[4/6, 11:21 AM] Pradip: NOGSS-106
વિષય:-વિસામો
શીર્ષક:-વિસામો
પ્રકાર:-પદ્ય
શબ્દો:-90
નામ:-મુક્તિદા કુમાર
‘મનચલી’
ગામના વડલે વિસામો દીઠો,
દિન/રાત દોડધામ પછી
ઘર ઉંબરે વિસામો દીઠો,
ગરમીના ગોજારા તપમાં
A/Cમાં વિસામો દીઠો?
ગામના વડલે ઓટલે બેસી ?
કડવા લીંબડાની શીતળ છાયામાં વિસામો દીઠો.
માએ જ્યારે બાળકની આંખ્યુંમાં વિસામો દીધો.
દિકરાએ પિતાના ખભે વિસામો દીઠો
દિકરી પરણી સાસરે સુખી
આખા સંસારે વિસામો દીઠો,
ભૂખ્યાને ભોજન મળે ત્યાં,
પાપી પેટે વિસામો દીઠો.
નાના બાળકે માના પાલવ પકડી વિસામો દીઠો
જુવાન ધબકતાં હૈયાંએ જોને! અખિયનમાં વિસામો દીઠો.
જીવનના જંજાવાત મહીં
સમશાનમાં વિસામો દીઠો!!
[4/6, 11:21 AM] Pradip: NOG. SSNO. 0097
વિષય : વિસામો
પ્રકાર : ગદ્ય
શીર્ષક : આશ્રય
એડવોકેટ નિર્મળા, શિક્ષક દંપતી મગનલાલ અને સવિતાબેનનું એક માત્ર સંતાન. પડોશમાં,વૈધવ્યની ગરિમા જાળવીને રહેતા,જાજરમાન અને ધનવાન એવા જયામાસીનો હૂંફાળો સહવાસ. આ રીતે બંને પડોશીઓ અરસ પરસ જરુરી અંતર રાખીને સુખ ચેનથી રહે.નિર્મળાએ ૨૨ વરસની ઉંમરે પ્રેકટીસ શરુ કરી. એક વરસ બાદ,પોતે આજીવન કુંવારા રહી સમાજ સેવા કરવા માંગે છે. એવો નિર્ણય જાહેર કર્યો. ઘણા પ્રયત્ન છતાં પણ એ પોતાના નિર્ણય માં અડગ જ રહી.નિર્મળાએ એની ૫૦મી વરસગાંઠે,પોતે ધીકતી પ્રેકટીસ છોડીને સામાજીક સંસ્થા શરુ કરવા માંગે છે. એમાં ત્રણે વડીલોના સાથની જરુર છે. એવો બીજો નિર્ણય જાહેર કર્યો. ચોક્કસ જ વડીલોએ એના આ નિર્ણયને સ હર્ષ
વધાવી લીધો.જયામાસીનું ધર મોટું હતું. જેમાં ૧૫મહિલાઓને સારી રીતે વસાવી શકાય એવી વ્યવસ્થા હતી. નિર્મળાએ પોતાનો પલાન સમજાવ્યો. એ નિરાધાર યુવતીઓ માટે જયામાસીના ઘરમાં સંસ્થા શરુ કરવા ઇચ્છતી હતી. જયાં આ મહિલાઓ પોતાની ઈચછા મુજબ નોકરી, અભ્યાસ, કોઈ પણ પ્રવૃત્તિ માં જોડાય શકે. કશું પણ ન કરતી મહિલાઓ માટે ત્યાં જ ગૃહ ઉદ્યોગ શરુ કરવાનું નક્કી કર્યું.
દિવાળીમાં બેસતા વરસના દિવસે જયામાસીના જન્મ દિવસે આ સંસ્થા શરુ કરવાનું નક્કી કર્યું.આ રીતે “આશ્રય “સંસ્થામાં નિરાધાર બહેનોને વિસામો મળ્યો.નિવૃત શિક્ષક દંપતી અને જયામાસીના અનુભવ અને હૂંફ નો લાભ પણ મળ્યો. નિર્મળાએ ત્યાં જ વયાજબી ફી લઈ કાઉનસિંલિંગ સેનટર શરુ કર્યું.
વર્ષાબેન દેસાઈ
એડવોકેટ
વડોદરા
હાલ-સિડની
તા.૫/૪/૨૨
[4/6, 11:21 AM] Pradip: NOG NO. /0112
વિષય : વિસામો
પ્રકાર : પદ્ય
શીર્ષક :મૂંઝવતો સવાલ વિસામો
તારીખ : 05 / 04 / 2022
સૌને મૂંઝવતો મોટો પ્રશ્ન માનવનો , ક્યારે મળશે વિસામો ?
દોડાદોડીના યુગ માં, ભૂતકાળ થઇ રહ્યો છે હવે વિસામો.
સમયની આ ભાગદોડ માં, સવાલ બની ગયો વિસામો,
આજ નહિ તો કાલે કદાચ , ચોક્કસ મળશે વિસામો.
ભાર ઉતરી જાય જીવનનો, જો સંતાન આપે વિસામો,
હાશકારો આપે પથિક , ઝાડના છાંયડે મળે જો વિસામો.
સંસાર કેરા ઝંઝાળ માં, કદાચ મળે નહિ જો વિસામો,
આખર સ્મશાનમાં “રાજ “એટલે જ રાખ્યો હશે વિસામો.
રચના,,,, રાજેશભાઇ વ્યાસ ” રાજ ”
ધ્રુવનગર,, મોરબી
[4/6, 11:21 AM] Pradip: NOG ૦૦૧૩
પ્રકાર : ગદ્ય
વિષય : વિસામો
શીર્ષક : હાશ
અમે પાંચ સખીઓ સાથે ભણી ને કોઈ વ્યવસાય માટે
વિચારતા હતા ત્યારે કોઈકે સલાહ આપી કે મુંબઈમાં લોકોના પેટ ઠારવા માટે કઈક કરો, અને અમે રસોઈ
અને નાસ્તાનો વ્યવસાય
શરૂ કર્યો.
સવારના છ વાગ્યાથી બપોરે
બાર વાગ્યા સુધી અને
સાંજે ચાર વાગ્યાથી રાત્રે
આઠ વાગ્યા સુધી અમે સખત
જ વ્યસ્ત રહીએ.
એક બહેન ખાલી ઠેપલા
બનાવે છે અને રોજ ના
હજાર ઠેપલા એમને ત્યાં
ત્રણ બહેનો આવીને બનાવે છે અને સરસ પેકિંગમાં
દુકાનોમાં આપે છે.
એક બહેન ખાલી હાંડવી અને
ઢોકળા બનાવીને દુકાનોમાં
આપે છે.
એક બહેન ફક્ત પાતળા બનાવીને કેટેરર ને આપે છે.
બીજા બે બહેનો રસોઈ
ઓર્ડર પ્રમાણે ઘરે બનાવીને
ટિફિન મોકલે છે.
કામકાજ પૂરું થયા પછી અમે બધી જ બહેનો એક મંદિરમાં ભેગા થઈએ અને
ત્યાં બેસી એકબીજાની વાતો
સાંભળી કોઈ મુશ્કેલી હોય તો
દૂર કરી અને રોજ પ્રભુ
ભજન કરીએ છીએ. રાત્રે
જતા જતા રસ્તામાં જે કોઈ
ગરીબ જન મળે એને
અમારી સાથે લાવેલો નાસ્તો
અને મિષ્ટાન પગે પાડીને
આપીયે છીયે. જ્યારે જ્યારે
નાસ્તો આપીયે છીયે ત્યારે
ભગવાન બધાને ભૂખ્યો
ઉઠાડે છે પણ ભૂખ્યો સુવાડતો નથી એ કહેવત
યાદ કરીને બધાને પેટ
ભરીને ખવડાવીએ છીયે.
આ કાર્ય કરતી વખતે જે
આત્મસંતોષ થાય છે એજ
અમારો વિસામો.
ઘનશ્યામ વ્યાસ.
[4/6, 11:21 AM] Pradip: NOG NO. /0064
વિષય : વિસામો
પ્રકાર : પદ્ય
શબ્દો : ૫૮
શીર્ષક : પાનખર
એ મન તું પાનખરથી શીદને ડરે છે.
શીદને તું હરએક પળથી લડે છે.
ફૂલોની ફોરમ થઈને ઉગ્યો અને,
વૃક્ષ બની આપે છે છાંયડો તું.
સંતાનોને આપેલ સંસ્કારો છતાં,
કેમ એકલાં રહી જવાની વ્યથા?
આપજે તું નાનેરાઓને વહાલ સાથે,
તારા અનુભવોની અનેરી લ્હાણી.
શાપ નથી પણ જીવનક્ર્મ છે,
ભાર નહીં પણ આભાર છે પાનખર!
જીંદગીનો અંતિમ વિસામો છે પાનખર!
નેહા બગથરીયા
[4/6, 11:21 AM] Pradip: NOG SS :- 0038
વિષય :-વિસામો
વિભાગ :-પદ્ય
શીર્ષક :-મનનો વિસામો
——————————-–—- – —-
મનમાં ભરી ના જીવીશ મનવા,
મનભરી ને જીવી લેને તું…!
ચંચળ મન દોડ્યા કરે આમતેમ,
સતનો વિસામો આપને તું…!
વિસામો નથી એનો એક ઠેકાણે,
લાલચ પાછળ દોડતા અટકાવને તું…!
મોહમાયામાં ફસાઈ ભટક્યા કરે,
સાચું શુ છે સમજાવને તું…!
મથ્યા કરે રાતદિવસ બધુ પામીલેવા ને,
સ્વાર્થના પંજામાંથી એને છોડાવને તું….!
મહાન જે મેળવે વિજય મન ઉપર,
એ મહાનતાને પામી લેને તું….!
✍️ શીલાપટેલ ” આકાંક્ષા ”
[4/6, 11:21 AM] Pradip: *NOG SS No* : *0110*
*પ્રકાર : *ગદ્ય-વિચાર લેખ*
*વિષય* : *વિસામો*
*શબ્દો* : *૩૪૯*
*શીર્ષક* : *’ચાલતો રહેજે’*
*લેખકનું નામ* : *નિખિલ કિનારીવાળા (અમદાવાદ)*
વિસામો કોને ન જોઈએ? જીવ માત્રને વિસામો જોઈએ. ચાહે તે પશુ હોય,પક્ષી હોય કે મનુષ્ય હોય. દરેકના લક્ષ્ય જુદા હોય, દરેકની ક્ષમતાઓ જુદી હોય પરંતુ સફર કરવી એ તય હોય છે. આ સફરમાં લક્ષ્ય સુધી પહોંચતા પહેલાં અલગ-અલગ અંતરે દરેકને વિસામો લેવો જ પડે છે. વિસામા વગરની કોઈ પણ સફર શક્ય જ નથી. માટે સફરમાં યોગ્ય સ્થળે અને યોગ્ય સમય માટે વિસામો લેવો ખૂબ આવશ્યક છે.
જીવનના જુદા જુદા ચરણમાં મનુષ્ય પોતાનું જીવન ઉન્નત બનાવવા કાર્યરત રહે છે. પૈસો, માન અને પ્રતિષ્ઠા મેળવવાની દોડ છેક નાનપણથી શરૂ થાય છે, યુવાનીમાં દોડની ગતિ વધે છે, જે ઘણા કિસ્સાઓમાં આગળ જતાં ધીમી તો પડે છે, પરંતુ છેક વૃદ્ધાવસ્થા સુધી ચાલુ રહે છે. આ સફરમાં પણ વિસામો ખૂબ જરૂરી બની રહે છે. પરંતુ સફરમાં કોણે, ક્યાં અને કેટલો વિસામો લેવો તે પોતે જ નક્કી કરવું પડે છે.
જીવનભરની દોડભાગ પછી વૃદ્ધાવસ્થામાં મનુષ્ય એક હાશકારા સાથે વિરામ ઈચ્છે છે અને ગમતો વિસામો શોધે છે. આપણે સહુ માનીએ છીએ કે, થાક ઉતારવા માટે વિસામો જરૂરી છે. હા, ઘણા અંશે એ વાત સાચી પણ છે. પરંતુ સફરમાં વિસામાની બીજી પણ ઘણી અગત્યતા છે. ક્યારેય બાજ પક્ષીને અને ચિત્તાને શિકાર પહેલાં તૈયારી કરતાં જોયા છે? તેઓ પણ વિસામો તો લે છે, પરંતુ પોતાનું ધ્યાન શિકારમાં કેન્દ્રિત કરે છે. દિશા બદલે છે, પોતાની ગતિ તેજ કરે છે અને પછી લક્ષ્યવેધ કરે છે. આમ મારી દ્રષ્ટિએ વિસામો એ માત્ર થાક ઉતારવા માટે નહીં, પરંતુ આગળની દિશા અને ગતિ નક્કી કરવા માટે પણ ઉપયોગમાં આવતો હોય છે.
વૃદ્ધત્વમાં વિસામો મળતાં હવે ‘માત્ર વિરામ’નું વલણ ત્યજી આગળ એક નવો રસ્તો શોધવામાં આત્મબળ લગાવવું જોઈએ. આપણી સામે ઘણા બધા રસ્તાઓ હોય છે. ચિંતન અને મનન કરીને આગળ ઉપરના જીવનની દિશા નક્કી કરવી જોઈએ. જરૂરી નથી આખી જિંદગી જે દિશામાં દોટ મૂકી તે દિશા પકડી રાખવી અને તેજ ગતિએ દોડવું. એ તો સૌ પશુ પક્ષી કરે જ છે. મનુષ્ય તરીકે વૃદ્ધાવસ્થાના વિસામા પછી કંઈક વિશિષ્ટ વિચારવું જોઈએ, પોતાના ઉત્કર્ષ માટે અને પોતાના આનંદ માટે પ્રવૃત્તિ કરવી જોઇએ. જો આપણે આપણા માટે આગળની સાચી દિશા પસંદ કરી શકીએ,જે આપણા મનને પ્રફુલ્લિત રાખે, મનુષ્ય હોવાનો આનંદ આપે તો વૃદ્ધાવસ્થાનો વિસામો ફલિત થયો કહેવાશે. મેં તો આ વિસામા પર મારી સર્જનાત્મકતાની બારીઓ ખોલી નાંખી છે.
નિખિલ કિનારીવાળા, અમદાવાદ
૦૫ એપ્રિલ ૨૦૨૨.
[4/6, 11:21 AM] Pradip: NOG NO.S S. 0059.
વિષય: “વિસામો”.
પ્રકાર ગદ્ય- વાર્તા.
શીર્ષક: ” શેઠ નો વિસામો”.
શબ્દો : ૨૯૫.
જયકાન્ત ઘેલાણી પ્યારે”.
ગૂજરાતની ભૂમી એટલે સંત મહાત્માઓની ભૂમી, અને તેમાય ગીરની ભૂમીતો !
સમસ્ત વિશ્ર્વમાં જેની હાક વાગેછે , તેવી જંગલના રાજા સિંહ ની ભૂમી !
જેની ગર્જના સાંભળવા, સાથે સિંહના શરીર ઉપરની સુંદર કેશવાળી જોવા સમસ્ત વિશ્ર્વના લોકો હમેશા આતુર હોયછે તે
ધારી તાલુકાનાં દલખાણીયા ગામમાં શાન્તિભાઇ શેઠનું નામ તેની જાહોજલાલી સાથે તેની વિશાળ સેવા ભાવનાથી સદાય ગુંજતુ રહે.
શેઠ જેવ પરદુ:ખ ભંજન, તેવાજ શેઠાણી પૂષ્પાદેવી ! તેમની સૂગંધ પણ તેની વિશાળ દુર દેસીતાથી
સમગ્ર પંથકમાં પ્રસરી ગઈ હતી.
શાન્તિલાલ શેઠ નામ તેવા ગૂણ ધરાવતા હતા તો શેઠાણી
શાન્તા દેવી પણ નામને અનુસાર સાલસ સ્વભાવની સૂગંધ પ્રસરાવવામા શેઠથી કમ નહી !
દર વર્ષે ગામમાં ખૂટતી કડીની
વ્યવસ્થા શેઠ પરિવાર તરફથી થતીજ રહે, પછી તે બાળકો માટેની પ્રાથમિક નિશાળ હોયકે,પ્રાથમિક મેડીકલ સૂવિધા ! કે પછી ઘર ઘરમા પાણીના નળની સૂવિધા !
સમસ્ત ગામના લોકો શેઠ શેઠાણીનો પડ્યો બોલ ઉપાડવા હમેશા તૈયાર !
આછે ગામના લોકોની,શેઠ પરિવાર પ્રત્યેની સદભાવના !
એક દિવસ, સમી સાંજે, શહેરમાંથી ગામ તરફ, ગાડીમા આવતા સમયે, ગામના પાદર પાસેજ ગાડીનો ભયંકર એકસીડન્ટ થતાંજ ગામના પાદરે
શેઠ-શેઠાણી સાથેજ સ્વર્ગસ્થ થયા. ગ્રામજનો ઉપર આ વજ્રઘાત જ હતો,સૌએ હિમત સાથે સમજણ શકિત કેળવી,
બે ભવ્ય આત્માઓના દેહને,સમગ્ર ગ્રામજનોએ મળી અશ્રુભીની આખે અગ્નિસંસ્કાર કર્યા.
એક મહિનાનાં ટૂંકા સમયમા ફક્ત ગ્રામજનોનાજ,
તન-મન અને ધન ના સહકારથી અવિરત મહેનત કરી, એક અંતિમ વિસામોની ક્રિયા માટેનૂ અદ્યતન સ્મશાન સ્થાન બનાવ્યું ,જેમાં પશુઓ માટે પાણી પિવાના, ‘હવાડા’,
પક્ષીઓ માટે ‘ચણઘર’,
સાથે અનાથ લોકો માટે એક આશ્ર્ય સ્થાન પણ બનાવ્યૂ .
ગ્રામજનોએ તેને સાચી શ્રધ્ધાંજલી રૂપે નામ આપ્યૂ,
“શેઠ નો વિસામો”.
‘ શેઠ નો વિસામો ‘,
આજે, પક્ષીઓ,પ્રાણીઓ તેમજ મનુષ્યો માટે એક અનુપમ વિશ્રામ
સ્થાન બની, ‘વિસામો’ શબ્દને
સાર્થક કરતાંની સાથે પંથકમા એક જોવા લાયક સ્થાન બન્યુછે.
વિસામો’એટલે અન્યના સૂખ માટે
પ્યારે’ માનવજન્મને સાર્થક કરવો.