[12/13, 3:43 PM] Dr. Manisha Vyas,AcharyaMeM.NOG: *નામ*- ડો. મનીષા વ્યાસ
*NOG SS NO-* 0088
*વિષય શબ્દ*- લખતાં લખતાં કૃતિને મળેલ ઇનામ વિશે મનની અભિવ્યક્તિ
*પ્રકાર*- ગદ્ય/(સ્વાનુભવ)
*શીર્ષક*- પુસ્તક જીવન પથદર્શક
****************************
મારી નાનકડી ટમટમતી આંખોથી દુનિયાની વિશિષ્ટતાઓને વિસ્મય સાથે ખૂબ બારીકાઇથી અવલોકતી અને હું કલ્પનાની જુદી જ દુનિયામાં સરી પડતી…
ખુલ્લા ધાબેથી ચાંદ-તારાને જોતાં.. ચંદ્રમામાં એ ડોશીમાની ઝૂંપડી ને હરણ શોધવા પ્રયત્ન કરતી ત્યારે પણ મને તો એમાં અવનવી આકૃતિઓ જ દેખાતી. કદાચ આ ટેવે જ મને કિશોરાવસ્થાથી લખવા પ્રેરી હશે..
આઠમા ધોરણમાં અખાના છપ્પા વાંચ્યા પછી મેં “અર્વાચીન છપ્પા” નામે આઠ દસ છપ્પા લખી જ્યારે મારી માને બતાવ્યા ત્યારે તે ખૂબ રોમાંચિત થઈ ગયેલી. માએ તે બાજુમાં રહેતા શિક્ષકશ્રીને બતાવ્યા ત્યારે તેમણે ખુશ થઇને બિરદાવતાં ઇનામ પેટે બે રૂપિયા આપી પ્રોત્સાહિત કરેલી. સાહિત્યક્ષેત્રે આ મારું પ્રથમ અમૂલ્ય ઇનામ હતું. તેનાથી પોરસાઈ ક્યારેક કાંઈક લખી કે કાવ્યલેખન કરી લેતી.. એ નોટબુક હજું પણ જતનથી જાળવી છે..
સંજોગો અને સમય સાથે બાળપણની કલ્પનાઓનો સામનો યુવાનીની વાસ્તવિકતાઓ સાથે થતો ગયો. લગ્ન થયાં. બાળકોની સારસંભાળ વચ્ચે વચ્ચે એ સર્જક હૈયું ઉછાળા મારી લેતું ત્યારે હાથવગા કાગળિયાંમાં કાંઇક લખાઇ જતું. પણ તેને છાપવા કે છપાવવાનો કોઈ પ્રયત્ન ક્યારેય ન હતો કર્યો..
તેત્રીસ વર્ષે જ્યારે બી.એડ. કર્યું ત્યારે એમાં પુસ્તક સમીક્ષા ફરજિયાત હોવાથી અમારા આચાર્યશ્રી ડૉ. નિરંજનભાઈ મોદી સાહેબે તેની સ્પર્ધા યોજી હતી.. આ સ્પર્ધામાં મેં શ્રી કાંતિ ભટ્ટનું *”પ્રારબ્ધનું મેઘધનુષ્ય મારા હાથમાં”* પુસ્તકની સમીક્ષા કરી. જેમાં જીવતી જાગતી કુલ ૪૨ સફળ માનવોની કર્મઠ જીવનયાત્રા વિશે લખ્યું છે. આ પુસ્તકે મારા જીવનને વળાંક આપ્યો. ગમેતેવી કપરી પરિસ્થિતિમાં પણ વ્યક્તિ નિર્ધારિત ધ્યેયે પહોંચી શકે છે તેવું દૃઢ મનોબળ આપ્યું.
મેં પુસ્તક સમીક્ષાને બાહ્ય અને આંતરિક લક્ષણોને ધ્યાનમાં રાખીને કરેલી. ઊપરાંત એ પુસ્તકનું મારા માટે શું મૂલ્ય છે તે મેઘધનુષ્યના સાત રંગો સાથે આવરી લીધું હતું. બોલવાની શૈલી અને છણાવટે મને પ્રથમ ઈનામ અપાવ્યું. આનાથી પ્રેરાઈને મારામાં આત્મવિશ્વાસ અને સાહિત્યવાંચન વધ્યું.
આ સમય દરમિયાન જ વાર્ષિકોત્સવમાં શ્રેષ્ઠ એંકરિંગનું ઇનામ પણ મળ્યું.. પછી તો ભણતર તરફ માંડેલા મારા ડગને સાહિત્યવાંચનનું પ્રકાશપથ અને આત્મબળ પૂરાં પડતાં ..મારી શિક્ષણયાત્રા શ્રેષ્ઠ પડાવને પામી..
તેથી કહી શકું કે..એક પુસ્તક માનવીય જીવન ચોક્કસ બદલી શકે છે..
*”વાહ! કિતાબ તું છે અભિતાબ, તું છે જગતનો બેતાબ ખિતાબ, તું જ તો છે તિમિર ઊલેચક આફતાબ..”*
નામ – *ડો. મનીષા વ્યાસ* ✍️
*અમદાવાદ*
તા.૧૩/૧૨/૨૧
[12/13, 4:35 PM] A Nishant Mother.MeM.NOG: NOG SS 0092
પ્રકાર:-પદ્ય
શીર્ષક:- પ્રથમ ઇનામ મેળવતી વખતે મનમાં ઉઠેલ ભાવના
પ્રસંગ હતો એ ગાંધીબાપુના જન્મદિન નિમિત્તે યોજાયેલ વકતૃત્વ સ્પર્ધાનો.
એક પાંચમા ધોરણની વિદ્યાર્થીનીનો આઠમા ધોરણ સુધીના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ સાથે પ્રતિસ્પર્ધાનો.
નાનકડી એ બાલિકા એ સાહિત્ય રસિક મા પાસે બેસી કરી તૈયારી,
ખૂબ આત્મવિશ્વાસથી છુપાવી હાથમાં પકડેલા માઇકની ધ્રુજારી.
સડસડાટ વક્તવ્યથી કરી દીધા શ્રોતાઓને મંત્રમુગ્ધ,
એક-એક શીખેલા-વાંચેલા શબ્દોને ગોઠવીને ભાવથી અને લયબદ્ધ.
ઉત્કંઠા અને ભીતિને દબાવ્યા ભીતર,
જરાયે ના દેખાવા દીધો મુખ કે વાણી માં કોઈ ડર.
એક પછી એક વકતવ્યો થયા પુરા,
કેટલાક મનને સ્પર્શતા, તો કેટલાંક ભાવ વગરના અધૂરા.
પરિણામની આવી જ્યારે નિર્ણાયક ઘડી,
હૈયું જાણે હમણાં શરીરમાંથી બહાર આવશે ઉડી.
ઉદઘોષણાં થઈ પ્રથમ વિજેતા ‘અલકા મહેતા’ ના નામની,
હૈયે હેલી ઉઠી આનંદ અને આશ્ચર્યમિશ્રિત ભાવની.
તાળીઓના ગડગડાટ વચ્ચે પારિતોષિક લીધું,
મનમાં સપનું એક ‘સારા વકતા’ બનવાનું એ દિવસે જ રોપી દીધું.
ક્યારે પહોંચું ઘેર ને બતાવું ટ્રોફી મારા મમ્મી-પપ્પાને,
ભીંજાવા વ્હાલપની ધારે બસ એ જ અનુભૂતિ મારા નાના સા હૈયાને.
અલકા નવિનચંદ્ર મહેતા
ગાંધીનગર
૧૩/૧૨/૨૧.
[12/13, 5:01 PM] Ragini Shukla.MeM.NOG.Bombay: NOG SS NO – 0050
વિષય – રચનાને પ્રથમ ક્રમાંક મળે ત્યારે મનની અભિવ્યક્તિ કે ખેદની અભિવ્યક્તિ.
શીર્ષક –
મનનો મોરલો નાચી ઉઠ્યો.
તા – ૧૩/૧૨/૨૦૨૧
……………………………….. મારી કલ્પનાનું ઘોડાપૂર આવવું ઉત્કંઠતા હોયતો સંઘર્ષ કરવાથી ક્યાંય પણ પહોંચી શકાય છે. મારી લાગણીઓ મલકાય દરેક શબ્દે મારી માતૃભાષા બેલી ડાંસ કરે. ત્યારે મારાં એક એક શબ્દ સામેવાળી વ્યક્તિ પ્રભાવિત કરે ત્યારે મનડું નાચી ઉઠે છે. મારાં સાહિત્યની સફર મજાની એક પગેરું મળ્યું લખવા માટે એ પંથ પર ચાલતી ગઈ. જ્યારે મારી રચનાને પ્રથમ નંબર પર આવતાં બધાને મારી રચના વંચાતી ખુશીઓનો કોઈ પાર નહતો. જયારે પેપર માં આવતી જન્મભૂમિમાં આપનું પાનું ત્યારે મનનો મોરલો નાચ્તો સાથે બધાને પણ નચાવતી. મારી અધુરી જિંદગીને સાથ આપ્યો મારી કલમને મારાં મનડાના ભાવને ઘુટયા કરું છું. મારી જોડે રહીને પ્રેમથી કવિતા હવે લખાઈ જાય છે .જાણે મને જાતે જ લખાવતી હોય.
લગ્ન પછી અતિ વ્યસ્ત સમયમાં રહેતી ટ્યુશન કરતી, ઘરનું કામ કરતી ,એમાં વળી મેણાંટોણાની પ્રસાદી મળતી.ટયુશન ઓછાં કર્યા પછી લખવા તરફ વળી. આમ તો લગતી કવિતા મુંબઈ સમાચારમાં, જન્મભૂમિમાં, ધર્મલોક માં લેખ આર્ટીકલ આવતાં પણ જ્યારે એક સ્પર્ધા હતી અને એ સ્પર્ધામાં ઇનામરૂપે મને પ્રથમ સ્થાન મળ્યું . 251 રૂપિયા ઉપહારમાં સાથે સર્ટિફિકેટ પણ મળ્યું. જેનો આનંદ મારાં ઉરમાં હજી પણ છે જ અને જ્યારે જ્યારે વાત વાગોળું છું ત્યારે મનનો મોરલો નાચી ઉઠે છે. ગગનમાં વિહાર કરતી થઈ જાવ છું. મારા સસરાજીએ એની સાથે 500 રૂપિયાનું ભેટ આપી આગળ વધતી રહે એવા આશિષ આપેલાં.
મને મળેલું પ્રોત્સાહન મારાં માટે તો ઔષધ સમાન છે. કેમકે લખવાથી વ્યસ્ત રહેવા લાગી એને લીધે મારાં ડાયાબિટીસમાં ઘણો સુધારો થવા લાગ્યો. પોતાનાએ આપેલાં ઝખ્મોને સમય ન મળ્યો અને ડાયાબિટીસ કાબૂમાં આવતું ગયું. મને લખવામાં ખૂબ આનંદ મળે છે જાણે રામ ગમતાનો ગુલાલ કરીએ મીઠી સાકર અને કેડબરી ખાવાનું જેવું લાગે. કયારે પણ શીખવા માટે ઉંમર નથી જેની પાસે પણ શીખવા મળે તો શીખી લઉં છું. શીખવાથી મને ખૂબ જ આનંદ મળે છે. નાના-મોટા દરેક પાસે શીખવું ગમેછે. પછી તો એક પ્રવાહ વહેતો રહ્યો. ઘણાં ગ્રુપમાં કાર્યરત છું , પેપરોમાં આવે છે, સહિયારી બુકો પણ છે, પીડીએફ પણ છે . લખવાનો સંતોષ છે .મારી પા.. પા… પગલી પાડુ છું. પાડતી રહીશ અને આનંદ લુટતી જ રહીશ…!
રાગીની શુક્લ રાગ
મુંબઈ.