[7/16, 9:37 PM] Vibhitiben Desai: NOGSS/0044
વિષય:-દ્રષ્ટિ, દ્રષ્ટિ તેવી સૃષ્ટિ,
પ્રકાર:- ગદ્ય
શીર્ષક:- નજર
શબ્દો:-. ૫૫
નામ:- વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
હે ભોળાનાથ
કરજો કૃપા દ્રષ્ટિ
વિનવે ભક્તો.
જોઈએ છે શું!
અમી નજર પડે
શ્રી કૃષ્ણ કેરી!
નજર સામે
કંચન સમ કાયા
કરે ઘાયલ!
થયો ઘાયલ
દ્રષ્ટિ કેરી કળાએ
તફડી રહ્યો!
સુંદર મુખ
દ્રષ્ટિ બની બાવરી!
જોવા તલસે.
બગડે દ્રષ્ટિ
નેટ વાપરવાથી
આવે અંદાજ?
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
[7/17, 10:07 AM] A Nishant Mother.MeM.NOG: NOG SS 0092
પ્રકાર:- પદ્ય
શિર્ષક:- જીવનચક્રમાં દ્રષ્ટિ
આમ તો જન્મતાની સાથે,
દૃષ્ટિનું વરદાન મળે છે.
દુનિયાને જોવાની નજરનું
પ્રભુ પાસેથી સન્માન મળે છે.
બાલ્યાવસ્થામાં દ્રષ્ટિ,
અહેસાસ કરાવે છે સહુના સામીપ્યનો.
નવી દુનિયા, નવા રંગો,
પ્રકૃતિના સાંનિધ્યનો.
દ્રષ્ટિવાન પામે છે,
વિદ્યા, કળા ને આવાગમનની સરળતા.
અનુભવોનું ભાથું બાંધીને,
વિકાસના અવસરોની સહજતા.
યુવાવસ્થામાં દ્રષ્ટિમાં,
જીવનને જોવાનો
નૂતન અભિગમ ભળે છે.
આકાંક્ષાઓ ને મહેચ્છાઓ પર સવાર મનમાં,
સપનાં અને ધ્યેય પણ ફૂલે- ફળે છે.
પ્રૌઢાવસ્થામાં દ્રષ્ટિમાં અનુભવો ભળે છે,
કિતાબી વાતોને બદલે ધરાતલ પર પગ ઠરે છે.
જ્ઞાન, અનુભવ અને કલાનો ત્રિવેણી સંગમ મળે છે,
સાંનિધ્યમાં આવનારનેય એ શીતળ કરે છે.
વૃદ્ધાવસ્થામાં દ્રષ્ટિ પાકટ બને છે,
અનુભવોનું ભાથું કોઈને આપવા ચાહે છે.
ક્યાંક સમદ્રષ્ટિ, ક્યાંક વિશાળ દ્રષ્ટિ ને
ક્યાંક સંકુચિત દ્રષ્ટિ જોવા મળે છે,
સંચિત સંસ્કારો અહીં દ્રષ્ટિરૂપે આવીને ફ્ળે છે.
દ્રષ્ટિ હોય છે સહું સજીવ પ્રાણી પાસે,
પણ ‘દૃષ્ટિવાન’ અહીં જૂજ જોવા મળે છે.
દ્રષ્ટિ, હાલ અને સામે દેખાતી વસ્તુ જુએ છે,
દૃષ્ટિવાન, અદ્રશ્ય ને ભવિષ્યની ઘટનાઓનોય ક્યાસ આજે કાઢી જુએ છે.
‘દ્રષ્ટિ તેવી સૃષ્ટિ’ એ પણ અહીં સત્ય છે,
માનવ મહેરામણમાં સહુનું ‘પોતાનું તથ્ય’ છે.
ચારે તરફ કેટલાંક અંધકાર જુવે છે,
તો કેટલાંક બંધબારણાની તિરાડમાંથી
ડોકાતું સોનેરી કિરણ જુવે છે.
દ્રષ્ટિને માપવાનાય અહીં,
સહુના પોતાના માનઅંકો છે.
કોઈને માટે છે એ માત્ર જોવાની શક્તિ,
તો કોઈ માટે એ વ્યક્તિત્વના વિશેષઅંકો છે.
કવિ માટે ‘હૃદય વેધક દ્રષ્ટિ’, ‘ તીક્ષ્ણ દ્રષ્ટિ’,
ડોકટર માટે ‘નબળી દ્રષ્ટિ’, ‘ ટૂંકી દ્રષ્ટિ’, લાંબી દ્રષ્ટિ.
પરામર્શક માટે ‘આજમાં રાચતી દ્રષ્ટિ’, ‘દીવા સ્વપ્નો જોતી દ્રષ્ટિ’ ,
ને તત્વચિંતકો માટે જીવનને જોવાની દ્રષ્ટિ.
– અલકા નવિનચંદ્ર મહેતા
ગાંધીનગર
૧૭/૦૭/૨૨.
[7/17, 11:55 AM] Ratibhai Vaayada.NOG.MEM..Bombay Puja Kanani.Mithapur: N.O.G. S. S.. No. 0102.
નામ:- રતીલાલ વાયડા
વિષય:-દ્રષ્ટિ.
પ્રકાર. :- ગદ્ય .લેખ.
શીર્ષક:-જુદી જુદી દ્રષ્ટિ.
તારીખ:- ૧૭/૭/૨૦૨૨. રવિવાર.
રચના:-
માનવીની દ્રષ્ટિમાં એક ચોક્કસ પ્રકારનો જાદુ હોય છે. દ્રષ્ટિના અનેક પ્રકારો આવતા હોય છે.તેમાં મુખ્યત્વે સારી દ્રષ્ટિ અને ખરાબ દ્રષ્ટિ એમ બે પ્રકાર પાડી શકાય.
સારી દૃષ્ટિ માણસના જીવનને ઉન્નત કરે છે. પ્રથમ દ્રષ્ટિએ માણસને પ્રેમ થઈ જાય છે અને જે જિંદગીભર નિભે છે. માની મીઠી નજર પણ પોતાના બાળકોને લાગે છે. વડીલોની અને ગુરુજનોની મીઠી દ્રષ્ટિ એ માણસના જીવનમાં ઉત્કર્ષનું કામ કરે છે અને તેના વિકાસને ચારે તરફથી સમૃદ્ધ બનાવે છે.
માનવજીવનની પ્રગતિમાં આ સારી દ્રષ્ટિ જ ઘણી મહત્વની હોતી હોય છે અને તેને કારણે દુનિયાનો વિકાસ થઈ શક્યો છે અને માણસનું જીવન સમૃદ્ધ બની શક્યું છે.
ઘણા લોકોની બુરી દ્રષ્ટિ હોતી હોય છે .તેઓ બુરી દ્રષ્ટિએ બીજાને જોતા હોય છે. ઈર્ષા અદેખાઈ હૃદયની આગ આ બધી બાબતો તેની દ્રષ્ટિમાં આવતી હોય છે ,અને તેની દૃષ્ટિ જો પડે તો માણસનું જીવનમા ઘણીવાર તો નુકસાન પણ થઈ જતું હતું હોય છે.
ઘણા લોકો પોતાની બુરી દૃષ્ટિથી બીજાને બધું જોતા હોય છે. તેને કારણે માણસના જીવન ઉપર પણ ખરાબ અસર થતી હોતી હોય છે .ઘણા દાખલા એવા જોવા મળે છે કે એક માણસ જમતો હોય સામે માણસ ભૂખો હોય અને તેની દ્રષ્ટિ જો તેને લાગી જાય તો ભૂખો માણસ સામે માણસને હેરાન પરેશાન કરી નાખે છે અને તેના જીવનમાં બીમારી વિગેરે પણ આવી જતું હોય છે. માટે જ એમ કહેવામાં આવે છે કે તમે જ્યારે ખાતાઓ ત્યારે આસપાસમાં લોકોને થોડી થોડું થોડું આપો અથવા તેના તરફ સારી દ્રષ્ટિ રાખો.
ઘણીવાર નાના બાળકો તરફ પણ ઘણા લોકો કુદ્રષ્ટિકરે છે, અને આમ કરવાથી બાળકમાં બીમારી આવી જતી હોય છે. ઘણીવાર ડોક્ટર તેનો કોઈ ઈલાજ કરી શકતું નથી, પરંતુ જ્યારે દ્રષ્ટિ ઉતારવામાં આવ્યા અથવા નજર ઉતારવામાં આવે ત્યાર પછી જે તે બાળક સ્વસ્થ બની શકતું હોય છે. બુરી દૃષ્ટિ મોટા માણસોને પણ લાગે છે .તમે ઘણીવાર સારા કપડાં પહેરેલા હોય .તમારા પાસે સાધન સંપત્તિ, સમૃદ્ધિ હોય અને તેના તરફ જો કોઈની કુદ્રષ્ટિ લાગી જાય તો આ સંપત્તિમાં ઝાંખપ આવતી હોય છે ,અને તે લોકોને પણ ઘણીવાર ખૂબ સહન કરવું પડતું હોય છે. એટલું જ નહીં પણ તમે સારા કપડાં પહેરેલા હોય અને કોઈને કુ દ્રષ્ટિ જો લાગી જાય તો એ વ્યક્તિ બીમાર પડી જાય છે. તેના પણ ઘણા બધા દાખલાઓ જોવા મળે છે. જ્યારે દૃષ્ટિ અથવા નજર ઉતારીએ ત્યાર પછીથી જ તેનું નિવારણ થતું હોતું હોય છે.
દ્રષ્ટિ સારી રાખો. બીજા તરફ હંમેશાં ભલાઈની ભાવનાથી જુઓ તે જ વધારે અગત્યનું છે.
લેખક:-
રતીલાલ વાયડા
નવી મુંબઈ.
૨૭/૭/૨૦૨૨. રવિવાર.
.
[7/17, 1:30 PM] Puja Alka Kanani.Kutchh.Kananips.MeM.NOG: NOG SS -નંબર 0042
વિષય – દ્રષ્ટિ
પ્રકાર – ગદ્ય(વાર્તા)
શીર્ષક – જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ
શબ્દ – ૨૮૦
શેરીની બહાર નીકળતી જયાને જોઈ એટલે ઓટલા પરિષદની મહિલાઓમાં તરત અંદરો અંદર વાતો થવાં લાગી.” આ, જયા રોજ અત્યારે લટક મટક કરતી ક્યાં જતી હશે? ત્યાં રમા બોલી,” રામ, જાણે!આપણી સાથે ક્યાં બોલે છે!તો આપણે ખબર પડે.”
પોતાનો દરવાજો બંધ કરતા વિમળાબેનના કાને આ શબ્દો પડ્યા એટલે તરત બહાર આવ્યા અને કહેવા લાગ્યા,” તમારે પંચાત ભારે હો… કોણ શું કરે?ક્યાં જાય? વગર વાંકે બીજાની શંકા કરવાની? લ્યો સાચું સાંભળવું છે ને? હું કહું? થોડા દિવસ પહેલા એ મારા ઘરે આવી હતી અને મને કહ્યું હતું ‘બા, હું થોડું ઘણું ભણેલી છું મને કશું કામ અપાવો. ઓટલા પર બેસી પંચાત કરવી એ મને ના ગમે. અત્યારે છોકરા-છૈયા નથી તો કંઈક કામ કરી શકાય. આ મોંઘવારીનો અજગર તો મોં ફાડીને ઉભો છે. બે જણ મળીને કમાઈએ તો બે પૈસા ભેગા થાય અને ભવિષ્યમાં કામ લાગે.’ એટલે મેં મારી વહુ ને કહ્યું અને તેણે મારી પૌત્રીને કહ્યું. મારી પૌત્રી અને જમાઈ ડોક્ટર છે ને? એટલે તેમણે જયાને કોમ્યુટર શીખવાનું કહ્યું છે. એટલે જયા અત્યારે કોમ્પ્યુટર ક્લાસ જાય છે. કોમ્પુટરમાં દવાખાનાને લગતું કામ શીખી જશે પછી તેને દવાખાનામાં જ રિસેપ્ટનિસ્ટ બનાવી કામ પર રાખી લેશે અને સારો પગાર પણ આપશે. ઓટલે બેસીને પંચાત ફૂટવી એના કરતાં બે પૈસાની આવક ઊભી કરવી એ શું ખોટું! બોલો હવે કાંઈ વધારે માહિતી જોઈએ છીએ? આતો કમળો હોય એને પીળું દેખાય.” આટલું સાંભળતા ઓટલે બેઠેલી બધી મહિલાઓના મોં જોવા જેવા થઈ ગયા.
જયા પોતાના ભૂલાઈ ગયેલા ચશ્મા લેવા પાછી ફરી ત્યારે આ બધી વાતો તેના કાને પડી પણ વિમળાબેનનો જવાબ સાંભળી મનોમન ખુશ થઈ ગઈ ‘વાહ બા, શું જડબાતોડ જવાબ આપ્યો છે! ખરેખર ‘જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ.’
પૂજા(અલકા)કાનાણી
[7/17, 2:22 PM] Varshaben Desai.MEM.Baroda: NOGSSNO. 0097
વિષય: દ્રષ્ટી
પ્રકાર : ગદ્ય
શીર્ષક : વૈવિધ્ય
સમગ્ર સૃષટિ ના રચયિતા બ્રહ્માજીએ એમની અસંખ્ય અને અકલ્પ્ય રચનાઓમાં ખુબ વૈવિધ્ય ભર્યું છે. ઝાડ,પાન,પશુ,પ્રાણી મનુષ્યો વગેરે વગેરે. છતાં બધી જ કૃતિઓ ભિન્ન. આપણે નસીબદાર છીએ કે પ્રભુએ આપણને આ સૃષટિના સૌંદર્યનું રસપાન કરવા દ્રષ્ટી પણ આપી છે.આ થઈ બાહ્ય દ્રષ્ટી.
બીજી છે આંતર દ્રષ્ટી. એ દરેક મનુષ્યે પોતે પોતાની સુઝ,બુઝ અને આવડતથી મેળવવી પડે છે.
આંતર દ્રષ્ટીથી તમે તમારું મૂલયાંકન પણ કરી શકો છો અને સામાનું મન પણ જાણી શકો છો.
ત્રીજી દ્રષ્ટી, એ છે દીર્ઘ દ્રષ્ટી. એ થકી તમે તમારાં ભવિષ્યનું આયોજન કરી શકો છો. દરેક વ્યક્તિ દીર્ઘ દ્રષ્ટા નથી હોતા. ભવિષ્યમાં આવનાર મુસીબતનો અથવા પરિણામનો ક્યાસ કાઢીને આયોજન કરી શકે. અને એ મુજબ પોતાનું કે અન્યનું ભવિષય ઘડી શકે.
આ રીતે બહ્રમાજીએ સૃષટિ નું સર્જન કર્યું અને માનવ પોતાની સુઝ,બુઝથી આંતર દ્રષ્ટી અને દીર્ઘ દ્રષ્ટી કેળવી પોતાનિંજીવન કંડારી શકે.
વર્ષાબેન દેસાઈ
એડવોકેટ
વડોદરા- સિડની
[7/17, 4:09 PM] Babu Sangada.પત્રકાર: NOG.109
શિર્ષક :-જેવી દ્રષ્ટિ એવી સુૂષ્ટિ
પ્રકાર :-ગધ
બાબુ સંગાડા”મહેક”
સંસારમાં તમને અનેક પ્રકારના માણસો જોવા મળશે,વૈચારિક મતભેદ,વિવિધ દ્રષ્ટિકોણથી ભર્યા,
આ બધું સંસારે જેટલું નકામું છે એટલું જ કામનું છે,
વૈચારિક મતભેદો ,પ્રગતિ તરફ વધવા પ્રોત્સાહિત કરે,
કાતો ત્યાંથી માણસને રોકવા પ્રયત્ન કરે,સંસારના કિનારે બે વિચારધારા વહે છે જે માણસને જીવવા પ્રેરે છે,એક જ અનુભવમાં માણસ બે રીતે શીખે છે,તેમા બન્નેની જાેવાની દ્રષ્ટિ અલગ અલગ હોય છે,એક વ્યક્તિ તેમાથી જે સમજે કે શીખે છે તેજ અનુભવમાંથી બીજાે વ્યક્તિ કઈ બીજું સમજે ને શીખે છે.મતલબ એ થયો કે બન્નેની જાવાની દ્રષ્ટિ અલગ હોય છે,
દા.ત..પેલો માણસ આવે છે..એક વ્યક્તિ આવતા માણસને જોઈને સમજે છે,બીજો વ્યક્તિ જોઈને બોલે”પેલો માણસ કયાંક જાય છે.એકને એવું લાગેકે એ માણસ આપણને જોઈને આપણી પાસે આવે છે,આપણી ભાવના એને અહી સુધી ખેચી લાવે છે,જયારે બીજો માણસ ભાવનાનું ખંડન કરે છે,કોઈ કામર્થે નીકળ્યો હશે..એવું જુવે છે.આ બન્ને દ્રષ્ટિકોણ સંસારમાં એકધારા વહેતા રહેવાના કારણે સુૂષ્ટિનું સંતોલન જાળવી શકાય છે.એક પાડે ને બીજો ઉઠાડે..આ સંસારનું સત્ય છે.
માણસની જોવાની દ્રષ્ટકોણથી જીવનની શરૂઆત છે,તમે તમારા જીવનમાં બની ગયેલ ઘટના,પ્રસંગોને તમે કેવી રીતે જુવો તેના પર આધાર તમારા જીવનનો હોય છે,તમે પોઝિટીવ લો છો કે નેગેટીવ તમારે ખૂદ નક્કી કરવાનું હોય છે,એજ વિચારો તમારા ખૂદના જીવન પર એટલા જ અસર કરે છે.
એટલે બને ત્યાં સુધી માણસે તેેમાથી જીવનને ઉપયોગી શબ્દો સ્વીકારી જીવન સુગંધીત બનાવવું જોઈએ.તમે ખૂદ તમારા જીવનને રખેદખે કરી નાખશો…તમને ખબર તો છેજ કે જેવી દ્રષ્ટિ એવી માણસની સુૂષ્ટિ હોય છે.
બાબુ સંગાડા”મહેક”
[7/17, 5:25 PM] Dr. Manisha Vyas,AcharyaMeM.NOG: *NOGSS NO-* 0088
*વિષય-* દ્રષ્ટિ તેવી સૃષ્ટિ
*પ્રકાર-* ગદ્ય
*શીર્ષક-* ગુરુદ્રષ્ટિ એજ દૂરંદેશી
*નામ-* ડૉ. મનીષા વ્યાસ
*ગુરુ ગોવિંદ દોનું ખડે કિસ કો લાગુ પાય.. બલિહારી ગુરુ આપ કી.. ગોવિંદ દિયો બતાય..*
આ દોહો પરાપૂર્વથી ગુરુપૂર્ણિમાએ ગવાતો આવ્યો છે. શાસ્ત્ર પ્રમાણે “ગુરુ” એટલે “ગુ” એટલે અંધકાર અને “રુ” એટલે તેનો નિરોધક પ્રકાશ. આ બંને અક્ષર મળીને “ગુરુ”નો અર્થ- ‘શિષ્યને અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશમાં દોરી જનાર માર્ગદર્શક કે ભોમિયો’.
ગુરુકૃપા એટલે એક ચોક્કસ દૂરંદેશિતા સાથે જીવન જીવવા માટેની ગુરુની પથદર્શક વિશેષ કૃપા. દૂરંદેશી એટલે “વિઝન”, “દૂર સુધી જોવાની શક્તિ”
ઘણી નાનીમોટી સંસ્થાઓ, નિગમો, સરકારી આયામો, યુનિવર્સિટીઓ વગેરેને પોતાના ધ્યેય અને તે ધ્યેયપૂર્તી માટેનાં વાક્ય હોય છે.. કેટલાંક ધ્યેયવાક્યો જેવાંકે..
જીવનવીમાનું *योगक्षेमं वहाम्यहम।*
સુપ્રીમ કોર્ટનું *यतो धर्म ततो जय।*
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ *असतो मा सद्गमय*
આપણા પ્રાચીન કાળથી અનેક પ્રખ્યાત ગુરુશિષ્યની જોડીઓ થઈ ગઈ..જેમાં
શ્રીરામ- વશિષ્ઠ, શ્રીકૃષ્ણ- સાંદિપની, ચંદ્રગુપ્ત-ચાણક્ય, શિવાજી-સમર્થ રામદાસ, સ્વામી વિવેકાનંદ- રામકૃષ્ણ પરમહંસ, મીરાબાઈ- રૈદાસ.. આવી અનન્ય ગુરુશિષ્યની જોડીઓમાં ગુરુ દ્રોણાચાર્ય અને એકલવ્યનું નામ ભલા કેવી રીતે ભુલાય?
એકલવ્યની ગુરુભક્તિની વાર્તામાં ગુરુ દ્રોણાચાર્ય પાસે વનવાસી એકલવ્ય બાણવિદ્યા શીખવા જાય છે. ગુરુએ ના પાડતાં.. તે જંગલમાં ગુરુ દ્રોણની મૂર્તિ બનાવી તેમની સન્મુખ બાણવિદ્યા શીખ્યો અને એકવાર જંગલમાંથી પસાર થતાં ગુરુદ્રોણ તેની બાણવિદ્યાથી પ્રભાવિત થઈ.. તેની પાસેથી ગુરુદક્ષિણામાં તેનો જમણા હાથનો અંગૂઠો માગે છે અને પોતાના ગુરુની આજ્ઞા માથે ચડાવી એકલવ્ય વિના સંકોચ અંગૂઠો ચરણે ઘરે છે.
આ વાર્તા સાંભળ્યા પછી હંમેશાં થતું શું આટલા મહાન ગુરુ માત્ર પોતાનો શિષ્ય અર્જુન જ મહાન બાણાવરી બની રહે તેવી મહત્વકાંક્ષાએ આવી ગુરુદક્ષિણા માંગી શકે ખરા?
અનેકો સાથેની ચર્ચા પછી તાત્પર્ય આવ્યું “ના” આમાં પણ ગુરુની દૂરંદેશીતા હતી. કૌરવોની વર્તનછાપ અને પાંડવોના સ્વભાવ પરથી ગુરુ સમજી ગયા હશે કે લાંબા ગાળે પાંડવોને પોતાના હક કૌરવો પાસેથી સ્વબળે અને પ્રયત્નપૂર્વક મેળવવા પડશે. ત્યારે યુદ્ધ સંભવિત હોઈ શકે અને યુદ્ધ સમયે અર્જુનને દિવ્ય અસ્ત્રો- શસ્ત્રોની જરૂરિયાત પડશે.
તે સમયના નિયમો પ્રમાણે દિવ્યાસ્ત્રો તેને જ મળે જે પ્રખર બાણાવરી હોય. ત્યારે જો અર્જુનને આ દિવ્યાસ્ત્રો ના મળ્યા હોત તો? ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રના ધર્મયુદ્ધનું પરિણામ શું હોત?
ગુરુદ્રોણે પોતાની ઉપર શિષ્યદ્રોહનો આરોપ લઈને પણ દૂરંદેશીતાને પ્રાધાન્ય આપી સમગ્ર સંસારનું કલ્યાણ ઈચ્છયું.
બસ આવી જ દ્રોણદ્રષ્ટિ ને ગુરુદ્રષ્ટિ યુક્ત દૂરંદેશીતા દરેક ગુરુઓમાં કેળવાય તેવી અભ્યર્થના…
✍️ *ડૉ. મનીષા વ્યાસ*
*અમદાવાદ*
[7/17, 5:37 PM] Maya Desai.Bombay.MeM.NOG: NOG SS NO.0081
વિષય : દૃષ્ટિ એવી સૃષ્ટિ
પ્રકાર : પદ્ય
શીર્ષક: જોવી સૃષ્ટિને સાચુકલી!
મન માનવનું શોધે ત્રુટિ નિરંતર, જાણે સ્વયંને નિરપરાધ,
દૃષ્ટિ એની શોધે ભૂલો અવરની ,પોતે જાણે હોય સર્વજ્ઞ.
એ તોફાનીએ જોયું એક યુગલ,નર નારી કરતાં એકબીજાંને વહાલ,
એને થયું લાવ આજ પૂછું , એમનાં આ ‘જાહેર’ પ્યારનો રાઝ.
નિકટ જઈ એણે જોયું,દેશનો સૈનિક પગે પાટા સહ નારી સંગે,
નર ચાહે નીરખવા મા ને, વહાલ માવડીનું ગુંજે ભરવા.
મા ની આંખો અનરાધાર વરસે, સ્પર્શે તનયને રોમે રોમે,
ધડકે દિલ એનું,જંગે જઈ શું તનય સાંગોપાંગ આવશે ?
મા -બેટાનાં આ અનુપમ પ્રેમે , દીધાં ચક્ષુ તોફાનીનાં ખોલી,
“ધિક્કાર મારી દૃષ્ટિ,જે જુએ જ ખોડ,નવ સોચે અનુપમ”.
પુસ્તકને ના મૂલવવું મુખપૃષ્ઠથી, નવ કોઈ પ્રેમની કરવી અધમ કલ્પના,
ટેરવે જ્યાં જગ મુઠ્ઠીમાં સમાયું, માનવ મને સૃષ્ટિને જોવી સાચુકલી.
#©️ માયા દેસાઈ
મુંબઈ ભારત.
[7/17, 6:37 PM] Pradip: NOG SS No : 001
પ્રકાર : ગદ્ય
શિર્ષક : દૃષ્ટિ
કહેવત છે કે જેની જેવી દ્રષ્ટિ તેવી તેની સૃષ્ટિ. જેની આંખમાં પીળીયો થયો હોય તેને બધું પીળું જ દેખાય. આમ દૃષ્ટિ ની સીધી અસર ભાવ સાથે જોવા મળે અને અનુભવવા પણ મળે છે..દૃષ્ટિ ની આગળ ગુરુ કૃપા દૃષ્ટિ ઉમેરવામાં આવે તો ગુરુ ભાવ ની અનુભૂતિ થાય…પ્રિયેદૃષ્ટી ની અનુભૂતિ કરવા જઈએ તો બસ પ્રેમ ની અનુભૂતિ થાય. આમ જીવન સફર દરમિયાન જ્યા જ્યા નજર ફરે….તેવી તેવી સૃષ્ટિ ની અનુભૂતિ માણી શકાય..મંદિર માં ઈશ્વર સામે ઊભા હોય ત્યાર ની દ્રષ્ટિ થી માત્ર ધાર્મિક સૃષ્ટિ નજરે પડે છે જ્યારે બાગ બગીચા k koi દરિયા કિનારે જઈએ અને કે સહેલાણી ઉપર દૃષ્ટિ પડે તો તે સૃષ્ટિ નો ભાવ અલગ હોય છે.પણ સાથે સાથે એ પણ અપવાદ રૂપે વિચારવું રહ્યું કે જે લોકો પ્રજ્ઞા ચક્ષુ હોય છે કે જેમની દૃષ્ટિ છીનવાઈ ગઈ છે તે લોકો ની સૃષ્ટિ અને જીવન સફર ની પણ જ્યારે અનુભૂતિ કરિયે ત્યારે ખ્યાલ આવે કે દૃષ્ટિ વિનાનુ જીવન પણ કેવું હોય છે કે જે સ્પંદનો,અવાજ અને વાતાવરણ ની અસરો ઉપર નીરભિત છે….. દૃષ્ટિ તેવી સૃષ્ટિ ….
સંચાલક : પ્રદીપ રાવલ
[7/18, 5:51 PM] Mina Mangroliya.MeM.NOG: NOG.SS NO. 0032
વિષય:- સૂર- સંગીત – સૂરાવલી
શીર્ષક:- *સૂર*
મોરપીંછ લીધું તે હાથમાં રાધા,
કહેતો મોરલીનાં સૂર આપી દઉં.
તારા સ્મિતમાં તો ઓળઘોળ થાઉં,
કહેતો હૈયાનાં હેત આપી દઉં.
હું તો ઢોળું ઢોળુંને સાત સૂર,
બસ ખોબામાં ઝીલી લે સાત સૂર.
તું સૂર રેલાવે તો ગીત કહેવાય,
હું શ્વાસ છોડું તો પ્રીતડી કહેવાય.
શ્વાાસમાં આવે છે તારા શબ્દોનું પૂર,
દિલમાં આવે છે તારા મૌનનાં સૂર.
આજ આવે છે એ શરણાઈનાં સૂર,
સૂરને મેં સાચવ્યો છે મારો લય સમજી .
સમજો તો સમજી જાવ આ સૂરને,
સૂર સંગીત સરગમ સમજી.
મીના માંગરોલીયા. મીનુ
***†******””**””””””**************
બ્રેકિંગ ન્યૂઝ : Rusi saunuk highest..
Cruise passes tower bridge.London
Sanatan mandir. Leister https://youtu.be/HCRQXwQ-SSA