[12/10, 6:34 PM] Jayshree Patel. Sahityakar: NOG..સાહીત્ય સરિતા
NG..73
વિષય.. લખતા લખતા તમારી કૃતિ ગદ્ય કે પદ્ય ને પહેલો ક્રમાંક મળ્યો તે સમયની મનની અભિવ્યક્તિ
પ્રકાર.. ગદ્ય.. લેખ
શીર્ષક..આનંદની અનુભૂતિ
શબ્દો..350
વાંચવાનો શોખ પહેલાંથી એટલે હું જ્યારે દસમા ધોરણમાં હતી ત્યારે સ્કૂલમાં જે ભણાવે એજ ધ્યાનમાં રાખું અને સાંજે મમ્મી વાંચવાનું કહે એટલે બધાં વિષયની ચોપડીઓ સાથે મારી વાર્તાની ચોપડી સાથે રાખું,હું ત્યારે કુંદનીકા કાપડિયા ની સાત પગલાં આકાશમાં વાંચતી પછી તો એવી લત લાગી કે કોઈપણ નોવેલ હોય હું બે કલાકમાં પૂરી કરી દઉં,એ વાતને ઘણા વર્ષો થઈ ગયાં….
જ્યારે મારા બાળકો દસમા ને બારમા આવ્યા ત્યારે એમની સાથે જાગવાનું થતું ત્યારે ફરીથી મને વાંચવાનો ટાઈમ મળ્યો અને હું વાંચતા વાંચતા ક્યારે લખતા શીખી એ ખબરજ ના પડી અને મેં મારો પહેલો લેખ ફિલીગ મેગેઝીન માં આપ્યો અને એ મેગેઝીનમાં મારા ફોટા સાથે એ લેખ આવ્યો મારા પેપર વાળા ભાઈએ મારા પતિને કહ્યું આજે ફિલીગ મેગેઝીનના પૈસા વસૂલ એમાં તમારી પત્નીનો ફોટા સાથે લેખ છે,સાચે ત્યારે જે આનંદની અનુભૂતિ થઇ ખરેખર અદ્ભૂત હતી,
ત્યારપછી ગુજરાત સમાચાર સહિયારમાં કવિતા આવવા લાગી સંદેશમાં પૂર્તિમા આવવા લાગી,લોકો વાંચીને સામેથી ફોનકરતા ત્યારે જે આનંદ થતો ખરેખર વર્ણવીના શકાય, અને આજે ડીઝીટલ માધ્યમથી ન્યૂઝઓફ ગાંધીનગરમાં ફોટા સાથે માઇક્રોફિકશન વાર્તા આવે ત્યારે એવું લાગે કે ભલે મોટા લેખકોની જેમ પ્રસિદ્ધિ ના મળે પણ લખવાની ક્ષમતા
મારામાં છે એજ બહુ મહત્વનું છે,કારણકે વિચારવાની અને લખવાની ક્ષમતા બહુ ઓછા લોકોમાં હોય છે.
નયના પટેલ..નૈન.
વડોદરા…
[12/10, 6:43 PM] Jayshree Patel. Sahityakar: લેખન કાર્ય પદ્ય ..આજની દ્રષ્ટિએ.
વાંચ્યા પછી મગજમાં ઉતરતું વાંચન અર્થસભર
હોય છે. લેખન કાર્ય કરવું એટલે પહેલાં ભાષાને ઓળખવી. ભાષા ઓળખાય પછી અંતરાત્મામાં ઊભરાતા વિચારોને મમળાવા કે મનમંથન કરી તેને એક લેખ વાર્તા કે કવિતારૂપ આપવું નહિ કે શબ્દો કે જોડણીઓની છૂટ લઈ તેને કોઈ પણ રૂપ આપીને ગોઠવવું .
ગુજરાતી સાહિત્યમાં પદ્ય અનેક રૂપે લખાય છે. તેમાં છંદોની ઓળખ, અલંકારોની ઓળખ પણ છુપાયેલી છે. કાવ્યોને પણ અનેક પ્રકાર અપાયા છે
આદિકાળથી નવા નવા કાવ્ય પ્રકાર આવ્યા. તેમાં સોનટ
કાવ્ય સૌ પ્રથમ ઈ.સ.૧૮૮૮માં ગુજરાતીમાં રચાયું.તેમાં બંધારણ હતું ચૌદ પંક્તિઓનું, તેના આદ્યસ્થાપક હતાં
કવિશ્રી બ.ક. ઠાકોર. તેઓ પ્રણયના સોનેટ કાવ્યો સુંદર શૈલીમાં રજુ કરતાં. તેઓ પ્રાસ પ્રત્યે ચુસ્ત નહોતા, પણ ચિંતન પ્રધાન કાવ્યો સુંદર ભાષાવૈભવથી રચતાં.તેમના
પછી આવ્યા કવિશ્રી રાજેન્દ્રશાહ, ચીનુ મોદી,ઉશનસ્ ને
ભગવતીકુમાર શર્માને કેમ ભુલાઈ! તેઓએ પ્રકૃતિને વીણી લીધી.સુખ દુ:ખના ભાવને વીણી લીધા.આ શૈલીએ સુંદર કાવ્યો ગુજરાતી ભાષાને આપ્યા છે.
શિખરિણી કે મંદાક્રાંતાના છંદોબદ્ધ કાવ્યો યાદ કરીએ તો કલાપી કેમ વિસરાય! સુંદર કેકારવ બક્ષી ગયાં.
અછાંદસ કાવ્યો આવ્યા તેમાં પણ પ્રયોગો થયાં.ઓગણીસમી સદીમાં રચાતા અછાંદસમાં કોઈ ગણતરીનાં શબ્દો કે છંદો નહોતા, પણ શબ્દોનું લાલિત્ય લય-પ્રાસ જરૂર હતા. કેટલાક અછાંદસ ગાય શકાય છે ને કેટલાંક પઠન કરી શકાય છે.આ કાવ્યમાં કોઈ એક જ વસ્તુને પ્રાધાન્ય આપે છે.તેમાં નવરસ પણ ભળે છે, પણ આ કાવ્યને આજકાલ લખનારા ટૂકડા કરી લખી નાંખે છે ને તેથી તેને અછાંદસ કાવ્ય તો ન જ કહિ શકાયને મિત્રો?
જેમાં શબ્દો લય ને ગેય હોય તે જ કાવ્ય અછાંદસ કાવ્ય કહેવાય.કવિ લાભશંકરજીનાં અછાંદસ કાવ્યો સુંદર હતાં.
ધીરે ધીરે ‘હાઈકુ’ નો પ્રકાર રચાયો ને પ્રચલિત થયો.જાપાનના મોશાકા શીકીએ ઓગણીસમી સદીમાં હાઈકુની શરૂઆત કરી.જેને ટૂંકું રૂપ અપાયું.ત્રણ જ પંક્તિમાં ગણતરીનાં શબ્દોમાં હાઈકુ રચાયા. તેનું માળખું
૫-૭-૫ અક્ષરોનું રહ્યું . તેમાં પણ ગઝલમાં શ્રેણીતમાં કે ત્રિપદીમાં રચાવા માંડ્યાં ને આધુનિક હાઈકુમાળાનો પણ
ઉદ્ભવ થયો.હાઈકુનાં પ્રણેતા ગુજરાતીમાં કવિશ્રી સ્નેહ રશ્મિજી છે. તેમના હાઈકુમાં પ્રકૃતિનાં સુંદર શબ્દો વીણી લેવાયા છે.
મુખ્ય વાત યાદ રાખજો મિત્રો કે કાવ્યની પંક્તિઓમાં પણ કર્તા,કર્મ,નામ,સંજ્ઞા, વિશેષણ , ક્રિયાવિશેષણ આવવા જોઈએ તોજ તે ગાવા કે પઠનને લાયક બને છે.
તેવીરીતે મોનોઈમેજ કાવ્ય પણ રચાયા. આ એક ઓછો વપરાયેલ પ્રકાર છે.કવિશ્રી ઉમાશંકર જોષી આને ‘ભાવપ્રતીક’ કાવ્ય કહેતા.આ ગદ્યની જેમ લખાતું ટૂંકું કાવ્ય છે. તેમાં નિરર્થક શબ્દોને કોઈ સ્થાન નથી હોતું.
આમા અમુક જ શબ્દો હોવા જોઈએ એવી મર્યાદા નથી.
કોઈ છંદનું બંધન નથી.તે બે રીતે લખાય છે સ્મૃત ને કલ્પનથી તેથી સુંદર શબ્દો લેવાતા હોય છે.
નવા નવા કાવ્યનાં પ્રકારો આવતા ગયાં હાઈકુની જેમ તેના રૂપમાં સાઈજીકી કાવ્ય આવ્યું ને બહુ લખાયું પણ તેનું બંધારણ ૬-૪-૨-૮. પહેલી પંક્તિ દ્રશ્યને સમક્ષ દર્શાવે , બીજી તે જ પંક્તિનો વિસ્તાર કરે ત્રીજી પંક્તિ વિરમે તે તેને એક વળાંક આપે તો ચોથી પંક્તિ તેની સચોટતા દર્શાવે.આમા કોઈ બોધ કે સૂચન નથી હોતા.એક સંવેદનશીલ દ્રશ્ય સચોટ રૂપે દર્શાવી જાય છે.
નવા લખનારા ભાવ સમજતા નથી ને ક્યારેક યાંત્રિક લખાણ રચે છે.
કાંશ’ કાવ્ય ૫-૫-૫-૫ નાં બંધારણમાં લખાય છે, એક શબ્દને લઈ તે રચાય છે.
એકાવનક્ષરી પંક્તિઓ રચી કાવ્યોની રચના શરૂ થઈ છે પહેલી પંક્તિ ૭-૧૦ એમ સત્તર આવીરીતે છ પંક્તિઓ રચાય.૧૭-૧૭-૧૭ આ બંધારણથી કાવ્ય રચાય. તેમાં પણ કુદરત, ભાવ કે નવરસોનો સમાવેશ થાય તો કાવ્ય લયબધ્ધ લાગે છે. આ આધુનિક વીસ એકવીસમી સદીની જ પ્રેરણા છે.
મુક્તપંચિકાનું બંધારણ એટલે ૫-૫-૭-૫-૫
સત્તાવીસ શબ્દોનું છે. તેમાં કુદરત સુંદર ભાવાત્મક લાગણી, પ્રકૃતિ તત્ત્વોનું સુંદર વર્ણન હોય છે.એક શબ્દ
લઈ ચાર થી પાંચ મુક્તપંચિકાઓ રચાય. લઘુકાવ્યનો જ એક પ્રકાર છે.આનો પ્રયોગ ૨૦૦૬માં જ થયો. સાહિત્ય પ્રેમી કવિશ્રી હરીશ દવે એ તેને લોકો સમક્ષ મૂકી.લઘુલિકા પણ કહેવાય. તેમાં બે થી વધુ મુક્તપંચિકા એક વિષયને લઈ મેં મિત્રો પદ્ય રૂપ આપ્યું.
શ્રી હરીશ દવે ને હું ગુરુ રૂપે માનું છું. તેઓએ મુક્તપંચિકા આપી તો મેં મુક્તપંચિકા કાવ્ય રૂપે પ્રસ્તુત કરી છે.આમા પણ એક શબ્દનો જ ઉપયોગ કરી ત્રણ ચરણનો પ્રયોગ
કર્યો છે. તેમ તમે પણ તેને પાંચ થી છ ચરણ સુધી રચી શકો સુંદર શબ્દો ને લય પઠન કરી શકો છો.
મિત્રો શબ્દોની ગણત્રી પણ કરતા શીખવી જ દઉં.
જુઓ ‘સ’ એક શબ્દ ગણાય તો ‘સ્વ’ પણ એક શબ્દ
ગણાય .કાવ્ય કોઈ પણ પ્રકારોમાં રચો પણ તેને પ્રાસ, લય, ગેય કે ભાવાત્મક રીતે રચો તો તે સુંદર રૂપ ધારણ કરે છે.
બીજી વાર ગદ્યની પણ આમ જ સમજ લઈશું.
મારું મુક્તપંચિકાનું એક કાવ્ય આપ સમક્ષ મૂકું છું
ઈત્ર*
પુષ્પો ઉકળ્યા
દાહ પામીને
નમ્ર વિનમ્ર મૃદુ
સુંગંધી બન્યું
મહેક્યું ઈત્ર..!
ન જોયા તેણે
સહ્યાંને કષ્ટ
છતાંય મહેક્યું તે
તન મનને
ડોલાવ્યું ઈત્રે..!
સુવાસ આપી
સમજ આપી
કંઈક શીખ મળી
મૃત્યુ પછી
સજ્યું ઈત્ર..!
જયશ્રી પટેલ
(C)
૨૬/૮/૨૦૨૦
દિવાળી અંક
(*આભ સુધીનો સાથ)*
જયશ્રી પટેલ
(c)
૪/૧૦/૨૧