*ધાનેરા ની એક આંગણવાડી કેન્દ્ર ને તાળાચંદ સાંકળચંદ*
ધાનેરા શહેર માં વર્ષો થી ચાલી રહેલી એક આંગણવાડી કેન્દ્રં છેલ્લા કેટલાય સમય થી બંદ હાલત માં જોવા મળી રહી છે
જયારે આ અંગે લોકો દ્વારા એવુ સાંભળવા મળી રહ્યું છે કે આ આંગણવાડી ચલાવતા બહેન એવુ કહેતા સંભળાય છે કે પ્રોગ્રામ ઓફિસર ના ઑડર થી બંદ કરવામાં આવી છે
જયારે બીજી બાજુ એવુ સાંભળવા મળી રહ્યું છે કે આ કેન્દ્રં ની મુલાકાત જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કરી ચુક્યા છે અને આંગણવાડી કાર્યકર ને ઠપકો પણ આપી ચુક્યા છે
જયારે એ નથી સમજાતું કે આમાં સત્ય સુ છે
સુ ખરેખર પ્રોગ્રામ ઓફિસર ના ઑડર થી આ કેન્દ્રં બંદ કરવામાં આવ્યું છે??? જો હા તો કારણ સુ???
સુ કેન્દ્રં નો પુરવઠો નથી લખાતો??? સુ કેન્દ્રં ના પગાર નથી લખાતા??
જેવા અનેક સવાલો એ જન્મ લીધો છે જયારે બીજી બાજુ એ સવાલ થાય છે કે જો પુરવઠો અને પગાર લખાતા હોય તો આમાં ભાગીદાર કેટલા???
આંગણવાડી કાર્યકર, ધાનેરા બાળ વિકાસ યોજના અધિકારી, સેજા ની સુપરવાઈઝર કે પછી સીધે સીધા પ્રોગ્રામ ઓફિસર???
સુ આ સવાલો ના જવાબ પ્રોગ્રામ ઓફિસર આપશે ખરા??
કે પછી બંદ કેન્દ્ર ના પુરવઠા અને બીલો તેમજ પગાર માં એમની પણ ભાગીદારી છે???
*********************************
*ધાનેરા માં જુના શેરીઓ અને રસ્તા ઓ દબાવી બની રહ્યું છે આલીસાન શોપિંગ સેન્ટર???*
*ફોરેસ્ટ ની અને હાઇવે ઓથોરિટી ની જગ્યા પણ દબાવેલી છે કે સુ???*
*સુ આ સત્ય છે???*
આમ તો રેસીડેન્સી અને નવા શોપિંગ સેન્ટર એ વિકાસ ની વાત કહેવાય પરંતુ કોઈ ના રસ્તા દબાવી ને અને સરકાર ના રસ્તા દબાવી ને વિકાસ કરવો એટલે સુ કહેવું અને આમાં પણ લગતા વળગતા અધિકારી ઓ ગાંધી છાપ બંડલો ની આડ માં જેમ તેમ પરમિશન આપી દેતા હોય છે અને ફક્ત દેખાવ પૂરતા ગરીબો ને હેરાન પરેશાન કરી દબાણ હટાવા ની વાહ વાહી મેળવતા હોય છે ધાનેરા માં પણ આવોજ કિસ્સો બનવાની તૈયારી છે
જાણવા મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લા ના ધાનેરા શહેર માં પણ આવી જ રીતે કેટલીક જૂની શેરીઓ ના રસ્તા તેમજ ફોરેસ્ટ અને હાઇવે ના રસ્તા દબાવી ને ટૂંક સમય માં એક તોતિંગ શોપિંગ સેન્ટર ઉભું થવાની તૈયારી માં છે
જેમાં જૂની શેરીઓ સહીત આજુબાજુ ની કેટલીક વધારા ની જમીન દબાવી એક ત્રિપુટી તંત્ર ને હાથ પર લઇ આ બાંધકામ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે
એમાં ભારે નવાઈ ની વાત તો એ છે કે રોયલ્ટી નો એક નિર્ધારિત સમય હોવા છતાં એ સમય બાદ એટલે કે અડધી રાત્રે પૂરત નું કામ કરવામાં આવી રહ્યું છે
જયારે બીજી બીજું જોવા જઈએ તો જ્યાં આ શોપિંગ સેન્ટર ઉભું થઇ રહ્યું છે એ જગ્યા ધાનેરા માં આવતા પાણી ના વહેણ યાની કી નદી ની જગ્યા એ બનવા જઈ રહ્યું છે
જો ભવિષ્ય માં ક્યારેય પણ નદી આવે તો એક નહિ પણ અનેક ઘરો બેઘર થઇ જાય એવી જગ્યા પર આ શોપિંગ સેન્ટર બની રહ્યું છે
તો સુ અંગે બાંધકામ ની પરમિશન આપનાર ધાનેરા ની નગર પાલિકા અજાણ છે?? કે પછી ગાંધી છાપ બંદલો ના જોર નીચે નગર પાલિકા પણ આ દબાણ ની માફક દબાઈ ગઈ?? સત્ય સુ એ તો રામ જાણે પરંતુ આ અંગે જો જિલ્લા ના નીસ્થાવાન કલેકટર શ્રી યોગ્ય તપાસ કરાવે તો ભવિષ્ય માં નદી ના પાણી ને રોકી રાખનાર આ શોપિંગ સેન્ટર ના કારણે તબાહ થતા લાખો પરિવાર ને બચાવશે ખરા??? કે પછી આ પરિવારો ડર ના બોજ તળે જ પોતાનું જીવન ગુજારશે???
એ જોવાનું રહ્યું