[7/7, 12:58 PM] Jaykant Ghelaani.MeM.NOG: NOG સાહિત્ય સરિતા પરિવાર-૧
NOG NO. S.S. 0059.
વિષય:મિત્રતા નો સંવાદ.
પ્રકાર: ગદ્ય- લેખ.
શીર્ષક:જગમે ઊંચી એકસગાઈ!
શબ્દો: ૩૪૫.
©️ જયકાન્ત ઘેલાણી- *પ્યારે*.
*મિત્ર* ની વાત લખવી,એટલે, *નીજ*, પોતાનીજ સાચી ઓળખ આપવી ?
સમજે તેને માટે સહેલું અને
ન સમજે તેને માટે ઘણું અઘરું કામ !
કોઈએ સાચું જ લખ્યૂછે કે,
*મિત્ર* એજ *પ્યારે*
મારો *અરીસો*!
કેટલી સત્ય અને સચોટ વાત !
સૌ પ્રથમ *મિત્રતા* બજારમાં વહેંચાતી વસ્તુ નથી, મિત્રો મળેછે,
સારા સ્વભાવથી,સારા વર્તનથી
અને સૌથી વિશેષ અરસ પરસની વિશાળ ખેલદીલીની ઊચ્ચ ભાવનાથી, હાં, જીવનમા સારા મિત્રો મળવા ,અને જીવનભર મિત્રતા ટકાવી રાખવી એ એક ઘણીજ મોટી, કૂદરતની આપેલી અણમોલ ભેટ જ ગણી શકાય.
*મિત્રતા* એટલે સરખા સ્વભાવ વાળી નિ:સ્વાર્થ વ્યકિતઓનુ પ્યારે’, *મધુર મિલન* !,
જે મિલન માટે ભગવાન, *શ્રીકૃષ્ણ* પણ રાજગાદી છોડી, દોડી ગયાહતા,બાળપણના ગોઠિયા,*શ્રીસુદામા* ને મળવાને,
આજ છે,
*રાજ*, મિત્રતા ની મધુરતા નુ !
*મિત્રતા* એટલે,
ઊચ્ચ-નીચ,શ્રીમંત-ગરીબ,
શિક્ષીત-અભણ,ચાલાક-ભોળા,
જેવી વિવિધ ભેદરેખાની,
પ્રમાણિકતા સાથે બાદબાકી કરી શકે તેજ, *મિત્રતા* કેળવી શકે, માણી શકે.
મિત્રતા ના સંબંધ માટે સાચૂજ લખાયુછે કે,જન્મદાતા,
જેની સાથે લોહીના સંબંધ
જોડી ન શક્યો, પણ, લોહીના સંબંધ થી પણ ઊચ્ચ એવા પવિત્ર સંબંધથી જે જોડાયા,
તેજછે , *મિત્રતા* ! *મિત્રતા* પ્રભૂને પણ પ્યારી !
અને તેથીજ,સત્ય ને ઊજાગર કરતી અવનવી કહેવતો પડી,
‘મિત્રતા છે જગમાં મોટી સગાઈ”.
શેરી મિત્રો સો મળે,
તાળી મિત્રો અનેક,
દૂ:ખ સમયે સાથે ઊભોરહે તે
લાખોમાં એક !.
મિત્રતા ની મહેંક પ્રસરાવતુ
અતી ઉતમ દ્રષ્ટાંત એટલે,
ભગવાન શ્રીકૃષ્ણ અને
દરિદ્ર સૂદામાની ઊચ્ચ
*ભેરૂબંધી*.
જન્મજાત સ્વભાવથી અલગ તેવા જગતના બે પદાર્થો ?
પાણીનો સ્વભાવ શિતળ ત્યારે
અગ્નિ નો સ્વભાવ ગરમ છતાં બન્નેની અરસ પરસ માટે ન્યોછાવર કરવાની કેવી ઊચ્ચ ભાવના !
પાણીને ગરમ કરવા અગ્નિ જોઈએ, તો તે અગ્નિ ની
ભડભડતી આગ બુઝાવવા માટે પાણી અતી આવશ્યક !
આછે અરસ પરસના પૂરક અને અરસ પરસ માટે અતી આવશ્યક એવા બે મિત્રોની જુગલબંધી નું અતી ઉતમ દ્રષ્ટાંત !.
જગમા મિત્રતા તેજ માણી શકે
પ્યારે’જે,મિત્રતા નિભાવી શકે !.
મિત્રતા એટલે સોનાની ખાણ !
આપણે સૌ અનૂભવના આધારે લખી શકીએ કે,
*મિત્રતા* ની નાની નાવ થી પણ,
તમે જીવન નો અગાઢ ભવસાગર પાર કરી શકોછો.
*મિત્રતા* એટલે ઈશ્ર્વરે,જગતના
માનવીને આપેલી મહામૂલી શોગાત- ભેટ !
આપણે સૌ મિત્રતાના પવિત્ર બંધને જોડાયાજ છિએ.
*સંવારે*, *મિત્રતા*
જીવનમાં સારી,પ્યારે’
તેની *શાનછે ન્યારી*.
©️ જયકાન્ત ઘેલાણી -પ્યારે”.
[7/7, 3:13 PM] Ratibhai Vaayada.NOG.MEM..Bombay Puja Kanani.Mithapur: N.O.G. S.S. No 0102.
નામ :- રતીલાલ વાયડા
વિષય:- મિત્રતાનો સંવાદ.
પ્રકાર:- ગદ્ય. લેખ.
શીર્ષક:- મિત્ર.
તારીખ:- ૭/૭/૨૦૨૨. ગુરૂવાર.
રચના:-
આપણો મિત્ર એ આપણો અંગત ભાઈ જેવો છે. જે વાત આપણે કોઈને ન કહી શકતા હોય તે વાત આપણે મિત્રને કહીએ છીએ. દુઃખ સુખમાં તે હંમેશા આપણી સાથે હોય છે. તેના ખપે માથું રાખી રડી શકીએ અને અને આશ્વાસન મેળવી શકીએ છીએ.
મુશ્કેલીના સમયે આપણો મિત્ર હંમેશા આપણી સાથે હોય છે. તન મન અને ધન થી તે આપણે મદદરૂપ થાય છે. મિત્રો ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખી શકાય છે કારણ કે તે આપણા તરફ ખૂબ જ પ્રમાણિક અને વફાદાર હોય છે. તેમાં પણ બચપણની લંગોટિયા ભાઈબંધ ની દોસ્તી તો જીવનમાં ક્યારેય પણ ભૂલી શકાતી નથી. તે હંમેશા આપણી સાથે જ હોતો હોય છે.
જ્યાં સગા સંબંધીઓ કોઈ કામમાં ન આવે ત્યાં સાચો મિત્ર આપણી પાસે ઉભી અને આપણું તમામ કામ કરતો હતો હોય છે.
આપણા રાઈ જેવા દુઃખને પણ તે પર્વત સમજી અને આપણી મદદમાં ઊભો રહે છે અને સમયસર કામ પાર પાડે છે.
મૈત્રી જૂની તેટલો રંગ દે છે. બુઢા મિત્રો પણ સાથે મળી અને નાનપણની વાતો કરી અને ખૂબ આનંદ મેળવતા હોતા હોય છે. તેઓનો સંવાદ કલાકો સુધી ચાલતો હોય છે.
શ્રી કૃષ્ણ અને સુદામા ની મૈત્રી જગ જાહેર છે. મૈત્રીમાં ગરીબ તવંગર ના કોઈ ભેદ હોતા નથી. તવન્ગર મિત્ર ગરીબ મિત્રને ખૂબ મદદરૂપ થતો હતો હોય છે.
લેખક:- રતીલાલ વાયડા
નવી મુંબઈ.
૭/૭/૨૦૨૨. ગુરૂવાર.
[7/7, 4:30 PM] Nikhil Kinariwala.MeM: *NOG SS No* : *0110*
*પ્રકાર : ગદ્ય- *મૌલિક લેખ*
*વિષય* : *મિત્રતાનો સંવાદ*
*શબ્દો* : *૨૮૧*
*શીર્ષક* : *’અણીશુદ્ધ મિત્રતા’*
*લેખકનું નામ* : *નિખિલ કિનારીવાળા (અમદાવાદ)*
મિત્ર એટલે સખો અથવા સખી,જે જીવનપર્યંત અણીશુદ્ધ મિત્રતા નિભાવી જાણે. જે પરસ્પરના સંબંધો અને વ્યવહારમાં લાભાલાભથી પર હોય અને સમય આવે મિત્ર કાજે પોતાનું સર્વસ્વ લુંટાવવા તૈયાર હોય. આપણા ધર્મગ્રંથો, શાસ્ત્રો અને ઈતિહાસ આવી કેટલીય ઉદાહરણરૂપ મિત્રતાના સાક્ષી છે.
હું ચોક્કસ એવું માનું છું કે, મિત્રતામાં સંવાદ જરૂર હોય છે પરંતુ તે મૌન સંવાદ હોય છે. એક મિત્ર બીજા મિત્રની વાત તેના ચહેરાના હાવભાવ ઉપરથી જાણી લે છે. હ્રદયની વાત આપોઆપ હ્રદય સુધી પહોંચી જ જાય છે. સાચી મિત્રતા ક્યારેય સંવાદની મહોતાજ નથી હોતી. પહેલા મિત્રએ બીજા મિત્ર પાસે ક્યારેય કશું માગવું પડતું નથી. બીજો મિત્ર પહેલા મિત્રની વ્યથાને કળી લે છે અને તેનું સ્વાભિમાન સાચવીને તેને ખબર પણ ન પડે તેમ તેની પડખે ઉભો રહી તેની મુશ્કેલી દૂર કરવા કોશિશ કરે છે. સાચી મિત્રતા અણીશુદ્ધ હોય છે જેમાં બંનેમાંથી એક પણ પક્ષે અપેક્ષા નથી હોતી કે નથી હોતી ઉપકાર કે આભારની લાગણી.
મહાભારત અને રામાયણ જેવા પૌરાણિક ગ્રંથોમાં આવી અણીશુદ્ધ મિત્રતા વિશે અસંખ્ય પ્રસંગોનો ઉલ્લેખ છે. ભગવાન શ્રી કૃષ્ણ અને નાનપણના સખા સુદામાની અતૂટ મિત્રતા, ગરીબ સુદામાનો નાનપણના મિત્ર દ્વારિકાના રાજા શ્રી કૃષ્ણને મળવા જતાં અનુભવાતો ખચકાટ, સુદામાના પ્રેમથી લાવેલ તાંદુલ આરોગતા દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ ,આ બધાં પ્રસંગો સાચી મિત્રતાને વ્યાખ્યાયિત કરે છે. શ્રી કૃષ્ણ અને અર્જુન, કર્ણ અને દુર્યોધન, શ્રી કૃષ્ણ અને દ્રૌપદીના સંબંધો અણીશુદ્ધ મિત્રતાને એક ચોક્કસ ઊંચાઈ બક્ષે છે. રામાયણમાં શ્રી રામ સાથે વાનરરાજ સુગ્રીવની અને રાવણના નાના ભાઈ વિભિષણ ની મિત્રતા ઉદાહરણ રૂપ છે.
આજના યુગમાં સાચી મિત્રતા મળવી એ ભાગ્ય છે. તાળીમિત્રો તો સો હોય પણ દુઃખમાં પડખે ઉભો રહી સાથ આપનાર એક મિત્ર પણ જો જીવનમાં મળે તો તેને જાળવી લેવો જોઈએ, કારણ કે મિત્રતાના નામે આજકાલ વેપાર કરનારા ઘણા હોય છે પરંતુ અણીશુદ્ધ મિત્રતાનો મૌન સંવાદ સાધનારા મિત્રો જવલ્લે જ મળતાં હોય છે.
નિખિલ કિનારીવાળા, અમદાવાદ
૦૭ જુલાઈ ૨૦૨૨