*******************************
[7/27, 8:09 PM] Ramila Makvaana.MeM.: *NOG* : સાહિત્ય સરિતા
*NOG* : નંબર -૧૨૦
*શબ્દ* : દેશ-વિદેશમાં ગુજરાતીઓનો દબદબો.
*કૃતિ* : ગદ્ય
*શિર્ષક* :– વિદેશમાં વતન.
✡️ *વિદેશમાં વતન*✡️
સાંપ્રત સમયમાં વિદેશ વસવાટ કરવાનો અને અધિક ધનવાન બની NRI બનાવાનો સૌના મનમાં મનસુબો ઘૂંટાયા કરતો હોય છે.
પરદેશ જઈ, વિદેશમાં વસવાટ કરનારા સૌ ભારતીયો અને એમાંય ખાસ કરીને ગુજરાતીઓનો ભારે દબદબો રહ્યો છે,કેમકે પરદેશાગમન બાદ પશ્વિમી સંસ્કૃતિને અનુસરવાને બદલે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી આપણી પ્રણાલીને સ્થાપિત કરવા માટે સૌ ભારતીયો ગૌરવ અને ગરિમા અનુભવે છે. એક ગુજરાતી અનેકને ગુજરાતીની અમૂલ્ય ભેટ ધરતો હોય છે. ત્યાંની ભૂમિ પર નવરાત્રી મહોત્સવ,ગણેશ મહોત્સવ, દેવી માતા અને સ્વામી નારાયણનાં ભવ્ય મંદિરોનું નિર્માણ પણ થયું છે.
ત્યાંના સ્થાનિક વિદેશીઓ પણ ગરબે ઘૂમતા થયા છે, એથી મારી છાતી ગજ ગજ ફૂલે છે. સૌ ગુજરાતી ભાઈ બહેનોને મારા લાખ- લાખ અભિનંદન છેકે એમણે વિદેશમાં પણ આપણા ભવ્ય વારસાને ઉજાગર કરી જીવંત રાખ્યો છે.
મારા એક સંબંધીનો દિકરો ઓસ્ટ્રેલિયામાં રહે છે,તેના લગ્નની તમામ સરભરા આપણા ગુજરાતી ભાઈ-બહેનોએ લગ્ન વધાવીને ગણેશ સ્થાપન કરી ગણેશ જી બેસાડ્યા, ત્યારબાદ ગુજરાતી લગ્નગીતો ગાઈને લગ્નટાણુ વિદેશની ધરતી પર ગુજરાતી સંસ્કૃતીમય બનાવી દીધું અને સંપૂર્ણ હિન્દુ વિધી મુજબ લગ્ન કરાવી આપ્યા. એ દિકરાના કોઈ સગા સંબંધીઓ ન્હોતા છતાં કોઈ જાતિભેદ રાખ્યા વગર રંગેચંગે લગ્ન કરાવ્યા,આ જ આપણા ગુજરાતીઓનું ખરુ ગુર્જર પણું અને ખરી ઓળખ છે, જેમણે વિદેશને જ વતન બનાવી દીધું છે, એવા વિદેશમાં વસતા તમામ ગુજરાતી ભાઈ બહેનોને મારા હ્રદયના ઉંડાણ ભર્યા વંદન સહ અભિનંદન પાઠવું છું.
(જય જય ગરવી ગુજરાત)
રમીલાબેન ડી મકવાણા *રમા*
લાડુલા તા ભાભર
જિ બનાસકાંઠા
(ગુજરાત)
***********************************
[7/27, 8:47 PM] Pravina Kadakiya.MeM NOG Houston: S S N 0089
વિષય દેશ વિદેશમાં દબદબો
શીર્ષક મોરના ઈંડા
પ્રવિણા
તમે મોર જોયો છે? તેના ઈંડા જોયા છે ?
બસ આવી જ કોઈ વાત ભારતીય જનતાની વિદેશોમાં છે.
આપણી સંસ્કૃતિ , આપણા સંસ્કાર લઈ વિદેશમાં સ્થાયી થયેલી વ્યક્તિ છે.
આપણે મહેનતુ પ્રજા છીએ. હોંશ અને ઉમંગથી ભરપૂર હોવાનો કારણે ભલે
વતન છોડ્યું. વતનના નામને રોશન કરવાની ઠાની.
કુટુંબને મહત્વ આપનાર ભારતીય બાળકોને પ્રેમથી ઉછેરી મહત્વાકાંક્ષી બનાવ્યા.
બુદ્ધિ અને પ્રતિભાનો ડંકો વગાડ્યો. સમગ્ર વિશ્વમાં નામ રોશન કર્યું . કેનો પુરાવો નજર સમક્ષ જણાય છે.
દબદબા ભર્યું જીવન છતાં વતન પ્રત્યે નો પ્રેમ શું સૂચવે છે? પૂર્વ અને પશ્ચિમ નું સુભગ મિલન. બંને દેશની ભવ્યતા અપનાવી.
આપણી રહેણીકરણીને આદર પૂર્વક સાચવી, તેમના પોશાક અને સભ્યતા કેળવ્યા.
ટેકનોલોજી એ દેશ સાથે માયા અને મમતા જોડ્યા. આપણો જુવાન વર્ગ હવે
પશ્ચિમની નજદીક આવ્યો. આપણું ગૌરવ અને ઇતિહાસથી તેમને વાકેફ કર્યા. તેમને આપણા દેશ તરફ આકર્ષ્યા . “યોગ” નો પ્રચાર થયો.
આદર , ઇજ્જત અને સંમાન પામ્યા. જન્મભૂમિ અને કર્મ ભૂમિ એક સૂત્રમાં પરોવ્યા.
મહેનત કરી એનાં શંકાને સ્થાન નથી. “ગીતા” ના ઉપદેશનો અનુભવ થયો. કર્મ કર્યા ફળ પામ્યા.
બસ પલભરનો પણ અફસોસ નથી . બંને જહાનથી જોડાયેલા છીએ. અમારો પીંછી કે રંગની જરુર નથી.
**********************************
Janfariyadnews.com ( ચેનલ ન્યૂઝ લિંક )
**********†”સમાચાર હૈલાઇટ્સ***””””””””
૧)
લઠ્ઠા કાંડમાં શાસક સરકારમાં ગૃહ મંત્રી અને વિભાગ દ્વારા સજાના ભાગરૂપે અમદાવાદના એસપી વિરેન્દ્રસિંહ યાદવ અને બોટાદના એસ.પી કરણરાજસિંહ વાઘેલા ની બદલી કરી નાખી છે તેમ જ બરવાળા અને ધંધુકાના બે ડીવાયએસપી બે પીઆઇ અને બે પી એસ આઇ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
લઠ્ઠા કાંડ ને શરૂઆતમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કેમિકલ કાંડમાં કપાવવાના તથાગ પ્રયત્નો કરીને ચોરાયેલ કેમિકલ મળ્યું ચોરી કરવાવાળા મળ્યા તેવા સમાચારો મીડિયામાં આપવામાં આવ્યા હતા પણ અંતે ભાંડો ફૂટી જતા પોલીસ ઉપર તવાઈ આઈ અને પોલીસના અધિકારીઓને જ્યારે સસ્પેન્ડ કરવાનો વારો આવ્યો ત્યારે ફરી પાછું આ કેમિકલ કાંડ લઠ્ઠા કાંડમાં ફેરવાઈ ગયું છે.
૨,
રાજ્યના રાજ્યકક્ષાના એક મંત્રી જેવો પ્રાંતિજના ધારાસભ્ય છે તેઓના દુષ્કર્મ બાબતના પોલીસ કેસ ફરિયાદો હજુ ચાલુ છે ત્યાં જ મહેમદાવાદના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઉપર પણ સ્થાનિક હળદર વાસ ગામના સરપંચે પોતાની પત્ની ઉપર અનેક વાર દુષ્કર્માની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવીને કેબિનેટ મંત્રી ઉપર ગંભીર આક્ષેપો કર્યા નો બનાવ બન્યો છે.
૩
પ્રધાનમંત્રી નો બે દિવસનો ગુજરાતમાં લોકાર્પણોનો કાર્યક્રમ હોવા છતાં ભારે લઠ્ઠા કાંડમાં 75 થી વધારે લોકોએ જાન ગુમાવ્યા છે તેમજ અનેક લોકો સારવાર હેઠળ છે તેમ છતાં પ્રધાનમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ રાજકીય કાર્યક્રમમાં વ્યસ્ત છે અને આ બાબતે કોઈપણ ગંભીર પ્રતિક્રિયા આપી નથી કે કોઈપણ જાતની પ્રેસ કોન્ફરન્સ પણ કરી નથી અને માત્રને માત્ર વિભાગ દ્વારા નાની મોટી સજાઓ આપીને આખા લઠ્ઠા કાંડને પ્રજાના માનસ ઉપરથી ધ્યાન ભટકાવવા ભાજપની ડેમેજ કંટ્રોલ ટીમ કામે લાગી ગઈ છે.
૪
લઠ્ઠા કાંડ બાબતે આગળની કાર્યવાહી થતા હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સરકારના નેતાઓ ની તપાસમાં ફેર બદલો આવતા એકાએક એમોસના માલિક સમીર પટેલ ભૂગર્ભમાં જતા રહ્યા છે અને કેમિકલ ચોરાયાની વાત એકમાત્ર બહાનું છે તેવું નવું નાટક હવે શરૂ થયું છે. ગુજરાત ચેમ્બર્સમાં પહેલેથી જ પોતાનો દબદબો જમાવવા ટેવાયેલા આ ગુજરાતના પૂર્વ મંત્રી નલિન પટેલના પુત્ર સમીર પટેલ નશાબંધી ખાતાની અંદર પણ ખૂબ જ નજીકના સંબંધો ધરાવતા હતા તેવું જાણવા મળ્યું છે. જોવાનું હવે રહ્યું કે પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓ રાજકીય નેતાઓ બુટલેગરો અને પોલીસના ભ્રષ્ટ અધિકારીઓ તેમજ ઉદ્યોગપતિ કેમિકલના ધંધાવાળાઓ કેવી રીતે સાત ગાંઠ રચીને આ લઠ્ઠા કાંડ ની વાતને પ્રજા માનસમાં ભુલાવવા આયોજન કરે છે તે ટૂંક સમયમાં પ્રજાની સમક્ષ આવશે.
૫,
હજુ સુધી ગૃહ મંત્રી ઉચ્ચ પોલીસના અધિકારીઓ મુખ્યમંત્રી કે પ્રદેશ ભાજપના પ્રમુખ ધારાસભ્યો સાંસદો માંથી કોઈએ ચોખવટ કરી નથી કે ગુજરાતના તમામ ગામો અને શહેરોમાં જે કંઈ દારૂના અડ્ડાઓ બુટલેગર ચલાવે છે તેમનું વરસે દહાડે લાખો અને કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચારરૂપી ભરણ નો હવાલો કોણ સંભાળે છે અને એ બધા પૈસા ક્યાં એકઠા કરવામાં આવે છે અને તેને ક્યારેય કેવી રીતે વાપરવામાં આવે છે તે બાબતે બિલકુલ ચુપકીધી સાધીને બેસી રહ્યા છે.
૬
૬
પોલીસ ખાતાના વર્ગ ૩ ના કર્મચારી એટલે કે કોન્સ્ટેબલ જીઓને 500 થી 800 કિલોમીટર ની રેન્જમાં નોકરી કરવાની થાય અને તેમના પણ ફિક્સ પગાર 18 કે 20,000 સુધીના હોય તેઓને જિલ્લા ફેર બદલી એક વર્ષમાં કરવાનો નિયમ છે તેમ છતાં 2021 ના જૂન માસ પછી આજદિન સુધી વર્ગ ૩ ના કર્મચારીની બદલી નો કોઈપણ ઓર્ડર કરવામાં આવ્યો નથી. લઠ્ઠા કાંડમાં કસૂરૂવાર ફેરવીને તાત્કાલિક અસરથી બદલીઓ કરી નાખવામાં આવે અને આજે નિયમ છે વર્તનના કર્મચારીનો તેની બદલીઓના કોઈપણ ઓર્ડર કરવામાં ન આવે તે કેવી પોલીસની નીતિ રીતે કહેવાય. વર્ગ ત્રણ ના કર્મચારી પોતાના વતનથી 500 થી 800 km દૂર નોકરી કરતા હોય તેમને રજાના પણ પ્રોબ્લેમ હોય અને આવક પણ ઓછી હોય તેમના ઘરડા માતા પિતાની સારવારના પણ ઘણા ખર્ચા હોય તેમના પુત્ર અને પુત્રીઓ ભણતા હોય પરિવારથી તેઓ દૂર રહેતા હોય આવી બાબતોને ધ્યાનમાં લઈને એક વર્ષમાં જિલ્લા ફેર બદલી કરવાનો નિયમ બનાવવામાં આવ્યો હતો પણ ઉચ્ચકક્ષાના પોલીસ અધિકારીઓ ને આ બાબતે કોઈ કહેનાર નથી જેના કારણે કોન્સ્ટેબલ જેવી નોકરી કરવી હવે આટલા ઓછા પગારમાં અસહ્ય બની ગઈ છે પરિણામે તેઓ પોતાના ઘરનો ખર્ચનો આંકડો મેળવવા ગેરમાર્ગે દોરાય તેવા પણ કિસ્સાઓ જોવા મળે છે
તંત્રી : પ્રદીપ રાવલ
તંત્રી : પ્રદીપ રાવલ