N I G SS N ૦૦૮૯
પ્રવિણા કડકિઆ
વિષય ભાગ્ય અહોભાગ્ય
શીર્ષક ખુશનસીબ
ગદ્ય
—————-
સુખી વણિક કુટુંબમાં જન્મ , પ્રેમાળ માતા અને પિતા , બે મોટા ભાઈ અને બે બહેનો હવે આનાથી વધારે ભાગ્ય શું કહેવાય?
ખેલકૂદમાં બાળપણ વિતાવ્યું . શાળા અને કોલેજનું આનંદમય જીવન પસાર કરી જુવાનીમાં પગરણ માંડ્યા. ઇતર પ્રવૃત્તિમાં રસ ધરાવતી હતી. માતાએ ક્યારેય ના કહી નથી. ખુશીથી પરવાનગી મળતી. પિતાજીની લાડલી , હંમેશા પૈસા તફડાવતી .
ભાગ્ય અતિ સુંદર, માતાની કેળવણી અને સંસ્કાર આજે પણ યાદ આવે અને આંખમાં આંસુ ધસી આવે.
મહેમાનોની અવર જવાને કારણે સંસારની વાસ્તવિકતાનો પરિચય પામી.
યથા સમયે મિત્ર સમાન પ્રેમાળ પતિનો સહવાસ માણ્યો. સંતોષ અને સ્નેહની સુગંધથી જીવન મહેકી ઉઠયું. બે બાળકોના આગમને જીવન ધબકતું રહ્યું .
દમામદાર નોકરી અને કંપનીની મળેલી સવલત દ્વારા જીવન જીવવા જેવું બન્યું. સમયની રાવલને માન આપી અમેરિકા આવી પહોંચ્યા.
જીવનના મૂલ્ય બદલાયા. “કોઈ પણ કામ નાનું નથી” એનો મતલબ સમજાયો. પતિ અને પત્ની જીવન રથના પૈડા છે. બંનેની ભૂમિકા સમાન છે.
અમેરિકામાં બાળકો મોટા થયા, મહેનત કરી સફળતા પામ્યા. અહંકાર ગ્રસે એ પહેલાં કુદરતે જોરદાર થપ્પડ મારી.
ભરજુવાનીમાં વિરહની વેદના સહન કરી. માતા એ પડખે ઉભા રહી, સાંત્વના બંધાવી ટેકો આપી ઉભી કરી.
દુર્ભાગ્ય ને માત આપી દુ:ખ ઝીલવા સક્ષમ બનાવી. પ્રવૃત્તિમય જીંદગી જીવવાની
કસમ ખાધી. સમાજ ઉપયોગી બનવાના પ્રયાસ આદર્યો.
અહોભાગ્ય ત્યારે પ્રાપ્ત થાય જ્યારે જીવન તરફનું વલણ સહકાર યુક્ત હોય.
હંમેશા હકારાત્મક વલણ અપનાવી ભાગયવિધાતા બનવું