[1/11, 8:33 PM] Jig a. Bombay. Andheri: NOG SS 0002
વિષય :ઓમિક્રોન અને મકરસંક્રાંતિ ઉત્સવ
શીર્ષક સજા કોને?
આજે કોરોના કાળમાં કોનો ફાયદો અને કોને ગેરફાયદો થયો કે કોની આ રાજરમત? એતો મને ખબર નથી પણ કયાંકને કયાંક આપણો વાંક તો છે જ જેને લીધે ,
કુદરતનો આ ખેલ નિરાળો
માનવથી માનવ ગભરાણો…
એમાં પણ આ નવો ઓમિક્રોન વાયરસ શું છે ?એ મારી સમજની બહાર છે. મારા મત પ્રમાણે ર વેક્સિન લીધાં પછી આ વાયરસનો પ્રભાવ આજે નહીંવત જ રહી ગયો છે અને મૃત્યુદર પણ ઓછો છે . તો પછી ડર કેવો ?મને ઘણીવાર એ થાય છે કે શું બીજાં રોગો આ ધરા પરથી નેસ્તનાબૂદ થઈ ગયાં છે? ફક્ત જો કોરોના જ રહી ગયો હોય તો એ સારી જ વાત છે તેમ છતાં આજે પણ નાના પ્રકારની પાબંધી લગાવી દીધી !
આજે મકરસંક્રાંતિ પર પાબંધી લગાવવામાં આવી એના ફાયદાની વાત કરું તો નિર્દોષ પક્ષીઓને વધારે થયો છે કારણ ચીની અથવા કાચ પાયેલા માંજાથી લાખો નિર્દોષ પક્ષીઓને આપણે વગર વાંકે સજા કરીએ છીએ. ક્યારે એમની વ્યથા સમજવાની કોશિશ કરી છે? આજે છત પર બે પારેવડાને એકબીજાને પ્રેમ કરતાં જોયાં જાણે કહી ન રહ્યાં હોય કે કાલે શું થશે કોને ખબર ?આજે તો મનમૂકીને પ્રેમ કરી લઈએ એમની આ વ્યથા પર મારી લખેલી એક કવિતા મને યાદ આવી,
*શું હતો વાંક અમારો?*
આ તે કેવી સજા?
હતી ઘરે પહોંચવાની
મારે ઉતાવળ,
તમારી મજા ને મને સજા!
*શું હતો વાંક અમારો?*
નથી હું બળાત્કારી કે નથી અત્યાચારી,
તો મને કેમ ફાંસી હે માનવ દેહધારી.
*શું હતો વાંક અમારો?*
વાટ જોતાં હશે મારાં બાળુડા હે અજ્ઞાની,
અજાણતાં જ મારી તો દુનિયા લુટાંણી.
*શું હતો વાંક અમારો?*
બતાવોને મારો શું અપરાધ?
આ તે ક્યા અપરાધની સજા?
શું વાંક હતો અમારો આતે કેવી સજા?
ખરેખર મિત્રો, આ કોરોના શું છે અને કયારે જશે એ તો ભગવાન જાણે પણ પક્ષીઓને અભયવરદાન મળ્યુ છે .
મિત્રો મારા માટે ઉત્સવ એટલે ખુશી જેનો હક્કદાર પૃથ્વી પર દરેક જીવ છે.
જીજ્ઞા કપુરિયા” નિયતી”
[1/11, 10:26 PM] Kalpanaben Trivedi.MeM.NOG: NOG. SS.નંબર.19
વિષય..સાહિત્યની સફર
વર્ષ 2021 આમ તો સાહિત્ય માટે મારા માટે સામાન્ય રહ્યું. બહુ સર્જનાત્મક લખાયું નહીં એનું દુઃખ થયું. અન્ય ગૃપ સાથે જોડાયેલી હોવાથી બે મેગા સ્પર્ધા ઇવેન્ટ કરી.થોડીઘણી ટુંકી વાર્તા લખાઇ.બે સહિયારી બુકમાં લેખન કાર્ય થયું. વાંચવા માટે પણ ગત વર્ષ સામાન્ય રહ્યું. એક પુસ્તકમેળાનું આયોજન કર્યું. હરકિશન મહેતાનાં બે પુસ્તકોની સીરીઝ વાંચી. તબિયત અસ્વસ્થ હોવાથી ક્યાંક નિયમિત નથી લખી શકાયું. જે કંઈ પણ સર્જન થયું એનાં પ્રોત્સાહન પણ મળ્યાં. એક ઇ..મેગેઝીન માટે બે ત્રણ કોલમમાં નિયમિત લખાયું.
બસ,વિશેષ કંઈ જ નથી.
કલ્પના બેન ત્રિવેદી સુરેન્દ્રનગર
[1/12, 6:59 AM] Mina Mangroliya.MeM.NOG: NOG.SS.NO:0032
વિષય: ઓમિક્રોન અને મકરસંક્રાંતિ
શીર્ષક: “ઓમિક્રોનની ધમાકેદાર એન્ટ્રી”
મકરસંક્રાંતિના તહેવારની સાથે,
ઓમીક્રોનની થઈ ઘમાકેદાર એન્ટ્રી.
નથી એની પાસે કોઈ પાસવર્ડ કે
નથી એની પાસે કોઈ આધારકાર્ડ.
સૌ કોઈ આ શિયાળાની ઠંડીમાં,
ડરીને બેઠાં છે પોત પોતાના ઘરમાં.
કૉરોનાની ત્રીજી લહેર અને પાછી,
જાણે વાતાવરણમાં ગમગીની છવાઇ.
2020,અને 2021ની યાદ તાજી થઈ,
બુસ્ટર ડોઝ માટે લાઈનની પડાપડી.
શું થશે માનવ જીવન પર એની મથામણ,
નથી કોઈને આજ યાદ મકરસક્રાંતિની.
નાના મોટા,બાળગોપાલ સૌ ચિંતાગ્રસ્ત,
માસ્ક અને સેનીટાઈઝર દેખાયા ફરી બજારમાં.
પતંગ, ફીરકી, માંજો સંતાઈ ગયા બજારમાં
પાછો કોરોના કાળની અફરાતફરી ઘેર ઘેર .
ડૉક્ટરતંત્ર થઈ ગયું સાબદુ શસ્ત્રસરંજામ લઈ,
ઠેર ઠેર રસી સ્વાસ્થ્ય કેન્દ્રના બુથ ખડકાયા.
રહી રહીને પાછા માનવજીવ પડીકે બંધાયા.
રોજ કુદકેને ભૂસકે વધતા ઓમિક્રોનનાં કેસ,
માનવજીવન ખોરવાયુ,શાળા કોલેજ થયા બંધ.
બાળકો અને વૃધ્ધો પાછા ઘરમાં પૂરાયા,
શહેરમાં થયો પાછો10થી 5નો રાત્રિ કરફ્યુ.
પ્રભુ ,તું આ ઓમિક્રોનની મહામારીમાંથી ઉગારજે
મીના માંગરોલીયા મીનુ
અમદાવાદ.
12/1/2022
[1/12, 3:33 PM] Hemlatta Divecha.MeM: NOG SS NO 0037
વિષય – ઓમિક્રોન,કોરોના, મકરસંક્રાંતિ.
વિભાગ – પદ્ય.
શીર્ષક- માનવ અર્જુન બન
તા.૧૨/૦૧/૨૨
કોરોના મહામારીનાં ગ્રહણ બાદ,
થયું સુંદર પ્રભાત.
જીવન ચક્ર સૌના થયાં ગતિશીલ.
વેક્સિને અપાવ્યો માનવને વિશ્વાસ.
નવ સર્જન સૃષ્ટિનું થયું.
કલશોર માનવ મહેરામણનો થયો.
કિલકિલાટ કરતી શાળાઓ ગુંજી.
થનગનાટ કરતી સંસ્થાઓ થઈ.
ગ્રહણ ફરી કોરોના મહામરીનું આવ્યું.
જન્મ ઓમિક્રોનનો થયો નવા સ્વરૂપે.
મકરસંક્રાંતિનાં પર્વને પાંગળું કર્યું.
જિંદગીની પતંગ અવકાશમાં અટવાય.
Thanks to God
Thanks to technology
Booster dose આશાનો દીપ.
જિંદગીનાં થયાં વાવેતર.
કૃષ્ણ, જીવન રથના સારથિ બની આવે જ છે.
આપણે સૌએ *અર્જુન* બની અડગ બની રહેવું.
હેમલતા દિવેચા ( હેમ )