[5/25, 7:28 AM] Pravina Kadakiya.MeM NOG Houston: NOG S S N 0089
ગદ્ય
વિષય માન અપમાન
શીર્ષક ગૌરવ
———
ઝરણા શાંત અને સરલ હતી. કોઈની ખટપટમાં પડતી નહી. તેને માન મળે કે અપમાન કશો ફરક પડતો નહી .
‘ તૈયાર રહે, હું તને લેવા આવું છું . આપણે તારી મા પાસે જવાનું છે’.
ઝરણાને નવાઈ લાગી. જિગર કેવી રીતે તૈયાર થયો. ઝરણા પ્રેમ લગ્ન કરી સુખી હતી. જે તેના માતા અને પિતાને ગમ્યું ન હતું.
ફોન પર કશું પૂછ્યું નહી. તૈયાર થઈ જિગરની રાહ જોતી હતી. જિગર આવ્યો, ચા પીને બન્ને નીકળ્યા. આખા રસ્તે જિગર કશું બોલ્યો નહી. ઝરણા એ પૂછવું ઉચિત ન માન્યું.
જે ઘરેથી જિગરને અપમાન કરી કાઢ્યો હતો એ ઘરમાં હકથી પ્રવેશ્યો. ઝરણા જોઈ રહી. બારણામાં મા તેને પ્રેમથી ભેટી. જેના આંખમાં આંસુ હતા. પલંગ પર ઝરણાના પિતાજી સુતા હતા. ઝરણા સમજી ગઈ પિતાજી હયાત નથી.
અપમાનનો ઘુંટડો જિગર ગળી ગયો હતો. ઘરમાં મોટો જમાઈ હતો.
બધું કામ સંપૂર્ણ જવાબદારી પૂર્વક પાર પાડ્યું . ઝરણાનો ભાઈ હજુ કોલેજના પહેલા વર્ષમાં હતો.
આનાથી વધારે કયું ઉદાહરણ જોઈએ ‘ માન અપમાન’નું ? વ્યક્તિની પરીક્ષા ત્યારે જ થાય છે. માન શું ટોપલો ભરીને મળે? અરે તેના વર્તન પરથી જણાઈ આવે. સામાન્ય નિયમ છે. “માન આપો માન પામો”.
‘અહંકર’ અને ‘હું’ની વચ્ચે ભીંસાતો માનવી માન અને અપમાન વચ્ચે ઝોલાં ખાય છે. તેના જિવનની દિશા ધુંઘળી જણાય છે. ડગ આગળ ભરો, નાના મોટા અનિચ્છિય પ્રસંગો પ્રત્યે દુર્લક્ષ સેવો. જિવન મૂલ્યવાન છે. પ્રેમ અને સ્નેહ પૂર્વક જીવો.
અપમાન કોઈ કરે તો શાંત રહેવાનાં માલ છે. શરીર પર ક્યાંય ઘા નથી પડતો. ક્રોધથી વાતાવરણ ડહોળાય છે. અપમાનને મનને ખૂણે જમા કરો. તેના પર વિચાર ન કરો. સરવાળા અને બાદબાકી પણ ન કરો. માન આપવાથી બે વ્યક્તિની ગરિમા વધે છે.
આ ખૂબ નાજુક વાત છે. વિચાર કરી આચરણમાં મૂકવા સતત પ્રયત્ન કરવો પડે છે. કાંતું આ નામુમકીન નથી. સંસારમાં શાંતિ પામવાને રામબાણ ઇલાજ છે.
🙏🌹
[5/25, 2:19 PM] Ratibhai Vaayada.NOG.MEM..Bombay Puja Kanani.Mithapur: N.O. G. S. S. No.0102.
નામ:- રતીલાલ વાયડા
વિષય:- માન અપમાન.
પ્રકાર:- ગદ્ય. વાર્તા.
શીર્ષક:- માન અપમાન . (સત્ય ઘટના.)
રચના:-
વડોદરામાં એક બ્રાહ્મણ કુટુંબ રહેતું હતું. પતિ એન્જીનિયર હતો પત્ની શિક્ષિકા હતી. પોતાનું ઘરનું મકાન હતું.બંને નોકરી કરતા હતા સારી રીતે જીવન વિતાવતા હતા. તેમને શેર માટીની ખોટ હતી દસ વર્ષ સુધી સંતાન કરવા માટે દોરાધાગા, બાધા, મંત્રતંત્ર,માનતા, વૈદ ડોક્ટર અને પથ્થર એટલા દેવ ને માની અને સંતાનપ્રાપ્તિ ની કોશિશ કરી પરંતુ તેઓને સદંતર નિષ્ફળતા મળી.
છેવટે તેઓએ એક અનાથ આશ્રમમાંથી પુત્રને દત્તક લીધો.
કોઈ તાજા જન્મેલા બાળકને આશ્રમમાં મૂકી ગયું. આશ્રમ વાળાએ આ બાળકને જોયો અને તેનું પાલન-પોષણ કર્યું.
આશ્રમમાં ઉછેર થઇ રહેલા પુત્રને બ્રાહ્મણ દંપતીએ માગણી કરી અને તેને કાયદેસર વિધિ કરી પુત્રને સોંપવામાં આવ્યો.
પુત્ર શ્યામ વર્ણનો હતો અને તેનો ઉછેર દંપતીએ ખૂબ પ્રેમપૂર્વક કર્યો.મોટો થતાં શાળા અને હાઇસ્કૂલમાં દાખલ થયો. ભણવા પણ ખૂબ સારો હતો .બારમા ધોરણમાં વિજ્ઞાન માં સારા માર્કે પાસ કરી અને માબાપ નું ગૌરવ વધાર્યું.
મા-બાપને ખુશીનો પાર ન રહ્યો હવે અમેરિકામાં કેનેડા જઈ અને વધુ અભ્યાસ કરવા માટેની ઈચ્છા વ્યક્ત કરી અને મા-બાપ પણ તે માટે સંમત થઈ ગયા. આમ તો સાધારણ કુટુંબમાં તો પૈસાની કોઈ ખાસ બચત ન હતી પરંતુ જેમ તેમ કરી અને. પચીસ
લાખ રૂપિયા જેટલી રકમ તેઓએ ભેગી કરી અને પુત્રને કેનેડા ભણવા મૂકયો.
અમેરિકામાં કેનેડામાં જઈ અને તે શિક્ષણ ને છોડી ઉંધે રવાડે ચડી ગયો. તેને દરેક પ્રકારની લાજ છોડી ભણવા કરતાં તેને રખડપટી ગુંડા ગરદી, કરવી અને સ્વતંત્ર જીવન ની આદત પડી ગઈ હતી. તેથી તે કાંઈ અભ્યાસ ન કરી શક્યો.
પૈસા ખૂટી જતાં મા-બાપને વિનંતી કરવા લાગ્યો પરંતુ મા-બાપને પોતાની અક્ષમતા દર્શાવી અને તેને ભારત પાછા આવી જવાનું જણાવ્યું
માતા-પિતાએ આટલા બધા પૈસા વેડફી નાખ્યા તે બાબત ઠપકો આપ્યો અને તેથી તે ખૂબ જ ઉશ્કેરાઈ અને મા-બાપ ને મારવા લાગ્યો.
આ ગાળા દરમિયાન તેને ખ્યાલ પણ આવી ગયું કે તે તેના આ સાચાં મા-બાપ નથી પરંતુ દત્તક લીધેલો પુત્ર છે.
પાલક પુત્ર નું દેવું પૂરું કરતા મા-બાપે પોતાના મકાન અને સંપત્તિ વેચી અને ભાડે મકાન માં રહેવું પડ્યું.દરમિયાન માતાનું પણ મૃત્યુ થઈ ગયું અને હવે લાચાર વૃદ્ધ પિતા આ બાળકને આશરે આવી પડ્યા, પિતાની હાલત કરુણ છે .પુત્ર પણ પંદર-વીસ દિવસે આવે ,બાપને મારકૂટ કરી જે પૈસા હોય તે લઇને ચાલ્યો જાય છે.
લોકો ભેગા મળીને વાતો કરે છે કે કોઈ હલકું લોહી હશે જેને પોતાના પાપ છુપાવવા જન્મતાની સાથે જ બાળકને આશ્રમને હવાલે કરી દીધું. આવું તે બ્રાહ્મણ ના નસીબ માં આવ્યું .તેને કેટલા માનસન્મામથી ઉછેર્યો સારી આશા સાથે ,અને તેના આવા હાલ કર્યા ,અને ભારે અપમાનનો સામનો આજે પણ કરે છે.
પિતા આજે પણ અફસોસ કરે છેકે એના કરતા તો સંતાન વિનાના હોત તો સારું થાત.
રતીલાલ વાયડા
નવી મુંબઈ,
૨૫/૫/૨૦૨૨. બુધવાર.
.