N.O.G. S.S. No.0102.
નામ:- રતીલાલ વાયડા
વિષય:- મને ગમતી વાર્તા
પ્રકાર:-. ગદ્ય.
શીર્ષક:-. પીડિતા.
શબ્દ. :- ૩૫૦.
તારીખ:- ૩/૪/૨૦૨૨. રવિવાર.
સ્થળ :- દ્વારકા.
મને ગમતી વાર્તા
*પીડિતા*
રચના:-
પંડિત જગન્નાથ પોતાની નિઃસંતાન પત્ની કેસરબેન ને મૂકીને અઢળક સંપત્તિ સાથે અવસાન પામ્યા.
કેસરબેને પોતાના બેનના દિકરા મયુરની સાથે રહેવાનું નક્કી કર્યું.
હવે મયુર તેની પત્ની ગીતા અને તેની નાની પાંચ વરસની દીકરી નયનાની સાથે તેઓ કેસરબેન ના મકાનમાં રહેવા લાગ્યા.
શરૂઆતના વર્ષોમાં કેસરબેનની ખૂબ જ ઈજ્જત થવા લાગી તેના માન-સન્માન ખાનપાન વગેરેની ખૂબ કાળજી લેવામાં આવી.
મયુરની પત્ની ગીતા લોભી મનોવૃત્તિ અને ઈર્ષાળુ ,અદેખાઈ થી ભરેલી ક્રોધી સ્વભાવની હતી. તેને કેસરબેન કરતા તેની સંપતી માં જ વધારે રસ હતો.
કેસરબેન હવે વૃદ્ધ થઈ ગયા હતા .તેના બંને પગ દુઃખતા હતા તેથી ચાલી શકતા ન હતા .એક નાની ઓરડીમાં ખાટલી ઉપર તેને રાખવામાં આવ્યા હતા. હવા-ઉજાસનો ,સ્વચ્છતાનો અભાવ વગેરે ને કારણે રૂમમાં ચોક્કસ પ્રકારની દુર્ગંધ આવતી હતી.
કેસરબેનને સમયસર ભોજન આપવામાં આવતું ન હતું .ઘણું ઓછું ભોજન તેમજ વધેલું,ટાઢો ટુકડો તેને આપી દેવામાં આવતું હતું આથી તે કાયમ માટે ભૂખ્યા રહેતા હતા. રોજની ભૂખને કારણે તેનું શરીર દુર્બળ થઈ ગયું હતું.
જોકે મયુર તેની કાળજી રાખતો પરંતુ ગીતા તેને એવું કરવા માટે રોકતી હતી.
હવે ગીતા કેસરબેનને જેમતેમ બોલતી અપમાન કરતી ગાળો દેતી હતી.
કેસરબેને મયુર ને ફરિયાદ કરી ત્યારે ગીતાએ તેને ખૂબ જ માર માર્યો અને તેનું વૃદ્ધ શરીર માર સહન ન કરી શક્યું.
એક વખતે ઘરમાં મહિલા આંતરરાષ્ટ્રીય દિનની ઉજવણી નિમિત્તે ગીતાએ ઘણી બહેનોને પોતાના ઘરે ભોજન માટે નિમંત્રણ આપ્યું હતું.
ભોજનમાં દૂધપાક ,પુરી ,શાક ,કચોરી અને ઘણા બધા વ્યંજનો બનાવવામાં આવેલા હતા અને તેની સુગંધ આખા ઘરમાં પ્રસરી રહેલી હતી.
રાત્રે બાર વાગી ગયા તેમ છતાં પણ કેસરબેનને કોઇએ જમવાનું આપ્યું નહીં. તેને ખૂબ ભૂખ લાગી હતી. પેટમાં ગલુડિયા બોલતા હતા. તે અંધારામાં માંડ ઉઠ્યા રસોડા તરફ ગયા .રસોડામાં તાળું લાગેલું હતું ચાર પગે ચાલતા ચાલતા તેઓ જ્યાં એઠી થાળીઓ પડી હતી તેના તરફ ગયા થાળીમાં જે કંઈ હતું તે પુરી શાક કચોરી અંધારામાં ખાવા લાગ્યા હતા.ભૂખને કારણે એઠું ભોજન પણ તેને સ્વાદિષ્ટ લાગવા લાગ્યું હતું.
અંધારાને કારણે એઠી થાળીને ઠોકર લાગી ગઈ અને ધણા અવાજ સાથે થાળીઓ પડી ગઈ. અવાજ સાંભળી ઘરના સૌ જાગી ગયા અને સૌએ આ દ્રશ્ય જોયું.
મયુરે ગીતાને કેસરબેન ભોજન આપવા માટે જણાવ્યું. તે રસોડામાં થાળી પીરસી અને લાવી અને કેસરબેનને આપી. કેસરબેન થોડું-ઘણું ખાધું અને ત્યાર પછી સવારના ઉઠ્યા જ નહી.
લેખક:- રતીલાલ વાયડા
*NOG SS 004*
*વિષયઃ વિસામો*
*પ્રકારઃઃ ગદ્ય*લેખ*
*શબ્દોઃ*૩૫૦*
*શીર્ષકઃ નિષ્કર્ષ*
મિત્રો ઉમ્મરની અવસ્થા વધતી જાય છે, તેમ તેમ ઘણાંને કહેતા સાંભળ્યા છે કે ,” થાક્યા હવે તો વિસામો લઈએ.” વિસામો તનને આરામ આપવો તે જ ને? તનતો બાળક હોયએ ત્યારે પણ થાકે છે. રમી ,શાળાએ જઈને,
દફ્તરમાં આટલો ભાર લઈને અને અંતે ગૃહકાર્ય કરીને. કેટલો બોજ ,પણ આનંદ ને સ્ફૂર્તિથી કાર્ય પાર પાડી લે છે ને? બાલ્યાવસ્થામાં વિસામો શબ્દ જ નથી હોતો તેના ભાષા કોશમાં.
યુવાની તેનાંથી પણ વધુ સ્ફૂર્તિ જનક હોય છે કારણ ત્યારે પૈસાની પણ હોડ હોય છે, મિત્રો થાય છે ને મન કહે છે,” કમાય લે જીવ હમણાં કમાઈશું બચાવીશુંને તો વિસામો પામીશું.”આ વિસામાને શેની સાથે જોડશું?
તન તો સાચે જ પણ મન સાથે વધુ. બરાબર ને?
ધીરે ધીરે એ અવસ્થા આવે છે કે ,” દુનિયામાં અસ્તિત્વ સાથે ટકી રહેવા, કુટુંબીઓ વચ્ચે મનમેળ રાખવા, કમાવાની હોડમાં છૂટેલાં મિત્રોની સાથે જોડાવા મન તડપી ઉઠે છે.ત્યારે યાદ આવે છે એ વિસામાની અવસ્થા.”
શું કરી શકો આવે સમયે પાછા ફરો દ્રઢ મનોબળ સાથે કે ના જે હાથ વગુ છે તેને નથી ગુમાવવું. મન કહે તે કાર્યમાં ડૂબી જાઓ ને ત્યાંથી નક્કી કરી વિસામો ખાવા રોકાયા ત્યાંથી એવા પગથિયા ચઢીએ જ્યાં થાક નહિ પણ વિસામા પછીની સ્ફૂર્તિ હોય. નવા જીવનની શરૂઆત હોય. મનના એક ખૂણામાં ધરબાયેલી પ્રવૃત્તિ માટેની હામ હોય. હુન્નર તો અનેક છે. ગણ્યાં ગણાય નહિ ને વિણ્યાં વિણાય નહિ. એક મનની અનેક વાતો.
મારા અનુભવે કહું તો કોઈને લખવાનો શોખ તો કોઈને જુદુ જુદુ વાંચવાનો શોખ, કલાનો શોખ તો ભણવાનો ને ભણાવાનો શોખ. વિસામાના સમયની રેશમ ડોર બની જાય. એકલતાની સાથીદાર, બગીચામાં ચાલવા આવતા મિત્રોને મળ્યા છો? તેઓ એકબીજાનાં વિસામાના સમયના એવા મિત્રો હોય છે કે ઘણીવાર મન મળતા છેલ્લા વિસામાના હમ સફર બની જતા હોય છે.
મિત્રો શું *નિષ્કર્ષ* કાઢશો. હાશકારાનો વિસામો કે ચંચળ મનની નવી પ્રવૃત્તિનો વિસામો અપનાવશો. મને તો મારા મનની નિત નવી પ્રવૃતિ ગમે જ્યાં મન ને મનોભાવના પગથિયા પર બેસવું નથી .અવિરત મન પ્રફુલ્લિત રહે , કંટાળા જનક પ્રવૃત્તિનો વિસામો દૂર ધકેલી મનની બારીથી ડોકાતો હર્ષોલ્લાસનો વિસામો જોઈએ.
એજ મારો નિષ્કર્ષ.
વિસામો સુખ
તેના પથિક
એ દ્વારે જ હરખ,
મનોભાવક
તે જ નિષ્કર્ષ.
*જયશ્રી પટેલ*
*૪/૪/૨૨*
[4/4, 5:29 PM] Vibhitiben Desai: વિષય:- વિસામો
પ્રકાર:- ગદ્ય
શબ્દો:- ૬૯
શીર્ષક:- પાદર.
માધોપૂર ગામનો રિવાજ કે, પરણવા જતાં વરરાજાએ પાદરે ઉભેલા વડલાને નમન કરી ને જ પરણવા જવાનું
એવો જ એક બીજો રિવાજ કે મૃતકને પહેલો વિસામો પાદરે આપવો.
પાદરનો વડલો વર્ષોવર્ષથી આ બધું નિર્લેપભાવે જોયા કરે,પરંતુ આજે જ્યારે ઘરે લગ્નની તૈયારી ચાલી રહી હતી ત્યારે જ વતન કાજે શહીદી વહોરનાર ગામના જવાનની સ્મશાન યાત્રાએ, જવાનને પાદરે પહેલો વિસામો આપ્યો ત્યારે પાદરનો વડલો હચમચી ગયો.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા