[5/17, 10:46 PM] Muktida Oza.MeM: NogSS-106
NOG.સાહિત્યસરિતા
પ્રકાર:-પદ્ય
શબ્દ:-100
વિષય-‘ભાગ્ય-અહોભાગ્ય’
શીર્ષક:-” શ્વાસે શ્વાસે શ્વસું તને હું-અહોભાગ્ય છે મારું”
**************
તમે અમારે ઘેર પધાર્યા અહો! ભાગ્ય અમારું.
ભાગ્ય વિધાતા ગળણે ગાળે,જીવન તારું મારું.
અવતર્યો હું માણસયોનિમાં ભાગ્ય હતું જો મારું!
માણસાઈનું જીવન વિતાવું અહો ભાગ્ય એ મારું.
ભાગ્યે મળ્યો સમય ને
સાચવું અહોભાગ્ય !!
શરીર મળ્યું તે ભાગ્ય અહોભાગ્યે સાચવવું !!
ભાગ્ય અમારું બે પગે
દોડી મંઝિલે પહોંચું.
ભાગ્યમાં મળી છે પાંચ ઈન્દ્રીયો.
સ્વાદે,જોવું,સ્પર્શું,સાંભળું
સૂઘું,
સટીક સ્મરણમાં ઈશ્વર એક જ! અહો ભાગ્ય છે મારું.
જીવનનાં ખુલ્લાં આંગણીયે રમવું,રળવું,
જીવનનાં ખુલ્લાં આકાશે ઊડવું
આનંદના ઝરણાંમાં વહેવું..
અહો ભાગ્ય છે મારું!
અવતર્યો હું માણસયોનિમાં ભાગ્ય હતું જો મારું!
માણસાઈમાં જીવન વિતાવું અહો ભાગ્ય છે મારું.!!
શ્વાસે શ્વાસે સમરું તને હું
અહો ભાગ્ય છે મારું!!
[5/18, 4:55 PM] Jayshree Patel. Sahityakar: *NOG SS NO:004*
*વિષયઃ ભાગ્ય -અહોભાગ્ય*
*પંરકારઃગદ્ય*
*શબ્દઃ૩૫૦*
*શીર્ષકઃ મોક્ષ*
*મોક્ષ*
હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, કે જૈન જાત પાત આ માનવીના મનની ઉપજ છે ધર્મની ચુસ્તી એટલે જ તો અહોભાગ્ય. બસ પ્રભુની સેવા કરી હવે તો મોક્ષ!
આ માન્યતામાં માનતા ને રાચતા લોકોનો તોટો નથી.
અરે ! નાની ઉંમ્મરમાં જ દિક્ષા લઈ તપસ્વી બની તે બેને તો મહાવીર સ્વામીનાં ચરણોમાં સ્થાન મેળવી લીધું તેમનાં અહોભાગ્ય હવે તો મોક્ષ!
મુસ્લિમ દિવસમાં નમાજનો પાક્કો ને કુરાન પઢી તે તો મોક્ષ મેળવી જ લેશે. આ લધુતાગ્રંથી તે જ ભાગ્ય માનનારા માનવીઓ વચ્ચે આ ચોલમાં ત્રીજે માળે દેવજીકાકા રહેવા આવ્યા.આખી ચોલમાં સવારના વહેલાં ઉઠીને ભજન કીર્તન કરતાં. સમયસર બેંન્કમાં નોકરીએ જતાં. તેમના પાડોશી તો માનવા લાગ્યા કે તેમનું ભાગ્ય સારું કે આવા પૂજાપાઠ કરનારા પાડોશી આવ્યાં.
એ વાતને છ મહિના વિતી ગયાં. એક દિવસ દેવજીકાકા સાથે એક નાનો છોકરો દેખાયો. તે તેમનું કામ કરતો રહેતો.એક માજીએ તેને તેનું નામ પૂછ્યું ને નિર્દોષ બાળક બોલ્યો મારું નામ ક્રિસ્ટો છે. માજી તો હાલી જ ગયાં. હવે બધાંનું કુતૂહલ વધ્યું. થોડા દિવસમાં તો તે શાળાએ જવા લાગ્યો. રોજ દેવજી કાકા તેને ભણાવતા, તેઓ ચાલમાં લોકોની મનોદશા જાણી ગયા હતાં. કોઈ પૂછે નહિ તો કાંઈ બોલવું નહિ નક્કી કર્યુ હતું.
બે ત્રણ મહિનામાં બધાંએ તેમની સાથે બોલવાનું બંધ કરી દીધું ને એક દિવસ તેમની ખોલીનો માલિક તેમને ખોલી ખાલી કરાવા તાગડધિન્ના કરવાં લાગ્યો.
કારણમાં તેં બધાં ખોલીવાળાની ના મરજી ધરતો. હવે તેમની સમજમાં આવી ગયું કે વૈષ્ણવ અને જૈનોની આ ચાલમાં ક્રિષ્ટો ક્રિશ્યન છે તેથી આ વાંધો છે.
એક રાત્રીએ નીચે રહેતા સોમીઆત્યા બીમાર પડ્યાંને તેઓ પણ દેવજીકાકાની જેમ જ એકલપંડે હતાં.
ક્રિષ્ટોએ આ જાણ્યું તેણે દિવસ રાત તેમની સેવા કરી.
ચાલનાં કોઈ તેમની ખબર અંતર જોવા નવરા ન પડતાં.
ત્યારે સૌમ્યાઆત્યાને થયું કે પંડે તો કોઈ નથી પણ આ છોકરો જીવની જેમ સેવા કરતો રહ્યો. મારા તો અહોભાગ્ય કે જાણે ભગવાન જ આ રૂપે પધાર્યા.
તે દિવસથી સારા થતાં જ સોમ્યાઆત્યાએ ક્રિષ્ટોને પોતાનો પંડ જ માની લીધો. ચાલવાળા કંઈ બોલે તો તેઓ કહેતા જુઓ સ્વીકારી લો કે ન લોહીનો સંબંધ છે ન કોઈ સગાઈ છતાંય આ બાળક તમારી ચાલમાં એક સજ્જન લઈ આવ્યાં છે ને જે માનવતાની સગાઈ આ છોકરાએ બાંધી છે તેને આપેલી હૂંફ એ જ મોક્ષ છે!
માનવતાનાં આ રંગમાં કેટલાક રંગાયા ને કેટલાક અભડાયા. વીસ વર્ષ પછી એ ચાલનો માલિક ક્રિષ્ટો હતો. ત્યારે બધાંએ તેને સલામ ભરવા માંડી.. આ શું હતું ક્રિષ્ટોનું અહોભાગ્ય જ ને!
*જયશ્રી પટેલ*
*૧૮/૫/૨૨*