[7/14, 7:04 PM] Nayana.MeM.NOG Patel: NOG.SS.NO.73
વિભાગ.પદ્ય
શબ્દ.દ્રષ્ટિ
શીર્ષક.અમી નજર
એ નજરથી નજર મિલાવીને ગયા છે,
એ અમી દ્રષ્ટિ મુજ પર કરીને ગયા છે.
એ આંખોથી બધું કહીને ગયા છે,
એ પાંપણો ઢાળીને હા કહી ગયા છે,
એ આંખના ઇશારાને સમજી ગયા છે,
એ હોઠને માલકાવીને ગયા છે.
એ નજરથી બાણ ખેંચીને ગયા છે,
એ તીર સીધું રહદયમાં ઉતારી ગયા છે
એ અમી દ્રષ્ટિ અમારી ઉપર કરીને ગયા છે,
એ નજરથી નજર મિલાવીને ગયા છે
નયના પટેલ..નૈન.
[7/14, 9:11 PM] Prafulla Prasanna: NOG સાહિત્ય સરિતા (૧)
N. G. No. — 39
વિષય – દ્રષ્ટિ એવી સૃષ્ટિ
પ્રકાર — ગદ્ય — લેખ
શીર્ષક — નજરીયો
રચના —
એક વાર દુર્યોધનને પૂછવામાં આવ્યું કે તમને ગમતાં કોઈ એક ભલા માણસનું નામ આપો. દુર્યોધને કહ્યું કે આજ સુધી કોઈ ભલો માણસ એનાં જોવામાં આવ્યો જ નથી. એવી જ રીતે યુધિષ્ઠિરને પૂછવામાં આવ્યું કે તમારી જાણમાં હોય એવાં કોઈ એક બુરા માણસનું નામ આપો.
યુધિષ્ઠિરે જવાબ આપ્યો,’ એક પણ સદગુણ ના હોય એવો કોઈ ખરાબ માણસ મારાં ધ્યાનમાં નથી.”
હનુમાનજી સીતાજીને મળવાં અશોકવનમાં ગયાં ત્યારે ત્યાં સફેદ ફૂલો હતાં જે એમને એમનાં રાવણ પરનાં ગુસ્સાને કારણે લાલ લાગ્યાં હતાં એવો ઉલ્લેખ રામાયણમાં છે જ. આ બધાંનો મતલબ એ જ કે જેવી આપણી દ્રષ્ટિ હોય છે એવું જ આપણે વિચારીએ છીએ અને નિહાળીએ છીએ.
ખલિલ જીબ્રાહ્ન કહે છે કે દર્પણમાં જ્યારે શાશ્વતી વ્યક્તિ દ્રષ્ટિ માંડે ત્યારે બધું જ સુંદર બની જાય છે અને એમને બધું જ સુંદર દેખાય છે. જગતની સુંદર વસ્તુને તો બધાં જ ચાહે પરંતુ આપણી દ્રષ્ટિ એવી નિર્મળ હોવી જોઈએ કે જે કાંઈ અન્યની નજરમાં અસુંદર છે એને પણ ચાહી ચાહીને સુંદર બનાવી શકાય.આપણાં હૃદયમાં પ્રેમ અને લાગણી છલોછલ હશે ત્યારે આ સૃષ્ટિ અને આ સૃષ્ટિ પરની દરેક વસ્તુ આપણને સુંદર જ લાગશે.
દરેક જગ્યાએ, દરેક વ્યક્તિમાં કે દરેક વસ્તુમાં સૌંદર્ય જોવાનાં દિવ્યચક્ષુ દરેક વ્યક્તિ પાસે નથી હોતાં.
અનેક આશ્ચર્યો અને રહસ્યોથી ભરેલી આ સૃષ્ટિમાં દરેકની દૃષ્ટિની અલગ વ્યાપ વિસ્તરેલો છે.જગતને જોવાની, જાણવાની અને માણવાની દરેક પાસે પોતાની આગવી દ્રષ્ટિ છે. માણસનું મનોવલણ અને અભિગમ વ્યક્તિનું માનસિક સ્તર અને મન:સ્થિતિ બતાવે છે. એ પ્રમાણે વ્યક્તિ વસ્તુ કે વ્યક્તિનું મૂલ્યાંકન કરે છે.
સૌંદર્યની પારખું નજર કોઇ પણ વસ્તુના સૌંદર્યની કિંમત ઓછી નથી આંકતી. કાદવમાં કમળ ખીલે છે તો એ કાદવની પણ કિંમત છે. જીવનની દરેક વસ્તુ પ્રત્યે સકારાત્મક અભિગમ હશે તો એને બધું જ સુંદર લાગશે. નક્કામાં લાગતાં પથ્થરમાંથી શિલ્પકાર સુંદર મૂર્તિ ઘડી નાંખે છે. વધેલાં નાનાં ટુકડામાંથીથી દરજી સુંદર વસ્તુઓ સીવી કાઢે છે. કેટલાકને પ્યાલો અડધો ભરેલો લાગે તો કેટલાકને અડધી ખાલી લાગે.
નકારાત્મક દ્રષ્ટિકોણ ધરાવતી વ્યક્તિ કોઈ પણ વસ્તુ કે વ્યક્તિમાં કંઈ પણ સારું જોઈ શકતી નથી. એને બધામાં કોઈક ને કોઈક ખરાબી લાગે છે. હકારાત્મક માનસ ધરાવતી વ્યક્તિ કોઈ પણ સમસ્યાનું સમાધાન શોધી કાઢે છે. જ્યારે નકારાત્મક માનસ ધરાવી વ્યક્તિ શંકાશીલ હોય છે. કમળાવાળી આંખે પીળું જ દેખાય એ કહેવત અહીં સાર્થક થાય છે.
પ્રફુલ્લા “પ્રસન્ના”
[7/15, 1:29 PM] Shila Patel.MeM.NOG: Nog ss :-0038
વિષય :-દ્રષ્ટિ
વિભાગ :-પદ્ય
બદલાઈ ગઈ દ્રષ્ટિ આજના માનવની,
ન જોવાનું જુવે આંખડી માનવની.
નજર પહોંચે દૂર એની કરે ન કદર,
નજરથી ઉતારીદે એવી દાનત માનવની.
અભિમાન રાખે દિલમાં ભરીને,
આંખથી રમાડે એવી આવડત માનવની.
નજર ઉંચી રાખી કરે ધાર્યું એનું અહીં,
પછી ચોધાર આંસુએ રડવાની ટેવ માનવની.
એક તરફી નિહાળે ને ઓળખે નહિ સત્યને,
આંખ બદલે તબીબ પણ દ્રષ્ટિ બદલાય નહિ માનવીની
✍️શીલાપટેલ” આકાંક્ષા.”
[7/15, 6:55 PM] Pradip: N O G S S N 0089
વિષયઃ સૃષ્ટિ- દ્રષ્ટિ
શીર્ષક; અનેરી સૃષ્ટિ
પદ્ય
પ્રવિણા કદકિઆ
******************
સૃષ્ટિ તારી ખૂબ અનેરી
અદભૂત છે કારીગરી
ઓ જીવનના દાતા તારી
દૃષ્ટિ છે અમી ભરી
ઉંચ નીચ નો ફરક ન રાખે
સહુ ની ઉપર સમતા દાખે
ગરીબ તવંગર તારે દ્વારે
ભેદ ન તું રાખે લગારે
કીડી ને કણ હાથી ને મણ
ગૌરવ ભરી છે તારી સમજ્ણ
સાતત્ય ભરેલા તારા ભવનમાં
શિસ્ત થી બને સુનહરું જીવન
સૃષ્ટિમાં તું વ્યાપ્યો સઘળે
ઋતુ પ્રમાણે વાઘાં બદલે
દૃષ્ટિ માનવની મલિન થઈ
લીલું સૂકું નિરખે સઘળે
સૃષ્ટિ સુંદર , દૃષ્ટી નિર્મળ
હરિયાળી નું પવિત્ર દર્શન
પ્રવિણા કડકિયા.હ્યુસ્ટન
[7/15, 10:21 PM] Muktida Oza.MeM: NOGSS-106
NOG-સાહિત્ય સરિતા-ગ્રુપ
શબ્દ-275
પ્રકાર-ગદ્ય
વિષય-‘દૃષ્ટિ’
શીર્ષક-“જેવી ભાવના
તેવી દુનિયા”
****
મુક્તિદા કુમાર
રુપલી
—————-
બાલમંદિરથી લઈ કોલેજ સુધી
બધુંજ ભણાવવામા આવ્યું…
ત્રિકોણ,ગુરૂકોણ,લઘુકોણ,
ષટ્કોણ ,
અષ્ટકોણ– પરંતુ
“આપણું કોણ”
એ તો જીંદગીના અનુભવ
માથીજ શીખવા મળ્યું!!
મન હોય તો ‘માળવે’ જવાય! મન રૂપી તળાવમા જેટલા પત્થરા ફેંકો એટલાં વમળ ઊઠે!પણ..
.ये तो अंदरकी बात है !!!
આપણે જ વિચાર રૂપી વમળો પેદા કરીએ છીએ,એટલે એના પ્રતિબિંબ-
આપણા જેવા વિચાર એવાં જ ફેલાય!
કેટલીક વાર કેટલાક લોકોની હાજરી જ આપણને ખૂંચતી હોય, એ વ્યક્તિ જરા પણ ખરાબ ન હોય..!!
મન તો મરકટ,અભિમન્યુના સાત કોઠાની જેમ જ,તે અહીંથી તહીં ભટક્યા જ કરે છે! એને ખબર જ નથી કે ક્યાં સ્થિર થાવું?! मन चंगातो कथरोटमें गंगा! પણ એ ગંગાને મેલી કરવી કે શુદ્ધ રાખવા ‘ભાવનાઓ’ આપણું વ્યક્તિત્વ ઘડે.
પોતાને ખુશ રાખવું, પુણ્ય છે.(આવું ‘કર્મ’નો સિદ્ધાંત બોલે છે.)
જતું કરવું? જેવું જોઈએ,એવું જ દેખાય!”જગતના કાચના,યંત્રે ખરી વસ્તુ નહિ ભાસે! ”જ્યા ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ”! કવિની કલ્પનાઓ “જીવંતને મૃત અને મૃતને જીવંત કહી શકે!! “ फूल तुम्हें भेजा है ख़तमे,फूल नहि मेरा दिल है ”!!(લો બોલો!!) !
અરે કવિ તો સમજ્યા! પ્રેમીપંખીડાં!પણ પોતાની કલ્પનાઓમાં રાચતાં હોય છે!”पहेले प्यार की पहेली चिट्ठी”!ક્યારેક કબૂતર,ક્યારેક વિમાન, વાદળાં, કાગળીયાથી બનાવેલા પતંગને પણ પોતાની ભાવનાના સંદેશાવાહક બનાવવાનું ના છોડે! આ બધા જ “ભાવ” રે!
“માનસિકતા”એવી વસ્તુ છે, પોતે પેદા કરીએ છીએ.
”હું બિમાર છું,”મને ફલાણો રોગ છે,મારા જેવો બીજો કોઈ ‘રોગીષ્ટ’ દુનિયામાં નથી!” આ બહાને લોકોના આકર્ષણ બને.
*અમારેતો….(દીકરી સુખી હોયતો પણ) કેટલાક “દુ:ખડાં દેવ” દુખડાં ગાયા કરતા હોય!!
આનંદમાં રહીએ, આનંદના જ વિચાર આવે.
આપણને શું જોઈએ? *પહેલાં\હંમેશાં નક્કી કરવું જોઈએ,તો ભાવતાં, ભોજન માણી શકીએ!!! ભાવનાઓનું એવું જ છે.. એટલે વડીલો કહે, “સારું વિચારો.”
“સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ, ભોંયરાઓ એના ક્યાં ક્યાં નીકળે?”-રમેશ પારેખ
——
મુક્તિદા કુમાર
–
[7/16, 11:11 AM] Nikhil Kinariwala.MeM: *NOG SS No* : *0110*
*પ્રકાર : ગદ્ય- *મૌલિક લેખ*
*વિષય* : *દ્રષ્ટિ*
*શબ્દો* : *૩૪૮*
*શીર્ષક* : *’દ્રષ્ટિ જીવમાત્રને વરદાન’*
*લેખકનું નામ* : *નિખિલ કિનારીવાળા (અમદાવાદ)*
ચક્ષુ એ સ્વસ્થ માણસને મળેલું વરદાન છે જેના થકી દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે અને મનુષ્ય આ સૃષ્ટિની સુંદરતાનો નજારો માણી શકે છે એટલું જ નહીં પરંતુ મેઘધનુષી રંગોની અનુભૂતિ કરી શકે છે, સૃષ્ટિકર્તાના દરેક સર્જનની સુંદરતા માણી શકે છે. ચાહે તે સૂર્ય હોય, ચંદ્ર હોય, તારા હોય, ધરતી હોય, નભ હોય, જળ હોય, પર્વત હોય, ફળ-ફુલ હોય, હરિયાળીથી લહેરાતા ખેતરો હોય, પશુ હોય, પંખી હોય કે પછી મનુષ્ય પોતે હોય. આ બધા સૃષ્ટિના સર્જનોની પોતાની એક આગવી ઓળખ છે. સૃષ્ટિનું એક એક સર્જન ભરપૂર રંગો અને સુંદરતાથી ભરેલું છે. તેને નિહાળવા માટે બાહ્ય દ્રષ્ટિની જરૂર પડે છે. પરંતુ તેને અનુભવવા માટે આંતરિક દ્રષ્ટિ મહત્વની બની જાય છે.
આમ દ્રષ્ટિ આ ધરતી ઉપરના કોઈ પણ પ્રાણી માટે ખૂબ મહત્વની છે. કેટલાક પ્રાણીઓ તેમની ચતુર દ્રષ્ટિનો ઉપયોગ શિકાર કરવા માટે ઉપયોગમાં લે છે તો કેટલાક પ્રાણીઓ પોતાના સ્વબચાવ માટે. જ્યારે કેટલાક પક્ષીઓ આકાશમાં સ્વતંત્રપણે અથવા પોતાના સમૂહ સાથે સલામતીપૂર્વક વિહાર કરવામાં ઉપયોગમાં લે છે. જ્યારે મનુષ્ય માટે તો દ્રષ્ટિ વિશેષ મહત્વની બની જાય છે, કારણ કે મનુષ્ય માટે દ્રષ્ટિ રોજીંદા જીવનમાં અને સ્વબચાવ માટે તો ઉપયોગી છે જ, ઉપરાંત દ્રષ્ટિની સાથે મનુષ્યની પોતાની આગવી કલ્પનાશક્તિ અને રંગોની અનુભૂતિ જોડાય છે અને અદ્ભૂત રીતે ગીત, સંગીત, નૃત્યકળા, ચિત્રકળા, છબીકળા વગેરેનું સર્જન મનુષ્ય હસ્તક થાય છે.
દ્રષ્ટિને વિશાળ અર્થમાં મુલવવામાં આવે તો બુદ્ધિજીવી જીવ મનુષ્ય માટે દ્રષ્ટિ એ ચક્ષુ દ્વારા પ્રદાન થતી વાસ્તવિક છબી ઉત્પન્ન કરવાનું વિશિષ્ટ માધ્યમ તો અવશ્ય છે પરંતુ તેથી આગળ વધીને વિચારીએ તો આપણે આપણા સહુ માટે ઘણી વખત ટૂંકીદ્રષ્ટિ અને દીર્ઘદ્રષ્ટિ ની વાત કરીએ છીએ. પરિસ્થિતિઓની વિષમતાના સંદર્ભમાં મર્યાદિત વિચારનારને આપણે ટૂંકીદ્રષ્ટિવાળા કહીએ છીએ જ્યારે આવનાર પરિસ્થિતિનો અંદાજ લઈને તેની કઠિનતાઓ દૂર થાય તે રીતે વિચારવાની ક્ષમતા ધરાવનારને આપણે દીર્ઘદ્રષ્ટિવાળા કહીએ છીએ. ટૂંકી દ્રષ્ટિ ધરાવનાર લોકો ‘પડશે તેવી દેવાશે’ ની વૃત્તિ ધરાવનાર હોય છે. જ્યારે દીર્ઘદ્રષ્ટિ ધરાવતા લોકો ભવિષ્યમાં સર્જાનાર પરિસ્થિતિઓનો ક્યાસ કાઢવાની અદભુત ક્ષમતા ધરાવે છે. તેઓ ભવિષ્યની પરિસ્થિતિઓમાં પોતાને અને પોતાના પ્રિયજનોને સુરક્ષિત અને બીજાથી આગળ રાખવા માટેની વિચારસરણી ધરાવે છે.
દ્રષ્ટિની મહત્તા દ્રષ્ટિહિન લોકોને જોઈએ ત્યારે પ્રતિત થાય છે. આમ દ્રષ્ટિ એ જીવ માત્રને મળેલું ઈશ્વરનું એક વરદાન છે. આ તીવ્ર ઇન્દ્રિયનો પોતાના લાભાર્થે ઉપયોગ કેમ કરવો તે જીવ માત્ર ઉપર નિર્ભર થાય છે.
નિખિલ કિનારીવાળા, અમદાવાદ
૧૬ જુલાઈ ૨૦૨૨