GN_10-01-22.
[1/9, 12:14 AM] Dr.Aniruddh Vyas.MeM.0082NOG: Nog ss No : 0082
વિષય: વર્ષ 2021 માં સાહિત્ય લેખનનું સરવૈયું,
પ્રકાર : ગદ્ય,
શીર્ષક: લેખક તરીકે વર્ષ 2021માં નવતર પ્રયોગ, અને
સમાવિષ્ટ બહોળો અનુભવ,
મેડીકલ વ્યવસાય સાથે કુટુંબની
જવાબદારી, ઘર સંચાલન, અને
સમસ્ત જગતમાં રોગ યુક્ત વાતાવરણ, આ બધી સઘળી
જીવનની વ્યવસ્થામાં ઓતપ્રોત થઇ , એકરાગ બની સાહિત્ય લેખનનું ચિંતન કે જે મારા જેવા
માટે એક કોયડા સમાન હતું,
Nog સાહિત્ય અકાદમીનાં ફળ
સ્વરૂપે મારા જેવા ઊગતા ચંદ્રને
તાશકમાં પાણી ઉમેરી સામે નિરખવા સમાન જેવી બાલ્યા અવસ્થા માં પ્રવેશ હોય તેવું મને પ્રારંભમાં લાગતું હતું,
જયશ્રી બેન ” દાદિશા” નાં ઉપક્રમિત, વિભૂતિ બેન જેવા મહારથી , જ્યકાંત ભાઇ જેવા
સાક્ષર સૂર્ય, અને આવા અનેક
સુશોભિત આકાશ ગંગા જેવા
સુનયન તારલાઓથી શોભિત
આપણા એક નદી જેવા પ્રવાહમાં પ્રમાણિત લેખક અને લેખિકાઓનો સુર સંગમ, નીત નવા લેખો અને બુદ્ધિ ચાતુર્ય પૂર્ણ
ગુજરાતી ભાષા પર મજબૂત પકડ દર્શાવતા સુંદર પ્રેમાળ નિસ્પૃહી, સર્વે વડીલ વડલાઓ,
તેમની હ્રદય સ્પર્શી કૃતિઓથી
અમારા માનસ પટ પર દીર્ઘ કાલીન અભિભૂત થયા છે,
મારા જેવા નવા નિશાળીયા માટે તો એક ગુજરાતી ભાષાનું જાણે
મારા માટે જ ઉભુ કરેલ વર્કશોપ
હોય તેવું મને લાગ્યા કરતું,
મે આ સમયમાં મારા જીવનમાં એક તબીબ તરીકે સામાન્ય જનોની પીડા, દુઃખ, વિટંબણા
નિસહાયતા, વગેરે સતત જોયા,
તંદુરસ્ત મનથી ખુશમન સાથે અનેક બહુવિધ રચનાઓનુ લેખન મારે માટે એક કસોટી
રૂપ હતું,
પણ જ્યારે મન થાય ત્યારે અરીસા માં જોતા હોઈએ તેમ
ત્યારે વાદળ સદ્શ્ય ઝલક બતાવવાનું જરૂર મન થાય,
શબ્દ નદીના વહેણ બની આંખમાં સમાય પછી અંતરને
પૂછી હોઠ હૈયા ની અવઢવ પામી
આંગળી વચ્ચે સમાયેલી કલમમાં ઉતરે,
પછીજ એક સુંદર કલ્પના નિર્મિત થાય,
સાહિત્ય સરિતાના વહાણ પર
પ્રદીપ ભાઇ જેવા ખલાસી ને
સઢ બાંધીને ચલવતા બહોળી
અને ઊંડી કોઠા સૂઝ છે,
સાતત્ય અને એકજુટતાથી
દરેકને ન્યાય આપી સુપ્રીમ સભ્યોને માન પાન યથા યોગ્ય
આપવા એ તેમના સંસ્કાર માં છે
મને એક અદના સભ્ય તરીકે
સાહિત્ય લેખન મા થોડી અપરિપકવતા હોવા છતાં ઍક
કુટુંબના નાના બાળક જેવી
પ્રીતિનો હંમેશા અનુભવ થાય છે
ડો અનિરુદ્ધ વ્યાસ
નડિયાદ
[1/9, 12:20 AM] Pradip: ન્યુઝ ઓફ ગાંધીનગર
સાહિત્ય સરિતા
NOG. SS: 0089
પ્રકાર : પદ્ય
વિષય: “ વાર્ષિક સરવૈયું સાહિત્ય ના આયનામાં “
શીર્ષક : વાર્તા ને કવિતા
રેખા શુકલ- અમેરિકા
સાહિત્ય ના પંથે આગળ સૌ વધ્યા
પિડીત ગુજર્યા હૈયા આંખો દડદડયા
આહ ભરતા ફાનસ ઘર ઘર બળ્યા
રડયા આરસ નડે વારસ કેમ પૂજ્યા
રચ્યું સાહિત્ય રડી વાર્તા કાવ્ય ફળ્યા
આખર લડ્યા શ્વાસ વહાલા ન બચ્યા
ડર્યા ભળ્યા ભૂલકાં માસકે શિવ ભજ્યા
સૂફી સૂરે નાચી થરથર ગાઇ ના શકયા
દિવસે મહિને સરવૈયું વર્ષે જોઇ ફસ્યા
કરજ માતૃભાષા નું વરસ્યું આયને રોયા
— રેખા શુકલ
[1/9, 12:21 AM] Arti Merchant.MeM.NOG: NOG SS no 0007
વિષય : વર્ષ ૨૦૨૧નું સાહિત્ય સરવૈયું
પ્રકાર : ગદ્ય
સામાન્ય વ્યક્તિ માટે સાહિત્ય એટલે વાર્તા,કવિતા,ગઝલ,ગીતો વગેરે જે ગમે તે વાંચવું.પરંતુ એક લેખક માટે સાહિત્ય એટલે લેખકનાં વિચારોનું ઘમ્મર વલોણું. એક લેખક જ્યારે કલમ ઉપાડે છે ત્યારે એનાં મગજમાં વિચારોનું જાણે ઘોડાપુર આવે.એમાંથી એ સારાં સુંદર વિચારોને કાગળ પર ઉતારે છે . પછી એ વાર્તા હોય,કવિતા હોય,કે પછી હોય કોઈ ગીત કે ગઝલ.આવું વિચારો નું ઘમ્મર વલોણું હું વર્ષોથી ફેરવતી, જેનાં પરિણામ સ્વરૂપ હું નિબંધો,લેખો લખતી; જે વૉટ્સએપ કે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવાં સોશિયલ મિડીયાના અભાવે મારી ડાયરી પૂરતાં જ સિમિત રહેતાં.પરંતુ છેલ્લાં ત્રણેક વર્ષથી હું વૉટ્સએપ પરનાં સાહિત્ય ગ્રૂપ સાથે જોડાઈ અને એક લેખિકા તરીકે પ્રસ્થાપિત થઈ.નિબંધ અને લેખ પછી માઈક્રોફીક્શન અને ટૂંકી વાર્તાઓ લખતાં શીખી . પ્રતિલિપિ,શૉપિઝન,સ્ટોરીમિરર પર પણ વાર્તાઓ,નવલકથા લખી.વાર્તાલેખન સ્પર્ધાઓમાં ભાગ લીધો અને પુરસ્કાર પણ જીતી.એમાં પણ ન્યુઝ ઑફ ગાંધીનગર ગ્રૂપમાં આવીને મારું લખાણ પરિપક્વ થયું.અહીં વડીલ લેખકોનાં સાંનિધ્યમાં સાહિત્યની સાચી પરિભાષા શીખી.જયશ્રીબેન(અમારા દાદીશા) પાસેથી વિચારોને સમયની ખાણમાં પકવતાં શીખી.જેને લીધે મારી કલમથી જે પણ લખતી તે સચોટ અને ધારદાર લખાતું.જીજ્ઞાબેન પાસેથી મેનેજમેન્ટ અને સ્પષ્ટ વક્તા બનતાં શીખી.જેને લીધે આપણાં આ ગ્રૂપમાં એક સમયે નિર્ણાયક તરીકે પણ ભૂમિકા ભજવી હતી.અને પ્રદિપભાઈ જેવાં વડીલે આંગળી પકડીને વર્તમાન પત્રની પ્રસિધ્ધિની સીડી એ ચઢાવી.આ રીતે છેલ્લાં ત્રણેક વર્ષમાં સાહિત્ય ક્ષેત્રે મારું નોંધપાત્ર ઘડતર થયું જેનાં પરિણામ સ્વરૂપ મેં મારી શાળા માટેનું એક પુસ્તક સંપાદિત કર્યું.જેમાં મેં મારી શાળા ના વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યશ્રી વગેરેના મળીને કૂલ ૮૫ જેટલાં સંસ્મરણો એકઠાં કરી,એ બધાંને મઠારી,શણગારીને ૧૧૫ પાનાંનું પુસ્તક બનાવી તૈયાર કર્યું અને ૨૩ જુલાઈ ૨૦૨૧ને શુક્રવારે ગુરૂપૂર્ણિમાના પાવન દિવસે મારાં આચાર્યશ્રી અને જેમની નિશ્રામાં મેં મારું પહેલું પુસ્તક *ચાલ ફરીથી વાગોળીએ મારાં શાળા સાથેનાં સંસ્મરણો* સંપાદિત કર્યું, એવાં સ્વ.શ્રી ઠાકોરભાઈ દેસાઈ સાહેબના વરદ્ હસ્તે વિમોચન થયું.જે મારાં જીવનની ધન્ય ઘડી હતી.એ દિવસ મારાં જીવનનો સુવર્ણ દિવસ હતો.બસ એક વાતનો અફસોસ રહી ગયો કે શાળાના સંસ્મરણોનું પુસ્તક તો મેં સંપાદિત કરી લીધું પરંતુ એ પુસ્તક થકી જે આનંદની ક્ષણો મેં અને મારાં આચાર્યશ્રી એ મેળવી એને હું એમની સાથે મળીને વાગોળી ન શકી.કારણ વિમોચનનો દિવસ મારાં આચાર્યશ્રી સાથેનો છેલ્લો દિવસ બની ગયો.કારણ તે દિવસ પછી એમની તબિયત બગડી અને ૧૦ મી ઓગષ્ટે તેઓ અમારો સાથ છોડી અનંતની યાત્રાએ ઉપડી ગયાં.આ પુસ્તક તૈયાર કરવામાં તેઓ મારી પડખે એક પિતાની જેમ ઊભાં હતાં.અને માટે જ એમનાં છૂટેલા સાથનું દુઃખ આજે પણ હ્રદયમાં પિતા ગુમાવ્યા હોય એટલું જ છે.સાહિત્ય ક્ષેત્રે મેળવેલી આ સિધ્ધિ માટે હું એમની આજીવન આભારી રહીશ.એ દરમ્યાન બીજી સિધ્ધિ એટલે શબ્દસુગંધ નામનું સહીયારું પુસ્તક બન્યું.જેમાં મારી મા.ફી. વાર્તાઓ છપાઈ.અલગારી ઓજસ નામનાં સહીયારા વાર્તા સંગ્રહમાં પણ મારી વાર્તાને સ્થાન મળ્યું છે.આ બધી ખાટી મીઠી યાદો સાથે કડવી યાદો પણ છે.સાહિત્ય ક્ષેત્રે મને સાહિત્યની સાધના કરનારાં સાધકો તો મળ્યાં પરંતુ સાહિત્યના નામ પર કલંક હોય એવાં ઊતરતી કક્ષાના લોકો પણ મળ્યાં.જેઓ બીજા લેખકોની રચનાઓને પોતાના નામે ચઢાવી દેતાં જરાય સંકોચ કે શરમ નથી કરતાં.પરંતુ સામા છેડે કિશોર ભાઈ મહેતા ,પલ્લવીબેન,નીલાબેન સંઘવી,માયા બેન દેસાઈ, જયશ્રીબેન, કૌશિકભાઈ વગેરે જેવાં સાહિત્યને ચાહનારા અને ગુજરાતી ભાષાપ્રેમીઓને જોઉં છું ત્યારે આ સાહિત્ય ચોરો બહુ તુચ્છ લાગે છે.ખેર ગામ હોય ત્યાં ઉકરડો પણ હોય જ.એ ન્યાયે આ બધું તો રહેવાનું જ.બસ આપણે આપણું કર્મ કરતાં રહેવું.સમાજ પાસેથી ઘણું મળ્યું છે એ આપણે સમાજને પાછું આપવું જ રહ્યું.એ ન્યાયે હું મારી કલમ દ્વારા શબ્દો શણગારી સમાજને ઉપયોગી લખાણો લખતી રહીશ.
આટલો સરસ વિષય આપવા બદલ પ્રદિપ ભાઈ આપનો આભાર.
લેખિકા : આરતી મરચંટ
મુંબઈ : કાંદિવલી.
[1/9, 3:23 PM] Maya Desai.Bombay.MeM.NOG: NOG SS NO.0081
પ્રકાર : ગદ્ય
વિષય : વીતેલાં વર્ષંની સાહિત્ય સફર
શબ્દો : ૩૪૬
શીર્ષક : સ્વપ્ન પૂર્તિ
સાહિત્ય શબ્દ ખૂબ અગાધ છે , એમાં ડૂબકી મારવા જેટલી લાયકાત હજી મેળવી નથી પણ એની સરિતાને કાંઠે આનંદ અમાપ મેળવ્યો છે. દરેક વર્ષ કરતાં આ અનોખું રહ્યું.
કોરોનાએ મચાવેલા કહરને દોહરાવવો નથી પણ એની સામે વિજ્ઞાન અને ટેકનોલોજીએ કરેલી કમાલનો ગુલાલ વધુ રંગીન છે.માઈલો દૂર બેઠેલાં સ્વજનોને ઘરમાં જોવાની તક આપણાં વડીલોને નહોતી મળી પણ આપણે એ મિલન માણ્યું. પેન અને પેપરને જ દુનિયા માનતી મને આ સમયે લખતાં શીખવ્યું મોબાઈમાં! હા, ઘણાં સોશીયલ મીડિયા ગ્રુપ સાથે જોડાવા આ આવશ્યક થઈ ગયું ત્યારે બાળમંદિર થી શરૂઆત કરવા જેવો અનુભવ સખી જયશ્રીએ કરાવ્યો.
પછી…તો અપની ચલ પડી. અનેક પ્રિન્ટ મીડિયા જેમ કે યુગવંદના,ચિત્રલેખા,હેમરાજ શાહ, આપણું આંગણું અને વોટ્સ એપ ગ્રુપમાં લખવાની તક મળી .
સૌથી મોટી આશ્ચર્ય આપનારી ઘટના એટલે રાજુલ બહેન- બોસ્ટન યુએસ એ,નો ૨૦૨૦ ની દિવાળીનાં શુભ દિવસે પ્રથમ ફોન! જાણે વર્ષોથી ઓળખતાં હોઈએ એવી નિખાલસતા અને ‘સાહિત્ય સંગીતનું વિશ્વ’ માટે લખવા ભાવભીનું આમંત્રણ.એ મૈત્રી વધુ ઘનિષ્ઠ બની, એમની અનેક ઉત્તમ કૃતિઓમાંથી પ્રેરણા મળી અને એક આત્મીય વાચકગણ! કેટલાંય વાચકો તો હવે મિત્રો બની અંગત વાતોની આપ-લે કરતાં થઈ ગયાં છે.
રવિવારની એક સવારે ન્યુઝ ઓફ ગાંધીનગરનાં સંચાલક શ્રી.પ્રદીપભાઈની સાથે જ્ઞાન ગોષ્ઠિ. ત્યાં એમણે આપેલ દીદી તરીકેનાં સન્માનને યોગ્ય સેવા આપવાની કોશિશ કરી મારી રચનાઓ મૂકું છું.એમની અને મીનાક્ષીબહેનની સાહિત્ય સેવા અનન્ય છે . બધાંને સાથે લઈને સાહિત્ય યાત્રા કરવાની નિષ્ઠા અજબ છે.એમની પુત્રી ચીં.સૌ.પૂજાનાં લગ્નનાં આમંત્રણ એમનો ભાવ મને મુંબઈથી છેક ગાંધીનગર ખેંચી ગયો. ત્યાં વિભૂતિબહેન દેસાઈનો સ્નેહાળ સંગાથ તેમજ સખી જયશ્રી, જશુભાઈ પટેલ સહિત અનેક સાહિત્યિકો સાથે યાદગાર મુલાકાતો થઈ.
સરવૈયું તો નફો કે નુકસાનના અડસટ્ટા માટે કઢાય.સાહિત્યગંગા તો વહેતી રહે, એમાંથી તો છાલક મળે તો યે ધન્યતા. એક અમૂલ્ય સંભારણું રહેશે એ શિલ્ડ જે શોભનાબેન મિસ્ત્રી દ્વારા NOG નાં નિર્ણાયકની ભૂમિકા માટે મળ્યું.જીવનસંધ્યા આટલી રળિયામણી હોઈ શકે એવું ધાર્યું નહોતું,મનધાર્યા વિષયનું વાંચન, ગુજરાતી ભાષા વિકાસ સંગઠન,વાચિકમ્(પ્રજ્ઞા દાદભાવાળા) જેવાં સમૂહોમાં સ્વકૃતિઓ રજૂ કરવાનો અવસર અને દાદ મળ્યાં.
પુસ્તકો કે સામાયિકમાં કૃતિઓ છપાય એ કોઈ પારાશીશી નથી,પણ તમારી સહ્રદયતા, મનની સચ્ચાઈ લોકમાનસ સુધી પહોંચે એ જ સફળતા યાત્રાની.
સુંદર કાર્યક્રમો દ્વારા જૂનાં અને નવાં કવિઓને ટેરવાના સ્પર્શે મળાયું, એમની રચનાઓને માણી શકાયું…એક સ્વપ્ન પૂર્તિ જ ને!
# માયા દેસાઈ
મુંબઈ ભારત .