[5/20, 6:44 AM] Nikhil Kinariwala.MeM: *NOG SS No* : *0110*
*પ્રકાર : *અનુભવ લેખ*
*વિષય* : *ભાગ્ય-અહોભાગ્ય*
*શબ્દો* : *૩૪૯*
*શીર્ષક* : *’કૃતજ્ઞતા’*
*લેખકનું નામ* : *નિખિલ કિનારીવાળા (અમદાવાદ)*
ભાગ્ય-અહોભાગ્ય જેવા સુંદર વિષયે લખતાં મને મારા પોતાના અહોભાગ્ય વિશે વાત કરવાની ઈચ્છા થઈ આવી. અહોભાગ્ય એટલે મનમાંથી સુખની અનુભૂતિ સાથે અનાયાસે નીકળી આવતો શબ્દ ‘અહો…ભાગ્ય!’. એક સામાન્ય કુટુંબમાં જન્મ અને નાનપણમાં માતા-પિતાના સાદગીભર્યા જીવન-આચરણમાંથી મને સંતાન તરીકે આદર્શ જીવનના મૂલ્યો ઝીલવા મળ્યા અને દુનિયામાં સુખની અને સંબંધોની સાચી ઓળખ થઈ એ મારું અહોભાગ્ય.
એક એવી ઉચ્ચ મૂલ્યો શીખવતી ગુજરાતી માધ્યમની શાળામાં શિક્ષણ મળ્યું, જ્યાં શિક્ષણ ફી કરતાં વિશેષ સંસ્કારસિંચન, ચારિત્ર્ય ઘડતર, સમાનતા અને માનવીય મૂલ્યોને મહત્વ અપાતું હતું. શાળાના મસમોટા ખુલ્લા રેતાળ મેદાનમાં મિત્રો સાથે ભરપૂર ધિંગામસ્તી કરી બાળપણની મજા માણી એ મારું અહોભાગ્ય જ હતું.
આગળ જતાં એક સુશીલ, સુશિક્ષિત અને સમજદાર જીવનસંગિની પત્ની જીવનમાં પ્રવેશી,જેણે ખૂબ સમજદારીપૂર્વક મારી ખામીઓને અવગણી અને ખૂબીઓને ઉપસાવવામાં હંમેશા સાથ આપ્યો. મારી કારકિર્દીની વ્યસ્તતા વચ્ચે પોતે પણ કામ કરતી સ્ત્રી હોવા છતાં પોતાની ક્ષમતાઓને ઓળંગી જઈ સંતાનોના સર્વાંગી ઉછેરની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી. જીવનયાત્રામાં આવી ખભે ખભો મિલાવીને સાથે ચાલનાર જીવનસંગિની મળવી એ મારું નર્યું અહોભાગ્ય જ તો છે.
મોટી વૈજ્ઞાનિક સંશોધન સંસ્થામાં પ્રતિષ્ઠિત પદ ઉપર રહી વર્ષો સુધી કામ કરી કારકિર્દી બનાવવાની તક મળી તેનાથી મોટું અહોભાગ્ય મારા માટે શું હોઈ શકે? નાનપણમાં જે ભૌતિક સુખ-સગવડની કલ્પના કરી નહોતી તે ભાગ્યમાં સામેથી આવીને મળી. દૂરના સ્થળોની મુલાકાત અને વિમાનની મુસાફરીનું સ્વપ્ન વારંવાર સાકાર થતું ગયું. મારે માટે આ બધું ઈશ્વરની કૃપા અને અહોભાગ્યથી જરાય ઉતરતું નથી.
સંતાનોનું શિક્ષણ, કારકિર્દી અને જીવન ઘડતર આ ત્રણેય બાબતો મુખ્યત્વે દરેક માતા-પિતા માટે અપાર મહત્વ ધરાવે છે. મેં શિક્ષણ લીધું હતું તે જ ગુજરાતી માધ્યમની પ્રતિષ્ઠિત શાળામાં મારા બંને બાળકોએ શિક્ષણ લીધું. મને તેમના શિક્ષણમાં, તેજસ્વિતા કે ચારિત્ર્ય ઘડતરમાં શિક્ષણના ગુજરાતી માધ્યમને કારણે કોઈ અભાવ દેખાયો નહીં. આજે બંને બાળકોની વ્યવસાયિક સ્પર્ધાના વિશ્વમાં સફળ કારકિર્દી સાથે તેમાં ઉચ્ચ સોપાનો સર કરતાં અને સાથે આપસી સંબંધો અને માનવીય સંવેદનાઓને પણ અગત્યતા આપતાં જોઈ અમે માતા-પિતા તરીકે ખૂબ સંતોષ અને ગર્વ અનુભવીએ છીએ. માતા-પિતા તરીકે આનાથી મોટું અહોભાગ્ય શું હોઈ શકે?
જીવનમાં જુદા જુદા તબક્કે સદાય મને સકારાત્મક ઊર્જા વેરતા મિત્રો અને હિતેચ્છુઓ સાંપડ્યા છે જેમણે મને સારા કાર્યોમાં સતત ટેકો આપ્યો અને મારી નબળી ક્ષણોને સંભાળી લીધી. મારા જીવનમાં ઘટેલી અહોભાગ્યની આ પ્રત્યેક ઘટનાઓ માટે હું સર્વથા વિધાતા પ્રત્યે આભાર અને કૃતજ્ઞતાની લાગણી અનુભવી રહ્યો છું.
નિખિલ કિનારીવાળા, અમદાવાદ
૧૯ મે ૨૦૨૨.
[5/20, 8:34 AM] Babu Sangada.પત્રકાર: શિર્ષક :-આંખે ઉઘડયા ચાંદ
પ્રકાર :-પધ
NOG..109
💦આંખે ઉઘડ્યા ચાંદ મારી.
આંખે ઉઘડયા ચાંદ મારી નવલખ તારા ખિલ્યા,
સાતે રંગી મ્હેંદી ભરી હથેળી મલક વળ્યા.
ફોરંતું આ કોઈ રમે ભાગ્ય મારું ઓઢી,
નસીબ કહે એટલું મારું આખે આખું ચઢી.
આંખે ઉઘડયા ચાંદ મારી……..
ઓગળી ઓગળી લાટો થયો ગાડા પૈંડા જેવો,
લાખ બની ચોટી ગયો અંદર બહાર એવો.
રેલો એનો ચાલ્યો ગયો ભીતરી બજાર મહી,
ઝબકી ઊઠી દીવાબત્તી યે પૂનમ ઉઘડી કહી.
આંખે ઉઘડયા ચાંદ મારી…..
સમજું મારું ભાગ્ય અહી કે સમજું અહોભાગ્ય,
વાટ પડી ગઈ દુર્ગંમ રાહે મરું ધરામાં યોગ્ય.
વાંસળી વાગે વુૂંદાવન જાણે ટહુંકે ટહુંકે મોરલા,
નાચે મનડું થનગન થાતું નસીબ બલિહારી હોલા.
આંખે ઉઘડયા ચાંદ મારી…….
બાબુ સંગાડા….મહેક
હાલોલ
[5/20, 9:22 AM] Shila Patel.MeM.NOG: Nog ss :-0038
વિભાગ :-પદ્ય
શીર્ષક :- ભાગ્ય, અહોભાગ્ય
—————————–
ભાગ્ય મારા તારે હાથે તે લખ્યા છે,
વિધાતા બની લેખ તે લખ્યા છે.
અહોભાગ્ય મળ્યો માનવ દેહ મને,
એકએક પથ જીવનના તે લખ્યા છે.
ભટકું જો આમતેમ હું ક્યારેક જગમાં,
નસીબમાં સુખદુઃખ તે લખ્યા છે.
કોણ મળશે કોણ થશે જુદું જીવનમાં,
મિલનને વિરહ અહીંયા તે લખ્યા છે.
છે સર્વશક્તિમાન જગમાં તું હે ! પ્રભુ,
મારી કસોટીના પેપર પણ તે લખ્યા છે.
✍️શીલા પટેલ “આકાંક્ષા”
[5/20, 9:26 AM] Pravina Kathiriya.MeM: NOG SS No : 114
વિભાગ : પદ્ય
શબ્દ : ભાગ્ય ,અહોભાગ્ય
શીર્ષક: ગિરનારની ગોદમાં
શબ્દ સંખ્યા-80
રચના- ક્યારેક મારા અસ્તિત્વને શોધવાની કોશિશ કરું છું,
હવાઓ સાથે વાત કરી,મન ભરુ છું, ચહેરા પર મંદ હાસ્ય મૂકી કુદરત સાથે વાતો કરું છું,
મળી ગયો એકાંતનો ખભો આજ મને,”અહોભાગ્ય” અમારા કે આજે ગિરનારે ખુદ અમને પોતાની ગોદમા લીધી છે,જાણે આજે અમારું ભાગ્ય ખીલ્યુ કે અમને મા અંબાના સાક્ષાત દર્શન થયાં, ચારેકોર આસમાનના રંગો ખીલ્યા પંખીઓનો કલરવ, મનમાં નીરવ શાંતિ, બસ હું અને આ ગિરનારની મસ્ત મજાની લહેરો.
કથીરીયા પ્રવિણા “પવી”.નવસારી.
[5/20, 10:49 AM] A Nishant Mother.MeM.NOG: NOG SS 0092
પ્રકાર:- પદ્ય
વિષય:- ભાગ્ય- અહોભાગ્ય
શિર્ષક :- નસીબની બલિહારી
મહામારીના આ યુગમાં સાજા રહેવું,
એ નસીબની બલિહારી છે.
હું ગર્વ શું કરું મારા ઉપર?
પ્રભુ આ તો કૃપા તમારી છે.
દગો, છેતરપિંડી જયાં ચોમેર છે વ્યાપી રહયાં,
ત્યાં સલામત રહેવું એ નસીબની બલિહારી છે.
હું ક્યાં એટલી સમજદાર છું ?
બચાવી રાખનાર એ ‘ગિરિરાજધારી’ છે.
અકસ્માતોથી રોજ ભરેલા હોય છે છાપાના પાના,
એમાંથી રોજ થતી બાદબાકી મારી છે.
રોજ સાંજે સલામત ઘેર પહોંચાડતી એ કૃપા દ્રષ્ટિ પ્રભુ તારી છે.
ખુના- મરકી, હિંસા ને સ્ત્રીઓ સાથે થતી દુર્ઘટનાઓથી,
સતત મને બચાવી રાખનાર નજર પ્રભુ તારી છે.
કામકાજ માટે ઘર અને બહાર સુરક્ષિતતા તે આપી,
મારા જીવનની પળે- પળ તારા પર વારી છે.
દીકરીના જન્મને જયાં બોજ માની ઉપેક્ષા થતી,
ત્યાં સન્માન આપી તે મારી અસ્મિતા વધારી છે.
દીકરીના મા-બાપ હોવાનું ગર્વ તે એમને કરાવ્યું,
મારી જિંદગી તારી અને બસ તારી જ છે.
યુદ્ધ, વિગ્રહો ને વિવાદોથી ભરેલી આ દુનિયામાં,
ભારતભૂમિ પર જન્મ લેવો નસીબની બલિહારી છે.
જયાં સ્નેહ, ક્ષમા, સૌહાર્દ, ને શુરવીરતા કણ-કણમાં વસે છે,
એ માતૃભૂમિ મને મારા પ્રાણથીય પ્યારી છે.
-અલકા નવિનચંદ્ર મહેતા
ગાંધીનગર
૨૦/૦૫/૨૨.
[5/20, 11:52 AM] Dr.Aniruddh Vyas.MeM.0082NOG: N o g : s s : 0082 ,
વિષય : ભાગ્ય અહોભાગ્ય ,
પ્રકાર : ગદ્ય ,
શીર્ષક : જીવન શૈલી અને ભવ્ય રેખા ,
આપણા હિન્દુ ધર્મ અનુસાર દરેક વ્યક્તિ જનમ સાથે સંપૂર્ણ જીવન અને ગ્રહોની દ્રષ્ટિ નાં અભૂતપૂર્વ મિલાપથી યોગાનુ સાર આ જનમ દરમિયાન સુખ દુઃખ, પરદેશ ગમન, પ્રિય પ્રીતિ પાત્ર , માબાપ નું સુખ , પૌત્ર પુત્રાદી સુખ વગેરે યોગ્ય સમયે અચૂક પ્રાપ્ત કરે છે ,
“મારા અહોભાગ્ય કે તમે અમને મળ્યા ” એ ઉક્તિ જે વ્યક્તિ કે પ્રિય પાત્ર જીવનમાં મળે તેના માટે અંતરના ઉદ્દગારથી બોલાય છે ,
આ વાક્ય ઘણું બધું દર્શાવે છે,
આમાં સામેની વ્યક્તિ પોતાના માટે કેટલી બધી ઉપયોગી છે,
તેનું મહત્વ દર્શાવે છે
‘ભાગ્ય હિન નર સદા દુઃખી ”
આવા શબ્દ પ્રયોગથી માનવી કેટલો સ્વકર્મી કે પરકર્મી છે તે જણાય છે ,
જે વ્યક્તિ ખૂબ ભાગ્યશાળી હોય તે તેના આ જન્મમાં એક માત્ર પ્રયત્નથી સફળતાની સીડી
ઝટપટ ચઢી જાય છે ,
તેના જીવનમાં મુશ્કેલીઓ આવતી હોય છે , પણ ખૂબ જ
સરળતાથી રસ્તો બની જાય છે ,
ભાગ્ય ચમકાવવા મોંઘા મોંઘા નંગ , હીરાની વીંટીઑ , ધારણ કરી પોતાનુ ભાગ્ય ચમકાવે છે,
અથાગ મહેનત અને પરિશ્રમ એજ દરેકના જીવનને સુખ રુપ
બનાવે છે ,
ભાગ્યને ચમકતું રાખવા કુશાગ્ર બુદ્ધિ , ચાતુર્ય , મજબૂત નિર્ણય શક્તિ , અને અનેરો વિશ્વાસ હોવો જરૂરી છે,
“સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ઝમઝમ”
આ સોનેરી વાક્ય જીવન ઘડતર માટે આપણા પૂર્વજો દ્વારા આપણને મોટી ભેટ છે ,
“ભાગ્ય મે લીખા હુઆ કોઈ મિટા નહી શકતા ,
હાથોકે બલ જૉ પાયા હૈ ઉસે કોઈ ચૂરા નહી શકતા ”
ડો અનિરુદ્ધ વ્યાસ
નડિયાદ
[5/20, 1:13 PM] Bijal Jagad….Sahityakar.. ઘાટકોપર: NOG : 100
નામ : બીજલ જગડ
વિષય : ભાગ્ય અહોભાગ્ય
*શીર્ષક : કર્તાહાર*
દરેક મનુષ્યે એ સમજવાની જરૂર છે કે તેમની ચેતના સૌથી નીચા સ્તરે પડવાની ક્ષમતા ધરાવે છે અથવા તેઓ ચેતનાના સર્વોચ્ચ શિખર સુધી પણ પહોંચી શકે છે !!
કોઈ ભાગ્ય નથી, કોઈ નિયતિ નથી તમે ફક્ત એવી વસ્તુ પર તમારી જવાબદારી થોપવાનો પ્રયાસ કરી રહ્યા છો જે અસ્તિત્વમાં જ નથી. તે જ્યારે અસ્તિત્વમાં જ નથી તો તે તમારો ક્યારેય પ્રતિકાર કરી શકશે નહીં !! તે એમ ન કહી શકે, “કૃપા કરીને મારા પર જવાબદારી ન નાખો.
ભાગ્ય પર દરેક વસ્તુને દોષી ઠારાવવતા તમને તમારી બિન-ઉત્પાદક ક્રિયાઓ અન્ય લોકો પર થોપી પોતાની જવાબદારી થી આપ ભાગી રહ્યા છો.
બધું ભાગ્ય દ્વારા નક્કી કરવામાં આવે છે એવું માનીએ તો “સફળતા હોય કે નિષ્ફળતા, સમૃદ્ધિ હોય કે ગરીબી, માંદગી હોય કે સ્વાસ્થ્ય, જીવન હોય કે મૃત્યુ, બધુ જ ભાગ્ય નામની અજાણી શક્તિના હાથમાં છે” હું મારા સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છું, છતાં પણ હું નિષ્ફળ જ જાઉં છું. હું મને ઉપદેશ આપેલા તમામ નૈતિક સિદ્ધાંતોનું પાલન કરું છું, તેમ છતાં હું ગરીબ છું અને હું દરેક પ્રકારના અનૈતિક લોકોને વધુ ધનવાન, આગળ વધતા, પ્રખ્યાત થતા જોઉં છું. તે બધું ભાગ્ય છે.” તે તમને તમારી નિષ્ફળતામાં આશ્વાસન આપે છે. તે સમયે તમને છટકબારી મળશે પણ જયાં સુધી ભાગ્ય નું અર્થઘટન નહિ સમજો ત્યાં સુધી ફરી ફરી આવી પરિસ્થિતિ આપના જીવનમાં ઊભી થાય કરશે.
સદનસીબે, કમનસીબે સ્વતંત્રતા જવાબદારી સાથે આવે છે, ફક્ત એજ વ્યક્તિ જાણી શકે છ જે પોતાના કાર્ય ની જવાબદારી લે છે. કોઈ આકાશમાંથી અજાણ્યો હાથ આપની મદદે આવશે એની રાહ જોવી એ મૂર્ખતા છે કારણ કોઈ ભગવાન તમારા વતી પગલાં લેવા માટે નીચે નથી આવવાના.
તમારી જાતને છેતરો નહીં ; જ્યોતિષીઓ, હસ્તરેખાશાસ્ત્રીઓ, તમારા ભવિષ્યના અનુમાનો આ ફક્ત માર્ગદર્શન રૂપી છે. તમે જે કંઈ જીવનમાં ઈચ્છો છો એની જવાબદારી અને તર્ક સંગતથી લીધેલા નિર્ણય જ આપને જીવનમાં તમે જે ઈચ્છો છો તે તમને મળશે. તે પરિસ્થિતિ પ્રત્યે તમારા જવાબદાર સ્વભાવની ભેટ છે.તમે તમારે જે જીવન માં જરૂરી કરવાનું છે તે કરવું જ રહ્યું , એ તમારે જાતે જ ઘડવાનું રહેશે.
~ બીજલ જગડ
મુંબઈ ઘાટકોપર
[5/20, 1:55 PM] Jaykant Ghelaani.MeM.NOG: NOG NO. S.S. 0059
વિષય શબ્દ: ભાગ્ય-
અહોભાગ્ય .
પ્રકાર: ગદ્ય- લેખ.
શીર્ષક: ‘ખ્વાહિસ બનું અહોભાગી
શબ્દો: ૩૨૫.
જયકાન્ત ઘેલાણી –પ્યારે”.
હિન્દુ માન્યતા પ્રમાણે, માનવના જન્મના છઠ્ઠા દિવસે, ભાગ્યનીદેવી- વિધાતા તે વ્યકિતના,તેના કર્મોને આધીન,લેખ લખે છે, અને તે પ્રમાણે બધું સમયે સમયે બનતું રહે છે, અને તેથી કહેવાય છે કે,
ભાઈ, ‘વિધાતાએ લખેલાં
છઠ્ઠીનાં લેખમાં મેખ ન હોય’!
આજ કારણ છે !
‘માનો યા ન માનો’ પણ,
‘ ભાગ્ય’ ‘અહોભાગ્ય’ તો છેજ !
હા, પ્રારબ્ધને, પુરૂષાર્થના બળે બદલી શકાય છે.તેનાં જ્વલંત ઉદાહરણ અનુભવ્યાબાદ , જોયાં બાદ ‘પ્યારે’ એ અન્ય વ્યકિતની જીવનકથામાં સત્ય લખ્યું છે કે,
‘પુરૂષાર્થની પાંખે ઉડી,પ્યારે’,
માનવ પ્રારબ્ધને પલટી શકેછે’.
આજે આપણે પ્રારબ્ધ ને પુરૂષાર્થના બળે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરનારાનાં ઉદાહરણ જોઈએ.
દેશને ગુલામીની જંજીરમાંથી મુક્તિ અપાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી છે,તો ઈસરોના સંસ્થાપક શ્રી અબ્દુલ કલામ આઝાદ જેઓ આપણા રાષ્ટ્રપતિ પણ બન્યા હતા,તો ઉદ્યોગપતિ શ્રી રતન ટાટા પરિવારછે તો શ્રી ધીરૂભાઈ અંબાણી, અદાણી પરિવાર છે,જેઓએ શૂન્યમાંથી વિરાટ કાર્યોનું સર્જન કર્યું છે.
‘ભાગ્ય’કર્મો ને આધીન હોઈ શકે, પણ, અહોભાગ્ય* તો, જીવનમાં મળેલી,દરેક હકીકતનો સહર્ષ સ્વીકાર કરી, નિ:સ્વાર્થભાવે માનવસેવા, સાથે રાષ્ટ્રસેવાને પ્રાધાન્ય આપી પોતાનું સંપૂર્ણ જીવન સમાજ ચરણે, રાષ્ટ્ર ચરણે ધરે તેને કહેવાય. અને તેનાં સીમિત* ઉદાહરણ આપણને જોવાં મળશે, સાંભળવામાં આવશે,
એકવીસમી સદીમાં , ભયંકર કોરોનાકાળમાં સમગ્ર વિશ્ર્વની માનવજાત,ભયભીત, અસહાય બની ચૂકી હતી,તેવા કઠીન- કપરાકાળમાં સમસ્તમાનવ જાતીની દ્રષ્ટિ, આપણાં ભારતદેશ તરફ અને વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદી તરફ હતી,
તેવા વિકટ સમયે, અલ્પ સમયમાં કોરોના રસીની શોધ કરી કરોડો પ્રજાજનોના હ્રદયમાં આશા સાથે ચેતનાનો સંચાર કરાવ્યો હતો. પરિણામ સ્વરૂપે, શ્રી નરેન્દ્રભાઈ મોદી માટે એક અનોખી છાપ ઊભી થઈ.,,,
વિશ્ર્વનુ અહોભાગ્ય કે આપણને આ અહોભાગ્ય વ્યકિત મળી !.
અહોભાગ્યનું* આનાથી ઉત્કૃષ્ટ ઉદાહરણ હોઈ શકે ખરૂં?
જ્યારે યુગોથી સચવાઈ રહ્યોછે
પ્યારે’ ગુજરાતી સાહિત્ય વારસો.
ખ્વાહીસ! છેમારી, મા સરસ્વતી!
સર્જુ,સાહિત્ય,યાદ રહે યુગોસુધી.
જગમા બનુ-નાબનુ ભાગ્યશાળી, લેશમાત્ર અફસોસ મનને નહીં, બનું હું,એક,’અહોભાગી’’જગમા,
પ્રાર્થના,ઈશ્વરને એકજ મારીરહી.
[5/20, 3:10 PM] Ratibhai Vaayada.NOG.MEM..Bombay Puja Kanani.Mithapur: N.O.G. S.S. No.0102.
નામ:- રતીલાલ વાયડા
વિષય:- ભાગ્ય અહોભાગ્ય.
પ્રકાર:-. ગદ્ય.
શીર્ષક:-માનવીનું ભાગ્ય અને અહોભાગ્ય.
રચના:-
આપણા શાસ્ત્રોમાં જણાવ્યું છે કે માનવનો જન્મ થાય છે, ત્યારે તેનું ભાગ્ય લખાઈ ચુક્યું હોય છે.
જન્મતાની સાથે જ માણસ પોતાના પૂર્વ જન્મના સંચિત કર્મો સાથે અવતાર ધારણ કરે છે.
માનવીના ભાગ્યમાં જે લખાયું હોય ,તે તેમને મળે છે .તેના સિવાય કંઈ પણ વધારે ને કાંઈપણ ઓછું મળતું નથી . જો કોઈ વધારે મળે તો આપણે તેને અહોભાગ્ય કહીએ છીએ.
માબાપે જન્મ આપ્યો તે ભાગ્ય, શિક્ષણ અને સંસ્કાર આપી અને સારી નોકરી મળે ,તે અહોભાગ્ય.
નોકરી સારી મળી તે ભાગ્ય .સાથે બોસ પણ સારા મળે તે અહોભાગ્ય.
લગ્નના સાંસારિક જીવનનો આનંદ ભાગ્ય પરંતુ સંતાનનો જન્મ થાય તો તે અહોભાગ્ય છે.
સંતાન મોટા થઈ નોકરી કરતા થાય તો તે તેનું ભાગ્ય ,અને મા-બાપની સેવા કરે અને તેને આનંદ આપે તો તેને અહોભાગ્ય કહેવાય.
આપણે બધા જ સુખ સગવડો મળે તો ભાગ્ય અને તેનાથી પણ વધારે જો સુખ-સંપત્તિ પ્રાપ્ત થાય સુખો મળે હરવા-ફરવાનું મળે તો તે આપણું અહોભાગ્ય છે.
સુખ દુઃખ માનવના જીવનમાં આવ્યા રાખે છે પરંતુ દુઃખને પણ સુખ ગણીએ તો તે ભાગ્ય અને દુઃખના દિવસો આનંદપૂર્વક પસાર કરીએ તો તેને અહોભાગ્ય કહેવાય.
રામને અયોધ્યા ની ગાદી મળવાની હતી પરંતુ તેના નસીબમાં વનવાસ આવ્યો તો તે પણ તેણે અહોભાગ્ય માની અને સ્વીકારી લીધો.
માતા પાર્વતીએ સિતામાતાનું સ્વરૂપ ધારણ કરી અને તેની પરીક્ષા કરવાનો પ્રયત્ન કર્યો ,અને તેના પરિણામે ભગવાન શંકરે માતા પાર્વતીને સાડત્રીસ હજાર વર્ષ સુધી ત્યાગ કરી અને મહાસમાધિ લીધી.
શાસ્ત્રોમાં સંતો અને ભગવાન ઉપર પણ અનેક પ્રકારના દુઃખો પડ્યા છે તો તેઓએ આ બધી બાબતને ભાગ્ય માની તેનો સ્વીકાર કરી તેમનો સામનો કર્યો અને જીવન જીતી ગયા છે. માનવીએ પણ આ જ રસ્તો અપનાવવો જોઈએ .આપણે આપણા ભાગ્યમાં છે તે જ મળશે વધુ મળશે તો તે અહોભાગ્ય છે .જે હોય તેનો ભગવાન તરફથી સ્વીકાર કરી આનંદથી
જીવન જીવો એ જ સાચું જીવન છે.
સુખ-દુઃખમાં સમત્વ જાળવવું.
રતીલાલ વાયડા
નવી મુંબઈ,
૨૦/૫/૨૦૨૨. શુક્રવાર.