ભરોસાની ભેંસે પાડો જણ્યો કહેવત ભાજપ શાસક કર્તાઓ અધિકારીઓ ના ખભે સ્ટેમ્પ શાશન માં સાચી પડી રહ્યા હોય તેવું ગુજરાત ની જનતા અનુભવી રહી છે.
ગાંધીનગરઃ મહાનગર પાલિકા ની ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટી નીં બેઠક બાદ પત્રકાર પરિષદ માં ચેરમેન દ્વારા માહિતી આપવામાં આવી કે મિલકત વેરામાં વધારો ઝીંકાયો,રહેણાક માં પ્રતિ ચોરસ મીટર ૧૫ રૂપિયા હતા જે હવે ડબલ એટલે કે ૩૦ રૂપિયા થશે.
૧ લાખ નેવું હજાર આશરે રહેણાક દારો ઉપર આ વધારો મહાનગર પાલિકા ને ૧૭:૬૨ કરોડ જેટલી. આધારે આવક આપશે.. મહાનગરપાલિકાએ પાટનગર વાસીઓના ખિસ્સામાંથી 17 કરોડ રૂપિયા જેટલી વધારાની રકમ આવક રૂપે ભેગી કરવાનો આ નિર્ણય લીધો છે જેથી પાટનગર વાસીઓને આ દંડ સમાન કાયદાકીય વેરો ન છૂટકે ભરવો પડશે. આ ભરોસોની સરકારે ભરોસાની ભેંસ પાડો જાણે તે કહેવતને સાચી પાડીને બુદ્ધિજીવીઓ ને વિચાર કરતા કરી દીઘા છે.વોટ બેન્ક ની ભીખ ખાતર આવા નિર્ણયો ચૂંટણી બાદ લેવામાં આવ્યા છે..ભાજપ હવે સર્વત્ર બહુમત ના જોરે પ્રજા ઉપર મનઘડંત લોકશાહી ના ખીણ સમાન કેટ કેટલા નિર્ણયો લઈ શકે છે જેનો દોર શરૂ થઈ ગયો છે.અંધેરી નગરી ને ગાંડું રાજા ની જેમ કોઈ કહેનાર ના હોય તેમ બેફામ નિર્ણયો પ્રજાના હિતમાં છે કે નહિ તે જોયા વિના રાજાશાહી ની જેમ કેન્દ્રીય નેતાગીરી e આપેલ લેશન ના હોમ વર્ક ના ભાગરૂપે ગુજરાત ભાજપ ના સત્તાધીશો આગળ વધી ભાજપ ની લોકશાહી નું નવું રૂપ પ્રજે ને બતાવી રહ્યા છે.
રખડતાં ઢોર દંડ ભરવા છતાં છોડી શકાશે નહિ
——————————-
ઘોડા છૂટી ગયા પછી તબેલા ને તાળું મારવા પહોંચેલ મહાનગર પાલિકા ના સત્તાધીશો હવે ઢોર નિયંત્રણ કાયદા હેઠળ દંડ ભરવા છતાં હવે ઢોર ને છોડવામાં નહિ આવે તેવો સ્થાઈ સમિતિએ નિર્ણય જાહેર કર્યો છે..જોકે ઢોર ચોર પોલીસ ની રમત ની જેમ કેમ છોડી જવાય તનો એક મહિલા ઢોર છોડાવતી નો વિડિઓ વાયરલ થઈ ગયો છતાં આ મહાનગર પાલિકા સત્તાધીશો ની આંખો ખુલી નથી અને આવા શેખ ચલ્લી જેવા નિર્ણયો બહાર પડે છે. ગાંધીનગરમાં વધતા જતા અકસ્માતો ને ધ્યાનમાં લઈને આ રખડતા ઢોર અંગે બેઠકમાં ચર્ચા વિચારણા કરીને કમિશનર તરફથી આવેલી ભલામણમાં પકડવામાં આવતા રખડતા પશુઓને નિયત કરેલા દંડ વસુલોને મુક્ત કરવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ સમિતિએ ગાંધીનગરમાં વધતા જતા આ અકસ્માતના લોકો ભોગ ન બને તે માટે દંડ ભરવા છતાં પણ રખડતા ઢોરોને મુક્ત કરવામાં નહીં આવે તેવું નક્કી કર્યું છે જો કે દુધાળા તથા સગર્ભા પશુઓ માટે કાયદાને ધ્યાનમાં રાખીને થોડી છૂટછાટ પણ કરવામાં આવશે તેવું જણાવ્યું છે જેથી આ બહાને પણ ઢોરોને સાચા ખોટા સર્ટિફાઇડ કરીને પોતાના પશુઓને મુક્ત કરવામાં રખડતા ઢોરોના માલિકો સફળ રહી શકે છે.ગાંધીનગર માં આ ઝુંબેશ માં ઘણીવાર પ્રજા સરકારી માણસો અને પશુ માલિકો વચ્ચે ની મેરેથોન જેવી દોડ રોજે રોજ જોઈ આનંદ માણી રહ્યા છે..ઘણીવાર પિકચર ના દૃશ્યો જેવી પરિસ્થિતિ સર્જાય..આગળ પશુઓ દોડે..આજુબાજુ પશુ ના માલિકો બાઈક ઉપર પોતાના પશુઓ ને ભગાડતા ચિંચિયારીઓ કરતા જોવા મળે અને પાછલા પશુઓ પકડવાની સરકારી વાન અને માણસો દોરડા,લાકડીઓ લઈને નાસભાગ કરતા જોવા મળે.ક્યારેક અડફટે માં સ્થાનિક વાહનો અને માણસો પણ ભોગ થતાં જોવા મળે…આ ભાજપ ની ભરોસાની સરકાર ની નગરપાલિકા ની પેટા વિભાગ ની ફિલ્મો નો એક ભાગ કહી શકાય..આવા પ્રત્યેક વિભાગ ની દોડ પકડ પ્રજા અને સરકારી માણસો વચ્ચે જોવા મળે…
પાટનગર ના રહેણાંકો ઉપરવેરો વધારો ઝીંકાયો
———–:——————
મિલકતો ના વેચાણ દસ્તાવેજો અને ટ્રાન્સફર ફી નું નવું માળખું તૈયાર કરવામાં આવ્યું છે.અત્યારે સુધી આ પ્રક્રિયા માં ગણતરી કરવી જટિલ હતી જે હવે નવા માળખા માં સરળતા રહેશે તેમ ચેરમેન જશવંત ભાઈ પટેલ પત્રકારો ને જણાવ્યું હતું.
હવે રણાં કોની મિલકતો ના વીરામાં વધારો કરવાની ગણતરી પ્રમાણે 25 લાખ સુધી 1000 જ્યારે 25 થી 50 લાખ સુધી 2000 રૂપિયા થશે 50 થી દોઢ કરોડ સુધીમાં 0.1% તથા બિન રણકમ મિલકતો માટે 25 લાખ સુધી 2000 રૂપિયા થશે 25 થી 50 લાખ સુધી ₹4,000 અને 50 લાખથી દોઢ કરોડ સુધી 0.2 ટકા જ્યારે દોઢ કરોડથી વધુમાં 0.4 ટકા ટ્રાન્સફર ફીનો માળખું તૈયાર કરવામાં આવ્યું છે જેને સરવાનું મતે મંજૂર કરી અને રેણાકદારો ઉપર આબોજો વધારવાનો તક્તો તૈયાર કરીને સીધો લાદી દેવામાં પણ આવ્યો છે.
કબૂતરબાજી/ભ્રષ્ટાચાર માં દોડ પકડ નો દોર શરૂ
——————————–
અમેરિકા કેનેડા માં ટસ્કરબાજીથી પહોંચેલા લોકોમાં ફફડાટ શરૂ થયો છે આખેઆખો મામલો કાયદાકીય રીતે ગૂંચ ઉકેલીને શાસક સરકાર ગોળા છૂટી ગયા પછી તબેલા ને તાળું મારવા દોડતા થયા હોય તેવું જોવા મળી રહ્યું છે. તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ નાખેલ રાજકીય રીતે રમીને ભોગ બનેલા ભાજપના નેતાઓને ભૂતકાળની જેમ ક્લિનચીત અપાવીને કેવી રીતે દૂધે ધોયેલા સાબિત કરવા તે બાબતની ચર્ચાઓએ સચિવાલયમાં તમામ અધિકારીઓ અને રાજકીય દલાલો વચ્ચે વાકયુદ્ધ થતું જોર પકડ્યું છે.
પ્રચંડ બહુમતીમાં કમલમ કોઈપણ વિવાદનું એપી સેન્ટર હોય તે રીતે રાજકીય દલાલો અધિકારીઓ નિર્ભય રીતે કૌભાંડો કરીને ભ્રષ્ટાચારની પોતાની દુનિયા અવિરત રીતે ચાલી રહે તેવી ભ્રષ્ટાચારી માનવ સાંકળ બનાવીને કોઈપણ જાતની શેર શરમ કે ઇજ્જત હોય જ નહીં તેવી રીતે ફરતા જોવા મળે છે જે આ કબૂતર બાજી નો મામલો ભાજપ જે રીતે શાંત પાડવા નથી રહ્યું છે તે ઉપરથી દેખાય છે. જોકે કેન્દ્રીય નેતાગીરીથી પીએમઓ દ્વારા મંગાયેલા ગુજરાતના કબૂતર બાજીના અહેવાલો બાદ કેવા નાના મોટા સજરૂપી ફેરફારો ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં થાય છે તે જોવાનું રહ્યું.
૨૩/૨૪ જન્યુવારિ સુરેન્દ્રનગર માં પ્રદેશ કારોબારી,સમીક્ષા થશે……..
——————————–
ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જ્યારે પ્રમુખનો હોદ્દો ધારણ કર્યા પછી ચાર દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળ્યા હતા ત્યારે દરેક જગ્યાએ 150 પ્લસ આપણે વિધાનસભામાં જીતીશું તેવું કહેતા આવ્યા હતા અને પ્રચંડ બહુમતી 156 ની લાવીને પણ તેમણે તેમની રાજકીય કલાકારી કરી બતાવી છે.
આ કારોબારી ની અંદર પ્રચંડ બહુમતી ની જીત બાદ પ્રજામાં રહેલો તેમજ ભારતીય જનતા પાર્ટીના હારેલા ઉમેદવારોમાં ઉકલ તો શરૂ કેવી રીતે શાંત પાડવો તેની ચર્ચા વિચારણા થઈ શકે છે તેમજ આગામી 2024 માં આવી રહેલ લોકસભાની 26 બેઠકોની જીત પણ કેવી રીતે હાંસલ કરવી તે બાબતેનો કોઈ નવો તકથો તૈયાર કરીને કાર્યકર્તાઓને અને રાજકીય નવરા બેઠેલા નેતાઓને જવાબદારી સોંપવામાં પણ આવે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.
ગઈકાલે સુરત ખાતે સી.આર પાટીલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને આ પ્રદેશ કારોબારી બાબતેની માહિતી