[1/12, 9:20 PM] Jayshre
Sahityakar: *NOG SS NO:004*
*વિષયઃ* *ઓમિક્રોન અને મકરસંક્રાંતિ*
*પ્રકારઃ ગદ્ય વાર્તા*
*શબ્દોઃ*૩૫૦*
*શીર્ષકઃ* *સંદેશ*
દાદા દાદા કરતી રુકિમણી તાઈ લવકર દુકાન પર આવી. તેણે જોયું આજ બાજુંની દુકાન મહેશની બંધ છે.
આઈ પણ તેને કહેતી હતી જલ્દી જલ્દી જા નાહિતર મહેશ દુકાન બંધ કરૂન નિઘૂન જાણાર.ત્યાંના તિલગુડ ઘ્યા આણિ દાદાના સાગૂન યે આજ લવકર ઘરી યે.
આ એ બે પાડોશીઓ હતા. એક મરાઠી કુટુંબ અને બીજું ગુજરાતી કુટુંબ. એક નોનવેજ ખાનારું ને બીજું શાકાહારી બ્રાહ્મણ કુટુંબ. બન્ને વચ્ચે ખૂબ સારો સંબંધ. બાજુમાં બંગાળી સુહાસબાબુ રહે.ચાલીમાં જ નીચે બે જણની દુકાનો હતી. બંગાળીબાબુ નોકરિયાત હતા. તેમની પત્ની જન્મજલી , તેના મોઢામાંથી ક્યારેય સારું વાક્ય નીકળે જ નહિ. ત્રણેની ભાષા અલગ પણ ત્રણેય વર્ષોથી સાથે રહેલાં તેથી મિક્સ ભાષા વપરાતીને સાથે બમ્બૈયા હિન્દી હમકો તુમકો ઈસકો ઉસકો વાલી.
કોરોનાકાળ વીત્યો થોડો સમય સરસ રીતે પસાર થયો. બસ બે દિવસમાં મકરસંક્રાંતિ હતી. ગુજરાતીને ત્યાં જાત જાતની ચિક્કી બને. તો મહારાષ્ટ્રીયન ને ત્યાં તીલગુડ બન્યાં હતા.બંગાળીઓ માછલી મીઠાભાત બનાવી ઉજવે છે. પંજાબી લોહઢી. મહેશ દેખાતો નથી સવારથી દુકાન ખોલી નથી. સૌથી વધુ શોખ તો મહેશને આખી ચાલીનાં બાળકો ભેગા કરીતે ચાલીની અગાશીમાં ડિસ્કો મ્યુઝિક તો નાસ્તા પાણીની વ્યવસ્થા કરતો. બે દિવસમાં ઉત્તરાયણ છે. મહેશના માતાજી દર વખતની જેમ જ બધી તૈયારી કરી મહેશની રાહ જોઈ રહ્યાં હતાં. બધાં મહેશ હમણાં જ આવશેની રાહ જોઈ રહ્યાં હતાં. રાત્રી થઈ ને સવાર થવાં આવી.
બધાં બાળકો અગાશી પર ચઢ્યાં પણ ત્યાં તો મહેશના ઘરનો ફોન રણક્યો અને હોસ્પિટલમાંથી ફોન આવ્યો. રિસીવર ઉપાડતા સામે છેડેથી અવાજ આવ્યો,
“ મી. મહેશકા ઘર હૈ?”
તેની માતા બોલી,” હા , “
સામેથી કહેવાયું,” મી. મહેશ કો ઓમિક્રોન હુઆ થા! વે ખુદ આયે થે અસ્પતાલમેં ! ઉનકી મૃત્યું હો ગઈ હૈ.”
માની સમજમાં ન આવ્યું કે એકના એક દીકરાને કોઈ *ઓમિકરોન* ખા ગયા. પૂરી ચાલમાં સન્નાટો છાઈ ગયો.
મકરસંક્રાંતિ લાલ લીલા પીળા રંગોને ઓઢી આસમાન પોતે ખુશખુશાલ દેખાઈ.ત્યાં ગુમસુમ ચુપકી આક્રંદ કરવા લાગી. *તિલગુડ ઘ્યા ગોડ ગોડ બોલા* આતો જાણે ઝેર બની ગયું.
કોરોનાનો આંતક પત્યો ત્યાં ઓમિક્રોન બોલતા પણ નહોતું આવડતું તેવી માનો પુત્ર છીનવાય ગયો. કહેવાય છે પવિત્ર દિવસ છે આ તે દિવસે ભિષ્મ પિતાએ પોતાનું સ્વેચ્છા મૃત્યું સ્વીકારેલું.
આખી વિશાલ ચોલનો વિશાલ હૃદયી પુત્ર, મિત્ર, બાળકોનો મસીહા મકરસંક્રાંતિ પહેલાં જ ચાલ્યો ગયો.
કોઈ એક બાળકે પતંગ પર બે સંદેશ ઈશ્વરને લખ્યાં. આગળ લખ્યું *મહેશચાચુ પ્લીઝ કમ બેક* બીજી બાજું લખ્યું *ઈશ્વર કોરોના ને ઓમિક્રોન ને પ્લીઝ પાછો બોલાવી લે.*
*જયશ્રી પટેલ*
*૧૩/૧/૨૨*
(*સત્યઘટનામાં થોડા ફેરફાર સાથે)*
[1/12, 10:58 PM] Pravina Kadakiya.MeM NOG Houston: N O G S S No 0079
વિષય Omicron- મકર સંક્રાંતિ (પતંગ)
શીર્ષક તું અને હું
પદ્ય
———-
શું કરવી તારાથી બરાબરી
ખાલી પીલી થશે મારામારી
–
હું મુક્ત હવાનો મુસાફર
તું કરે માનવ ગિરફતાર
–
નાના મોટા મુજને જોઈ હરખે
તારાથી ભાગે તું સહુ ભરખે
–
જલેબી ઉંધિયા ની ઉજાણી
વેકસીન ની કતાર લંબાણી
–
નીલ ગગને મુક્ત લહેરાઉં
દવાખાને ખાટલો કણસવું
–
વર્ષમાં એક દિવસ આવું
બે વર્ષથી પાછું ન જાવું
–
પતંગ સંગે દોર ફિરકી
તારી સંગે તાવને ખાંસી
–
ટાંકી અગાસી છત મેદાન
ખાટલા ડોકટર ઇસ્પિતાલ
–
ઘોંઘાટ કાઈપો સંભળાય
માસક છ ફૂટ દૂર જવાય
–
ફાનસ ચડે શાંતિ સોહાય
શ્વાસ બંધ લાશ ખડકાય
–
હોંશે ઉજવે ફરી આવીશ
કમોતે મરે તંબુ તાણીશ
પ્રવિણા અવિનાશ
ઓમિકરોન ને મકરસંક્રાંતિ
NOG SS No :- 0089
પ્રકાર : ગદ્ય અને પદ્ય
શીર્ષક :- ઓમિકરોન ને મકરસંક્રાંતિ
કાંટો સે ખિચકે આંચલ તોડ કે બંધન બાંધે પાયલ
આજ ફિર જીને કી તમન્ના હૈં આજ ફિર મર ને કાં ઇરાદા હૈં
જ્યારે કરોનાથી માંડી ઓમિકરોન ની લડત જારી છે તો પણ હિમંત હારવાની નથી. અને મકરસંક્રાંતિ ની તલસાંકળી પણ બનાવી લેવાની પતંગની આકૃતિમાં રંગ ટીકકી ચોંટાડી મજા કરવાની છે… તમે પણ જોડાશોને તો બહુ ગમશે .
પવન પાતળો કાગળ લઇને નભે ઉડાડ્યો પતંગ સાસુજી
વાંસ-સળી નો કિત્તો લઇને લખવા બેઠા ગઝલ પિયાજી
પવન સૂસવે ઘડીક સામટો ઘડીક માં તો ખાતો ખત્તાજી
કોઇ કહે ઉડી માછલી જુઓ જુઓ લો પરબારી આકાશેજી
હાંફી હોંશે હોંશે સમજ્યા કે ઢીલ દે તું કહે તો કાપું જી
કપાયો છે સમજાયું ફેંકી ફિરકી,રુવે જાણે હોય નાના બચ્ચાજી
રાહુ જેવો પડોશી પાડે રાડું મોટી જી ફિરકી મૂકી ઝાલું પિયુજી
મૃદુલ લાગણી ભ્રમણ ચીરા દામોદર વળગ્યો લાજી મરી હું જી
પડયા ગોગલસ,પડયા સસરાજી દોડી આવ્યા ગભરુ સાસુજી
મૂકે ચીકકી ની કટકી ત્યાં તો હસી પડયા ઊઠી સસરાજી
— રેખા શુકલ
વાત સહજ ખુલે જો તસવીર કંઇક બોલે ઘર ઘર ફરે દર્દ તો પણ ઝુંબેશ જીવનમાં જારી જ છે.
*ખુશ રહેવાનો મતલબ એ નથી કે તકલીફ નથી,… એનો મતલબ એ છે કે તમે તકલીફથી આગળ વધવાનો નિર્ણય કરી લીધો છે* !!
આકાશ માં ગમે તેટલા પતંગ ઉડે મેં મક્કમ નિર્ણય કરી લીધો
પારેવડાં ને દુ:ખી નહીં કરું.
*ગમી જઈએ છીએ આપણે ઘણાને,….. એ.. પણ.. ગમતું નથી ઘણાને*….
રંગબેરંગી પતંગની દુકાન સાથે ફીરકી ને જોતાં નજર જયાં પડી
લાંબા પૂંછડીયાળા પતંગ પર ને મનુકાકા એ ઉપાડી લીધો ને રાજ ને આપી દીધો. પણ રાજે તો ધૂળમાં રગદોળી નાંખ્યો .
*ઉંમર સાથે કંઈ લેવા-દેવા નથી, એકબીજા ના વિચારો મળે ત્યાં જ દોસ્તી થાય છે*…
રહીમ ચાચા એ કહ્યું કે દોસ્ત મારી પાસે પુંછડી વગર નો છે તને ગમશે ??
*હક વગર નું લેવાનું મન થાય છે, ત્યારે મહાભારત નુ સર્જન થાય છે…… પરંતુ હકનું હોય છતાં પણ છોડી દેવામાં આવે છે ત્યારે રામાયણનું સર્જન થાય છે*…….
રાજે હાથ મારી ઝૂંટવી લીધો પછી શું સરજાય ??
*આપણે માફ તો વારંવાર કરી દઈએ છીએ,. પણ ભરોસો તો એક જ વાર કરીએ છીએ*!!
પરંતુ રાજ ને બન્ને વાર ચાચા એ માફ કર્યો પણ બીજો પતંગ તેના હાથ માં દેવાનો વિચાર માંડી વાળ્યો
*એકલા ચાલવું આમ તો અઘરું નથી, પણ કોઈની સાથે ચાલ્યા પછી એકલા પાછા ફરવું એ ખુબ જ અઘરું છે !!* .હા
કપાઈ ગયો રાજ નો પતંગ ને ફિરકી લપેટતા વિલાયેલ નજરે
જોઇ રહ્યો .
*ખોવાઇ’ ગયેલી વ્યકિત મળી શકે, પણ બદલાઇ’ ગયેલી વ્યકિત ક્યારેય મળતી નથી*.
પરદેશી ધરતી ને દેશી આભ નું ખેંચાણ હજુ પણ છે.
હો રાજ તન મન પહેચાને ટુક્કલ ની જાણ હજુ યાદ છે.
—- રેખા શુકલ
[1/13, 5:05 PM] Nikhil Kinariwala.MeM: NOG SS No : 0110
વિષય: ઓમિક્રોન અને મકરસંક્રાંતિ પર્વ
પ્રકાર: ગદ્ય (વિચાર વિહાર)
શબ્દ: *૩૪૩
શિર્ષક: ભયના ઓથાર હેઠળ ઉત્સવની ઉજવણી
૨૦૨૦ના વર્ષથી કોરોનાએ વૈશ્વિક બીમારીના સ્વરૂપમાં આખા વિશ્વને જાણે બાનમાં લીધું છે. બે વર્ષ થવા આવ્યા પરંતુ હજુ મનુષ્યજાતિ કોરોનાની શ્રાપીત અવસ્થામાંથી મુકત થઇ શકી નથી. મનુષ્ય પોતાની સઘળી બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરીને આ જીવલેણ રોગ સામે લડત આપી રહ્યો છે. પરંતુ રહ્યો તો છેવટે મનુષ્ય જ ને. મનુષ્ય તેની શક્તિની મર્યાદાઓ એ આવીને અટકી જાય છે. હાલ ૨૦૨૧ના વર્ષની આખરથી કોરોનાનો જ પિતરાઈ ભાઈ એવો નવો વેરિઅંટ ઓમિક્રોન સમગ્ર વિશ્વને ભયથી થરથર કંપાવી રહ્યો છે.
આ ઓમિક્રોનના ડરથી આપણે પણ શી રીતે બાકાત રહી શકીએ? હવે પ્રશ્ન એ છે કે આપણે તો સૌ ઉત્સવપ્રેમી ભારતવાસીઓ. કદાચ એવું કહીએ તો ચાલે કે આપણા ઉત્સવ એ આપણી જીવન વ્યવસ્થાનું એક અભિન્ન અંગ બની ગયું છે. અને તેમાં પણ મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ નો તહેવાર ખાસ કરીને આપણા ગુજરાતીઓને માટે ધોધમાર આનંદ આપતો ઉત્સવ. ઉત્તરાયણના ઉત્સવને આપણે પતંગોત્સવના ઉત્સવમાં પલટી નાખ્યો છે. નાના બાળકથી માંડીને મોટી ઉંમરના વૃદ્ધ સુધી આ પતંગોત્સવ ને એટલા આનંદ ઉલ્લાસથી મનાવે છે કે તે કુટુંબોત્સવમાં પરિણમી જતાં વાર લાગતી નથી. પતંગ-દોરી, તુકકલો, ઉંધિયા ને જલેબીની જયાફત અને ધાબા પર ‘એ કાપ્યો’ ની ચીચીયારીઓ આખું વાતાવરણ જીવંત બનાવી દે છે.
ઓમિક્રોનની એન્ટ્રી સાથે અસંખ્ય પ્રતિબંધોની વચ્ચે આપણે સહુ ડરતા, ગભરાતા, ભારે મને પણ આ ઉત્સવ તો જરૂર મનાવીશું. પરંતુ એક ભયના ઓથાર હેઠળ. જ્યારે આવા ઉત્સવ આપણે આપણા ગમતા મિત્રો, સ્નેહીઓ અને કુટુંબીજનો સાથે મોકળાશથી ન મનાવી શકીએ ત્યારે આવા ઉત્સવનો આનંદ અડધો થઈ જાય છે, અધૂરો રહી જાય છે. પરંતુ સાથે એ પણ સત્ય છે કે સૌથી પહેલો આપણો જીવ અગત્યનો છે, આપણા સૌનું સારું સ્વાસ્થ્ય અગત્યનું છે, તેથી ઓમિક્રોનના ભયને જરાપણ અવગણી શકાય તેમ નથી.
આવા સમયે આપણે સૌ મળીને એક કામ તો કરી જ શકીએ. ઓમિક્રોન-કોરોના અંગેની સાવચેતી માર્ગદર્શિકાનું સંપૂર્ણપણે પાલન કરીને નાના સમૂહમાં પતંગ ઉત્સવ મનાવીએ અને પતંગો દ્વારા સૂર્યદેવને એવો પ્રાર્થના સંદેશ મોકલીએ કે હવે ખમૈયા કરો, મનુષ્ય જાતને આ જીવલેણ કહેરમાંથી મુક્ત કરો. અમને અમારું સામાન્ય જીવન પરત કરો જેથી આવનારા દરેક ઉત્સવો અમે સૌ ભેગા મળીને પ્રેમ અને ઉલ્લાસથી મનાવી શકીએ.
– નિખિલ કિનારીવાળા, અમદાવાદ
[1/13, 5:30 PM] Vibhitiben Desai: NOGSS/0044
વિષય:- ઓમિક્રોન અને મકરસંક્રાંતિ ઉત્સવ.
પ્રકાર:- ગદ્ય
શીર્ષક:- પવન દેવતાને પત્ર
૨૦૨૦થી કોરોનાનું થયેલું આગમન વિશ્વને ઉથલાવી ગયું.હજુ તો એને નાથવામાં સફળતા મેળવી હાશ કરીને બેઠાં ત્યાં વળી બીજા ઓમિક્રોન નામનાં મહેમાન પધાર્યા.એનાં વિષે હજુ બધાં માહિતગાર નથી થયાં પરંતુ રણમાં મીઠી વીરડી સમાન બુસ્ટર ડોઝનાં આગમને કંઈક હાશ થઈ.ઓમિક્રોને વયસ્કો અને બચ્ચાઓ માટે ઉંબરા બનાવ્યા ડુંગરા.
ઓમિક્રોનને કારણે મકરસંક્રાંતિ ફિક્કી.ધાબે તો જવાનું જ, પતંગ પણ ઉડાવવાનાં પણ ઉત્સાહ ઓછો રહેવાનો.પતંગ ઉડશે એટલે પંખીડાઓની જિંદગી જોખમમાં, એટલે જ પંખીઓ પવન દેવતાને વીનવણી કરતો સંદેશો મોકલે.પવન દેવતા અમારી માનવ સમુદાયની પણ વિનંતી કે એમનો સંદેશો જરા ધ્યાને લેજો.
પવનદેવતાને પત્ર.
આદરણીય પવનદેવતા,
નભમાં વિહરતા પક્ષીઓનાં પ્રણામ.
આમ સહુ પક્ષીઓની વિનંતી છે કે, ઉતરાયણને દિવસે અમારી સલામતી ધ્યાનમાં રાખજો.
માનવજાતને વર્ષ દરમ્યાન આજ દિને પતંગ ઉડાડવાનું મહત્વ છે, સાથે વૈજ્ઞાનિક કારણ પણ છે.આમ તો કોઈ આખો દિવસ ધાબે ન રહે. પરંતુ પતંગ ઉડાડવા આખો દિવસ ધાબે રહે એટલે પૂરતો સૂર્યપ્રકાશ મળે.વિટામીન ડી. નું લેવલ જળવાઈ રહે.એટલે એમના શોખ પર તરાપ નથી મારવી પણ સાથે અમારા બચ્ચાનો પણ ખ્યાલ રાખવાનો.
અમે માળાની બહાર ન જઈએ તો બચ્ચાં ભૂખ્યાં રહે, બહાર જઈએ દોરીથી ઘાયલ થઈએ કે મૃત્યુ પામીએ તો બચ્ચાનું શું? એમને જોવા માટે કોણ આવવાનું?
એટલે જ અમારી સલામતી અને માનવજાતના શોખ બંને સચવાય તે માટે તમારે સવારે ૯.પછી જ આવવાનું આને સાંજે ૬ થી ૭ વિરામ લેવાનો. તો જ અમે સવારે ચણ માટે બહાર જઈ સાંજે માળામાં અમારાં બચ્ચા પાસે પરત ફરી શકીએ.
આશા રાખીએ આપ અમારી પક્ષીઓની વિનંતી ધ્યાનમાં લેશો જ.
લિ.પક્ષીઓના પ્રણામ.
રાત્રે આકાશમાં આપણે જે ટુક્કલ મોકલીએ છીએ એ ગમે ત્યાં પડે આગ લાગવાનો સંભવ, પંખીઓનાં માળા પર પડે તો કલ્પના બહારનો અનર્થ થઈ જાય એટલે જ ટુકક્લને બદલે નાનાં ફાનસ સેલથી સળગે એ મૂકવા જોઈએ.
ઓમિક્રોનનો ડર રાખ્યા વિના સરકારી ગાઈડ લાઈન અનુસરી મકરસંક્રાંતિ ઉજવીએ.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા