[1/9, 6:49 PM] Puja Alka Kanani.Kutchh.Kananips.MeM.NOG: NOG S.S. નંબર 0042
વિષય – ગત વર્ષની સાહિત્ય સફર
પ્રકાર – ગદ્ય
શીર્ષક – સાહિત્યને સથવારે
મારી સ્પર્ધા મારી જાત સાથેના સૂત્રને આત્મસાત કરી સાહિત્ય ક્ષેત્રે પા..પા..પગલી ભરી, શીખતાં રહી સાહિત્યની સરિતામાં વહેતાં રહેવું એ જીવનમંત્ર બની ગયો.
ગત વર્ષને યાદ કરતાં આજે પણ કંપારી છૂટી જાય છે. કોરોનાની બીજી લહેર રૂપી અજગર જરાક ચૂક્યાં તો ભરડામાં લેવા તત્પર જ હતો. એવા સમયે ઘરે બેઠા કશા ડર વગર કોઈ પ્રવૃત્તિ કરી મનને બીજી તરફ વાળી શકાય, તો એ સાહિત્ય સ્વરૂપ હતું એવું ચોક્કસપણે મારું માનવું છે.
મને ખુદને કોરોના થયો ત્યારે મારી ડોક્ટર દીકરીએ કહ્યું “મમ્મા, મન કે હારે ,હાર ઓર મન કે જીતે ,જીત ” ત્યારે મનને મજબૂત કરવા સાહિત્યરૂપી સઢ પકડી જીવનરૂપી નૈયા પાર કરવા કમર કસી. ન્યુઝ ઓફ ગાંધીનગરના વડીલ બંધુ પ્રદીપભાઈ અને ગ્રુપના સભ્યો દ્વારા કરાયેલી પ્રાર્થનાએ પ્રેરકબળ પુરુ પાડ્યું હતું.
ન્યુઝ ઓફ ગાંધીનગર ગ્રુપમાં અપાતાં ટાસ્ક, જયશ્રીબેન દ્વારા અપાતું માર્ગદર્શન, વિભૂતિબેને આપેલું પ્રોત્સાહન, દીવડો બની કોરોનાકાળમાં પથદર્શક બની મનને ઉજાગર કરતું હતું. તેમ છતાં ક્યારેક કશું લખવાનું મન ન થતું કારણકે લખવું એ એકાગ્રતા માંગી લે તેવું કામ. તેમાં એક કામ સાથે બીજા કામને જોડી યંત્રવત ન કરી શકાય. ઘણીવાર સુંદર શબ્દ સાથે અપાયેલો ટાસ્ક ,સમય હોવા છતાં પૂર્ણ નહોતો કરી શકાયો, કારણ કે અંગત સ્વજન ગુમાવી બેઠેલું મન અંદરથી આક્રંદ કરતું હોય ત્યાં લખવું કેમ? તો વળી ક્યારેક ખૂબ કામનું ભારણ, માનસિક પરિસ્થિતિ ડામાડોળ હોવા છતાં પણ કંઈક સારું લખાયું હોય સ્પર્ધામાં નંબર પણ મેળવ્યો હોય એવું પણ બન્યું છે.
ગત વર્ષની મારી સાહિત્ય યાત્રામાં, મેં બે સહિયારી નવલિકામાં પ્રકરણ લખ્યા, એક સહિયારી નવલકથામાં ચાર વાર્તા લખી. ન્યુઝ ઓફ ગાંધીનગર ડેઇલીમાં વાર્તા સ્પર્ધા માટે શિલ્ડ મળ્યું. વતનની વાત,લોહાણા પત્રિકા, અરસ પરસ મેગેઝિનમાં મારી રચનાઓ છપાઈ, તે ઉપરાંત સાહિત્યના બીજા ઘણાં ગ્રુપમાં નંબર મેળવી સર્ટિફિકેટ મેળવ્યા. ટુંકમાં ગત વર્ષે શારીરિક, માનસિક સ્થિતિ બેહદ વણસી હોવા છતાં સાહિત્યની આંગળી પકડી આગળ વધ્યાની વાત નકારી ન શકાય. ખરું કહું તો નંબર, સર્ટિફિકેટ, શિલ્ડ એ બધી બાબત ગૌણ બની જાય જ્યાં સાહિત્યની અને કલમની દોસ્તી સ્થપાઈ જાય. બસ, સાહિત્ય સાથેનો નાતો જીવનપર્યંત સુધી જળવાઈ રહે તેવી પ્રભુને પ્રાર્થના. ‘ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક ‘ દીવાદાંડી બની સાહિત્ય પથ પર પ્રકાશ અર્પે તેવી દિલથી શુભેચ્છા.
પૂજા(અલકા)કાનાણી.
[1/9, 9:10 PM] Dr. Manisha Vyas,AcharyaMeM.NOG: *નામ*- ડો. મનીષા વ્યાસ
*NOG SS NO-* 0088
*વિષય શબ્દ*- વીતેલાં વર્ષની સાહિત્ય સફર..
*પ્રકાર*- ગદ્ય
*શીર્ષક*- દ્વારનાં ખુલ્યા પછી..
****************************
૨૦૨૧નાં આખા વર્ષનાં સાહિત્ય સર્જનનાં લેખાંજોખાંનું સરવૈયું કાઢવા બેઠી તો.. આ સાંપડ્યું..
7 જાન્યુઆરી 2021 નો દિવસ એટલે મારી સાહિત્યક્ષેત્રની યાત્રાનો પ્રસ્થાન દિવસ. મારા સાહિત્ય સર્જનના હળોત્રા કાંઈક આ રીતે થયા…
મેં ફેશબુક પર ૨૦૨૧નાં વર્ષની વધામણી કરતાં કાવ્યપઠનનો વિડીયો અપલોડ કરેલો.. જે પ્રદીપભાઈના ધ્યાને આવતાં તેમણે મને મેસેજમાં જન ફરિયાદ અને ન્યુઝ ઓફ ગાંધીનગર વિશે માહિતી મોકલેલી.
આળસમાં તે જોયેલી નહીં. બેચાર દિવસ પછી ફરી પ્રદીપભાઈ એ મેસેજ મૂકી કહેલું કે- “આ વીસના વિષ વિશે વિચારવાનું છોડી આવેલ નવા વર્ષ વિશે લખવા કલમ ઉપાડો.. તમે મારા પેપરમાં લખવા ઇચ્છો છો? તો અમારા સાહિત્ય સરિતા ગ્રુપમાં જોડાઓ.”
હું ત્વરિત ગ્રુપમાં જોડાઈ. જોડાતાંની સાથે જ મનમાં કાંઈક વિશેષ આનંદ ઊર્મિ જાગી!… લાગ્યું કે સ્વયં ઈશ્વરે! પ્રદીપભાઈના માધ્યમથી મારી વર્ષોથી ઝંખતી દિશામાં ચાલવાનું જાણે આહ્વાન કર્યું છે! સાહિત્યગ્રુપમાં એક ચોક્કસ વિષય સાથે માળખામાં લખવાના શ્રીગણેશ અહીંથી થયા. એક અઠંગ આળસુંની આળસનાં થર ઉતરવાં શરૂ થયાં.
દાદીશાનાં શુદ્ધ જોડણી સાથેના માળખાકીય લખાણનો આગ્રહ ને ગુલાબની લાલચે.. મારી ઘણી ભૂલો સુધરી અને લખવામાં પ્રતિબદ્ધતા આવી..
વિભૂતિબેનનાં આગવા લહેકા ને છટાથી બોલાતા સુંદર પ્રતિભાવોમાં રચનાની છણાવટને જાણવાની મજા આવવા લાગી. પ્રદીપભાઈનો સતત લખતાં રહેવાનો પ્રોત્સાહક આગ્રહ અને સૌ મિત્રોનાં સહકારથી મારી લેખનયાત્રામાં અનેકવાર ગુલાબ પણ મળ્યાં..
ભાવનાબેન મિસ્ત્રી દ્વારા ઉદ્ધોષિત સ્પર્ધામાં શિલ્ડ સાથે દ્વિતીય ક્રમે આવી. અન્ય ગ્રૃપોમાં પણ પ્રવૃત્તિશીલ બની. અલગારી ઓજસ પુસ્તકમાં વાર્તાને સ્થાન મળ્યું. એટલે સાહિત્યની દ્રષ્ટિએ 2021 એ મારા માટે અણમોલ રહ્યું.
પ્રદીપભાઇએ મને જે સુંદર તક આપી તેને અનુલક્ષીને.. કવિયત્રી મરીયમ ગઝાલાજીની આ પંક્તિઓ માનાર્થે…
*સાત કોઠાં ઝળહળે એવું તમે આ શું કર્યું, કોડિયાની સામને આ ચાટલું શાને ધર્યું. દ્વાર બસ ખુલતાં ગયાં એક દ્વારના ખુલ્યાં પછી, કોણ આવીને પ્રથમ હડસેલો દઈ ચાલ્યું ગયું.*
આમ તો ૨૦૨૧નું વર્ષ માનવજાત માટે ખૂબ કપરું અને ત્રાહિમામ્ સાબિત થયું. કોરોનાના ખપ્પરમાં અનેકના જીવ હોમાયા… ધંધાપાણી ખોરવાયાં.. મારા પરિવારે પણ કોરોનાનો સામનો કર્યો. મારાં મા સમાન સાસુમાને પણ છીનવી લીધાં.
વીતેલાનો સંતાપ છોડી.. આવેલ આ નવું વર્ષ સૌ માનવજાત માટે સલામત, સુખદાયી ને મંગલમય બની રહે તેવી ઈશ્વરને પ્રાર્થના..
નામ – *ડો. મનીષા વ્યાસ* ✍️
*અમદાવાદ*
[1/10, 9:44 AM] Ghanshyam Nayak.MeM.NOG �ાઈ: NOG NO ૧૩
પ્રકર ગદ્ય
વિષય ૨૦૨૧નું સાહિત્ય નું
સરવૈયું.
સાહિત્યનું સરવૈયું એટલે
સાહિત્યના લેખાજોખા.
જોકે સાહિત્ય એટલે
સહી સત્ય આપણામાંથી
બહાર આવવું જોઈએ.
અને એ પણ એવું સાહિત્ય
જેનાથી આપણી આવનાર
પેઢીને કઈક પ્રેરણા મળે.
આપણી આજુબાજુ ઘટતી
ઘટનાને સાહિત્યમાં આવરી
લેવી જોઈએ. આપણા જે
થઈ ગયેલા સાહિત્યકારો છે
એમના વિશે કંઈક વિશેષ
લખવું જોઈએ. નહી કે કોપી
પેસ્ટ કરવું કે કોઈની રચના
સારી લાગે તો પોતાના નામે
મૂકી દેવી અને જે પ્રમાણપત્ર
મળે એને બધા ગ્રુપમાં મોકલી બધાની વાહ વાહ
મેળવવી જોઈએ.
લેખાજોખામાં તો આપણા
ગ્રુપમાં જે નવોદિત કલાકારો
આવે એમને થોડીક સાહિત્યની સમજણ આપવી
જોઈએ,એમની ભૂલો પ્રત્યે
ધ્યાન દોરી અને સરસ
સાહિત્ય પીરસે એવી ભાવના
સાથે એમનો હાથ પકડવો
જોઈએ.
આશા રાખીએ કે આ વર્ષે
આપણા ગ્રુપમાં નવોદિત
કલાકારોને પ્લેટફોર્મ મળે
અને આપણા ગ્રુપના જે
અનુભવી, નામાંકીત સાહિત્યકારો છે એમના
અનુભવનો બધાને લાભ મળે.
અસ્તુ
ઘનશ્યામ વ્યાસ.
પ્રદીપ ભાઈ, કૌશિક ભાઈ,
રાજુલ શાહ , જયશ્રી બેન
નો ખુબ ખુબ આભાર.
[1/10, 10:33 AM] Nayana.MeM.NOG Patel: Ss..Nog..No..73
વિષય..સાહિત્યનું સરવાળું..2021
પ્રકાર.. ગદ્ય..
શીર્ષક… સાહિત્યની રીતે 2021.
2021 નું વર્ષ શરુવાતમાં ખુબજ અઘરું રહ્યું,શું થઈ રહ્યું છે અને શું થવાનું છે એની કોઈને ખબરજ નહોતી પડતી,આવા સમયે વચ્ચે મારા સાહિત્યના ગ્રુપના દાદિશા એવા જયશ્રી બહેનને મળવાનું થયું,એકજ શહેરમાં રહેતા હતા પણ એકબીજાને ઓળખતા ન હતા પરંતુ સાહિત્યનું ગ્રુપ અને પ્રદીપભાઈની ઓળખાણથી હું દાદિશાને મળી, સરળ શાંત શોમ્ય, એવા દાદિશાને મળવાનો આનંદ થયો.
પ્રદીપ ભાઈ અને મીનાક્ષી બહેન કોરોના જેવા કપરા સમયમાં પણ બધા ગ્રુપના વ્યક્તિ માટે ભગવાન પાસે જલ્દી સારા થવાની પ્રાર્થના કરે તેમણે ગ્રૂપના દરેક વ્યક્તિને પોતાની વ્યક્તિ ગણી લાગણીથી દરેકની સ્વસ્થયની ચિંતા કરી,પ્રદીપભાઈ અને મીનાક્ષી બહેનનો ખૂબ આભાર કે એમણે મારા ખરાબ સમયે ફોનથી મારી સાથે જોડાયેલા રહ્યા મારા મિસ્ટરને ફેબ્રુઆરી માં અટેકઆવ્યો અને તરત કોરોના થયો ત્યારે પ્રદીપ ભાઈએ કહ્યું તું ચિંતા ના કર હું ભગવાન પાસે પ્રાર્થના કરીશ અને નરેશભાઈ જલ્દી સારા થઈ જશે,મને એમણે હિંમત આપી,સાહિત્યનું ગ્રુપ અને એડમીન બધા જાણે પરોક્ષ સાથે રહ્યા…
જન ફરિયાદ ન્યૂઝમાં પોતાની રચના આવવી અને કોઈપણ ભેદભાવ વગર દરેક લેખકને ન્યાય આપવો એ પ્રદીપભાઈજ કરી શકે,એક નાની જાહેરાત પેપરમાં આપવા માટે પાંચસો રૂપિયા આપવા પડે ત્યાં આપણી આખી રચના પ્રદીપભાઈ ફ્રીમાં છાપે એ એમનું સાહિત્ય પ્રત્યેની લાગણીનું મોટું ઉદાહરણ છે.
ખૂબ નવું જાણવા મળ્યું દાદિશા જે ભૂલો બતાવે અને તેમાંથી ઘણું શીખવા મળ્યું,
આવતું વર્ષ દરેકનું સારું જાય અને ગ્રુપના દરેક સભ્યોની હેલ્થ સારી રહે તેવી શુભેચ્છા….
નયના પટેલ
વડોદરા..
[1/10, 11:04 AM] Prakruti Shah.MeM .NOG: NOG SS 0048
વિભાગ – ગદ્ય
વિષય – સાહિત્યનું સરવૈયું
શીર્ષક – સાહિત્યિક સફર – ૨૦૨૧
માર્ચ ૨૦૨૦, કોરોનાકાળની શરૂઆત થઈ અને એ સાથે જ જવાબદારીઓ અને રોજિંદા જીવનમાં અટવાઈ ગયેલ કેટલીય
કલમોમાં સાહિત્યનાં વિચારોની સ્યાહી પૂરાઈ. ઘણાં વિચારશીલ સાહિત્યપ્રેમીઓએ પોતાનાં જેવો સાહિત્યપ્રેમ ધરાવતાં લોકોને સોશિયલ મીડિયાથી જોડીને આ આપત્તિને અવસરમાં ફેરવવાનો મોકો આપ્યો અને નકારાત્મક મનોવલણ તરફ જતાં અટકાવ્યાં.
સાહિત્ય સફરનાં આ ભાગરૂપે હું પણ આવા જ એક ગૃપમાં જોડાઈ, જ્યાં જીજ્ઞાબેન અને આપણાં સૌનાં પ્રિય એવા દાદીશાનો ઓનલાઈન પરિચય થયો. અઠવાડિક સ્પર્ધાઓનાં ભાગરૂપે વિજેતા પ્રમાણપત્રો મળ્યાં, પણ એથીય વિશેષ દાદીશા દ્વારા નિર્દેશ કરવામાં આવતી ભૂલોથી લખાણની શુધ્ધિ અને વ્યાકરણ વિશે જાણકારી મળી. એ સાથે એમનાં દ્વારા દરેક લખાણ અને વિચારોનું કરવામાં આવતું મૂલ્યાંકન અને તેની પધ્ધતિએ જીવનમાં કાર્યનિષ્ઠાનાં પાઠ પણ શીખવ્યાં. દાદીશા અને જીજ્ઞાબેનનો સાહિત્યની કેડી પર પગરણ મંડાવવા માટે આભાર માનું એ ઓછો છે.
આ જ સફર પર આગળ વધતાં ન્યૂઝ ઑફ ગાંધીનગરનાં ગૃપમાં જોડાવવાની તક મળી અને મારી રચનાઓને વર્તમાનપત્રમાં સ્થાન મળ્યું. આ સાહિત્યસેવાનાં કાર્ય માટે રાવલ દંપતિને બિરદાવવા રહ્યાં. આ સાથે વિભૂતિબેન થકી દરેક કૃતિઓની થતી છણાવટે એ કૃતિઓની લાક્ષણિકતા તરફ ધ્યાન દોર્યું, અને તેઓ આ સરાહનીય કાર્યનાં ભાગીદાર બન્યાં.
મારી આ સફરમાં ઓનલાઈન બંધાયેલાં ઘણાં સંબંધોએ જીવનમાં લાગણી અને હૂંફનો અનુભવ પણ કરાવ્યો છે. સાહિત્યનાં સરવૈયાનું સૌથી ઉમદા જમા પાસું એટલે સાથી લેખકો અને લેખિકાઓ, જેમની કૃતિઓએ પણ મનોમંથન કરતાં શીખવાડ્યું.
સાહિત્યસફરનાં ભાગરૂપે લખેલ કૃતિઓનું સહિયારાં પુસ્તકમાં પ્રકાશન થવું એ જીવનની અણમોલ ક્ષણોની યાદગીરીમાં કંડિત રહેશે.
પ્રકૃતિ ‘પ્રીત’
[1/10, 11:43 AM] Kaushik Shah.Usa:
NOG SS No : 0085
સૌથી પહેલાં તો વિચાર આવે જે સાહિત્ય એટલે શું? એના સંદર્ભે વડીલ શ્રી જુગલકીશોર વ્યાસે સમજાવેલી અને સાચા અર્થમાં સમજવા જેવી એ વ્યાખ્યા અહીં ટાંકું છું.
” સાહિત્ય શબ્દ એના શબ્દાર્થથી જ ઘણો વિશાળ છે. એને શબ્દાર્થથી સમજાવવો હોય તો, શબ્દનું અર્થ અને અર્થનું ચિત્ત સાથેનું સહિતત્વ એટલે સાહિત્ય.”
કોઈ પણ ભાષામાં એના અક્ષરોથી શબ્દ બને. એ શબ્દનો અર્થ સમજાય તો એમાં શું કહેવા માંગે છે એનું તાત્પર્ય સમજાય. જો સાહિત્યની વાત કરવી હોય તો એની વિશાળતા સમજી લેવી પડે.
કક્કો લખતાં થયાં ત્યારથી માંડીને આજ સુધીની ભાષાની સમજ, જાણકારી અને શબ્દભંડોળના હલેસાં લઈને સાહિત્યના વિશાળ સાગરમાં સૌએ પોતપોતાની નાવ તરતી મૂકી. સમય હતો જ્યારે એક માત્ર પ્રિન્ટ મીડિયાનું જ ચલણ હતું. પત્રકાર કે ફ્રીલાન્સ કૉલમ રાઇટરનું લખાણ જ અખબાર અને અખબાર માધ્યમે જ વાચક સુધી સુધી પહોંચી શકતું.
આજે અદ્યતન ટેક્નોલૉજીનો વિપુલ પ્રમાણમાં લાભ મળી રહ્યો છે. પ્રિન્ટ મીડિયાના બદલે પામ ( કરતલ) મીડિયાની સુલભતાના લીધે
સૌને પોતાના વિચારોની અભિવ્યક્તિ કરવાની મોકળાશ મળી છે.આ પામ મીડિયા એટલે હાથમાં સમાઈ જતો મોબાઈલ . લેપટોપ કે આઈપેડના બદલે મોબાઈલનો વપરાશ વધતા લખવા ,વાંચવાની આસાની વધી .
પોતાના વિચારો અંગત ડાયરી સુધી સીમિત રાખનારા આપણાં સૌની અભિવ્યક્તિ પામ મીડિયા થકી અરસપરસ વાચકમિત્રો સુધી પહોંચી છે.
એટલું જ નહીં, શબ્દો થકી આપણી ઓળખ પણ અનેક મિત્રો સુધી પહોંચી છે. કેટલાય જાણીતા, અજાણ્યા મિત્રો થકી આજે સમૃદ્ધિ મેળવી એનોય અનેરો આનંદ છે . આભાર એ સૌ મિત્રોનો. આ એવા મિત્રો છે, જેને કદાચ આપણે ૨૦૨૦ના વર્ષ સુધી જાણતાંય નહોતાં. આજે જેમ રામસેતુથી શ્રી રામ લંકા સુધી પહોંચ્યા એમ આપણે સૌ શબ્દસેતુથી અનેક સમાન રસ ધરાવતા મિત્રો સુધી પહોંચ્યાં.
ફેસબુકના માધ્યમથી ‘સાહિત્ય સંગીતનું વિશ્વ’ અસ્તિત્વમાં આવ્યું. અનેક સાહિત્ય રસિક મિત્રો, લેખકો, કવિ, કવયિત્રી, ગઝલકાર આ ગ્રુપ સાથે જોડાયા અને આ ગ્રુપને ગૌરવ બક્ષ્યું.
જો કે ફેસબુક સુધી આ સાહિત્ય સીમિત ન રહેતાં, ‘સાહિત્ય સંગીતનું વિશ્વ’નાં અનેક લેખકો, કવિ, કવયિત્રી, ગઝલકારોની રચનાને વિવિધ અખબારોમાં સ્થાન મળ્યું . એનોય આનંદ છે. એ માટે અખબારના તંત્રીનો આભાર.
મારા વિવિધ વિષયોને લગતા લેખ ન્યૂઝ ઓફ ગાંધીનગર-જન ફરિયાદની જેમ અન્ય અખબારોમાં પ્રસિદ્ધ થતાં આવ્યાં છે.
ખરેખર તો સાહિત્યનું સરવૈયું ક્યાં હોય?
છતાં જો સરવૈયું કાઢવું હોય તો જમાપાસામાં ‘સાહિત્ય સંગીતનું વિશ્વ’ સાથે વિવિધ અખબારોની સંલગ્નતા અને સાહિત્ય રસિક મિત્રોને મૂકી શકાય .
અસ્તુ
રાજુલ કૌશિક
[1/10, 12:58 PM] Vandana Vaani.MeM.NOG: NOG- 005
ગદ્ય
વિષય: સાહિત્યનું સરવૈયું
*સાંકડી સાહિત્યની ગલી*
ગત વર્ષનું સરવૈયું લખવા બેઠી પણ મને એ સમજ નથી પડતી કે વર્ષનો નફો પહેલા લખું કે ખોટ!
વર્ષ દરમિયાન ન કલ્પેલી સિદ્ધિઓ મેળવી તો મને ક્યારેક સાહિત્ય જગત છોડી દેવાનું મન થયું.
મને પ્રસ્થાપિત લેખકો સાથે સહિયારા પુસ્તકમાં સ્થાન મળ્યું તો ક્યારેક નવોદિતનું અપમાન પણ સહન કરવું પડ્યું.
સાહિત્યનાં સાગરમાં સાચા મોતીઓ મળ્યાંનો મેં આનંદ લીધો તો કોઈક મોટી માછલીનો ભોગ બનતાં હું માંડ બચી.
પ્રશંસા કરી મિત્રોએ મને પ્રોત્સાહિત કરી તો ક્યારેક મારી સુંદર રચનાની અવગણના પણ થઈ.
ગયાં વર્ષે વાચન વધારવાની કોશિશમાં હું સફળ નથી થઈ પણ આ વખતે મેં ઓછામાં ઓછી પચીસ ચોપડીઓ વાંચવાનો સંકલ્પ કર્યો છે.
‘દુઃખમાં એક આંગળી આંસુ લૂછે છે તો સુખમાં દસ આંગળીઓ તાળી પાડે છે’, મેં આ વાક્ય કશેક વાંચ્યું છે. બસ, મારાં સમજુ મિત્રોને આટલું યાદ કરાવવું પૂરતું છે.
ગત વર્ષમાં મળેલાં આપ સૌ મિત્રોનાં સહકાર અને પ્રેમ મેં આ વર્ષનાં સરવૈયામાં જમા પેટે ઉપર લઇ લીધાં છે.😊 વળતર આપવામાં હું પણ કાચી નહીં પડું એવી પ્રભુને પ્રાર્થના કરું છું. 🙏
©️વંદના વાણી
[1/10, 2:59 PM] Nikhil Kinariwala.MeM: NOG SS No : 0110
વિષય: ૨૦૨૧ સાહિત્યનું સરવૈયું (વર્ષની સાહિત્યિક સફર)
પ્રકાર: ગદ્ય
શિર્ષક: સાહિત્ય લેખનમાં પ્રવેશ
ખૂબ પ્રામાણિક રીતે જણાવું તો ૨૦૨૧ નું વર્ષ મારા માટે સાહિત્યમાં લેખન પ્રવૃત્તિ શરૂ કરવા માટેનું નિમિત્ત વર્ષ બન્યું. નાનપણથી સાહિત્ય અને તેમાં પણ ગુજરાતી ભાષા પ્રત્યેનો વિશેષ પ્રેમ રહ્યો. વ્યસ્તતાને કારણે ૬૦ વર્ષની ઉંમર સુધી મારામાં રહેલા સાહિત્ય લેખનના બીજને અંકુર ફૂટવાનો અવસર પ્રાપ્ત થયો ન્હોતો.૨૦૨૦ની આખરમાં નિવૃત્તિ બાદ કોરોનાના કપરા કાળ દરમ્યાન બહારની દુનિયા શાંત પડી ગઈ. અંતર મનમાં ગડમથલ ચાલુ થઈ. કંઈક એવું કરવું છે કે જે મને ગમતું હોય અને જે મારા અસ્તિત્વને શણગારી શકે.
૨૦૨૧નું વર્ષ મારા માટે નવી ક્ષિતિજો ખોલીને આવ્યું. મારી અંદર વર્ષોથી સુષુપ્ત રહેલો ગુજરાતી સાહિત્ય લેખનનો કીડો સળવળ્યો. મનમાં એક જ વિચાર સુદ્રઢ કર્યો કે મારી ક્ષમતાઓ અનુસાર જીવનના અનુભવો પરથી કંઈક સમાજ ઉપયોગી સારૂં લખવું છે. કોરોના કાળમાં ઘરે બેઠાં સોશીયલ મીડિયા પર ઉપલબ્ધ સાહિત્યિક વિચારોની આપ-લે કરતાં ઘણા બધા માધ્યમોની ઓળખ થઇ. પ્રતિષ્ઠિત વ્હોટસએપ ગ્રુપ અને ફેસબુક ગ્રુપમાં જોડાઈ મારી વિચાર પ્રક્રિયા અને લેખન પ્રક્રિયાને હું વધુ પરિપક્વ અને ધારદાર બનાવી શક્યો. સમયાંતરે મેં લઘુ વાર્તાઓ, વિચારલેખ અને કાવ્ય લખવાનું શરૂ કર્યું અને આ બધું ‘ગુજરાતી મેળો’ સાહિત્ય વ્હોટસએપ ગ્રુપ તથા ‘સાહિત્ય સંગીત ગ્રુપ’ અને ‘સાહિત્ય સંગીતનું વિશ્વ’ ફેસબુક ગ્રુપ દ્વારા વાંચકો સુધી પહોંચવા લાગ્યું. સાહિત્યલેખનના અનુભવી અને સ્થાપિત રચનાકારો તરફથી મળેલ અવિરત પ્રોત્સાહન અને વાચકવર્ગનો અદ્ભૂત હકારાત્મક પ્રતિભાવ, એ બંનેએ મારા લેખનને વેગ આપ્યો. ટૂંકા ગાળામાં ‘જીવનની સંધ્યાએ’ નામની એક ૧૦ વાર્તાની લઘુવાર્તા શ્રેણી મેં પ્રસ્તુત કરી જેને મારી ધારણા બહાર નો આવકાર મળ્યો. બીજા વિચાર લેખ, પદ્ય રચના અને થોડી લઘુ વાર્તાઓ પણ રચી.
સાચું કહું તો હજુ વર્ષનું સરવૈયું કાઢું એટલું ભાથું મારી ઝોળીમાં નથી. પરંતુ ૨૦૨૧ના વર્ષમાં સાહિત્યલેખનના ક્ષેત્રમાં મારી ક્ષમતા પ્રમાણે જે કંઇ પણ કર્યું તેનો મને પૂર્ણ સંતોષ છે. તાજેતરમાં જ મને શ્રી કૌશિકભાઈ-રાજુલબેન શાહ, શ્રી પ્રદીપભાઈ અને મિનાક્ષીબેન રાવલના સહયોગથી NOG સાહિત્ય સરિતા ગ્રુપમાં સંકળાવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે જેનું ગર્વ છે.નવા વર્ષમાં આ ગ્રુપના અત્યંત અનુભવી એવા તજજ્ઞ લેખક અને વડીલ સર્જકોનું સાન્નિધ્ય અને માર્ગદર્શન મને વધુ સારૂં લખવાનું બળ પૂરું પાડશે એવી મહેચ્છા રાખું છું.
– નિખિલ કિનારીવાળા, અમદાવાદ