[1/16, 1:41 PM] Sweta Talati.MeM.NoG: NG 0078
વિષય – ઓમિક્રોન અને ઉત્તરાયણ
પ્રકાર – પદ્ય (ગીત)
મન ગગનમાં ઈચ્છા તણી પતંગ ચગ્યા કરે;
રંગબિરંગી સ્વપ્ન – પતંગોમાં કિન્ના બાંધ્યા કરે.
હો ફીરકી, પિલ્લું કે લચ્છો પતંગથી બાંધે દોર,
ગૂંચવાઈ જાય ને કોઈ વાર દેખાય પણ ના છોર,
ક્યારેક છોડે ઢીલ તો ક્યારેક ખેંચે આ મનમોર,
અગાશી પણ આ તાલ આખો જોયા કરે,
મન ગગનમાં ઈચ્છા તણી પતંગ ચગ્યા કરે.
કોઈ ખૂબ ઊંચે ચડીને એકદમ નીચે પટકાય;
કોઈ ચગે જ નહી વગર હવાએ ગોથા ખાય;
બહુ દઉં ઠુમકા તોય અટવાય કે પટકાય,
વળી ચગાવવા કેમેય, કોઈ છૂટ દીધા કરે,
મન ગગનમાં ઈચ્છા તણી પતંગ ચગ્યા કરે.
કોઈનો કાપીને પિપૂડી વગાડજે ભઈલા,
“એ કાઈપો છે”ની બૂમ પાડજે ભઈલા,
તારો પણ ક્યાં સુધી ચગશે કહે ભઈલા?
હાથમાં છે ‘ઈચ્છા – દોર’ છોડ્યા કે લપેટયા કરે,
મન ગગનમાં ઈચ્છા તણી પતંગ ચગ્યા કરે.
– શ્વેતા તલાટી
[1/16, 3:28 PM] Dr.Aniruddh Vyas.MeM.0082NOG: N o g : s s 0082
પ્રકાર: ગદ્ય ,
શીર્ષક : ઓમિક્રોન અને
ઉત્તરાયણ ,
માનવી ઉત્સવ પ્રિય છે
અને એમાય હિન્દુ ધર્મ એ ઋતુ
ચક્ર સાથે જોડાયેલ આસ્થા પ્રિય
પર્વને વરેલો છે,
દરેક પર્વ આનંદ ,ઉલ્હાસ અને
મસ્ત મજાના મિષ્ટાન સાથે
ઉજવવા મનુષ્ય પોતાની ઊર્જા ને પ્રફુલ્લિત કરે છે,
પર્વનું મુખ્ય ધ્યેય, સમભાવ, દાન ધર્મ , શીત લહેર,
અને આરોગ્ય પુષ્ટિ કર બલ્ય
ચણા તલ અને ગોળ જેવા ઊર્જા યુક્ત શરીરને પુષ્ટિ આપે તેવા દ્રવ્યોથી એક અદમ્ય શક્તિના સંચયથી શરીરને
રોગો સામે અતુલ્ય સંચાર પુરો પાડે છે,
આધુનિક જમાનાના રોગો કે જે
નવા સ્વરૂપે પ્રગટ થઈ સમગ્ર જગતને ધમરોળી રહ્યા છે, તે
ઓમિક્રોન , કોરોના, ડેલ્ટા વાયરસ વગેરે આધુનિક વિજ્ઞાન
ના ઉપદ્રવી માનવીની મલિન ઈચ્છાઓ ના ફળ સ્વરૂપે પ્રગટ
એક મહા વિનાશ કારી દૈત્ય
આપણને જોવા મળ્યો છે,
વિજ્ઞાન ની ફલશ્રુતિ નુ આ એક વરવું સ્વરૂપ આપણને જોવા મળ્યું છે,
વૈશ્વિક અર્થતંત્ર આ મહામારી સામે લાચાર બની મુક દ્રશ્યમાન બની આ આપદા સામે પરાજિત થઇ છે,
માનવી દેવાધિદેવની કૃપાથી જે
અમૃત સમાન બુદ્ધિ ધન પામ્યો છે
તેને વિકૃત માનસિકતાથી વેડફીને
સમસ્ત જગત ત્રસ્ત થાય તેવું
કર્મ કરી જગતને ત્રાહિમામ્ કરી
દીધું છે,
સમસ્ત જગતમાં અવિશ્વાસ જેવું વાતાવરણ ઉભુ કરી
ભગવાન પછી જે બીજું સ્થાન માટે યોગ્ય સમજતા હતા તેવા
તબીબી વ્યવસાયીઓ ની કાર્ય શૈલી પર પ્રશ્નાર્થ ચિન્હ મૂકી
સમાજની ઉત્તમ સેવાના પુણ્ય
કર્મ સમયે હતાશા ઉભી કરી,
ધીરજવાન મનુષ્ય પણ ચિત ભ્રમિત થાય તેવા વરવા રૂપો
કોરોના અને ઓમિક્રોન વાયરસ
થી ઉદભવેલ સમસ્યાઓ થી
નિર્મિત થયા,
ગુજર ગયે સારે લમ્હે,
યે વકતભી ગુજર જાયેગા
નસીબને જો લીખા હે વો
ફિર વાપસ મિલ જાયેગા
ડો અનિરુદ્ધ વ્યાસ
નડિયાદ