[7/26, 11:04 PM] Nayana.MeM.NOG Patel: NOG.SS.NO.73
વિષય.બદલાતી સામાજીક આધુનિક
શૈલી.
પ્રકાર. ગદ્ય.
શીર્ષક..આધુનિક જીવન..નવી પેઢી
બદલાતી જીવન પધ્ધતિ દરેક ને અનુકૂળ આવી ગઈ,જૂની પેઢીના લોકો નવી પેઢીને અનુસરીને પોતાની જૂની આદતો વિચારો અને સિધ્ધાંતોને નેવે મૂકી પોતાના બાળકો જેમાં ખુશ રહે એમાં પોતાની ખુશી શોધવા લાગ્યા,
એ જરૂરી પણ એટલુંજ છે જો તમાંરે તમારા આધુનિક બાળકો સાથે તાલમેલ કરી એની સાથે રહેવું હશે તો એના માટે તમારે બદલાવ લાવવોજ પડશે,નવી પેઢી આધુનિક છે પણ ઉદ્ધત નથી,બસ એમને સમજવાની જરૂર છે,પશ્ચિમી સંસ્કૃતી નું આંધળું અનુકરણ થયું છે,વિચારોમાં સ્વંત્રત્રતા આવી છે,પણ સંસ્કારતો આપણેજ આપવાના છે,એટલે નવી પેઢી જૂની પેઢીને આદર નથી કરતી,તો એમાં ક્યાંયક ને ક્યાંક આપણી ક્ષતિ છે,
જ્યા સંસ્કાર છે ત્યાં કોઈ આધુનિકતા અડતી નથી,બધું મર્યાદા માં હોય છે.
નયના પટેલ..
[7/27, 10:04 AM] R S. Vyas.MEM: NOG SS NO 0112
વિષય : બદલાતી સામાજીક આધુનિક શૈલી.
પ્રકાર : ગદ્ય
શીર્ષક : પરિવર્તન આવકાર્ય
સમય સાથે પરિવર્તન આવકાર્ય છે, જરૂરી છે.
આધુનિક યુગ અને ટેક્નોલોજીના યુગમાં લોકોએ ખૂબ જ હરણફાળ પ્રગતિ કરી છે. જેમાં ગુજરાતીઓ ની મહેનત, પ્રમાણિકતા, નિષ્ઠા, અને પરસ્પર સંગઠનની ભાવનાથી દરેક ક્ષેત્રમાં ઉભરી આવ્યા છે.
વિશ્વના મોટાભાગના દેશોમાં ગુજરાતી લોકો એ ઉદ્યોગ, વેપાર,જોબ, રાજકારણ, અને કલામાં આગવી પ્રતિભા સ્થાપિત કરી છે.
જે જુની પેઢી અને નવી પેઢીના સંકલનનો એક ભાગ છે.
જુની પેઢીના આપણા વડીલોએ જુના વિચારોને તિલાંજલિ આપી સમયની સાથે કદમથી કદમ મિલાવવામાં પુરો સાથ સહકાર આપી ઉત્સાહ પુરો પાડ્યો છે.
તેવી જ રીતે નવી પેઢી ( યંગ જનરેશન ) માં પણ એજ્યુકેશન અને આવડત નુ પ્રમાણે જોવા મળી રહ્યુ છે.
વિદેશમાં વસવાટ કરવાની સાથે એજ્યુકેશન, ટેક્નોલોજી, જ્ઞાન, વિજ્ઞાનનો સુમેળ અને ભારતીય સંસ્કૃતિના મૂળભૂત મૂલ્યોને ધ્યાનમાં રાખી ઉચ્ચતર પ્રગતિ કરી છે.
વિવિધ ક્ષેત્રમાં ટોચના સ્થાને બિરાજી ગુજરાતીઓ સમગ્ર વિશ્વમાં ગુજરાત અને ગુજરાતીઓનુ ગૌરવ વધારી રહ્યા છે.
જય જય ગરવી ગુજરાત
રાજેશભાઇ એસ વ્યાસ ” રાજ ”
ધ્રુવનગર,,,,, મોરબી
[7/27, 3:11 PM] Jaykant Ghelaani.MeM.NOG: NOG સાહિત્ય સરીતા ગૃપ (૧)
NOG N0 :.S.S. 0059.
વિષય:દેશ-વિદેશમાં,
ગુજરાતીઓનો દબદબો
અને બદલાતી સામાજિક
આધુનિક શૈલી.
શીર્ષક: ‘વિશ્રવમા આગવી
ઓળખ ગૂજરાતીની”.
શબ્દૉ: ૩૪૮.
©️જયકાન્ત ઘેલાણી-‘પ્યારે”.
વિશ્ર્વની પ્રજા, સામાન્ય સનાતન સત્યતો એકી અવાજે સ્વિકારે છે કે,
” જે સમય સાથે ચાલે,
પ્યારે” તે જરૂર ફાવે”.
જ્યારે’ આપણી ગૂજરાતી કોમ તો
સમયથી પણ આગળ !,એટલે કે
આવનાર ભવિષ્યનો પ્રથમ વિચાર કરીને, પ્લાન બનાવીને ચાલનારી કોમછે તેથી,
“પ્યારે” ગૂજરાતી સર્વતે પૂજયતે”.
સો ટકા વિશ્ર્વાસ સાથે લખુછુ કે આજે વિશ્ર્વના વ્યાપાર જગતમા પ્રમાણિકતા અને વિશ્ર્વાસનિયતા માટે ગૂજરાતી* અવલ નંબરે છે.
જે આદર આપેછે, તેજ આદર મેળવવાનો હક્કદાર ! ,
આછે ગરવા ગુજરાતી નો વિશ્ર્વના દરેકખૂણે અને દરેક ક્ષેત્રે, છવાઈ જવાનો રાજ!
સલામ, ગુજરાતી- સલામ !
ગુજરાતી પ્રજા તેની આવડત, કડી મહેનત અને કૂનેહથી દરેક ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરેછે અને મોખરાનું સ્થાન રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે મેળવીને જ જંપેછે.
આઝાદી ની લડતમા, સત્ય અને અંહિસા ના શાસ્ત્રો વડે, આધૂનિક
શસ્ત્ર ના સોદાગર પાસેથી
આઝાદી મેળવનાર પણ આપણા
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી !
વિશ્ર્વ ના પટ પર જેની અમીટ છાપ પડીછે તેવાં ગરવા ગૂજરાતી નો આછેરો ઈતિહાસ જાણીએ.
ભારતના પ્રથમ ગૃહપ્રધાન,
શ્રી વલ્લભભાઈ પટેલ, જેઓએ
પાંચસો રજવાડાનુ એકીકરણ કરી, ભારતના વધુ થતા બટવારા રોકી, “લોખંડી પુરૂષ “નું બિરુદ હાંસલ કર્યુ.
ભૂતપૂર્વ વડાપ્રધાન
શ્રી મોરારજીભાઈ દેશાઈ એ વિશ્રવમા નાણાપ્રધાન ની આગવી ઓળખ કંડારી.
વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદી
તેમજ તેમની ટીમની સુદ્રઢ
કામગીરીની નોધં આજે પણ વિશ્ર્વને લેવીજ પડેછે, પછી પાકિસ્તાન હોય કે ચીન ?
ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે,
નર્મદ,મૂનસી અને મેઘાણી જેવા અનેક કવિ- લેખકોએ ગૂજરાતીની આગવી ઓળખ જમાવીછે.
જાદૂ ક્ષેત્રે બગસરાના વતની
કે.લાલે વિશ્ર્વને ચકીત કર્યુ.
આધ્યાત્મિક ક્ષેત્રે યુગપુરૂષ
શ્રીમદ્ રાજચંદ્રજીએ, જૈન ધર્મ નું
આત્માનું અનમોલ રહસ્ય સમગ્ર વિશ્ર્વને બતાવ્યુ.
ટુંકમા ગુજરાતીનો દબદબો, સંસ્કૃતિ, કલા, સ્થાપત્ય,વિજ્ઞાન
ખાન- પાન જેવાં વિવિધ દરેક ક્ષેત્ર ઉપરછે.સમસ્ત વિશ્ર્વમા કાયમ રહ્યોછે અને રહેશે.
હાં આધુનિકતાના બ્હાના નીચે,
પશ્ર્ચીમી સંસ્કૃતિની આડ અસર આપણી રીત ભાત ઉપર પડીછે અને આપણે તેના પરિણામ પણ ભોગવી રહ્યા છીએ.
જાગ્યા ત્યારથી સવાર ગણી,
ફરી આપણા અમૂલ્ય સંસ્કાર વારસાને સ્થાપિત કરીનેજ ગુજરાતીઓ જંપશે, તેમા બે મત નથી.
– ઉઠો, નવયુવાનભાઈ બ્હેનો !
” પ્યારે’શૂભષ્ય શિઘ્રમ !.
જયકાંત ઘેલાણી(પ્યારે)
******†***************************
લઠ્ઠાકાંડ વિશેષ સમાચાર :
લઠ્ઠાકાંડ ના સમાચારો માં સૌથી મહત્વની બાબત એ છે કે પોલીસ દારૂ પી અને પાર્ટી મનાવતા પકડાય તો સસ્પેન્ડ થાય અને પછી કેસ ચલાવી પાછા હજાર પણ કરાય પણ ગુજરાત માં ગામે ગામ ચાલતા બુટલેગર તેના દારૂ ના અડ્ડા દીઠ ભરણ શબ્દ ના નામે એક લાખ થી પણ વધારે ચૂકવણી કરે અને આ ભ્રષ્ટાચાર નો કાળો સૌથી મોટો બેનંબર નો રાજકીય ઓથાર હેઠળ પોલીસ સાંઠગાંઠ થી કરે તેમાં કોઈ સસ્પેન્ડ કે ડીસમિસ ના થાય કે કોઈ સજા ના અપાય કે જેના કારોબાર માં છાસવારે નશામાં અનેક મોત થાય..છતાં ગૃહમંત્રી,ગુજરાત પોલીસ વડા,વિરોધ પક્ષ,કે કોઈપણ રાજકીય ધારાસભ્ય,સાંસદ,રાજકીય નેતા આ બાબતે મગ નું નામ મરી પાડવા નથી માંગતો કે કોઈ ન્યાયતંત્ર પણ આ વેપલા ને બહાર પાડવામાં આગળ નથી આવતા..સમગ્ર ગુજરાત માં વગર સરકારી ટેક્ષ નો બે નંબર નો મોટામાં મોટો વેપાર અને આ કરોડો ની બેનામી સંપત્તિ સાચવવાનું કેટલું વ્યવસ્થિત વહેચણી પૂર્વક તંત્ર ચાલતું હસે કે બધા તેમાં સંડોવાયેલ હોવાથી કોઈ કાઈ કહેવા તૈયાર નથી..આવા શરમ,લાજ,ઈજ્જત વિનાના,ઘાર નો ઉંબરો ઓળંગવા દેવાય નહિ તેવા પશુજેવું જીવન જીવતાં ભ્રષ્ટ અધિકારીઓ અને રાજકીય,હલકી કક્ષાની ઉભે કરેલી પ્રણાલીઓ ના સૌ ભાગીદારો ને દેવાધિદેવ મહાદેવ મોત જેવી સજા આપે તેવી એક જાગૃત પત્રકાર તરીકે પ્રભુ ચરણો મા પ્રાર્થના…..એક હિ આગ ” જન ફરિયાદ ” ગાંધીનગર.
વલસાડ જિલ્લા પોલીસ વડા પોલીસ કર્મચારીઓ ને દારુ ની મહેફીલ માણતા સસ્પેન્ડ કરી રહેલ છે અને પોતાની સરકારી નિપુણતા સાબિત કરે છે પણ વલસાડ જિલ્લાના ગામો અને નાના મોટા શહેરો માં દારૂ ની ભઠ્ઠીઓ અને દેશી,વિદેશી દારૂ ના વેપાર કરતા લોકો ના હપ્તા રાજ બાબતે મગ નું નામ મરી પાડવા તૈયાર નથી..આ એવું તો કેવું તંત્ર કે કોઈપણ બોલ્યા વિના આ સમગ્ર કાળા કારોબાર ને સહકાર આપી ભાગીદાર બને…..
બિનસત્તાવાર ૭૫ થી વધારે મૃત્યુ આંક સામે આવી રહ્યો છે..
પ્રધાનમંત્રી,મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સાબર ડેરી ના ઉત્પાદનો માં ચૂંટણી લક્ષી લોકાર્પણ માં આજે વ્યસ્ત છે…હજુ સુધી સી.એમ કે પ્રદેશ પ્રમુખ કે ગૃહ મંત્રી લઠ્ઠાકાંડ કે બૂટલેગરો ના પોલીસ અને રાજકીય સાંઠગાંઠ થી થયેલ હપ્તા રાજ બાબતે કોઈ પ્રેસ કરી નથી…જેનો ગણગણાટ સમગ્ર બુદ્ધિજીવી જનતામાં સાંભળવા મળે છે..
આપની આસપાસ બનતી ઘટનાઓ તેમજ તેના સમાચારો અને વિડિયો અમોને અમારા અખબારમાં નિર્ભય રીતે પ્રસિદ્ધ કરવા તેમજ અમારી youtube ચેનલ માં પ્રસારણ કરવા મોકલી આપો. (9824653073 વોટસ અપ..
તંત્રી : પ્રદીપ રાવલ