[7/5, 11:34 PM] Bharat Sanghaani.MEM (Kaushik Shah): NOG:SS:NO.:0101
વિષય: મિત્રતાનો સંવાદ
શબ્દ : ૭૬
શીર્ષક: દોસ્તી
દોસ્તી એટલે કૃષ્ણ અને સુદામાનો શબ્દ વગરનો સ્નેહ!
દોસ્તી એટલે બે અજાણ્યા જનનું મૌન શબ્દના તાંતણે બંધાય!
દોસ્તી એટલે એકના હૈયાની વેદના બીજાની આંખમાં આંસુ લાવે!
દોસ્તી એટલે એકના હૃદયની પ્રસન્નતા બીજાનો અમુલ્ય લ્હાવો!
દોસ્તી એટલે વીજળીના ઝબકારે મોતીડાં પરોવતી ગંગાસતી!
દોસ્તી એટલે જાડેજાને સમજણનું ભાથું આપતી તોરલનું સતીત્વ!
દોસ્તી એટલે દાસી જીવણના ભજનની ચાનક, ને જમીયલ શાહ મીરની ફકીરી!
દોસ્તી એટલે પુષ્ટિજીવની કૃષ્ણ સાથેની આત્મીય સખાભક્તિ!
દોસ્તી એટલે ‘ભરત’મૈત્રીના પવિત્ર ઝરણામાં શાશ્વતીના સ્નેહનો કલશોર!
[7/6, 9:31 AM] R S. Vyas.MEM: NOG SS NO : 0112
વિષય :મિત્રતા
શીર્ષક :અતૂટ મિત્રતા
સાંસારિક જીવનમાં પરિવાર સાથે અને પરિવાર જેટલો પ્રેમ, સાથ, સહકાર, આનંદ, લાગણી જો કોઇને હોય તો એ મિત્ર છે.
મિત્રતાના અનેક દાખલાઓ સમાજને બોધ આપનારા આપણી નજર સમક્ષ આવ્યા છે.
મિત્ર એક એવુ પાત્ર છે કે જેના વિષે લખતા કવિ અને કલમ પણ થાકી જાય પરંતુ મિત્રતાની સંપૂર્ણ વાત ઉજાગર કરવામાં કમી રહી જાય.
ઘણીવાર સામાજીક જીવનની અમૂક બાબતો એવી હોય છે, જે ઘરના પરિવારના સભ્યોથી કદાચ અજાણ હોય પરંતુ એક મિત્ર બીજા મિત્ર સાથે વાત શેર કરતો હોય છે.
ભૂતકાળના અને વર્તમાનના સમયમાં પણ મુશ્કેલીમાં ભાઇની જેમ પરિવારની પડખે જો કોઇ ઉભુ રહેતુ હોય તો એ પાત્ર છે મિત્ર.
જો કે સમયના પરિવર્તન પ્રમાણે મિત્રતાના અમૂક અમૂક કિસ્સામાં ક્યાંક ક્યાંક અપ્રમાણિકતા, ભેદ અને છેતરપિંડીના બનાવો પણ નજર સમક્ષ જોવામાં આવે છે.
પરંતુ એવા જૂજ જોવા મળતા આવા કિસ્સાને બાદ કરતા મિત્રતા એ પારિવારિક અને સર્વશ્રેષ્ઠ સબંધ કહી શકાય.
ટૂંકમાં કહીએ તો મિત્રતા એક અતૂટ અને ઉત્તમ સબંધો છે.
રાજેશભાઇ એસ વ્યાસ ” રાજ ”
ધ્રુવનગર,,,,, મોરબી
[7/6, 4:16 PM] Prafulla Prasanna: N O G. સાહિત્ય સરિતા ગ્રુપ
NG. No. 39
વિષય — મિત્રતાનો સંવાદ
પ્રકાર – ગદ્ય — લેખ
શીર્ષક — કાશ! કૃષ્ણ સરીખો મિત્ર હોય!
શબ્દો – ૩૦૦
કાશ! મારે પણ કૃષ્ણ સરીખો એક મિત્ર હોય.
મિત્રો તો ઘણાં છે જીવનમાં. ઘણાં આવ્યાં ને ઘણાં ગયા. ઘણાં મિત્રો સાચા હોવાનો ભ્રમ સમયે તોડ્યો તો ઘણાં સંકટ સમયની સાંકળ બનીને ઓચિંતા આવીને અચરજ પમાડી ગયાં. સારાં સમયના મિત્રો અલગ અને કઠિન સમયના મિત્રો પણ અલગ! એક મિત્ર એવો હોવો જોઈએ જે કાંઈ પણ બોલ્યાં કે પૂછ્યાં વગર તમારા મુશ્કેલીનાં સમયે વગર બોલાવ્યે આવીને ઉભો રહી જાય. તન, મન અને ધનથી મદદ કરવા તત્પર રહે. જેનાં ખભે માથું મૂકીને રડી શકાય. જેને સુખ કે દુઃખની કોઈ પણ વાત કરી શકાય. જે તમારાં જીવનનાં રહસ્યોનો સાક્ષી હોય અને એને છુપાવી જાણતો હોય. નસીબદાર હોય જેને આવો મિત્ર મળ્યો હોય! બાકી સમયનાં વહેણમાં મિત્રની કોઈ ખોટ નથી હોતી. જીવનરાહ પર ચાલતાં ચાલતાં અનેક મિત્રો મળી જાય છે પણ તેઓ અમુક સમય મર્યાદામાં રહે છે પછી ક્યાંય દેખાતાં નથી. ખરાં સમયે મદદ કરીને પલાયન થઈ જનારાં ફરિસ્તા જેવાં મિત્રો પણ હોય જીવનમાં . વ્યવહારિક જીવનમાં મિત્રો સાથે પણ હવે વ્યવહારિક સંબંધો અસ્તિત્વમાં રહે છે.
પણ મારે તો મિત્ર જોઈએ ગીતાના અઢારમાં અધ્યાયમાં આપેલાં ઉપદેશ જેવો સાચો ઉપદેશ આપે એવો. કર્મનાં સિદ્ધાંતને સમજાવે એવો. મારી ભૂલો જરાય ખચકાટ વગર બતાવે એવો. કર્મોનાં રહસ્યો અને એનાં ફળ વિશેનું સાચું માર્ગદર્શન આપે એવો.
જિંદગી એ કર્મોનો હિસાબ છે તો મિત્ર સાથેનો સંબંધ એ પણ કર્મની જ બલિહારી છે. કર્મોનાં આ હિસાબમાં જે કંઈ મળે છે અને જે નથી મળતું એમાં વ્યક્તિ સિવાય કોઈનોય દોષ હોતો નથી, એમ મિત્ર પણ સારો કે ખરાબ નીવડે તો એ પણ કર્મનો જ હિસાબ છે. જીવનમાં ક્યાંક ભૂલી પડીને ભટકી જઉં, કોઈ ઘટના કે પ્રસંગથી નિરાશા અનુભવું ત્યારે મને કર્મનો સિદ્ધાંત યાદ કરાવે એવો મિત્ર જોઈએ! જે મને અકર્મી બનાવીને મુક્તિના પંથે દોરે અને હું અંતરઆત્માની પ્રતીતિ કરી શકું.
અર્જુનને મળ્યો, સુદામાને મળ્યો, દ્રૌપદીને મળ્યો એવો કૃષ્ણ સરીખો એક મિત્ર મળી જાય તો જીવનનો બેડો પાર થઈ જાય!
પ્રફુલ્લા “પ્રસન્ના”