NOG SS ૦૦૮૯
પ્રવિણા અવિનાશ
વિષય જીવન સફરના અનુભવ
શીર્ષક મૌનં પરં ભૂષણં
ગદ્ય
—————————
સંન્યાસ આશ્રમ માં પ્રવેશ પામ્યા પછી જ્યારે ભૂતકાળમાં લટાર મારું છું ત્યારે ઘણી ખાટીમીઠી યાદ આવે છે. પલભરમાં વિદાય પણ લે છે. હવે એ યાદ કરવાનો કોઈ ફાયદો નથી. બાકીનું જીવન નિર્લેપ , અકિંચન અને અનાસક્તિ કેળવવામાં પ્રવૃત્ત રહેવું સ્વીકાર્યું છે.
૮૦ ના દાયકામાં “ ગુજરાતી સમાજ” માં કાર્ય રત હતી.
૯૦ ના દાયકામાં “વોઈસ ઓફ સનાતન હિંદુઇઝમ”
રેડિયો કાર્યક્રમ માં લગભગ ૧૨ વર્ષ સેવા આપી. મનપસંદ કામ હતું . મિત્ર સાથે આનંદ પૂર્વક સમય ગુજાર્યો . પણ કાવાદાવાથી હંમેશા અંતર રાખ્યું હતું . આજની તારીખમાં પણ હયુસટન યાદ કરે છે. કોઈ પણ કાર્ય નામ અથવા પ્રસિદ્ધિ માટે કરતી ન હતી. હંમેશા દિલનો અવાજ સાંભળતી.
કોઈ પણ કાર્ય સ્વયં સેવક તરીકે કરીએ ત્યારે એકબીજા પ્રત્યે આદર હોવો આવશ્યક છે. જ્યારે એ ગાયબ થાય ત્યારે હળવેથી નિકળી જવું . આજે મુડદા ઉખેડી ઘા તાજા કરવાનો કોઈ મતલબ નથી.
“મૌનં પરં ભૂષણં “
નામના અને લક્ષ્મી થી સો જોજન દૂર રહેવું પસંદ છે.
૨૧મી સદીમાં “ગુજરાતી સાહિત્ય સરિતા “ ની સ્થાપનામાં સક્રિય ફાળો આપ્યો. ગમતો વિષય અને સરખી પસંદવાળા વ્યક્તિ સાથે મૈત્રી કેળવી. ઉમંગ અને દિલથી સેવા આપી. જ્યારે ત્યાં પણ કાવાદાવા પ્રવેશ્યા એટલે દૂરી બનાવી.
લેખન પ્રવૃત્તિને વેગ મળ્યો . ખૂબ જાણવા અને શિખવા મળ્યું .
બોલીને બગાડવામાં ફાયદો નથી. જીભમાં હાડકું નથી એ જગજાહેર છે.
અંતમાં સેવાના કાર્યમાં પ્રવૃત્ત છું. હરિભજન અને કીર્તન લખવા તેમજ ગાવા ગમે છે. “યોગ” ના વર્ગ ચલાવી સમાજ સેવા કરવાની તક સાંપડી છે.
ઈશ્વર ની કૃપા રહે, પ્રાર્થના .