NG_12-12-21
JF_12-12-21.2
src="http://janfariyadnews.com/wp-content/uploads/2021/12/Screenshot_20210803-000243.png" alt="" width="720" height="1560" class="alignnone size-full wp-image-7295" />
[12/11, 5:04 PM] Jayshree Patel. Sahityakar: NOG સાહિત્ય સરિતા ગૃપ
NOG NO. 0059
વિષય: લખતા લખતા કૃતિ પ્રથમ
નંબર આવે તે સમયની
અભિવ્યક્તિ.
પ્રકાર:ગદ્ય
શીર્ષક: માનો યા, ના-માનો ?
પણ છે, સત્ય ઘટના.
શબ્દ: ૨૮૪
માથા ઉપર હાથ ફેરવતાં જ તદ્દન સફાચટ “ટાલ”નો અનુભવ આપણને થાય તેવી વ્યકિતને, દાંતિયા વેચનારને દાંતિયો વેચવાથી જે ખુશી થાય ‘પ્યારે’ તે ખુશીથી પણ વિશેષ ખુશી મને થઈ હતી તેવી તદ્દન સત્યઘટના એટલે મારો ધર્મવિષેનો ટીકાત્મક લેખ.
‘રાજ માર્ગ એક,
ડાયવર્ઝન અનેક’
કોબા- અમદાવાદથી વર્ષોથી
પ્રસિધ્ધ થતાં ધાર્મિક મેગેઝીન, ‘દિવ્યધ્વનિ ‘એ વાચક વર્ગ તેમજ તમામ ઉચ્ચ કક્ષાનું સાહિત્ય લખતાં લેખકમિત્રો પાસેથી સ્પેશ્યલ અંક માટે પોતાની કૃતિઓ મોકલવાનું આમંત્રણ આપેલ.
તે સમયે,અને આજે પણ,
શ્રીમદ્દ રાજચંદ્રજી પ્રેરિત સનાતન જૈનધર્મ ના સિધ્ધાંતોનુ ચોખ્ખું ઉલ્લઘંન કરી,
પોતાની જાતને ગુરુ તરીકે ઓળખાવનારા અનેક જૈન આગેવાનો -ધર્મગુરુઓ વિશે,
મેં, મારો સત્યવાતને ઉજાગર કરતો અને સમાજમાં જાગૃતિ આવકારતો ટીકાત્મક લેખ લખી મોકલ્યો હતો.
બીજા જ મહિને આકર્ષક મુખપૃષ્ઠ સાથે અંક મારા હાથમાં આવ્યો, સૌપ્રથમ લેખસુચી વાંચી, મારા લેખને યોગ્ય સ્થાન મળેલ હતું, અનહદ સંતોષ થયો ,સાથે તે અંકમાં જ જૈનધર્મના ગણમાન્ય વિશ્ર્વ વિખ્યાત લેખકો, મુની ભગવંતો, સાથે જેમના તરફ મારો અંગુલીનિર્દેશ હતો,તેવાં ઉચ્ચકક્ષાનાં મહાનુભાવોના લેખ પણ તે જ અંકમા હતા, તાજ્જુબ તો મને ત્યારે થયું, બીજા જ દિવસે આભારપત્ર સાથે મને પુરસ્કાર રૂપે રુપિયા પંદરસોનો ચેક મોકલાવેલ.
હું ,કોઈ પુરસ્કાર લેતો નહિં હોવાથી, રૂપિયા બે હજારનો ચેક મેં જ્ઞાન ખાતામાં વાપરવા તેઓને મોકલી આપ્યો.
આજ દિવસ પર્યંત જુદા જુદા પેપર્સ, સાપ્તાહિક, તેમજ ગણમાન્ય સંસ્થાઓ તરફથી ઘણુ
માન -સન્માન મળ્યું છે , તે આનંદ સામે,આ સત્ય ટીકાત્મક લેખ,
‘રાજમાર્ગ એક, ડાયવર્ઝનઅનેક’,નો આનંદ વધુ છે,તો લેખ સત્ય સાથે આત્મવિશ્વાસ ને વધુ
ઉજાગર કરતો રહેછે.
‘પ્યારે’ મિત્રો,
વધુ વાંચતા રહો,વધુ લખતાં રહો.
સમાજ સામે,સારી ભાષામાં સત્ય
રજૂ કરવું એ, કવિ- લેખકની
નૈતિક ફરજ બને છે.
સાહિત્ય એ સમાજ જાગૃતિ ની દીવાદાંડી છે.
©️જયકાન્ત ઘેલાણી ‘પ્યારે’
[12/11, 5:07 PM] Jayshree Patel. Sahityakar: NOG S.S. નંબર 0042
વિષય -કૃતિને પ્રથમ નંબર મળતાં મનની અભિવ્યક્તિ.
પ્રકાર -ગદ્ય
શીર્ષક – નાચી ઉઠ્યું મન
શબ્દ -૩૪૯
બારમા ધોરણ પછી દીકરીને બહારગામ ભણવા જવાનું થયું. જીવનમાં ખાલીપો સર્જાયો. થોડો ફાજલ સમય મળ્યો પણ કરવું શું? અંતે દીકરીએ આઈડિયા આપતાં ઍરોબિક્સ ક્લાસ જોઈન કર્યા.સરસ ગ્રુપ બની ગયું. નવરાત્રી આવતાં ત્યાં ગરબા શીખવ્યા. હું પણ તમામ પ્રકારના સ્ટેપ શીખી. મીઠાપુર ક્લબમાં કોમ્પિટિશન જાહેર થઈ તેમાં મને બેસ્ટ ડ્રેસિંગનું ફર્સ્ટ પ્રાઈઝ મળ્યું અને એ અરસામાં મારી બહેનપણીએ મને અચૂક મેગેઝિનનું એડ્રેસ મોકલી મારો યાદગાર અનુભવ લખી મોકલવા કહ્યું.
આમ તો હું આઠમા ધોરણથી મનના ભાવોને કાગળમાં અભિવ્યક્ત કરતી,હોસ્ટેલમાં રહેતી દીકરીને રોજ એક પત્ર મારી ડાયરીમાં લખતી પણ લેખિકા બનવા માટે કોઈ વિધિવત તાલીમ નહોતી લીધી. જિંદગીમાં પહેલીવાર ગરબા રમી અને નંબર આવ્યો એ અનુભવ મારા માટે યાદગાર હતો. એ અનુભવને શબ્દોમાં કંડારી મેગેઝિનમાં મોકલ્યો. દિવસો વિતતાં હું તો એ ભૂલી ગઈ. એક દિવસ અચાનક બહેનપણીનો ફોન આવ્યો. અચૂક મેગેઝિનમાં તે લખી મોકલાવેલો અનુભવ પ્રથમ સ્થાન પામ્યો છે અને ગિફ્ટ પણ મળી છે એ બધું તને કુરિયર કરું છું. હું તો સાતમા આસમાને ઊડવા લાગી. કારણકે હું કઈ પ્રસ્થાપિત લેખિકા નહોતી કે મારો નંબર આવે એવું મેં વિચાર્યું હોય. બસ, મનનાં ભાવોને શબ્દદેહ આપ્યો હતો. બીજે દિવસે મારું આખું ઍરોબિક્સ ગ્રુપ હિલ્લોળે ચઢયું અને મારા ગુરુજી ખૂબ રાજી થયાં કારણકે મેં મારા હૃદયનાં ભાવથી શબ્દ રૂપે તેમણે શીખવ્યા નું ઋણ અદા કર્યું હતું.
મને મળેલું પ્રોત્સાહન જાણે મારું પ્રેરક બળ બન્યું અને વેલ વિશર વિમેન્સ ગ્રુપમાં મને જોડાવાની તક મળી અને લખવાનું શીખવાની પ્રારંભિક પ્રક્રિયા શરૂ થઈ. એ પછી ઘણાં ગ્રુપમાં જોડાઈ અને મારી કૃતિને ઘણીવાર પ્રથમ ક્રમાંક પણ મળ્યો. લખવા માટે મારી દીકરી એ કહેલું વાક્ય મને આખી જિંદગી યાદ રહેશે,” ઉંમર થતાં શરીર સાથ ન દે પણ મન સાથ દે એ માટે લખતાં રહેવું.” એ વાતને ગાંઠે બાંધી મેં મારી લેખનકળાને આગળ વધારી ગમતાનો ગુલાલ કરવો એવું નક્કી કર્યું. હવે આજીવન વિદ્યાર્થી બની શીખતું રહેવું અને મૃત્યુ બાદ પણ શબ્દ સ્વરૂપે લોકોનાં હૃદયમાં જીવિત રહેવું છે. ઉંમરના એક પડાવે જ્યારે ઘણી બહેનો હવે આ ઉંમરે શું શીખવું કહી હથિયાર હેઠા મૂકી દે ત્યારે મને મોટી ઉંમરે પણ આ શીખવાંની પ્રક્રિયા અનેરો આત્મસંતોષ આપે છે.
પૂજા(અલકા)કાનાણી