GN_16-01-22.
[1/14, 1:26 AM] Anjana Gandhi.MeM.NOG: N. O. G. SS NO 0026.
વિષય – એમિક્રોન અને મકરસંક્રાંતિ.
શીર્ષક – શત્ મ જીવઃ શરદ.
વિભાગ – પદ્ય (મૌલિક રચના)
શબ્દ -(૪૪)
એકવારે આવીને માપી લે તું ઉત્તરાયણનું કદ.
જોતાં જ બોલશે એમિક્રોન જાઓ શત્ મ જીવઃ શરદ.
ક્યાં થશે કોઈ જોર ઓછું એમિક્રોનનાં ડરથી?
માપી શકો તો માપજો તહેવારનું અદ્ભૂત છે કદ.
એકવારે આવીને કોરોનાને ભરખ્યું આ જગત,
એમિક્રોન આવ્યું અને લાવ્યું પછી એવું જ દર્દ?
અંજના ગાંધી “મૌનુ”
વડોદરા
(હાલ અમેરિકા)
[1/14, 12:07 PM] Shila Patel.MeM.NOG: NOG SS :- 0038
વિષય :-ઓમીક્રોન અને મકરસંક્રાંતિ
વિભાગ :-ગદ્ય
શીર્ષક :-પતંગ
કોરોના ને ભૂલી ઓમીક્રોનને પણ ભુલાવીએ,
સાવચેતી રાખી આવો ઉત્તરાયણ મનાવીએ.
સહેજ ભીની ને સહેજ કુણી લાગણીથી માંજો પકાવીએ,
બાંધી સ્નેહનો પતંગ ચગાવીએ…!
ખાય ચીક્કી ,ઊંધિયું ને શેરડી ચૂસી મજા માણીએ,
ચાલો બધા ઉત્તરાયણ મનાવીએ…!
આપણી ખુશીઓમાં થોડું ધ્યાન પંખીઓનું રાખીએ,
ચબૂતરે થોડું ચણ નાખીએ…!
પ્રેમનો ચગાવી પતંગ ને નફરતને દૂર ભગાવીએ,
પતંગ લૂંટવાની સાથે કોઈના દુઃખડા લૂંટી લઇએ….!
સંબંધોની પેચમાં સ્નેહનો પતંગ તૂટેના એ જોઈએ,
પ્રેમની પાક્કી વાળી ગાંઠ દૂર ચગાવીએ….!
મોજમસ્તી કરી ચાલો ઉત્તરાયણ મનાવીએ,
અબોલ પારેવાને આજે સાચવીએ…..!
✍️શીલા પટેલ “આકાંક્ષા ”
[1/14, 1:07 PM] Kalpanaben Trivedi.MeM.NOG: NOG…SS..
નંબર..19
વિષય…ઓમિક્રોન અને મકરસંક્રાંતિ
પ્રકાર.. ગદ્ય.. લેખ
શીર્ષક…. સંસ્કાર અને સંસ્કૃતિ
માનવી પોતે જોયેલું એક સ્વપ્ન સાકાર કરવા પ્રયત્ન કરતો રહે છે. આભને આંબવા કદાચ એણે વિમાનની શોધ કરી.પ્રકૃતિ પણ જુદાજુદા તહેવારો સાથે તાદાત્મ્ય સાધવાનો મોકો આપે છે. હાલનાં સંજોગોમાં કોરોના વાઈરસ અને ઓમિક્રોન વાઇરસ પતંગની જેમ માથાં પર ઝળુંબી રહ્યાં છે, ત્યારે માનવીએ જાગૃત થવું જરૂરી. મકરસંક્રાંતિ એટલે પ્રકૃતિ, પ્રેમ, અને લાગણીઓનો સમન્વય. ઘણાં યુવાન દિલો પતંગ સાથે દિલનાં પેચ પણ લડાવે છે. પ્રિયપાત્રનું નામ લખી સંદેશો આપે છે. ઉતરાયણ દ્વારા સ્વજનોનો મેળાવડો થાય છે. આજે કાળ જેવો રોગ આવતાં સૌ ભયભીત થયાં છે. મળવાની વાતથી એક ડર અનુભવે છે. કુદરતે સમજાવ્યું કે જો તમે તમારી મર્યાદા ઓળંગશો તો સંક્રમણ થવાનું જ છે. માટે, સૌ પોતાની મર્યાદા સમજી..યોગ્ય અંતર અને સુરક્ષા જાળવી તહેવારો ઉજવે.ગરીબ બાળકોને ખવડાવી ખુશી મેળવો.પશુ પંખીનું રક્ષણ કરો.દાનપુણ્ય કરીને તહેવારોની મજા લો.ઓમિક્રોનનાં વધતાં જતાં ખતરાંને સાવચેતીથી ટાળીએ.આ આંકડો વધતો જશે તો ફરી ખતરનાક સંકટ આવી પડશે.
ઉતરાયણની મજા માણીએ. સાવધાની રાખીએ.
” સિદ્ધિ મળી જયાં એક લાખો દિશાઓ ત્યાં ખૂલી,
કોને ખબર ક્યાં સુધી મારો વિકાસ છે.”
કલ્પના બેન ત્રિવેદી સુરેન્દ્રનગર
[1/14, 2:49 PM] Leena Sharma.MeM: NOG S.S.No0098
પ્રકાર:- ગદ્ય
વિષય:-ઓમિક્રોન, મકરસંક્રાંતિ
શીર્ષક:- સાવધાની
મિત્રો આખી દુનિયામાં કોરોના ના ઓમિક્રોન વેરિઅન્ટ ઝડપથી પ્રસરી રહ્યો છે.ચારો તરફ હાહાકાર મચી રહ્યો છે. આપણા દેશમાં દિવસે ને દિવસે કોરોના કેસનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. ઓમિક્રોન ના લક્ષણ પણ શરદી-ઉધરસ જેવા છે. મૌસમ પણ વિચિત્ર છે અને હાલમાં રાજ્યના ચૂંટણી પણ થવાની છે.તો કેસ વધવાનો એ પણ એક કારણ રહેશે.આંકડાનો ફિગર સરકાર ની ખામી,મૌસમ નો વાંક કાઢવા કરતા મિત્રો આપણને સતર્ક અને સાવધાન રહેવું જરૂરી છે.આમાં માસ્ક એક સારો વિકલ્પ છે. કામ વગર ફરવું નહીં, સરકારના પ્રોટોકોલ નું પાલન કરવું.
ભારતમાં 14 મી જાન્યુઆરી ના દિવસ ”મકરસંક્રાંતિ” પર્વ તરીકે ઊજવાય છે. આ દિવસ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, એટલે “મકરસંક્રાંતિ” કહેવાય છે.મકરસંક્રાંતિ નું બીજું નામ ઉતરાયણ પણ છે.ઉતરાયણના દિવસે નાના-મોટા બધા લોકો ધાબા પર પતંગ ચગાવે છે અને ઊંધિયું- જલેબી ખાવાનું મસ્ત આનંદ માળવે છે. આમાં સૂર્ય દેવની ઉપાસના નો ઘણું મહત્વ હોય છે. સૂર્ય દેવતાની કૃપા મેળવવા માટે તપ,જપ, દાન, દક્ષિણ કરવી જોઈએ. ગોળ, તલ,ઘઉં,બોર ,શેરડી ,મસૂરની દાળ ,ગરમ કપડાંનું દાન શુભ માનવામાં આવે છે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકરસંક્રાંતિ નો દિવસ સૂર્યદેવની પૂજા ઉપાસના ખૂબજ ફળદાયક છે. સૂર્યના વિવધ મંત્રોં છે ,જેની પૂજા કરવાની વિવિધ વિધિ પણ હોય છે.
સૂર્ય નો બીજ મંત્ર= ઊં ઘૃણી સૂર્યાય નમઃ|
સૂર્યને અર્ધ્ય આપતી વખતે આ મંત્ર નું ઉચ્ચારણ કરવાથી સૂર્ય ની કૃપા પ્રાપ્ત થાય છે.
🪁હેપ્પી ઉત્તરાયણ🪁
✍️
લીના શર્મા,
હાલોલ.
[1/14, 3:56 PM] Ratibhai Vaayada.NOG.MEM..Bombay Puja Kanani.Mithapur: N.O.G. S.S. N0102.
વિષય. :-.અમિક્રોનઅનમકરસંક્રાંતિ.
પ્રકાર.:- ગદ્ય.
શીર્ષક. :-. અમિક્રોન અને પતંગોત્સવ.
છેલ્લા બે વર્ષથી આ દુનિયા ઉપર કોરોના નો કહેર છે. હમણાં થોડા સમય પહેલાં થોડી રાહત મળી હતી તેથી લોકો આનંદપૂર્વક પોતાના દિવસો ગુજારતા અને ઉત્સવ મનાવતા હતા.
હમણાં હમણાં અમિક્રોનનો કહેર વધ્યો છે. આપણે શેરડી ખાતા હોઈએ એનો સ્વાદ આવે અને ગાંઠ આવે ત્યારે આપણે ન ગમે તેવું અત્યારે થયું છે. મકરસંક્રાંતિનો આજનો પવિત્ર દિવસ લોકો પતંગોત્સવ તરીકે ઉજવે છે. ભારતના જુદા-જુદા ભાગમાં જુદા જુદા નામે તેની ઉજવણી થતી હોય છે. પરંતુ કોરોનાએ કહર મચાવીને લોકોના ઉત્સવ પર પાણી ફેરવી દીધું છે.
આજે મકર સંક્રાતિ છે. હું મારા મિત્રો અને પરિવારજનો સાથે ચરખી અને પતંગો લઈ અને મારી અગાસીએ ચડ્યો ,સાથે સાથે કોવિડ ગાઈડ લાઈન નું ધ્યાન રાખી અને પતંગ ઉડાડવાનું શરૂ કર્યું.
આકાશમાં રંગબેરંગી અને જુદીજુદી પ્રકારના પતંગ ઉડી રહ્યા હતા . લોકો જુદા-જુદા વસ્ત્ર પરિધાનમાં માસ્ક બાધીને પતંગ ઉડાડી રહ્યા હતા, અગાસીમાં જાણે વાંદરા દોડતા હોય તેવું લાગતું હતું.
આજે મકરસંક્રાંતિના દિવસે જલેબી, ઉંધીયુ, અડદિયા, ગોળના લાડવા , તલના લાડવા, તલ સાકરી, ચીકી ,બોર ,ગાજર, જીંજવા વગેરે પણ લોકો ખાતા હતા ,અને બીજાને આગ્રહથી ખવડાવતા હતા.
અગાસીમાં ડી . જી. પર ગીતો વાગતા હતા. પતંગ ચટ થતા લોકો સીટી પાડત અને હુરીયો બોલાવતા હતા. કેટલાંક વિડિયો ઉતરતા હતા.
રસ્તા પર પણ લોકો ઝાંખરાં નાંખી અને પતંગ પકડતા . કેટલાંક લંગરિયા નાખતા. અફડાતફડીમાં માથાકૂટ થતી. ઘણાં લોકો વાહનોની અડફેટે આવી જતા અને ઇજા પામતા , અને અગાસીમાંથી પડવાના સમાચારો પણ આવી રહ્યા હતા. રસ્તામાં જતા લોકોના શરીર ઉપર દોરીના કારણે ઈજાના નિશાન બનતા જતા હતા. આકાશમા ઊડતા પંખીઓને પણ દોરી ના કારણે ઇજાઓ થતી હતી, અને તેઓ નીચે પડી જતા હતા.
હવે સાંજ પડવા આવી હતી સૂર્ય આથમી ગયો હતો. સારા પવનને કારણે પતંગ ઉડાડવાની મજા આવતી હતી .સાંજ પડી ત્યારે લોકો પોતાના પતંગમાં જુદા જુદા પ્રકારના દીવડાઓ ટાંગી તેમજ રંગબેરંગી ઈલેક્ટ્રીક લાઈટ ટાંગી તેમજ તુક્કાપતંગો આકાશમાં રમી રહ્યા હતા. સાથે સાથે લોકો ફટાકડા ફોડતા અને આવા રંગબેરંગી ફટાકડા અને જુદા જુદા પ્રકારના રંગીન પતંગો આકાશમાં ઊડીરહ્યા હતા આકાશ સુંદર લાગતું હતું.
ભલે કોરોનાનો કહેર હતો, પરંતુ અમે તો શાંતિથી પતંગ ઉડાડી અને આજના દિવસનો મકરસંક્રાંતિના મહાપર્વનો આનંદ માણ્યો. લોકોએ પણ દાન ,પુણ્ય કર્યા અને આજના દિવસે મજા પડી.
જીવન પણ કેવું પતંગ જેવું છે. ઊંચે જાય, સ્થિર રહે,નીચે આવે,ગુલાટી ખાય,બીજા સાથે આંટી લડાવે, કાપે કે કપાય આ ક્રમ ચાલતો જ રહે છે.કોરોનાના કહેરમાં પણ આનંદ તો લઇ લેવો,પછી દ્રારકાધિશની મરજી.મારી નાડ તમારે હાથ જો, હરિ સંભાળજો.
રતીલાલ વાયડા
૧૪/૧/૨૦૨૨ . શુક્રવાર.
નવી મુંબઈ
[1/14, 4:20 PM] Jaykant Ghelaani.MeM.NOG: NOG સાહિત્ય સરિતા પરિવાર
ગૃપ.
NOG NO.S.S.0059.
વિષય:ઓમીક્રોન ને મકરસંક્રાંતિ.
પ્રકાર: ગદ્ય -લેખ.
શીર્ષક: ‘ ભાઈ! જીવો જિંદગી
જીંદાદિલીથી’.
શબ્દો: ૩૪૭.
‘પ્યારે’ માનવજીવન એટલે ?
જન્મથી મૃત્યુપર્યંત,સંઘર્ષનો સામનો કરતાં કરતાં, પ્રબળ પુણ્યોદયે મળેલાં જીવનને જીંદાદિલીથી આનંદપૂર્વક જીવી જાણવું !
” ફીકરનીકરેછે જે જીવનમા ફાકી
પ્યારે’જીવીજાણે તેજીદાંદીલીથી
આ વિશ્ર્વની ઉત્પત્તિ થઈ ત્યારથી સમગ્ર સૃષ્ટિની, જીવસૃષ્ટિએ, સમયે સમયે અનેક હોનારતો પ્રલય અને કુદરતસર્જીત તેમજ માનવ સર્જીત આફતોનો,
હિમત અને ભાઈચારાની ભાવનાને પ્રાધાન્ય આપી,સામનો કર્યો છે, પછી તે,
ભૂકંપ હોય કે પૂર,
આતંકી આક્રમણ હોય કે યુધ્ધ,
મેલેરિયા હોય કે કોલેરા,
કે પછી કોરોના હોય કે ઓમીક્રોન!
અહીં શાસન કરવાં આવેલાં મોગલો ગયા,ફ્રેન્ચ ગયા, અંગ્રેજ ગયા, સમજોને અન્યાય કરનારા સર્વે ગયાં.
તો પછી આ ચીની ઓમીક્રોન ની
છે શૂ તાકાત !
આ ભારતની પવિત્ર પુણ્યભૂમિ છે.આ સંતોની ભૂમિ છે.
સત્ય, ત્યાગ અને અહિંસા આપણો જીવનમંત્ર છે.
માનવ જીવન એટલે,મકરસંક્રાંતિ સમયે ઉંચે નભમાં ઉડતાં,
પતંગ જેવું જીવન !
જેમ પતંગ,અંબરને આંબવા અને ટકી રહેવાં, શરૂઆતથી અંત સુધી આવતાં ,અનેક વિપરીત તથા વિષમ પરિબળોને માત કરવાં
મેદાને પડે છે, અને પોતાના ઉંચાઈએ પહોંચવાનાં, પોતાના લક્ષને પ્રાપ્ત કરવાં,અનેક પરીસ્થિતિનો મુકાબલો કરે છે, ભલે,
અંતે પોતાનું ખુદનું અસ્તિત્વ ગુમાવવું પડે !
પણ, ઊડેછે ઠાઠથી,કેમ ખરૂને ?
જીવન જીવવુંછે તો જીવો જીંદાદિલીથી !
સમગ્ર વિશ્ર્વમાં લગભગ છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે,તેમાં સમગ્ર માનવજીવન તદ્દન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
ઘણા લાંબા સમયથી અર્થતંત્ર ખોરવાયું હતું, તે ધીમે ધીમે પાટા ઉપર ચડી રહ્યું છે,તેવા સમયે નવા વાયરસ ઓમીક્રોન આગમનથી માનવજાત ફરી ભયભીત બની છે.
માનવજીવનમાં, પર્વોનું આગવું સ્થાન છે, વિશેષ મહત્વ છે, મકર સંક્રાંતિનો તહેવાર જે આરોગ્ય સાથે ઉત્સાહ, ઉલ્લાસ અને નૂતન ઊર્જાનો સંચાર કરે છે.
માનવજાત માટે તે કલ્પવૃક્ષ સમો બની રહે અને સમગ્ર માનવજીવન ફરી આનંદપૂર્વક ઉજવણીનો અમૂલ્ય આનંદ આપણે સૌ સાથે માણી શકીએ તેવી શુભેરછાઓ.
‘ઓમીક્રોનને નજર સમક્ષ રાખીને આપણે સર્વેએ મકરસંક્રાંતિ નો આનંદ માણવાનો છે.હા,સરકારી આદેશ ,ગાઈડલાઈનનું પૂરેપુરૂં પાલન, આપણી પ્રાથમિક ફરજ બનેછે,તેમાંજ સલામતી છે.
પતંગ પતંગવચ્ચે અંતર રાખશે જે પ્યારે’આનંદ,સલામતી માણશે તે.
માસ્ક,ને દૂરીરાખશે,જે આસમયે, ‘પ્યારે’પરિવારગણશે હિતેચ્છુતેને.
“જીવો અને જીવવા દો” ના સૂત્રને જીવનમા અપનાવે,તે સૌથી સુખી.
©️જયકાન્ત ઘેલાણી ‘પ્યારે’.
[1/14, 6:07 PM] Babu Sangada.પત્રકાર: SOG.109
વિષય:-ઓમિક્રોન અને ઉતરાયણ .
શિર્ષક :-ડર છોડ હવે તો.
પ્રકાર :પધ
તૂટેલ ખાટલે પડેલી બા જેવી,
શુ જીવે છે?
આ જિંદગી,
ને નજર કેદ કેદી જેવી.
યુગેયુગ વ્યાધિ,ઉપાધી આવી છે,
લડયો,ઝઘડયો,
ને સમયે સમાધાન કરી,
માણસ જીવતો રહ્યો છે.
તોફાન નામે કયાંક તો,
કયાંક જવાળામુખી નામે,
નામ બદલી રેડાતી રહી કુદરત,
જો ઈતિહાસ,માણસ ભૂલી જીવ્યો છે.
કોરાેના કે ઓમિક્રોન અંશ એનો,
પછી માનવસર્જિત કે કુદરતી હોય ,
તે પડદા પાછળ ખેલ રચે,
એણે કયાં ?કયારે ?શિર ચડાવ્યુ છે.
ઊઠ ઉતરાણ કે ચઢાવ ભલે હોય ,
કાફલો જવા દે મંજિલ તરફ,
ડર છોડ,આપદા જિંદગીનું બીજું નામ છે.
સમાધાન કર સમય સાથે.
કાલ ઉજળી થશે. સમયે શિખવ્યુ છે.
બાબુ સંગાડા..મહેક