[1/7, 5:05 PM] Hemlatta Divecha: NOG SS NO – 0037
વિષય – વિતેલા વર્ષનું સાહિત્યનું સરવૈયું.
વિભાગ – પદ્ય.
શીર્ષક – ૨૦૨૦/૨૧ નું સરવૈયું મારી દ્રષ્ટિએ.
સમયને પગ આવે છે કે પાંખો,
વાયુ વેગે પ્રસરી જતો રહ્યો.
વર્ષ ૨૦૨૦ / ૨૧ નું આગમન,
કસોટી આકરી વિશ્વની કરી હતી
કંઇક ખાંટી- મીઠી અટપટી યાદો,
સ્મૃતિપટ પર અંકિત ચિન્હો ઘોળાયાં કરે,
આકાંક્ષાઓ આભે ઉડવાની હતી.
પણ શ્વાસો બાટલામાં રુંધાયાં કરે.
દિવાળીનાં દીપકથી થયું નવ -સર્જન,
મહામારીનું સ્વરૂપ બદલાયાં કર્યું.
પિતાની છત્ર છાયા ગુમાવ્યાનું દુઃખ હતું,
પુત્રવધૂ આવવાનાં વધામણાં ખવાણાં ‘ હેમ ‘
સમણાં થયાં સાકાર, માન સન્માનનાં,
સ્નેહીઓ,માર્ગદર્શન મળ્યું પુસ્તક પ્રકાશિત થયું.
સમયનાં વહેણમાં કંઇક આવ્યાં ગયાં,
કેટલાં સિતારાઓ અહીં ખરી પડયાં.
કોઈ કાગળ કલમમાં કેદ થયાં,
કોઈ પ્રગતિનાં પંથે આગળ વધ્યાં
હેમલતા દિવેચા ( હેમ )
[1/7, 5:09 PM] Jig a. Bombay. Andheri: NOG SS 0002
વિષય : સાહિત્યનું સરવૈયુ
શીર્ષક: જો સુદામા સ્ટાર થઈ જાય!
જો સુદામા સ્ટાર થઈ જાય!
પછી તો કોણ કૃષ્ણ ને કેવી આ દ્વારકા?
એને યાદ થોડું કરાય !
ચપટી તાંદુલના હવે ભાવ કોણ પૂછશે?
અહીં તો રોજ બિરયાની ખવાય!
ખરેખર , કિશોર સચદેવની આ કવિતામાં જ સાહિત્યનું સરવૈયુ આવી જ ગયું છે .
સાહિત્યનું સરવૈયુ એટલે જો ત્રણ શબ્દમાં કહું તો *મૌલિક,રૂપાંતરિત અને ઉઠાંતરિત.*
એ કવિતા હોય કે ગ્રુપ હોય ,આજે મોટાં ભાગનાં કહેવાતાં કવિઓ અને લેખકો એટલે કે *ગુગલ એ આઝમ* *મોગલ એ આઝમ* બની બેઠાંં છે . એવાં કહેવાતા કવિઓની રચના જ્યારે મારી પાસે આવે છે ત્યારે પકડાય જ જાય છે ,મોટાભાગનાં કહેવાતાં લેખકોને ભાષાકીય જ્ઞાન હોતું જ નથી . અરે! એક વાક્ય પણ બરાબર લખી ન શકનારા સાહિત્યકારની આજે મોટી મોટી વેબસાઈટ બની ગઈ છે!
મને બરાબર યાદ છે ન્યુઝ ઓફ ગાંધીનગરમાં મારા સંચાલન હેઠળ દર રવિવારે 3થી5 અમે સાહિત્યસભાનું આયોજન કરતાં જેમાં અલગ અલગ વિષય જેમ કે કવિતાનાં પ્રકાર, વાર્તા,લેખ સાથે વાક્ય રચના કેવી રીતે કરવી , જોડણીનું જ્ઞાન સાથે પ્રત્યય જે આજે પણ બધાં અલગ લખે જે કર્તા કે કર્મની જોડે વળગેલો હોય છે એને છુટ્ટો પાડીને એકલો કરી મૂકે છે.😊 આ સાહિત્યસભામાં જયશ્રીબેનનો હંમેશા મને સાથ રહ્યો છે.
અમે ઘણાં ગુગલે આઝમોને ગ્રુપનો દરવાજો બતાવી હાંકી કાઢ્યા છે. એમાં એમનો વાક નથી કારણ આજે ગુગલ મહારાજની કૃપા એટલી બધી વધી ગઈ છે . એને લીધે સારા અને સાચા સાહિત્યકારને એવો ડર રહે છે મારી રચનાની ઉઠાંતરી તો નહીં થાયને!
આજે સાહિત્યનાં નામ પર કહેવાતા કવિઓને કવયિત્રીઓ કે લેખકોને લેખિકાઓની હિંમતની દાદ તો દેવી જ જોઈએ કારણ નામી લેખકોની રચનાને પોતાને નામે કરતાં જરા પણ એમને વાર લાગતી નથી .આને અટકાવવા આપણે કાંઈ કરી પણ નથી શકતાં એ જ મોટો અફસોસ છે અને રહેશે!
સાચો સાહિત્યકાર મૌલિકતાને જ પ્રાધાન્ય આપે તો સાહિત્યની ખરી પૂજા કહેવાય. આખાં વર્ષનું સરવૈયું કરું તો એટલું જરૂર કહીશ લોકડાઉનમાં ઘણાં જ નિવોદિતો સુંદર લખતા શીખ્યાં છે, તો ઘણાં એવાં પણ કે જો સુદામા સ્ટાર થઈ જાય! પ્રદીપભાઈના સાહિત્ય સરિતાનાં આ પ્રયત્નને સદાય સરાહવીશું. 🙏🙏
જીજ્ઞા કપુરિયા”નિયતી”
[1/7, 10:20 PM] Babu Sangada.પત્રકાર: SOG NO 0109
પ્રકાર:-ગધ
વિષય:-વર્ષ ૨૦૨૧ના સાહિત્યનું સરવૈયુ.
સાહિત્ય હ્રદયની સંવેદનાનો નિસ્યંદીત થઈ વહેતો અમુૂતનો ઝરો છે,જીવનની પ્રત્યેક ક્ષણે સ્પર્શતી ઘટના,પ્રસંગોથી ઉત્પન થતા હ્રદયના વલોણાથી સર્જાતા માખણના થર જેવી છે,સાહિત્ય અનુભૂતિનો નિચાડ છે જે સંવેદનશીલ હ્રદયમાં સતત નશાની માફક કામ કરે,પજવ્યા કરે ને તેમાથી ઉત્પન થયો કંપનોનો સમૂહ છે.જે માનવ માનવ વચ્ચે સેતુ બનાવે,સજાવે,કે પછી સરક્ષણનું કામ કરે.અર્થાંત સાહિત્ય સ્વયંસ્ફૂર્રિત સ્ફૂર્ણાનું આંદોલિત થતું મોજુ છે.
આજ સાહિત્યના પૂજારીને અનેક પ્રકારના પ્લેટફોમ મળ્યા,ફેસબૂક,વોટસેપ,જેવા સોશિયલ મિડીયાના માધ્યમ થકી તે પોતાના વિચારો,સંવેદનાઓ,ઉચિત માનવ સમુદાય સામે રજુ કરી શકે છે.ઘણુ સર્જાતુ સાહિત્ય તેના ઉચિત વાચક સુધી પહોચી મૂલ્યને ઉજાગર કરે છે,સાચુ કહું તો સાધકો સમુૂધ્ધ બન્યા છે ,આ બધા માધ્યમોથી.અનેક પ્રકારનું સાહિત્ય ધૂમ મચાવે ,પણ મિત્રો અહીં ખાસ નોધવું કે તેમાથી આપણે શું લેવુ અને શું ના લેવું એ ખૂદએ નક્કી કરવાનું છે.છતા પણ માણસ વાંચતો થયો,સમજતો થયો,ને શોધતો થયો છે.ટૂંકમા વાત કરું તો મિત્રો મારા ત્રણ કાવ્યસંગ્રહો ૧ટહુંકો ૨ શુન્યમાં સ્મશાન વચ્ચે ૩એ સખી ૪ સાચો શિક્ષક સાચો સંત છે(ચિંત્નાત્મક)૫વર્ષ ૨૦૨૧માં “એક મુઠી બાંધી લે તું ધુળ (લધુનવલ )પ્રકટ થઈ ચૂક્યા પુસ્તકો છે.આજ સુધીની મારી સાહિત્ય સફર છે.હું મારા સાહિત્યને કોઈના પ્રભાવતળે બાંધી શક્યો નથી એટલે નેચરલી સંવેદનાનો નિચાેડ છે.
સાહિત્ય સરિતા ગુૂપ સાથે જોડાઈને ધન્યતા અનુભવું છું,કેમકે રાવલસાહેબે મારા લેખો ને નવલકથાના અંશો ન્યુઝ ઓફ ગાંધીનગરમાં પ્રગટ કર્યા છે,સાહિત્યની વાત કરું તો લખનાર દરેક વ્યક્તિ ખૂબ સંઘર્ષ કરી,હ્રદયને દમન કરી એ જન્મતા વિચારોને આકાર આપે છે,કોઈના સાહિત્ય તરફ ટીકા કરતો નથી કેમકે હું પોતે ટીકાને લાયક નથી ,આ કામ વિવેચકો,ને વાંચકોનું છે એટલું નહી તેંનો અધિકાર છે એટલે એ સંપૂર્ણ કરી શકે છે.હું અહીં માત્ર સર્જકની વાત કરી શકું ,સર્જન મૌલિક હોવું સાથે સંસારને દિશાસૂચક હોવું જોઈએ,કોઈને કોઈ અભિગમ તેમાં છુપાયેલો હોવો જોઈએ જેનાથી માનવજીવન પર અસર પડે.સર્જક સર્જન કરે તેમા પછી સાહિત્ય હોય ,સમાજ હોય ,માનવજીવન હોય કેપછી માનવસમુદાય હોય ,દરેકને કોઈને કોઈ બોધપાઠ મળવો જોઈએ તો જ સાહિત્ય સુંદર લાગે.સાહિત્ય સામે ઘણા પડકારો છે જ,પરિવર્તનશીલ જમાને સાહિત્ય તરફ અડગ રહી માનવજીવનને સંજીવની ફૂકવી જાતને અગ્નિકૂંડમાં નાખવા જેવું છે પણ દોડતા માણસને ઘડીભર રોકીને અમુૂતપાન કરાવી શકે તેવા વિચારોનું સિંચન સાહિત્ય કરે ,તેવું સર્જક પાસે ગ્નાન હશે તો જરૂરથી સમાજનો વિકાસ એટલુ નહી તેની ભરપુર ઉન્નતિ થશે.સર્જકે આજ વસ્તુ કરવાની છે.રાગ ,દ્દેષથી,પર બની સાચુ,સારું,સર્વોચ્ચ અલંકુૂત સાહિત્યના દર્શન સમજ,સંસારને કરાવવાનું કામ આપણે કરવાનું છે.સૌ મિત્રોને ફરી કહું સાથે મળી ચાલો સમાજને સર્વોચ્ચસ્થાન પહોચાડીએ.
આપણને ખબર છે કે કમળ કાદવમાં ખીલે,ગુલાબ કંટકમાં ખીલે,કુદરતે તમારું નિર્માણ કર્યુ હોય તો તમારા વિચારો,સંવેદનાઓ,અનુભૂતિઓ એજ રોકી શકે,માણસ તમારું માત્ર મનોબળ તોડવાના પ્રયત્નો કરશે,તોડી શકશે નહીં,કારણ તમારું સર્જન કોઈ હેતુ સાથે થયું છે,ને જયાં સુધી એ જગતમાં સાર્થક ના થાય ત્યાં સુધી તમારા સિધ્ધાંતો કોઈના તોડી શકે,શરુંઆત ત્યાંથી કરો જયાં તમે અટકયા છે.કમ્પ્યુટર યુગમાં સાહિત્ય તરફ ઢળીને યોગ્ય ન્યાય આપવાના આપના પ્રયત્નો કાલના સમાજની દિશા ને દશા બઉં સુધારશે.
બાબુ સંગાડા….મહેક
હાલોલ,પંચમહાલ .
[1/7, 11:22 PM] Dr.Rekha Kachoria.MeM.NOG: NOGSS NO. :0034
વિષય : વીતેલાં વર્ષનું સરવૈયું
વિભાગ : ગદ્ય
શીર્ષક : વેલ બીગનીંગ ઈઝ હાફ ડન
વર્ષાન્તે સમગ્ર વર્ષનું સરવૈયું કરીને હિસાબ સરભર થતો હોય છે. પરંતુ 2021નાં વીતેલાં વર્ષમાં માત્ર ને માત્ર નુકસાની જ રહી. સુખદ બાબતો આંગળીનાં વેઢે ગણી શકાય એટલી જ મળી.
મારી સાહિત્યની સફર છેલ્લાં ત્રણેક વર્ષથી શરૂ થઈ છે. શરૂઆતમાં કવોટ્સ લખતી. ધીરે-ધીરે અછાંદસ રચનાઓ, ગઝલો,વાર્તા અને લેખ લખવા લાગી. એમાંય સળંગ ક્યારે નથી લખાતું. સંસારિક જવાબદારીઓને કારણે કયારેક મહિનાઓ સુધી બ્રેક પડી જાય, પરંતુ ફરી પાછી લખવા માટે હું અને મારી કલમ સજજ થઈ જઈએ. સાહિત્યનો પ્રસાદ તો મા સરસ્વતીની કૃપા હોય તો જ મળે છે. આમાં કંઈ આપણે 9 ટુ 5 ની ડ્યુટી નથી હોતી કે તમે નકકી કરેલ સમયે લખો અને લખાઈ જાય. હું ક્યારેય સ્પેશ્યલ લખવા માટે નથી બેસતી, બસ જ્યારે મનમાં કોઈ વિચારનું સ્પાર્ક થાય એને કાગળ પર કંડારી લઉં છું. હા, પછી નિરાંતે એને મઠારી લઉં. પા-પા પગલી કરીને ચાલવાની શરૂઆત કરી છે, હજુ તો ઘણું ચાલવું છે, મંઝીલ બહુ જ દૂર છે.
NOG ગ્રૃપમાં હું મારી ફ્રેન્ડની મદદથી જોડાઈ. એ સમયે એમાં સ્પર્ધા ચાલુ હતી. મેં પણ ભાગ લીધો અને મારાં આશ્ચર્ય વચ્ચે મારી રચના પ્રથમ આવી. ખૂબ ખૂબ જ ખુશી થઈ. કહે છે ને, ‘વેલ બીગનીંગ ઈઝ હાફ ડન’. ત્યારબાદ મારી ઘણી બધી રચનાઓ વિજેતા બની. આ ગ્રૃપનાં જનની જીજ્ઞાબેન અને દાદીશા પાસેથી ઘણું બધું શીખવા મળ્યું. રવિવારની પાઠશાળાની તો આતુરતાથી રાહ જોતી.
બાળક જન્મે પછી એ થોડાંક મહિના પછી બોલતાં શીખે. ધીમે-ધીમે તેની સમજણ શક્તિ વધે, તેનો શબ્દકોશ વધે અને તે એની લાગણીઓ વ્યક્ત કરે. એમ આ ગૃપમાં જોડાયા પછી ઘણું માર્ગદર્શન મળતું રહ્યું અને રોજ નવું નવું શીખવા મળ્યું.
વંદનીય દાદીશા મારાં પ્રેરણામૂર્તિ છે. એમનાં માટે એટલું જ કહીશ કે,” Old is Gold”. આવાં મમતામયી વાત્સલ્યમૂર્તિને નમન.
હંમેશા સર્વેની સલામતી માટે મહાદેવને પ્રાર્થના કરતાં અને ગ્રૃપમાં દરેકને લખવા માટે મોટીવેટ કરતાં પ્રદીપભાઈનો ખૂબ ખૂબ આભાર. આ ગ્રૃપ એક પરિવારની ભાવનાથી ચાલે છે. ગત વર્ષમાં ઘણું શીખવા મળ્યું, નવાં વર્ષમાં પણ ઘણું બધું શીખીશું.
ટહુકો:-
પ્રસાદ જોઈને તું મંદિરની અંદર ન જા,
છે ઈશ્વર, રાખ શ્રદ્ધા, તું વ્હેમથી અંદર ન જા!
— ડૉ. રેખા શાહ
[1/8, 4:54 PM] Bharat Sanghaani.MEM (Kaushik Shah): NOG:SS:NO.:0101
વિષય: વીતેલાં વર્ષનું સરવૈયું
વિભાગ: ગદ્ય
શીર્ષક: સ્નેહરંગી સંધ્યાકાળ
ચાલો, વીતેલા વર્ષને વાગોળીયે.
જીવનના આ તબ્બકે અનેક લોકેએ આર્થિક વિટંબણા અનુભવી તેવી કોઈ પરિસ્થિતિતો મુક્ત છીએ, પણ અન્યની મુશ્કેલીનો એહસાસ જરૂર અનુભવ્યો.
સમાજની સંવેદનાથી માનવી પર ન થઈ શકે. ખેર, સામાજિક ક્ષેત્રે અને સાહિત્યક ક્ષેત્રે ઉતાર ચઢાવ વ્યક્તિગત જીવનમાં થયાં.
કોરોના સમયમાં કદાચ કોઈ એક પરિવાર નહીં હોય જેણે પોતાના સ્વજન-સંબંધી મિત્રો ન ગુમાવ્યા હોઈ. હું સમાજનું એક અંગ કેવી રીતે બાકાત રહી શકું!
અંગત મિત્રો અને કુંટુંબીજનો ગુમાવ્યા , ભારે હૈયે કહેવું પડે કે કોરોના પ્રોટોકોલને અને અંતરને કારણે એક સિવાય કોઈ પણ જગ્યાએ હાજર ન થઈ શકાયું, ન મોઢું જોવા મળ્યું.
આપણાં આપણી વચ્ચેથી ચાલી જાય અને આપણે ડૂમો ભરીને ખુરશી પર બેસી રહીએ યાંત્રિક સવલતો whhats app અને ફોન સંવેદનાના વાહક બન્યા.
માનવ માનવનો સ્પર્શ ગુમાવ્યો, ન રડી શક્યા ન ખભે હાથ પ્રસરાવી શક્યા.
લગ્નનું મહત્વ સમજાયું કે સાથીની સાચી જરૂર સાઈઠ -પાંસઠ વર્ષે પડે છે, આપણો હાથ ઝાલનારું , રસ્તો ક્રોસ કરાવનાર તેના સિવાય ત્યારે કોઈ નથી હોતું. દવા આપવી, કાળજી લેવી , સામ સામે બેસી વાતો કરનાર બે પ્રૌઢ આંખો એકબીજાને તાગતી રહે, સ્નેહ નિતર્યા કરે. આજ લગ્ન.
હૈયું ભારે થઈ ગયું, આનંદ તરફ પ્રવાસ કરીયે.
આખું વરસ “ઓનલાઇન” સંપર્કનું સાધન રહ્યું..
Whatts app ગૃપો , facebook, વગેરે સાહિત્ય સર્જન, વૈચારિક તંદુરસ્ત આપલેના સાધન રહ્યા.
વ્યક્તિગત નવા સંબંધો બંધાયા અને હજારો માઈલ દૂર રહેનારાઓ સાથે જીવંત સંપર્ક સધાયો. કૌટુંબિકતાનો એહસાસ થયો .
તેમાં ખાસ કરીને સાહિત્ય સંગીતનું વિશ્વ(કૌશિકભાઈ) અને NOG સાહિત્ય સરિતા (પ્રદીપભાઈ), ગ્રૂપ દ્વારા ને સાથે સાથે બીજા અનેક જશુભાઈ વગેરેના ગ્રુપ દ્વારા ખૂબ માન સ્વમાન મળ્યા.
મારી સાહિત્યિક પ્રવૃત્તિને ખૂબ વેગ મળ્યો.
મારા અનેક લેખો કાવ્યો ને વાર્તા છપાઈ. ત્રણ વાર ઇનામો મળ્યા શ્રેષ્ઠ કૃતિના આ એ અનેક સન્માનપત્રો મળ્યા.
તે પછી આ વરસમાં ત્રણ વાર કૌશિકભાઈ અને રાજુલબેનના કારણે તુલસી ખુસરો સાહિત્ય મંચ પરથી એક એક કલાક મારા ગદ્ય અને પદ્ય લેખન ને રજુઆત કરવાનો અવસર સાંપડયો.
તે ખૂબ જ યાદગાર રહ્યો તે મંચ પરથી મેં પૂર્ણ ગીતા પર પ્રવચન કર્યું, સાથે ગીતા અને કુરાનની સંગતિ. બીજા પ્રવચનમાં મહાભારતના પાત્રો અને ત્રીજા પ્રવચનમાં મારા કૃષ્ણ કાવ્યોનું પઠન ને છણાવટ કરી. ત્રણે વાર હજારો શ્રોતાઓએ તેનું મંચન કર્યું. તેમજ યોગીનિબેન, ભરતભાઇ ત્રિવેદી અને નમ્રતાબેન શોધને મારી રચનાઓનું સ્વરાંકન અને તેમના મધુર સ્વરમાં ગાયું. અને તેનું શ્રીકૌશિકભાઈ અને રાજુલબહેને સુંદર વીડિયો સંકલન કર્યું.
અનેક નવા સંબંધો બંધાયા અને જૂનાસંબંધો ફરી તાજા થયાં તે આનંદ સાથે ગયા વરસની ખટ મીઠી યાદો સાથે વિરામ લઉં છું.
લેખક: ભરત સાંગાણી.
[1/8, 5:18 PM] Jaykant Ghelaani.MeM.NOG: NOG સાહિત્ય સરિતા પરિવાર
ગૃપ.
NOG NO. S.S. 0059.
વિષય: ૨૦૨૧નું સાહિત્ય સરવૈયુ
પ્રકાર: ગદ્ય લેખ.
શીર્ષક: એક યાદગાર સફર”.
શબ્દો: ૩૪૯.
એકાદ દિવસ માટે નજીકના સ્થળે પિકનિમાં જવાનું હોયતો પણ આપણે ઘણી તૈયારીમાં લાગી જતાં હોઈએ છીએ .
‘પ્યારે’ કારણ,આપણી પિકનિક, આનંદદાયક અને યાદગાર બને તેવું આપણે અને આપણાં સ્નેહીમિત્રો ઈરછતાં હોય ! કેમ ખરુંને ?
હું, અન્ય સામાજીક પ્રવૃત્તિઓમાં વધુ વ્યસ્ત, સમયની મર્યાદા, પાકટ ઉંમર અને થોડી આળસના કારણે, મારા શોખને અનુરૂપ, રસદાર સાહિત્ય રચનાથી ,હું દૂર થતો,સ્વયંને જોઈ રહ્યોહતો,
હા, મુંબઈના બે પેપર અને એક મેગેઝીનમાં,સમકાલીન લેખ
આપવાનાં કમીટમેન્ટ, આર્ટીકલ સમયસર આપવાનાંજ.
ગુજરાત-મુંબઈના સાહિત્ય ગૃપ,તેમાં જીજ્ઞાબેન સંચાલિત સાહિત્યિક પરિવારમાં એક દિવસ, અચાનક મને તેઓએ પાંચ ગૃપમાં સભ્ય બનાવ્યો.
મારી સાહિત્ય સફરની ગાડી પાટા પર આવી.
ભગવાન આપે છે ત્યારે, ‘છપ્પર ફાડીને આપે છે’ કહેવત મારા માટે યથાર્થ બની અને ફરી નવી તક NOG સાહિત્ય સરિતા પરિવારમાં પણ મારૂં જોડાણ જીજ્ઞાબેન દ્વારા થયું.
“દોડતાને ઢાળ મળે”
તેમ મારા માટે થયું, સંચાલક
શ્રી પ્રદીપભાઈ રાવલ સાથે, પૂર્વભવોના શુભકર્મે, પરિવારસમ મિત્રતાનો ઘરોબો બંધાયો, જે મારા જીવનનું એક યાદગાર સંભારણું છે.
રાવલ પરિવાર સાથે સમગ્ર એડમીન ટીમના સભ્ય ભાઈ બ્હેનો તરફથી અપાર પ્રેમ-લાગણી મને મળતાં રહે છે, જે જિંદગીની સલૂણી સંધ્યાએ, મને NOG સાહિત્ય સરિતા પરિવાર તરફથી,મારી સાહિત્ય રચના માટે,ખરેખર ઉગતાં સૂર્યની રોશની સમાન છે,
જેના માટે આપ સર્વેનો આભારી છું.
લગભગ દરેક વિષય ઉપર રચના આપી નિયમનું પાલન કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.
હા, વિડિયો ક્લિપ પણ સમયાંતરે
મોકલી આપીછે, જે મારા માટે વધુ પ્રેરણાદાયક ,ઉત્સાહવર્ધક રહ્યાં છે.
ટૂંકમાં સરવૈયું કાઢતાં, સાહિત્ય સર્જન સાથે, મને ખેલદિલ મિત્રોની ફોજ મળી છે, જે હિસાબના ચોપડે, જીવનની ફિક્સ્ડ ડીપોઝીટરૂપે જમા છે.
આ કપરા કોરોનાકાળમાં સમગ્ર વિશ્ર્વની પ્રજા,સતત ટેન્શનમાં રહી છે, તેવા સમયે દરેક નાના-મોટાં, જૂના-નવા, સાહિત્યપ્રેમીઓએ પોતાનું લક્ષ,અભિનવ સાહિત્ય સર્જન તરફ ફેરવ્યું ,અને ઉત્તમ સાહિત્યનું સર્જન થયું છે. બાકી દરેક સર્જનહાર પોતાનાં સર્જનની કિંમત સમજતો હોય છે.
હા, એટલું તો પ્રત્યેક સાહિત્ય સર્જનહારે જીવનમાં નકકી કરવું જરૂરી છે કે,
“હું,જીવનમાં અન્ય કોઈની પણ કૃતિઓ સાથે છેડછાડ નહીં કરૂં અને કોઈની કૃતિ પોતાના નામે નહી ચડાવું.”
જો,આ નિયમનુ પ્રમાણિકતાપૂર્વક પાલન થાય તો, સાહિત્યની દેવી ‘મા સરસ્વતી’,દરેક ઉપર જરૂર
પ્રસન્ન થાય. નીતિ નિયમોનું ચુસ્ત પાલન
જીવનમાં સાચા સુખની જમારાશી સરવૈયામાં બતાવે.
©️જયકાન્ત ઘેલાણી ‘પ્યારે’