NOG સાહિત્ય સરિતા ગૃપ (૧)
NOG No. S.S.0059.
વિષય:શબ્દ: માન- અપમાન
પ્રકાર: ગદ્ય- લેખ
શીર્ષક: મીઠુઝેર માન !
શબ્દ સંખ્યા: ૩૪૭.
નામ: જયકાન્ત ઘેલાણી – ‘પ્યારે’
માન – અપમાન, બે ટચુકડાં લાગતાં શબ્દો, માનવ જીવન માટે કેટલાં ઘાતક છે, તેની ખૂદને ખબર હોવાં છતાં, અનુભવવા છતાં, દરેક માનવી માન મેળવવાં માટે ઘણાં મોટાં, અકલ્પનિય ભોગ આપતાં હોય છે,
પછી તે આર્થિક હોય કે, પારિવારિક સમયનો કે ,સામાજિક સંબંધનો ! ટૂંકમાં દરેક માનવીને ‘માન’નામની ઝેરી મિઠાઈ ખાવાનો અભરખો એટલો લાગ્યો છે કે તે અન્યનાં અનુભવમાંથી બોધપાઠ લેતો નથી, કશું શીખતો નથી, સમજતો નથી. આનાથી વિશેષ શું મૂર્ખામી હોઈ શકે?છતાં કહેવાય-ગણાય ડાહ્યો!
માન ની ભૂખ વધુને વધુ ઉઘડતી જાય છે અને તે એક દિવસ માન મેળવીને અભિમાની બનતાં, વિનાશ- પતનને આમંત્રે છે. આને કહેવાય ‘માન’નાં અતિરેકનું પરિણામ!
‘જે પોષતું , તે મારતુ,
એ ક્રમછે કુદરતી’.
અતિ વ્રજ્ય !
પ્યારે” ધર્મ, સનાતન સત્ય જણાવે છે કે,
‘માન છોડે તેને મોક્ષ મળે’
જૈન ઈતિહાસમાં દ્રષ્ટાંત છે. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવસ્વામીના પુત્ર બાહુબલી માનરૂપી હાથીની અંબાડી ઉપર વિરાજમાન હોવાથી તેનો મોક્ષ થતો નહોતો. જ્યારે તેની બે બ્હેનોને ભાઈના માનરૂપી અભિમાનની જાણ થાય છે,
અને ભાઈ ને કહેછે ,
‘વીરા, ગજથી હેઠાં ઉતરો “?
(માનરૂપી હાથી ઉપરથી).
અને બાહુબલીના,આંતર જ્ઞાનચક્ષુ ઉઘડ્યાં અને માનનો મદ ઉતરતાં જ કેવળજ્ઞાન થાયછે, આ છે માન ત્યજવાનો પ્રભાવ !
‘અપમાન’ એટલે ?
ઘણા માણસોની ખરાબ આદત હોય છે કે તેઓ નાની નાની વાતમાં અન્યનું અપમાન કરતાં સ્હેજપણ અચકાતાં નથી.જે ઘણી ખરાબ આદત છે, જે સારા સંબધો માટે કાતરનું કામ કરે છે,ઘણું મોટું નુકસાન કરવાં સક્ષમ છે.
આપણા ઈતિહાસનું દુ:ખદાયી ઉદાહરણ એટલે-દ્રૌપદી દ્વારા, દુર્યોધનનું હળહળતું દ્વેષભર્યા શબ્દોથી કરેલું અપમાન !
‘અંધાના,જાયા અંધા’
પરિણામસ્વરૂપ , મહાભારતનાં ભીષણ
યુધ્ધનુ મંડાણ !
માન-અપમાન ને અવગણી
જીવે ,જે મનભેર જીંદગી,
સુખ- દુ:ખ ન અનુભવે તે કદી
‘પ્યારે’ તન-મનથી રહે સ્વસ્થ.
આજના આ કળીકાળમાં આપણને શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન મળ્યાં છે,જે આપણું સદભાગ્ય ગણી શકાય. વિશ્ર્વમાં કરોડો લોકો તેને માન -સન્માન આપે છે, તો લાખો દેશદ્રોહીઓ તેઓને અપમાનિત કરે છે, છતાં તેઓ માન-અપમાનને જરાપણ લક્ષમાં લીધા વગર સ્થિતપ્રજ્ઞ રહી દેશસેવામાં મગ્ન બની રહેલ છે, જે ,તેમની અલગ ઓળખ ઊભી કરે છે.
માન-અપમાનની વેળાએ
‘પ્યારે’ રહે, જે સ્થિતપ્રજ્ઞ ખુદ,
સુખી રહી,રાખે સૌને ખુશ,
તે,છે આપણા વડાપ્રધાન!.