[12/31/2021, 9:27 PM] Prafulla Prasanna: NGO સાહિત્ય સરિતા
NG no. –39
વિષય — વીતેલાં વર્ષની ખાટીમીઠી યાદો
પ્રકાર — ગદ્ય- લેખ
શીર્ષક — વ્હાલથી વિદાય -૨૦૨૧
પ્રેમથી સ્વાગત –૨૦૨૨
શબ્દો — ૩૪૫
૨૦૨૧ની આ છેલ્લી સાંજ. સમય સાથે વીતી જશે આ સાંજ અને રાત પણ. સવારે ઉગી જશે ૨૦૨૨નાં નવા વર્ષનું નવલું પ્રભાત! નવી આશાઓ, નવા ઉમંગો, નવા સપનાં અને નવા સંકલ્પો સાથે.
વીતેલાં વર્ષે કેટલાય સવાલ આપણાં માટે મૂક્યાં છે. વર્ષ દરમ્યાન જે કાંઈ અઘટિત બની ગયું એ કેમ બન્યું એ સવાલ આપણે દરેકે આપણી જાતને પૂછવાનો છે. એમાં આપણો વાંક, આપણી ભૂલ કેટલી એની જાત તપાસ કરવાની છે. આવનારા નવાં વર્ષ દરમ્યાન આપણી જ ભૂલોને કારણે જે આપણે સહન કર્યું એ ફરી ને ફરી ના બને એનું ખાસ ધ્યાન રાખવાનું છે. સમયને સારો કે ખોટો બનાવવામાં જેટલું આપણું યોગદાન હોય એ યોગદાન જો આપણે નહિ આપીએ તો સારું, સુરક્ષિત જીવન જીવવા માટે કુદરત પણ આપણને સહાય નહિ કરે.
વીતેલાં વર્ષે માણસની ઘણી બધી પરીક્ષા કરી, કેટલાયે તન, મન અને ધનથી એ પરીક્ષામાં પાસ થવાં જીવની, કે કુટુંબની પરવાહ કર્યાં વગર રાત-દિવસ દિવસ મન લગાવીને તનતોડ મહેનત કરી. ધન્ય છે એ દરેક ક્ષેત્રનાં સ્વયંસેવકોને. માથું નતમસ્તક થઈ જાય છે આવાં વિરલાઓ આગળ!
મારાં ઘરમાં પણ સાત જણને કોરોના થયો હતો! જેમાં ઘરનાં અમુક સભ્યોની હાલત બહુ ક્રિટિકલ હતી. પણ આજે બધાં જ હયાત છે અને એ બિમારીમાંથી હેમખેમ પાર ઉતર્યાં છે એ વીતેલાં ૨૦૨૧નાં વર્ષની મોટી મહેરબાની અને આશીર્વાદ જ કહેવાય ને!
જીવન જો એમ જ ઘરેડમાં સુખરૂપ ચાલ્યાં કરે અને ઈશ્વર કોઈ પરીક્ષા ના લે તો ઈશ્વરનાં ઐશ્વર્યનો અનુભવ કેવી રીતે થાય? આખરે એ સર્વોપરી છે, સર્જનહાર છે! પોતાની જ બનાવેલી દુનિયાને અસ્તવ્યસ્ત કરવાનું અને માણસોનો નાશ કરવાનું એને ગમે ખરું? કોઈક એવું સબળ અને ઠોસ કારણ હોવું જોઈએ કે જેથી ઈશ્વરને આ રસ્તો લેવો પડ્યો હશે!
૨૦૨૨નું ઉમળકાભેર સ્વાગત કરીએ અને ભૂલો સુધારવાનું કામ આપણાંથી જ શરૂ કરીએ. કુદરત, પ્રકૃતિ, સર્જનહાર, કે ઈશ્વર જે કોઈ હોય એને પણ પોતેજ સર્જેલાં માણસની મહાનતાનાં, માણસાઈનાં દર્શન થાય અને માણસ નામનાં પોતાનાં આ સુંદર સર્જનથી એને પણ ગૌરવ થાય,અભિમાન થાય એવું જીવીએ!
૨૦૨૧માં કોરોનાનાં કારણે જીવનથી વિદાય થયેલી વ્યક્તિઓને શ્રદ્ધાંજલી આપીને ૨૦૨૧નું સ્વાગત કરીએ. સમય ક્યારેય એક સરખો નથી રહેતો. સારો સમય ચોક્કસ આવશે, ખુશીઓનાં ગીતો ચોક્કસ ગવાશે, નવી નવી ઝંખનાઓ અને સપનાઓ ચોક્કસ પૂરાં થશે. પ્રકૃતિને વધાવીશું તો ઈશ્વર જરૂર આપણી ઉપર ખુશીઓની મહેર વરસાવશે.
પ્રફુલ્લા “પ્રસન્ના”
અમદાવાદ
[12/31/2021, 10:44 PM] Jyotindra Maheta.MeM.NOG: NG/022
વિષય: વીતેલા વર્ષની ખટમીઠી યાદો
પ્રકાર: ગદ્ય
શીર્ષક: ૨૦૨૧
આજે નવવર્ષની પૂર્વસંધ્યાએ જ્યારે વીતેલા વર્ષ વિશે વિચારું છું, તો ચિત્ત અનેક વિચારોથી ઘેરાઈ જાય છે. આ વર્ષમાં માનવજાતે ઘણું બધું જોયું. પાછલા વર્ષે માનવશરીરમાં દાખલ થનાર કોરોનાએ આ વર્ષે બીજી લહેરમાં તરખાટ મચાવ્યો.
ઓક્સિજનના અભાવમાં અનેક લોકોએ પોતાનાં સ્વજનો ગુમાવ્યાં. હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ ન હતા અને બજારમાં દવાઓ પણ નહોતી મળતી.
મારા માટે પણ આ વર્ષ મિશ્ર રહ્યું. પાછલા ડિસેમ્બર પછી કોરોનાનો પ્રભાવ ઓસરી રહ્યો હતો અને ફરી જીવન થાળે પડી રહ્યું હતું. ફેબ્રુઆરી પછી ધીમે ધીમે કોરોનાએ પોતાનો પ્રભાવ વધારવાનું શરૂ કર્યું અને માર્ચમાં અચાનક મોટા પાયે હુમલો શરૂ કરી દીધો. તે સમયમાં મેં પણ મારાં અનેક સ્વજનો ગુમાવ્યાં. મારી બે માસી જે મને બહુ પ્રિય હતી, મારી ફોઈના દીકરા પ્રિય ભુપેન્દ્રભાઈ જેવા અનેક સ્વજનો ગુમાવીને હું હેબતાઈ ગયો હતો.
રોજ ફેસબુક ઉપર ૐ શાંતિ લખવું પડતું હતું. એ સમય પણ વીતી ગયો. ૨૦૨૧ બધાંને યાદ રહેશે રેમેડિસીવીર અને ઓક્સિજનના બાટલાનાં કાળાબજાર માટે. રેલ્વે પાસ માટેની મથામણ માટે, હોસ્પિટલમાં બેડ મળે તે માટે ઓળખાણ શોધવા માટે.
આ ખરાબ વર્ષમાં પણ કેટલીક સારી ઘટનાઓ બની. આ વર્ષે મારી ત્રણ નવલકથાઓ પ્રગટ થઈ. ‘અતિકર્ણ’,’વયં રક્ષ’ અને ‘એજન્ટ કોલંબસ’ તે ઉપરાંત સહલેખનમાં ‘વનવગડો વાર્તાસંગ્રહ’ અને ‘પડછાયાનો છાયો'(અંધકારમાં ચીખતી વાર્તાઓ) વાર્તાસંગ્રહો પ્રગટ થયા. જે કોઈ પણ લેખક માટે સ્વપ્ન સમાન હોય છે.
વર્ષની અંત નજીક પહોંચતા સુધીમાં નોકરીમાં મનચાહ્યા બદલાવ આવવાને લીધે વર્ષનો અંત સારો થયો.
જીવનમાં આમ પણ દર વખતે તમારું મનચાહ્યું નથી થતું. તે જે પણ આપે તેનો સ્વીકાર કરવો રહ્યો, સ્વીકાર દુ:ખને ઓછું કરી દે છે અને તમારી સહનશક્તિ વધારે છે.
નવવર્ષના આગમનટાણે ઈશ્વરને એટલી જ પ્રાર્થના કે કથિત ત્રીજી લહેરમાં કોઈ પોતાનાં સ્વજનો ન ગુમાવે અને કોઈની રોજીરોટી ન છીનવાય. દરેક મનુષ્યના મનમાં દયાની લાગણીનો દરિયો વહેતો રહે અને જીવન સુખમય વીતે.
જ્યોતિન્દ્ર દિનેશચંદ્ર મહેતા, પાલઘર
[1/1, 10:00 AM] Dr.Rekha Kachoria.MeM.NOG: NOGSS NO.:- 0034
વિષય : વિતેલાં વર્ષની ખાટી-મીઠી યાદો
વિભાગ : ગદ્ય
શીર્ષક: એ વીતેલાં દિવસો
શબ્દો : 398
કહેવાય છે કે,ભૂતકાળ ગમે એવો હોય એને ભૂલી જવો જોઈએ અને 2021નું વર્ષ ખરેખર દુઃસ્વપ્નની જેમ ભૂલી જવા જેવું જ વીત્યું કે જેમાં કોવિડ-19નો આતંક શિરમોર રહ્યો. એક સૂક્ષ્મ વાયરસે સમગ્ર માનવજાતને ઘમરોળી નાંખી. કવોરન્ટાઈન, આઈસોલેશન, માસ્ક, ઓનલાઈન, ઓફલાઈન….. જેવાં કેટલાંક નવાં શબ્દો ડિક્ષનરીમાં ઉમેરાયા તો કેટલાંક માનવમૂલ્યોની બાદબાકી પણ થઈ!
જિંદગી અને સમસ્યાઓને રોજનો નાતો છે. માનવે કલ્પના પણ ન કરી હોય એવી રીતે સમસ્યાઓ તેનાં જીવનમાં પગપેસરો કરે છે. કોરોનાકાળમાં ચીનના વુહાનનાં જ્યારે સમાચાર વાંચતાં ત્યારે એ લોકો માટે ખૂબ જ દુઃખ અને સહાનુભૂતિ થતી, પરંતુ આ વાયરસનો આતંક જ્યારે આપણે આપણા દેશમાં, શહેરમાં, સોસાયટીમાં કે ખુદ આપણાં ઘરોમાં અનુભવ્યો ત્યારે ખળભળી ગયાં! ઑક્સિજન માટે, હૉસ્પિટલમાં બેડ માટે સ્મશાનમાં અગ્નિસંસ્કાર માટે…. લાંબી લાંબી કતારોમાં માનવને કરગરતો જોયો. આ કાળે પાપ-પુણ્ય અને ધર્મ-અધર્મની વ્યાખ્યા જડમૂળથી જ બદલી નાંખી.
આ કાળમાં કવોરન્ટાઈન શબ્દ લોકભોગ્ય બન્યો. પરિવારથી દૂર એક જ ઓરડામાં એકલાં-એકલાં રહેવું એ અઘરું તો ખરાં જ. મનુષ્ય સામાજિક પ્રાણી છે તે ગુસ્સે થશે, ઝઘડશે,નારાજ પણ થશે, પરંતુ એકલો નહીં રહી શકે.
મારો અનુભવ કહું તો, સૌથી પહેલાં મારાં જીવનસાથીને કોરોના થયો. એમને હજુ અઠવાડિયું થયું ત્યાં મારાં સસરા કોરોના પોઝિટિવ આવ્યાં. ઉંમર અને અન્ય બિમારીઓને કારણે તેમની હાલત ખૂબ જ ગંભીર થઈ ગઈ. મોરબીમાં તો એક પણ હૉસ્પિટલમાં જગ્યા નહીં.રાજકોટની એક હૉસ્પિટલમાં માંડ-માંડ જગ્યા મળી. પંદર દિવસે તેઓ સાજાં થઈને ઘરે આવ્યાં. એ પછી તરત જ મને કોરોના થયો. એમ એક પછી એક ઘરનાં સભ્યો કોરોનાસુરની ઝપેટમાં આવી ગયાં. કેટ-કેટલી સાવચેતી રાખી હતી, ઘરની બહાર પણ નહોતાં નીકળ્યા છતાંય કોરોનાએ હડફેટે લઈ જ લીધાં.
મારી વાત કરું તો, હું તો બે દિવસમાં જ કંટાળી ગઈ. શરૂઆતમાં દવા,ઈન્જેકશન અને સતત બાટલાંઓને કારણે થોડી ઘેનમાં રહી. મારી દીકરી ડૉક્ટર તેથી તે તો ડર્યા વગર મારી સાથે જ રહે અને હિંમત આપ્યાં કરે. પરંતુ આ પંદર દિવસોમાં મેં મારાં પાંચ અંગત સ્વજનો ગુમાવ્યા. એક તો પચ્ચીસ વર્ષનો જુવાન ભત્રીજો ગુમાવ્યો! ત્યારબાદ મારાં વ્હાલા નાનીમા ગુમાવ્યા. ખરેખર, હું માનસિક રીતે ભાંગી જ ગઈ. ઈશ્વર આટલો ક્રૂર કઈ રીતે થઈ શકે! આ દિવસો દરમ્યાન સતત કોઈ ને કોઈનાં મૃત્યુનાં સમાચાર જ મળ્યાં. સારાં સમાચાર સાંભળવા મન તરસી રહ્યું. મેં મારું ધ્યાન આધ્યાત્મિક પુસ્તકો વાંચવામાં કેન્દ્રિત કર્યું અને એ સ્વજનોનાં મોક્ષ માટે ઈશ્વરને ખૂબ પ્રાર્થના કરી. ખરેખર ખૂબ જ દર્દનાક દિવસો વીત્યાં!
એક સુખદ સંભારણું એટલું કે, આ વર્ષમાં સાહિત્ય થકી જ હિંમત મળી. અલગ -અલગ વોટ્સએપ ગૃપમાં જોડાઈ અને મારી કલમ નિખરતી ગઈ. મારી રચનાઓ પણ પોંખાતી રહી. આ કાળમાં જ મારાં પાંચેક સહિયારા પુસ્તકો પ્રકાશિત થયાં.
–ડૉ. રેખા શાહ
[1/1, 1:23 PM] Shila Patel.MeM.NOG: NOG SS :- 0038
વિષય :-વીતેલા વર્ષની ખાટી મીઠી યાદો
વિભાગ :-પદ્ય
શીર્ષક :- મા જઈ રહી હતી
વીતેલા વર્ષની યાદ બસ એટલી હતી,
સઘળું છોડી મા જઈ રહી હતી,
એ ક્ષણ અંતિમ હતી,
મા કાંધે ચડી અંતિમ યાત્રાએ જઈ રહી હતી,
ના બાળકોની માયા કે ના પતિની ચિંતા,
સઘળું છોડી મા જઈ રહી હતી.
વીતેલા વર્ષની યાદ બસ એટલી હતી.
સુહાગણ બની નિરાંતે મા સૂતી હતી,
લાલ ચૂંદડીમાં મા શોભતી હતી,
કોઈ શુ કહેશે એ ચિંતા એણે છોડી હતી,
પોતાના વ્હાલા ઘરની એ અંતિમ રાત હતી,
સઘળું છોડી મા જઈ રહી હતી.
વીતેલા વર્ષની યાદ બસ એટલી હતી.
ફૂલોની સૈયા સાથે પ્રીત એણે જોડી હતી
બેન્ડવાજામાં પ્રભુની ધૂન વાગતી હતી,
મમતાની મુરત અમારી વિદાઇ લઈ રહી હતી,
સઘળું છોડી મા જઈ રહી હતી.
વીતેલા વર્ષની યાદ બસ એટલી હતી.
અમારી આંખમાં અશ્રુધારા વહેતી હતી
ખુશ રહેજો વ્હાલાઓ એવા આશિષ મા આપતી હતી,
લાંબો હાથ કરી હું મા ને રોકી રહી હતી,
એ ઘડી બહુ વસમી હતી.
સઘળું છોડી મા જઈ રહી હતી.
વીતેલા વર્ષની યાદ બસ એટલી હતી.
✍️શીલાપટેલ “આકાંક્ષા”
[1/1, 4:24 PM] A Nishant Mother.MeM.NOG: NOG SS 0092
પ્રકાર:-પદ્ય
શીર્ષક:- વીતેલા વર્ષની ખાટી-મીઠી યાદો
કાળની ગર્તામાં એ ય ગરી ગયુ,
એ જૂનું વર્ષ યાદ બની ખરી ગયું
જાન્યુઆરીમાં આપી ઉત્તરાયણની ખુશીઓ,
ફેબ્રુઆરીને ફૂલોથી ભરી ગયું,
એ જૂનું વર્ષ યાદ બની ખરી ગયું.
માર્ચમાં ભરખ્યા મારા વ્હાલા ફોઈને,
એપ્રિલમાં મારા પ્યારા તાતને હરી ગયું,
એ જૂનું વર્ષ યાદ બની ખરી ગયું.
મે માં જુઠા બંધનો તોડાવી દીધા,
જૂનમાં પિયા સંગ મિલન કરી ગયું,
એ જુનું વર્ષ યાદ બની ખરી ગયું.
જુલાઇમાં કરાવી નવી દોસ્તી હરિભક્તો સાથે,
ઓગસ્ટમાં હરિ પ્રસાદ ધરી ગયું,
એ જૂનું વર્ષ યાદ બની ખરી ગયું.
સપ્ટેમ્બર વીત્યો જન્મદિનના ઉત્સાહમાં,
ઓક્ટોબર સ્નેહથી અંતરને ભરી ગયું,
એ જૂનું વર્ષ યાદ બની ખરી ગયું.
નવેમ્બરમાં માણ્યા તહેવારો પરિવારને હરિ સંગે,
ડિસેમ્બર માંદગીથી ભરી ગયું,
એ જૂનું વર્ષ યાદ બની ખરી ગયું.
સતત સાથ મળ્યો મિત્રો અને સ્નેહીજનોનો,
વર્ષની આ ખાટી-મીઠી યાદોમાં,
કોઈ હોઠ પર હાસ્ય બની પ્રસરી ગયું ને,
કોઈ આંખોમાંથી અશ્રુ બની ગત વર્ષ સાથે ખરી ગયું.
અલકા મહેતા
ગાંધીનગર
૦૧/૦૧/૨૨.
[1/1, 4:30 PM] Arti Merchant.MeM.NOG: NOG SS no.0007
વિષય – વીતેલાં વર્ષની ખાટી મીઠી યાદો
વિભાગ – ગદ્ય
શીર્ષક – મધુર પળો
સાચું પૂછો તો ૨૦૨૧ નું વર્ષ મારાં માટે ખાટાં કરતાં મધુરું વધારે હતું.કારણ ૨૦૨૧માં મેં મારું પહેલું સંપાદિત પુસ્તકનું વિમોચન કર્યું.૨૦૨૦થી જે પુસ્તક તૈયાર કરવાની કામગીરી હાથમાં લીધી હતી તે ૨૩ જુલાઈ ને શુક્રવાર ૨૦૨૧ ને ગુરૂપૂર્ણિમાના દિવસે મારા આચાર્ય સ્વ. શ્રી ઠાકોરભાઈ દેસાઈ સાહેબના હસ્તે વિમોચન થઈને પૂરી થઈ. મારાં જીવનની એ અમૂલ્ય ક્ષણ મને વર્ષ ૨૦૨૧ એ આપી.મારાં ઠાકોરજીની કૃપાથી કૉરોના કાળમાં કોઈજ સ્વજનો નથી ગુમાવ્યા,ઉલટ સ્નેહની ડોર હતી એ કરતાં વધારે મજબૂત થઈ.આત્મખોજ અને આત્મદર્શન વળે કદાચ વધારે પરિપક્વતા કેળવાઈ.સાહિત્ય સરીતા ગૃપ દ્વારા સાહિત્ય સફરની ખૂબ મઝા માણી.આ સફર દરમ્યાન દાદીશા,જીજ્ઞાબેન,માયાબેન, કિશોરભાઈ મહેતા,પિતાતુલ્ય પ્રદીપભાઈ, મીનાક્ષીબેન જેવાં અંતરંગ વ્યક્તિ ઓનો પ્રત્યક્ષ અને પરોક્ષ મેળાપ થયો.જે મારાં જીવનનું એક મહત્વનું પાસું બની ગયું.સાહિત્યના વૉટ્સએપ ગૃપ પર આજથી બે વર્ષ પહેલાં મળેલાં જે તદ્દન અજાણ્યા હતાં તેઓ આ વર્ષ દરમિયાન ક્યારે પોતીકાં બની ગયાં એની ખબર જ ન પડી.આ સિવાય પણ અનેક ખૂશીઓથી ૨૦૨૧એ મારી ઝોળી ભરી,અને મને મનથી સમૃધ્ધ કરતું ગયું. હા પણ આ બધાંથી વિરુદ્ધ ઘણાં લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યાં, ઘણાંએ પોતાનું સર્વસ્વ ગુમાવ્યું.એ સહુ માટે હ્રદયના એક ખૂણે દર્દ તો છેજ.કહેવાય છે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે જ છે.દરેક કાળી વાદળીને એક રૂપેરી કૉર હોય છે.અને અંધારી અમાસ પછી પૂનમ આવે જ છે.એ રીતે ૨૦૨૧ જે લોકો માટે અમાસ બની રહ્યું એ સહુ માટે હું હ્રદયથી પ્રાર્થના કરીશ કે આવનારું નવું વર્ષ એમને માટે પૂનમનું અજવાળું લઈને આવે,અને એમનાં જીવનને પ્રકાશ અને શીતળતાથી ભરી દે.
અસ્તુ🙏🏻
લેખિકા – આરતી મરચંટ
મુંબઈ – કાંદિવલી.