર કરી છે.
*******************
સંપૂર્ણ જાણકારી હોવા છતાં ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળું મારવા નીકળેલી ભાજપ ની ભરોસા ની સરકાર એક માત્ર રાજકીય વોટ બેન્ક ની ભીખ ખાતર અને સત્તા ટકાવવા ખાતર પ્રજા ભોગ બની હોવા છતાં રાજકીય આશ્રાલયો માં જયસુખ પટેલ ને બચાવી લેવા ના મૂડ માં છે અને નગરપાલિકા ના પણ કોઈ કર્મચારી કે અધિકારી ની સીધી સંડોવણી સાબિત ના થાય તેવા પ્રયત્નો માં સત્તા ધિશો રાચી રહ્યા છે તેવી અટકળો પ્રજામાં થતી સંભળાય છે..૧૩૫ લોકો ના જીવ ની કિંમત ભરોસા ની ભાજપ સરકાર હવે શું કરે છે તે જોવાનું રહ્યું . ચૂંટણીઓ હવે પતી ગઈ છે અને આ ભરોસા ની સરકાર માં એક માત્ર આર્થિક ઉપયોગ હેતુસર નકલી જણેલા પાડાઓ ને સરકાર કેવી રીતે કાયદાકીય ગૂંચ માથી લીગલી બચાવી લે છે તેવા ખેલ માત્ર સરકારે જોવાના રહ્યા.ભૂતકાળ માં આવી અનેક ક્લીન ચીત સરકારી પુરાવા ના નાશ કરીને મેલવિલી હકીકતો ગુજરાત ની બુદ્ધિમાન જાણતા સારી રીતે જાણે છે..
ભૂતકાળ માં આવા કેટલા લોકો ને સરકારે ગંભીર ગુના હોવા છતાં બચાવી લઈને તેમને ચૂંટણી માં ઉમેદવાર બનાવી ગંભીર ગુના ના.કેસ ચાલતા હોવા છતાં ચુંટી ને વિદ્યાનસભા માં ફરીવાર લાવી ને સરકાર બનાવી છે તે બાબત થી પ્રજા વાકેફ છે..
અનેક ગુનેગાર અને ઓછું પ્રાયમરી ભણેલા લોકોના હાથ માં સંવેદન શિલ ખાતાઓ ની જવાબદારી ભાજપ ની ભરોસા ની સરકાર માં આપવામાં આવી છે અને અધિકારીઓ ઉપર ઉપરથી ગોઠવેલ તખ્તા મુજબ સરકાર નો વાહન તરીકે ઉપયોગ થતો સૌ કોઈ પ્રજા જાણે છે..
*********************************
Janfariyadnews.. ન્યૂઝ ચેનલ સમાચારો ની લીંક નીચે મુજબ છે
(૧)
(૨)
(૩)
(૪)
(૫)
(૬)
ગુજરાત પ્રદેશ ભાજપ ની કારોબારી૨૩/૨૪/૧/૨૦૨૩ સોમ.મંગળ વારે સુરેન્દ્રનગર ખાતે મળી ગઈ જેમાં ૬૦૦ જેટલા ભાજપ ના ડેલિગેટ સભ્યો હાજર રહી ત્રણ શેશન માં કારોબારી પૂર્ણ કરી ને ૨૦૨૪ લોકસભા સંપૂર્ણ સીટો જીતવા તખ્તો તૈયાર કરવામાં આવ્યો હતો.સાંસદ અને મહામંત્રી વિનોદ ચાવડા,મહામંત્રી રજની પટેલ,ધારાસભ્ય અનિરુદ્ધ દવે,ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી હતી.
તંત્રી : પ્રદીપ રાવલ
*****************************
દિલ્હી ની પરેડ માં ગુજરાત જૂનાગઢ નો દબદબો https://youtu.be/GNCmczKj6wI
*****************************
https://youtu.be/GNCmczKj6wI
*****************************
આપની આસપાસ બનતી ઘટનાઓ તેમજ સમાચારો ની તટસ્થ પ્રસિધ્ધિ માટે નિર્ભય રીતે આ પાપના સમાચારો ફોટાઓ વિડિયો ઓડિયો અમોને અમારા whatsapp નંબર 9824653073 ઉપર મોકલી શકો છો
તંત્રી : પ્રદીપ રાવલ