[12/26, 6:26 PM] Jaykant Ghelaani.MeM.NOG: N.O.G. સાહિત્ય સરિતા ગૃપ
NOG. NO. S.S.0059
વિષય; નાતાલ.
પ્રકાર: ગદ્ય- લેખ
શિર્ષક: ‘ નાતાલ ની આગવી
ઊજવણી’.
શબ્દો- ૩૪૫.
સમગ્ર સૃષ્ટિ ઉપર વિવિધ ભાતની પ્રજા છે,તો તેઓના વિવિધ ધર્મો છે, દરેકનાં અલગ અલગ ધર્મગુરુઓ- સ્થાપકો છે,અને જે તે ધર્મના અનુયાયીઓ પણ કરોડો છે .
પ્રત્યેક ધર્મના સંસ્થાપકના જન્મ દિવસની ઉજવણીની અનોખી રીત છે સાથે અલગ સિધ્ધાંતો છે.
‘નાતાલ’ શબ્દમાં એવો કંઈક અલગ જાદુ છે કે જે સાંભળતાં જ, બાળક, યુવાન અને વૃદ્ધના ચહેરા ઉપર એક અદમ્ય આનંદનો તેજ લિસોટો અને ખુશીની લહેર જરૂર ને જરૂર દિપાયમાન થાય, પછી તે વિશ્ર્વમાં ગમે ત્યાં હોય !
આમ પણ, માનવમાત્ર એક એવું ઉત્સવપ્રિય પ્રાણીછે, જે પ્રત્યેક પ્રસંગને ઉલ્લાસપૂર્વક, ઉમંગભેર મનાવતો હોય.
‘નાતાલ’ એટલે ખ્રિસ્તી ધર્મના સ્થાપક, અને તારણહાર સમા, અને આજે ખ્રિસ્તી ધર્મમાં ભગવાન ની જેમ પૂજાતાં ‘ઈશુ’નો અવતરણ દિવસ.
લોકમાન્યતા મુજબ માતા, ‘મેરી’
અને પિતા જોસેફનું સંતાન!
‘મેરીએ પોતાના લગ્ન પહેલાં જ, બાળકને જન્મ બેથલહેમમાં આપેલ અને તે પણ ઢોર રાખવાનાં તબેલામાં !
આજુબાજુના ખેતરોમાં વિચરતાં પશુઓના પાલનહારાઓએ પ્રથમ ઈશુને જોયાં.ઈશુ મોટાં થતાં, તે સમયે, ધર્મના નામે ચાલતા ધતિંગ સામે પ્રજામાં જાગૃતિનું એક મોટું અભિયાન ચલાવ્યું અને તે યહૂદી પ્રજાનાં તારણહાર બની ગયાં.
ખેર ! તેના બદલામાં તેમને લાકડાના ક્રોસ ઉપર લટકાવીને ખીલા ઠોકી, રૂઢિચુસ્ત લોકોએ
મારી નાખ્યાં હતાં. તેઓએ તો તેમનું ભલું ઈરછયું હતુ.આ છે,મહામાનવ ઈશુનો અહિંસા અને માનવજાત તરફનો પ્રેમ સંદેશો !
આજે વિશ્ર્વમાં, બીજા નંબરે પળાતાં ખ્રિસ્તીધર્મના ધર્મગુરૂના જન્મ દિવસની ઉજવણી એટલે ‘નાતાલ’. કરોડો લોકોની આસ્થા- શ્રધ્ધાની જ્યોતનો પ્રકાશ પાથરતો દિવસ!
નાતાલની ઉજવણી એટલે દરેકને તેની મનપસંદ ભેટ આપવાનો અને લેવાનો દિવસ.
દેવળમાં માનવજાત માટે શાન્તિ અને પ્રેમભાવનાના વિકાસ માટે પ્રાર્થના કરવાનો શ્રેષ્ઠ દિવસ. વિશેષ કરીને લાલ રંગનો લાંબો ડ્રેસ પહેરી બાળકોને હસાવતો અને ભેટ આપતો પ્રિય
‘સાન્તાક્લોઝ’!
આ પર્વ એટલે કે પચીસમી ડિસેમ્બર થી સાત જાન્યુઆરી સુધી ઉજવાતાં આ બાર દિવસોમાં અબજો રૂપિયાનું વિશ્ર્વમાં વેચાણ થાયછે, જે વિશ્ર્વની આર્થિક વ્યવસ્થાને વેગ આપે છે.
આજે દરેક દેશનુ અર્થતંત્ર તહેવારો ઉપર નિર્ભર થતું જાય છે, પછી તે ‘ ભારત’હોય કે
વિશ્ર્વનો અન્ય દેશ !
મંદિર અને ચર્ચમાં થતો ઘંટારવ, ધાર્મિક આસ્થા સાથે આર્થિક રીતે પણ માનવ જગત માટે જાગૃતિની આહ્લેક જગાવે છે.
વર્ષ ૨૦૨૨ ના સમગ્ર વિશ્ર્વની પ્રજાને ‘પ્યારે’ના હાર્દિક અભિનંદન શુભેરછાઓ .
©️જયકાન્ત ઘેલાણી -‘ પ્યારે’
[12/27, 8:54 AM] Rita Bhaayaani.MeM.NOG: NOG સાહિત્ય સરિતા ગ્રુપ
NOG no. – 0063
વિષય – નાતાલ
પ્રકાર – ગદ્ય(લેખ)
શીર્ષક – સાન્તાક્લોઝ – એક વિચાર
મારાં મતે માનવમન એ મનુષ્યનું એક એવું અટપટું અંગ છે, જેનો તાગ ખૂદ વ્યક્તિ પોતે પણ જીવનપર્યંત પામી નથી શકતી. એમાં ઉઠતાં વમળો ક્યારેક આપણને દેવ બનાવે તો ક્યારેક દાનવસમ વર્તણૂંક કરાવી બેસે. પરંતુ, દરેક દાનવમા પણ ક્યાંક ને ક્યાંક કરુણા તો વહેતી જ હોય છે. જે આપણાં અનેક પૌરાણિક પાત્રો સાર્થક કરે છે.
આ પ્રેમ, કરુણા અને પરોપકારનું ઝરણું હરહંમેશ માનવમનમા વહેતું રહે એ સંદેશ જનમાનસમાં આરોપવાનુ ઉદ્દાત કાર્ય પરાપૂર્વથી દ્રશ્ય અદ્રશ્ય રીતે થતું આવ્યું છે.
આવાં જ એક વિશ્વવ્યાપી પ્રેમ અને કરુણાના સ્તોત્ર એટલે ‘સાંતાક્લોઝ’.
જી હાં, સાન્તાક્લોઝ એ કોઈ એક વ્યક્તિ નથી, કોઈ એક ધર્મ નથી, કોઈ એક પર્વ, સમાજ કે સ્થળ પુરતું મર્યાદિત નથી. સાંતાક્લોઝ એ એક વિચાર છે. પ્રેમની વહેંચણીનો,ખુશીઓની લહાણીનો, પરોપકારનો, પરદુઃખભંજનવૃત્તિનો, ઉલ્લાસનો, ઉજવણીનો..
આખું વર્ષ જેણે માત્રને માત્ર અભાવમાં જ વિતાવ્યું છે એ ગરીબમાં ગરીબ બાળક પણ નાતાલની રાત્રે એ આશાએ સૂવે છે કે સાન્તા આવશે અને એની ઝોળીમાં કંઈક નાખી જશે. મને યાદ આવે છે કે મારો દિકરો વર્ષો સુધી એ દિવસે સવારે, સાન્તા શું મુકી ગયાં? એ જાણવાની તાલાવેલીમા વહેલો ઊઠી જાય.અનેક રમકડાં હોવા છતાં એની આંખોમાં ઉભરાતો એ આનંદ અનન્ય હોય. આપણે જાણીએ કે વાસ્તવિકતા શું છે! વળી, કાયમ બે મોજાં મૂકે! એક હાઉસમેઈડના દિકરા માટે… અમે ઘણી વખત એવું પણ કરતાં કે એને ગમતી વસ્તુ એ મોજામાં મૂકીએ.. પણ એણે ક્યારેય અંચાઈ ન કરી.
શું છે આની પાછળનો સંદેશ?
ગમે તેટલી મુશ્કેલી કે નિરાશામાં પણ આશાની જ્યોતિ જલતી રાખવી. નાની નાની બાબતોમાં ખુશ થવું અને આપવાની ભાવના કેળવવી.
સામા છેડે સમાજનેે બીજો પણ મહત્વનો સંદેશ છે કે, હરહંમેશ શક્ય ન હોયતો ક્યારેક ક્યારેક પણ કોઈની ખુશીનું કારણ બનતાં રહો. કોઈને કંઈ આપીને મળેલો સંતોષ ખરેખર અનમોલ છે.
✍️ – રીટા ભાયાણી.
[12/27, 2:29 PM] Prakruti Shah.MeM .NOG: NOG SS 0048
વિભાગ – ગદ્ય
વિષય – નાતાલ
*શીર્ષક – સાન્તાક્લોઝ*
નાતાલના અવસરનાં લગભગ મહિના પહેલાંથી ફૂટપાથ પર સાન્તાક્લોઝનો ડ્રેસ અને ટોપી વેચતાં પરિવારોનાં બાળકો માટે, નાતાલની રાત્રે પાંચેક વર્ષનો એક બાળક તેના જન્મદિનની ઉજવણી અન્વયે કેક અને નાસ્તો વહેંવા માટે તેના પરિવાર સાથે આવ્યો. ત્યારે એ બાળકોને લાલ કપડાં, ટોપી અને સફેદ દાઢી વગરનો સાન્તાક્લોઝ દેખાયો.
પ્રકૃતિ શાહ ‘પ્રીત’
[12/27, 5:08 PM] Maya Desai.Bombay.MeM.NOG: NOG SS NO.0081
વિષય : નાતાલ
પ્રકાર : પદ્ય
શીર્ષક : સાંતાક્લોઝ પાસે માંગુ
નાતાલ એ નવતાલનો ઉત્સવ ,પ્રતીક ભાઈચારાનું જી,
ઈશુની સ્નેહવર્ષા અને યહૂદીની એ નફરતની છે વાત જી.
ધર્મ કોઈને નવ બાંધે કે નવ શીખવે જાત પાત જી,
દીન , દુઃખીયા પ્રતિ કરૂણા ,સેવા એ જ એનો સાર જી.
ઈશુની સાચ ,ઈશુની શીખ , એમની ઓળખ જી,
મધર ટેરેસા થકી સૌ જાણે કરૂણા કોને કહીએ જી.
સાંતા ક્લોઝ થકી ભેટ મેળવવાની સૌને ચાહ જી,
કદી ન ચાહ્યું સત્ય જાણવા ,કોણ છે એ દૂત જી.
શ્રદ્ધા એવી ,એ જ લાવે સુખ આનંદની હેલી જી,
લાલ રંગે એ શોભતો જાણે કુબેર અવતાર જી.
ક્રિસમસનાં એ છોડને, પાઈએ પ્રેમ,હેતનાં નીર જી,
ફળ એ દેશે , ભાઇચારાનાં,સર્વ ધર્મ પ્રતિ ભાવ જી.
ક્રિસમસ હોય કે હોય દિવાળી,ઈદ હોય કે હોળી જી,
સૌ સમજે,સૌ સાનમાં રહે , હિંદુસ્તાન દેશ છે હિંદુનો જી.
આ વળી ફરી ચઢી આવતાં કોરોનાનાં મસીયાઈ જી,
આજ હું પણ ચાહું , સાંતાક્લોઝ દે એ જંગ જીતાડી જી.
# માયા દેસાઈ
મુંબઈ ભારત .
[12/27, 5:20 PM] Leena Sharma.MeM: NOG No.0098
विषय:- नाताल
प्रकार:- गद्य
शीर्षक:- हैप्पी क्रिसमस
ईसा मसीह के जन्मदिन के उपलक्ष में क्रिसमस का त्यौहार 25 दिसंबर को मनाया जाता है ।नाताल प्रेम और आशा का पर्व है। इस दिन लोग चर्च में जाकर प्रार्थना करते हैं और बहुत सी जगह पर इसा मसीहकी झांकी तैयार की जाती है लोग घरों में क्रिसमस ट्री लगाकर लाइटिंग के साथ सजावट करते हैं तथा मैरी क्रिसमस कहकर आनंद व्यक्त करते हैं । बच्चे केक मिठाई चॉकलेट एक दूसरे को भ़ेट देते हैं वह पर्व मनाते हैं। कई जगह सांता क्लॉस जाकर बच्चों को तरह-तरह के गिफ्ट देते हैं।
लेकिन विडंबना है देश में राजनीति करणने विभिन्न धर्मों में नफरत से पैदा कर दी। दूसरे धर्मों की आलोचना करने से अपना धर्म महान नहीं हो जाता बस इतनी सी बात समझ में लोगों को……
हिंदुस्तान के लगभग हर घर में तुलसी का पौधा होगा हिंदू के घर में रोज इसकी पूजा होती है, लेकिन कोई एक दिन निर्धारित करके इसका ढोंग नहीं किया जाता। कुछ साल पहले तक तुलसी दिवस मनाने का कोई प्रावधान नहीं था, जिन्हें इसका इतिहास पता है वह यह जानते हैं कि यह किसी संस्कृति क्या धर्म से जुड़ा दिन नहीं है ना ही यह सदियों से चली आ रही कोई परंपरा है, होती तो खरमास में नहीं मनाया जाता है।
इसकी शुरुआत आसाराम बापू ने 2014 से की थी वहीं आसाराम जिसे आप सभी अच्छी तरह से जानते हैं। दोस्तों अन्य धर्मों के त्यौहार को नीचा दिखाने के लिए तुलसी दिवस की शुभकामनाएं मत दीजिए।
दोस्तों बहुसंख्यक आबादी होने का अर्थ नैतिकता से नीचे गिरना नहीं होता है।
( हैप्पी क्रिसमस)
✍️
लीना शर्मा।
हालोल।
[12/27, 5:30 PM] Ragini Shukla.MeM.NOG.Bombay: NOG SS NO -0050
વિષય – નાતાલ
પ્રકાર – પદ્ય
શીર્ષક -ક્રિસમસ ની ઉજવણી
………………………………..
ચાલોને સાથે મળીને નાતાલની
ઉજવણી કરીએ..!
ચાલોને સાથે મળીને ગરીબો ને જરૂરીયાત મંદોને ભેટ સોદાગર આપીએ..! ક્રિસમસમાં પ્રેમ મળે એકબીજાને..!
એકતા અને પ્રેમનાં સંસ્કાર આપે છે..!
માટે તો મળીને ઉજવણી કરીએ છીએ..!
સમગ્ર વિશ્વને સંદેશો આપે..! માનવતાનો પુંજ ફેલાવે ..!
જન્મ ઈસુનો ઉજવીએ..!
વર્ષભરની રાહ જોવે બાળકો..!
ક્રિસમસ ટ્રી શણગારે ભાઈચારોને પ્રેમ વધારે..!
નાના-મોટા સાન્તાની રાહ જુવે..!
લાવે પ્રેમથી ભેટો…!
શિયાળાની રાત્રે મનગમતી ભેટો આપે..!
જિંગલ બેલ વગાડે ,બેગ ભરીને ભેટ લાવે..!
મોટી દાઢી, લાલ વસ્ત્ર લાંબી પેલી ટોપી પહેરી આવે..!
ઈસુની વાતો પ્રેરણા આપે..!
ઈશ્વરનાં શબ્દો માનવ સ્વરૂપ ધારણ કર્યું..!
આપણી સંસ્કૃતિમાં શિયાળુ તહેવાર..!
તેની સ્થાપના સૌ પ્રથમ રોમના દેવળમાં થયેલી…!
ઈસુના મતે ઈશ્વરનાં પુત્ર પવિત્ર બાળક ખુશ રહે..!
આનંદની આંખો મળે..!
દેહમાં છુપાયેલાં ઈશ્વર સર્વ બ્રહ્માંડમાં ખુશી મળે..!
શાશ્વત ગૌરવ સાથે અંધકાર દુર થાય..!
ક્રિસમસની ઉજવણી સ્વર્ગીય આનંદ આપે..!
દુષ્ટતાથી વિશ્વને બચાવે..!
રાગીની શુક્લ “રાગ”
મુંબઈ, કાંદિવલી